Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘નરેન્દ્ર મોદીને તેમની ઔકાત બતાવીશું’: કોંગ્રેસ નેતાની વડાપ્રધાન વિશે અપમાનજનક ટિપ્પણી, ભાજપનો...

    ‘નરેન્દ્ર મોદીને તેમની ઔકાત બતાવીશું’: કોંગ્રેસ નેતાની વડાપ્રધાન વિશે અપમાનજનક ટિપ્પણી, ભાજપનો વળતો પ્રહાર; PM મોદીએ કહ્યું- હું રોજ બે કિલો ગાળો ખાઉં છું

    ઈશ્વરે એવા આશીર્વાદ આપ્યા છે કે આ તમામ ગાળો મારી અંદર પ્રોએસ થઇને ન્યુટ્રીશનમાં બદલાઈ જાય છે: પીએમ મોદી

    - Advertisement -

    કોંગ્રેસે આજે ગુજરાત ચૂંટણી માટે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. અમદાવાદથી આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમજ રાજસ્થાનના સીએમ અને ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત અને અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. દરમ્યાન, એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રીએ પીએમ મોદી વિશે અપમાજનક ટિપ્પણી કરી હતી. 

    કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં સરકાર બને તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને ‘સરદાર વલ્લભભાઈ પટેલ’ સ્ટેડિયમ કરવાની વાત કરી હતી. ત્યારબાદ ન્યૂઝ ચેનલ ABP ન્યૂઝના પત્રકારે કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રી સાથે આ મુદ્દાને લઈને વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, આ નરેન્દ્ર મોદીની ઔકાત બતાવશે. 

    કોંગ્રેસ નેતાએ કહ્યું, “તમે મને પૂછો તો હું કહીશ કે આ નરેન્દ્ર મોદીની ઔકાત બતાવશે. નરેન્દ્ર મોદીની સરખામણી સરદાર પટેલ સાથે કરી શકાય નહીં.” 

    - Advertisement -

    બીજી તરફ, તેલંગાણામાં સભા સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “મારા કાર્યકર્તાઓને વ્યક્તિગત વિનંતી કરું છું. કેટલાક લોકો નિરાશા, હતાશા, ભય અને અંધવિશ્વાસના કારણે સવાર-સાંજ મોદીને ગાળો આપતા રહે છે, જુદી-જુદી ગાળો આપતા રહે છે. મોદીને ગાળો આપવા માટે ડિક્ષનરી ખપાવી દીધી છે. પરંતુ તમે આવી બાબતોથી પરેશાન થશો નહીં કારણ કે તેમની પાસે બીજું કશું બચ્યું નથી.” 

    પીએમ મોદીએ ઉમેર્યું કે, “હું તો છેલ્લાં 20-22 વર્ષથી જુદી-જુદી ગાળો ખાઈ ચૂક્યો છું. મને લોકો પૂછે છે કે તમે થાકતા કેમ નથી? હું તેમને સમજવું છું કે, હું દરરોજ 2-3 કિલો ગાળો ખાઉં છું. પરમાત્માએ મારી અંદર એવી રચના કરી છે, ઈશ્વરે એવા આશીર્વાદ આપ્યા છે કે આ તમામ ગાળો મારી અંદર પ્રોએસ થઇને ન્યુટ્રીશનમાં બદલાઈ જાય છે. એક સકારાત્મક ઉર્જા બની જાય છે. જે જનતાની સેવામાં કામ આવે છે.”

    બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ પણ પીએમ મોદી વિશે અપમાનજનક ટિપ્પણી મામલે મધુસૂદન મિસ્ત્રી અને કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. આજે અમદાવાદ આવેલા ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, કોંગ્રેસે પીએમ મોદી સામે નિંદનીય ટિપ્પણી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, આ કોઈ નવી વાત નથી, થોડા મહિના પહેલાં એક કોંગ્રેસ નેતા પીએમ મોદી માટે મૃત્યુની પ્રાર્થના કરી ચૂક્યા છે. સુધાંશુ ત્રિવેદીએ તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા પીએમ મોદી સામે કરવામાં આવેલ ‘મૌત કા સોદાગર’ની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં