Wednesday, May 1, 2024
More
    હોમપેજગુજરાત16 ઓક્ટોબરે એક સમયે એકસાથે રણકશે ગુજરાતીઓના મોબાઈલ, આવશે ઇમરજન્સી એલર્ટનો મેસેજ:...

    16 ઓક્ટોબરે એક સમયે એકસાથે રણકશે ગુજરાતીઓના મોબાઈલ, આવશે ઇમરજન્સી એલર્ટનો મેસેજ: સરકારે કહ્યું- ગભરાવાની જરૂર નથી, જણાવ્યું- શા માટે મોકલાશે આ મેસેજ 

    સમગ્ર રાજ્યમાં 16 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે ટેસ્ટિંગ મેસેજ પ્રસારિત કરવામાં આવશે. જેનાથી ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી કે ન યુઝરે કોઈ પ્રકારનો જવાબ આપવાનો રહેશે. આ માત્ર ભવિષ્યમાં અમલી બનાવવામાં આવનાર વ્યવસ્થા માટે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -

    સોમવારે (16 ઓક્ટોબર, 2023) આખા ગુજરાતના તમામ મોબાઈલ પર એકસાથે ઇમરજન્સી એલર્ટ મેસેજ મોકલવામાં આવશે. આ મેસેજ ‘લાર્જ સ્કેલ ટેસ્ટિંગ ઑફ સેલ બ્રોડકાસ્ટ’ અંતર્ગત મોકલવામાં આવનાર છે. જોકે, આ માત્ર ટેસ્ટિંગ મેસેજ હશે અને ચિંતાની કોઇ વાત નથી તેમ ગુજરાત સરકારે જણાવ્યું છે. 

    સરકારના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં 16 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે ટેસ્ટિંગ મેસેજ પ્રસારિત કરવામાં આવશે. જેનાથી ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી કે ન યુઝરે કોઈ પ્રકારનો જવાબ આપવાનો રહેશે. આ માત્ર ભવિષ્યમાં અમલી બનાવવામાં આવનાર વ્યવસ્થા માટે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 

    શું લખ્યું હશે આ મેસેજમાં?

    આ મેસેજ હિન્દી અને અંગ્રેજી ભાષામાં આવી શકે છે. જેમાં લખવામાં આવ્યું હશે-

    ‘આ ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલો એક ટેસ્ટિંગ મેસેજ છે. જેને તમારા તરફથી કોઇ પ્રતિક્રિયાની જરૂર નથી, જેથી અવગણશો. આ મેસેજ ભારતભરમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અમલમાં મૂકવામાં આવનાર ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ્ય આફત સમયે જાહેર સુરક્ષા અને સમયસરનાં એલર્ટ્સ આપવાનો છે.’

    આ પ્રકારનો મેસેજ આવશે
    - Advertisement -

    શા માટે અમલમાં મૂકવામાં આવનાર છે વ્યવસ્થા?

    કોઇ કુદરતી કે માનવસર્જિત આફતના સમયે લોકોને સમયસર ચેતવણી આપી શકાય અને જાનહાનિ અટકાવી શકાય તે માટેની વ્યવસ્થા ભવિષ્યમાં અમલમાં મૂકવામાં આવશે. જેના ભાગરૂપે આવા સમયે લોકોના મોબાઈલ પર ઇમરજન્સી એલર્ટ મોકલીને તેમને સાવચેત કરી શકાશે. આ મેસેજ સુવિધાનું હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને તેના જ ભાગરૂપે આ મેસેજ બ્રોડકાસ્ટ કરવામાં આવશે. અન્ય રાજ્યોમાં પણ આ ટેસ્ટિંગ કરવામાં આવી ચૂક્યું છે. 

    ભૂકંપ, ત્સુનામી, પૂર કે આગ જેવી કુદરતી આફતો વખતે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી નીવડશે. આવા કિસ્સાઓમાં ઘણી વખત લોકો ઘરોમાં કે અન્ય સ્થળોએ ફસાઈ જાય છે અને તેના કારણે જાનહાનિ પણ થાય છે. પરંતુ હવે આ આફતોને લઈને સરકાર પહેલેથી જ લોકોને એલર્ટ કરી દેશે અને જે માટે તેમના મોબાઈલ પર મેસેજ જશે. જેથી લોકોની સુરક્ષા વધશે. આ મેસેજ એકસાથે કરોડો લોકોને મોકલી શકાય છે, સમય આવ્યે આખા દેશમાં એકસાથે ઇમરજન્સી એલર્ટ મોકલી શકાય તેવી પણ વ્યવસ્થા વિકસાવવામાં આવશે. 

    સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ એલર્ટ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં