Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી પોલીસે 2 ખાલિસ્તાન સમર્થકોની અટકાયત કરી, વાંધાજનક સૂત્રો લખવા સંબંધિત મામલો:...

    દિલ્હી પોલીસે 2 ખાલિસ્તાન સમર્થકોની અટકાયત કરી, વાંધાજનક સૂત્રો લખવા સંબંધિત મામલો: સામે આવ્યું આતંકી પન્નુ સાથેનું કનેક્શન

    દિલ્હી પોલીસે રવિવારે વિકાસપુરી જનકપુરી પશ્ચિમી વિહાર વિસ્તારમાં દિવાલ પર વાંધાજનક સૂત્રો લખવા બદલ બે લોકોની ધરપકડ કરી હતી. ઘટનાની માહિતી પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

    - Advertisement -

    તાજેતરમાં, દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં એક દિવાલ પર ખાલિસ્તાન ઝિંદાબાદ અને રેફરેન્ડમ 2020ના નારા લખવા બદલ બે લોકોની અટકાયત કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ કેસમાં બે આરોપીઓની કસ્ટડી અંગેની માહિતી ટ્વિટ કરી છે.

    દિલ્હી પોલીસે આ વર્ષે જાન્યુઆરીમાં વિકાસપુરી, જનકપુર, પશ્ચિમ વિહાર, પીરાગઢી અને પશ્ચિમ દિલ્હીના અન્ય ભાગોમાં ખાલિસ્તાન તરફી સૂત્રો લખવાના કેસના સંબંધમાં બે વ્યક્તિઓની અટકાયત કરી છે, એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું. નોંધનીય છે કે 19 જાન્યુઆરીએ વિકાસપુરી, જનકપુરી, પશ્ચિમ વિહાર, પીરાગઢી અને પશ્ચિમ દિલ્હીના અન્ય વિસ્તારોમાં એક દિવાલ પર વાંધાજનક સૂત્રો લખેલા અનેક ગ્રેફિટીસ લગાવવામાં આવ્યા હતા.

    આરોપીઓ ગુરપંત સિંહ પન્નુની સૂચના પર કામ કરતા

    દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. રાજધાનીમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’, ‘શીખ ફોર જસ્ટિસ રેફરન્ડમ 2020’ના નારા લખવા અને દેશનું વાતાવરણ બગાડવા બદલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને વિદેશમાં બેઠેલા ગુરપંત સિંહ પન્નુની સૂચના પર કામ કરતા હતા. બંનેને રાજધાની દિલ્હીમાં રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ કરવા માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.

    - Advertisement -

    આરોપીઓ દિલ્હીના રહેવાસી હોવાનું કહેવાય છે, આરોપીઓમાંથી એક શીખ સમુદાયનો છે. કહેવાય છે કે શીખ ફોર જસ્ટિસ (SFJ) એક ખાલિસ્તાની સંગઠન છે, જે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે, એટલા માટે કેન્દ્ર સરકારે 2019થી આ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

    તાજેતરમાં, 26 જાન્યુઆરી પહેલા શીખ્સ ફોર જસ્ટિસે સોશિયલ મીડિયા પર લાલ કિલ્લા પર હુમલો કરવાની અને ખાલિસ્તાની ધ્વજ લહેરાવવાની ધમકી આપતો એક વીડિયો જાહેર કર્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં અલગ-અલગ જગ્યાએ ખાલી જગ્યા પર પોસ્ટર અને સૂત્રોચ્ચાર ચોંટાડવામાં આવ્યા હતા. ત્યારથી વિશેષ સેલ આ બાબતની તપાસમાં જોડાઈ બંનેની ધરપકડ કરી વાતાવરણ બગડતું બચાવ્યું હતું. પકડાયેલા બંને આરોપીઓને આગળ મોટું કામ કરવા માટે મોટી રકમનું વચન પણ આપવામાં આવ્યું હતું, હાલ સ્પેશિયલ સેલ બંનેની પૂછપરછ કરી રહી છે.

    26 જાન્યુઆરી પહેલા વાંધાજનક પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા

    12 જાન્યુઆરીએ દિલ્હીના વિકાસપુરી, જનકપુરી, પશ્ચિમ વિહાર, પીરાગઢી અને પશ્ચિમ દિલ્હીના અન્ય વિસ્તારોમાં ખાલિસ્તાનના સમર્થનમાં દિવાલો પર લગાવવામાં આવેલા પોસ્ટરો એક મોટા ષડયંત્રનો ભાગ છે. પોલીસે પોસ્ટરોને પહેલા ઢાંકી દીધા હતા બાદમાં હટાવ્યા હતા.

    આ બાબતે, દિલ્હી પોલીસે તાજેતરમાં IPCની કલમ 153B અને 120B હેઠળ કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી અને અજાણ્યા લોકો વિરુદ્ધ બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ અને ગુનાહિત કાવતરું ઘડવા બદલ કેસ નોંધ્યો હતો. પોલીસે આ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સ્કેન કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં