Saturday, May 17, 2025
More
    હોમપેજદેશઅદાણી ગ્રુપે લૉન્ચ કર્યો દેશનો પહેલો હાઈડ્રોજન ટ્રક: છત્તીસગઢમાં માઇનિંગ ક્ષેત્રે કરશે...

    અદાણી ગ્રુપે લૉન્ચ કર્યો દેશનો પહેલો હાઈડ્રોજન ટ્રક: છત્તીસગઢમાં માઇનિંગ ક્ષેત્રે કરશે કામ, ગ્રીન ટ્રાન્સપોર્ટની દિશામાં ગણાઈ રહ્યું છે મોટું પગલું

    અદાણી ગ્રુપ એક ભારતીય તથા આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની અને મુખ્ય ઑટોમોબાઇલ કંપની સાથે મળીને માલ પરિવહન માટે હાઈડ્રોજન ફ્યુલ સેલ બેટરીથી ચાલતા આવા ટ્રક વિકસિત કરી રહ્યું છે. દરેક ટ્રક સ્માર્ટ ટેકનોલોજી અને ત્રણ હાઈડ્રોજન ટેન્કથી લેસ હશે, જેમાં 200 કિલોમીટરની દૂરી સુધી 40 ટન સુધીના માલને લઈને જવાની ક્ષમતા પણ હશે.

    - Advertisement -

    અદાણી ગ્રુપની(Adani Group) મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસે (Adani Enterprises) દેશો પહેલો હાઈડ્રોજન ફ્યુલ સેલવાળો ટ્રક (Hydrogen fuel cell truck) લૉન્ચ કર્યો છે. આ ટ્રક હાલમાં છત્તીસગઢમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે જ આવનારા સમયમાં હાઈડ્રોજનથી ચાલતા આવતા ટ્રક્સ અદાણી ગ્રુપના લોજિસ્ટિક્સ ઑપરેશનમાં વપરાતા ડિઝન વાહનોની જગ્યા લઈ લેશે. આ ટ્રક્સ લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં સ્વચ્છ અને ગ્રીન ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.

    અદાણી ગ્રુપ એક ભારતીય તથા આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની અને મુખ્ય ઑટોમોબાઇલ કંપની સાથે મળીને માલ પરિવહન માટે હાઈડ્રોજન ફ્યુલ સેલ બેટરીથી ચાલતા આવા ટ્રક વિકસિત કરી રહ્યું છે. દરેક ટ્રક સ્માર્ટ ટેકનોલોજી અને ત્રણ હાઈડ્રોજન ટેન્કથી લેસ હશે, જેમાં 200 કિલોમીટરની દૂરી સુધી 40 ટન સુધીના માલને લઈને જવાની ક્ષમતા પણ હશે. આ ટ્રકના કારણે પ્રદૂષણ પણ ફેલાશે નહીં, જેથી સ્વચ્છતા પણ જળવાઈ રહેશે.

    આ ટ્રકનો ઉપયોગ Gare Pelma III કોલ બ્લોકથી છત્તીસગઢ રાજ્યના પાવર પ્લાન્ટ સુધી કોલસા પહોંચાડવા માટે કરવામાં આવશે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે આ પહેલને રાજ્યની સ્થિરતા પ્રત્યે પ્રતિબદ્ધતાના પ્રતિક તરીકે ગણાવી હતી. આ આખા અભિયાનને અદાણી નેચરલ રિસોર્સિસ અને અદાણી ન્યૂ-ઇન્ડસ્ટ્રિયલ લિમિટેડ મળીને ચલાવી રહ્યા છે. હાઈડ્રોજન ફ્યુલ સેલ સિવાય સોલર મોડ્યુલ, બેટરી, વિન્ડ ટર્બાઈન જેવી ટેકનોલોજી પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    સસ્ટેનેબલ માઇનિંગની દિશામાં પગલાં

    અદાણી ગ્રુપે આ પહેલને લઈને જણાવ્યું છે કે, તેઓ માઇનિંગને પર્યાવરણ માટે ઓછું હાનિકારક બનાવવા માટે ઘણી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. જેમ કે, સેમી-ઓટોનોમસ ડોઝર પુશ ટેકનોલોજી, સોલાર એનર્જી, ડિજિટલ મોનીટરીંગ અને ટ્રી ટ્રાન્સપ્લાન્ટર્સ. ટ્રી ટ્રાન્સપ્લાન્ટર્સ હેઠળ વૃક્ષોને કાપવાની જગ્યાએ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તે ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

    નોંધનીય છે કે, હાઈડ્રોજન દુનિયામાં સૌથી વધુ મળતું તત્વ છે અને તેનો ઉપયોગ કરવાથી માત્ર પાણી અને ગરમ હવા નીકળે છે. એટલે કે, તેનાથી કોઈપણ પ્રકારનું પ્રદૂષણ નથી થતું. આ ટ્રકનો અવાજ પણ ના બરાબર છે અને કાર્બન ઉત્સર્જન પણ નથી કરતો. વધુમાં ડીઝલ ટ્રક ધુમાડો પણ છોડે છે અને અવાજ પણ કરે છે. ભારતમાં માઇનિંગ ઉદ્યોગમાં મોટાભાગના મશીનો ડીઝલથી ચાલે છે. એવામાં આ ટ્રકની શરૂઆતથી ન માત્ર પ્રદૂષણ ઓછું થશે, પરંતુ ડીઝલનો ઉપયોગ અને વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઓછી થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં