Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજાહેર ક્ષેત્રની બેન્કોએ મોટો નફો કર્યો: સીતારમણે આનંદ વ્યક્ત કરતાં કહ્યું, 'સરકારના...

    જાહેર ક્ષેત્રની બેન્કોએ મોટો નફો કર્યો: સીતારમણે આનંદ વ્યક્ત કરતાં કહ્યું, ‘સરકારના NPA ઘટાડવાના પ્રયત્નો રંગ લાવી રહ્યાં છે’

    નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તમામ 12 જાહેર ક્ષેત્રની બેંકોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 25,685 કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યો હતો અને આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ રૂ. 40,991 કરોડનો નફો કર્યો હતો, બંનેમાં ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાથી અનુક્રમે 50 ટકા અને 31.6 ટકાનો વધારો થયો હતો.

    - Advertisement -

    નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે ‘બેડ લોન’ ઘટાડવા માટેના સરકારના પ્રયાસો પરિણામ લાવી રહ્યા છે જેમાં 12 જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સંયુક્ત ચોખ્ખો નફો 50 ટકા વધીને રૂ. 25,685 કરોડ નોંધાવવામાં આવ્યો છે.

    નાણાકીય વર્ષ ’23 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, તમામ જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) નો સંચિત ચોખ્ખો નફો 32 ટકા વધીને રૂ. 40,991 કરોડ થયો છે. બીજા ક્વાર્ટર દરમિયાન, SBIએ અત્યાર સુધીનો સૌથી વધુ નફો રૂ. 13,265 કરોડ નોંધાવ્યો હતો. વાર્ષિક ધોરણે, આ એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટર કરતાં 74 ટકા વધુ છે.

    નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તમામ 12 જાહેર ક્ષેત્રની બેંકોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 25,685 કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યો હતો અને આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ રૂ. 40,991 કરોડનો નફો કર્યો હતો. બંનેમાં ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાથી અનુક્રમે 50 ટકા અને 31.6 ટકાનો વધારો થયો હતો.

    - Advertisement -

    તેમણે ઉમેર્યું હતું કે કેનેરા બેંકે પાછલા નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાની તુલનામાં નફામાં 89 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો જે રૂ. 2,525 કરોડ થયો હતો.

    કોલકાતા સ્થિત યુકો બેંકનો નફો 145 ટકા વધીને રૂ. 504 કરોડ થયો છે જ્યારે બેન્ક ઓફ બરોડાનો નફો બીજા ક્વાર્ટરમાં 58.7 ટકા વધીને રૂ. 3,312.42 કરોડ થયો છે, એમ તેઓએ અન્ય એક ટ્વિટમાં જણાવ્યું હતું.

    બે બેંકોના નફામાં ઘટાડો, બેંકોએ જ આપ્યું કારણ

    12 ધિરાણકર્તાઓમાંથી બે – પંજાબ નેશનલ બેંક (PNB), અને બેંક ઓફ ઈન્ડિયાના નફામાં 9 થી 63 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ ધિરાણકર્તાઓના ઘટતા નફાને ‘બેડ લોન’ માટે વધુ જોગવાઈઓ માટે જવાબદાર ગણવામાં આવે છે. PNBએ જણાવ્યું હતું કે ચોખ્ખા નફામાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ ‘બેડ લોન’ માટે વધુ જોગવાઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટર માટે બેન્કની જોગવાઈ વધીને રૂ. 3,556 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 2,693 કરોડ હતી.

    દરમિયાન, બેન્ક ઓફ ઈન્ડિયા (BoI) એ જણાવ્યું હતું કે ક્વાર્ટરમાં કુલ જોગવાઈઓ બમણી થઈને રૂ. 1,912 કરોડ થઈ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 894 કરોડ હતી. મોટાભાગની જોગવાઈઓ રાજ્ય સરકારોના પ્રમાણભૂત ખાતાઓ પર આવી હતી જેમાં ચૂકવણીમાં વિલંબ થયો હતો અને તેથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નિરીક્ષણ પછી જોગવાઈઓ કરવાની હતી.

    આ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં દસ ધિરાણકર્તાઓએ 13 થી 145 ટકા સુધીનો નફો નોંધાવ્યો છે. સૌથી વધુ ટકાવારી વૃદ્ધિ યુકો બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 145 ટકા અને 103 ટકા નોંધવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં