પહલગામ આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કૅબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠકમાં અનેક મોટા અને મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણયો વિશે વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસરીએ મીડિયાને જાણકારી આપી હતી.
વિદેશ સચિવે જણાવ્યા અનુસાર પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ CCSની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
#WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, "Recognising the seriousness of this terrorist attack, the Cabinet Committee on Security (CCS) decided upon the following measures- The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan… pic.twitter.com/PxEPrrK1G8
— ANI (@ANI) April 23, 2025
–સિંધુ જળ સમજૂતી પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી.
–અટારી સરહદ પર ચેક પોસ્ટ બંધ કરવામાં આવી. જેઓ પરવાનગી લઈને આવ્યા હતા તેઓ 1 મે પહેલાં દેશ છોડે તે માટેના આદેશ.
–SAARC વિઝા એક્સેમ્પશન સ્કીમ હેઠળ પાકિસ્તાની નાગરિકોને ભારતમાં આવવાની પરવાનગી નહીં અપાય. આ પ્રકારના વિઝા જે ભૂતકાળમાં મંજૂર કરવામાં આવ્યા હોય તે પણ રદ કરવામાં આવશે. હાલ આ વિઝા હેઠળ જે પાકિસ્તાનીઓ ભારતમાં છે, તેમને 48 કલાકમાં દેશ છોડવા માટે આદેશ.
–ભારતમાં પાકિસ્તાની ઉચ્ચાયોગ બંધ કરવામાં આવશે.
–નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈકમિશનમાં સક્રિય રક્ષા, સેના, નેવી અને વાયુસેના સલાહકારોને પરસોના નોન ગ્રાટા ઘોષિત કરવામાં આવ્યા, એક અઠવાડિયામાં ભારત છોડવાનો આદેશ
–ભારત પાકિસ્તાન સ્થિત હાઈકમિશનમાંથી પોતાના રક્ષા, સેના, વાયુસેના સલાહકારોને પરત બોલાવશે. તેમના પાંચ સપોર્ટ સ્ટાફ પણ પરત બોલાવાશે. આ પદોને રદ જાહેર કરવામાં આવ્યાં.
–હાઈકમિશનની કુલ ક્ષમતા 55થી 30 કરી દેવામાં આવશે.