Wednesday, October 9, 2024
More
    હોમપેજદેશ'નબીની શાનમાં ગુસ્તાખી ના-કાબિલ-એ-બર્દાશ્ત, હવે પ્રદર્શન નહીં 'ભારત જામ' થશે': બરેલીના કુખ્યાત...

    ‘નબીની શાનમાં ગુસ્તાખી ના-કાબિલ-એ-બર્દાશ્ત, હવે પ્રદર્શન નહીં ‘ભારત જામ’ થશે’: બરેલીના કુખ્યાત મૌલાના તૌકીર રઝાનું વધુ એક વિવાદિત નિવેદન, મુસ્લિમોને દિલ્હી કૂચ કરવા ઉશ્કેર્યા

    તાજેતરમાં જ ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલનો સ્થાપના દિવસ હતો. તેના અનુસંધાનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ મૌલાના તૌકીર રઝાએ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું હતું.

    - Advertisement -

    બરેલીના (Bareili) કુખ્યાત મૌલાના તૌકીર રઝાનું વધુ (Maulana Tauqeer Raza) એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ નામના ઇસ્લામી સંગઠનના અધ્યક્ષ એવા મૌલાના તૌકીર રઝા ખાંએ ફરી એક વાર દેશના મુસ્લિમોને ભડકાવીને દિલ્હી (Delhi) કૂચ કરવા કહ્યું છે. તેમની સંસ્થાના સ્થાપના દિનને લઈને તેમણે આપેલા એક ભાષણ દરમિયાન તેમણે ભારત જામ કરવાની વાતો પણ કરી. તેમણે ધમકીના સૂરમાં કહ્યું હતું કે, હવે નબીની શાનમાં ગુસ્તાખીના વિરોધમાં ધરણા પ્રદર્શન નહીં, પરંતુ દેશને જામ (ટોળા રસ્તા પર ઉતારીને) કરી દેવામાં આવશે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં જ ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલનો સ્થાપના દિવસ હતો. તેના અનુસંધાનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ મૌલાના તૌકીર રઝાએ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે જાહેરમાં મંચ ઉપરથી મુસ્લિમોને સંબોધતા કહ્યું હતું કે, “નબીની શાનમાં ગુસ્તાખી ના-કાબિલ-એ-બર્દાશ્ત છે. આખરે ક્યાં સુધી નબીની શાનમાં ગુસ્તાખી થતી રહેશે? હવે ધરણા પ્રદર્શન નહીં કરવામાં આવે. આવેદન પત્રો નહીં આપવામાં આવે. હવે આખા દેશને જામ કરી દેવામાં આવે.”

    દશેરા બાદ કરશે ‘દેશ જામ’ કરવાની તારીખની જાહેર, મુસ્લિમોને દિલ્હી કૂચ કરવા કહ્યું

    તેમણે આ જ ભાષણમાં આગળ કહ્યું હતું કે, તેઓ આગામી દશેરા બાદ આ ‘ભારત જામ’ની તારીખ નક્કી કરશે. ત્યારબાદ આખા દેશના તમામ મુસ્લિમો દિલ્હી પહોંચશે અને દેશને ‘જામ’ કરી દેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ જામ કરવાના કાર્યક્રમ બાદ મુસ્લિમો પોતાની વાત સરકાર સામે રાખશે. તેમણે જાહેર મંચ પરથી દેશના તમાં મુસ્લિમોને ઉદ્દેશીને કહ્યું હતું કે, “જયારે દેશના દરેક જિલ્લાના મુસ્લિમો તિરંગો લઈને નીકશે તો શહેર જામ થશે જ. એક દિવસની તકલીફ ઉઠાવીને સુધારા માટે આ કામ કરી શકાય તેમ છે.

    - Advertisement -

    દેશને હિંદુરાષ્ટ્ર નહીં બનાવ દઈએ

    પોતાના ભડકાઉ ભાષણમાં તેમણે અચાનક હિંદુરાષ્ટ્રનો મુદ્દો ઉમેરીને વાતાવરણ વધુ તંગ કરવાનો પ્રયાસ કર્યો તેમણે કહ્યું કે, “જે સાચો હિંદુ હશે, તે મુશ્કેલીઓ ઉભી નહીં કરે. જે લોકો મુસ્લિમો સામે સમસ્યા ઉભી કરી રહ્યા છે, તેમને કહીશ કે જો અમે તેમ કરવાનું શરૂ કરી દીધું તો વિચારીલો કે દેશની હાલત શું થશે. અમે કોઈ પણ કાળે દેશને હિંદુરાષ્ટ્ર નહીં બનવા દઈએ.” કાયમ મુસ્લિમોને ઉશ્કેરીને ભડકાઉ ભાષણ આપતા આ મૌલાનાએ યતિ નરસિંહાનંદને ઉલ્લેખીને કહ્યું હતું કે, સાધુઓનું કામ મહોબ્બત વેચવાનું છે, નફરત શિખવાડવાનું નહીં.

    મૌલાના તૌકીરે આગળ કહ્યું કે, દેશમાં મુસ્લિમોનો અવાજ સાંભળવાવાળું કોઈ નથી. આટલું જ નહીં, તેમણે ન્યાયપ્રણાલી પણ સરકારને આધીન હોવાની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન પણ મુસ્લિમોના પ્રશ્નો પર ધ્યાન નથી આપી રહ્યા. તેમણે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર સનાતનના જ વડાપ્રધાન છે. તેમણે કહ્યું કે, “વડાપ્રધાન મોદી સનાતન સિવાય બીજી કોઈ વાત જ નથી કરી રહ્યા.

    આ પહેલાં પણ આપ્યું હતું વિવાદિત નિવેદન

    નોંધનીય છે કે મૌલાના તૌકીર રઝાનું આ કોઈ પહેલું વિવાદિત નિવેદન નથી. હમણાં થોડા જ દિવસો પહેલા પણ તેમણે જાહેર મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આપત્તિજનક વાત કરી હતી. એક મઝહબી સભામાં મૌલાના તૌકીરે કહ્યું હતું કે, “આપણે 20 કરોડ છીએ કે 30 કરોડ છીએ તે ચર્ચામાં નથી જઈ રહ્યો, પણ જેટલા પણ છીએ એના 1% પણ ઘરેથી નીકળી ગયા, દિલ્હી કૂચ કરીને જવાનું એલાન કર્યું… નરેન્દ્ર મોદી જ્યાં સુધી રાજુનામું નહીં આપે ત્યાં સુધી ધરણા ખતમ નહીં કરવામાં આવે. કહો બરાબર કે નહીં (તેના જવાબમાં હાજર મુસ્લિમો ઇન્શાહલ્લાહનો નારો લગાવે છે) તેની જ સરપરસ્તીમાં (નેતૃત્વમાં) આ બધી બેઈમાની થઇ રહી છે.”

    તેણે આગળ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી (PM Narendra Modi) દેશને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આગળ તે એમ પણ કહે છે કે વડાપ્રધાને આખો દેશ વેચી નાખ્યો. તેણે કહ્યું, “નરેદ્ર મોદીએ આખો દેશ વેચી નાખ્યો અને હવે તેની પાસે વેચવા કશું નથી બચ્યુ તો તેની નજર વક્ફ પર આવી ગઈ.” આનાથી આગળ તે વડાપ્રધાન મોદીને મુસ્લિમોના દુશ્મન હોવાનું ઉલ્લેખીને કહે છે કે, “નરેન્દ્ર મોદીથી અમને એના માટે નફરત નથી કે તે મુસલમાનોના દુશ્મન છે, પણ અમને નફરત એટલા માટે છે કે તે દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે. જે વાતને સાચો મુસલમાન કોઈ કિંમત સહન ન કરી શકે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં