તાજેતરમાં ઈટલી ખાતે યોજાયેલી G7 સમિટમાં વડાપ્રધાન નરેદ્ર મોદીએ ખ્રિસ્તીઓના સહુથી મોટા પાદરી પોપ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ હંમેશા પીએમ મોદીના વિરોધમાં લાગેલિ કોંગ્રેસે આ મામલે પણ પીએમને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે પહેલા ખ્રિસ્તીઓના સહુથી મોટા પાદરીને લઈને અપમાનજનક પોસ્ટ કરી અને બાદમાં માફી માંગી છે. તેમણે વડાપ્રધાન મોદીને ભગવાન કહીને પોપની મજાક ઉડાવી હતી. ત્યારે 16 જૂન 2024ના રોજ કોંગ્રેસને આ મામલે માફી માંગવી પડી છે.
વાસ્તવમાં પોપને લઈને કેરળ કોંગ્રેસે મજાક ઉડાવી હતી. તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું કે, “અંતે પોપને ભગવાનની મુલાકાત કરવાનો મોકો મળી ગયો.” તેમની આવી હરકત બાદ માફી માંગતા કેરળ કોંગ્રેસે લખ્યું કે, “આ દેશની જનતા જાણે છે કે, કોઈ પણ ધર્મ, ધર્મગુરુઓ અને મૂર્તિનું અપમાન કરવું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પરંપરા નથી. કોંગ્રેસ એક એવી ચળવળ છે જે તમામ ધર્મો અને આસ્થાઓને એક સાથે જોડે છે અને લોકોને એક સૌહાર્દના માહોલમાં આગળ વધારે છે.”
કોંગ્રેસે કહ્યું છે કે તેમનો કોઈ પણ કાર્યકર્તા પોપનું અપમાન કરવાનું વિચારી પણ ન શકે. બીજી તરફ વડાપ્રધાન મોદીના અપમાનને લઈને કોંગ્રેસે કહ્યું છે કે તેમને પીએમ મોદીનો મજાક ઉડાવવામાં કોઈ જ તકલીફ નથી કારણકે તેમણે પોતાને ભગવાન ગણાવ્યા હતા.
ഒരു മതത്തെയും മതപുരോഹിതന്മാരെയും ആരാധനാമൂർത്തികളെയും അപമാനിക്കുകയും അവഹേളിക്കുകയും ചെയ്യുന്നത് ഇന്ത്യൻ നാഷണൽ കോൺഗ്രസിന്റെ പാരമ്പര്യമല്ലെന്ന് ഈ നാട്ടിലെ ജനങ്ങൾക്ക് മുഴുവനും അറിയാം. എല്ലാ മതങ്ങളെയും വിശ്വാസങ്ങളെയും ചേർത്ത് പിടിച്ച് സൗഹാർദ്ദപരമായ അന്തരീക്ഷത്തിൽ ജനങ്ങളെ മുന്നോട്ടു… pic.twitter.com/Jg7HBh9BMw
— Congress Kerala (@INCKerala) June 16, 2024
કોંગ્રેસે લખ્યું હતું કે, “કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા પોપનું અપમાન કરવાનું દૂર દૂર સુધી વિચારી પણ ન શકે, જેમને વિશ્વભરના ખ્રિસ્તીઓ પૂજ્ય માને છે. જોકે, કોંગ્રેસને પીએમ મોદીનો મજાક બનાવવામાં કોઈ જ તકલીફ નથી. તેઓ પોતે પોતાને ભગવાન ગણાવીને આ દેશના આસ્તિકોનું અપમાન કરે છે.”
કેરળ કોંગ્રેસે આ પછી પોતાની વિવાદાસ્પદ પોસ્ટને લઈને ભાજપની આલોચનાને ખોટી ઠેરવી. તેમણે લખ્યું, “આ રીતે તે લોકો મોદી અને તેમના સાથી સુરેન્દ્રનની સાંપ્રદાયિક માનસિકતાને સમજી શકશે, જે નરેન્દ્ર મોદીના રાજનૈતિક રમતને અપમાન રૂપમાં ચિત્રિત કરી રહ્યા છે.”
આટલું ઓછું હતું તે કોંગ્રેસે આ આખા મુદ્દાને અવળા માર્ગે દોરી જવા માટે તેને મણીપુર સાથે જોડી દીધો. તેમણે લખ્યું કે, “સુરેન્દ્રન અને તેમના સહયોગી ખ્રિસ્તીઓને તેવા લોકોના સમૂહના રૂપે નીચું દેખાડવા માંગે છે કે જેમાં કોઈ આત્મસન્માન નથી. જો ખ્રિસ્તી સમુદાય પ્રત્યે સાચો પ્રેમ હોય તો મોદી અને તેમના સાથી મણીપુરમાં તેમના પ્રાર્થના સ્થળોને સળગાવવા પર ચુપ ન રહ્યા હોત. પહેલા તેમણે ખ્રિસ્તીઓની બિનશરતી માફી માંગવી જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, કેરળ ભાજપના અધ્યક્ષ કે સુરેન્દ્રને રવિવારે (16 જૂન, 2024) આરોપ લગાવ્યો હતો કે કેરળ કોંગ્રેસ X હેન્ડલ ‘કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ’ અથવા ‘શહેરી નક્સલવાદીઓ’ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેમણે રાષ્ટ્રવાદી નેતાઓ પર અપમાનજનક પોસ્ટ્સ પોસ્ટ કર્યા પછી હવે પોપ અને ખ્રિસ્તી સમુદાયની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે.
આ તમામ નિવેદન આપ્યા બાદ કેરળ કોંગ્રેસે માફીનો ઉલ્લેખ કર્યો. પાર્ટીએ કહ્યું, “જો આ પોસ્ટથી ખ્રિસ્તીઓને કોઈ ભાવનાત્મક અથવા માનસિક પીડા થઈ હોય, તો અમે બિનશરતી માફી માંગીએ છીએ.” કેરળ કોંગ્રેસે રવિવારે એક X પોસ્ટ શેર કર્યા બાદ આ સમગ્ર મામલાની શરૂઆત થઈ હતી, તેમાં પીએમ મોદીની એક તસવીર સામેલ હતી, જેમાં તેઓ કેથોલિક ખ્રિસ્તીઓના સર્વોચ્ચ પાદરી પોપ સાથે વાતચીત કરી રહ્યા હતા.
![](https://i0.wp.com/gujarati.opindia.com/wp-content/uploads/sites/7/2024/06/INC-Kerala-Modi-pope-tweet.jpg?resize=696%2C904&ssl=1)
પોપ ફ્રાન્સિસ સાથેની નરેન્દ્ર મોદીની તસવીર કેરળ કોંગ્રેસ દ્વારા ઠેકડી ઉડાડતી પોસ્ટમાં મૂકવામાં આવી હતી અને તેમાં લખવામાં આવ્યું હતું કે, “આખરે, પોપને ભગવાનને મળવાનો મોકો મળી ગયો.” આ લખતી વખતે કોંગ્રેસ ભૂલી ગઈ કે તેણે પીએમ મોદીની તુલના જીસસ સાથે કરી હતી, કારણ કે પોપના ગોડ જીસસ છે.
પીએમ મોદી અને પોપની આ તસવીર હાલમાં જ સંપન્ન થયેલી G7 સમિટ દરમિયાન લેવામાં આવી હતી, જેમાં પીએમ નરેન્દ્ર મોદીને ભાગ લેવા માટે ઈટલી આમંત્રિત કરવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, કારણ કે તેમને AIના પક્ષ અને વિપક્ષ વિષે વાત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.