Thursday, April 10, 2025
More
    Home Blog Page 944

    શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ જ ભરે છે 32 મુસ્લિમ પરિવારો અને 60 દુકાનોનો વેરો: ટ્રસ્ટની 13.37 એકર જમીન પર છે શાહી મસ્જિદ, દુકાનો તથા મુસ્લિમ પરિવારો

    હાલ મથુરાની શ્રીકૃષ્ણના જન્મસ્થળ ટ્રસ્ટ અંતર્ગતની સંપત્તિ અંગે કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંકુલમાંથી શાહી મસ્જિદ ઇદગાહને દૂર કરવા માટે હાલમાં 13 દાવા કોર્ટમાં ચાલી રહ્યા છે. દરેકમાં ફક્ત એક જ માંગ છે કે શાહી મસ્જિદ ઇદગાહને શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંકુલમાંથી દૂર કરવી જોઈએ.

    આ 13.37 એકર જમીન પર શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી મસ્જિદ ઇદગાહ છે. તેની માલિકી શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની છે. ટ્રસ્ટ આ માટે દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મકાન વેરો અને પાણી વેરો ભરે છે. ગયા વર્ષે શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રૂ. 1.52 લાખનો વેરો આપવામાં આવ્યો હતો. આમાં જન્મભૂમિ સંકુલની દુકાનો તેમજ અતિથિ ગૃહો અને આ જમીન પર સ્થાયી થયેલા 32 મુસ્લિમ પરિવારોના ઘરોનો સમાવેશ થાય છે.

    શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના નામે આ આખી 13.37 એકર જમીન રેકોર્ડમાં નોંધાયેલી છે

    શ્રી કૃષ્ણના જન્મસ્થળની આખી જમીન, 13.37 એકર, રેકોર્ડમાં નોંધાયેલી છે. શાહી મસ્જિદ ઇદગાહ પણ તેમાં સ્થિત છે. આ આખી જમીનની માલિકી શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ પાસે છે.

    1944માં, વારાણસીના પટનીમલના વારસદારોએ પંડિત મદન મોહન માલાવીયા, ગણેશદત્ત અને ભીખાનલાલ આત્રેયના નામે મથુરાની આ જમીન નોંધાવી હતી. આ પછી 1951માં શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ આ જમીન ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. ત્યારથી ટ્રસ્ટ સંપૂર્ણ સંપત્તિની માલિકી ધરાવે છે. 13.37 એકર જમીન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ છે જેમાં શાહી મસ્જિદ ઇદગાહ પણ આવી જાય છે.

    ટ્રસ્ટે આ વર્ષે ભર્યો છે 1,52,951 રૂ. વેરો

    32 મુસ્લિમ પરિવારો પણ ઇદગાહની બહાર રહે છે. આ સિવાય ટ્રસ્ટમાં 60 દુકાનો અને અતિથિ ગૃહો પણ છે. કહેવામાં આવે છે કે આ મુસ્લિમ પરિવારો આઝાદી પહેલાંથી અહીં નિવાસ કરી રહ્યા છે. ટ્રસ્ટ તેમની પાસેથી કોઈ ભાડું લેતું નથી. ટ્રસ્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વાર્ષિક પાણી વેરા અને મકાન વેરાના 1,52,951 રૂપિયા જમા કર્યા છે. સરકારે મંદિરોને કરમાંથી મુક્ત કર્યા છે. આવી સ્થિતિમાં, શ્રીકૃષ્ણ જન્મસ્થળ અને શાહી મસ્જિદ ઇદગાહ સિવાય બાકીની મિલકત કર હેઠળ છે.

    જાગરણના અહેવાલ અનુસાર આ બાબતે શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવ કપિલ શર્માએ જણાવ્યું, “13.37 એકરની આખી જમીન શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની માલિકીની છે. મુસ્લિમ પરિવારો જે ત્યાં રહે છે તેમનો કર પણ ટ્રસ્ટ જ ભરે છે. તેમની પાસેથી કોઈ ભાડું લેવામાં આવતું નથી.”

    સામે શાહી મસ્જિદ ઇદગાહના સેક્રેટરી તન્વીર અહેમદે દાવો કર્યો, “મુસ્લિમ પરિવારો કે જેઓ ત્યાં રહે છે તેમનો વેરો ટ્રસ્ટ ચુકવતું નથી. જો ટ્રસ્ટ ચુકવતું હોય, તો તેની રસીદ બતાવો. ટ્રસ્ટ ખોટા દાવા કરી રહ્યું છે.”

    તપસ્વી વિરુદ્ધ પુજારી વિવાદ શરુ કરીને રાહુલ ગાંધી હિન્દુઓનું અપમાન કેમ કરી રહ્યા છે?

    જ્યારે પણ ચૂંટણી નજીક આવે ત્યારે રાહુલ ગાંધીનું ટેમ્પલ રન એટલેકે તેઓ મંદિર મંદિર ફરવાનું શરુ કરી દે છે. બાકીનો સમય કદાચ તેઓ હિંદુ ધર્મનું અપમાન કરવામાં જ ગાળે છે, એટલે એમનો મંદિરોએ ફરવાનો દેખાડો ખુલ્લો પડી જાય છે. ગઈકાલે રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા દરમ્યાન તપસ્વી વિરુદ્ધ પુજારી પ્રકારનો એક નવો વિવાદ ઉભો કરી દીધો છે.

    રાહુલ ગાંધીને ઠંડીમાં ફક્ત ટી-શર્ટ પહેરેલા જોઇને ઘણા બધાં લોકો અભિભૂત થઇ ગયાં હતાં, જેમાં એક વ્યક્તિ હતાં કહેવાતાં બુદ્ધિજીવી સુધિન્દ્ર કુલકર્ણી. કુલકર્ણી સાહેબે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને એમની ‘મહેનતને’ જોઇને તેમને તપસ્વી કહી દીધા. બસ! પછી જોઈતું’તું જ શું? સમગ્ર કોંગ્રેસ ઈકોસિસ્ટમે, જેમાં પત્રકારો પણ સામેલ છે તેમણે રાહુલ ગાંધીને તપસ્વી કહેવાનું શરુ કરી દીધું.

    લાગે છે કે પોતાની ચમચાગીરી કરીને તેમની નજીક આવનારા લોકોને રાહુલ ગાંધીએ સીરીયસલી લઇ લીધા અને એમણે ખરેખર પોતાની જાતને તપસ્વી માની લીધી છે. બહુ વર્ષો પહેલાં એક ફિલ્મ જોઈ હતી જેમાં એક પાત્ર માનસિક રીતે અસ્વસ્થ હોય છે એની સમક્ષ જે કોઇપણ છેલ્લો શબ્દ બોલવામાં આવે તેને તે રીપીટ કરતો હોય છે. ઉદાહરણ તરીકે એની સામે ડોક્ટર શબ્દ બોલવામાં આવે તો એ બોલવા લાગે કે, “હું ડોક્ટર છું, હું ડોક્ટર છું, હું ડોક્ટર છું.” આવી જ રીતે જો તેની સામે ગધેડો શબ્દ પણ બોલવામાં આવે તો એ તે પણ એ જ પ્રમાણે બોલવા લાગે છે.

    રાહુલ ગાંધીએ છેલ્લા દસેક દિવસમાં પોતાની સામે સુધિન્દ્ર કુલકર્ણી દ્વારા બોલવામાં આવેલા અને સહુથી છેલ્લા માનવાચક તપસ્વી શબ્દને સાંભળી લીધો અને તેમણે આ શબ્દને ગંભીરતાથી લઇ લીધો અને પોતાની જાતને મનોમન તેઓ કદાચ તપસ્વી સમજવા પણ મંડ્યા. પરંતુ ખાટલે મોટી ખોડ એ રહી ગઈ કે રાહુલબાબાને તપસ્વીનો મૂળ અર્થ શું છે તેની ખબર નથી અને આથી જ તેમણે ગઈકાલે તપસ્વી વિરુદ્ધ પુજારી જેવી અપમાનજનક સરખામણી પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કરી દીધી.

    સામાન્ય હિંદુ જેને સનાતન ધર્મની સમજ છે તેને ખ્યાલ છે કે તપસ્વી અને પુજારી બંને ભલે અલગ હોય પરંતુ આપણા મહાગ્રંથોમાં આ બન્નેની મહત્તા એકબીજાથી જરાય ઓછી નથી. તપસ્વી એટલે કે જે તપ કરીને સમાજનું ભલું કરતો હોય છે એ જેમાં આપણા મહાન ઋષિમુનિઓ પણ સામેલ છે. પુજારીનો સરળ અર્થ ભલે મંદિરોમાં પૂજા કરતાં વ્યક્તિ તરીકેનો હોય પરંતુ તેનો બૃહદ અર્થ ભગવાનની પૂજા કરનાર કોઇપણ વ્યક્તિ તરીકે થઇ શકે છે.

    આથી રાહુલ ગાંધીએ આપણા દેશમાં તપસ્વી વિરુદ્ધ પુજારી ઓછો મહત્ત્વનો છે અથવાતો અયોગ્ય છે તેમ કહીને મોટાભાગના હિંદુઓનું અપમાન કર્યું છે જેઓ દરરોજ સવાર અને સાંજ પોતાના ઘરમાં ભગવાનની પૂજા કરતાં હોય છે. આટલું જ નહીં દેશભરમાં લાખો મંદિરો છે આ મંદિરોમાં પણ લાખો પુજારીઓ દરરોજ ત્રણ સમય જે-તે ભગવાનની પૂજા કરીને પોતાની સેવા આપે છે અને સનાતન સંસ્કૃતિને ફક્ત આગળ જ નથી વધારી રહ્યાં પરંતુ તેનું નિસ્વાર્થ ભાવનાથી રક્ષણ પણ કરી રહ્યાં છે, રાહુલ ગાંધીએ એમનું પણ હળાહળ અપમાન કર્યું છે.

    મજાની વાત એ છે કે પોતાને જાણીજોઈને તપસ્વી માની બેઠેલા રાહુલ ગાંધીને તપસ્વીનો પણ અર્થ ખબર નથી, પરંતુ પોતાને ‘અમુક લોકો’ તપસ્વી કહે છે એટલે તપસ્વી મહાન અને પુજારી બિનમહત્વના એ પ્રકારની મૂર્ખતાપૂર્ણ વાત તેમણે કરી દીધી છે. ફક્ત દાઢી વધારીને દેશની યાત્રા કરવાથી કોઈ તપસ્વી નથી બની જતું. જો રાહુલ ગાંધીએ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં પડેલી હજારો તપસ્વીઓની લાખો વાતોમાંથી એક પણ વાત વાંચી હોત તો તેમને ખ્યાલ હોત જ કે તપસ્વીનો ખરો અર્થ શું છે.

    પણ રાહુલબાબાને એ મહેનત તો કરવી નથી. એમને ફક્ત કોંગ્રેસનાં હાથમાંથી લગભગ જતાં રહેલાં હિંદુ મતોને પરત લાવવા માટે હિંદુ હોવાનો ખોટો દેખાવ જ કરવો છે. પરંતુ છેલ્લા આઠેક વર્ષથી તેમનો આ દેખાવ એમને જોઈતાં ફળ નથી લાવી શકતો એટલે હવે તેઓ સૌરાષ્ટ્રની બોલીમાં કહીએ તો અથરા થયા છે અને ગમેતેમ બોલવા લાગ્યાં છે, પરંતુ આમ કરીને છેવટે તો તેઓ અને તેમની કોંગ્રેસ પાર્ટી હિંદુઓથી વધુ ને વધુ દુર જવા લાગી છે.

    જો કે તપસ્વી વિરુદ્ધ પુજારી શરુ કરીને ખરેખર તો રાહુલ ગાંધીએ હિંદુઓનું જ અપમાન કરી દીધું છે જેની પાછળના કારણો આપણે ઉપર વાંચ્યાં. હવે આમ કરીને રાહુલ ગાંધીએ હિંદુઓને વધુ નારાજ કરી દીધા છે અને એને કારણે કોંગ્રેસની પરિસ્થિતિ તેઓ વધુ ખરાબ કરી ચુક્યા છે. કોઇપણ સનાતનધર્મી આ પ્રકારની વાહિયાત સરખામણીથી રોષ અનુભવે જ જેમાં શંકાને સ્થાન નથી.

    જોવાનું એ છે કે રાહુલ ગાંધીનું હિંદુઓનું કરેલું આ નવું અપમાન આ વર્ષે આવનારી અસંખ્ય વિધાનસભાઓની વિવિધ ચૂંટણીઓમાં કેટલું નડશે કારણકે ભાજપ આને અત્યારથી જ મુદ્દો બનાવી ચુક્યું છે અને આવનારી દરેક ચૂંટણીઓના પ્રચારમાં તેનો ઉપયોગ જરૂર કરવાનું છે જ.

    રાહુલ ગાંધીને ખરેખર તો ચાટુકારો નહીં પરંતુ ચતુરકારોની જરૂર છે જે એમને માત્ર સાચી રાજકીય સલાહ જ ન આપે પરંતુ સનાતન હિંદુ ધર્મનું યોગ્ય જ્ઞાન આપે. આ રીતે શોર્ટકટ દ્વારા રાહુલ ગાંધી લોકસભામાં કોંગ્રેસને વધુને વધુ બેઠકો નહીં અપાવી શકે એ ચોક્કસ છે. જો કે અત્યારે તો કોંગ્રેસે આ ડેમેજને કન્ટ્રોલ કેમ કરવી એ વિચારવાનું છે, પરંતુ કદાચ એવું નહીં થાય અને રાહુલ ગાંધી બહુ જલ્દીથી અને ફરીથી હિંદુ ધર્મનું અપમાન કરી બેસશે.

    મુંબઈ પોલીસે ચર્ચ સાથે જોડાયેલા કબ્રસ્તાનમાં તોડફોડ કરનાર દાઉદ અન્સારીની કરી ધરપકડ: માહિમ ચર્ચ પાસે 18 ક્રોસ તોડ્યા હતા, CCTVથી પકડાયો

    મુંબઈના પ્રસિદ્ધ માહિમ ચર્ચ સાથે જોડાયેલા કબ્રસ્તાનમાં 18 ‘ક્રોસ’માં તોડફોડ કરવા બદલ રવિવારે નવી મુંબઈમાંથી 22 વર્ષીય દાઉદ અન્સારીની ધરપકડ કરવામાં આવી છે તેવી પોલીસે માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કૃત્ય પાછળના હેતુની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈના ઉપનગર માહિમમાં સેન્ટ માઈકલ ચર્ચના કબ્રસ્તાનમાં કથિત રીતે ‘ક્રોસ’ તોડ્યા બાદ આરોપી શનિવારે સવારે ચર્ચમાં થોડો સમય બેસી રહ્યો હતો.

    અહેવાલો અનુસાર આરોપી દાઉદ અન્સારી તેના કાકાની દુકાનમાં કામ કરે છે. વિશેષ ટીમ દ્વારા ટેકનિકલ વિશ્લેષણ અને CCTV ફૂટેજ દ્વારા નવી મુંબઈના કલંબોલીમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

    ‘ઘણી એવી બાબતો સામે આવી છે જે જાહેર કરી શકાય નહીં’ – DCP

    પોલીસ અધિકારીએ કહ્યું, “તપાસ દરમિયાન કેટલીક એવી બાબતો સામે આવી છે જેને શેર કરી શકાતી નથી, કારણ કે આ મામલો ધાર્મિક સ્થળ સાથે સંબંધિત છે.” પોલીસે આ ઘટનાના સંદર્ભમાં ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

    ડીસીપીએ જણાવ્યું હતું કે તે એક ગંભીર ગુનો છે અને ઉમેર્યું હતું કે તેઓ તમામ બાબતોની તપાસ કરી રહ્યા છે, જેમાં આરોપી દાઉદ અન્સારીએ અન્ય કોઈની સાથે કાવતરું રચ્યું હોય તેવી શક્યતા પણ સામેલ છે. તેમણે કહ્યું કે તેઓને મળેલા વિડીયો ફૂટેજ મુજબ, દાઉદ અંસારી આ કૃત્ય કર્યા પછી થોડો સમય ચર્ચમાં હતો અને તરત જ સ્થળ પરથી ભાગી ગયો ન હતો. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે શા માટે માહિમ ગયો હતો અને તેના કોઈ સંબંધીઓ ત્યાં રહે છે કે કેમ.

    શનિવારે, 7 જાન્યુઆરી, થઇ હતી તોડફોડ

    શનિવારે (7 જાન્યુઆરી)ના રોજ માહિમ ચર્ચ ખાતે બનેલી ઘટના પછી તરત જ, ચર્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે માહિમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. કેથોલિક સમુદાયના કેટલાક સભ્યો અને રાજકીય નેતાઓએ અગાઉ આ ઘટનાની નિંદા કરી હતી અને આ મામલે ઝડપી પગલાં લેવા વિનંતી કરી હતી.

    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ પોલીસને આ મુદ્દાને “તાત્કાલિક સંજ્ઞાન” લેવા વિનંતી કરી હતી.

    ચૂંટણી પહેલાં ઇંધણના ભાવ ન વધારવાનું આપ્યું હતું વચન, સરકાર બન્યાના મહિનામાં જ ડિઝલ પરનો VAT વધાર્યો: હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારનો નિર્ણય

    હિમાચલ પ્રદેશમાં નવી બનેલી કોંગ્રેસ સરકારે ડિઝલ ઉપર લાગતા VATમાં વધારો કર્યો છે, જેના કારણે ઇંધણના ભાવો વધ્યા છે. રવિવારે (8 જાન્યુઆરી 2023) હિમાચલની સુક્ખુ સરકારે ડીઝલ ઉપર ત્રણ રૂપિયા VAT વધારવાનું એલાન કર્યું હતું, જેના કારણે ડીઝલની કિંમત વધી છે. 

    હિમાચલ પ્રદેશમાં પહેલાં ડિઝલ 83.02 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું હતું, જે હવે નવા ભાવ મુજબ 86.05 રૂપિયા પ્રતિ લિટર વેચાશે. રાજ્યમાં પેટ્રોલનો ભાવ હાલ 95.07 રૂપિયા/લિટર છે. આ પહેલાં ડિઝલ પર 4.40 રૂપિયા પ્રતિ લિટર VAT લાગતો હતો, જે હવે 7.40 લિટર લાગશે. 

    અહીં નોંધવા જેવી બાબત એ છે કે હાલમાં જ ગયેલી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીએ રાજ્યમાં સરકાર બને તો ડિઝલ અને પેટ્રોલના ભાવોમાં વધારો ન કરવા માટેનું એલાન કર્યું હતું. 

    ઓગસ્ટ મહિનામાં શિમલામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં સરકાર બનવા પર 300 યુનિટ વીજળી મફત આપવાનું તથા મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ઉપરાંત, સરકાર બનવા પર 5 લાખ નોકરીઓ આપવાનો પણ વાયદો કર્યો હતો. 

    આ જ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસ પાર્ટી તરફથી છત્તીસગઢના મુખ્યમંત્રી અને હિમાચલ પ્રદેશના કોંગ્રેસના ચૂંટણી નિરીક્ષક ભૂપેશ બઘેલને જ્યારે પૂછવામાં આવ્યું કે આ વાયદા પૂરા કરવા માટે તેઓ ભંડોળ ક્યાંથી લાવશે ત્યારે તેમણે કહ્યું હતું કે, તેઓ વર્તમાન (આગળની ભાજપ સરકાર)ની જેમ પેટ્રોલ-ડિઝલના ભાવો વધારીને ફંડ સરભર નહીં કરે. 

    ભૂપેશ બઘેલે કહ્યું હતું કે, જે રીતે (કોંગ્રેસ) પાર્ટી દ્વારા શાસિત અન્ય રાજ્યોમાં કરવામાં આવી રહ્યું છે તે જ રીતે અમે પણ તેની (ફંડની) વ્યવસ્થા કરીશું. હાલની સરકાર દ્વારા જે થઇ રહ્યું છે તેવી રીતે પેટ્રોલ-ડિઝલના ભાવો વધારીને ભંડોળ સરભર કરવામાં નહીં આવે.

    પાંચ મહિના પહેલાં કરેલો વાયદો ભૂલીને કોંગ્રેસ પાર્ટીએ સરકાર બન્યાના મહિનાની અંદર જ ડિઝલના ભાવમાં વધારો કરી દીધો હતો. 

    અહીં ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડિઝલ ઉપર અનેક પ્રકારના ટેક્સ લાગે છે. જેમાંથી અમુક ટેક્સ કેન્દ્ર સરકાર લગાવે છે અને અમુક જે-તે રાજ્યો લગાવે છે. રાજ્યો દ્વારા VAT લાગુ કરવામાં આવે છે. જે રાજ્ય-રાજ્ય પ્રમાણે જુદો-જુદો હોય છે. 

    ભાજપનાં મહિલા નેતાને મળી હતી હત્યા-રેપની ધમકીઓ, સમાજવાદી પાર્ટીનો ટ્વિટર હેન્ડલ સંચાલક પકડાયો: અખિલેશ પોલીસ મથકે દોડી ગયા

    સમાજવાદી પાર્ટીના મીડિયા સેલના ટ્વિટર ઓપરેટરની પોલીસે ધરપકડ કરી છે. તેની ઓળખ મનીષ જગન અગ્રવાલ તરીકે થઇ છે. યુપીની હઝરતગંજ પોલીસે તેની ધરપકડ કરી હતી. મનીષ જગન અગ્રવાલ પર ટ્વિટર હેન્ડલ મારફતે અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે. આ બાબતે તેની સામે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ઘણા કેસ નોંધાયા છે. બીજી તરફ, પોતાના કાર્યકરની ધરપકડની જાણ થતાં સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ પોલીસ મથકે દોડી ગયા હતા.

    પોલીસ મથકે પહોંચેલા અખિલેશ યાદવે ચા પીવાનો પણ ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, તેઓ પોલીસ મથકની ચા પીશે નહીં અને ચા પોતાની સાથે જ લાવશે. અમે પી નહીં શકીએ, ઝેર આપી દેશે? અમે બહારથી મંગાવી લઈશું.”

    2 દિવસ પહેલાં ભાજપ નેતા ડૉ. ઋચા રાજપૂતે કેસ નોંધાવ્યો હતો

    6 જાન્યાઆરીએ લખનઉમાં બીજેપી સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ડૉ. ઋચા રાજપૂતે સમાજવાદી મીડિયા સેલ નામના ટ્વિટર એકાઉન્ટ સામે બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. સાથે જ જો પોતાને કંઈ થાય તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ જવાબદાર હશે તેવું પણ કહ્યું હતું. ભાજપ યુવા મોરચાના સોશિયલ મીડિયા પ્રભારી ઋચા રાજપૂતે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, ‘સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકી આપવામાં આવી રહી છે, જો મને કંઈ થશે તો તેની જવાબદારી અખિલેશ યાદવની રહેશે.’ રિચાની ફરિયાદ પર લખનઉ પોલીસે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો.

    ભાજપ નેતા ઋચા રાજપૂતે આરોપ લગાવ્યો હતો કે સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલ અભદ્ર ભાષાનો સતત ઉપયોગ થઈ રહ્યો છે

    અગાઉ RSS સાથે સંકળાયેલા પ્રમોદ કુમાર પાંડેએ SP મીડિયા સેલ @MediaCellSP અકાઉન્ટ સંચાલક સામે વિભૂતીખંડ પોલીસ મથકે કેસ નોંધાવ્યો હતો. તેમણે પણ અભદ્ર ભાષાના ઉપયોગનો આરોપ લગાવ્યો હતો. એક મહિલા પત્રકારની સાથે બીજા બે પત્રકારોએ પણ લખનઉના અલગ-અલગ સ્થળોએ એસપી મીડિયા સેલ @MediaCellSP વિરુદ્ધ તેમની ફરિયાદ નોંધાવી હતી.

    વિદેશીઓએ તો વિમાનમાં મહિલાઓની સામે હસ્તમૈથુન પણ કર્યા છે અને જાહેરમાં શૌચ પણ કર્યું છે!: પરંતુ ભારતના પત્રકારો અનુસાર ભારતીયો જ સૌથી ખરાબ

    એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 70 વર્ષીય મહિલા સહ-યાત્રી પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાની પોલીસે ધરપકડ કરી છે. જો કે, જજ અનામિકાએ પોલીસ રિમાન્ડની માંગને ફગાવી દીધી હતી અને તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતી. આ સાથે જ અમેરિકન ફાઇનાન્શિયલ કંપની વેલ્સ ફાર્ગોએ પણ મિશ્રાને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. શંકર મિશ્રાના આ કૃત્યની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. જે સમયે શંકર મિશ્રાએ આવું કૃત્ય કર્યું તે સમયે તે ખૂબ જ નશામાં હતો. સામાન્ય માણસ પાસેથી આવા કૃત્યની અપેક્ષા રાખી શકાય નહીં. પરંતુ શંકર મિશ્રાના નશાના આધારે મીડિયા ગ્રુપ ‘ધ પ્રિન્ટ’ના ફાઉન્ડર એડિટર શેખર ગુપ્તા અને વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીએ તમામ ભારતીયોનું અપમાન કર્યું છે અને તેમણે ભારતીયોને સૌથી ખરાબ પ્રવાસીઓ ગણાવ્યા છે.

    અહીં અપમાન કર્યું એનો અર્થ એ છે કે કે શંકર મિશ્રાએ દારૂના નશામાં આ દુષ્કૃત્ય કર્યું તેની સાથે તમામ ભારતીય પ્રવાસીઓને સરખાવવા. જો તેણે ભારતીય ફ્લાઇટના મુસાફરોની સરખામણી કરવી હોય, તો તેણે તેમની તુલના ભારતીય મદ્યપાન કરનારાઓ સાથે કરવી જોઈએ, જેઓ દલીલ કરે છે કે જ્યારે નશામાં હોય ત્યારે તેઓ હોશ ગુમાવી દે છે. જો કે, ગુપ્તાએ તેમ ન કર્યું અને દેશના તમામ નાગરિકોને લપેટમાં લીધા હતા અને તમામ ભારતીયોને સૌથી ખરાબ ચીતરી દીધા હતા.

    આ પહેલીવાર નથી જ્યારે ગુપ્તા આ રીતે પોતાની ભડાશ નીકાળી રહ્યા હોય. જ્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર તલવાર લઈને પોતાને ‘રાજપૂત છોકરો’ ગણાવ્યો હતો, ત્યારે ગુપ્તાએ સમગ્ર ક્ષત્રિય જ્ઞાતિ પર પોતાની ભડાશ ઠાલવી હતી. એક પછાત વર્ગના પત્રકારની વાર્તાના નામે રાજપૂતોને ખૂબ અપમાનિત કરવામાં આવ્યા કે તેઓએ આજ સુધી શું કર્યું. હવે જેમણે ઈતિહાસ વાંચ્યો નથી અથવા જાણી જોઈને વાંચવા નથી માંગતા, તેમને કોણ જઈને કહેશે. આવો પ્રશ્ન પૂછનારા કદાચ હતાશાથી પીડાતા હોય છે.

    તેમણે ક્રિકેટર સુરેશ રૈના સાથે પણ આવું જ કર્યું, જ્યારે રૈનાએ પોતાને બ્રાહ્મણ ગણાવ્યો હતો. પોતાને બ્રાહ્મણ કહેવો એ ગુનો નથી, પણ મીડિયાએ હંગામો મચાવ્યો, જાણે એમ કહીને મોટી ભૂલ કરી હોય. ક્વિન્ટ પણ તેનો અપવાદ ન હતો.

    શેખર ગુપ્તા એક વ્યક્તિના આધારે સમગ્ર સમાજ અને દેશને સમેટી લેવામાં માહેર છે. આ વખતે પણ શંકર મિશ્રાને પોતાનો આધાર બનાવીને તેમણે ભારતીય જનતા પર નિશાન સાધ્યું છે. પોતાના ટ્વીટમાં શેખર ગુપ્તાએ લખ્યું, “એર ઈન્ડિયાની ઘટના દર્શાવે છે કે ભારતીયો વિશ્વના સૌથી ખરાબ પ્રવાસીઓ છે અને શું સમય આવી ગયો છે કે જેઓ અન્ય મુસાફરો અથવા ક્રૂ સાથે દુર્વ્યવહાર કરે છે તેમને દંડ કરવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે…”

    શેખર ગુપ્તાએ પોતાના મીડિયા હાઉસ ‘ધ પ્રિન્ટ’નો વિડીયો શેર કરતા આ વાત લખી છે. વિડીયોમાં વરિષ્ઠ પત્રકાર વીર સંઘવી ભારતીય મુસાફરો પર સવાલો ઉઠાવી રહ્યા છે અને તેમને સૌથી ખરાબ પેસેન્જર ગણાવી રહ્યા છે. મતલબ કે સંઘવી આ કહી રહ્યા છે અને શેખર ગુપ્તા તેના પ્લેટફોર્મ દ્વારા શેર કરી રહ્યા છે.

    પરંતુ, આવી ઘટનાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી સામે આવતી રહે છે, પરંતુ વ્યક્તિગત આચરણના આધારે ત્યાંનું મીડિયા સમગ્ર દેશના લોકોને દોષી ઠેરવતું નથી. આખા દેશની જનતાને ખોટી ગણવાની માનસિકતા પોતાને ભદ્ર અને બીજાને નિમ્ન સમજવાની માનસિકતા છે.

    હવે આપણે અહીં આવી જ કેટલીક ઘટનાઓની ચર્ચા કરીશું, જે હવાઈ મુસાફરી દરમિયાન બની હતી. મહત્વનું છે કે, આ ઘટનાઓ ભારતીય મુસાફરો દ્વારા કરવામાં આવી ન હતી. આ ઘટનાઓનો ઉલ્લેખ કરવાનો અમારો હેતુ શંકર મિશ્રાના કાર્યોની ગંભીરતા ઘટાડવાનો નથી, પરંતુ એ જણાવવાનો છે કે મિશ્રાની ભૂલ સમગ્ર જાતિ અથવા સમગ્ર ભારતીયોની ભૂલ ન કહી શકાય.

    ફ્લાઇટમાં શૌચ કર્યા પછી, સીટ અને પડદા પર મળ લગાવ્યું

    ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ, યુકેના લંડનના હીથ્રો એરપોર્ટથી નાઇજીરીયાના લાગોસ જતી ફ્લાઇટમાં એક મુસાફરે તેના પેન્ટના બટન ખોલ્યા અને ફ્લોર પર શૌચ કર્યું હતું. આટલું જ નહીં, શૌચ કર્યા પછી તે તેના પર બેસી ગયો અને પછી બાજુની બેઠકો તેમજ કાર્પેટ અને પડદા પર મળ લગાવવા લાગ્યો હતો. આ પછી તે ઊભો થયો અને ફ્લાઈટમાં અહીંથી ત્યાં દોડવા લાગ્યો હતો.

    જેના કારણે ફ્લાઈટમાં વિસ્તારપૂર્વક સફાઈ કરવામાં આવી હતી અને પડદા, સીટ કવર અને કાર્પેટ વગેરે બદલવા પડ્યા હતા. જેના કારણે ફ્લાઈટ ત્રણ કલાકથી વધુ મોડી પડી હતી. બાદમાં, બ્રિટિશ એરવેઝના અધિકારીઓએ મુસાફરોની માફી માંગી અને બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરી અને તેમને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા હતા.

    ફ્લાઇટમાં મહિલા સહ-પ્રવાસીની સામે ઘણી વખત હસ્તમૈથુન કર્યું

    એ જ રીતે, એપ્રિલ 2022માં, એક ફ્લાઇટમાં એક પેસેન્જરે એક મહિલાની સામે હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું હતું. આ ફ્લાઈટ અમેરિકાના સિએટલથી ફિનિક્સ જઈ રહી હતી. ત્રણ કલાકની ફ્લાઇટ દરમિયાન પુરૂષ મુસાફરે તેની મહિલા સહ-પ્રવાસીની સામે ઓછામાં ઓછા ચાર વખત હસ્તમૈથુન કર્યું હતું. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. શંકાસ્પદ, એન્ટોનિયો મેકગ્રિટીએ પોલીસને કહ્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી.

    વાસ્તવમાં, મહિલાએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે તેની બાજુમાં બેઠેલા પુરુષે તેને પૂછ્યું હતું કે જો તે હસ્તમૈથુન કરે છે તો તેને કોઈ સમસ્યા છે કે કેમ, તેણે તેના પેન્ટના બટન ખોલ્યા અને તેના પ્રાઈવેટ પાર્ટને ખુલ્લું પાડ્યું હતું. ત્યારે મહિલાએ કહ્યું કે તેને કોઈ સમસ્યા નથી. તે વ્યક્તિએ પછી હસ્તમૈથુન કરવાનું ચાલુ રાખ્યું અને જ્યારે તે ઊંઘી ગયો, ત્યારે મહિલાએ તેનો ફોટો ક્લિક કર્યો અને તેને ક્રૂને મોકલી દીધો હતો.

    મહિલાએ વારંવાર પોતાના અંડરગારમેન્ટ ઉતાર્યા

    માર્ચ 2021માં, એક 39 વર્ષીય મહિલા ફ્લાઇટ દરમિયાન વારંવાર તેના અન્ડરગાર્મેન્ટ્સ ઉતારી રહી હતી. તેનાથી કંટાળીને સહપ્રવાસીઓએ તેને સીટ સાથે દોરડાથી બાંધી દીધી હતી. રશિયાના વ્લાદિવોસ્તોકથી નોવોસિબિર્સ્ક જતી આ ફ્લાઈટમાં મહિલા ફ્લાઈટના 15 મિનિટ પછી પોતાની સીટ પરથી ઊભી થઈ ગઈ અને કોઈપણ કામ વગર ફરવા લાગી હતી. મેડિકલ તપાસમાં તેણે ડ્રગ્સ લીધું હોવાનું બહાર આવ્યું હતું.

    આ કેટલાક ઉદાહરણો છે. આવી ઘણી ઘટનાઓ છે, જે વ્યક્તિગત વર્તન દર્શાવે છે. આ ઘટનાઓના ગુનેગારો માટે તે દેશના તમામ લોકોને જવાબદાર ઠેરવી શકાય નહીં. એ જ રીતે એક ભારતીય નાગરિકના ખરાબ વર્તનના કારણે તમામ ભારતીયોને સૌથી ખરાબ ગણાવી શકાય નહીં.

    પરંતુ, આપણા મીડિયાના કેટલાક સ્વઘેલા લોકો ભારતના સામાન્ય લોકોને પોતાની શ્રેણીમાં માનતા નથી, તેથી જ્યારે આવી વસ્તુઓ સામે આવે છે, ત્યારે તેઓ દેશના લોકો પર બોજ નાખીને દેશના લોકોને પોતાનાથી અલગ બનાવવાનો પ્રયાસ કરે છે. આવો વર્ગ માત્ર રાજકારણમાં જ નહીં મીડિયામાં પણ છે.

    આરોપી અનીશને પકડીને લાવી રહ્યા હતા દિલ્હી પોલીસના અધિકારી, રસ્તામાં કરી દીધો હતો હુમલો: સારવાર દરમિયાન દમ તોડ્યો

    ચાર દિવસ પહેલાં દિલ્હી પોલીસના એક સહાયક સબ ઇન્સ્પેક્ટર (ASI) ઉપર એક ચોરીના આરોપીએ હુમલો કરી દીધો હતો. અધિકારીની ઓળખ શંભુ દયાળ તરીકે જ્યારે આરોપીની ઓળખ અનીશ તરીકે થઇ છે. હુમલા બાદ પોલીસ અધિકારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો છે. 

    દિલ્હી પોલીસે તેમના નિધનની જાણકારી આપી છે. હુમલા બાદ તેમને પેટ, છાતી અને ગરદનના ભાગે ઇજા થઇ હતી. ત્યારબાદ તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ બચી શક્યા ન હતા. 

    આ ઘટના દિલ્હીના માયાપુરી વિસ્તારમાં ગત 4 જાન્યુઆરીના રોજ બની હતી. દિલ્હી પોલીસના ASI શંભુ દયાળ એક ચોરીના કેસમાં અનીશને પકડીને માયાપુરી પોલીસ મથકે લાવી રહ્યા હતા. આ દરમિયાન આરોપીએ તેમની ઉપર ચાકુ વડે હુમલો કરી દીધો હતો અને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. 

    અનીશને લઈને અધિકારી આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં અનીશે શર્ટની નીચેથી ચાકુ કાઢીને અચાનક ASI ઉપર હુમલો કરી દીધો હતો. જેના કારણે તેમને ગરદન, છાતી, પીઠ અને પેટ સહિતના ભાગો ઉપર ઇજા થઇ હતી. 

    ઘટનાની જાણ થતાં જ માયાપુરી પોલીસ મથકના અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અનીશને ઝડપી લીધો હતો. તેની પાસેથી ચાકુ પણ મળી આવ્યું હતું. ત્યારબાદ તેની સામે આઇપીસીની વિવિધ કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

    4 જાન્યુઆરીની સાંજે લગભગ 4 વાગ્યે દિલ્હીના માયાપુરી પોલીસ મથકે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે એક ઈસમે તેના પતિનો મોબાઈલ આંચકી લીધો હતો અને ધમકીઓ આપી હતી. આ કેસની તપાસ ASI શંભુ દયાળને સોંપવામાં આવી હતી. 

    અધિકારીએ ફરિયાદી મહિલાને સાથે રાખીને દિલ્હી રેવાડી રેલવે લાઈન તરફ ગયા હતા. અહીં ઝુંપડપટ્ટીઓમાં મહિલાએ આરોપીને ઓળખી લીધો હતો. ત્યારબાદ શંભુ દયાળ તેની પાસે ગયા અને પ્રાથમિક પૂછપરછ બાદ તેને પકડી લીધો હતો. જ્યાંથી તેઓ તેને આગળની કાર્યવાહી માટે પોલીસ મથકે લાવી રહ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો થયો હતો. 

    હુમલા બાદ ASI શંભુ દયાળની સારવાર ચાલી રહી હતી અને તેઓ સુરક્ષિત હોવાના પણ અહેવાલો મળ્યા હતા. પરંતુ આજે સવારે તેમની તબિયત વધુ લથડી હતી અને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 57 વર્ષના હતા અને મૂળ રાજસ્થાનના વતની હતા. 

    અમદાવાદ: પત્નીએ પ્રેમી અનસ મન્સૂરી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા, લાશ કૂવામાં ફેંકી દીધી, ત્રણની ધરપકડ

    અમદાવાદ શહેરમાં એક હત્યા થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પ્રેમી અને બહેનપણી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક વ્યક્તિની ઓળખ મહેશ ઉર્ફે મયુર, મહિલાની ઓળખ મિરલ ઉર્ફે મીરા, તેના પ્રેમીની ઓળખ અનસ મન્સૂરી અને બહેનપણીની ઓળખ ખુશી તરીકે થઇ છે. ત્રણેયની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    મહિલાને પ્રેમી અનસ સાથે અનૈતિક સબંધો હતા, જેમાં નડતરરૂપ હોવાના કારણે તેણે બહેનપણી અને પ્રેમી સાથે કાવતરું રચીને પતિને મારી નાંખ્યો હતો. અનસે મહિલાના પતિને ખેતરમાં લઇ જઈને મારી નાંખ્યો હતો અને લાશ કૂવામાં ફેંકી દીધી હતી. 

    આ મામલે મૃતક યુવકના પિતાએ અમદાવાદના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેની નકલ ઑપઇન્ડિયા પાસે પણ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે, તેમના પુત્ર મહેશ ઉર્ફે મયુરનાં લગ્ન આઠેક વર્ષ અગાઉ મિરલ ઉર્ફે મીરા નામની યુવતી સાથે થયાં હતાં. છેલ્લા એક વર્ષથી મયુર તેના સસરાના ઘરે રહીને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરતો હતો. તેને સંતાનમાં 5 અને 3 વર્ષનો, એમ બે પુત્રો હતા. 

    10 દિવસ પહેલાં મહેશ, પત્ની મિરલ અને બે પુત્રો રાજસ્થાન ફરવા ગયા હતા. જ્યાંથી તેણે પિતાને ફોન કરીને પત્નીના અનૈતિક સબંધો વિશે જણાવીને કહ્યું હતું કે મિરલ રાજસ્થાન ફરવા આવેલા અનસ સાથે બંને દીકરાઓને મૂકીને બહાર ફરવા જતી રહે છે અને બંનેના અનૈતિક સબંધો હોવાની તેને શંકા છે. ફરિયાદ અનુસાર, યુવકે મહિલાને સબંધો વિશે પૂછતાં તેણે અને તેના પ્રેમીએ તેને ધમકી પણ આપી હતી. 

    ફરિયાદમાં પિતાએ જણાવવામાં આવ્યું કે, ગત 5 જાન્યુઆરીના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે મયુરે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તે બંને દીકરાઓ સાથે ગામડે આવી રહ્યો છે અને તેની પત્ની આવવાનો ઇનકાર કરી રહી છે. ત્યારબાદ નવ વાગ્યાના અરસામાં તેમણે ફરી ફોન કરતાં મિરલની બહેનપણીએ ઉપાડ્યો હતો અને મયુર ઘરે ન હોવાનું અને તેને અનસે બોલાવ્યો હોવાનું જણાવ્યું હતું. 

    ત્યારબાદ સવાર સુધીમાં પણ મયુર ઘરે ન આવતાં તેના પિતાએ અમદાવાદ રહેતા તેમના સબંધીઓને ફોન કરીને ઘરે તપાસ કરવા માટે કહેતાં સબંધીઓ મિરલના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમને મયુર રાત્રે ક્યાંક જતો રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતક યુવકના પિતા પણ પહોંચ્યા હતા. 

    યુવકના પિતાએ ઘણી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળતાં અમદાવાદ પોલીસ મથકે જઈને ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે મિરલ, ખુશી અને અનસને બોલાવીને પૂછપરછ કરતાં ત્રણેયે મયુરની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.   

    પોલીસને જણાવ્યું હતું કે, અનસે ખેતરમાં લઇ જઈને તીક્ષ્ણ હથિયાર વડે મયુરના ગળાના ભાગે હુમલો કરી દીધો હતો અને તે મૃત્યુ પામ્યા બાદ કોઈને મળે નહીં તે મકસદથી ખેતરની નજીકમાં આવેલા કૂવામાં લાશ ફેંકી દીધી હતી. ત્યારબાદ પોલીસે આરોપીઓને સાથે લઈ જઈને તપાસ કરતાં કૂવામાંથી લાશ મળી આવી હતી. 

    આ મામલે પોલીસે ત્રણેય આરોપી સામે IPCની કલમ 302, 201, 120B અને 506(2) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો દાખલ કરી, ધરપકડ કરી, આગળની તપાસ શરૂ કરી છે. 

    ‘મુંબઈમાં થશે 1993 જેવા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ, નિર્ભયા જેવા બળાત્કાર, રમખાણો…’: ધમકી આપનાર નબી ખાન પોલીસના હાથે પકડાયો

    મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ફોન કરીને એક વ્યક્તિએ 1993 જેવા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ, નિર્ભયા જેવા બળાત્કાર કેસ અને રમખાણોની ધમકી આપી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. આરોપીની ઓળખ નબી યાહ્યા ખાન તરીકે થઈ છે. આરોપીએ ફોન કરીને દાવો કર્યો હતો કે તેની સાથે આ કાવતરામાં કોંગ્રેસના ધારાસભ્ય પણ સામેલ છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે (7 જાન્યુઆરી, 2023) મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. રમખાણોની ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે બે મહિનામાં મુંબઈમાં 1993ના બોમ્બ બ્લાસ્ટની જેમ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થશે. ધમકી સાથે કહેવામાં આવ્યું હતું કે આ બ્લાસ્ટ મુંબઈના માહિમ, ભીંડી બજાર, નાગપાડા અને મદનપુરા વિસ્તારમાં થશે.

    નબી ખાનનો દાવો – બીજા રાજ્યોમાંથી આવ્યા છે લોકો

    આ સિવાય આરોપીએ દાવો કર્યો હતો કે મુંબઈમાં નિર્ભયા ગેંગ-રેપ જેવું કાંડ અને ભયાનક રમખાણો થવાના છે. આ તમામ કામો માટે અન્ય રાજ્યોમાંથી લોકોને બોલાવવામાં આવ્યા છે. મિડ ડેના અહેવાલ મુજબ, ધમકીભર્યા ફોન કરનાર આરોપીએ એવો પણ દાવો કર્યો હતો કે આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય પણ સામેલ છે.

    મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમને ધમકીભરેલો કોલ મળ્યા પછી, મુંબઈ પોલીસ સહિત તમામ સુરક્ષા અને તપાસ એજન્સીઓ સક્રિયપણે મામલાની તપાસ કરી રહી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી શાખા (ATS)એ એક વ્યક્તિની ધરપકડ કરી છે.

    આરોપીની ઓળખ નબી યાહ્યા ખાન ઉર્ફે કેજીએન ઉર્ફે લાલા તરીકે થઈ છે. ATSએ તેની મલાડના પઠાણવાડી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

    નબી યાહ્યા ખાન વિરુદ્ધ લૂંટ અને છેડતી સહિતના કુલ 12 ગુનાહિત કેસ નોંધાયેલા છે. ATSએ આરોપીને આઝાદ મેદાન પોલીસને સોંપી દીધો છે. હવે આઝાદ મેદાન પોલીસ તેની પૂછપરછ કરશે અને કેસ સાથે જોડાયેલા રહસ્યો કાઢવાનો પ્રયાસ કરશે.

    અફઝલે સગીરાને આશિષ બનીને પ્રેમજાળમાં ફસાવી, બળાત્કાર કર્યા બાદ ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ: યુપીના બાંદામાં લવ જેહાદ, પોલીસે કરી ધરપકડ

    હવે યુપીના બાંદા જિલ્લામાંથી લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આરોપ છે કે એક હિંદુ સગીરાને પહેલા અફઝલે પોતાને આશિષ તરીકે ઓળખ આપી પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારપછી તેનું અસલી નામ જણાવીને તેની સાથે બળજબરીથી લગ્ન કર્યા અને પાછળથી ધર્મપરિવર્તન માટે દબાણ કર્યું હતું.

    આટલું જ નહીં, અહેવાલો અનુસાર, અફઝલ દ્વારા સગીરાનો અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જો કે તે યુવતી સાથે ભાગવા માંગતો હતો, પરંતુ પોલીસની તત્પરતાના કારણે તેને રેલ્વે સ્ટેશન પરથી પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે સગીર યુવતીને પણ બચાવી લીધી છે. હવે પોલીસ યુવતીને કોર્ટમાં રજૂ કરશે અને તેનું નિવેદન નોંધશે.

    શું છે આખો મામલો?

    વાસ્તવમાં આ સમગ્ર મામલો બાંદા જિલ્લાના અટારા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આરોપ છે કે અહીં 14 વર્ષની હિન્દૂ છોકરીને અફઝલે પોતાને આશિષ તરીકે ઓળખાવ્યો અને તેને પ્રેમ પ્રકરણમાં ફસાવી હતી. પછી 2 જાન્યુઆરીએ બપોરે યુવતીને પોતાની સાથે લઈ ગયો હતો. જે બાદ કિશોરીના પરિજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

    આ પછી, પોલીસ અધિક્ષક અભિનંદનના આદેશ પર, ત્રણ પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. શનિવારે પોલીસને ખબર પડી કે આરોપી યુવક યુવતી સાથે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે. જે બાદ પોલીસ બાંદા રેલવે સ્ટેશન પહોંચી અને આરોપીની ધરપકડ કરી હતી.

    ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવી તો આરોપી યુવકે પોતાનું સત્ય જણાવ્યું કે તેણે સગીર છોકરીને કેવી રીતે ફસાવી હતી. હાલ પોલીસે આરોપી યુવક અફઝલને જેલમાં મોકલી દીધો છે અને કોર્ટમાં યુવતીનું નિવેદન નોંધવાની તૈયારી ચાલી રહી છે.

    POCSO અને લવ જેહાદ કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાઈ

    આ કેસની માહિતી આપતાં પોલીસ અધિક્ષક અભિનંદને જણાવ્યું હતું કે 2 જાન્યુઆરીએ અટારા પોલીસ સ્ટેશનમાં કેસ ક્રાઇમ નંબર 3/23 કલમ 363, 376, 3/4 પોક્સો એક્ટ અને 3/5 એક્ટ અગેઇન્સ્ટ કન્વર્ઝન હેઠળ નોંધવામાં આવ્યો હતો.

    કેસ નોંધાયા બાદ પોલીસની 3 ટીમો બનાવવામાં આવી હતી જે બાદઆરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ આરોપી અફઝલ ઉ.અઝીઝ બક્ષ જિલ્લા હમીરપુર પોલીસ સ્ટેશન મૌધા ઇચૌલીનો રહેવાસી છે. સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને જેલમાં મોકલી આપ્યો હતો. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.