Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ભગવા આંતકવાદ' શબ્દની જનક કોંગ્રેસને ભગવા રંગની બસથી પણ સમસ્યા, કોંગ્રેસના આક્ષેપ...

    ‘ભગવા આંતકવાદ’ શબ્દની જનક કોંગ્રેસને ભગવા રંગની બસથી પણ સમસ્યા, કોંગ્રેસના આક્ષેપ પર GSRTCની પ્રતિક્રિયા, કહ્યું ‘રાજકારણથી નથી કોઈ નિસ્બત’

    ગુજરાત પરિવહન નિગમ (GSRTC) નવી આરામદાયક બસો લાવી રહી છે જેનો રંગ કેસરી છે જેનાથી ગુજરાત કોંગ્રેસને તકલીફ પડી છે.

    - Advertisement -

    ભગવા આંતકવાદ જેવા નામકરણ કરનારી કોંગ્રેસને હવે રાજ્યની એસટી બસનાં નવાં રંગથી પણ વાંધો પડ્યો છે. ગુજરાત રાજ્યની પરિવહન સંસ્થાએ પોતાની તમામ બસોને કેસરી રંગથી રંગવાનો નિર્ણય લીધા બાદ કોંગ્રેસમાં રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાગવા રંગની બસો રસ્તા પર દોડાવીને ભાજપ હિન્દુત્વ કાર્ડ રમી રહ્યું છે. ભગવા આંતકવાદ જેવા નામકરણ કરનારી કોંગ્રેસને હવે GSRTCની નવી આરામદાયક બસ પર વાંધો છે.

    GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ) એ કેસરી રંગની ST બસો લાવવાનું નક્કી કર્યું છે. બસોને કેસરી રંગે રંગવામાં આવશે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી બસો જાહેર ઉપયોગ માટે રોડ પર ઉતારવામાં આવશે. આ પગલા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ ભાજપની હિંદુત્વવાદ લાદવાની ચાલ છે.

    ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ GSRTC ના નિર્ણય બાદ કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, “ભાજપ બસોને ભગવો રંગ કરીને હિન્દુત્વનું કાર્ડ રમવાનો પ્રયાસ કરી રહી છે. સૌપ્રથમ, ભાજપ સરકારે રાજ્ય પરિવહન (ST)ના કર્મચારીઓના પગાર સમયસર ચૂકવવા જોઈએ. ગુજરાતના ગામડાઓમાં એક પણ એસટી બસની કનેક્ટિવિટી નથી. રંગ બદલવાને બદલે પહેલા ગુજરાતની જનતાને સારી સેવા આપવી જોઈએ.”

    - Advertisement -

    તો બીજી તરફ કોંગ્રેસના નેતા મનીષ દોશીને પણ GSRTC ના રંગ બદલવાના નિર્ણય પર તકલીફ થઇ હતી અને રોષ ઠાલવતાં કહ્યું હતું કે, “ગુજરાતમાં એસટી બસોનો ઉપયોગ પીએમ મોદીના કાર્યક્રમો માટે કરવામાં આવે છે. પીએમ મોદીની નવસારીની તાજેતરની મુલાકાત દરમિયાન, સમગ્ર ગુજરાતમાંથી હજારો એસટી બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આના કારણે ગુજરાતમાં ST બસ સિસ્ટમ સંપૂર્ણપણે પડી ભાંગી હતી. ગામડાઓમાં લોકો પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.”

    GSRTC એ આ બંને કોંગ્રેસી નેતાઓના નિવેદનોનું ખંડન કરીને પોતાનો પક્ષ મુક્યો હતો. એક મીડિયા અહેવાલ મુજબ GSRTC ના વરિષ્ઠ અધિકારી કે ડી દેસાઈએ કોંગ્રેસના દવાઓનું ખંડન કરતાં જણાવ્યું હતું કે. “બસ ના ભાગવા રંગને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. અમે માત્ર રંગ બદલી રહ્યા છીએ. 200 2×2 બસો, 300 સ્લીપર બસો અને 500 ડીલક્સ બસોને કેસરી રંગથી રંગવામાં આવશે. ઉત્પાદન કાર્ય શરૃ થઈ ગયું છે. અને જુલાઈના અંતિમ સપ્તાહ અથવા ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં બસો રોડ ઉપર દોડતી થઇ જશે. અગાઉ અમારી મિની બસને ભગવા રંગથી રંગવામાં આવી હતી. તેને ચૂંટણી કે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.”

    શું છે નવી ST બસ ની ખાસિયત

    ગુજરાત ST પહેલીવાર 2×2 બેઠક વ્યવસ્થા ધરાવતી બસ તૈયાર કરશે. 42 મુસાફરોની બેઠક વ્યવસ્થા ધરાવતી આ બસ બનાવવાની કામગીરી પણ આવનારા દિવસોમાં શરૂ કરવામાં આવશે. દરેક સીટ માટે રીડિંગ લાઈટ પણ મુકવામાં આવશે,

    વેન્ટિલેશન માટે પણ ખાસ વ્યવસ્થા

    2 × 2 પ્રકારની બસમાં સ્લાઈડિંગ વિન્ડો પણ પહોળી હશે, જેથી પર્યાપ્ત વેન્ટિલેશન મળી રહેશે. શરૂઆતના તબક્કામાં 300 જેટલી બસ તૈયાર કરવામાં આવશે. યાત્રિકોને પ્રવાસ માટે વધુ સુવિધા અને વિકલ્પો મળી રહે અને ખાનગી બસની જગ્યાએ નિગમની બસ આ લોકો આકર્ષાય એ માટેનો પ્રયાસ કરવામાં આવશે.

    સ્વચ્છતા જાળવવા લાકડા પર મેટ પથરાશે

    BS-6 પ્રકારના એન્જિનની નવી કેસરી બસમાં બંને સીટ વચ્ચે પ્રર્યાપ્ત માત્રામાં અંતર રાખવામાં આવ્યું છે, એટલે કે સારી એવી લેગ સ્પેસ પણ આપવામાં આવી છે, જેમાં પ્રવાસીઓ પોતાના પગ સરળતાથી નીચે મૂકી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે હાલ તૈયાર થતી બસોના ફ્લોરિંગમાં માત્ર લાકડાની ડિઝાઇન જોવા મળતી હતી, પરંતુ સ્વચ્છતા જાળવવા અને આકર્ષક બનાવવા નવી બસોમાં આ લાકડા પર મેટ પાથરવામાં આવી છે. બસની મહત્ત્વપૂર્ણ ખાસિયત એ પણ છે કે ઇન્ટીરિયર માટે ACP સીટ વાપરવામાં આવી છે, જે ઉનાળામાં મુસાફરી માટે અનુકુળ રહેશે અને બસના દેખાવને પણ વધુ સુંદર બનાવશે,

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં