Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબોયકોટના વલણથી અક્ષય નારાજ, કહ્યું: 'ફિલ્મો ભારતની અર્થવ્યવસ્થાને મદદ કરે છે', ટ્રોલર્સ...

    બોયકોટના વલણથી અક્ષય નારાજ, કહ્યું: ‘ફિલ્મો ભારતની અર્થવ્યવસ્થાને મદદ કરે છે’, ટ્રોલર્સ બદમાશી કરી રહ્યાં છે

    અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ રક્ષાબંધનના બોયકોટ કરવાની અપીલની ટીકા કરતાં જણાવ્યું છે કે કોઈને પણ કોઈ ફિલ્મ જોતાં રોકવાનું દબાણ ન કરી શકાય.

    - Advertisement -

    બોયકોટના વલણથી અક્ષય નારાજ હોય તેવું લાગી રહ્યું છે, બોલિવૂડના હિંદુફોબિક ચિત્રણના કારણે તાજેતરમાં ઘણી હિન્દી ફિલ્મોને તીખી પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો છે. સોશિયલ મીડિયામાં આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નો બહિષ્કાર કરવાની ચર્ચા ચાલી રહી છે. સાથેજ અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન (#BoycottRakshaBandhan)ની પણ ઉગ્ર ટીકા થઈ રહી છે.

    ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ પત્રકારોને સંબોધતા અક્ષય કુમારે રક્ષાબંધનના બહિષ્કાર પર પોતાનું મૌન તોડ્યું હતું અને કહ્યું હતું “કે ભારત એક સ્વતંત્ર દેશ છે. જેને જે કરવું હોય તેને તે કરવાની સ્વતંત્રતા છે. સાથે જ ટ્રોલર્સ અને મીડિયાને ફિલ્મોનો બહિષ્કાર કરવાના ટ્રેન્ડથી દૂર રહેવા જણાવ્યું હતું. અક્ષય કુમારે કહ્યું હતું કે, “ભારતીય ફિલ્મ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાને મદદ કરે છે. કેટલાક લોકો એવા છે જેઓ આ બધી વસ્તુઓ કરે છે (બહિષ્કાર). તેઓ (ટ્રોલર) ગુંડાગીરી કરી રહ્યા છે.”

    તેણે આગળ કહ્યું કે, “હું કહેવા માંગુ છું કે કોઈપણ ઉદ્યોગ, પછી તે ફિલ્મ ઉદ્યોગ હોય કે કપડાં ઉદ્યોગ, તે બધા ભારતની અર્થવ્યવસ્થામાં મદદ કરે છે. આવી વાતો કરવાનો કોઈ અર્થ નથી. આપણે બધા આપણા દેશને સૌથી મોટો અને મહાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું તેમાં સામેલ ન થવા વિનંતી કરીશ, કારણ કે તે આપણા દેશ માટે વધુ સારું રહેશે.”

    - Advertisement -

    રક્ષાબંધનના બહિષ્કારની માંગ કેમ થઈ રહી છે?

    વાસ્તવમાં, રક્ષાબંધનનો બહિષ્કાર કરવાની માંગ આ ફિલ્મની લેખિકા કનિકા ધિલ્લોનના કારણે થઈ રહી છે. કનિકાના આવા ઘણા જૂના ટ્વીટ્સ તાજેતરમાં વાયરલ થયા હતા, જે હિન્દુ નફરતથી ભરેલા હતા. ફિલ્મની રિલીઝને ધ્યાનમાં રાખીને, તેણે 1 ઓગસ્ટ, 2022 ના રોજ અડધા કલાકની અંદર આવી 17 ટ્વીટ્સ કાઢી નાખી.

    આ જૂની ટ્વીટ્સમાં કનિકા ધિલ્લોન એવા દરેક પ્રદર્શનને સમર્થન કરતી જોવા મળી હતી જે મોદી સરકારની વિરુદ્ધ હોય અથવા જ્યાં હિન્દુત્વ માટે અપશબ્દોનો ઉપયોગ થયો હોય અથવા દેશને અપશબ્દો આપવામાં આવ્યા હોય. CAA વિરૂદ્ધ ટ્વિટ કરતાં તેણે લખ્યું- અમે કાગળ નહીં બતાવીશું. કનિકાએ પણ ગૌવંશ વિશે ટ્વિટ કર્યું. એક કરતાં વધુ ટ્વીટમાં કનિકા ધિલ્લોને ભારતને લિંચીસ્તાન ગણાવ્યું હતું.

    નોંધનીય છે કે રક્ષાબંધન અને લાલ સિંહ ચઢ્ઢા 1 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર કરવાનું કારણ આમિર ખાનનો 2015નો એક ઈન્ટરવ્યુ છે, જેમાં તેણે કહ્યું હતું કે, “ભારત ખૂબ જ સહિષ્ણુ દેશ છે પરંતુ કેટલાક લોકો અહીં અસહિષ્ણુતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે.” આ સિવાય સોશિયલ મીડિયા યુઝરે કરીના કપૂર ખાનના ભાઈ-ભત્રીજાવાદ પરના નિવેદનને પણ હાઇલાઇટ કર્યું હતું, જેમાં તેણે ડાબેરી પત્રકાર બરખા દત્ત સાથે વાતચીત કરતા બોલિવૂડમાં નેપોટિઝમ માટે દર્શકોને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે જો કોઈને તેમની ફિલ્મોથી તકલીફ હોય, તો ફિલ્મો ના જોવો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં