Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોહમ્મદ ઝુબૈરને વધુ એક કેસમાં 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલાયો: લખીમપુરમાં નોંધાયેલ...

    મોહમ્મદ ઝુબૈરને વધુ એક કેસમાં 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલાયો: લખીમપુરમાં નોંધાયેલ કેસ મામલે કાર્યવાહી

    મોહમ્મદ ઝુબૈરને કોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લખીમપુરની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    તથાકથિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરને (Mohammad Zubair) લખીમપુર ખીરી કોર્ટે 14 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં (Judicial Custody) મોકલી આપ્યો છે. લખીમપુરમાં મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ આ મામલે તેને મોહંમદી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ઝુબૈરને 14 દિવસ માટે ન્યાયિક હિરાસત આપી હતી. 

    મોહમ્મદ ઝુબૈરને કોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો હતો. વધુમાં તેની સામે દાખલ કરવામાં આવેલ FIRમાં આઈપીસીની કલમ 153B, 505(1)(B), 505(2) ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત એમ પણ જાણવા મળ્યું છે કે કોર્ટ મોહમ્મદ ઝુબૈરની જામીન અરજી પર આગામી 13 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરશે. 

    મોહમ્મદ ઝુબૈર હાલ દિલ્હીમાં નોંધાયેલા એક કેસ મામલે કસ્ટડીમાં છે. જોકે, ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે તેની સામે ઉત્તરપ્રદેશના સીતાપુરમાં નોંધાયેલા કેસ મામલે પાંચ દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. જોકે, તેની સામે દિલ્હીમાં પણ કેસ નોંધાયેલો હોવાના કારણે ઝુબૈર કસ્ટડીમાં જ રહ્યો હતો. 

    - Advertisement -

    હાલ જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે તે કેસ લખીમપુર ખીરીમાં (Lakhimpur Kheri) સપ્ટેમ્બર 2021માં નોંધવામાં આવ્યો હતો. જે સુદર્શન ન્યૂઝના સ્થાનિક બ્યુરો ચીફ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં મોહમ્મદ ઝુબૈર પર એક ટ્વિટ દ્વારા કોરોનાકાળ જેવા સમયે પણ દુનિયાભરના મુસ્લિમોને ભડકાવવાનો તેમજ ભારતની છબી ખરડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે મામલે FIR નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.  

    ફરિયાદ કરનાર આશિષ કુમારે જણાવ્યું કે, ‘ઝુબૈરે 14 અને 15 મે 2021ના રોજ સુદર્શન ન્યૂઝ પર પ્રસારિત એક ગ્રાફિક્સને મદીનાની અલ-નવાબી મસ્જિદ બતાવીને આખા દેશમાં સાંપ્રદાયિક માહૌલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ગ્રાફિક્સ સુદર્શન ન્યૂઝ પર ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ 2021 પર આધારિત એક શૉ દરમિયાન પ્રતીકાત્મક તસ્વીર તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું અને જેને ઝુબૈરના દાવા સાથે કોઈ સબંધ નથી. ઝુબૈરે આમ કરીને દુનિયાભરમાં ભારતની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે.’

    આ કેસમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને મોહમ્મદ ઝુબૈરની કસ્ટડી મેળવવા માટે વોરન્ટ B દાખલ કરવામાં આવ્યું હતું. જે બાદ આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે મોહમ્મદ ઝુબૈરને 14 દિવસની ન્યાયિક હિરાસત આપી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં