Sunday, May 18, 2025
More
    હોમપેજગુજરાતઇસનપુરમાં પહલગામ આતંકી હુમલાના વિરોધમાં સ્થાનિકોએ રોડ પર ચીતર્યો પાકિસ્તાનનો ઝંડો, મધરાતે...

    ઇસનપુરમાં પહલગામ આતંકી હુમલાના વિરોધમાં સ્થાનિકોએ રોડ પર ચીતર્યો પાકિસ્તાનનો ઝંડો, મધરાતે કોઈ ફેરવી દીધો ચૂનો: અમદાવાદમાં આતંકી દેશના આવા પ્રેમીઓ કોણ?

    આ બાબતે ઑપઈન્ડિયાએ સ્થાનિક સૂત્રોનો સંપર્ક કર્યો તો ચિંતાજનક બાબત જાણવા મળી. નામ જાહેર ન કરવાની શરતે જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનના ઝંડા છુપાવવાનું કામ સ્થાનિક પોલીસે જ કર્યું છે. જોકે દાવો કેટલો સાચો છે એ તપાસનો વિષય છે.

    - Advertisement -

    ગત મહિને જમ્મુ કાશ્મીરમાં થયેલ પહલગામ આતંકી હુમલામાં (Pahalgam terror attack) ઈસ્લામિક આતંકીઓએ (Islamic terrorists)પ્રવાસીઓનો ધર્મ પૂછી પૂછીને 26 નિર્દોષ હિંદુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. દેશભરમાં આ બાબતે નાગરિકો રોષમાં છે. લોકો જુદી જુદી રીતે પોતાનો રોષ પ્રદર્શિત કરી રહ્યા છે. તેવામાં અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં સ્થાનિક નાગરિકોએ મુખ્ય રોડ પર પાકિસ્તાનનો ઝંડો દોરીને તેમનો વિરોધ કર્યો હતો, પરંતુ તેના પર કોઈએ ચૂનો મારી દેતા આંખો વિષય સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે.

    વિષય એમ છે કે ગુરુવાર-શુક્રવારની મધરાતે ઈસનપુરના કેટલાક સ્થાનિક નાગરિકો પહલગામમાં થયેલ ઇસ્લામિક આતંકવાદી હુમલાના વિરોધમાં ઈસનપુર ચારરસ્તા, ગોવિંદવાડી ચારરસ્તા અને નૈયા સરબતવાળા ચારરસ્તા પર આતંકી દેશ પાકિસ્તાનનો ઝંડો દોરી આવ્યા હતા.

    પરંતુ જ્યારે સ્થાનિકો સવારે આ સ્થાને આવીને ચેક કર્યું તો જાણવા મળ્યું કે તે પાકિસ્તાની ઝંડાઓ પર કોઈએ આવીને ચૂનો અથવા એ પ્રકારનો સફેદ કલર લગાવી દીધો હતો. ઈસનપુર ચારરસ્તા પરના ઝંડા પર તો ચૂના ઉપરાંત માટી પણ પાથરી દેવામાં આવી હતી.

    - Advertisement -

    જે બાદ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે ભારતના એક રાજ્ય ગુજરાત અને ગુજરાતના એક મુખ્ય શહેર અમદાવાદના મધ્યસ્થાને આવું તો પાકિસ્તાનપ્રેમી કોણ જાગી ગયું કે જેમનાથી રસ્તા પર પાકિસ્તાની ઝંડો ના જોવાઈ શક્યો!

    આ બાબતે ઑપઈન્ડિયાએ સ્થાનિક સૂત્રોનો સંપર્ક કર્યો તો ચિંતાજનક બાબત જાણવા મળી. નામ જાહેર ન કરવાની શરતે જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનના ઝંડા છુપાવવાનું કામ સ્થાનિક પોલીસે જ કર્યું છે. જોકે દાવો કેટલો સાચો છે એ તપાસનો વિષય છે.

    સ્થાનિક લોકોએ પણ ઑપઇન્ડિયા સાથે વાત કરતા માંગ કરી કે પોલીસે આ વિષયમાં પૂરી તપાસ કરવી જોઈએ અને આ પાકિસ્તાનપ્રેમીઓ કોણ હતા તેઓને ઉઘાડા પાડવા જોઈએ.

    નજીકમાં જ છે ચંડોળા ડિમોલિશન સાઇટ

    નોંધનીય છે કે આ પહેલીવાર નહોતું કે કોઈએ આ રીતે પોકિસ્તાનનો વિરોધ કર્યો હોય. આ પહેલા રસ્તા પર ઝંડા દોરવાથી લઈને ટોઈલેટમાં પણ પાકિસ્તાની ઝંડા દોરાયા છે. તો ઇસનપુરમાં એવા તો કયા ઇસમો હતા જેને આ ખૂંચ્યું હશે?

    નોંધવું એ પણ જોઈએ કે આ ઝંડાઓ જ્યાં દોરાયા હતા એ સ્થાન હાલ જે ચંડોળા ડિમોલિશન ડ્રાઇવ ચાલી રહી છે અને જ્યાંથી હજારોની સંખ્યામાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો મળી આવ્યા છે, તેની પાસે જે આવેલા છે. તો હવે જોવાનું રહેશે કે પોલીસ આ બાબતે તપાસ કરશે કે નહીં અને કરશે તો શું સત્ય બહાર આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં