Tuesday, April 30, 2024
More
    હોમપેજરાજકારણ‘ઇલેક્ટોરલ બૉન્ડ ન હોત તો પૈસા ક્યાંથી આવ્યા ને ક્યાં ગયા તે...

    ‘ઇલેક્ટોરલ બૉન્ડ ન હોત તો પૈસા ક્યાંથી આવ્યા ને ક્યાં ગયા તે કઈ રીતે જાણી શકાયું હોત?’: PM મોદીએ આંકડાકીય માહિતી સાથે ખોલી વિપક્ષી પ્રોપગેન્ડાની પોલ

    આંકડાકીય માહિતી જણાવતાં PM મોદીએ કહ્યું કે, દેશભરમાંથી 3 હજાર કંપનીઓએ ઇલેક્ટોરલ બૉન્ડ થકી દાન આપ્યું, તેમાંથી માત્ર 26 એવી કંપનીઓ છે, જેમની સામે એજન્સીઓએ કાર્યવાહી કરી છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ‘ઇલેક્ટોરલ બૉન્ડ’ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ કાયમ ઘોંઘાટ કરતી રહે છે. આ યોજના મોદી સરકારે વર્ષ 2018માં અમલમાં મૂકી હતી, જેને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ રદબાતલ ઠેરવી. યોજના રાજકીય પાર્ટીઓને મળતા દાનની પ્રણાલી બદલવા માટે લાવવામાં આવી હતી અને સરકારે કહ્યું હતું કે તેનાથી પારદર્શિતા આવશે. હવે આ મુદ્દે જ્યારે વિપક્ષી પાર્ટીઓ પ્રચાર ઓછો ને દુષ્પ્રચાર વધુ કરી રહી છે ત્યારે સ્વયં વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યા છે અને સાચી હકીકત સમજાવી છે. 

    આ વાતો તેમણે ANIને આપેલા ઈન્ટરવ્યુમાં કહી હતી. વડાપ્રધાને કહ્યું કે, “દેશમાં ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહી હતી કે દેશની ચૂંટણીઓને કાળા નાણાથી મુક્તિ મળવી જોઈએ. ચૂંટણીમાં દરેક પાર્ટીઓ પૈસા લે છે. હું ઇચ્છતો હતો કે અમે કોઇ પ્રયાસ કરીએ કે ચૂંટણીઓમાં કાળા નાણાથી મુક્તિ મળે અને પારદર્શિતા આવે. ત્યારે એક રસ્તો મળ્યો. અમે ત્યારે પણ કહ્યું ન હતું કે આ જ સંપૂર્ણ છે, ને હમણાં જેઓ અપપ્રચાર કરી રહ્યા છે તેમણે પણ ત્યારે સરાહના કરી હતી.”

    ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમ શા માટે લાવવામાં આવી હતી તે જણાવતાં PM મોદીએ કહ્યું કે, 90ની ચૂંટણીમાં અમને પૈસાની બહુ તકલીફ પડી હતી, કારણ કે કંપનીઓ ચેકથી પૈસા આપવા માટે રાજી ન હતી અને પાર્ટી ચેકથી જ દાન લેવા માંગતી હતી. કંપનીઓએ કારણ આપ્યું હતું કે ચેકથી પૈસા આપવાના કારણે એન્ટ્રી પડશે અને જેના કારણે જે સત્તામાં હોય તેઓ તેમને હેરાન કરશે. આ બધી જ બાબતો અમે જોઈ ચૂક્યા છીએ. 

    - Advertisement -

    તેમણે અગત્યની દલીલ કરતાં કહ્યું એક, જો ઈલેક્ટોરલ બૉન્ડ ન હોત તો કઈ વ્યવસ્થામાં તાકાત હતી કે એ શોધી બતાવે કે પૈસા ક્યાં ગયા અને ક્યાંથી આવ્યા? તેમણે આગળ કહ્યું કે, એ જ તો સફળતા છે કે ઈલેક્ટોરલ બૉન્ડ હતા તો મની ટ્રેઈલ મળી. એટલે કે પૈસો ક્યાંથી, કઈ કંપની પાસેથી આવ્યો અને ક્યાં ગયો.  તે સારું થયું કે ખરાબ, તે ચર્ચાનો વિષય હોય શકે છે. તેમણે સ્પષ્ટતા પણ કરી કે આમાં પણ સુધારાની ઘણી સંભાવના છે. એમ પણ કહ્યું કે, ભવિષ્યમાં ઇમાનદારીથી વિચારશે તો આ યોજનાને લઈને સૌ પસ્તાવો કરશે. 

    આંકડાકીય માહિતી જણાવતાં PM મોદીએ કહ્યું કે, દેશભરમાંથી 3 હજાર કંપનીઓએ ઇલેક્ટોરલ બૉન્ડ થકી દાન આપ્યું, તેમાંથી માત્ર 26 એવી કંપનીઓ છે, જેમની સામે એજન્સીઓએ કાર્યવાહી કરી છે. તેમાંથી પણ 16 કંપની એવી હતી, જેમણે જ્યારે દરોડા પડ્યા ત્યારે બૉન્ડ ખરીદ્યા હતા. જો કોઇ આને જોડવા માંગતું હોય તો, આ 16માંથી 37% રકમ ભાજપને મળી અને બાકીની 63% રકમ વિપક્ષી પાર્ટીઓને મળી. તેમણે પૂછ્યું કે શું ED રેડ કરે અને દાન કોઈ વિપક્ષી પાર્ટીઓને આપી શકે? 

    વિપક્ષ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે, 63 ટકા પૈસા તમારી પાસે આવે અને આરોપ અમારી ઉપર લગાવવામાં આવે છે. પરંતુ તેમણે તો ગોળગોળ બોલવાનું છે ને પછી ભાગી જવાનું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં