Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના તમામ 6 દોષિતો 30 વર્ષ બાદ જેલમાંથી...

    પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના તમામ 6 દોષિતો 30 વર્ષ બાદ જેલમાંથી છૂટ્યા, સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ

    21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરમ્બદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન ધનુ નામના એલટીટીઈના આત્મઘાતી બોમ્બર દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

    - Advertisement -

    પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના તમામ 6 દોષિતો છોડી મૂકવાના આદેશ આપવામાં આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં શુક્રવારે (11 નવેમ્બર 2022) તમામ દોષિતોને મુક્ત કરવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે મુખ્ય આરોપીની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, જો તેઓ અન્ય કોઈ કેસમાં દોષિતો આરોપી ન હોય તો તમામ રાજીવ ગાંધીના હત્યારાઓ જેલમાંથી છોડી દેવામાં આવે.

    જસ્ટિસ બીઆર ગવઈ અને બીવી નાગરથનાની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો અને દોષિતો નલિની, સંથન, મુરુગન, શ્રીહરન, રોબર્ટ પાયસ અને રવિચંદ્રનને જેલમાંથી મુક્ત કર્યા હતા. કોર્ટે કહ્યું કે ઘણા લાંબા સમયથી રાજ્યપાલે તેમના પર કાર્યવાહી નથી કરી, તેથી તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે. કલમ 142નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ કેસમાં એક દોષિતને છોડવાનો આદેશ બાકીના 5 દોષિતોને પણ લાગુ પડશે. અર્થાત રાજીવ ગાંધીની હત્યાના તમામ 6 દોષિતોની સજા કોર્ટે પૂરી કરી દીધી છે. ત્યારબાદ આજે તેમને છોડવામાં આવ્યા હતા.

    મળતી માહિતી મુજબ, કોર્ટના આદેશના એક કલાક બાદ જ આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ, આ કેસમાં દોષિત પેરારીવલનને જેલમાં સારી વર્તણૂક જોઈને છોડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ બાકીના દોષિતોએ પણ આ જ આદેશને ટાંકીને મુક્તિની માંગ કરી હતી, જેના પર સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

    - Advertisement -

    કોર્ટે દેશની ભાવનાઓનું ધ્યાન ન રાખ્યું: કોંગ્રેસ

    રાજીવ ગાંધી હત્યાના દોષિતોની મુક્તિ પર કોંગ્રેસે કહ્યું કે, આ માફી સ્વીકાર્ય નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પત્ર જાહેર કરીને કહ્યું- સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વખતે દેશની ભાવનાઓને ધ્યાનમાં નથી રાખી. ચુકાદો ભૂલોથી ભરેલો છે.

    પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા

    ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરમ્બદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન ધનુ નામના એલટીટીઈના આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીને ફૂલોનો હાર પહેરાવ્યા બાદ તે તેમના પગને સ્પર્શ કરવાના બહાને આગળ આવ્યો અને નીચે નમીને કમરે બાંધેલ વિસ્ફોટકમાં તેણે વિસ્ફોટ કર્યો. આ વિસ્ફોટમાં રાજીવ ગાંધી સહિત અન્ય અનેક લોકો પણ માર્યા ગયા હતા.

    વડાપ્રધાનની હત્યા બાદ ગુનેગારોને સજા

    1999માં આ કેસમાં 26 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. જેમાંથી 19ને પહેલેથી જ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે બાકીના 7ની સજા યથાવત રાખવામાં આવી હતી અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમાંથી નલિની નામની આરોપી ગર્ભવતી હતી જેથી તેની સજા માફ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં