હિંદુ તહેવારોને નિશાન બનાવવા એ ઇસ્લામી કટ્ટરપંથીઓનો નવો ‘ઝનૂન’ બની રહ્યો છે. થોડા દિવસો પહેલાં જ્યારે ઈદ હતી, ત્યારે દેશના અનેક ભાગોમાંથી એવી તસવીરો સામે આવી હતી જેમાં હિંદુઓ મુસ્લિમો પર ફૂલો વરસાવી રહ્યા હતા. તેમને આશા હતી કે બદલામાં કદાચ ફૂલો જ મળશે, પરંતુ થોડા દિવસો પછી આવેલી રામનવમી પર હિંદુઓને ફૂલોને બદલે પથ્થરો મળ્યા.
કટ્ટરપંથીઓએ શ્રદ્ધાળુઓ પર પથ્થરમારો કર્યો, જેના કારણે ક્યાંક પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો તો ક્યાંક ઇસ્લામી ભીડને કાબૂમાં લેવા માટે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા. આ હુમલાઓમાં પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હજુ થોડા દિવસો પહેલાં હોળીના અવસરે પણ કટ્ટરપંથીઓએ ઠેર-ઠેર હોબાળો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
ઝારખંડમાં પથ્થરમારો
ઝારખંડના ગઢવા જિલ્લાના રમકંડા પ્રખંડ મુખ્યાલયમાં રામનવમી પહેલાં શરૂ થયેલો વિવાદ ગુરુવારે (26 માર્ચ 2026) હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો. ધાર્મિક શોભાયાત્રાના માર્ગ પર ડીજે અને મહાવીરી ઝંડા લગાવવા બાબતે મુસ્લિમ પક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. પથ્થરમારા દરમિયાન પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
બુધવારે (25 માર્ચ 2026) મોડી સાંજે રમકંડાના બિચલા ટોલા સ્થિત કૌઆખોહ શિવ ચબૂતરા પાસે મહાવીર પતાકા સ્થાપિત કરવા જઈ રહેલા રામભક્તોને ત્રિવેણી ચોક પાસે રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ ડીજે વગાડવા બાબતે પણ ભીડે વિવાદ શરૂ કર્યો હતો. આ ચર્ચાઓ જોતજોતામાં ઉગ્ર સૂત્રોચ્ચારમાં ફેરવાઈ ગઈ અને માહોલ હિંસક બની ગયો હતો.
જોતજોતામાં વિવાદ વણસી ગયો અને બંને પક્ષો સામસામે આવી ગયા. ગુરુવારે (26 માર્ચ 2026) સ્થિતિ વધુ ગંભીર બની જ્યારે મોટી સંખ્યામાં ઇસ્લામી ટોળું રસ્તા પર ઉતરી આવ્યું અને પથ્થરમારો શરૂ કર્યો, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને બજારની દુકાનો બંધ થવા લાગી.
સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઇસ્લામી ટોળા દ્વારા પોલીસ પર પણ પથ્થરમારાની ઘટનાઓ સામે આવી. બાદમાં પોલીસની હાજરીમાં રામભક્તોએ કૌઆખોહ શિવ ચબૂતરા પાસે મહાવીર પતાકા સ્થાપિત કરી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થિતિ બગડતા ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા.
રામનવમીને લઈને પોલીસ સ્ટેશનમાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠક છતાં મુસ્લિમોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. બેઠકમાં બંને પક્ષો દ્વારા શાંતિપૂર્ણ રીતે રામનવમી અને રમજાન ઉજવવા પર સહમતી સધાઈ હતી. જોકે, રામનવમી પર મુસ્લિમ પક્ષે માત્ર હોબાળો જ ન કર્યો પરંતુ પોલીસ પર પણ પથ્થર ફેંક્યા હતા.
મુંબઈમાં રામભક્તો પર હુમલાનો પ્રયાસ
મુંબઈના માલવણી (મલાડ) વિસ્તારમાં રામનવમીની તૈયારીઓ દરમિયાન સાંપ્રદાયિક તણાવના સમાચાર સામે આવ્યા છે. જ્યારે રામભક્તો વિસ્તારમાં ભગવા ઝંડા અને પતાકા લગાવી રહ્યા હતા, ત્યારે કટ્ટરપંથીઓના એક જૂથે તેમનો વિરોધ કર્યો અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
During the preparations on the eve of Ram Navami in Malad-Malvani, Mumbai. a Muslim woman attacked on rambhakt with the intention of creating communal tension. Soon after, a Radicals who were already gathered there attempted to attack other devotees.
— Sakal Hindu Samaj (@sakal_hindu_) March 26, 2026
The situation escalate, that… pic.twitter.com/sKpv7BVEyw
મુંબઈના આ સંવેદનશીલ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ભગવો ધ્વજ જોઈને એક મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને રામભક્તો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે એક મુસ્લિમ મહિલા બીજી તરફથી યોજનાબદ્ધ રીતે આવે છે અને રામભક્ત પર હુમલો કરીને માહોલ બગાડે છે. ત્યારબાદ ત્યાં મોટી ભીડ જમા થઈ જાય છે. આ ઘટના તે સમયે શરૂ થઈ જ્યારે હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ રામનવમીના સ્વાગત માટે રસ્તા પર ઝંડા લગાવી રહ્યા હતા.
જેવા તેઓ એક મસ્જિદની સામેના રસ્તા પર પહોંચ્યા, ત્યાં હાજર ઇસ્લામી પક્ષના માણસોએ વિરોધ શરૂ કરી દીધો. જોતજોતામાં બંને જૂથો સામસામે આવી ગયા અને અફરાતફરી મચી ગઈ. આ એક પૂર્વઆયોજિત કાવતરાનો ભાગ હોય તેમ લાગતું હતું, કારણ કે વિરોધના તરત જ બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા અને ભક્તોને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું.
અહિલ્યાનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો
મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના શ્રીરામપુર શહેરમાં રામનવમી નિમિત્તે કાઢવામાં આવેલ શોભાયાત્રા દરમિયાન ઇસ્લામી ટોળાએ પથ્થરમારો કર્યો હતો. શોભાયાત્રા મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. પોલીસે મસ્જિદના મૌલાના સહિત 10થી 12 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ ઘટના ગુરુવારે (26 માર્ચ 2026) સાંજે લગભગ ચાર વાગ્યે બની હતી, જ્યારે રામનવમીની શોભાયાત્રા શ્રીરામપુરના સૈયદ બાબા ચોકથી પસાર થઈ રહી હતી. શોભાયાત્રામાં સામેલ લોકો ભજન-કીર્તન સાથે આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે શોભાયાત્રા એક સ્થાનિક મસ્જિદની સામે પહોંચી, ત્યારે અચાનક મસ્જિદની પાછળના ભાગેથી અજ્ઞાત લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
And, it begins…
— Treeni (@treeni) March 26, 2026
We are getting reports that stones were pelted at Ram Bhakts as the Ram Navami procession was crossing a mosque in Shrirampur, Ahilyanagar, Maharashtra.
Some activists have also been injured. More in the replies. pic.twitter.com/frkcMvgmTI
આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં મસ્જિદની પાછળથી પથ્થરો આવતા સ્પષ્ટ જોઈ શકાય છે. અચાનક થયેલા આ પથ્થરમારાથી શોભાયાત્રામાં અફરાતફરી મચી ગઈ અને લોકો ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન ત્રણ લોકો પથ્થરોની લપેટમાં આવતા ઘાયલ થયા હતા. આ મામલે મસ્જિદના મૌલાના સહિત 10થી 12 લોકો વિરુદ્ધ શ્રીરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
બંગાળમાં હિંદુઓ પર હુમલો, મુર્શિદાબાદ અને પુરુલિયામાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને પુરુલિયામાં રામનવમીના પવિત્ર પર્વ પર હિંદુઓ પર હુમલો થયો હતો. શુક્રવારે (27 માર્ચ 2026) સાંજે રામનવમી શોભાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ ભારે પથ્થરમારો, તોડફોડ અને આગચંપી કરી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે રેપિડ એક્શન ફોર્સ (RAF) અને ભારે પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે.
DIG અજીત સિંઘ યાદવે જણાવ્યું કે અનેક તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે. મુર્શિદાબાદના જંગીપુરમાં શોભાયાત્રા જેવી મેકેન્ઝી પાર્કથી નીકળીને ફુલતલા ચોક પર પહોંચી કે તરત જ અસામાજિક તત્વોએ ઇંટો અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. એવો આરોપ છે કે આ હુમલો પૂર્વઆયોજિત હતો અને શોભાયાત્રા આગળ વધતા ફરીથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.
পশ্চিমবঙ্গে পবিত্র রাম নবমীর দিনে সনাতনীদের পবিত্র গৈরিক ধ্বজ উত্তোলন কি অপরাধ?
— Suvendu Adhikari (@SuvenduWB) March 27, 2026
মুর্শিদাবাদের জঙ্গীপুরে ফুলতলা মোড়ে সনাতনীদের দ্বারা উত্তোলিত গৈরিক ধ্বজকে অবজ্ঞার সঙ্গে নামিয়ে এইভাবে ছুঁড়ে ফেলা পবিত্র গৈরিক ধ্বজের অপমান, সনাতন ধর্মের অপমান ও সনাতনীদের ভাবাবেগে সরাসরি আঘাত… pic.twitter.com/mYLVxynL8c
આવી જ હિંસક તસવીરો પુરુલિયાના પારા વિસ્તારમાંથી પણ સામે આવી છે, જ્યાં શાંતિપૂર્ણ રીતે નીકળી રહેલી રેલીને તોફાની તત્વોએ નિશાન બનાવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના દાવા મુજબ તોફાનીઓએ પવિત્ર ભગવા ધ્વજને અપમાનજનક રીતે નીચે ખેંચીને ફેંકી દીધો હતો.
ભાજપે આ હિંસા માટે મમતા સરકારની તુષ્ટિકરણની રાજનીતિને જવાબદાર ઠેરવી છે. સુવેન્દુ અધિકારીએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું પોતાના જ રાજ્યમાં ભગવો ધ્વજ લહેરાવવો એ ગુનો છે? હાલમાં મુર્શિદાબાદ અને પુરુલિયામાં સુરક્ષા એજન્સીઓ ખૂણેખૂણે નજર રાખી રહી છે જેથી કોઈ વધુ અઘટિત ઘટના ન બને.
ઝારખંડમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો
ઝારખંડના ધનબાદ જિલ્લાના ભીકરાજપુરમાં શુક્રવારે (27 માર્ચ 2026) સાંજે રામનવમી નિમિત્તે કાઢવામાં આવી રહેલી શોભાયાત્રા દરમિયાન અચાનક તણાવની સ્થિતિ સર્જાઈ હતી. શોભાયાત્રા તેના નિર્ધારિત માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે બે પક્ષો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર બીજા સમુદાયના કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
પથ્થરમારાને કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં અંદાજે છ લોકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રભાત કુમારે જણાવ્યું કે આ વિવાદ બે સમુદાયના કિશોરો વચ્ચે શરૂ થયો હતો, જે અચાનક વધી ગયો હતો.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બલિયાપુરના ભીકરાજપુર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશો (કલમ 144) લાગુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે 6 લોકોની અટકાયત પણ કરી છે. પોલીસે જણાવ્યું છે કે ઘટનાની તપાસ ચાલુ છે અને તોફાનમાં સામેલ અસામાજિક તત્વોની ઓળખ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજસ્થાનમાં પણ હુમલો
રાજસ્થાનમાં રામનવમીના અવસરે નીકળેલી શોભાયાત્રા પર ઇસ્લામી કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. જાણકારી મુજબ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવી રહી હતી, તે દરમિયાન હિંદુ શ્રદ્ધાળુઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્રે વિસ્તારમાં ભારે પોલીસ કાફલો તહેનાત કરવો પડ્યો હતો.
આ ઉપરાંત જોધપુરમાં શુક્રવારે (27 માર્ચ 2026) રાત્રે ગણગોર પર્વ દરમિયાન કાઢવામાં આવી રહેલી ‘ભોલાવણી’ શોભાયાત્રા પર પણ અચાનક પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી. અહીં મકરાણા મહોલ્લા સ્થિત એક સાંકડી ગલીમાં પરંપરાગત રીતે શાંતિપૂર્ણ રીતે નીકળી રહેલી શોભાયાત્રા અચાનક હિંસાની જપેટમાં આવી ગઈ હતી.
Rajsthan : Ramanavmi Shobhayatra was attacked by Muslims. They did heavy stone pelting on Hindu devotees.
— Mr Sinha (@Mrsinha) March 28, 2026
Govt has to deploy Heavy police force to ensure safety of Hindus.
This is the real side of our secularism… pic.twitter.com/t0UrfiOFFb
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શોભાયાત્રા જ્યારે ગલી પાસે પહોંચી ત્યારે કેટલાક લોકોએ રસ્તા પરથી પસાર થઈ રહેલા ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કર્યો અને જોતજોતામાં પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તોફાનીઓએ માત્ર શોભાયાત્રાને જ નિશાન બનાવી નહોતી, પરંતુ આસપાસ ઉભેલા ઓટો-રિક્ષા અને મોટરસાઇકલોમાં પણ તોડફોડ કરી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ દરમિયાન કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત પણ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંઘ શેખાવતે X પર લખ્યું કે, “જોધપુર જ નહીં, દેશના કોઈપણ શહેરમાં સંસ્કૃતિ અને પરંપરા સાથે ચેડાં કરવા અને તેને સાંપ્રદાયિક સ્વરૂપ આપીને સામાજિકતા પર પ્રહાર કરવાની કુચેષ્ટા નહીં ચાલે, તે સ્પષ્ટ છે. જે કોઈને પણ એવું લાગે છે કે તે આવું કરીને પોતાના ષડયંત્રમાં સફળ થશે, તેને એવો પાઠ મળવો જોઈએ જે આ પ્રકારની માનસિકતા ધરાવતા અન્ય લોકો માટે પણ ઉદાહરણ બને.”
जोधपुर ही नहीं देश के किसी भी शहर में संस्कृति और परम्परा से खिलवाड़ करना और उसे सांप्रदायिक रूप देकर सामाजिकता पर चोट करने की कुचेष्टा नहीं चलेगी, यह साफ़ है।
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) March 28, 2026
जिसे भी यह लगता है कि वह ऐसा कर अपने षड्यंत्र में सफल होगा, उसे ऐसा सबक मिलना चाहिए कि जो इस तरह की मानसिकता वाले…
તેમણે આગળ જણાવ્યું કે, “અમે શાંતિ ડહોળનારા તત્વો સામે લોકતાંત્રિક રીતે કડક પગલાં લેતા અચકાઈશું નહીં. સમાજની ભલાઈ ઈચ્છતી શક્તિઓનું સંગઠિત થવું એ જ સુરક્ષિત ભવિષ્ય માટેનો એકમાત્ર રસ્તો છે. ઘટનાની જાણકારી મળતા જ હું ગઈકાલ રાતથી જ જિલ્લા અને પોલીસ તંત્રના સંપર્કમાં છું. મેં આ મામલે નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.”
બિહારમાં સાંપ્રદાયિક તણાવ
બિહારમાં રામનવમીના અવસરે સાંપ્રદાયિક તણાવની ઘટનાઓ સામે આવી છે. આ અંગે રાજ્યના ડીજીપીએ કડક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે કાયદો અને વ્યવસ્થા બગાડનારા તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે CCTV ફૂટેજની મદદથી તોફાનીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવશે.
ભારત તેના પરંપરાગત ઉત્સવો અને તહેવારો માટે જાણીતું છે, પરંતુ ઇસ્લામી કટ્ટરપંથીઓ હંમેશા એ જ તાકમાં હોય છે કે ક્યારે કોઈ તહેવાર આવે અને તેઓ હોબાળો મચાવે. હોળીના અવસરે પણ દેશના વિવિધ ભાગોમાંથી હિંસા અને સાંપ્રદાયિક તણાવના સમાચાર આવ્યા હતા. ક્યાંક હોળી ઉજવી રહેલા હિંદુઓ સાથે મારપીટ કરવામાં આવી તો ક્યાંક મસ્જિદની દીવાલો પર રંગના છાંટા પડવા જેવી બાબતે ઇસ્લામી કટ્ટરપંથીઓએ હોબાળો કર્યો હતો. એક તહેવાર હજુ પૂરો થયો ત્યાં જ આ કટ્ટરપંથીઓએ રામનવમી પર પણ હિંસા ફેલાવવામાં કોઈ કસર છોડી નથી.


