Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ યુવક સાથે પરણેલી મુસ્લિમ યુવતીના ઘરવાળાઓએ કુબેર ભવન માથે લીધું: વડોદરાનો...

    હિંદુ યુવક સાથે પરણેલી મુસ્લિમ યુવતીના ઘરવાળાઓએ કુબેર ભવન માથે લીધું: વડોદરાનો કિસ્સો આંતરધર્મી લગ્નનો કિસ્સો, યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ

    મુસ્લિમ યુવતી અને હિંદુ યુવક બંને પુખ્તવયના હોવાથી રાવપુરા પોલીસ તેમને સુરક્ષા પુરી પાડવા માટે આવી હતી અને તેઓ આ યુગલને ભીડથી બચાવીને 9મા મળે લઇ ગયા હતા. મુસ્લિમ ભીડમાંના કેટલાક લોકોએ તેમનો નવમા માળ સુધી પીછો પણ કર્યો હતો.

    - Advertisement -

    થોડા દિવસો પહેલા વડોદરામાંથી એક મુસ્લિમ યુવતી અને હિંદુ યુવક ભાગી ગયા હતા. હવે જયારે તેઓ પોતાના લગ્નનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવા કુબેર ભવન ખાતે પહોંચ્યા, તો ત્યાં યુવતીના ઘરવાળાઓ મોટી સંખ્યામાં મુસ્લિમ ટોળાને લઈને હાજર હતા અને તેમણે ખુબ તોફાન મચાવ્યું હતું.

    દેશગુજરાતના અહેવાલ મુજબ આ યુવતીના ગાયબ થવાની ફરિયાદ તેના પરિવારજનોએ પહેલાથી કરજણ પોલીસ સ્ટેશનમાં લખાવેલી હતી. ફરિયાદ મુજબ વડોદરામાં રહેતા યુવતીના પરિવારજનોને પહેલાથી હિંદુ યુવક સાથે તેના સંબંધ હતા તેની જાણ હતી. આ મુસ્લિમ યુવતી અને હિંદુ યુવક બંને છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ હતા.

    જયારે યુવતીના પરિવારજનોને ધ્યાનમાં આવ્યું કે આ યુગલ કુબેર ભવન ખાતે લગ્નનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવા આવવાનું છે ત્યારે તેઓ પહેલેથી મુસ્લિમ ભીડ સાથે છઠ્ઠા મળે એકઠા થઇ ગયા હતા.

    - Advertisement -

    મુસ્લિમ યુવતી અને હિંદુ યુવક બંને પુખ્તવયના હોવાથી રાવપુરા પોલીસ તેમને સુરક્ષા પુરી પાડવા માટે આવી હતી અને તેઓ આ યુગલને ભીડથી બચાવીને 9મા મળે લઇ ગયા હતા. મુસ્લિમ ભીડમાંના કેટલાક લોકોએ તેમનો નવમા માળ સુધી પીછો પણ કર્યો હતો.

    બાદમાં કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાયબ થવાના કેસ બાબતે યુવતીનો જવાબ લેવા માટે વડોદરા જિલ્લા પોલીસની એક ટુકડી પણ છઠ્ઠા માળે પહોંચી હતી. જ્યાં મુસ્લિમ ટોળાએ મોદી સાંજ સુધી ખુબ ધમાલ મચાવી હતી. આખરે તે યુવતીને પોલીસ દ્વારા નારી સંરક્ષણ ગૃહ કહતે મોકલી આપવામાં આવી હતી.

    જામનગરમાં પણ આંતરધર્મી લગ્ન બાબતે થઇ ચુકી છે ધમાલ

    આ પહેલા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હસથલ ગામે આ જ પ્રકારનો આંતરધર્મી લગ્નનો કિસ્સો સામે આવ્યો હતો. અહીં મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર હિંદુ યુવકના પિતા અને બહેનને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો અને તેમના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

    પીડિત કિશોર કારસરિયાનો પુત્ર હિરેન અને યુસુફ નોઈડાની પુત્રી મુસ્કાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરીને ભાગી ગયા હતા. આ દંપતી રાજકોટ શહેરમાં પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યા હતા. જોકે, મુસ્કાનના પરિવારને આ વાત ગમી નહોતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં