વડોદરાના (Vadodara) મેથોડિસ્ટ ચર્ચના પાદરીએ (Methodist Church Pastor) જાતિવિષયક ટિપ્પણી કરતા રોષ ફેલાયો હતો. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કહેવાઈ રહ્યું છે કે આ વિડીયો 13 એપ્રિલનો છે. ગુડફ્રાઈડે પહેલાંના ખજૂરી રવિવારના પ્રવચન દરમિયાન પાદરીએ જાતિવિષયક ટિપ્પણીઓ કરી હતી. જેનો વિડીયો વાયરલ થતા ખ્રિસ્તી સમુદાયમાં રોષ ફેલાયો છે.
પાદરી રેવ તુલસીનો આ વિડીયો ખ્રિસ્તી સમુદાયના જ મનીષ ખ્રિસ્તી નામક વ્યક્તિએ વાયરલ કર્યો હતો. સંદેશ ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું તેમણે હતું કે, “અમારો ખૂબ નાનો સમાજ છે, એમાં અમારા ધર્મગુરુ દ્વારા જ જો કોઈ વ્યક્તિ કોઈ બાબતનો વિરોધ કરવા જાય તો તેને ધમકી આપવામાં આવે છે, કે તમારા લગ્ન નહીં થાય, તમારા કુટુંબમાં કોઈ સામાજિક કાર્ય નહીં થાય, તમારો સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવશે. આ જ કારણોસર સમાજ પોતાનો અવાજ નથી ઉઠાવતો.”
Vadodara | વડોદરામાં મેથોડિસ્ટ ચર્ચના પાદરીના નિવેદનથી રોષ | Gujarat #Vadodara #MethodistChurch #Priest #PriestSpeech #Gujarat #SandeshNews pic.twitter.com/RIypapbG8M
— Sandesh (@sandeshnews) April 18, 2025
આ દરમિયાન તેમણે જમ્મુસરમાં 103 વર્ષ જૂનું કોઈક ચર્ચ વેચ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જાતિવિષયક શબ્દો પાક સંડે અમારો જે તહેવાર હોય છે એ દિવસે વાપરવામાં આવ્યા હતા.” તેમણે કહ્યું હતું કે, “પાદરી દ્વારા ગેરબંધારણીય જાતિવિષયક શબ્દો વાપરવામાં આવ્યા હતા. જે વ્યક્તિ 50 વર્ષ પહેલાં ગુજરી ગયા છે એમના નામથી તેમણે આ દાખલો આપ્યો છે.”
Vadodara | વડોદરામાં મેથોડિસ્ટ ચર્ચના પાદરીના નિવેદનથી રોષ | Gujarat #Vadodara #MethodistChurch #Priest #PriestSpeech #Gujarat #SandeshNews pic.twitter.com/PLJXqNLbFP
— Sandesh (@sandeshnews) April 18, 2025
તેમણે કહ્યું હતું કે, “કોઈ મરેલી વ્યક્તિના નામે દાખલો આપવો એ અયોગ્ય જ છે, આવી જગ્યા પરથી આવા શબ્દો બોલવા એ યોગ્ય નથી.” તેમનો આક્ષેપ છે કે ખ્રિસ્તી સમુદાયના લોકો અને ઇસુ ખ્રિસ્ત માટે પણ આવા શબ્દો વાપરવામાં આવ્યા હતા જેના કારણે ખ્રિસ્તી સમુદાયના લોકોની લાગણી દુભાઈ છે. તેમણે પાદરીના પુત્ર આકાશ ખ્રિસ્તી પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેણે તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે આવા શબ્દોથી જે લોકોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે તેમની અને જે લોકો જન્મજાત ખ્રિસ્તી છે તેમની પણ લાગણી દુભાય છે. બીજી તરફ પાદરીએ આ દાવા ફગાવી દીધા હતા. દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર વાયરલ વિડીયો અંગે પાદરી રેવ તુલસીએ જણાવ્યું છે, “રવિવારના ધાર્મિક ઉપદેશમાં હું અન્ય દ્વારા બોલાયેલા શબ્દો દોહરાવતો હતો અને હું દ્રષ્ટાંત આપી રહ્યો હતો. મારા આખા પ્રવચનમાંથી માત્ર એટલો હિસ્સો જ કટ કરીને વાયરલ કરાયો છે.”
પહેલા પણ અનેક વિવાદોમાં ફસાઈ ચૂક્યું છે આ ચર્ચ
નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે આ ચર્ચ આવા કોઈ વિવાદમાં ફસાયુ હોય. આ પહેલા પણ આવા ઘણા વિવાદો અહીં થઈ ચૂક્યા છે.
2019માં વડોદરાના ન્યુ સમા રોડ પર રહેતા જે.એ. ક્રિશ્ચિયન નામના એક બેંક અધિકારીએ વડોદરા કલેક્ટર પાસે આત્મવિલોપ માટે મંજૂર માગી હતી. તેઓએ આત્મવિલોપન માટે કલેક્ટરને જે કારણો આપ્યા હતા તેમાં મુખ્યત્વે વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં આવેલ શારોન મેથોડિસ્ટ ચર્ચની કમિટીઓમાં ઉભો થયેલ વિવાદ હતો. તેઓએ કમિટીના સભ્યો અને હોદ્દેદારો સામે ‘મોબ લિંચિંગ’, હૂમલો, ધાક-ધમકી અને ગેર વહીવટ જેવા ગંભીર આક્ષેપો કર્યા હતા.