પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક તારણ એવું છે કે આગ સિલિન્ડર બ્લાસ્ટના કારણે લાગી હતી. જોકે, હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
કુંભમાં સેક્ટર 19ના અમુક તંબૂઓમાં આગ લાગી ગઈ હતી. જોકે, તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તાજા જાણકારી અનુસાર, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
#UPDATE | Prayagraj, Uttar Pradesh: The fire that broke out in #MahaKumbhMela2025 has been brought under control, say Police https://t.co/qs1FCZNupM
— ANI (@ANI) January 19, 2025
સોશિયલ મીડિયા પર અમુક વિડીયો સામે આવ્યા છે, જેમાં અમુક તંબૂઓ સળગતા જોવા મળે છે. ફાયર વિભાગના કર્મચારીઓ આગ ઓલવવાના પ્રયાસ કરતા જોવા મળે છે. ડ્રોન તસવીરોમાં કુંભ ક્ષેત્રના એક વિસ્તારમાંથી કાળો ધુમાડો નીકળતો જોવા મળે છે.
प्रयागराज महाकुंभ मेला क्षेत्र में आग लगने की जानकारी सामने आ रही है. बताया जा रहा है कि महाकुंभ मेला क्षेत्र के शास्त्री ब्रिज सेक्टर-19 कैंप में भीषण आग लगी गई. आग लगने की सूचना मिलने के बाद मौके पर फायर बिग्रेड की कई गाड़ियां पहुंच गई हैं.#Prayagraj #Mahakumbh2025 #Fire pic.twitter.com/IifErBDs8h
— AajTak (@aajtak) January 19, 2025
સદભાગ્યે ઘટનાના કારણે કોઈને ઈજા પહોંચી હોવાનું કે હતાહત થયાનું જાણવા મળ્યું નથી. ઘટના બાદ તુરંત પ્રશાસને બેરિકેડિંગ કરી દીધું હતું અને લોકોને વિસ્તારમાં જતા અટકાવી દેવામાં આવ્યા હતા.
VIDEO | Maha Kumbh fire: "Two-three cylinders exploded in Sector 19 of the Maha Kumbh Mela, causing a massive fire in the camps. The fire has been controlled. All people are safe, and no one has been injured. An investigation will be conducted," says ADG Bhanu Bhaskar.
— Press Trust of India (@PTI_News) January 19, 2025
STORY |… pic.twitter.com/1YaBardBat
ઘટનાને લઈને ADG બહાનું ભાસ્કરે ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે, “બે-ત્રણ સિલિન્ડર ફાટવાના કારણે મહાકુંભ મેળાના સેક્ટર 19માં આગ લાગી ગઈ હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તમામ લોકો સુરક્ષિત છે. કોઈને ઈજા પહોંચી નથી. આ મામલે તપાસ કરવામાં આવશે.”