Saturday, July 27, 2024
More
    Home Blog Page 944

    વિરાટ કોહલી વામન બને એ પહેલાં તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું શા માટે જરૂરી?; કપિલ, ગાવસ્કર અને અન્યો ખોટાં નથી

    દરેક ક્રિકેટર, ચાલો ક્રિકેટર છોડો, દરેક સ્પોર્ટ્સમેન કોઈને કોઈ સમયે ખરાબ ફોર્મમાંથી જરૂર પસાર થતો હોય છે.  જેમ આપણે સામાન્ય જીવનમાં પણ કહેતાં હોઈએ છીએ કે દરેકનો એક દાયકો ખરાબ જતો જ હોય છે. આજ રીતે વિરાટ કોહલી પણ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. ક્રિકેટ ફેન તરીકે આપણે એને જેટલો સપોર્ટ કરીએ એટલું ઓછું જ કહેવાય, અને કરી પણ રહ્યા છીએ પરંતુ અત્યારે એવા સ્થાન પર વિરાટ પહોંચી ગયો છે કે એણે ખુદે વિચારવું પડશે કે છેવટે એણે કરવું છે શું.

    એવું નથી કે વિરાટ કોહલી જેવું ખરાબ ફોર્મ કોઈનું નથી થયું. ભારતમાં સુનિલ ગાવસ્કરથી માંડીને સચિન તેંદુલકર, મહેન્દ્ર સિંઘ ધોની અને હવે વિરાટ કોહલી તમામ અત્યંત ખરાબ ફોર્મમાંથી પસાર થઇ ચુક્યા છે, પરંતુ સચિન, ધોની અને કોહલીની જેમ સોશિયલ મિડિયા અને મિડિયા આ બંનેના દબાણ હેઠળ બહુ ઓછા પસાર થયા છે. આ ઉપરાંત ગાવસ્કર અને કપિલની પેઢીને ટેસ્ટ અને વનડેથી વધુ રમવાનું ન હતું. ટેસ્ટ અને વનડે પણ આજની જેમ આટલી મોટી સંખ્યામાં નહોતી રમાતી.

    જ્યારે આજે ક્રિકેટ ફેન્સ અને સ્પોર્ટ્સ જર્નાલીસ્ટ્સ સતત જે-તે સમયના ‘મહાન’ ક્રિકેટર પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને તેમની દરેક મેચ બાદ પોતાનું વિશ્લેષણ આપતા રહ્યા છે. દરેક ભારતીય ક્રિકેટર આ વિશ્લેષણ પર નજર નાખતો હશે કે કેમ એ પ્રશ્ન છે પરંતુ ક્યાંકથી એને આ બાબતે સમાચાર તો જરૂર મળી જતા હોય છે. બીજું, આપણે ભારતીયો દરેક સારા બેટર પાસેથી દરેક મેચમાં સેન્ચુરી અને દરેક સારા બોલર પાસેથી દરેક મેચમાં પાંચ વિકેટની અપેક્ષા હંમેશ રાખતા હોઈએ છીએ. આથી આમાં થોડો નબળો દેખાવ થાય એટલે આપણને લાગે છે કે આ બેટર કે આ બોલર ફોર્મમાં નથી.

    આ તો થઇ ફેન્સની અને મિડીયાની વાત, પરંતુ જે ક્રિકેટર લાંબા સમય સુધી ક્રિકેટ રમ્યો હોય તેને તો જાતે જ ખ્યાલ આવી જતો હોય છે કે ભૂલ ક્યાં થાય છે અને એ ભૂલ સુધારવાના તમામ પ્રયાસો પણ કરતો હોય છે. તેમ છતાં જ્યારે ‘મહાન’ ક્રિકેટર ખરેખર આઉટ ઓફ ફોર્મ થઇ જાય ત્યારે તેના વિષે એક નહીં અનેક હકીકતો (એટલેકે ભૂલો) સામે આવે છે જેને કદાચ એ ક્રિકેટર ખુદ અથવાતો બોર્ડ અથવાતો સિલેક્ટર્સ અથવાતો તમામ અવગણવાનું શરુ કરી દેતા હોય છે, એમ વિચારીને કે બસ એક મેચ સારી રમાશે એટલે બધું જ ઠીક થઇ જશે કારણકે આ ઓલરેડી મહાન ખેલાડી છે.

    પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ અત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા એક કે બે નહીં પરંતુ ત્રણ વર્ષથી વિરાટ કોહલીએ જાણેકે ફોર્મમાં આવવાનું જ નથી એવો નિર્ણય કરી લીધો હોય એવું લાગે છે. જ્યારે પણ કોઈ ખેલાડીના ખરાબ ફોર્મની શરૂઆત થાય ત્યારે એમ લાગે કે અરે હમણાં ચાર કે પાંચ મેચ પહેલા તો બધું બરોબર હતું આ કામચલાઉ પરિસ્થિતિ છે અને જલ્દીથી એ રન બનાવવા લાગશે.

    ધીરેધીરે ઓછા રન કરવાવાળી મેચોની સંખ્યા વધતી જાય છે અને ખેલાડી પર મિડિયા અને સોશિયલ મિડિયા ઉપરાંત ખુદનું દબાણ પણ વધતું જાય છે. કદાચ આવી પરિસ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ, બોર્ડ કે સિલેક્ટર્સ વધુ દબાણ નહીં કરતા હોય પરંતુ જેમ અગાઉ વાત કરી તેમ મહાન ખેલાડીઓ પોતે જાણતા જ હોય છે કે જે થઇ રહ્યું છે એ બરોબર નથી થઇ રહ્યું અને મારે હવે ફોર્મમાં પરત આવવું જ પડશે. ટૂંકમાં કહીએ તો આ દબાણ પણ ખૂબ ભારે થતું જતું હોય છે અને છેવટે રન બનવા સાવ બંધ થઇ જાય છે અથવાતો નહીવત થઇ જાય છે.

    અગાઉ જણાવ્યું તેમ ફક્ત સેન્ચુરી ન કરવી એને જ ફોર્મમાં ન હોવું ન ગણી શકાય, પરંતુ સાતત્ય વિહોણો દેખાવ કોઇપણ ક્રિકેટર ફોર્મમાં નથી એ દર્શાવતું હોય છે. વિરાટ કોહલીએ બે-અઢી વર્ષથી એકપણ ફોર્મેટમાં સેન્ચુરી નથી કરી એટલે એ ફોર્મમાં નથી એમ ન કહી શકાય પણ દર ત્રીજી કે ચોથી ઇનિંગમાં 70-80 રન પણ નથી થતા એટલું જ નહીં હાફ સેન્ચુરી પણ નથી થઇ રહી એ તકલીફ છે. જો ખેલાડી ફોર્મમાં હોય તો એના રન્સ ઉપરાંત એ કેવી રીતે અને કેવા સંજોગોમાં આઉટ થાય છે એની પણ અવગણના થતી હોય છે.

    વિરાટ કોહલી સાથે તકલીફ અત્યારે એ છે કે એ લગભગ દરેક ઇનિંગમાં નવી નવી રીતે આઉટ થાય છે. આટલું જો ઓછું હોય એમ જે કેચ સામાન્ય રીતે ડ્રોપ થતા હોય છે એના એ કેચ પણ થઇ જાય છે એટલે નસીબ પણ તેની સાથે નથી. જેમ સુનિલ ગાવસ્કરે ગયા અઠવાડિયે વિરાટ કોહલીના ફોર્મ વિષે કહ્યું એમ વિરાટ કોહલીએ દરેક બોલ રમવાની જરૂર નથી. જ્યારે કોઈ બેટર ફોર્મમાં ન હોય ત્યારે તે દરેક બોલે રન કરવાની ઈચ્છા ધરાવતો હોય છે જેથી બને તેટલા રન વધુ બને અને તે ફોર્મમાં પરત આવી શકે, પરંતુ આ કરવા દરમ્યાન એ ઘણીવાર શોટ્સ વહેલા મારી દેતો હોય છે અને આઉટ થઈ જતો હોય છે.

    વિરાટ કોહલીને આઉટ કરવાની ચાવી જાણેકે દુનિયાના દરેક બોલર્સને મળી ગઈ હોય એવું લાગે છે. ફક્ત ટેસ્ટ કે વનડે જ નહીં પરંતુ આ વર્ષની આઈપીએલમાં પણ બોલરોએ વિરાટને સતત આઉટ સાઈડ ધ ઓફ સ્ટમ્પ બોલ નાખ્યા હતા અને એ આઉટ થતો રહ્યો હતો. ફક્ત ઓફ સ્ટમ્પની બહાર જ નહીં પરંતુ ઓફ સ્ટમ્પની ઘણી બહાર એટલેકે પાંચમાં છઠ્ઠા સ્ટમ્પ પર રહેલા બોલને પણ વિરાટ મારવાની કોશિશ કરતો જોવા મળ્યો છે અને આઉટ થઇ ગયો છે એવા તો અસંખ્ય દાખલા અને રિપ્લેઝ આપણને છેલ્લા ત્રણ વર્ષની ફૂટેજમાંથી મળી રહેશે.

    આ તમામ બાબતો વિરાટ કોહલી અત્યંત ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે એ સાબિત કરે છે. તો આનો ઉપાય શું વિરાટને ટીમમાંથી ડ્રોપ કરવાથી મળી જશે? આ પ્રશ્નનો જવાબ હા અને ના બંનેમાં મળે છે. ના એટલા માટે કારણકે ગમે તે હોય વિરાટ કોહલી ભારતને મળેલા કેટલાક મહાન બેટર્સમાંથી એક છે એટલે એનું સંપૂર્ણ સન્માન જાળવતા એને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું કહી શકાય અને ફોર્મમાં પરત આવે તો તેને ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા દેવામાં આવશે એવી બાંહેધરી આપી શકાય.

    અને હા એટલા માટે કારણકે વિરાટ જો એક ફોર્મેટમાં ફોર્મમાં ન હોત તો કોઈ વાંધો ન હતો પરંતુ તે ત્રણેય ફોર્મેટમાં ફોર્મવિહોણો છે એટલે એને ત્રણેય ફોર્મેટ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા દેવાનું કહી શકાય. આ કોઇપણ ખેલાડીનું અપમાન નથી. અપમાન ત્યારે કહેવાય જ્યારે દ્રવિડ-ચેપલ યુગમાં સૌરવ ગાંગુલીનું ભારતીય ક્રિકેટમાં રહેલા કદને ધ્યાનમાં લીધા વગર તેમને ડ્રોપ કરી દઈને તેમને અપમાનજનક પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા હતા. અહીં વિરાટ સાથે ખુદ બોર્ડ પ્રેસિડેન્ટ ગાંગુલી જે ખુદ આ પરિસ્થિતિમાંથી પસાર થઇ ચુક્યા છે એ સામે બેસીને વાત કરીને બોર્ડની ઈચ્છા તેને જણાવે એ વધુ યોગ્ય છે. મુખ્ય સિલેક્ટર ચેતન શર્મા પણ આમ કરી શકે છે.

    જો આમ ન કરવામાં આવે અને વિરાટ કોહલીને વધુને વધુ ચાન્સ મળતા રહે તો એની જગ્યા લેવા તત્પર એવા સુર્યકુમાર યાદવ કે પછી દિપક હુડા સાથે અન્યાય થશે. T20Iમાં તો આ બંનેને ફક્ત વિરાટ કોહલી જગ્યા રોકીને બેઠો છે એટલે તેમને દરેક મેચમાં રોટેટ કરવા પડે અને એ પણ જ્યારે વર્લ્ડકપ હવે 100થી પણ ઓછા દિવસ દૂર છે ત્યારે એ જરાય યોગ્ય નથી. આ પ્રકારનું નિવેદન થોડા સમય પહેલા કપિલ દેવે પણ આપ્યું છે.

    આજે જ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પણ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “સૌરવ, સહેવાગ, યુવરાજ આ તમામે ડોમેસ્ટિક ક્રિકેટમાં જઈને પોતાનું ફોર્મ પરત મેળવ્યું છે તો વિરાટ કેમ નહીં?” આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહાન બની ગયા પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા જવું પડે તેનાથી કોઈ નાનું નથી થઇ જતું. ડોમેસ્ટિક ક્રિકેટ એ કોઇપણ ક્રિકેટરનું મૂળિયું છે અને એ રીતે જો મૂળ તરફ પાછા જવાથી ફોર્મમાં પરત અવાતું હોય તો કોઇપણ ક્રિકેટરને વાંધો ન હોવો જોઈએ અને આપણી પાસે અગાઉના આ રીતે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમીને સફળ થયેલા બેટર્સના દાખલા છે જ અને વિરાટ કોહલી પણ આ હકીકત જાણે જ છે.  

    ફરીથી કહીએ તો વાંક વિરાટ કોહલી સેન્ચુરીઓ નથી બનાવતો એ નથી, પરંતુ સાતત્યપૂર્ણ દેખાવ નથી કરી રહ્યો એની તકલીફ છે. છેલ્લા એક વર્ષમાં વિરાટ કોહલીને ત્રણેય ફોર્મેટના આંકડા જોઈએ તો..,

    ટેસ્ટમાં તેણે 10 મેચમાં 29.27ની એવરેજે 527 રન કર્યા છે, જ્યારે વિરાટની કેરિયર ટેસ્ટ એવરેજ 49.53ની છે. વનડેમાં વિરાટ કોહલીએ આ સમયગાળામાં કુલ 6 મેચ રમી છે અને 23.66ની એવરેજે કુલ 145 રન કર્યા છે અને તેની કેરિયર એવરેજ આ ફોર્મેટમાં 58.07ની રહી છે. T20Iમાં વિરાટે એક વર્ષમાં 9 મેચમાં 24.83ની એવરેજે 149 રન કર્યા છે જ્યારે આ ફોર્મેટમાં તે સામાન્ય રીતે 50.12ની એવરેજે રન કરતો હોય છે.

    આ એક વર્ષમાં વિરાટ કોહલીના હાઈએસ્ટ સ્કોર્સ આ મુજબ છે.

    ટેસ્ટ: 79

    વનડે: 65

    T20I: 57 આ તમામ આંકડાઓ દર્શાવે છે કે વિરાટ કોહલીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં પરત થવું જોઈએ કારણકે તેમ કરવાથી તે વગર કોઈ દબાણે પોતાની ટેક્નિકલ ભૂલો સુધારી શકશે અને ફોર્મમાં પરત થશે તો છેવટે એના માટે અને ટીમ ઇન્ડિયા માટે જ સારું રહેશે.

    રિક્ષા એક, પેસેન્જર 27..: ઈદની નમાઝ પઢીને પરત ફરતી વખતે એક જ રિક્ષામાં 27 લોકો બેસીને આવ્યા, પોલીસ પણ અચંબામાં પડી

    એક સ્થળેથી બીજા સ્થળે જવામાં રિક્ષા પ્રમાણમાં સસ્તું અને ઉપયોગી વાહન છે. જોકે, વાહનના કદ અને ક્ષમતાને જોતાં તેમાં વધુમાં વધુ બે કે ત્રણ લોકો બેસી શકે છે. તેથી વધુ ચાર કે પાંચ લોકો સુધી બેસે તે પણ માનવામાં આવે છે. પરંતુ ઉત્તરપ્રદેશમાંથી એક એવો કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં એક જ રિક્ષામાં એક,બે કે પાંચ નહીં પણ પૂરા 27 લોકો બેસીને ફરતા હતા. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

    આ વિડીયો ઉત્તરપ્રદેશના ફતેહપુરનો હોવાનું કહેવાય છે. અહીં રસ્તા પર પેટ્રોલિંગ કરતા પોલીસકર્મીઓને એક રિક્ષા જોવા મળી, જે સામાન્યથી ઘણી વધુ ઝડપથી જઈ રહી હતી. જેથી પોલીસે ઑટોરિક્ષા થોભાવી હતી. રિક્ષા ઉભી રહ્યા બાદ તેમાંથી અંદર બેઠેલા લોકોએ બહાર નીકળવાનું શરૂ કર્યું તો પોલીસ અને આસપાસના લોકો પણ જોતા રહી ગયા હતા!

    રિક્ષામાંથી એક પછી એક લોકો બહાર નીકળતા રહ્યા અને આંકડો છેક 27 પર પહોંચી ગયો હતો. આ દરમિયાન કોઈએ મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો, જે ગણતરીના કલાકોમાં જ ઠેરઠેર પ્રસરી ગયો હતો. વિડીયો જોઈને લોકો એ ચર્ચા કરી રહ્યા છે કે આખરે એક ઑટો રિક્ષામાં 27 લોકો કઈ રીતે બેસીને ગયા હશે? 

    એક રિપોર્ટ અનુસાર, આ વિડીયો ગઈકાલનો (10 જુલાઈ 2022) છે અને આ તમામ લોકો ઈદની નમાઝ પઢીને ઘરભેગા થઇ રહ્યા હતા. 

    આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ મજા લીધી હતી અને વિડીયો શૅર કરીને રમૂજી ટીપ્પણીઓ કરી હતી. 

    એક યુઝરે ફિલ્મી ડાયલોગના સ્વરે કહ્યું કે, આને જિલ્લો ઘોષિત કરી દેવો જોઈએ. તો અન્ય એક યુઝરે કહ્યું હતું કે, આ રિક્ષા છે કે બસ છે એ સમજાતું નથી. 

    વળી એક યુઝરે રમૂજ કરીને રીક્ષાના ચાલાક માટે સાધનનો પૂરેપૂરો ઉપયોગ કરવા બદલ પુરસ્કારની માંગ કરી હતી.

    અન્ય એક યુઝરે પણ કહ્યું હતું કે ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવા બદલ ચાલકને એવોર્ડ આપવો જોઈએ.

    પ્રિન્સ યાદવ નામના યુઝરે કટાક્ષમાં કહ્યું કે, હજુ ઉપર પણ જગ્યા ખાલી હતી (તો ત્યાં કેમ પેસેન્જરો બેસાડવામાં આવ્યા નથી).

    ગાયના ચારેય પગ બાંધીને શહર આલમે કર્યું દુષ્કર્મ, પકડાઈ ગયા બાદ અન્ડરવેરમાં માફી માંગતો વિડીયો વાયરલ

    છત્તીસગઢના રાયપુરમાં શાહરે આલમ નામના વ્યક્તિ ઉપર ગાય પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. આરોપી એક ગાયને રૂમમાં ચાર પગથી બાંધીને બળાત્કાર કરતો હતો. આ દરમિયાન લોકોએ શાહરે આલમને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ઘટના 10 જુલાઈ, 2022 (રવિવાર)ની છે. પકડાયેલ આરોપી મૂળ પ્રયાગરાજ યુપીનો છે.

    સુદર્શન ન્યૂઝના રિપોર્ટર યોગેશ મિશ્રાએ આ ઘટનાનો વીડિયો ટ્વિટ કરીને લખ્યું છે કે, “ હેવાન શાહરે આલમ ગાયને પગ બાંધીને બળાત્કાર કરતો પકડાયો,છત્તીસગઢના રાયપુરમાં શરમજનક ઘટના.” વીડિયોમાં આરોપી હાથ જોડીને લોકોની માફી માંગતો જોવા મળે છે. ઘટના સમયે તેણે માત્ર અન્ડરવેર જ પહેર્યું હતું. વીડિયોમાં તે સ્વીકારી રહ્યો છે કે તેણે આવેગમાં આવીને ગાય સાથે ખોટું કર્યું હતું તે વાત પણ સ્વીકારી રહ્યો છે, તેની બાજુમાં એક ગાય બાંધેલી જોવા મળે છે.

    આ ઘટના અંગે ઓમ પ્રકાશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, “આ ઘટના શનિવાર-રવિવારની સવારે લગભગ 3.15 વાગ્યે બની હતી. રાયપુરના સતનામ ચોક પાસે એક વ્યક્તિ ગાય પર બળાત્કાર કરી રહ્યો હતો. અમે કેટલાક લોકો સાથે તેને પકડવાનો પ્રયાસ કર્યો તો તે ભાગવા લાગ્યો. પણ કે દોડતા દોડતા પડી ગયો અને પકડાયો હતો. પકડાયા બાદ તે અલ્હાબાદનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તેના પિતાનું નામ ઉસ્માન ખાન છે. દોડતી વખતે તે પડી ગયો જેના કારણે તેને લાગ્યું પણ છે.”

    આ મામલામાં નોંધાયેલી FIR મુજબ આરોપીની ઉંમર લગભગ 20 વર્ષ છે. તે ટ્રાન્સપોર્ટ નગર, દુર્ગા ચોક, રાયપુરમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. ઘટનાસ્થળે ઘણા લોકોનું ટોળું એકત્ર થઈ અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. રાયપુરના ખામતરાઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થઈ, જેમાં શાહરે આલમ સામે અકુદરતી બળાત્કારની કલમ 377 આઈપીસી અને ‘પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ’ની કલમ 11(1) ડી હેઠળ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

    નોંધનીય છે કે આ પહેલા શહાબુદ્દીનની જૂન 2022માં યુપીના અયોધ્યામાં રેપના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એપ્રિલ 2022માં લખનૌમાં મજીદનો ગાય પર બળાત્કાર કરતો વીડિયો વાયરલ થયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય ફેબ્રુઆરી 2022માં રાજસ્થાનના ભીવાડીમાં ગાયની વાછરડી પર બળાત્કાર કરવા બદલ ઝુબેર અને ચુન્નાની ધરપકડ કરવામાં આવી હતી.

    ગાંજાના વેપારી હુસૈનની ધરપકડ, દેવભૂમિ દ્વારકાના ગામડાઓમાં ફેલાવ્યો હતો નશાનો કારોબાર

    ગાંજાના વેપારી હુસૈનની ધરપકડ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા તાલુકાના વરવાળા ગામે દૂધેલી તળાવ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચાલક એવા હુસૈન સાલેમામદ ઉર્ફે હુસૈન કેર નામના 35 વર્ષના મુસ્લિમ ભડેલા શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી આરોપી શખ્સે છુપાવી રાખેલો રૂપિયા 19,380 ની કિંમતનો 1.938 કિલોગ્રામ ગાંજો પોલીસે કબજે કર્યો હતો. અને ગાંજાના વેપારી હુસૈનની ધરપકડ કરી હતી.

    એક મીડિયા અહેવાલ અનુસાર દરોડા દરમિયાન ઘટનાસ્થળ પરથી પોલીસે રૂ. એક હજારની કિંમતના એક મોબાઈલ તેમજ વજન કાંટો વિગેરે મળી, કુલ રૂપિયા 20,580 ના મુદ્દા માલ સાથે આરોપી હુસૈન કેરની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં રાજકોટમાં રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતા ઈસ્માઈલશા ઉમરશા શાહ નામના અન્ય એક શખ્સની પણ સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. ઈસ્માઈલશાની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

    મળતી માહિતી મુજબ દ્વારકા પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી, તથા ગુનાની આગળની તપાસ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.એન. વાંઝાને સોંપવામાં આવી છે. ગાંજાના વેપારી હુસૈનની ધરપકડ બાદ દેવભૂમિ દ્વારકાના ગામડાઓમાં નશાનો કારોબાર ફેલાવનાર હુસૈનના અન્ય એક સહયોગીને પકડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કાર્ય છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની સરહદોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર દરિયા કાંઠેથી દેશમાં નશાનો કારોબાર ચલાવવાના નાકામ પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ ગુજરાત પોલીસ, ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા નશાના કારોબારના કાવતરાને નિષ્ફળ બનાવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા તાલુકાના વરવાળા ગામે દૂધેલી તળાવ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચાલક એવા હુસૈન સાલેમામદ ઉર્ફે હુસૈન કેર નામના 35 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, આ સ્થળે આરોપી શખ્સે છુપાવી રાખેલો રૂપિયા 19,380 ની કિંમતનો 1.938 કિલોગ્રામ ગાંજો પોલીસે કબજે કર્યો હતો.

    આ પહેલા પણ અનેક વખત પાડોશી દેશો માંથી ગુજરાતમાં કચ્છ સહિતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી અનેક વખત ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થ ગુજરાત અને દેશમાં અન્ય જગ્યાઓ પર ઘુસાડવાની કોશિશોને સુરક્ષાદળોએ નાકામ બનાવી હતી.

    હવે ‘આજતક’ પર જોવા મળશે વરિષ્ઠ પત્રકાર સુધીર ચૌધરી: 10 દિવસ પહેલાં ‘ઝી ન્યૂઝ’માંથી આપ્યું હતું રાજીનામું

    ઝી ન્યૂઝના પૂર્વ એડિટર-ઈન-ચીફ સુધીર ચૌધરીએ (Sudhir Chaudhary) ઝી ન્યૂઝ છોડ્યા બાદ હવે તેઓ મીડિયા ચેનલ ‘આજતક’ સાથે જોડાઈ રહ્યા છે. સુધીર ચૌધરી આજતક સાથે સલાહકાર તંત્રી (Consulting Editor) તરીકે જોડાવા જઈ રહ્યા છે. 

    એક રિપોર્ટ અનુસાર, ઇન્ડિયા ટૂડે ગ્રુપના વાઇસ ચેરપર્સન કલી પૂરી દ્વારા અધિકારીક રીતે કંપનીને આ જાણકારી આપવામાં આવી છે. જલ્દીથી સુધીર ચૌધરી પોતે પણ એલાન કરશે તેવી સંભાવના છે. 

    ઘોષણા કરતા કલી પુરીએ કહ્યું કે, સુધીર ચૌધરીને પરિચયની કોઈ જરૂર નથી. તેમજ તેમના લોકપ્રિય ટીવી શૉ ડીએનએનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર વિશાળ ચાહકવર્ગ ધરાવે છે તેમજ અનેક પુરસ્કારો મેળવી ચૂક્યા છે. આજતકે જાહેરાત કરી છે કે તેઓ તેમના કરોડો દર્શકો માટે નવો શૉ લાવશે અને જે સુધીર ચૌધરી હોસ્ટ કરશે. 

    10 દિવસ પહેલાં ઝી ન્યૂઝમાંથી રાજીનામું આપ્યું તે પહેલાં સુધીર ચૌધરી લગભગ એક દાયકા સુધી ચેનલ સાથે સંકળાયેલા રહ્યા હતા અને ચેનલના એડિટર ઈન ચીફ હતા. કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં તેઓ ઝી ન્યૂઝ સાથે જોડાયા હતા, પરંતુ 2003માં ચેનલ છોડીને સહારા સમય સાથે જોડાયા હતા. જે બાદ થોડા સમય માટે તેમણે ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટીવીમાં પણ કામ કર્યું હતું. 

    વર્ષ 2012 માં સુધીર ઝી ન્યૂઝમાં પરત ફર્યા હતા અને જ્યાં તેઓ હમણાં સુધી એડિટર-ઈન-ચીફ તરીકે ફરજ બજાવતા હતા. સુધીર ચૌધરીનો દરરોજ રાત્રે 9 વાગ્યે પ્રસારિત થતો શૉ DNA (Daily News and Analysis) ખૂબ લોકપ્રિય બન્યો હતો તેમજ ટીઆરપી રેટિંગ મામલે પણ શૉ ખૂબ આગળ હતો. 

    સુધીર ચૌધરીએ રાજીનામું આપ્યા બાદ ઝી મીડિયા ગ્રુપના માલિક સુભાષ ચંદ્રાનો એક પત્ર પણ સામે આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, “હું બે દિવસથી સુધીરને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ તેઓ પોતાના ફેન ફોલોઈંગનો ઉપયોગ કરીને પોતાનું એક સાહસ શરૂ કરવા માંગે છે. હું તેમની પ્રગતિમાં અવરોધ બનવા માંગતો નથી, જેથી મેં તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને તેમના ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવી છે.” જે બાદ સુધીર ચૌધરી માટે એક ફેરવેલ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

    સના ખાન ટ્રોલ થઈ, હજની તસવીરો શેર કરવા બદલ લોકોએ કહ્યું: ‘પ્રચાર-ભૂખી, ફોટાની દુકાન’ ,કટ્ટરપંથીઓએ મુફ્તીને બરબાદ કર્યાનો લગાવ્યો આરોપ

    સના ખાન ટ્રોલ થઈ, હજની તસવીરો શેર કરવા બદલ લોકોએ તેની વોલ પર અટપટી કોમેન્ટો કરી હતી, અલ્લાહની બંદગીના નામે બોલિવૂડમાં સારું એવું કરિયર છોડી ચૂકેલી અભિનેત્રી સના ખાન પોતાના શોહર સાથે મક્કા હજ માટે ગઈ છે. મક્કાથી સના ખાને તેના શોહર સાથે હજની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારથી નેટીઝન્સ તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે, પરંતુ કેમેરાનો શોખ હજુ છૂટ્યો નથી. પોતાનો ફોટો અપલોડ કરતાની સાથેજ સના ખાન ટ્રોલ થઈ હતી.

    આ ક્રમમાં, રહેમાન નામના એક ટ્વિટર યુઝરે સનાની પોસ્ટ પર કટાક્ષ કર્યો અને કહ્યું, “9 ઉંદરો ખાઈને બિલાડી હજ પર ગઈ.”

    સરફરાઝ જોહર નામના ઈસ્લામવાદીએ કહ્યું, “એક સારા મુફ્તીને તે બરબાદ કરી દીધા છે. ઇસ્લામ દેખાડો કરવામાં માનતો નથી.” લાગે છે કે મુફ્તી સાહેબ પણ હવે તમારા પક્ષમાં આવી ગયા છે.”

    તે જ સમયે, અહસાન નામના યુઝરે સનાની પોસ્ટ પર કટાક્ષ કર્યો અને તેને ફોટોની દુકાન ગણાવી.

    હાશિમલહનફી નામના યુઝરે સનાને પબ્લિસિટી ભૂખી ગણાવી હતી. યુઝરે કહ્યું, “પ્રસિદ્ધિની ભૂખ તમને કંઈ સારું કરવા દેશે નહીં. આ ગ્લેમર લાઈફની લત છે. તમે તમારી જાતને કેમેરાથી દૂર રાખી શકતા નથી.”

    અરમાન ઉપાધ્યાયે કહ્યું, “તે આટલી સારી સેલિબ્રિટી હતી, શું હતી અને શું થઇ ગઈ.”

    તે જ સમયે, ઈમ્મી નામના એક યુઝરે સના ખાનને સલાહ આપી કે ફાતિમા રિઝી ઉન વિશે પહેલા એકવાર વાંચો. યુઝરે ટોણો માર્યો કે સનાએ અનસને પણ પોતાના અફેરમાં મોડલ બનાવી નાખ્યો.

    @akepilinggi નામના યુઝરે સના પર કટાક્ષ કર્યો અને તેણીને ‘હુરોનની સરદારની’ કહી. ઉલ્લેખનીય છે કે મુસ્લિમોને વારંવાર 72 હુરરની લાલચ આપવામાં આવે છે.

    આ દરમિયાન મુસ્લિમ આર કન્વર્ટેડ નામના યુઝરે સનાને પૂછ્યું, “આ મૌલાના લોકો લોકોનું બ્રેઈનવોશ કરવા માટે કેવા પ્રકારની ટ્રિક વાપરે છે? કોઇ મારવા તૈયાર છે અને આવી વસ્તુઓ પણ જોવા મળે છે.

    નોંધપાત્ર વાત એ છે કે, બિગ બોસની સીઝન 6નો ભાગ રહેલી સના ખાને બે વર્ષ પહેલા 2020માં બોલિવૂડ છોડવાની જાહેરાત કરી હતી. આ પછી તેણે સુરતના મૌલવી અનસ સાથે લગ્ન કર્યા હતા.

    મોહમ્મદ ઝુબૈરને વધુ એક કેસમાં 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલાયો: લખીમપુરમાં નોંધાયેલ કેસ મામલે કાર્યવાહી

    તથાકથિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરને (Mohammad Zubair) લખીમપુર ખીરી કોર્ટે 14 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં (Judicial Custody) મોકલી આપ્યો છે. લખીમપુરમાં મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ આ મામલે તેને મોહંમદી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ઝુબૈરને 14 દિવસ માટે ન્યાયિક હિરાસત આપી હતી. 

    મોહમ્મદ ઝુબૈરને કોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો હતો. વધુમાં તેની સામે દાખલ કરવામાં આવેલ FIRમાં આઈપીસીની કલમ 153B, 505(1)(B), 505(2) ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત એમ પણ જાણવા મળ્યું છે કે કોર્ટ મોહમ્મદ ઝુબૈરની જામીન અરજી પર આગામી 13 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરશે. 

    મોહમ્મદ ઝુબૈર હાલ દિલ્હીમાં નોંધાયેલા એક કેસ મામલે કસ્ટડીમાં છે. જોકે, ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે તેની સામે ઉત્તરપ્રદેશના સીતાપુરમાં નોંધાયેલા કેસ મામલે પાંચ દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. જોકે, તેની સામે દિલ્હીમાં પણ કેસ નોંધાયેલો હોવાના કારણે ઝુબૈર કસ્ટડીમાં જ રહ્યો હતો. 

    હાલ જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે તે કેસ લખીમપુર ખીરીમાં (Lakhimpur Kheri) સપ્ટેમ્બર 2021માં નોંધવામાં આવ્યો હતો. જે સુદર્શન ન્યૂઝના સ્થાનિક બ્યુરો ચીફ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં મોહમ્મદ ઝુબૈર પર એક ટ્વિટ દ્વારા કોરોનાકાળ જેવા સમયે પણ દુનિયાભરના મુસ્લિમોને ભડકાવવાનો તેમજ ભારતની છબી ખરડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે મામલે FIR નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.  

    ફરિયાદ કરનાર આશિષ કુમારે જણાવ્યું કે, ‘ઝુબૈરે 14 અને 15 મે 2021ના રોજ સુદર્શન ન્યૂઝ પર પ્રસારિત એક ગ્રાફિક્સને મદીનાની અલ-નવાબી મસ્જિદ બતાવીને આખા દેશમાં સાંપ્રદાયિક માહૌલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ગ્રાફિક્સ સુદર્શન ન્યૂઝ પર ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ 2021 પર આધારિત એક શૉ દરમિયાન પ્રતીકાત્મક તસ્વીર તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું અને જેને ઝુબૈરના દાવા સાથે કોઈ સબંધ નથી. ઝુબૈરે આમ કરીને દુનિયાભરમાં ભારતની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે.’

    આ કેસમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને મોહમ્મદ ઝુબૈરની કસ્ટડી મેળવવા માટે વોરન્ટ B દાખલ કરવામાં આવ્યું હતું. જે બાદ આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે મોહમ્મદ ઝુબૈરને 14 દિવસની ન્યાયિક હિરાસત આપી છે.

    અમદાવાદમાં માત્ર 4 કલાકમાં 12 ઇંચ અને 2 દિવસમાં પડ્યો સિઝનનો 43% વરસાદ: ભારે હાલાકી છતાંય અમદાવાદીઓએ માનવતા મહેકાવી, #ahmedabadrain હજુય ટ્રેન્ડમાં

    ગઈ કાલે (10 જુલાઇ 2022) આખા દિવસના બફારા બાદ બપોર પછી મેઘરાજાએ અમદાવાદમાં માઝા મૂકી હતી. માત્ર 5 કલાકમાં મહત્તમ ઇંચ વરસાદ પડી જતાં આખું અમદાવાદ જળબંબાકાર બન્યું હતું. જો કે આજે સવારે અમદાવાદમાં વરસાદ રોકાતાં ઠેર ઠેર ભરાયેલા પાણી ઉતરી જતાં અમદાવાદીઓએ રાહતના શ્વાસ લીધા હતા.

    ગઇકાલે બપોર બાદ શરૂ થયેલ મુસળાધાર વરસાદે જાણે કે અમદાવાદનું જીવન જ ઠપ્પ કરી દીધું હતું. એમાં પણ ખાસ કરીને પશ્ચિમ અમદાવાદની સ્થિતિ ભયાનક લાગી રહી હતી. પરંતુ મધ્યરાત બાદ વરસાદ બંધ થયા પછી દરેક વિસ્તારોમાંથી પાણી ઉતરતા જોવા મળ્યા હતા અને જનજીવન સામાન્ય થતું જોવા મળ્યું હતું.

    ગઈ કાલે પડેલા વરસાદમાં અમદાવાદનાં ઘણાં અંડરબ્રિજ સંપૂર્ણરીતે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જોઈને એમ જ લાગતું હતું કે કેલાય દિવસો લાગશે આ સ્થિતિ સુધારવામાં. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે આ તમામ અંડરબ્રિજ પણ સવાર થતાં સાથે સાથે ખુલ્લા થયા હતા.

    હાલાકીમાં પણ અમદાવાદીઓ રહ્યા કૂલ

    અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા. ક્યાક ગાડીઓ તણાતી દેખાતી હતી તો ક્યાંક ભુવા નજરે પડ્યા હતા. આવી પરિસ્થિતિમાં પણ અમદાવાદીઓએ પોતાનો હળવો મિજાજ જાળવી રાખ્યો હતો.

    એક ટ્વિટર યુઝર @kartik_k007 એ વરસાદની તીવ્રતા વર્ણવવા હળવા અંદાજમાં લખ્યું હતું કે, “સિદી સૈયદ ની જાળી તણાય જાય એવો વરસાદ છે અમદાવાદ માં હો..”

    અન્ય એક ટ્વિટર યુઝર @trendinginahmd એ જાણીતી ફિલ્મ પુષ્પાનો ફોટો અને ડાઈલોગ શેર કરતાં અમદાવાદનાં વરસાદને ટાંકીને લખ્યું હતું કે જાણે વરસાદ એમ કહે છે કે, “મે રૂકેગા નહીં”.

    કપરાં સમયમાં પણ અમદાવાદીઓની માનવતા ઉડીને આંખે વળગી

    સ્વાભાવિક રીતે જ આટલા વરસાદથી ઘણા લોકોને તકલીફોનો સમનાઓ કરવો પડ્યો હતો. ઘણા લોકો કલાકો સુધી લાંબા ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા તો ઘણાના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. પરંતુ આવા સમયમાં પણ અમદાવાદીઓની માનવતા ઘટી ના હતી. અમદાવાદીઓ ઠેર ઠેર જુદા જુદા રૂપે એકબીજાની વ્હારે આવેલા નજરે પડ્યા હતા.

    ટ્વિટર યુઝર @Micky81189555 એ ઘૂંટણ સુધીના પાણીમાં એએમસીનું બેરીકેટ લઈને ઊભા રહેલા એક AMC કર્મચારીનો ફોટો ટાંકીને લખ્યું હતું કે, “ઓફીસથી ઘરે આવતા હાટકેશ્વરમાં AMCના એક કર્મચારી કમર સુધી ભરાયેલા પાણીમાં AMC નું બેરીકેટ લઈને ઉભા હતા કે જ્યાં ગટર ખુલ્લી હતી. જઈને વાતચીત કરી તો કહ્યું કે જ્યાં સુધી પાણી ઉતરી ના જાય ત્યાં સુધી ઉભા રહેવાની ડ્યુટી છે. મૂળ રાજસ્થાનના હરિપાલના કામને દિલથી સલામ”. અને એએમસી કર્મચારી હરિપાલની આ ખુદ્દારીએ ટ્વિટર પર સૌના હ્રદય જીતી લીધા હતા.

    અન્ય એક ટ્વિટર યુઝર @dr_mehta એ ભારે વરસાદ અને ટ્રાફિક વચ્ચે પોતાની ગાડીમાંથી લીધેલો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેમની ગાડી આગળ એક ફૂડ ડિલિવરી કરતો વ્યક્તિ પોતાના બાઇક પર નજરે પડ્યો હતો. ડોક્ટર મહેતા અને અન્યોએ એ કર્મચારીની કાર્યદક્ષતાને બિરદાવી હતી કે જે પોતાનું ગુજરાન ચલાવવા આવા ભયંકર વરસાદમાં પણ પોતાનું કામ પૂરી નિષ્ઠા સાથે કરી રહ્યો હતો.

    ટ્વિટર યુઝર @ShahDevansh9 એ પણ પોતાની ગાડીમાંથી ચાલુ વરસાદમાં પોતાની ફરજ નિભાવીને ટ્રાફિકને દૂર કરતાં એક પોલીસ જવાનનો વિડીયો ઉતારીને શેર કર્યો હતો. તેમણે અમદાવાદ પોલીસને ટેગ કરીને લખ્યું હતું કે ભારે વરસાદમાં પણ અમદાવાદ પોલીસના જવાનો લોકોની મદદે ઊભા છે.

    ગઇકાલે અન્ય એક ટ્વિટર યુઝર @bhaumikvyas71 એ એક વિડીયો શેર કર્યો હતો જેમાં એક જગ્યાએ ભરાઈ રહેલા પાણીમાં 108 સેવાના કર્મચારીઓ એક દર્દીને સ્ટ્રેચરમાં ઉઠાવીને સારવાર કરવા માટે લઈ જતાં નજરે પડ્યા હતા. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, “અમદાવાદ અનરાધાર વરસાદ વચ્ચે એમ્બ્યુલન્સ કર્મચારીઓની સરાહનીય કામીગીરી. વરસતા વરસાદ વચ્ચે બીમાર દર્દીને કેડસમાં પાણીમાં શિફટિંગ કર્યા હોસ્પિટલમાં. ભારે વરસાદ થી એમ્બ્યુલન્સ ના પોહ્ચતા કર્મચારીઓ ચાલીને પોહ્ચ્યા.”

    હાજે પણ ટ્રેંડિંગમાં રહેલ #ahmedabadrain

    આમ, અમદાવાદમાં લાંબા સમય બાદ પડેલા આવા અભૂતપૂર્વ વરસાદ અને તેના લીધે થયેલ તકલીફો વચ્ચે પણ અમદાવાદીઓના જુદા જુદા રૂપ લોકોને જોવા મળ્યા હતા. લોકોએ ખુલ્લાં મને ટ્વિટર પર પોતાના એટલા પ્રતિભાવ આપ્યા છે ગઇકાલથી કે આજે પણ ટ્વિટર પર #ahmedabadrain ટ્રેંડિંગ થઈ રહ્યું છે.

    ભાડાનું ખેતર, ગામના જ ખેલાડીઓ, નકલી અમ્પાયર: મહેસાણામાં રમાઈ ‘ફેક IPL’, રશિયન સટ્ટાબાજોને છેતરાયા; માસ્ટરમાઇન્ડ શોએબ સહિત 4ની ધરપકડ

    મહેસાણામાં મોલીપુર ગામ ખાતે ગામમાં સ્થાનિક ખેલાડીઓ પાસે મેચ રમાવી તેનું એક મોટી હાઈપ્રોફાઈલ મેચ તરીકે રશિયામાં પ્રસારણ કરી સટ્ટો રમાડવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલો પોલીસને ધ્યાને આવતાં પોલીસે આ ફેક IPL રમાડવા મામલે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. જેમની ઓળખ શોએબ દાવડા, સાકિબ સૈફી, કોલુ મોહમ્મદ અને સાદિક દાવડા તરીકે થઇ છે. 

    ગામડાના ખેતરમાં રમાતી આ મેચને એક હાઈ-પ્રોફાઈલ ક્રિકેટ લીગ તરીકે દર્શાવવામાં આવી હતી અને તેને ‘ઇન્ડિયન પ્રીમિયર ક્રિકેટ લીગ’ના નામથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવતું હતું. આ લીગ ક્વાર્ટર ફાઇનલ સ્ટેજ સુધી પહોંચી ગયા બાદ સમગ્ર ભાંડો ફૂટતાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. 

    IPL (સાચી) પૂર્ણ થઇ તેના ત્રણ અઠવાડિયા બાદ આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ માટે મોલીપુર ગામના ખેતરમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવીને ત્યાં HD કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. તેમજ મેચ સાચી લાગે તે માટે ઇન્ટરનેટ પરથી ઓડિયન્સનો અવાજ ડાઉનલોડ કરીને ઉમેરી દેવામાં આવતો હતો. 

    ગામના જ ખેલાડીઓ, દિવસના 400 રૂપિયા અપાતા

    ખેલાડી તરીકે ગામના જ યુવાનોને લેવામાં આવ્યા હતા અને તેમને એક દિવસના 400 રૂપિયા આપવામાં આવતા હતા. ખેલાડીઓ આઈપીએલની ટીમો ચેન્નાઇ સુપર કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સની જર્સી પહેરીને રમતા હતા. એટલું જ નહીં, આ ફેક ટૂર્નામેન્ટમાં કોમેન્ટ્રી પણ કરવામાં આવતી હતી. તેમજ અમ્પાયરોને પણ વોકી-ટોકી આપવામાં આવ્યાં હતાં. 

    આ સમગ્ર ટૂર્નામેન્ટનું યુ-ટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવતું હતું અને તેને હાઈ-પ્રોફાઈલ લીગ તરીકે રજૂ કરીને રશિયામાં સટ્ટો રમાડવામાં આવતો હતો. જોકે, લાઈવ પ્રસારણમાં માત્ર 30 યાર્ડનું સર્કલ જ દેખાડવામાં આવતું હતું અને બૉલ બેટમાં લાગ્યા પછી કઈ દિશામાં જાય છે તે કે ક્યાંય દર્શકો પણ બતાવવામાં આવતા નહીં. કૅમેરા એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે બેટ્સમેન, બૉલર, વિકેટ કીપર અને અમ્પાયર જ દેખાતા હતા. 

    સમગ્ર ટૂર્નામેન્ટ નકલી હતી, સૂચના પ્રમાણે ખેલાડીઓ રમતા

    હાઈ પ્રોફાઈલ લીગ તરીકે રજૂ કરવામાં આવેલી આ સમગ્ર ટૂર્નામેન્ટ ફેક હતી. જેમાં રશિયામાં બેઠેલો ઓપરેટર અહીંના વ્યક્તિ સાથે ઓનલાઈન ચેટિંગ કરતો હતો અને જે પ્રમાણે સટ્ટો રમવામાં આવે તે પ્રમાણે મેચ રમાડવા માટે અને પરિણામ આપવા માટે કહેવામાં આવતું હતું. 

    મેચનું પરિણામ રશિયામાં બેઠેલો શખ્સ જેમ કહે તે રીતે આવતું હતું. શોએબ ટેલિગ્રામ પર લાઈવ બેટ લેતો હતો અને એ બાદ તે અમ્પાયરિંગ કરતા કોલુને સૂચના આપતો હતો. સૂચના પ્રમાણે અમ્પાયર બેટ્સમેન સાથે ચર્ચા કરીને તેને તેમ કરવાનું કહેતો. જેના આધારે બોલર પણ ધીમા બૉલ નાંખતો જેથી બેટ્સમેન 4-6 રન મારી શકે. જો રશિયાથી આઉટ થવાનું કહેવામાં આવે તો બેટ્સમેન બીજા જ બોલે આઉટ થઇ જતો હતો. 

    શોએબ દાવડા નામનો યુવાન નીકળ્યો માસ્ટરમાઈન્ડ

    આ ‘ફેક IPL’ પાછળનો માસ્ટરમાઈન્ડ મહેસાણામાં જ રહેતો શોએબ દાવડા નામનો શખ્સ હોવાનું ખુલ્યું છે. જે આઠ મહિના સુધી રશિયાના પબમાં કામ કરી આવ્યો હતો. રશિયાના પબમાં કામ કરતી વખતે તે આસિફ મોહમ્મદ નામના વ્યક્તિને મળ્યો હતો, જેની સાથે મળીને તેણે આ ટૂર્નામેન્ટનું ગતકડું શોધી કાઢ્યું હતું. 

    મોલીપુર પરત ફર્યા બાદ શોએબે સાદિક દાવડા, સાકીબ સૈફી અને મોહમ્મદ કોલુને સાથે રાખીને આ ફેક આઈપીએલ રમાડવાનું નક્કી કર્યું હતું. જેમાં સાકીબ મેરઠનો રહેવાસી છે, જે કોમેન્ટ્રી કરતો હતો. શોએબે ગામના એક વ્યક્તિનું ખેતર ભાડે કરીને, તેમાં હેલોજન લાઈટ લગાવીને દિવસના 400 રૂપિયા લેખે રમવા માટે માણસો રાખ્યા હતા. ઉપરાંત તેણે જ ખેલાડીઓ માટે ટી-શર્ટ પણ ખરીદી હતી. 

    આ મામલે પોલીસે ચાર આરોપીઓને પકડી લઇ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જે મામલે કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ મામલે પોલીસે નેટવર્કના મુખ્ય સૂત્રધાર શોએબના તેમજ તેના પરિવારના લોકોના બેન્ક ખાતાની અને પાસપોર્ટની તપાસ હાથ ધરી છે. 

    આસામના મુખ્યમંત્રીએ AAP નેતાના પુત્રના મૃત્યુ માટે માફી માંગી, કહ્યું ‘મને શરમ આવે છે કે અમારી સરકાર હોવા છતાં બૈદુલ્લા ખાન ઘુસી આવ્યો’: પોલીસને ઠપકો આપ્યો

    આસામના મુખ્યમંત્રીએ AAP નેતાના પુત્રના મૃત્યુ માટે માફી માંગી હતી, આસામના દિબ્રુગઢમાં પશુ અધિકાર કાર્યકર્તા વિનીત બાગડિયાના આત્મહત્યા કેસમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પરિવારજનોની માફી માંગી છે. તેમણે પરિવારની સામે પોલીસને ઠપકો આપતા કહ્યું કે જે બન્યું તેનાથી તેઓ શરમ અનુભવે છે. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ આરોપીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.

    ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સીએમ સરમા પોલીસને ઠપકો આપતા સાંભળી શકાય છે, વિડીયોમાં તેઓ પૂછે છે કે શું સરકાર એટલી નબળી પડી ગઈ છે કે બૈદુલ્લા ખાન અહીં આવી ગયો. તેમણે કહ્યું કે તે આજે જેટલી શરમ અનુભવે છે તેના કરતાં વધુ ક્યારેય ન હોઈ શકે.

    તેમણે પોલીસને પૂછ્યું હતું કે, “ માફિયા (બૈદુલ્લા ખાન) તમારા હોવા (પોલીસ/પ્રશાશન) છતા અહીં આવ્યો અને પરિવારને હેરાન કર્યો, અને તમને એની જાણ જ નથી? શું આ રીતે વહીવટ ચાલશે? તમે યુનિફોર્મ પહેરો છો પણ તે પ્રમાણે કામ કરતા નથી… આ ડિબ્રુગઢ જિલ્લા વહીવટીતંત્રની સદંતર નિષ્ફળતા છે. હું શું સાંભળી રહ્યો છું? આ લોકો શું કહે છે, મારું મગજ કામ નથી કરી રહ્યું. કદાચ કાશ્મીર-શ્રીનગરમાં પણ આવું ન બન્યું હોત. હું આજે જેટલી શરમ અનુભવું છું તેટલી ક્યારેય નથી અનુભવી.”

    વધુમાં તેમણે કહ્યું હતું કે, “આ ઘટના ત્યારે બની જ્યારે હું મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યો છું. હું આ ઘટનાથી દુખી છું તેથી હું બાગડિયાના માતા-પિતા અને રાજ્યની જનતાની માફી માંગુ છું.”

    ઉલ્લેખનીય છે કે પશુ અધિકાર કાર્યકર્તા વિનીત બાગડિયાએ ગુરુવારે (7 જુલાઈ 2022) દિબ્રુગઢમાં શનિ મંદિર માર્ગ પર પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમણે પોતાનો જીવ આપતા પહેલા એક વીડિયો રેકોર્ડ કર્યો હતો અને જણાવ્યું હતું કે કેવી રીતે બૈદુલ્લા ખાન અને સંજય શર્મા, નિશાંત શર્મા નામના વ્યક્તિ દ્વારા તેમને પીડિત કરવામાં આવ્યાં હતા. તેમણે કહ્યું કે ભાડાની જમીનના મુદ્દે તેને અને તેના પરિવારને લાંબા સમયથી હેરાન કરવામાં આવી રહ્યા હતા.

    બૈદુલ્લાને ભાડે જમીન આપવા બદલ બાગડિયા પરિવાર ભોગ બન્યો

    મળતી માહિતી મુજબ વિનીત બાગડિયાના પરિવારનો બૈદુલ્લા સાથે ઘણા વર્ષોથી વિવાદ ચાલતો હતો. વિનીતના પિતા કૈલાશે તેમના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર સંજયને બિઝનેસ માટે જગ્યા ભાડે આપી હતી. આ પછી સંજયે તે જગ્યા બૈદુલ્લાને ભાડે આપી હતી. તેણે તે જગ્યાએ મોટરસાયકલના સ્પેરપાર્ટ વેચતી દુકાન ખોલી હતી.

    જ્યારે વિનીતના પરિવારના સભ્યો જમીન ખાલી કરવા માંગતા હતા ત્યારે સામા પક્ષે જગ્યા ખાલી કરવાની ના પાડી હતી. આટલું જ નહીં, કૈલાશના કહેવા પ્રમાણે, બૈદુલ્લાએ દુકાનનું ભાડું પણ આપ્યું ન હતું અને દુકાન પણ છોડી ન હતી. ભારે વિવાદ બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પરંતુ બૈદુલ્લાનો બગડિયા પરિવારને ત્રાસ આપવાનું બંધ ન થયું. અંતે કંટાળીને વિનીતે થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ પ્રશાસનનું ધ્યાન આ બાબત પર ગયું હતું.

    વિનીત બાગડિયા AAP નેતાના પુત્ર હતા

    હવે પોલીસે બૈદુલ્લાની ધરપકડ કરી છે જ્યારે ઈજાઝ ખાન નામનો એક આરોપી હજુ ફરાર છે. ગુરુવારે વિનીતનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. તે એનિમલ વેલફેર પીપલ નામની એનજીઓ ચલાવતો હતો. પ્રાણીઓના અધિકારો માટે અવાજ ઉઠાવવાને કારણે તેઓ ડિબ્રુગઢનું પ્રખ્યાત હતા. તેમના પિતા કૈલાશ કુમાર પણ સીએ હતા. ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા પણ છે. જેમણે AAP વતી નાગરિક ચૂંટણી લડી હતી. તેણે પોતાના પુત્રની આત્મહત્યા માટે ત્રણ લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. જે બાદ બીજા જ દિવસે બૈદુલ્લા ખાન અને નિશાંતની પોલીસે ધરપકડ કરી હતી.