નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા વાર્ષિક બજેટમાં અગત્યનું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, ₹12 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ આવક વેરો ભરવો પડશે નહીં. ટેક્સપેયરો માટે આ બહુ મોટી રાહત છે.
#UnionBudget2025 | Finance Minister Nirmala Sitharaman says, " I am now happy to announce that there will be no income tax up to an income of Rs 12 lakhs." pic.twitter.com/rDUEulG3b9
— ANI (@ANI) February 1, 2025
નાણામંત્રીએ લોકસભામાં એલાન કરતાં કહ્યું, “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ₹12 લાખ સુધીની આવક પર કોઈ ઇનકમ ટેક્સ ભરવાનો રહેશે નહીં.”
તેમણે આ જાહેર કરતાંની સાથે જ સત્તાપક્ષ તરફથી ‘મોદી…મોદી’ના નારા શરૂ થઈ ગયા હતા અને આ જાહેરાતને સાંસદોએ વધાવી લીધી હતી.