Saturday, April 27, 2024
More
    હોમપેજદેશકપિલ મિશ્રા કન્હૈયા લાલના પરિવારને સાંત્વના આપવા ઉદયપુર પહોચ્યાં: પરિવારની સહાયતા માટે...

    કપિલ મિશ્રા કન્હૈયા લાલના પરિવારને સાંત્વના આપવા ઉદયપુર પહોચ્યાં: પરિવારની સહાયતા માટે 1 કરોડ ભેગા કરવાના ટાર્ગેટ સામે લોકોએ આપ્યા 1.7 કરોડ

    કપિલ મિશ્રાના ફંડ રેઝરને એટલો બહોળો પ્રતિસાદ મળ્યો કે 1 કરોડના ટાર્ગેટ સામે ટૂંકા સમયમાં ભેગા થઈ ગયા 1.70 કરોડ. હવે તેમાથી કન્હૈયા લાલ ઉપરાંત અન્ય હિન્દુ પીડિતોની પણ મદદ કરશે.

    - Advertisement -

    આજે બપોરના સમયે ભાજપા નેતા કપિલ મિશ્રા કન્હૈયા લાલના પરિવારને મળવા માટે ઉદયપુર તેમના ઘરે પહોચ્યાં હતા. નોંધનીય છે કે કપિલ મિશ્રાએ થોડા દિવસ પહેલા કન્હૈયા લાલના પરિવારની મદદ માટે એક કરોડ રૂપિયા ભેગા કરવાનો સંકલ્પ લીધો હતો.

    કન્હૈયા લાલની છબીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ અને તેમના નિવાસસ્થાને તેમના પરિવારને મળ્યા બાદ મિશ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે ભંડોળ એકત્ર કરવા માટે 1 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ 1 કરોડ 70 લાખ રૂપિયા પહેલેથી જ એકઠા થઈ ગયા છે અને લોકો હજુ પણ યોગદાન આપી રહ્યા છે.

    ઈસ્લામના અપમાનનો બદલો લઈ રહ્યા હોવાનું કહીને ઓનલાઈન વીડિયો પોસ્ટ કરતા પહેલા બે મુસ્લિમ આરોપીઓએ કન્હૈયા લાલને તેમની જ દુકાનમાં છરી વડે માથું કાપીને મારી નાખ્યા હતા.

    - Advertisement -

    ભેગા થયેલ 1.70 કરોડનું શું કરાશે?

    નોંધનીય છે કે કન્હૈયા લાલના પરિવારની આર્થિક મદદ કરવા માટે ભાજપા નેતા કપિલ મિશ્રા અને તેમના મિત્રોએ 1 કરોડ રૂપિયા ભેગા કરવાના લક્ષ્ય સાથે એક કેમ્પેન ચલાવ્યું હતું. પરંતુ દેશના નાગરિકોએ એટલો સરસ પ્રતીભાવ આપ્યો કે 1 કરોડ રૂપિયા માત્ર 24 કલાકમાં જમા થઈ ગયા હતા અને હાલ 1.70 કરોડ કરતાં વધુ રકમ જમા થઈ છે અને હજુ પણ બીજી રકમ જમા થવાનું ચાલુ જ છે.

    આ વિષયમાં જાણકારી આપતા કપિલ મિશ્રાએ કહ્યું કે કન્હૈયા લાલના પરિવારને 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જેનો ઉપયોગ તેમની હોમ લોન ચૂકવવા અને તેમના પુત્રોના અભ્યાસના ખર્ચ માટે કરવામાં આવશે.

    મિશ્રાએ કહ્યું કે ઈશ્વરને 25 લાખ રૂપિયા આપવામાં આવશે, જે કન્હૈયા લાલની દુકાનમાં પણ હાજર હતા અને ઈજાગ્રસ્ત થયા હતા.

    આ સિવાય કોન્સ્ટેબલ સંદીપને 5 લાખ રૂપિયા આપવામાં આવશે, જે બુધવારે રાજસમંદ જિલ્લામાં ટોળા દ્વારા થયેલ હુમલામાં ઘાયલ થયા હતા જ્યારે પોલીસે હુમલાના ઇરાદા સાથે ધાર્મિક સ્થળ તરફ આગળ વધી રહેલા ઉશ્કેરાયેલા ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

    બીજેપી નેતાએ કહ્યું કે મહારાષ્ટ્રના અમરાવતીમાં માર્યા ગયેલા ઉમેશ પ્રહલાદરાવ કોલ્હેના પરિવારને 30 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે.

    ઉપરાંત આ બાદ પણ કોઈ રકમ વધશે તો તે પણ કન્હૈયા લાલના પરિવારને આપવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં