Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆમ આદમી પાર્ટીએ વિડીયો ટ્વીટ કરીને કાર્યકરોને રોકવામાં આવી રહ્યા હોવાનો આરોપ...

    આમ આદમી પાર્ટીએ વિડીયો ટ્વીટ કરીને કાર્યકરોને રોકવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો, ભરૂચ પોલીસે પોલ ખોલી

    ભરૂચ પોલીસે કહ્યું, સદર માહિતી તદ્દન ખોટી રીતે દર્શાવવામાં આવેલ છે. આ બનાવ સુરતનો છે જેમાં VIP સિક્યોરિટી દરમિયાન કાફલામાં કેટલાક લોકો ઘૂસવા માંગતા હતા તેમને સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા બંદોબસ્તના ભાગરૂપે રોકવામાં આવ્યા હતા.

    - Advertisement -

    જેમ-જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ અને ગતકડાંનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ઉમેરાઈ રહી છે. જોકે, પાર્ટી હજુ તો વ્યવસ્થિત સ્થિર થાય તે પહેલાં જ અનેક વિવાદોમાં ફસાતી દેખાઈ રહી છે. હવે ટ્વીટર પર ખોટો વિડીયો શેર કરવા મામલે આમ આદમી પાર્ટી વિવાદમાં આવી છે.

    ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કર્યા બાદ આજે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીનું આદિવાસી સંમેલન યોજાયું હતું. જેમાં હાજરી આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા છે. જોકે, કેજરીવાલની સભા પહેલાં જ આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને પોલીસ પર આરોપ લગાવ્યા હતા પરંતુ પોલીસે આ તમામ આરોપો નકારી દઈને આમ આદમી પાર્ટીના જુઠ્ઠાણાની પોલ ખોલી વિડીયો ખોટો હોવાનું જણાવ્યું હતું.

    આમ આદમી પાર્ટીની ગુજરાત શાખાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી એક વિડીયો ટ્વીટ કરીને સરકારના ઇશારે તેમના પ્રદેશ નેતાઓ અને કાર્યકર્તાઓને સભાસ્થળે પહોંચવા દેવામાં ન આવી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી તરફથી એક વિડીયો ટ્વીટ કરીને કહેવામાં આવ્યું કે, “ભરૂચ જિલ્લામાં આયોજિત આદિવાસી સંમેલનમાં ભાગ લેવા જઈ રહેલા ‘આપ’ પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓના વાહનોને તાનાશાહ સરકારના ઇશારે અટકાવવામાં આવી રહ્યા છે જેથી તેઓ સમયસર સભાસ્થળે પહોંચી ન શકે.”

    જોકે, આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં ભરૂચ જિલ્લા પોલીસે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે જે વિડીયો શેર કરવામાં આવ્યો તે બનાવ સુરતનો હતો.

    ભરૂચ પોલીસે કહ્યું, સદર માહિતી તદ્દન ખોટી રીતે દર્શાવવામાં આવેલ છે. આ બનાવ સુરતનો છે જેમાં VIP સિક્યોરિટી દરમિયાન કાફલામાં કેટલાક લોકો ઘૂસવા માંગતા હતા તેમને સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા બંદોબસ્તના ભાગરૂપે રોકવામાં આવ્યા હતા.

    કેજરીવાલે સીઆર પાટીલ વિશે ટિપ્પણી કરી, પાટીલે કહ્યું- કેજરીવાલ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી

    બીજી તરફ, આજે ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સીઆર પાટીલ વિશે ટિપ્પણી કરી હતી. સીઆર પાટિલને લઈને તેમણે ટ્વીટ કર્યું હતું કે, મહારાષ્ટ્રના સીઆર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે. ભાજપને પોતાનો અધ્યક્ષ બનાવવા માટે એકપણ ગુજરાતી ન મળ્યો? લોકો કહે છે કે તેઓ માત્ર અધ્યક્ષ જ નથી પરંતુ સરકાર પણ તેઓ જ ચલાવે છે. સાચા સીએમ તેઓ જ છે. આ ગુજરાતના લોકોનું ઘોર અપમાન છે. ભાજપવાળા, ગુજરાતને ગુજરાતી અધ્યક્ષ આપો.

    જોકે, જેના જવાબમાં સીઆર પાટીલે ટ્વીટ કરીને કહ્યું હતું, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલીસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં