Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવાની કોઈ જરૂર નહીં': આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવી...

    ‘કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવાની કોઈ જરૂર નહીં’: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવી સરકારની તૈયારીઓ, કહ્યું- એક પણ દર્દી હોસ્પિટલમાં નથી

    હાલ વિશ્વમાં જોવા મળી રહેલા કોરોના JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવાની જરૂર નથી. આ વેરિયન્ટના કેસોમાં તેની ઘાતક્તા ઓછી જોવા મળી છે. જેથી લોકોએ ગભરાવાની નહીં પરંતુ સતર્કતા રાખવાની જરૂર છે: સરકાર

    - Advertisement -

    દેશ અને દુનિયામાં હવે કોરોનાનો એક નવો વેરિયન્ટ સામે આવ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સુધીમાં કોરોનાના નવા વેરિયન્ટની ચર્ચાઓ ચાલી રહી છે અને અમુક મીડિયા ચેનલોના રિપોર્ટિંગથી ભયનો માહોલ ફેલાવવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કોરોના આ નવા વેરિયન્ટ વિશે જાણકારી આપી સરકારની તૈયારીઓ વિશે પણ જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવાની કોઈ જરૂર નથી, માત્ર સાવચેતી રાખવા સલાહ આપી છે. આ ઉપરાંત તેમણે હોસ્પિટલમાં એક પણ દર્દી ન હોવાનું જણાવ્યું છે.

    બુધવારે (20 ડિસેમ્બર) રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોનાના નવા વેરિયન્ટ JN.1 વિશે જાણકારી આપી છે. સાથે તેમણે સરકારની તૈયારી વિશે પણ જણાવ્યું છે. ગુજરાતમાં તેની પરિસ્થિતિ વિશે જણાવતા તેમણે કહ્યું કે, હાલ વિશ્વમાં જોવા મળી રહેલા કોરોના JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવાની જરૂર નથી. આ વેરિયન્ટના કેસોમાં તેની ઘાતક્તા ઓછી જોવા મળી છે. જેથી લોકોએ ગભરાવાની નહીં પરંતુ સતર્કતા રાખવાની જરૂર છે.

    એક પણ દર્દી હોસ્પિટલમાં નથી

    આરોગ્ય મંત્રીએ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિશે જણાવતા કહ્યું કે, ગુજરાતમાં ઓક્ટોબરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં નોંધાયેલ કેસની સંખ્યા ઓછી છે. હાલ રાજ્યામાં 13 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના પોઝીટીવ તમામ કેસોનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે.

    - Advertisement -

    ગભરાવું નહીં પણ સાવચેતી જરૂરી

    બુધવારે (20 ડિસેમ્બર) કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના આરોગ્ય મંત્રી તેમજ આરોગ્ય સેક્રેટરી સાથે વિડીયો કોન્ફરન્સિંગ યોજી હતી. તેના સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ વિડીયો કોન્ફરન્સિંગમાં સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રિવ્યુ લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહેલા કોરોનાના કેસ સંદર્ભે સતર્કતા રાખવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે નાગરિકોને ગભરાવાની જગ્યાએ સાવચેતી રાખવા સલાહ આપી હતી.

    કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંદર્ભે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટેની તૈયારી છે. રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સરકારની તૈયારી વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 13થી 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યની 5700થી વધુ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવિડની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે હાલ રાજ્યમાં નોંધાતા કોરોના પોઝિટિવ કેસમાં તેમનું જીનોમ સિકવન્સીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, શિયાળાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે શરદી, તાવ, ઉધરસ વેગરેના કેસોમાં વધારો જોવા મળે છે જેથી અગમચેતીના ભાગરૂપે હાલ કોવિડ-19ના કેસો ન વધે તેની તકેદારી રાખવા તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં