અમદાવાદમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદના (Vishwa Hindu Parishad) ગુજરાત મુખ્યાલય, ડૉ. વણિકર સ્મારક ભવનનું (Dr. Vanikar Smarak Bhavan), પુનઃનિર્માણ કરવામાં આવનાર છે. આ માટેનું ભૂમિપૂજન ગીતા જયંતિના દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદના (VHP) આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી, RSS પશ્ચિમ ક્ષેત્રના વરિષ્ઠ પદાધિકારીઓ, સંતો સહિત ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુત્વની અખંડ ચેતનાનું કેન્દ્ર !
— MAUNIL V KHANDURAV (@Maunil_V) December 11, 2024
ગીતા જયંતીના પાવન અવસરે કર્ણાવતી મહાનગરના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી માતાજી મંદિર પાસે સ્થિત વિહિપ કાર્યાલય, ડૉ.વણીકર સ્મારક ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે વિહિપના માસિક સામયિક ' હિન્દુ સંદેશ 'ના પ્રથમ અંકનું વિમોચન કરવામાં આવ્યું. pic.twitter.com/BP1RsjsVhW
ઉલ્લેખનીય છે કે VHP ગુજરાતનું મુખ્યાલય અમદાવાદના (કર્ણાવતી મહાનગર) પાલડી વિસ્તારમાં આવેલું છે. ₹10 કરોડના પુનઃનિર્માણને પરિણામે બેઝમેન્ટ પાર્કિંગ સાથે 711 વાર પ્લોટમાં 28,000 ચોરસ ફૂટનું સંકુલ બનશે.
નવા બિલ્ડીંગમાં ઈ-લાઈબ્રેરી, હેડક્વાર્ટર, વિવિધ પાંખો માટે ઓફિસો, ઓડિટોરિયમ, કોન્ફરન્સ રૂમ, ભોજનાલય, સોલાર પેનલ, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા, ભૂગર્ભ ટાંકી વગેરે હશે. નવી ઈમારત 3 વર્ષના સમયગાળામાં તૈયાર થવાની શક્યતા છે.