હોમપેજદેશકેવી રીતે મોદી સરકારે ભારતને રિન્યુએબલ એનર્જીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું પાવરહાઉસ...

કેવી રીતે મોદી સરકારે ભારતને રિન્યુએબલ એનર્જીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું પાવરહાઉસ બનાવ્યું

વધુમાં ગ્રીન એનર્જી કોરિડોર્સ પ્રોજેક્ટ હેઠળ રિન્યુએબલ એનર્જીને મુખ્ય ગ્રીડ સાથે જોડવા માટે નવા ટ્રાન્સમિશન નેટવર્ક બનાવવામાં આવ્યા. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) જેવી આધુનિક યોજનાઓ દ્વારા સરકારે ભવિષ્યની તૈયારી પણ કરી છે.

- Advertisement -

ભારતની રિન્યુએબલ એનર્જીની યાત્રા આજે વિશ્વના દેશો માટે એક મોડલ બની ગઈ છે. માર્ચ 2026માં સામે આવેલા અધિકૃત આંકડા અનુસાર દેશની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા વર્ષ 2014માં માત્ર 76.38 GW હતી તે આજે વધીને 274.68 GW થઈ ગઈ છે. આ 3.59 ગણો વધારો છે. વળી, નોન-ફોસિલ સ્ત્રોતોની કુલ ક્ષમતા 283.46 GW સુધી પહોંચી ગઈ છે. 

આ આંકડા માત્ર સંખ્યાઓ નથી, પરંતુ વર્ષોની દૂરદર્શી નીતિઓ, સખત પ્રયાસો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સફળતાનું પરિણામ છે. આજે ભારત IRENAના 2026ના રિપોર્ટ અનુસાર વિશ્વમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં ત્રીજા સ્થાને પહોંચી ચૂક્યું છે અને બ્રાઝિલને પાછળ છોડી દીધું છે. આ સિદ્ધિ માત્ર ઊર્જા ક્ષેત્રની નથી, પરંતુ દેશની આર્થિક આત્મનિર્ભરતા અને વૈશ્વિક ઊર્જા સુરક્ષાની મજબૂતીનું પણ પ્રતીક છે.

કોંગ્રેસના સમયમાં કથળેલી હતી રિન્યુએબલ એનર્જીની સ્થિતિ

વર્ષ 2014 પહેલાં જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળ યુપીએ સરકાર ચાલતી હતી, ત્યારે ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં સ્થિતિ ખૂબ જ નબળી હતી. માર્ચ 2014માં રિન્યુએબલ એનર્જીની કુલ સ્થાપિત ક્ષમતા માત્ર 76.38 GW હતી અને તેમાં પણ સોલાર પાવરની ક્ષમતા માત્ર 2.82 GW જેટલી હતી. દેશનું મોટાભાગનું વીજળી ઉત્પાદન પરંપરાગત કોલસા અને આયાતી તેલ પર આધારિત હતું. આ સમયે દેશમાં ઊર્જાની અછત વારંવાર જોવા મળતી હતી અને પાવર પ્લાન્ટ્સ કોલસાની અછતને કારણે વારંવાર બંધ થતા હતા. 

- Advertisement -

સરકારી આંકડા અનુસાર વર્ષ 2013-14માં ભારતે કુલ 168.4 મિલિયન ટન કોલસાની આયાત કરી હતી. જેમાં પાવર પ્લાન્ટ્સ માટેના થર્મલ કોલસાના બ્લેન્ડિંગનો મોટો હિસ્સો હતો. ઘરેલુ કોલસાનું ઉત્પાદન ઓછું હોવાથી પ્લાન્ટ્સને વિદેશી કોલસા પર ખૂબ આધાર રાખવો પડતો હતો. તેનાથી વિદેશી મુદ્રાનો મોટો ખર્ચ થતો હતો અને ઊર્જા સુરક્ષા પર સતત જોખમ મંડરાતું હતું. આ સમયે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે કોઈ મજબૂત નીતિ અથવા યોજનાઓ નહોતી. સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ્સનો વિકાસ ખૂબ જ ધીમો હતો અને દેશ આયાતી ઊર્જા પર જીવતો હતો.

મોદી સરકાર હેઠળ આવી ક્રાંતિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014 પછી સ્થિતિમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. સરકારે રિન્યુએબલ એનર્જીને પ્રાથમિકતા આપી અને તેને આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડી દીધી. પરિણામે વર્ષ 2025-26માં માત્ર નોન-ફોસિલ સ્ત્રોતોમાં રેકોર્ડ 55.3 GWનો વધારો થયો છે, જે પાછલા વર્ષોના સર્વોચ્ચ વધારાથી લગભગ બમણો છે. આજે રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 274.68 GW પર પહોંચી ગઈ છે અને સોલાર પાવરની ક્ષમતા 150 GWથી વધુ થઈ ગઈ છે. 

સરકારે અનેક મહત્વની યોજનાઓ શરૂ કરી. PM-KUSUM યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવ્યા, જેનાથી ખેતી અને ગ્રામીણ વિસ્તારોમાં રિન્યુએબલ એનર્જીનો વિસ્તાર થયો. રૂફટોપ સોલાર યોજના દ્વારા લાખો ઘરો અને ઉદ્યોગોને સોલાર સાથે જોડવામાં આવ્યાં. વળી, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમથી સોલાર મેન્યુફેક્ચરિંગમાં સ્થાનિક ઉત્પાદન વધ્યું અને ભારત હવે સોલર પેનલનો નિકાસકાર દેશ બની રહ્યો છે. ગ્રીન એનર્જી કોરિડોર્સ, આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રાન્સમિશન સિસ્ટમ અને ગ્રીન ઓપન એક્સેસ નિયમો જેવાં પગલાંઓએ ગ્રીડને મજબૂતી આપી અને રિન્યુએબલ એનર્જીને મુખ્ય સ્ત્રોત બનાવ્યો. 

આ બધાની અસર એ છે કે જુલાઈ 2025માં રિન્યુએબલ સોર્સીઝે દેશની કુલ વીજળી માંગના 51.5 ટકા જેટલો હિસ્સો પૂરો પાડ્યો હતો. આ માત્ર આંકડો નથી, પરંતુ એક વાસ્તવિક ક્રાંતિ છે જેનાથી ભારત 2030ના 50 ટકા નોન-ફોસિલ પાવર લક્ષ્યને પાંચ વર્ષ વહેલું પૂરું કરી ચૂક્યું છે.

વૈશ્વિક સ્તરે ભારતનું ત્રીજું સ્થાન અને IRENA 2026 રિપોર્ટનું મહત્વ

આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી એજન્સીના (IRENA) 2026ના રિપોર્ટ અનુસાર ભારત વિશ્વમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા નંબરે છે અને તેણે બ્રાઝિલને પાછળ છોડી દીધું છે. આ રિપોર્ટમાં ભારતની ક્ષમતા ડિસેમ્બર 2025 સુધીમાં 250.52 GW નોંધાઈ છે, જે વૈશ્વિક સ્તરે એક મહત્વની સિદ્ધિ છે. આ સ્થાન માત્ર આંકડાકીય વિકાસ નથી, પરંતુ મોદી સરકારની સ્વચ્છ ઊર્જા અભિયાનની વૈશ્વિક સ્વીકૃતિ છે. 

આ સિદ્ધિ પાછળ મોદી સરકારની વ્યાપક વ્યૂહરચના છે, જેમાં નેશનલ હાઇડ્રોજન મિશન, બેટરી સ્ટોરેજ અને ગ્રીન એનર્જી કોરિડોર જેવા પગલાં સામેલ છે. તેનાથી ભારત માત્ર ઊર્જા આયાતકાર નહીં રહે, પરંતુ વૈશ્વિક સ્તરે સ્વચ્છ ઊર્જાનો અગ્રણી દેશ બની રહ્યો છે.

થર્મલ કોલસાના આયાતમાં ઘટાડો અને ઊર્જા સુરક્ષાની મજબૂતી

રિન્યુએબલ એનર્જીના વિકાસ સાથે સરકારે થર્મલ કોલસાના આયાતને પણ નિયંત્રિત કર્યો છે. કોંગ્રેસ સમયમાં 2013-14માં કુલ કોલસા આયાત 168.4 મિલિયન ટન હતો, જેમાં પાવર પ્લાન્ટ્સ માટેના થર્મલ કોલસા બ્લેન્ડિંગનો મોટો હિસ્સો હતો. આજે સ્થિતિ સાવ વિરુદ્ધ છે. ઘરેલુ કોલસા ઉત્પાદન 2024-25માં 1,047 મિલિયન ટનથી વધુ થઈ ગયું છે. તેના પરિણામે પાવર પ્લાન્ટ્સમાં થર્મલ કોલસા બ્લેન્ડિંગ માટેની આયાત ઘટી ગઈ છે. 

2022-23માં આ આયાત 35.10 મિલિયન ટન હતી, જે 2024-25માં ઘટીને 14.02 મિલિયન ટન થઈ છે. વળી, 2025-26ના એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં તે માત્ર 5.5 મિલિયન ટન રહી છે, જે પાછલા વર્ષના સમાન સમયગાળાના 12 મિલિયન ટન કરતાં 54 ટકા ઓછી છે. આ ઘટાડાથી પાવર પ્લાન્ટ્સના ઇનપુટ ખર્ચમાં ઘટાડો થયો છે અને વિદેશી મુદ્રાની બચત થઈ છે. સરકારનો ટાર્ગેટ છે કે 2026માં પાવર સેક્ટરના થર્મલ કોલસા આયાતને વધુ 30 ટકા ઘટાડવી. આ બધું ઘરેલુ કોલસા ઉત્પાદન વધારવા અને રિન્યુએબલ એનર્જીને મુખ્ય સ્ત્રોત બનાવવાના પરિણામે શક્ય બન્યું છે.

આ સિદ્ધિ માત્ર દેખાવા પૂરતી નથી, પરંતુ એક વ્યૂહાત્મક વિકાસ છે જે ભારતને 2070 સુધી નેટ-ઝીરો લક્ષ્ય તરફ લઈ જશે. મોદી સરકારની નીતિઓએ દેશને આયાતી ઊર્જા પરની નિર્ભરતાથી મુક્તિ આપી છે અને સ્વચ્છ ઊર્જા તરફની યાત્રાને વેગ આપ્યો છે. આ ક્રાંતિ ચાલુ રહેશે અને ભારતને વૈશ્વિક ઊર્જા નેતા બનાવશે.

મોદી સરકારની યોજનાઓએ કેવી રીતે રિન્યુએબલ એનર્જીમાં ક્રાંતિ લાવી?

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે રિન્યુએબલ એનર્જીને રાષ્ટ્રીય અગ્રિમતા આપીને અનેક વ્યાપક અને અસરકારક યોજનાઓ શરૂ કરી. આ યોજનાઓએ માત્ર ક્ષમતા વધારવામાં જ નહીં, પરંતુ સામાન્ય માણસ, ખેડૂત અને ઉદ્યોગ સુધી સ્વચ્છ ઊર્જાને પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

સરકારે સૌપ્રથમ પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના શરૂ કરી. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરોમાં સોલાર પંપ અને સોલાર પ્લાન્ટ્સ લગાવવા માટે મોટા પ્રમાણમાં સબસિડી અને સહાય આપવામાં આવી. તેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં રિન્યુએબલ એનર્જીનો વિસ્તાર ઝડપથી થયો અને ખેડૂતોને દિવસે દિવસે વીજળીની સમસ્યામાંથી મુક્તિ મળી.

ત્યારબાદ રૂફટોપ સોલાર યોજના અને ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના’ શરૂ કરવામાં આવી. આ યોજનાઓ હેઠળ લાખો ઘરોની છત પર સોલાર પેનલ્સ લગાવવામાં આવી. જેનાથી સામાન્ય મધ્યમવર્ગના લોકો પણ પોતાના ઘરમાં વીજળી ઉત્પન્ન કરી શકે છે અને વધારાની વીજળી ગ્રીડમાં વેચીને આવક પણ મેળવી શકે છે. આ યોજનાએ સોલાર ક્ષમતામાં ભારે વધારો કર્યો છે.

સરકારે ‘પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ’ પણ રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે અમલમાં મૂકી. આ યોજના હેઠળ સોલાર પેનલ્સ અને મોડ્યુલ્સના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવ્યું. પરિણામે ભારત આજે સોલાર પેનલ્સનું મોટું નિર્માણકાર બન્યું છે અને આયાત પરની નિર્ભરતા ઘટાડી છે.

વધુમાં ગ્રીન એનર્જી કોરિડોર્સ પ્રોજેક્ટ હેઠળ રિન્યુએબલ એનર્જીને મુખ્ય ગ્રીડ સાથે જોડવા માટે નવા ટ્રાન્સમિશન નેટવર્ક બનાવવામાં આવ્યા. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) જેવી આધુનિક યોજનાઓ દ્વારા સરકારે ભવિષ્યની તૈયારી પણ કરી છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ (ISA) જેવા વૈશ્વિક પ્લેટફોર્મ દ્વારા ભારતે વિશ્વમાં સ્વચ્છ ઊર્જાના વિકાસમાં નેતૃત્વ સ્થાપિત કર્યું છે. આ તમામ યોજનાઓને એક સુસંગત અને વ્યાપક વ્યૂહરચના હેઠળ અમલમાં મૂકવામાં આવી છે, જેના કારણે છેલ્લા 12 વર્ષમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં આવો ક્રાંતિકારી વિકાસ શક્ય બન્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં