Monday, April 29, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન'...કુરાન પર ટૂંકી ડોક્યુમેન્ટરી બનાવો અને જુઓ શું થાય છે…': અલ્હાબાદ હાઇકોર્ટે...

    ‘…કુરાન પર ટૂંકી ડોક્યુમેન્ટરી બનાવો અને જુઓ શું થાય છે…’: અલ્હાબાદ હાઇકોર્ટે ફિલ્મ આદિપુરુષના નિર્માતાઓને લગાવી ફટકાર

    હાઈકોર્ટે કહ્યું કે તાજેતરના સમયમાં આવી ઘણી ફિલ્મો આવી છે જેમાં હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવામાં આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટે પૂછ્યું કે જો આપણે અત્યારે મોઢું બંધ રાખીએ તો ખબર છે શું થશે?

    - Advertisement -

    અલ્હાબાદ હાઇકોર્ટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B) અને ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન’ (CBFC) ને નોટિસ જારી કરીને ફિલ્મ આદિપુરુષ અંગે તેમનો જવાબ માંગ્યો છે. આદિપુરુષ ફિલ્મના વાંધાજનક દ્રશ્યો અને સંવાદોને લઈને 2 પીઆઈએલ દાખલ કરવામાં આવી છે, જેના પર અલ્હાબાદ હાઇકોર્ટે બંને સંસ્થાઓને એફિડેવિટ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મનું પ્રમાણપત્ર એક મોટી ભૂલ છે અને તેનાથી મોટી સંખ્યામાં લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

    જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ શ્રીપ્રકાશ સિંહે આ મામલાની સુનાવણી કરતા ફિલ્મ નિર્માતાઓની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે કુરાન કે બાઈબલ જેવા પવિત્ર ગ્રંથોને આ રીતે હાથ ન લગાવવો જોઈએ કે તેની સાથે છેડછાડ કરવી જોઈએ નહીં. હાઈકોર્ટે સ્વીકાર્યું હતું કે ‘આદિપુરુષ’માં જે રીતે રામાયણના પાત્રોને દર્શાવવામાં આવ્યા છે, તેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તે સ્વાભાવિક છે. ન્યાયાધીશોએ કહ્યું કે આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે.

    હાઈકોર્ટે કહ્યું કે તાજેતરના સમયમાં આવી ઘણી ફિલ્મો આવી છે જેમાં હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવામાં આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટે પૂછ્યું કે જો આપણે અત્યારે મોઢું બંધ રાખીએ તો ખબર છે શું થશે? ન્યાયાધીશોએ ફિલ્મના એક દ્રશ્યને યાદ કર્યું જેમાં ભગવાન શિવને ત્રિશુલ સાથે દોડતા બતાવવામાં આવ્યા હતા અને તેની મજાક ઉડાવવામાં આવી હતી. કોર્ટે પૂછ્યું કે હવે આ બધું બતાવવામાં આવશે? એમ પણ કહ્યું કે જ્યારે ફિલ્મો બિઝનેસ કરે છે ત્યારે નિર્માતા કમાય છે.

    - Advertisement -

    અલ્હાબાદ હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરી અને કહ્યું, “ધારો કે તમે કુરાન પર એક નાનકડી ડોક્યુમેન્ટ્રી બનાવી, જેમાં તમે કંઈક ખોટું દર્શાવ્યું. પછી જુઓ શું થાય છે. એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ કોઈ એક ધર્મ વિશે નથી. યોગાનુયોગ આ મામલો રામાયણ સાથે જોડાયેલો છે, ન્યાયતંત્ર દરેક ધર્મનું છે. કોઈપણ ધર્મને ખરાબ રીતે બતાવવો જોઈએ નહીં. મુખ્ય ચિંતા એ છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ.”

    અલ્હાબાદ હાઈકોર્ટે આ ટિપ્પણીઓ કરી છે, પરંતુ હાલમાં કોઈ નિર્ણય સંભળાવ્યો નથી. ન્યાયાધીશોએ કહ્યું કે આ બાબતો મીડિયામાં પણ આવશે. હાઈકોર્ટે પૂછ્યું કે આદિપુરુષ ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે શું કોઈ ધાર્મિક પાત્રો વિશે વિચારી શકે છે? ખાસ કરીને હાઈકોર્ટે આ પાત્રો દ્વારા પહેરવામાં આવતા કપડા પર સવાલ ઉઠાવ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે જે લોકો ભગવાન રામ, લક્ષ્મણ કે માતા સીતાનું સન્માન કરે છે તેઓ આ આદિપુરુષના ફિલ્મ ક્યારેય જોઈ શકશે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં