Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામના મુખ્યમંત્રીએ AAP નેતાના પુત્રના મૃત્યુ માટે માફી માંગી, કહ્યું 'મને શરમ...

    આસામના મુખ્યમંત્રીએ AAP નેતાના પુત્રના મૃત્યુ માટે માફી માંગી, કહ્યું ‘મને શરમ આવે છે કે અમારી સરકાર હોવા છતાં બૈદુલ્લા ખાન ઘુસી આવ્યો’: પોલીસને ઠપકો આપ્યો

    આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ આમ આદમી પાર્ટીના આસામના નેતાના પુત્રના આપઘાત બાદ તેમની માફી માંગી છે.

    - Advertisement -

    આસામના મુખ્યમંત્રીએ AAP નેતાના પુત્રના મૃત્યુ માટે માફી માંગી હતી, આસામના દિબ્રુગઢમાં પશુ અધિકાર કાર્યકર્તા વિનીત બાગડિયાના આત્મહત્યા કેસમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પરિવારજનોની માફી માંગી છે. તેમણે પરિવારની સામે પોલીસને ઠપકો આપતા કહ્યું કે જે બન્યું તેનાથી તેઓ શરમ અનુભવે છે. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ આરોપીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.

    ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સીએમ સરમા પોલીસને ઠપકો આપતા સાંભળી શકાય છે, વિડીયોમાં તેઓ પૂછે છે કે શું સરકાર એટલી નબળી પડી ગઈ છે કે બૈદુલ્લા ખાન અહીં આવી ગયો. તેમણે કહ્યું કે તે આજે જેટલી શરમ અનુભવે છે તેના કરતાં વધુ ક્યારેય ન હોઈ શકે.

    તેમણે પોલીસને પૂછ્યું હતું કે, “ માફિયા (બૈદુલ્લા ખાન) તમારા હોવા (પોલીસ/પ્રશાશન) છતા અહીં આવ્યો અને પરિવારને હેરાન કર્યો, અને તમને એની જાણ જ નથી? શું આ રીતે વહીવટ ચાલશે? તમે યુનિફોર્મ પહેરો છો પણ તે પ્રમાણે કામ કરતા નથી… આ ડિબ્રુગઢ જિલ્લા વહીવટીતંત્રની સદંતર નિષ્ફળતા છે. હું શું સાંભળી રહ્યો છું? આ લોકો શું કહે છે, મારું મગજ કામ નથી કરી રહ્યું. કદાચ કાશ્મીર-શ્રીનગરમાં પણ આવું ન બન્યું હોત. હું આજે જેટલી શરમ અનુભવું છું તેટલી ક્યારેય નથી અનુભવી.”

    - Advertisement -

    વધુમાં તેમણે કહ્યું હતું કે, “આ ઘટના ત્યારે બની જ્યારે હું મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યો છું. હું આ ઘટનાથી દુખી છું તેથી હું બાગડિયાના માતા-પિતા અને રાજ્યની જનતાની માફી માંગુ છું.”

    ઉલ્લેખનીય છે કે પશુ અધિકાર કાર્યકર્તા વિનીત બાગડિયાએ ગુરુવારે (7 જુલાઈ 2022) દિબ્રુગઢમાં શનિ મંદિર માર્ગ પર પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમણે પોતાનો જીવ આપતા પહેલા એક વીડિયો રેકોર્ડ કર્યો હતો અને જણાવ્યું હતું કે કેવી રીતે બૈદુલ્લા ખાન અને સંજય શર્મા, નિશાંત શર્મા નામના વ્યક્તિ દ્વારા તેમને પીડિત કરવામાં આવ્યાં હતા. તેમણે કહ્યું કે ભાડાની જમીનના મુદ્દે તેને અને તેના પરિવારને લાંબા સમયથી હેરાન કરવામાં આવી રહ્યા હતા.

    બૈદુલ્લાને ભાડે જમીન આપવા બદલ બાગડિયા પરિવાર ભોગ બન્યો

    મળતી માહિતી મુજબ વિનીત બાગડિયાના પરિવારનો બૈદુલ્લા સાથે ઘણા વર્ષોથી વિવાદ ચાલતો હતો. વિનીતના પિતા કૈલાશે તેમના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર સંજયને બિઝનેસ માટે જગ્યા ભાડે આપી હતી. આ પછી સંજયે તે જગ્યા બૈદુલ્લાને ભાડે આપી હતી. તેણે તે જગ્યાએ મોટરસાયકલના સ્પેરપાર્ટ વેચતી દુકાન ખોલી હતી.

    જ્યારે વિનીતના પરિવારના સભ્યો જમીન ખાલી કરવા માંગતા હતા ત્યારે સામા પક્ષે જગ્યા ખાલી કરવાની ના પાડી હતી. આટલું જ નહીં, કૈલાશના કહેવા પ્રમાણે, બૈદુલ્લાએ દુકાનનું ભાડું પણ આપ્યું ન હતું અને દુકાન પણ છોડી ન હતી. ભારે વિવાદ બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પરંતુ બૈદુલ્લાનો બગડિયા પરિવારને ત્રાસ આપવાનું બંધ ન થયું. અંતે કંટાળીને વિનીતે થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ પ્રશાસનનું ધ્યાન આ બાબત પર ગયું હતું.

    વિનીત બાગડિયા AAP નેતાના પુત્ર હતા

    હવે પોલીસે બૈદુલ્લાની ધરપકડ કરી છે જ્યારે ઈજાઝ ખાન નામનો એક આરોપી હજુ ફરાર છે. ગુરુવારે વિનીતનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. તે એનિમલ વેલફેર પીપલ નામની એનજીઓ ચલાવતો હતો. પ્રાણીઓના અધિકારો માટે અવાજ ઉઠાવવાને કારણે તેઓ ડિબ્રુગઢનું પ્રખ્યાત હતા. તેમના પિતા કૈલાશ કુમાર પણ સીએ હતા. ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા પણ છે. જેમણે AAP વતી નાગરિક ચૂંટણી લડી હતી. તેણે પોતાના પુત્રની આત્મહત્યા માટે ત્રણ લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. જે બાદ બીજા જ દિવસે બૈદુલ્લા ખાન અને નિશાંતની પોલીસે ધરપકડ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં