Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોહમ્મદ ઝુબૈરને આવેલો રેલો મોટો થયો, હિન્દુફોબીક ઓલ્ટ ન્યુઝના સહ-સંસ્થાપકે 1 દિવસમાં...

    મોહમ્મદ ઝુબૈરને આવેલો રેલો મોટો થયો, હિન્દુફોબીક ઓલ્ટ ન્યુઝના સહ-સંસ્થાપકે 1 દિવસમાં 28 ટ્વિટ ડિલીટ કરી

    ઓલ્ટ ન્યૂઝના સહસ્થાપક અને નુપુર શર્માની ટિપ્પણીને એકતરફી બતાવીને દેશભરમાં હિંસક તોફાનો કરાવવાનો જેના પર આરોપ છે તેવા મોહમ્મદ ઝુબેરે ફટાફટ પોતાની હિંદુ દ્વેષી ટ્વિટ ડિલીટ કરી દીધી છે.

    - Advertisement -

    ઓલ્ટ ન્યુઝના (ALT News) મોહમ્મદ ઝુબૈરને આવેલો રેલો મોટો થયો હોય તેવું લાગી રહ્યું છે, તેણે એકજ દિવસમાં પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક સાથે 28 ટ્વિટ ડિલીટ કરી છે. મોહમ્મદ ઝુબૈર ઓલ્ટ ન્યૂઝનો સહ-સંસ્થાપક છે, જે ‘FactCheck’ ના નામે પ્રોપગેંડા વેબસાઈટ ચલાવે છે, ઝુબૈરે પોતાના હેન્ડલ પર આ ફેરફાર એવા સમયે કર્યો છે જ્યારે તેની હિન્દુફોબિક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમ મોહમ્મદ ઝુબૈરને આવેલો રેલો હવે મોટો થતો નજરે પડે છે.

    આ બાબતે ધ હોક આઈએ મોહમ્મદ ઝુબેરની (Mohammed Zubair) ટ્વિટર એક્ટિવિટી વિશે ટ્વિટ કર્યું હતું. ધ હોક આઈએ પોતાના ટ્વિટમાં દર્શાવ્યું છે કે સરેરાશ 44 ટ્વિટ કરનારા ઝુબૈર હવે દિવસમાં માત્ર 2 ટ્વિટ કરે છે. ટ્વીટમાં દેખાતો ગ્રાફ દર્શાવે છે કે 20 જૂને ઝુબૈરે તેના એકાઉન્ટમાંથી 28 ટ્વીટ ડિલીટ કરી હતી.

    જ્યારે OpIndiaએ આ દાવાને ક્રોસ-ચેક કર્યો, ત્યારે જાણવા મળ્યું કે ઝુબેરના એકાઉન્ટમાંથી ખરેખર 28 ટ્વીટ્સ ગાયબ છે. વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે કેટલાક નેટીઝન્સ પાસે ઝુબેરની જૂની ટ્વિટ હતી જેને તેણે પોતાના ટ્વિટર પરથી ડિલીટ કરી દીધી છે. સ્વાભાવિક છે કે આ તમામ ટ્વીટમાં હિંદુ દ્વેષની ભરમાર હતી.

    - Advertisement -
    સાભાર Opindia Hindi

    હવે એ સ્પષ્ટ નથી થયું કે તે તમામ ટ્વીટ કયા હતા જે ઝુબૈરે 20 જૂને હટાવ્યા હતા. પરંતુ અમને મળેલા એક ટ્વિટમાં, તે નકલી ફેસબુક પેજ બનાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સમર્થકોને નિશાન બનાવવાને યોગ્ય ઠેરવે છે. નીચે તે પોસ્ટનો સ્ક્રીનશોટ જોઈ શકાય છે.

    સાભાર Opindia Hindi

    ગત તારીખ 13-14 જૂનના રોજ ઘણા નેટીઝન્સે ઝુબેરની કેટલીક પોસ્ટ જોઈ અને તેના પર હિન્દુ દેવી-દેવતાઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. પોતાની જૂની પોસ્ટને કારણે સતત ટ્રોલ થયા બાદ ઝુબૈરે પોતાનું ફેસબુક ડિલીટ પણ કરી દીધું હતું. તેની જૂની પોસ્ટમાં ભગવાન શ્રી રામથી માંડીને શિવલિંગ સુદ્ધાની મજાક કરવામાં આવી હતી.

    ધ હોક આઈ દ્વારા ઝુબેરના ફેસબુક ડિલીટની જાણ પણ અગાઉ કરવામાં આવી હતી. ઝુબૈરની ઘણી પોસ્ટના સ્ક્રીનશોટ શેર કરતા તેણે લખ્યું, “બીજાના ભગવાન, ધર્મ, સંસ્કૃતિ અને શાસ્ત્રોની મજાક ઉડાવવી સરળ છે, કારણ કે તેનો કોઈ અંત નથી. વિડંબના એ છે કે આ ટ્વીટ એ જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું જેણે એક એવી ઘટનાને અંજામ આપ્યો હતો જેણે સમગ્ર રાષ્ટ્રને ખલેલ પહોંચાડી હતી અને હિંસક વિનાશ હજુ પણ ચાલુ છે.”

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મહોમ્મદ ઝુબૈરને સજા કરવાની અને ઓલ્ટ ન્યુઝને પ્રતિબંધિત કરવાની માંગ વાળા ટેગ્સ ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા, ઝુબીર જે પ્રમાણે પોતાના ફેસબુક અકાઉન્ટ અને ટ્વીટ ડીલીટ કરી રહ્યો છે તે પરથી સમજી શકાય છે કે તેણે જે કૃત્યો કાર્ય હતા તે તેણે જાણી જોઇને કાર્ય હતા. અને હવે તેની પાસે બધું સમાપ્ત કરીને ભાગી છુટવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં