Friday, May 2, 2025
More
    હોમપેજમિડિયા‘પાકિસ્તાનનો શક્તિશાળી માણસ છે આસિમ મુનીર, તેનો બાપ હેડમાસ્ટર હતો, તે સમાધાન...

    ‘પાકિસ્તાનનો શક્તિશાળી માણસ છે આસિમ મુનીર, તેનો બાપ હેડમાસ્ટર હતો, તે સમાધાન કરતો નથી’– BBC ગુજરાતી વહેંચી રહ્યું છે જ્ઞાન, તમે પાછળ ન રહી જતા

    લેખમાં આસિમ મુનીરે તાજેતરમાં આપેલા એક ભાષણની પણ ચર્ચા કરવામાં આવી છે, પણ તેનો દૃષ્ટિકોણ સીધેસીધો પાકિસ્તાની છે. વાસ્તવમાં મુનીરે હિંદુઓ વિરુદ્ધ જાહેરમાં ઝેર ઓક્યું હતું અને સીધી ઉશ્કેરણી કરી હતી, પણ લેખમાં આ બધી બાબતોનો ઉલ્લેખ કરતી વખતે ટોન સીધો ઘટાડી દેવામાં આવ્યો છે. 

    - Advertisement -

    આતંકવાદીઓ, ટૂ બી પ્રિસાઇઝ ઇસ્લામી આતંકવાદીઓને સેના ઠાર કરે કે પકડીને સળિયા ગણતા કરી દે ત્યારપછી તેમના માટે સહાનુભૂતિ ઉઘરાવવાનું કામ પણ એક ખૂણામાં શરૂ થઈ જાય છે. ભારતીય મીડિયાના એક વર્ગે તેમાં માસ્ટરી કરી રાખી છે. થોડાં વર્ષો પહેલાં કાશ્મીરમાં બુરહાન વાની નામના એક આતંકવાદીને સેનાએ ઠેકાણે પાડ્યો પછી મીડિયાના અમુક સેક્યુલરોએ ‘હેડમાસ્ટરનો દીકરો’ કહીને તેને ગ્લોરિફાય કરવા બહુ ધમપછાડા કર્યા હતા. BBC આપણા માટે બીજો આવો એક ‘હેડમાસ્ટરનો દીકરો’ શોધી લાવ્યું છે. 

    બીબીસીએ એક લેખ પ્રકાશિત કર્યો છે, પાકિસ્તાનના સેના પ્રમુખના વેશમાં ફરતા આતંકવાદી આસિમ મુનીર ઉપર. મુનીર પૂર્વ ISI પ્રમુખ રહી ચૂક્યો છે. ISI એ આમ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી કહેવાય પણ કામ તેનું આતંકવાદી સંગઠન પ્રકારનું છે. આ ISIના પ્રમુખ રહ્યા બાદ હવે 2022થી મુનીરને પાકિસ્તાની સેનાની કમાન સોંપવામાં આવી છે. ભારત વિરુદ્ધ આતંકવાદને ઉશ્કેરણી આપવામાં તેની ભૂમિકા બહુ મોટી છે. તાજા હુમલા પાછળ પણ તેનો જ હાથ છે તેવું કહેવાય છે.

    આવા ઇસમ માટે પ્રકાશિત બીબીસીનો આ લેખ મૂળ બીબીસી ઉર્દૂ માટે પાકિસ્તાની પત્રકાર ફરહત જાવેદે લખ્યો હતો. તેનું પછી હિન્દી, ગુજરાતી વગેરે ભાષાઓમાં પણ ભાષાંતર થયું છે. (બીજી પણ સ્થાનિક ભાષાઓમાં થયું હોવું જોઈએ.)

    - Advertisement -

    હિન્દીએ હેડલાઈન લખી હતી– ‘આસિમ મુનીર: સ્કૂલ પ્રિન્સિપાલના દીકરા માટે પરીક્ષાની ઘડી.’ જોકે ઈન્ટરનેટ પર લોકોએ બહુ ગાળો દીધી તો હવે હેડલાઈન બદલી નાખવામાં આવી છે. નવી હેડલાઇન છે–‘પાકિસ્તાન આર્મી ચીફના નિવેદન પર ભારતમાં કેટલો ગુસ્સો?’ 

    BBCની એક શાખા ગુજરાતીમાં પણ ચાલે છે એ તમે ન જાણતા હો તો નસીબદાર કહેવાઓ. જાણતા હો તો આ વાંચો. તેની હેડલાઇન છે– ‘આસિમ મુનીર: પાકિસ્તાનની સૌથી શક્તિશાળી મનાતી આ વ્યક્તિની હવે કેવી કસોટી થવાની છે?’

    અંગ્રેજીમાં જે લેખ છે તેની હેડલાઇન હિન્દી જેવી જ છે– ‘પાકિસ્તાન આર્મી ચીફ્સ રિમાર્ક્સ કોઝ એન્ગર ઇન ઇન્ડિયા.’ 

    બીબીસી ગુજરાતી આ લેખની શરૂઆતમાં જ કહે છે કે, ‘પાકિસ્તાની સેનાના વડા જનરલ આસિમ મુનીર વિશે કહેવાય છે કે તેમને ચર્ચામાં રહેવાનો શોખ નથી, પણ તાજેતરમાં તેઓ ભારે ચર્ચાસ્પદ બન્યા છે.’

    વાંચીને લાગી શકે કે આગળ કોઈ મહામાનવનું વર્ણન આવશે અને તેના વિશે જાણવા મળશે. પણ હકીકતે આ ઇસમ પાકિસ્તાનના સેના પ્રમુખના વેશમાં બેઠેલા જેહાદી આતંકવાદીથી વિશેષ કશું નથી. તેના માટે BBC લખે છે કે, જનરલ આસિમ મુનીરને પાકિસ્તાનમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે. 

    તેનો પરિચય આપતાં લખવામાં આવ્યું છે– ‘જનરલ આસિમ મુનીરની ઉંમર લગભગ 60 વર્ષ છે. તેઓ એક સ્કૂલના પ્રિન્સિપાલ અને એક ધાર્મિક વિદ્વાનના પુત્ર છે.’ અંગ્રેજીમાં જે ‘રિલિજીયસ સ્કોલર’ લખવામાં આવ્યું છે તેનું ભાષાંતર ગુજરાતીવાળાઓએ ‘ધાર્મિક વિદ્વાન’ એવું કર્યું છે. અહીં હેડમાસ્ટરના દીકરાવાળી વાત પણ આવી. જેવું બુરહાન વાનીના કેસમાં સેક્યુલર ગેંગે કર્યું હતું. ટૂંકમાં આપણે એ સમજવાનું કે આસિમ મુનીર જેવો-તેવો નહીં પણ એક હેડમાસ્ટર અને રિલિજિયસ સ્કોલરનો દીકરો છે!

    લેખમાં ઠેરઠેર આસિમની પ્રશંસા

    આગળ લેખમાં આસિમની પ્રશંસા જ જોવા મળે છે. લેખક કહે છે કે, તેમણે મુનીરને પહેલી વખત જ્યારે જોયા હતા ત્યારે આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિત્વ જણાયું હતું. તેઓ મૃદુભાષી અને વિનમ્ર જોવા મળે છે. તેમના શબ્દો પાકિસ્તાનની બહાર પણ ગુંજી રહ્યા છે. મંચ પર કઠોર દેખાતા હતા પણ તેમની નજરોમાં ભૂતપૂર્વ ગુપ્તચર વડા જેવી સતર્કતા હતી. જે-જે પાકિસ્તાની લેખકે લખ્યું છે તે સીધેસીધું ગુજરાતીમાં ભાષાંતર કરતી વખતે છાપી મારવામાં આવ્યું છે. અહીં સુધી કે આ પણ લખવામાં આવ્યું છે–પાકિસ્તાનમાં જનરલ આસિમ મુનીરને એવી વ્યક્તિ તરીકે જોવામાં આવે છે જેઓ સમજી વિચારીને કદમ ઉઠાવે છે અને સમાધાન કરતા નથી. 

    લેખના એક મોટાભાગના હિસ્સામાં પાકિસ્તાનના પૂર્વ સૈન્ય વડા બાજવા અને આસિમ મુનીર વચ્ચે સરખામણી કરવામાં આવી છે અને એવું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ અત્યારનો વડો બહુ કઠોર માણસ છે. 

    હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું એ કોણ કહેશે બીબીસી?

    લેખમાં આસિમ મુનીરે તાજેતરમાં આપેલા એક ભાષણની પણ ચર્ચા કરવામાં આવી છે, પણ તેનો દૃષ્ટિકોણ સીધેસીધો પાકિસ્તાની છે. વાસ્તવમાં મુનીરે હિંદુઓ વિરુદ્ધ જાહેરમાં ઝેર ઓક્યું હતું અને સીધી ઉશ્કેરણી કરી હતી, પણ લેખમાં આ બધી બાબતોનો ઉલ્લેખ કરતી વખતે ટોન સીધો ઘટાડી દેવામાં આવ્યો છે. 

    આ લેખ મૂળ બીબીસી ઉર્દૂ માટે કે બીબીસી ઇંગ્લિશ માટે લખવામાં આવ્યો હતો. તેનું પછીથી શબ્દશઃ ભાષાંતર કરીને ગુજરાતી અને હિન્દી જેવી ભાષાઓમાં પણ ફરતો કરવામાં આવ્યો અને તેની સાથે જ પાકિસ્તાની પ્રોપગેન્ડા પણ ભળી ગયો. ગુજરાતી વાંચનારો કે હિન્દી વાંચનારો ભારતીય વાચક આ વાંચે તો ગેરમાર્ગે દોરાવાની શક્યતાઓ કેટલી? અનેકગણી. 

    ખરેખર આસિમ મુનીર વિશે લખવું હોય તો તેણે હિંદુવિરોધી, ભારતવિરોધી ઝેર ઓક્યું હતું તેનો પણ ઉલ્લેખ હોવો જોઈએ. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર તે ડંફાસો મારતો રહે એ પણ લખાવું જોઈએ. હિંદુઓને આડેધડ ગાળો ભાંડી હતી એ લખાવું જોઈએ. પણ આપણને શું વંચાવવામાં આવી રહ્યું છે? પાડોશી દેશના એક જેહાદી જનરલનો બાપ હેડમાસ્ટર હતો એ. ખાસ કરીને એવા સમયે, જ્યારે પહલગામ આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનના આ જ જનરલનો હાથ હોવાની ચર્ચા ચારેકોર છે. 

    આ હુમલો પણ કોઈ સામાન્ય હુમલો ન હતો. સરહદ પાર કરીને ધસી આવેલા આતંકવાદીઓએ પર્યટકોમાંથી હિંદુઓને વીણીવીણીને અલગ કર્યા હતા, તેમનો ધર્મ પૂછ્યો હતો, કલમા પઢવા માટે કહ્યું હતું અને પછી ગોળીઓ ચલાવી હતી. તેના જ થોડા દિવસ પહેલાં આ જ મુનીરે એક કાર્યક્રમમાં હિંદુઓ વિરુદ્ધ વિષવમન કર્યું હતું. શું આ ડોટ જોડી શકાય એમ નથી? 

    આવા જેહાદી જનરલના હાથ નીચે કામ કરતી સેનાના સમર્થનથી આવેલા આતંકવાદીઓ હિંદુઓને ધર્મ પૂછીને મારી નાખે અને તેની ઉપર લખવા બેસીએ ત્યારે તેનો બાપ શું કરતો હતો કે તે કેટલો વિનમ્ર છે એ જણાવવું જોઈએ કે પછી તેના પોતાનાં કારસ્તાનો કેવાં છે તે કહેવું જોઈએ? 

    પશ્ચિમી મીડિયાની આ જૂની કુટેવ

    હકીકત એ છે કે પશ્ચિમી મીડિયાને આ રીતે ઇસ્લામી આતંકવાદીઓને કવર ફાયર પૂરું પાડવાની બહુ જૂની આદત છે. ભૂતકાળમાં લેબનોનમાં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહને ઇઝરાયેલે પાડી દીધો ત્યારપછી પણ BBCએ આવો જ એક તેનું મહિમામંડન કરતો લેખ પ્રકાશિત કર્યો હતો. તેમાં પણ તેના સંગઠનને સામાજિક સેવાઓમાં આગળ પડતું ગણાવવામાં આવ્યું હતું તો નસરલ્લાહ વિશે કહ્યું હતું કે તે બહુ પ્રભાવશાળી માણસ હતો!

    હવે આવું ફરી કરવામાં આવ્યું છે. યાદ રહે કે આ લેખો કોઈ સામાન્ય રિપોર્ટિંગ પૂરતા સીમિત નથી, પણ આતંકવાદીઓ માટે, જેહાદીઓ માટે એક સુવ્યવસ્થિત નરેટિવ ઘડવાનું કામ કરે છે. તેમનું કામ એ છે, આપણું કામ તેને પકડી પાડીને તેમાં ન ફસાવાનું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં