Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાત'વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ' બનવાની રેસમાં અમદાવાદની રિવરસાઈડ સ્કૂલ, નોમિનેશન લિસ્ટમાં ટોપ 3માં...

    ‘વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ’ બનવાની રેસમાં અમદાવાદની રિવરસાઈડ સ્કૂલ, નોમિનેશન લિસ્ટમાં ટોપ 3માં મેળવ્યું સ્થાન: મહારાષ્ટ્રની એક શાળા પણ સામેલ

    રિવરસાઈડ સ્કૂલ એક ઇન્ટરનેશનલ સ્કૂલ છે. આ સંસ્થાએ પોતાના વિદ્યાર્થી-કેન્દ્રિત દ્રષ્ટિકોણથી વિશ્વભરમાં માન્યતા મેળવી છે. ખાસ કરીને 'I CAN' શિક્ષણ મોડેલથી આ શાળાએ શિક્ષણ ક્ષેત્રે આગવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

    - Advertisement -

    વિશ્વમાં સર્વશ્રેષ્ઠ શાળાઓને આપવામાં આવતા ‘વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ 2023’ પુરસ્કાર માટે ભારતની 2 શાળાઓએ આગવું સ્થાન મેળવ્યું છે. આ એવોર્ડ માટે ગુજરાત અને મહારાષ્ટ્રની 2 શાળાઓએ ટોપ 3માં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ એવોર્ડ એવી શાળાઓને આપવામાં આવે છે, જે તેની આગવી અને ખાસ શિક્ષણ પ્રણાલીથી વિદ્યાર્થીઓને ભણાવે છે. અમદાવાદની રિવરસાઈડ સ્કૂલ અને મહારાષ્ટ્રના અહમદનગરની સ્નેહાલય ઇંગ્લિશ સ્કૂલે આ વર્ષે આ એવોર્ડના નોમિનેશનમાં ટોપ 3માં સ્થાન મેળવ્યું છે.

    રિવરસાઈડ સ્કૂલ એક ઇન્ટરનેશનલ સ્કૂલ છે. આ સંસ્થાએ પોતાના વિદ્યાર્થી-કેન્દ્રિત દ્રષ્ટિકોણથી વિશ્વભરમાં માન્યતા મેળવી છે. ખાસ કરીને ‘I CAN’ શિક્ષણ મોડેલથી આ શાળાએ શિક્ષણ ક્ષેત્રે આગવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

    વર્લ્ડ બેસ્ટ સ્કૂલ 2023 એવોર્ડના નોમિનેશનમાં ટોપ 3માં સ્થાન મેળવનાર બીજી ભારતીય સ્કૂલ અહમદનગરની સ્નેહાલય ઇંગ્લિશ સ્કૂલ છે. સ્નેહાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એક ચેરિટી સ્કૂલ છે, જેણે એચઆઇવી/એઇડ્સ સાથે જીવતા બાળકો અને સેક્સ વર્કર પરિવારોનાં બાળકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આ સાથે જ આ શાળાએ જિલ્લામાં શિક્ષણ થકી દેહવ્યાપાર પ્રવૃત્તિનો અંત લાવવા મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે. આ શાળાએ પણ આગવા દ્રષ્ટિકોણથી શિક્ષણ ક્ષેત્રે કામ કરીને ‘વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ 2023 એવોર્ડ’ માટે પ્રથમ ત્રણ ફાયનલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.

    - Advertisement -

    શું છે આ એવોર્ડ અને તેના પાછળનો ઉદ્દેશ્ય

    આ એવોર્ડની શરૂઆત T4 એજ્યુકેશન દ્વારા વર્ષ 2022માં કરવામાં આવી હતી. વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલનો આ પુરસ્કાર પાંચ બાબતોને ધ્યાનમાં લઇને આપવામાં આવે છે- સામાજિક સહયોગ, પર્યાવરણ, નાવીન્ય, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કાબૂ મેળવવા માટેનું શિક્ષણ અને સ્વસ્થ જીવન જીવવા માટેની રીત. આ અંગેની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, પુરસ્કાર માટે પસંદગી કરતી વખતે આગલી પેઢીનાં બાળકોને તૈયાર કરવામાં શાળાઓની અગત્યની ભૂમિકા અને સોસાયટીના વિકાસમાં યોગદાનને પણ વિશેષ કરીને ધ્યાને લેવામાં આવે છે. આ વખતે અમદાવાદ અને અહમદનગરની શાળાઓએ આ માપદંડો સ્થાપિત કરી પુરસ્કાર માટે સ્થાન મેળવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં