Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચિશ્તીઓના ઉશ્કેરણીજનક નિવેદનો બાદ જુમ્મા પર પણ અજમેરમાં સન્નાટો: રેસ્ટોરન્ટસની કમાણી 90%...

    ચિશ્તીઓના ઉશ્કેરણીજનક નિવેદનો બાદ જુમ્મા પર પણ અજમેરમાં સન્નાટો: રેસ્ટોરન્ટસની કમાણી 90% ઘટી, હોટલોના અનેક બુકિંગ કેન્સલ થતાં મોટું નુકસાન

    અજમેર દરગાહના ખાદિમ સરવર ચિશ્તીએ અજમેરના મુસ્લિમોને હિન્દુ વેપારીઓને બોયકોટ કરી તેમની સાથે આર્થિક સંબંધ કાપવાનું કહ્યું, પરંતુ પરિણામ સ્વરૂપ મુસ્લિમ વેપારીઓના જ ધંધા થયા ઠપ્પ.

    - Advertisement -

    અજમેરના ખાદીમોના ઉશ્કેરણીજનક નિવેદનો બાદ અહીં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર આવનાર લોકોની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવાર (8 જુલાઈ, 2022) ના રોજ જુમ્મા હોવા છતાં, અહીં સન્નાટો હતો. અત્યાર સુધી દરગાહના 3 ખાદિમે નૂપુર શર્માને લઈને ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા છે. ઉદયપુરમાં કન્હૈયા લાલનું શિરચ્છેદ કરનાર જેહાદીઓ સાથે દરગાહના ખાદીમાઓના સંબંધો પણ સામે આવ્યા છે.

    જ્યાં પહેલા અજમેરની આ સાંકડી ગલીઓ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની મુલાકાત લેનારા લોકોની ભીડથી ભરેલી રહેતી હતી, હવે નકારાત્મક કારણોસર સતત સમાચારમાં રહેવાથી તે જ ગલીઓ સૂમસામ થઈ છે. હાલ રેસ્ટોરન્ટ અને ટ્રાન્સપોર્ટનો બિઝનેસ બાકીના દિવસની સરખામણીમાં માત્ર 10% જ કમાણી કરી શકે છે. આટલું જ નહીં, લોકો હોટલ માટે કરાયેલ એડવાન્સ બુકિંગ પણ કેન્સલ કરી રહ્યા છે. ખાદિમ આઈનુદ્દીન ચિશ્તી કહે છે કે શહેરની અર્થવ્યવસ્થા તે 15-20 હજાર લોકો પર ટકે છે જેઓ અહીં દરરોજ આવતા હતા.

    દરગાહ બજાર, દિલ્હી ગેટ, દિગ્ગી બજાર અને ખાદીમ મહોલ્લા, કમ્માની ગેટ, અંદર કોટે સહિત લાખન કોટરીની હોટેલો અને ગેસ્ટ હાઉસને પણ દરગાહમાં યાત્રીઓ ન આવવાના કારણે દરરોજ મોટું નુકસાન થઈ રહ્યું છે. હમણાં સુધી મોટી સંખ્યામાં હિંદુઓ પણ અજમેર શરીફ દરગાહની મુલાકાત લેતા હતા, જેઓ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઇતિહાસ વિશે જાણતા નથી. આ વિસ્તારોમાં દરેક ઘર આવા પ્રવાસીઓ પાસેથી કમાણી કરે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (TOI) એ પોતાના સમાચારમાં આ માહિતી આપી છે.

    - Advertisement -

    દરગાહ વિસ્તારમાં ‘જન્નત ગ્રુપ ઓફ હોટેલ્સ’ના માલિક રિયાઝ ખાને કહ્યું કે અહીં આવતા લોકો નફરતભર્યા નિવેદનોથી પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે દેશમાં જે પણ થાય છે તેની અજમેર માર્કેટ પર મોટી અસર પડે છે. જોકે, ઉદયપુરની ઘટના બાદ જ લોકોએ બુકિંગ કેન્સલ કરવાનું શરૂ કરી દીધું હતું. ‘સોહન હલવા’ માટે જાણીતા ‘ખ્વાજા ગરીબ નવાઝ સ્વીટ્સ’ના માલિક શાદભ સિદ્દીકીએ કહ્યું કે તેમની કમાણી 90% ઘટી ગઈ છે.

    ખાદિમ સરવર ચિશ્તીએ હિન્દુઓનો આર્થિક બહિષ્કાર કરવાની હાકલ કરી હતી, પણ દાવ પડ્યો ઊંધો

    આખા હિંદુસ્તાનને શિરચ્છેદ કરવાની અને હચમચાવી નાખવાની ધમકીઓ પછી, અજમેર દરગાહના ખાદિમ (સેવક) – સરવર ચિશ્તીનું એક ફોન કૉલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેમાં તે હિંદુઓનો આર્થિક બહિષ્કાર કરવાની હાકલ કરતો સાંભળવામાં આવ્યો હતો. આ પહેલા સરવર ચિશ્તી આખા હિન્દુસ્તાનને હચમચાવી નાખે તેવા આંદોલનની હાકલ કરતો, ઉશ્કેરણીજનક નિવેદનો આપતો વાયરલ વીડિયોમાં જોવા મળ્યો હતો.

    આ ઓડિયોમાં તેણે કહ્યું, “અજમેર શરીફમાં નલા બજાર અને દરગાહ બજારના હિંદુઓએ નૂપુર શર્માને સમર્થન આપતી રેલીનું આયોજન કર્યું હતું. તેઓએ બપોરે 12 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાની હાકલ કરી છે. હું તમને બધાને વિનંતી કરું છું કે આ લોકો (હિંદુઓ)ને કંગાળ કરી દો. આ કામ અમારા KGN (ખ્વાજા ગરીબ નવાજ)ના જૂથો દ્વારા કરો. દરગાહ બજાર વિસ્તાર અને નાલા બજાર વિસ્તારમાં તેમની દુકાનોમાંથી કોઈએ કંઈપણ ખરીદવું જોઈએ નહીં. તેઓ ખ્વાજા સાહબના પ્રેમીઓ દ્વારા જ કમાય છે. અને જુઓ કે તેઓ કેટલી હિંમત કરીને અમારી સામે દુકાનો બંધ કરાવી રહ્યા છે. તેઓ નુપુર શર્માને સમર્થન આપી રહ્યા છે. આ શબ્દને તમે ગમે ત્યાં ફેલાવો, જેથી કોઈ તેમની સાથે એક રૂપિયાની લેવડ-દેવડ ન કરે.”

    નોંધનીય છે કે કન્હૈયા લાલના હત્યારા મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસના કનેક્શન અજમેરના ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહના ખાદિમ ગૌહર ચિશ્તી સાથે સામે આવ્યું છે. બંને ભાગીને અજમેર જઈ રહ્યા હતા. નુપુર શર્માની ગરદન લાવનાર વ્યક્તિને તેનું ઘર આપવાનું વચન આપનાર સલમાન ચિશ્તીની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેના પગલે રાજસ્થાન પોલીસ પર વાયરલ વીડિયોના આધારે તેને બચાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં