Saturday, May 17, 2025
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનને જાણ કર્યા વગર ભારતે ઝેલમ નદીમાં છોડી મૂક્યું પાણી? PoKના મુઝફ્ફરાબાદમાં...

    પાકિસ્તાનને જાણ કર્યા વગર ભારતે ઝેલમ નદીમાં છોડી મૂક્યું પાણી? PoKના મુઝફ્ફરાબાદમાં પૂરની સ્થિતિ હોવાના દાવા કરતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

    સોશિયલ મીડિયા પર પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતે જાણ કર્યા વગર ઝેલમ નદીમાં પાણી છોડી મૂક્યું છે, જેના કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના (PoK) મુઝફ્ફરાબાદમાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો (Pahalgam terror attack) થયા બાદ આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતે કડક કાર્યવાહી કરતાં સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે અને પાકિસ્તાનમાં જતાં પાણીને રોકવા માટેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે પાકિસ્તાની મીડિયા (Pakistani Media) દાવો કરી રહ્યું છે કે, ભારતે જાણ કર્યા વગર અચાનક ઝેલમ નદીમાં (River Jhelum) પાણી છોડી દીધું છે, જેના કારણે PoKના મુઝફ્ફરાબાદમાં પૂરની સ્થિતિ (Flood situation) જોવા મળી રહી છે. વધુમાં મુઝફ્ફરાબાદમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

    સોશિયલ મીડિયા પર પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતે જાણ કર્યા વગર ઝેલમ નદીમાં પાણી છોડી મૂક્યું છે, જેના કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના (PoK) મુઝફ્ફરાબાદમાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. આ સાથે એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. છતાં પાકિસ્તાની મીડિયામાં ભારતનો ઉલ્લેખ કરીને આવો દાવો કરવામાં આવી રહ્યો છે.

    પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાણી છોડવાના કારણે મુઝફ્ફરાબાદમાં જળસ્તર સતત વધી રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્રએ હટ્ટીયન બાલામાં ‘વોટર ઇમરજન્સી’ જાહેર કરી દીધી છે. આ સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, મસ્જિદોમાંથી એલાન કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિકોને ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. પાણી ઉત્તરી કાશ્મીરના બારામુલા જિલ્લાથી ઘૂસ્યું છે અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના ચકોઠી વિસ્તાર થઈને ઉપર ઉઠી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ તેવા સમયે થયો છે, જ્યારે ભારતે સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

    - Advertisement -

    આ ઘટનાને લઈને સ્થાનિકોના અનેક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ જળસ્તર વધતું હોવાનું જણાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે, ભારતે જાણ કર્યા વગર ઝેલમ નદીનું પાણી છોડી દેતા પૂરની સ્થિતિ ઊભી થઈ છે. આ સાથે વિડીયોમાં પાણીની સ્થિતિ પણ જોવા મળી રહી છે. જેમાં જોઈ શકાય છે કે, ઝડપથી પાણીનું સ્તર વધી રહ્યું છે અને પૂર જએવી સ્થિતિ જોવા મળી રહી છે.

    આ ઘટનાને લઈને નેટિઝન્સની ટિપ્પણીઓ પણ વાયરલ થઈ રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું છે કે, પાકિસ્તાનીઓને પાણી જોઈતું હતું તો ભારતે પાણી આપ્યું. અન્ય એક યુઝરે એવું પણ કહ્યું છે કે, પાણી આપો તો પણ વાંધો છે અને બંધ કરો તો પણ વાંધો છે. વધુમાં અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે એવું પણ કહ્યું છે કે, “ક્યારેક કહો છો કે, પાણી ન રોકો અને ક્યારેક કહો છો કે, પાણી રોકો. પ્રદર્શન કરવાનું કારણ નક્કી કરી લો પહેલાં.”

    નોંધનીય છે કે, પાકિસ્તાની મીડિયા ચાલી રહેલા આ દાવાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હોવાના સમાચાર વહેતા થયા છે અને સ્થાનિક પ્રશાસને ઇમરજન્સી પણ જાહેર કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં