Wednesday, May 22, 2024
More
    Home Blog Page 943

    ખ્રિસ્તી મશીનરીઓ દ્વારા પંજાબના ઝીરકપુરમાં ‘સત્સંગ’નું આયોજન : બળજબરીથી ધર્મપરિવર્તન માટેનો કાર્યક્રમ યોજાતા સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

    ગત 21 મેના રોજ પંજાબ રાજ્યના મોહાલી જિલ્લામાં આવેલ ધકોલી ખાતે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા એક બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્રિસ્તી મશીનરીઓ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો હિંદુ સંગઠનો અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ વિરોધ કરતા આરોપ લગાવ્યો કે મિશનરીઓ દ્વારા લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. 

    મિશનરીઓનો સંદિગ્ધ કાર્યક્રમ 

    આ બે દિવસીય કાર્યક્ર્મ 21 મેના રોજ સાંજે પાંચ વાગ્યે શરૂ થયો હતો. ચર્ચ ગ્રુપના સભ્યોએ કોમ્યુનિટી હોલની બહાર એકઠા થઈને લાઉડસ્પીકર ઉપર જાહેરાત કરીને ગ્રીન સિટી, મમતા એન્કલેવ અને લક્ષ્મી એન્કલેવમાંથી (ત્રણેય સ્થાનિક વિસ્તારો) લોકોને આવવા માટે અને ‘ઈશુ ખ્રિસ્તના ચમત્કારો’નો અનુભવ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

    જોકે, જાહેરાત બાદ પણ સ્થાનિક વિસ્તારમાંથી કોઈ તેમની વાતો સાંભળવા ન આવ્યું ત્યારે ચર્ચ ગ્રુપના સભ્યોએ ખ્રિસ્તી ધર્મના વખાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. જે બાદ એક સ્થાનિક વ્યક્તિ શ્લોક અગ્રવાલે જઈને કાર્યક્રમ બંધ કરવા માટે કહ્યું હતું. તેમણે ચર્ચ ગ્રુપના સભ્યોને અવાજ ઘટાડવા માટે કહ્યું હતું પરંતુ તેમાંથી કોઈએ ધ્યાન આપ્યું ન હતું. જે બાદ તેમની સાથે અન્ય સ્થાનિકોએ પણ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. 

    રિપોર્ટ અનુસાર, કાર્યક્રમ દરમિયાન ચર્ચ ગ્રુપના વક્તાઓએ દાવો કર્યો હતો કે તેમની સાથે જોડાનાર વ્યક્તિ તમામ નાણાકીય અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓમાંથી મુક્ત થઇ જશે. વક્તાએ કહ્યું કે, “ઈશુ મસીહ તમને આશીર્વાદ આપશે અને તમારી તમામ સમસ્યાઓ દૂર કરશે. જો તમારામાંથી કોઈ આર્થિક કે સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યું હોય તો આવો અને ઈશુ મસીહના આશીર્વાદ લો.“

    બીજા દિવસે પોલીસની હાજરીમાં કાર્યક્રમ થયો 

    પહેલા દિવસે સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હોવાથી બીજા દિવસે ચર્ચ ગ્રુપના સભ્યો પોલીસ સુરક્ષા સાથે આવ્યા હતા. જોકે, હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકોએ બીજા દિવસે પણ વિરોધ કર્યો અને પોલીસ અધિકારીઓ સામે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

    વિરોધ કરનારા હિંદુઓને અધર્મી કહેવાયા 

    જયારે વિરોધ કરતા સ્થાનિક લોકોએ મિશનરી કાર્યક્રમ વિરુદ્ધ જય શ્રીરામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા ત્યારે મંચ પરથી સંબોધિત કરનારાઓએ આ નારા લગાવનાર હિંદુઓને અધર્મી કહ્યા હતા. તેમણે સ્ટેજ પરથી કહ્યું કે, ધર્મનું પાલન કરતા વ્યક્તિને અમારા કાર્યક્રમથી કોઈ સમસ્યા નહીં થાય. કોઈ અધર્મી વ્યક્તિ જ આવા કાર્યક્રમનો વિરોધ કરી શકે.”

    બહારથી લોકોને કાર્યક્રમમાં બોલાવાયા 

    સ્થાનિકો દ્વારા વાંધો ઉઠાવતા કહેવામાં આવ્યું કે, ખ્રિસ્તી મિશનરીઓના આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો બેઠા જ ન હતા. સ્થાનિકોનો આરોપ છે કે ત્યાં બેઠેલો એક પણ વ્યક્તિ સ્થાનિક ન હતો અને તમામને બહારથી બોલાવવામાં આવ્યા હતા. ધર્મ જાગરણ સમન્વયના રાજ્ય પ્રમુખ મહેન્દ્ર કુમારે કહ્યું કે, “આ અમારા વિસ્તારની સુરક્ષા માટે જોખમ છે. તેમના કારણે કંઈ પણ બને તો તે માટે જવાબદાર કોણ હશે?”

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સોશિયલ મીડિયા સંયોજક શ્લોક અગ્રવાલે કહ્યું કે, “મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે તેમને આ પ્રકારનો કાર્યક્રમ યોજવાની પરવાનગી કેવી રીતે મળી ગઈ? ત્યાં બેઠેલો એક પણ વ્યક્તિ સ્થાનિક ન હતો. તેઓ આ વિસ્તારના લોકોને ધર્મપરિવર્તન માટે લલચાવી રહ્યા છે. આ આખા પંજાબમાં થઇ રહ્યું છે. અમે આવું શક્ય નહીં બનવા દઈએ.”

    ‘પૈસાની લાલચ આપીને લોકોને ધર્માંતરિત કરાવવા એ અયોગ્ય અને અનૈતિક છે’

    પંજાબ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શ્લોક અગ્રવાલે આગળ કહ્યું, “અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે હું અહીં આવ્યો હતો. અમારા માથે તિલક જોઈને તેમણે અમને ધમકાવ્યા હતા અને જતા રહેવા માટે કહ્યું હતું. અમે ધાર્યું ન હતું કે પોલીસ પણ તેમની સુરક્ષા માટે આવશે. તેમને ધર્મપરિવર્તન કરતા અટકાવવાને બદલે પોલીસ અમને રોકી રહી હતી. જ્યારે અમારા સ્થાનિક વિસ્તારમાં બહારના લોકો આવીને કોઈ પણ જાતના ડર વગર હિંદુઓનું ધર્માંતરણ કરાવવાના પ્રયત્નો કરી રહ્યા હોય તો અમને બોલવાનો અધિકાર નથી?”

    શ્લોક અગ્રવાલે વધુમાં ઉમેર્યું કે, “અમારા હિંદુ ભાઈ-બહેનોને ધર્મપરિવર્તન કરાવવાના પ્રયત્નો કરનારાઓને રોકવાની જગ્યાએ તંત્ર અમને અવાજ ઉઠાવતા રોકી રહ્યું છે. હું એ જ પૂછવા માંગુ છું કે આ બધું ક્યારે બંધ થશે?”

    પંજાબ RSS કાર્યકર્તા રાહુલ એન શર્માએ કહ્યું કે, “આ લોકો પૈસાની લાલચમાં ધર્માંતરણ જેવી બાબતોમાં સામેલ થાય છે. કોઈ પણ ધર્મમાં આ ખોટું છે. હું જઈને લોકોને કહું કે શાખામાં સામેલ થવા માટે હું તેમને એક હજાર રૂપિયા આપીશ, તો તેનો કેટલો વિરોધ થશે. પરંતુ અહીં કોઈ પણ સમસ્યા સમજવા માટે તૈયાર નથી. એ વાત અલગ છે જ્યારે લોકો પોતાની ઈચ્છાથી ધર્મ પરિવર્તન કરે છે, પણ કોઈને પૈસાની લાલચે ખ્રિસ્તી કે ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યા હોય તો તે અયોગ્ય અને અનૈતિક છે.”

    પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ સમસ્યા થઇ 

    બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે અને હાલ વિસ્તારના અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. સ્થળ પર હાજર ભાજપ નેતા નીતુ ખુરાનાએ કહ્યું કે, “મને આશ્ચર્ય છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે જાણવા છતાં એસડીએમે આ પ્રકારના કાર્યક્રમની પરવાનગી આપી હતી. આ લોકો ઉપદ્રવ કરી રહ્યા છે અને પોલીસ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી રહી નથી.”

    દરમ્યાન, કેટલાક વિદ્યાર્થીઓ પણ સ્થળ પર આવ્યા હતા અને પોલીસને લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરાવવા માટે અપીલ કરી હતી, પરંતુ તેમ પણ થયું ન હતું. જે બાદ પોલીસની આવી નિષ્ક્રિયતાથી નારાજ સ્થાનિક લોકોએ જયશ્રી રામ, ભારત માતા કી જય અને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. તેમણે પોલીસને ચેતવણી આપી હતી કે જો અવાજ ઓછો કરવામાં નહીં આવે તો તેઓ ધરણાં કરશે. જે બાદ લગભગ સાડા આઠ વાગ્યે પોલીસે ચર્ચ ગ્રુપને અવાજ ઓછો કરવા માટે કહ્યું હતું, અને કાર્યક્રમ નવ વાગ્યે પૂર્ણ થવાનો હતો. 

    ‘હિંમત હોય તો પંચકુલામાં કાર્યક્રમ કરી બતાવો’

    પંજાબ અને અન્ય રાજ્યોમાં ચર્ચ સમૂહ દ્વારા કથિત રીતે થઇ રહેલા ધર્માંતરણ જેવા મુદ્દાથી નારાજ એક સ્થાનિકે કહ્યું હતું કે, “તમારામાં હિંમત હોય તો પંચકુલા (હરિયાણા) જઈને આવો કાર્યક્રમ આયોજિત કરી બતાવો. સરહદ પાર જઈને આવા કાર્યક્રમો કરો. પંજાબમાં આ એક મોટી સમસ્યા બની ગઈ છે અને અધિકારીઓ પણ કંઈ કરી રહ્યા નથી. 

    અન્ય એક સ્થાનિકે કહ્યું કે, આ પ્રકારના ધર્માંતરણ કાર્યક્રમો ખુલ્લેઆમ ચાલી રહ્યા છે તેનું કારણ એ છે કે હિંદુઓ અવાજ ઉઠાવી રહ્યા નથી. તેમણે કહ્યું, “હવે હિંદુઓએ ધર્માંતરણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો તેઓ અકળાઈ ઉઠ્યા છે. હવે અમને રોકવા માટે પોલીસ બોલાવવામાં આવી છે. અમે હાર નહીં માનીએ, આ સ્વીકર્યા નથી અને અમે અમારા ભાઈ-બહેનોનું ધર્મપરિવર્તન નહીં થવા દઈએ.”

    ચર્ચ ગ્રુપ દ્વારા પોલીસ ટેગવાળી કાર વાપરવામાં આવી 

    જ્યારે કાર્યક્રમ સમાપ્ત થયો તો ચર્ચ સમૂહના સભ્યોને લેવા માટે એક કાર આવી હતી. સ્થાનિક લોકોને આશ્ચર્ય એ વાતનું થયું કે, ચંદીગઢના રજીસ્ટ્રેશનવાળી આ ગાડીના આગલા કાચ પર ‘પોલીસ’નું ટેગ લાગ્યું હતું. જે બાદ પંજાબના ઝીરકપૂરના સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ધર્માંતરણ કાર્યક્રમો માટે પોલીસ વાહનો શા માટે વાપરવામાં આવી રહ્યા છે. જે બાદ પોલીસે તેમને હટાવવાના પ્રયાસો કર્યા હતા.

    (સાભાર: RSS કાર્યકર્તા/પ્રશાંત)

    જે બાદ પોલીસે હેડકવાર્ટર સાથે સંપર્ક કરીને SHO હરદીપસિંહને આવીને હસ્તક્ષેપ કરવા માટે કહ્યું હતું. દરમ્યાન, ચર્ચ સમૂહની મહિલા સભ્યો અને ભાજપ નેતા નીતુ ખુરાના વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. ભાજપ મહિલા નેતા અન્ય સ્થાનિકો અને હિંદુ નેતાઓ સાથે કાર આગળ ઉભા રહી વિરોધ કરી રહ્યા હતા.

    ચર્ચ સમૂહના પુરુષ સભ્યો રસ્તો ખાલી ન કરાવી શક્યા ત્યારે મહિલા સભ્યોએ આગળ આવીને ભાજપ મહિલા નેતા સાથે ઝપાઝપી કરી હતી. જયારે નીતુ ખુરાનાએ તેમને ચેતવણી આપી તો તેમણે તેમને ધક્કો મારી હટાવવાના પ્રયાસો કર્યા હતા. જે બાદ પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. 

    સ્થાનિક SHOએ કહ્યું, આ સામાન્ય બાબત 

    જે બાદ SHO હરદીપસિંહ સ્થળ પર આવ્યા હતા અને બંને પક્ષો સાથે વાતચીત કરી હતી. શરૂઆતમાં તેમણે કાર સામે ઉભા રહેલા લોકોને એક તરફ ખસી જવાની વિનંતી કરીને કહ્યું કે પોલીસ સ્ટેશન દ્વારા ચલાન જારી કરવામાં આવશે. પરંતુ કોઈ ત્યાંથી ખસવા માટે તૈયાર ન હતું. 

    જે બાદ કેટલીક મિનિટોમાં એક અન્ય અધિકારી ચલાન લઈને આવ્યો હતો. જે બાદ જાણવા મળ્યું હતું કે, ધાર્મિક આયોજન માટે ઉપયોગમાં લેવામાં આવનાર કાર પર પોલીસ ટેગનો દુરુપયોગ કરવા બદલ ચલાન જારી કરવામાં આવ્યું હતું. આ મામલે ઑપઇન્ડિયા સાથે વાત કરતા, SHO હરદીપસિંહે જણાવ્યું કે, આ એક સામાન્ય બાબત હતી અને સમાધાન થઇ ગયું છે. SHO દ્વારા વાહન માલિક વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યા બાદ સ્થળ પર હાજર સ્થાનિક લોકો અને નેતાઓએ પોલીસનો આભાર માન્યો હતો.

    બહારના લોકો માટે કાર્યક્રમની પરવાનગી અપાવા મુદ્દે સવાલો ઉઠ્યા 

    મમતા એન્કલેવ, લક્ષ્મી એન્ક્લેવ અને ગ્રીન સિટીમાં રહેતા સ્થાનિક નિવાસીઓએ સ્થાનિક લોકોની ભાગીદારી ન હોવા છતાં આ પ્રકારના કાર્યક્રમો માટે ચર્ચ સમૂહને આપવામાં આવેલ અનુમતિ મામલે આપત્તિ વ્યક્ત કરી હતી. ત્રણેય સોસાયટીની સમિતિઓએ આયોજન માટે કોમ્યુનિટી હોલની પરવાનગી આપવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું. સામાન્ય રીતે આવા કાર્યક્રમો માટે સમિતિ પરવાનગી આપતી હોય છે પરંતુ ચર્ચ ગ્રુપે એસડીએમનો સંપર્ક કર્યો હતો. 

    સ્થાનિકો દ્વારા ઑપઇન્ડિયા સાથે શૅર કરવામાં આવેલ દસ્તાવેજોમાં ખ્રિસ્તી ગ્રુપના કાર્યક્રમનો ઉલ્લેખ ન હતો. ચર્ચ સમૂહ દ્વારા આપવામાં આવેલ આવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “અમે લક્ષ્મી એન્કલેવ, ઢકોલિ, ઝીરકપૂર ખાતે એક સત્સંગ આયોજિત કરી રહ્યા છે. જેથી તે માટે લાઉડસ્પીકરના ઉપયોગની પરવાનગી માંગવામાં આવે છે.”

    (સાભાર: RSS કાર્યકર/પ્રશાંત)

    આ ઉપરાંત, અનુમતિ પત્ર પર જે સરનામું આપવામાં આવ્યું હતું તે સોસાયટીની બહાર આવેલ શાંતિ એન્કલેવ નિવાસી રોબિન નામના વ્યક્તિનું હોવાનું જાણવા મળ્યું હતું. કોમ્યુનિટી હોલની આસપાસ રહેતા લોકોએ રોબિન નામના કોઈ વ્યક્તિએ આ પ્રકારની પરવાનગી માંગવા આવ્યા હોવાનું જાણમાં ન હોવાનું જણાવ્યું હતું. 

    ‘આ પ્રકારના ધર્માંતરણ બંધ થાય તે જરૂરી’

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા પંજાબ ઝીરકપુરથી મહેન્દ્ર કુમારે કહ્યું કે, આ લોકો ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા માટે ગરીબ હિંદુઓને શિક્ષણ, ધન અને ભોજનના નામે લલચાવે છે. આ પ્રકારના ધર્માંતરણ રોકવાની જવાબદારી રાજ્ય, સમાજ અને હિંદુ સંગઠનોની છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર અને સમાજ આ ધર્માંતરણ રોકવામાં નિષ્ફ્ળ રહ્યા છે. હિંદુ સંગઠનો આવી ધર્માંતરણ પ્રક્રિયાઓ રોકવા માટે મોટા સ્તરે કામ કરી રહ્યા છે.

    પંજાબ અને ધર્માંતરણની સમસ્યા 

    પંજાબ દેશમાં બળજબરીથી થતા ધર્માંતરણનું હોટસ્પોટ બનતું જઈ થયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં અનેક ચર્ચ ખૂલ્યા છે. આ સમૂહો લોકોને વધુ સારું જીવન અને બીમારીઓથી રાહત આપવાના વાયદા કરીને ધર્માંતરણ માટે ફોસલાવે છે. કથિત પ્રોફેટ બજીન્દર રાજ્યમાં ઉભરી આવેલા આવા સ્વયંકથિત ભગવાનોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 

    (ગુજરાતીમાં મેઘલસિંહ પરમાર દ્વારા અનુવાદિત થયેલો આ લેખ મૂળરૂપે અંગ્રેજીમાં અનુરાગ દ્વારા લખવામાં આવ્યો છે, જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ‘BC’ અમાનતુલ્લાહ ખાને દિલ્હી પોલીસ વિરુદ્ધ માનહાનિનો દાવો માંડ્યો, નોટિસ પાઠવી

    દિલ્હી પોલીસ દ્વારા ‘બેડ કેરેક્ટર’ (BC) જાહેર કરવામાં આવેલા દિલ્હીની આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન દ્વારા હવે દિલ્હી પોલીસ વિરુદ્ધ માનહાનિનો દાવો માંડવામાં આવ્યો છે. તેમણે ટ્વિટર મારફતે આ જાણકારી આપી હતી. 

    ટ્વિટમાં અમાનતુલ્લાહ ખાને કહ્યું કે, “પોલીસે મને એ જણાવવું જોઈએ કે મેં કઈ જમીન પર અતિક્રમણ કર્યું છે કે કઈ જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું છે? મેં ક્યાં તોફાનો ભડકાવ્યા છે? કે હું કઈ ગેંગનો ભાગ છું? આજે મેં દિલ્હી પોલીસને બદનક્ષીની નોટિસ પાઠવી છે. તેમણે ક્યાં માફી માંગવી પડશે ક્યાં વળતર ચૂકવવું પડશે. 

    અન્ય એક ટ્વિટમાં અમાનતુલ્લાહ ખાન કહે છે કે, “દિલ્હી પોલીસ સતત મને નિશાન બનાવી રહી છે. આ વખતે દિલ્હી પોલીસે મારા પરિવારને બદનામ કરવા સાથે પ્રતિષ્ઠાના અધિકાર અને સન્માન સાથે જીવવાના અધિકાર પર પણ હુમલો કર્યો છે. દિલ્હી પોલીસ કોઈ પણ જાતના પુરાવા વગર મનગઢત વાર્તાઓ ઘડી રહી છે.”

    15 પાનાંની નોટિસમાં અમાનતુલ્લાહ ખાનના વકીલે કહ્યું છે કે, “અમારા અસીલના ધ્યાનમાં આવ્યું છે કે ટ્વિટર પર સારા એવા ફોલોઅર્સ ધરાવતા અને કેન્દ્રમાં શાસન કરતી એક રાજનીતિક પાર્ટીના પ્રવક્તાએ પોતાના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું કે, ‘અમાનતુલ્લાહ ખાનને દિલ્હી પોલીસ દ્વારા BC જાહેર કરવામાં આવ્યા.’ સાથે તેમણે અમારા અસીલની તસવીરોવાળું એક ડોઝિયર પણ શૅર કર્યું હતું જેમાં SHO ના હસ્તાક્ષર પણ હતા.”

    નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “અમારા અસીલનું કથિત ડોઝિયર એક ગોપનીય દસ્તાવેજ છે, જે જનતા માટે નથી અને પંજાબ પોલીસ નિયમ 1934 અનુસાર, તે સાર્વજનિક કરવામાં આવવું જોઈએ નહીં.” આગળ કહેવામાં આવ્યું કે, “અમારા અસીલનું કથિત ડોઝિયર કોઈ વ્યક્તિ દ્વારા નહીં પરંતુ દિલ્હી પોલીસ દ્વારા લીક કરવામાં આવ્યું છે, જેમને ગોપનીયતા જાળવી રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેથી તે દિલ્હી પોલીસના ઔચિત્ય અને કામકાજ ઉપર પણ ગંભીર સવાલો પેદા કરે છે.”

    નોટિસમાં કહેવામાં આવ્યું કે, પોલીસના આ કાર્યથી અમાનતુલ્લાહ ખાનના મૌલિક અધિકારોનું હનન થયું છે. અમાનતુલ્લાહ દ્વારા પાઠવવામાં આવેલ નોટિસમાં આગળ જણાવવામાં આવ્યું કે, “જ્યારે પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે ત્યારે જાણે વ્યક્તિ અડધો મૃત પામે છે. સન્માન સુરક્ષિત રહે તે ખૂબ જરૂરી છે. અને તેથી જ તે બંધારણના અનુચ્છેદ 21નો અગત્યનો ભાગ છે. કોઈ પણ વ્યક્તિ એવું નહીં ઈચ્છે કે તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે, અને પ્રતિષ્ઠાને લોકપ્રિયતાને બદલે સન્માનના રૂપમાં જોવામાં આવે છે.”

    કથિત ઉત્પીડનના કારણે ઉદભવતી સંભવિત માનસિક સ્થિતિ અંગે જણાવતા અમાનતુલ્લાહ ખાને નોટિસમાં પોલીસને ધમકી આપતા કહ્યું કે, “આ કેસના ચિંતાજનક તથ્યો સમજી શકાય તેમ છે. અમારા અસીલને સ્પષ્ટ રીતે અપમાનિત કરવામાં આવ્યા છે અને જેનો ઉપચાર માનસિક આઘાતનું પણ કારણ બની શકે છે. એક વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિને અપાતી મનોવૈજ્ઞાનિક યાતનાઓ ટ્રોમા કે તેવી અન્ય સમસ્યાઓ કરતા પણ વધુ હાનિકારક સાબિત થઇ શકે છે. કોઈ પણ મનોવૈજ્ઞાનિક યાતનાઓ વધુ માનસિક પીડા આપે છે અને જીવનના કોઈ પણ તબક્કે તેના પરિણામો ભોગવવાં પડે છે.”

    નોટિસના અંતે માંગ કરતા કહેવામાં આવ્યું કે, દિલ્હી પોલીસ દ્વારા બિનશરતી માફી માંગવામાં આવે. તેમણે માંગ કરી છે કે ડોઝિયર અને હિસ્ટ્રી શીટ રદ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જો દિલ્હી પોલીસ આવું નહીં કરે તો અમાનતુલ્લાહ ખાને દસ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. 

    અહીં નોંધવું જરૂરી છે કે, અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન દિલ્હીના મદનપૂર વિસ્તારમાં થયેલ ઘર્ષણ બાદ ધરપકડ થયા બાદ અમાનતુલ્લાહ ખાનને દિલ્હી પોલીસ દ્વારા ‘બેડ કેરેક્ટર’ (BC) જાહેર કરવામાં આવ્યા હતા. 

    ખજુરાહો કાંડ: ભારતના રાજકારણમાં સામાન્ય બની ગયેલા રિસોર્ટ પોલિટીક્સના જનક એટલે શંકરસિંહ વાઘેલા

    શંકરસિંહ વાઘેલા યાદ આવવાનું કારણ એ કે થોડાં વર્ષો અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હવે સ્વર્ગસ્થ એવા અહમદ પટેલને હારતા બચાવવા માટે ગુજરાત કોંગ્રેસે પોતાના 44 ધારાસભ્યોને લઈને બેંગ્લોર પાસે આવેલા ઈગલટન રિસોર્ટમાં લઇ ગયાની ઘટના ખૂબ ચર્ચામાં આવી હતી. આ પહેલાં અને પછી પણ સત્તાકીય રાજકારણમાં આવતા ઉતાર-ચઢાવને પહોંચી વળવા માટે ધારાસભ્યોને વિવિધ રિસોર્ટ્સમાં લઇ જવામાં આવતા હોય છે. છેલ્લે આવી નોંધપાત્ર ઘટના મહારાષ્ટ્રની હાલની મહા વિકાસ આઘાડી સરકારની રચના અગાઉ જોવા મળી હતી.

    પરંતુ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અહમદ પટેલવાળી ઘટના કોઈ પહેલી કે નવી ઘટના નથી. અહમદ પટેલને જે તકલીફ શંકરસિંહ વાઘેલાએ તે વખતે આપી હતી તેજ તકલીફ આજથી બરોબર 27 વર્ષ અગાઉ આજે જે શંકરસિંહ વાઘેલાએ તે સમયે ભાજપની કરી હતી. આવો યાદ કરીએ દેશભરમાં વિધાનસભ્યોને એકઠા કરીને કોઈ રિસોર્ટ કે હોટલમાં પૂરી દેવાની સર્વપ્રથમ ઘટનાને જેણે ત્યારબાદ ભારતીય રાજકારણમાં પક્ષપલટો કરવા ઈચ્છતા વિધાનસભ્યોને રિસોર્ટમાં જલસા કરાવવાની પ્રથા ચાલુ કરી દીધી..

    1992માં વિવાદાસ્પદ માળખું જેને કેટલાક લોકો બાબરી મસ્જીદ તરીકે ઓળખાવે છે તેના તૂટવાની ઘટના બન્યા બાદ ભાજપ તરફ ગુજરાતમાં જબરો જન પ્રતિસાદ વળ્યો અને 1995માં 121 બેઠકો સાથે ભાજપે સર્વપ્રથમ વખત એકલે હાથે ગુજરાતમાં સત્તા મેળવી. ભાજપે આટલી મોટી બહુમતી સાથે સત્તા તો મેળવી પરંતુ તેની તકલીફ સત્તા સંભાળ્યા અગાઉજ શરુ થઇ ગઈ હતી. ગાંધીનગરના ટાઉનહોલમાં વિધાનસભ્યોની પોતાના નેતા ચૂંટવાની બેઠક ભરાઈ તેમાં કેશુભાઈ પટેલને નેતા પસંદ કરાયા, પરંતુ શંકરસિંહ વાઘેલાને તેમજ તેમના સમર્થકોને એમ હતું કે તેઓ જ મુખ્યમંત્રી બનશે.

    વાઘેલાને એ સમયે એમપણ લાગ્યું હતું કે કેશુભાઈ અને તે સમયે ભાજપના જનરલ સેક્રેટરી નરેન્દ્ર મોદી જ એકલાહાથે નિર્ણયો લઇ રહ્યા છે અને મંત્રીમંડળમાં ‘પોતાના’ માણસો ગોઠવી રહ્યા છે.

    1995ના સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વ્યાપારિક રોકાણો મેળવવા કેશુભાઈ પટેલ અમેરિકા રવાના થયા અને અશોક ભટ્ટને કામચલાઉ ચાર્જ સોંપ્યો. અમેરિકા રવાના થતા અગાઉ કેશુભાઈએ વાઘેલાને પૂછ્યું કે તમને નરેન્દ્ર મોદી સાથે કોઈ તકલીફ છે? જેના જવાબમાં શંકરસિંહે એમ કહ્યું હોવાનું કહેવાય છે કે “મને તમારી સાથે પ્રોબ્લેમ છે અને તમે અમેરિકાથી પાછા આવશો ત્યારે મુખ્યમંત્રી ન પણ રહો એવું બની શકે છે.” કેશુભાઈ વાઘેલાનો સિગ્નલ સમજ્યા કે ન સમજ્યા અને અમેરિકાની યાત્રાએ ઉપડી ગયા પણ વાઘેલા તરતજ એક્શનમાં આવ્યા અને તેમને ટેકો આપતા કેટલાક ધારાસભ્યોને સૌથી પહેલીવાર પોતાના ગામ વાસણ લઇ ગયા. વાઘેલાએ તેમના ટેકેદાર ધારાસભ્યોને એમ જ કહ્યું હતું કે જો તમારે મારી સાથે રહેવું હોય તો આ સરકાર છોડવી પડશે.

    ધીમેધીમે કરતા લગભગ 55 ધારાસભ્યો વાઘેલાની સાથે થયા. વાસણથી આ તમામ ધારાસભ્યોને કોંગ્રેસના ટેકેદાર ગણાતા હરીભાઈ ચૌધરીના માણસા તાલુકામાં આવેલા ચારડા ગામમાં શિફ્ટ કરાયા અને અહીંથી મનસુખ વસાવા પાછલે બારણેથી ભાગી ગયા. વાઘેલાના કહેવા અનુસાર અહીં તેમના ધારાસભ્યો પર ભાજપના માણસોએ પથ્થરમારો પણ કર્યો હતો પરંતુ હરીભાઈના પત્ની ભીખીબેન અને બાકીના ગામવાસીઓએ આ લોકોને ત્યાંથી ભાગી જવાની ફરજ પાડી હતી.

    એ સમયે ગુજરાતના પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનું શાસન હતું અને તે ઉપરાંત સમર્થક ધારાસભ્યોને ગુજરાત બહાર લઇ જવા વાઘેલા દ્વારા દિલ્હીનો ઓપ્શન પણ વિચારવામાં આવ્યો હતો, પરંતુ છેવટે દિગ્વિજયસિંહનું રાજ ધરાવતા મધ્ય પ્રદેશ પર પસંદગીનો કળશ ઢોળાયો કારણકે તે વાઘેલાને તેમના ટેકેદારો માટે સૌથી સુરક્ષિત સ્થાન લાગ્યું હતું. ધારાસભ્યોને એક દિવસ બપોરે જ ખાસ વિમાનમાં ઉડાડવાના હતા પરંતુ તમામ ધારાસભ્યોને મનાવતા વાર લાગી એટલે સાંજ પડી ગઈ.

    સાંજે જ્યારે આ તમામ ધારાસભ્યોને લઈને અમદાવાદના એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે એરક્રાફ્ટના ટાયરોમાં પંક્ચર પડી ગયા હોવાના સમાચાર આવ્યા જેને વાઘેલા આજે પણ ગુજરાત સરકારનું કાવતરું જ ગણે છે. જ્યારે ટાયર સરખા થયા ત્યારે ખ્યાલ આવ્યો કે ખજુરાહો એરપોર્ટ પર રાત્રી લેન્ડીંગની કોઈજ વ્યવસ્થા નથી. છેવટે તે સમયના કેન્દ્રીય નગર ઉડ્ડયન મંત્રીને રિક્વેસ્ટ કરીને ખજુરાહોના રનવે પર ફાનસ મુકાવીને લેન્ડીંગની વ્યવસ્થા કરવામાં આવી. મોડી રાત્રે જ્યારે ટેકેદાર ધારાસભ્યો સાથે પ્લેન ઉડ્યું ત્યારે શંકરસિંહે રાહતનો શ્વાસ લીધો.

    આ ધારાસભ્યો સાથે શંકરસિંહ વાઘેલા ખુદ ન જતા ગાંધીનગર રોકાઈ ગયા હતા. ભાજપની ટોચની નેતાગીરીએ વાઘેલા સાથે ચર્ચા કરવા અટલ બિહારી વાજપેયી અને રાજસ્થાનના એકસમયના મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવતને મોકલ્યા. વાઘેલાએ આ બન્નેને સ્પષ્ટરીતે જણાવ્યું હતું કે સૌથી પહેલા નરેન્દ્રભાઈને ગુજરાત બહાર મોકલી દો. બીજીબાજુ માત્ર બે-ત્રણ દિવસના જ કપડાં લઈને ખજૂરાહોની સ્ટાર હોટલમાં ગયેલા ધારાસભ્યોને મનાવવા ખજૂરાહોના સાંસદ ઉમા ભારતી અને તે સમયના ભાજપના ઉપપ્રમુખ કુશાભાઉ ઠાકરે ગયા પરંતુ ખાલી હાથે પરત થયા.

    ખજૂરાહોની એ હોટલમાં ટાઈમપાસ કરવા માટે આ ધારાસભ્યો ટેબલ ટેનીસ રમતા, સ્વિમિંગ કરતા અને સંગીત સાંભળતા. એ સમયે કોઈજ મોબાઈલ ફોન ન હતા કે ચોવીસ કલાક ચાલતી કોઈ ન્યૂઝ ચેનલ પણ ન હતી અને આથીજ તેઓ બરાબર રિલેક્સ કરી શક્યા હોય એવું બની શકે. આજકાલ જે મોંઘા રિસોર્ટ્સમાં ધારાસભ્યોને ઉતારો આપવામાં આવે છે તેનું પ્રતિ દિવસનું ભાડું લાખોમાં થાય છે, જ્યારે એ સમયે ખજૂરાહોની એ હોટલનું ભાડું રોજનું પ્રતિ રૂમ બે થી અઢી હજાર હતું અને દરેક રૂમમાં બે ધારાસભ્યોને ઉતારો આપવામાં આવ્યો હતો.

    વાઘેલાના કહેવા અનુસાર એ સમયે આ આખો શો મેનેજ કરવા માટે લગભગ દસ લાખનો ખર્ચ થયો હતો. પાંચેક લાખ ચાર્ટર્ડ પ્લેનના અને બાકીના રૂમના ભાડા અને અન્ય ખર્ચમાં થયા હતા. અહીં ગાંધીનગરમાં વાજપેયી સાથે વાઘેલા મેરેથોન બેઠકો ચલાવી રહ્યા હતા અને છેવટે એક દિવસ ધારાસભ્યોને ત્રણ વાગ્યે કોલ ગયો અને છ વાગ્યે ગાંધીનગર પરત થવાનું કહેવાયું.

    સમાધાન એવું થયું કે શંકરસિંહ વાઘેલા અથવાતો કેશુભાઈ પટેલ આ બંનેમાંથી કોઇપણ મુખ્યમંત્રી નહીં બને પણ તેની સામે સુરેશ મહેતા અને કાશીરામ રાણાના ઓપ્શન્સ મુકવામાં આવ્યા. છેવટે સુરેશ મહેતા પસંદ થયા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેશુભાઈની જગ્યા તેમણે લીધી. પરંતુ વાત હજી અહીં જ પૂરી નહોતી થઇ. સુરેશ મહેતાના મંત્રીમંડળમાં વાઘેલાના છ મંત્રીઓ સામેલ જરૂર કરાયા પરંતુ તેમના કેમ્પમાં  હજીપણ અસંતોષ તો જળવાયેલો જ હતો. ભાજપમાં વાઘેલા અને તેમના સમર્થકોને અપમાનજનક નજરે જોવામાં આવતા હતા. એ સમયે ખજુરાહો ગયેલાઓ ‘ખજૂરિયા’, કેશુભાઈના સમર્થકોને ‘હજુરિયા’ અને જે પક્ષ માટે સંપૂર્ણપણે સમર્પિત હોય એમને ‘મજૂરિયા’ કહીને બોલાવવામાં આવતા હતા.

    1996માં અટલ બિહારી વાજપેયીના સન્માન માટે અમદાવાદના નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડીયમમાં યોજાયેલા સમારંભમાં આ હજૂરિયાઓ અને ખજૂરિયાઓ એકબીજા સામે હાથોહાથની લડાઈ પર આવી ગયા અને આ લડાઈ દરમિયાન શંકરસિંહ વાઘેલા સમર્થક અને સહકારક્ષેત્રમાં મોટું નામ ધરાવતા ધારાસભ્ય આત્મારામ પટેલનું ધોતિયું ખેંચવામાં આવ્યું અને ભાજપના એક અન્ય વરિષ્ઠ નેતા દત્તાજી ચિરંદાસ સળગી જતા બચી ગયા. શંકરસિંહ માટે આ ઉંટની પીઠ પર પડેલા છેલ્લા તણખલા સમાન હતું. 

    1996ની લોકસભા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા ગોધરાથી લડ્યા અને હારી ગયા. ભાજપે છેવટે તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિને લીધે પક્ષમાંથી હાંકી કાઢ્યા. વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJP) સ્થાપી અને કોંગ્રેસના સહકારથી ઓક્ટોબર 1996માં ગુજરાતમાં સરકાર બનાવી. વાઘેલાની આ ‘ટનાટન સરકાર’ માંડ એક વર્ષ પણ ચાલી ન ચાલી ત્યાં નવા જીલ્લાઓ બનાવવાના મામલે કોંગ્રેસ સાથે વાંકું પડ્યું અને દિલીપ પરીખને ગાદી સોંપીને તેમણે રાજીનામું આપ્યું. માર્ચ 1998માં પરીખે પણ વિધાનસભા વિખેરી નાખીને નવી ચૂંટણીઓ કરાવવાની સલાહ રાજ્યપાલને આપી.

    આ ચૂંટણીઓમાં વાઘેલાની RJPને માત્ર ચાર બેઠકો મળી અને તેમણે 1998ના અંત સુધીમાં વાઘેલાએ પોતાની પાર્ટીને કોંગ્રેસમાં ભેળવી દીધી. આ સમયે પણ વાઘેલાએ તેમના ટેકેદારોને પોતાની રાહ જાતે પસંદ કરવાનું કહ્યું હતું જેમ તેમણે આ વખતે પણ કોંગ્રેસ છોડતી વખતે કહ્યું છે. શંકરસિંહે સત્તા માટે ભાજપના ભાગલા પાડ્યા અને સત્તા ભોગવી, પણ જ્યારથી તેઓ કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા કે બાદમાં કોંગ્રેસમાં જોડાયા ત્યારથી ગુજરાતમાં અને હવે કેન્દ્રમાં પણ કોંગ્રેસ સત્તામાં નથી. ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ ખાનગીમાં વાઘેલાના ખજૂરાહો કાંડને શંકરસિંહે પોતાની રાજકીય કારકિર્દી જાતેજ સમાપ્ત કરવાનું પગલું હોવાનું આજે પણ કહે છે.

    ટીએમસી નેતા સાકેત ગોખલેનો ગેરમાર્ગે દોરતો દાવો- એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને કેન્દ્ર રાજ્યો પર બોજો નાંખી રહ્યું છે; જાણો શું છે સત્ય

    રવિવારે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પર કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. જે મામલે નાણામંત્રી નિર્મલા સીતારમને ટ્વિટર ઉપર સત્તાવાર જાહેરાત કરી હતી. આ મામલે તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલે દ્વારા ટ્વિટર ઉપર ટ્વિટ કરીને નાણામંત્રીના આ નિર્ણય અંગે ટિપ્પણી કરી ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી. 

    પોતાના ટ્વિટમાં નાણામંત્રીને ‘સ્પિન ડોક્ટર’ ગણાવીને સાકેત ગોખલેએ દાવો કર્યો કે સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારોના ખજાનાને નુકસાન થશે. ગોખલે અનુસાર, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો તેનો અર્થ એ થયો કે કેન્દ્ર અને રાજ્ય બંનેએ બોજો સહન કરવો પડશે અને જેના કારણે રાજ્યોને ઓછી એક્સાઈઝ ડ્યુટી મળશે.

    સાકેત ગોખલે અનુસાર, ઇંધણ પર લાગુ થતી એક્સાઈઝ ડ્યુટી પર રાજ્યોનો હિસ્સો 42 ટકા જેટલો છે. હવે ગઈકાલના ઘટાડા બાદ રાજ્યોને પેટ્રોલ પર 2.52 રૂપિયા/લિટર અને ડિઝલ પર 3.36 રૂપિયા લિટરનો માર પડશે.

    આ ઉપરાંત, ફેક ન્યૂઝ ફેલાવવા માટે જાણીતા સાકેત ગોખલેએ એવો પણ દાવો કર્યો કે નાણામંત્રીએ ઇંધણ પર લાગુ કરવામાં આવતા સેસ પર ઘટાડાની જાહેરાત નહતી કરી, જેનું વહન સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર કરે છે. 

    જોકે, પૂર્વ કોંગ્રેસ ટ્રોલથી ટીએમસી નેતા બનેલા સાકેત ગોખલેનો આ દાવો- જેમાં તેઓ કહે છે કે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી રાજ્યોની સરકારોને મળતી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો  કરશે, સંપૂર્ણપણે ખોટો છે.

    શું એક્સાઈઝ દરમાં ઘટાડાના કારણે રાજ્યોની ટેક્સની આવકમાં ફેર પડશે?

    આનો ટૂંકો જવાબ છે- ના. હવે જાણીએ કે કઈ રીતે કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તેનાથી રાજ્યોની ટેક્સ થકી થતી આવકમાં કોઈ ફેર પડશે નહીં. 

    દેશની કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન પર ટેક્સ લગાવે છે. જ્યારે રાજ્યો તેના વેચાણ પર ટેક્સ લાગુ કરે છે. કેન્દ્ર સરકાર હાલ પેટ્રોલ અને ડિઝલની વેચાણ કિંમત પર અનુક્રમે 31 ટકા અને 34 ટકા ટેક્સ લાગુ કરે છે. ઉપરાંત, પેટ્રોલ પર 4 ટકા અને ડિઝલ પર 3 ટકા ડીલર કમિશન હોય છે. આ ઉપરાંત, દેશની રાજ્ય સરકારો ઇંધણ પર VAT (Value added tax) લાગુ કરે છે, જે દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. 

    તદુપરાંત, સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીના બે પ્રકારો છે. એક બેઝિક એક્સાઈઝ ડ્યુટી અને બીજો પેટ્રોલ અને ડિઝલ પર લાગતો સેસ. કર હસ્તાંતરણ પ્રક્રિયા હેઠળ કેન્દ્ર સરકર પોતે લગાવેલા કરનો કેટલોક હિસ્સો રાજ્યો સાથે શૅર કરે છે. જ્યારે એક્સાઈઝ ડ્યુટીનો બાકીનો હિસ્સો અને સેસ પોતે ભોગવે છે. 

    આ ઉપરાંત, એડિશનલ એક્સાઈઝ ડ્યુટી પણ હોય છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ઘટતા ભાવના કારણે ઇંધણ કંપનીઓ મૂળ કિંમતમાં ઘટાડો કરે છે ત્યારે સમયે-સમયે કેન્દ્ર સરકાર એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાં ફેરફાર કરતી રહે છે. જોકે, પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ફન્ડિંગ માટે કેન્દ્ર સરકાર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરી તેને શૂન્ય કરી નાંખે છે.

    તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ ઘટાડો એક્સાઈઝ ડ્યુટીમાંથી નહીં પરંતુ એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાંથી કરવામાં આવ્યો છે, જેનો હિસ્સો રાજ્યો સાથે શૅર કરવામાં આવતો નથી. જેથી આ ઘટાડાનો સંપૂર્ણ બોજ કેન્દ્ર સરકાર પોતે જ વહન કરશે. 

    વધુમાં, સાકેત ગોખલેએ દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકારે માત્ર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને સેસમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ આ દાવો પણ ખોટો છે કારણ કે કેન્દ્ર સરકારના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ટેક્સ ઘટાડા બાદ સેસના દરોમાં પણ ઘટાડો થશે. જે પણ રાજ્યોને કર દ્વારા થતી આવક પર અસર કરશે નહીં.

    જોકે, કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કર્યા બાદ આવી જ ખોટી માહિતી કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પણ ફેલાવી હતી. જોકે, ત્યારબાદ કેન્દ્ર દ્વારા પરિપત્ર જારી થયો તે બાદ તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે ટેક્સ ઘટાડાનો સંપૂર્ણ બોજ કેન્દ્ર સરકાર જ વહન કરશે. 

    પી ચિદમ્બરમેં ટ્વિટ કરીને કહ્યું, “નાણામંત્રીએ એક્સાઈઝ ડ્યુટી શબ્દ વાપર્યો હતો, પરંતુ ઘટાડો એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાંથી કરવામાં આવશે, જે રાજ્ય સરકારો સાથે શૅર કરવામાં આવતી નથી. જેથી ગઈકાલે મેં જે કહ્યું હતું તેનાથી વિપરીત ટેક્સ ઘટાડાનો સંપૂર્ણ બોજો કેન્દ્ર સરકાર દ્વારા જ વહન કરવામાં આવશે. હું ભૂલ સુધારું છું.” તેમણે એમ પણ કહ્યું કે રાજ્યોની મૂળ આવક VAT પર આધારિત હોય છે અને એક્સાઈઝ ડ્યુટીમાં તેમનો હિસ્સો બહુ ઓછો હોય છે.

    જેથી સાકેત ગોખલે દ્વારા કરવામાં આવેલ દાવો તથ્યાત્મક રીતે ખોટો સાબિત થાય છે અને માહિતી પણ ખોટી હોવાનું જાણવા મળે છે. 

    જામનગર : વિકાસકાર્યોમાં અવરોધ ઉભો કરવા બદલ આમ આદમી પાર્ટીના નેતા સહિત 9ની ધરપકડ

    જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વીજળીના થાંભલા લગાવવાની કામગીરી રોકવા બદલ આમ આદમી પાર્ટીના નેતા સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ વિરુદ્ધ જેટકો કંપની દ્વારા લગાવવામાં આવતા વીજ થાંભલાની કામગીરીમાં અવરોધ પેદા કરવા બદલ ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. 

    ફરિયાદ બાદ જામનગરના સ્થાનિક આઈપીએસ અધિકારી નિધિ ઠાકુર અને કલ્યાણપુરના પીએસઆઈ એફબી ગગનિયાએ આમ આદમી પાર્ટીના નેતા નિન્દ્રેશ મદન બોચિયા અને અન્ય આઠ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. આ તમામ વિરુદ્ધ કંપનીના કામમાં ખલેલ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. તેઓ નિયમાનુસાર નક્કી કરેલ રકમથી વધુ વળતર માંગી રહ્યા હતા અને તેથી કામ બંધ કરાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા. 

    પોલીસે જણાવ્યું કે આમ આદમી પાર્ટીના નેતા સહિત આઠ લોકોની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવા માટેની કાર્યવાહી હાલ ચાલી રહી છે. 

    આ વર્ષના અંતમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરવા માટે મથી રહી છે. જોકે, હજુ સુધી પાર્ટીને ધારેલી સફળતા મળી શકી નથી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો જીત્યા સિવાય એકેય સ્થાનિક ચૂંટણીમાં પાર્ટી કમાલ કરી શકી ન હતી. ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ પાર્ટીએ માત્ર એક બેઠક મેળવીને સંતોષ માનવો પડ્યો હતો.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યની તમામ વિધાનસભા બેઠકોના મતદારો સુધી પહોંચવા માટે આમ આદમી પાર્ટીએ ગત 15 મેના રોજ પરિવર્તન યાત્રાની શરૂઆત કરાવી હતી. જોકે, કેટલાંક શહેરોમાં યોજવામાં આવેલ આ પરિવર્તન યાત્રાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વાયરલ થયેલા વિડીયોમાં રેલીમાં બહુ ઓછી ભીડ જોવા મળી હતી તો મોટાભાગના વાહનો પણ પંજાબથી મંગાવવામાં આવ્યા હતા. જેના કારણે સોશિયલ મીડિયા પર પાર્ટીની મજાક પણ બહુ ઉડાવાઈ હતી. 

    આમ આદમી પાર્ટની આ પરિવર્તન યાત્રાઓને ગુજરાતીઓ દ્વારા જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નહોતો. આમ આદમી પાર્ટી આ અગાઉથી જ જાણી ગઈ હોય એમ એમણે પહેલેથી જ યાત્રા માટે મોટી સંખ્યામાં પંજાબથી ગાડીઓ અને માણસોને બોલાવી રાખ્યા હતા. યાત્રામાં ક્યાંક રેલીમાં માણસો ન જોવા મળ્યા તો ક્યાંક સભાસ્થળ સૂમસામ દેખાયું હતું. આમ આદમી પાર્ટીના નેતા તથા પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવી રેલીમાં હાથ બતાવી બતાવીને થાકી ગયા પણ સામે કોઈ હાથ બતાવવાવાળું ભાસ્યું નહોતું.

    સુરત : હિંદુ દેવતા અંગે અભદ્ર પોસ્ટ કરનાર રફિક મન્સુરની ધરપકડ, શિવલિંગ મુદ્દે કરી હતી વિવાદિત ટિપ્પણી

    હાલ દેશભરમાં વારાણસી સ્થિત વિવાદિત માળખા જ્ઞાનવાપીમાંથી સરવે દરમિયાન શિવલિંગ મળી આવવાનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર ભગવાન શિવ અને હિંદુ ધર્મની મજાક ઉડાવતી અને લાગણી દુભાવતી પોસ્ટ પણ જોવા મળી હતી. દરમ્યાન, સુરતના માંડવીમાં એક મુસ્લિમ યુવક દ્વારા સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકતા આ મામલે ફરિયાદ થયા બાદ તેને સળિયા ગણતો કરી દેવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાની ફરિયાદ બાદ આરોપી મુસ્લિમ યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વરમાં મુનિર રફીક મન્સુર નામના એક યુવાને ગત 19 મેના રોજ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં એક બોટલમાં જામી ગયેલા બરફની તસ્વીર મૂકી હતી અને સાથે હિંદીમાં લખ્યું હતું કે, “બોટલ પાની ભરકર ફ્રિજ મેં રખા થા, ઔર ચમત્કાર હુઆ, બોટલ મેં શિવલિંગ બન ગયા. મેં ફ્રિજ કો જલ્દી હી બેચના ચાહતા હૂં, મુજે ડર હૈ કોઈ મૂર્ખ પ્રાણી ફ્રિજ પર અપના દાવા ન ઠોક દે. ક્યોંકિ હર ઉપર ઉઠી હુઈ ચીજ ભક્તો કો લિંગ લગતી હૈ.”

    આ સ્ટેટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિશ્વ હિંદુ પરિષદના યતિન ટેલરે માંડવી પોલીસ સ્ટેશન ખાતે રફિક મન્સુર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, “આરોપીએ હિંદુ ધર્મ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને હિંદુઓની લાગણી દુભાવી છે. તેમજ આવું સ્ટેટ્સ મૂકી હિંદુ દેવતા વિશે બીભત્સ લખાણ મૂકી હિંદુ ધર્મની ધાર્મિક લાગણી દુભાય અને દેશમાં જાહેર સુલેહ શાંતિ ડહોળાય તેવા પ્રયત્નો કર્યા છે.”

    ફરિયાદ બાદ માંડવીમાં પોલીસે કાર્યવાહી કરીને આરોપી મુસ્લિમ યુવકની ધરપકડ કરી લીધી હતી. હાલ આ મામલાની તપાસ માંડવી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.બી પટેલ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

    સમગ્ર બનાવ અંગે સુરત જિલ્લા બજરંગદળ સંયોજક ચિરાગભાઈ પૂજારીએ ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “તડકેશ્વરના એક મુસ્લિમ યુવાને હિંદુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ વોટ્સએપ પર મૂકી હતી. જે બાદ ત્યાંના સ્થાનિક વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ કાર્યકરોએ તેનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનમાં લઇ જઈ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ તે જેલમાં બંધ છે.”

    વડાપ્રધાન મોદી 200 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું કરશે લોકાર્પણ; 28 મેના રોજ સૌરાષ્ટ્રની જનતાને મળશે પટેલ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આરોગ્યલક્ષી ભેટ

    વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે જસદણ તાલુકાની પ્રથમ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ કે.ડી.પરવડીયા, ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભરત બોઘરાએ પટેલ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને રાજકોટ જિલ્લામાં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું.

    મળતી માહિતી મુજબ, હોસ્પિટલનો શિલાન્યાસ 2016 માં કરવામાં આવ્યો હતો. આ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ટૂંક સમયમાં જ નગરજનો સારવાર મેળવી શકશે. ભાજપે જાહેરાત કરી છે કે 200 પથારીની હોસ્પિટલનું 28 મેના રોજ વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે. પટેલ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટે, ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભરત બોઘરાની આગેવાની હેઠળના રાજકોટ જિલ્લામાં હોસ્પિટલની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું. હોસ્પિટલનો શિલાન્યાસ 2016 માં કરવામાં આવ્યો હતો.

    હોસ્પિટલની સ્થાપના માટે રૂ. 40 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું અને કાશીબેન દામજી પરવડિયા પરિવાર દ્વારા સૌથી વધું, રૂ. 7.51 કરોડનું દાન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલનું નામ પરિવારના નામ પરથી રાખવામાં આવ્યું છે કારણ કે તેઓએ હોસ્પિટલના નિર્માણમાં સૌથી મોટી રાશીનું દાન કર્યું હતું. કાશીબેનના પરિવારના દાનને કારણે જિલ્લાના સ્થાનિકોને હોસ્પિટલમાંથી ઉચ્ચ કક્ષાના આરોગ્યલક્ષી લાભો અને સારવાર મળી શકશે.

    તાજેતર માં જ મંગળવારે રાજકોટના સરકીટ હાઉસ ખાતે હોસ્પીટલના ઉદ્ઘાટન સમારોહ અંગે ચર્ચા-વિચારણા કરવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદો, નવ જિલ્લાના અધિકારીઓ અને રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન આખી બેઠકનું નેતૃત્વ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ કરી રહ્યા હતા. આ સાથેજ ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે 200 પથારીની હોસ્પિટલનું 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

    તમામ મેડીકલ સુવિધાઓથી સંપૂર્ણ સુસજ્જ આ હોસ્પિટલ નજીવા દરે આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડશે જેથી સમાજનો કોઈપણ વર્ગ આ હોસ્પીટલમાં સમાન સેવાઓ મેળવી શકે. વધુમાં, રાજ્ય સરકારની મુખ્ય મંત્રી અમૃતમ (MA) આરોગ્ય વીમા યોજના તેમજ કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) આરોગ્ય વીમા યોજના હેઠળ સારવાર મેળવતા દર્દીઓને પણ મફતમાં સારવાર મળશે. .

    ઉદ્ઘાટન સમારોહમાં કોવિડ-19 રોગચાળા પછી સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રથમ પ્રવાસ હશે. આ ઉપરાંત હોસ્પિટલના લોકાર્પણનો લાભ લેવા રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાંથી 3 લાખ લોકો ઉમટી પડશે.

    અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું- સ્ટાર્ટઅપની આગલી લહેર નાના શહેરોમાં જોવા મળશે, સરકાર એ દિશામાં કામ કરી રહી છે

    કેન્દ્રની મોદી સરકારમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર હાલ ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અહીં અમદાવાદ ખાતે તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન સ્ટાર્ટઅપ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને અન્ય બાબતો અંગે વિસ્તારથી ચર્ચા કરી હતી. 

    કેન્દ્રીય મંત્રીએ સ્ટાર્ટઅપનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હવે આગામી સમયમાં સ્ટાર્ટઅપની નવી લહેર ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં જોવા મળશે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે આગામી સમયમાં કેન્દ્ર સરકાર એક ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ હબ પ્રોગ્રામ પણ લૉન્ચ કરશે તેમજ કંપનીઓને ફંડ આપવા માટે એક ડિજિટલ ઇન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ ફંડની પણ સ્થાપના કરવામાં આવશે.

    ન્યૂઝ18 ના રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર અનુસાર છેલ્લા ત્રણ વર્ષોમાં એક લાખથી વધુ સ્ટાર્ટઅપ શરૂ થયા છે અને તેમાં 100 યુનિકોર્ન સામેલ છે. 

    કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 95 ટકા જેટલા યુનિકોર્ન બેંગ્લોર, હૈદરાબાદ, ગુરુગામ, પુણે, મુંબઈ અને ચેન્નાઇ જેવા શહેરોમાં જોવા મળ્યા છે. તેથી હવે સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે આગામી સ્ટાર્ટઅપ નાના શહેરોમાંથી શરૂ થાય. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર હવે નાના શહેરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે. 

    મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “આ વર્ષે મોટી ભારતીય કંપનીઓએ કેનેડા અને ઓસ્ટ્રેલિયામાંથી કર્મચારીઓને કામ પર રાખી રહી હતી. તેથી આવનાર દિવસોમાં કુશળ પ્રતિભાઓની માંગમાં હજુ વધારો થશે. ડિસેમ્બરમાં મને દુબઇ મોકલવામાં આવ્યો હતો. આજે યુએઈ ભારતમાંથી બ્લૂ કૉલર અને વ્હાઇટ કૉલર એમ બંને પ્રકારના કર્મચારીઓ ઈચ્છે છે.” 

    આ પહેલાં બેંગ્લોરમાં સેમીકૉન ઇન્ડિયા સમિટમાં એક ઇન્ટરવ્યૂમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને પૂછવામાં આવ્યું હતું કે ટિયર-1 શહેરો સિવાયના લોકો કઈ રીતે સરકારના આ ડિજિટલ ક્ષેત્રના અભિયાનનો હિસ્સો બની શકશે? 

    જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, “વડાપ્રધાને અમારા મંત્રાલયને આ જ મુખ્ય કાર્ય સોંપ્યું છે. મંત્રાલયને સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે, ડિજિટલ ક્ષેત્રોમાં જેટલી તકો બેંગ્લોર અને હૈદરાબાદના યુવાનોને મળે છે તેટલી જ તકો ગાઝિયાબાદ, ઝારખંડ, શ્રીનગર, કોહિમા કે ઉડુપીના યુવાનોને પણ મળે. તેમણે ઉમેર્યું હતું કે, અમારો નીતિગત ઉદ્દેશ્ય 100 ટકાનો છે. અમે નથી ઇચ્છતા કે માત્ર 4-5 શહેરો પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે.”

    જે બાદ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધીમે-ધીમે નાના શહેરો સુધી વિસ્તરી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, સૉફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ હબ્સનું એક મોટું નેટવર્ક નાના શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. 

    તેમણે કહ્યું હતું કે, અમે આ નાના શહેરોમાં વિકાસ માટે મોટી ટેક્નોલોજી કંપનીઓને પ્રોત્સાહિત કરવા અને ઉત્પાદન વધારવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. વર્ક ફ્રોમ હોમ અને હાઇબ્રિડ મોડલ જેવી વ્યવસ્થાઓને કારણે કંપનીઓએ આ સ્થળોએ પોતાના મોટાં કેન્દ્રો સ્થાપવાની પણ જરૂર રહેશે નહીં.

    TMCની સજા કબુલ-એ ઇસ્લામ : ભાજપના 2 કાર્યકરોને સજા રૂપે બળજબરીથી ઇસ્લામમાં ધર્મપરિવર્તન કરાવ્યું; હાઇકોર્ટે CBI,NIAને તપાસનો આદેશ આપ્યો

    TMCની સજા કબુલ-એ ઇસ્લામ, વાંચવામાં થોડું અજુગતું લાગે પણ આવી જ એક ઘટના પશ્ચિમ બંગાળમાં ઘટી છે. કોલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના માલદામાં બે મહિલાઓ દ્વારા તેમના પતિને વિરોધી પક્ષને સમર્થન આપવા બદલ સજા તરીકે બળજબરીથી ઈસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવવાના કેસમાં સીબીઆઈ અથવા એનઆઈએને તપાસ સોંપવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે રાજ્ય પોલીસને પણ તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

    પશ્ચિમ બંગાળમાં 2021ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના (TMC) ગુંડાઓએ રાજ્યમાં તેમનો ત્રાસ ફેલાવવાનું શરુ કરી દીધું છે. TMCના ગુંડાઓ રાજ્યમાં ભાજપના કાર્યકરોના હત્યા, બળાત્કાર અને તેમના ઘરોમાં આગચંપી કરી રહ્યા છે. આ કેસમાં પણ બે પીડિતો ભાજપના સમર્થક હોવાનું સામે આવ્યું હતું. સાથે કહેવાઈ રહ્યું છે કે જે રાજનીતિક દળના ગુંડાઓ ધર્માંતરણ કરાવી રહ્યા છે તે બધા જ TMC કાર્યકર્તા છે.

    ફરિયાદી મહિલાઓએ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને જણાવ્યું છે કે તેમના પતિ, સગા સબંધીઓ અને જિલ્લાના કાલિયાચક વિસ્તારના હિંદુ રહેવાસીઓને બળજબરીથી મુસ્લિમ બનાવવામાં આવ્યા છે. મહિલાઓએ કહ્યું કે તેમના પતિ વિધાનસભા ચૂંટણી દરમિયાન એક રાજકીય પક્ષ માટે કામ કરતા હતા અને જ્યારે તે પક્ષ ચૂંટણી હારી ગયો, તો વિરોધ પક્ષે તેને સજા આપવાના નામે મુસ્લિમ બનાવી દીધો.

    આ કિસ્સામાં બંને મહિલાઓ બહેનો છે અને સામે તેમના પતિ પણ બન્ને ભાઈઓ છે. તે બંને એક પાર્ટી માટે કામ કરતા હતા. વર્ષ 2021માં તે પાર્ટી વિધાનસભા ચૂંટણી હારી ગઈ હતી. મહિલાઓનો આરોપ છે કે તેમના પતિ 24 નવેમ્બર 2021થી ગુમ છે. આ અંગે તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ તેની ફરિયાદની અરજી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફાડી નાંખવામાં આવી હતી. આ સાથે જ મહિલાઓને કહેવામાં આવ્યું હતું કે તેમના પતિઓએ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો છે.

    તો બીજી તરફ, પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે પારિવારિક વિવાદોને કારણે બન્નેના પતિઓએ પોતાનું ઘર છોડી દીધું હતું અને પોતાની મરજીથી ઇસ્લામ કબૂલ કર્યો હતો. જે કારણોસર બંનેએ તેમના ઘરે પાછા જવાની ના પાડી હતી. વકીલે કોર્ટને કહ્યું કે ધર્મ પરિવર્તન પહેલા તેમના નામ ગૌરાંગ મંડલ અને બુધ્ધુ મંડળ હતા. હવે તેમની ઓળખ ગૌસલ આઝમ અને મોહમ્મદ ઈબ્રાહીમ તરીકેની છે. આ અંગે તેમણે કોર્ટ સમક્ષ બંનેના ધર્મ પરિવર્તનનું સોગંદનામું પણ રજૂ કર્યું હતું.

    આ મુદ્દે કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ રાજશેખર મંથાએ કહ્યું કે એફિડેવિટનું પુષ્ટિકરણ શા માટે અને કયા હેતુ માટે કરવામાં આવ્યું છે સ્પષ્ટ નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આ મામલામાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે પોલીસ દ્વારા હજુ સુધી એફઆઈઆર નોંધવાની બાકી છે અને ફરિયાદ મળ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

    કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ધર્માંતરણ સિવાય અન્ય આરોપો પણ છે. જેમાં બળજબરીથી ધર્માંતરણ, સીમાપારથી ઘૂસણખોરી, મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો અને નકલી ચલણનો સંગ્રહ, અપહરણ અને ધાકધમકીનો પણ સમાવેશ થાય છે. કોર્ટે કહ્યું કે આ આરોપો રિટ પિટિશનરોના દાવા સાથે સીધા સંબંધિત નથી, પરંતુ તેમના પતિના અપહરણ અને બળજબરીથી ધર્માંતરણ સાથે સંબંધિત છે.

    મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે માલદા જિલ્લાના એસપીને એફિડેવિટના રૂપમાં પોતાનો સ્વતંત્ર અને વિગતવાર અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જસ્ટિસ મંથાએ કહ્યું કે પોલીસે અરજદારોના જીવને જોખમને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષાની સમીક્ષા કરવી જોઈએ. આ મામલાની આગામી સુનાવણી 21 જૂને થશે.

    વર્ષ 2021માં ભાજપ વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા બાદ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ગુંડાઓ દ્વારા ચૂંટણી બાદ હિંસા કરવામાં આવી હતી. ભાજપના સેંકડો કાર્યકરોની હત્યા, બળાત્કાર અને ઘર છોડીને ભાગી જવાની ફરજ પાડવામાં આવી હતી. ટીએમસીના ગુંડાઓ દ્વારા રાજકીય વિરોધીઓ સામે સામૂહિક આગચંપી અને હિંસા એ TMC ગુંડાઓનો નિત્યક્રમ બની ગયો છે.

    સિદ્ધુ કેદી નંબર 241383, પહેલી રાતે જેલનું ભોજન ગળે ન ઉતર્યું, માત્ર દવા લીધીઃ પટિયાલા સેન્ટ્રલ જેલમાં નવજોત સિંહ સિદ્ધુને મળી નવી ઓળખ

    સિદ્ધુ કેદી નંબર 241383 , જી હા, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને પટિયાલા સેન્ટ્રલ જેલમાં નવી ઓળખ મળી છે. આ ઓળખ છે ‘કેદી નંબર 241383’. કોંગ્રેસના નેતા શુક્રવારે (20 મે 2022) 34 વર્ષ જૂના રોડ રેઝ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી એક વર્ષની સજા મેળવ્યા બાદ જેલમાં પહોંચ્યા હતા. જ્યાં સિદ્ધુ કેદી નંબર 241383 તરીકે ઓળખાશે.

    અહેવાલો અનુસાર, જેલમાં રહેલા તમામ કેદીઓને તેમના નંબર દ્વારા ઓળખવામાં આવે છે. જેમાં કોંગ્રેસ નેતા સિદ્ધુને ‘કેદી નંબર 241383’ની ઓળખ મળી છે. અહીં તેમને એક વર્ષની સખત કેદની સજા ભોગવવી પડશે. આ દરમિયાન તેમને દરરોજ કામ કરવાને બદલે 30 થી લઈને 90 રૂપિયા સુધીનું વેતન મળશે. અહીં તેને રહેવા માટે 10×15 ની બેરેક આપવામાં આવી છે, જેમાં પહેલાથી જ ચાર કેદીઓ સજા ભોગવી રહ્યા છે. જેમાંથી બે પૂર્વ પોલીસકર્મી અને બે સામાન્ય નાગરિક છે.

    સિદ્ધુએ શુક્રવારે (20 મે 2022)સાંજે આત્મસમર્પણ કર્યું હતું. તેને જેલમાં મોકલવામાં આવ્યા બાદ, જેલ મેન્યુઅલ મુજબ, તેમને સાંજે 7:15 વાગ્યે જમવાં માટે દાળ અને રોટલી આપવામાં આવી હતી. જોકે તેમણે જમ્યા વગરજ માત્ર દવા લીધી હતી. રિપોર્ટમાં જેલના એક અધિકારી મારફતે જણાવવામાં આવ્યું છે કે “જેલમાં તેમના માટે જમવાંની અલગ કોઈ ખાસ વ્યવસ્થા નથી. જો ડૉક્ટર કોઈ ખાસ ખોરાકની ભલામણ કરે, તો તેઓ જેલની કેન્ટીનમાંથી ખરીદી શકે છે અથવા તે જાતે બનાવી શકે છે.”

    કેદી નંબર 241383ને જેલમાં શું શું મળ્યું?

    જેલમાં સિદ્ધુને એક ખુરશી ટેબલ, કેદીઓના સફેદ કપડાં, એક કબાટ, 2 પાઘડી, એક ધાબળો, એક પલંગ, ત્રણ અન્ડરવેર અને વેસ્ટ, 2 ટુવાલ, એક મચ્છરદાની, નોટબુક અને પેન, 2 જોડી શૂઝ, 4 જોડી લેંઘા-જ્ભ્ભા અને 2 ઓછાળ આપવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, 1988ના એક રોડ રેઝ કેસમાં એક વૃદ્ધનું મોત થયું હતું. ચાર વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે આ કેસમાં ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા સિદ્ધુને 1000 રૂપિયાનો દંડ ફટકારીને નિર્દોષ જાહેર કર્યા હતા. રિપોર્ટ અનુસાર, આ કેસમાં મૃત્યુ પામેલા ગુરુનામ સિંહ નામના વૃદ્ધના પરિવારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય આવ્યો હતો જેમાં સિધ્ધુને 1 વર્ષની સખત કેદ ની સજા થઇ હતી.