Tuesday, May 6, 2025
More
    હોમપેજદુનિયાપહલગામ આતંકી હુમલા પાછળ લશ્કર-એ-તૈયબા, 'False Flag નેરેટિવ' પર આતંકી દેશને ફટકાર…:...

    પહલગામ આતંકી હુમલા પાછળ લશ્કર-એ-તૈયબા, ‘False Flag નેરેટિવ’ પર આતંકી દેશને ફટકાર…: બંધ બારણે બેઠક કરવા UNSC પહોંચ્યું હતું પાકિસ્તાન, સભ્યોએ પકડીને ઝાપટી પાડ્યું

    સભ્ય દેશોએ પાકિસ્તાનને પકડીને રીતસર ફટકાર લગાવી દીધી હતી અને સલાહ આપી હતી કે, તે ભારત સાથે પોતાની સમસ્યાઓનું દ્વિપક્ષીય સ્તર પર સમાધાન કરે. પાકિસ્તાનને બેઠક દરમિયાન અને બેઠક બાદ સંપૂર્ણપણે આઇસોલેટ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    પહલગામના આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત સરકાર (Modi Government) સતત એક્શન મોડમાં આગળ વધી રહી છે અને બીજી તરફ પાકિસ્તાન (Pakistan) રસાતળ તરફ આગળ વધી રહ્યું છે. વિશ્વના દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસે પહોંચીને મદદ માંગી રહ્યું છે અને લશ્કરી સહાય માટે ચીન જેવા દેશો સામે દંડવત કરી રહ્યું છે. આ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાનની વિનંતી પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની (UNSC) બંધ બારણે બેઠક થઈ હતી. આ બેઠક દરમિયાન પાસા અવળા પડ્યા અને પાકિસ્તાનને અલગ કરી દેવાયું.

    સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, UNSC સભ્યો સાથે ક્લોઝ-ડોર મિટિંગમાં પાકિસ્તાનના ભારત માટે ઘડવામાં આવેલા નેરેટિવને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. UN સભ્યોએ પાકિસ્તાનના ફૉલ્સ ફ્લેગ (False Flag) નેરેટિવને સખત શબ્દોમાં ફગાવી દીધો હતો. તે સિવાય પહલગામના આતંકી હુમલામાં પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની (LeT) ભૂમિકાને લઈને સવાલ ઊભા કરવામાં આવ્યા હતા.

    નોંધનીય છે કે, False Flag એક એવી સૈન્ય કાર્યવાહી હોય છે, જ્યાં એક દેશ છુપાઈને, જાણીજોઈને, પોતાની સંપત્તિ અને પોતાના નાગરિકોને જ નુકસાન પહોંચાડે છે. આ સાથે જ તે દેશ દુનિયાની સામે એવું બતાવતો હોય છે કે, તેના દુશ્મન દેશે તેના દેશમાં આવી હરકતો કરી છે. પાકિસ્તાન પણ આ જ નેરેટિવ બનાવીને આગળ રાખી રહ્યું હતું. જે બાદ UNSC સભ્યોએ પાકિસ્તાનને ફટકાર લગાવી દીધી હતી.

    - Advertisement -

    આશા લઈને પહોંચેલા પાકિસ્તાનના પાસા પડ્યા અવળા

    આ બેઠક દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ પહલગામ હુમલાની આકરી ટીકા કરી હતી. કેટલાક સભ્યોએ તો ધર્મના આધારે પર્યટકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના મુદ્દા પણ ઉઠાવ્યા હતા. તે સિવાય કેટલાક દેશોએ પાકિસ્તાનની મિસાઇલ ટેસ્ટની કાર્યવાહીને ભડકાઉ ગણાવી હતી અને તેના પર ચિંતા વ્યક્ત કરી હતી. આ રીતે હાલની સ્થિતિનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પાકિસ્તાનના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા હતા.

    એટલું જ નહીં, પરંતુ સભ્ય દેશોએ પાકિસ્તાનને પકડીને રીતસર ફટકાર લગાવી દીધી હતી અને સલાહ આપી હતી કે, તે ભારત સાથે પોતાની સમસ્યાઓનું દ્વિપક્ષીય સ્તર પર સમાધાન કરે. પાકિસ્તાનને બેઠક દરમિયાન અને બેઠક બાદ સંપૂર્ણપણે આઇસોલેટ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન એ આશા સાથે બંધ બારણે બેઠકની પીપૂડી વગાડતું ગયું હતું કે, વૈશ્વિક દેશો ભારતને અલગ કરી દેશે, પરંતુ કુલ મળીને આ બેઠક બાદ પાકિસ્તાને છોડેલું તે તીર તેના તરફ જ ફંગોળાયું.

    બેઠકનું ન નીકળ્યું કોઈ પરિણામ, UNSCએ ન આપ્યું આધિકારિક નિવેદન

    ઉલ્લેખનીય છે કે, UNSCમાં સોમવારે (5 મે) બપોરે બંધ બારણે દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી. આ આખી બેઠકનું કોઈ પરિણામ નીકળીને સામે ન આવ્યું અને સંયુક્ત રાષ્ટ્રની આ બેઠક બાદ ના તો કોઈ રીતનું આધિકારિક નિવેદન સામે આવ્યું. આ સાથે જ કોઈપણ પ્રકારનું રિઝોલ્યુશન પણ પાસ કરવામાં ન આવ્યું. તેમ છતાં મિટિંગ દરમિયાન UNમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ દૂત અસીમ ઈફ્તિકારે કહ્યું હતું કે, મિટિંગમાં જે હાંસલ કરવાનો ‘મકસદ’ હતો, તે પૂર્ણ થયો છે!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં