
આમ આદમી પાર્ટીએ પાર્ટી નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી હટાવી દીધા છે. ગુરુવારે (2 એપ્રિલ) આ જાણકારી સામે આવી.
પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને એક પત્ર લખીને રાઘવ ચઢ્ઢાને પાર્ટીના ઉપનેતા પદેથી હટાવવા માટે જણાવ્યું હોવાનું ન્યૂઝ એજન્સીના અહેવાલ મારફતે જાણવા મળ્યું છે. એટલું જ નહીં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાઘવને આમ આદમી પાર્ટીના ક્વોટામાંથી રાજ્યસભામાં બોલવા માટે સમય ફાળવવામાં ન આવે.
STORY | AAP writes to Rajya Sabha secretariat to remove Raghav Chadha as deputy leader: Sources
— Press Trust of India (@PTI_News) April 2, 2026
The Aam Aadmi Party (AAP) has written to the Rajya Sabha secretariat seeking the removal of Raghav Chadha as the party's deputy leader in the House, sources said on Thursday.
Rajya… pic.twitter.com/FGToXffggC
હાલ આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભામાં દસ સાંસદો છે. જેમાંથી ત્રણ દિલ્હીથી અને સાત પંજાબથી છે.
પાર્ટીએ રાઘવના સ્થાને અશોક મિત્તલને નવા ઉપનેતા નિમવા માટે રાજ્યસભાને ભલામણ મોકલી છે.
આ મામલે પાર્ટી કે રાઘવ ચઢ્ઢા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

