Tuesday, March 31, 2026
More
    Home Blog Page 283

    કચ્છની હિંદુ યુવતી બની લવ જેહાદનો શિકાર: ઓનલાઈન ગેઇમમાં મળેલો ‘જીગર’ નીકળ્યો જિયાદ, ભાંડો ફૂટતાં ધર્માંતરણ માટે દબાણ કર્યું હોવાની ફરિયાદ

    કચ્છના ભુજમાં એક હિંદુ યુવતી લવ જેહાદનો શિકાર બની હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપ છે કે જિયાદ નામના મહારાષ્ટ્રના પુણેના એક મુસ્લિમ યુવકે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર ‘જીગર’ બનીને હિંદુ યુવતીને ફસાવી હતી. આરોપ તેવો પણ છે કે તેણે યુવતી પર 2 વાર બળાત્કાર પણ ગુજાર્યો હતો. હાલ કચ્છ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ માંડવી તાલુકાના એક ગામનો હિંદુ પરિવાર વર્ષોથી મુંબઈ ખાતે રહેતો હતો. લગભગ ત્રણ વર્ષ અગાઉ પરિવારની દીકરી ઓનલાઈન મોબાઈલ ગેઇમ મારફતે જીગર’ નામની આઈડી ધરાવતા વ્યક્તિના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં બંને સામાન્ય રીતે સાથે ગેમ રમતા થયાં. થોડા સમય બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. સોશિયલ મીડિયા અકાઉન્ટ મારફતે આરોપી જિયાદ ઉર્ફે જીગર પોતે મંદિરમાં હોય અને ભગવાનમાં આસ્થા ધરાવતો હોય તેવા અનેક ફોટા યુવતીને મોકલતો રહેતો.

    બળાત્કાર બાદ ઇસ્લામ કબૂલવા દબાણ

    નોંધવું જોઈએ કે આ સમયે યુવતી સગીર વયની હતી. પરિવાર મુંબઈ રહેતો હોવાથી આરોપીએ બે વખત તેના ઘેર જઈને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના બાદ પીડિતાએ તેને લગ્ન કરવા દબાણ કરતા અંતે તેણે પોતે જ ભાંડો ફોડી દીધો હતો. આરોપીએ તેને કહ્યું હતું કે તે જીગર નથી પરંતુ જિયાદ ઊર્ફે સમીર લતીફ શેખ છે અને પુણેના કાલથણનો રહેવાસી છે. યુવતીને જેવી જાણ થઇ કે તે જેને જીગર સમજે છે તે મુસ્લિમ વ્યક્તિ છે અને તે લવ જેહાદનો શિકાર બની છે, તેણે તરત જ તેની સાથેના સંબંધોનો અંત આણ્યો. જોકે ફરિયાદ છે કે તેમ છતાં આરોપી તેને નિકાહ કરવા અને ઇસ્લામ કબૂલ કરી લેવા દબાણ કરી રહ્યો હતો.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, જિયાદનો ત્રાસ એ હદે વધી ગયો કે કંટાળીને યુવતીનો પરિવાર થોડા સમય પહેલાં કચ્છ પરત આવી ગયો. પરત આવ્યા બાદ પરિવારે પીડિતાની સગાઈ કરવી દીધી હતી અને આ જાણીને આરોપી ઉશ્કેરાયો હતો. તેણે યુવતીના ભાઈના નામનું સોશિયલ મીડિયા હેન્ડલ બનાવીને તેના જ ભાઈને બહેન સાથેના અભદ્ર ફોટોગ્રાફ મોકલી વાયરલ કરી દીધા હતા. ફોટો વાયરલ થતાં પીડિત યુવતીની સગાઈ પણ તૂટી ગઈ હતી. અંતે કંટાળીને યુવતીએ તેના વિરુદ્ધ ભુજ સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ કરી હતી.

    પોક્સો અને એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધાયો

    જ્યારે જિયાદે તેનો બળાત્કાર કર્યો ત્યારે યુવતી સગીર હોવાના કારણે પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021ની કલમ 4 અને પોક્સો એક્ટની કલમ 4, 6 અને 10 હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ ઈપીકોની કલમ 376(2)(N), 506 તથા યુવતી અનુસૂચિત જાતિની હોવાથી એટ્રોસિટી એક્ટની કલમો પણ લગાડવામાં આવી છે. ફેક આઈડી બનાવવાના ગુનામાં આરોપી વિરુદ્ધ IT એક્ટની કલમ 66C, 66D, 66E અને 67 અંતર્ગત પણ ગુનો નોંધવામાં આવી છે.

    નોંધવું જોઈએ કે આ આખા કેસને એસસીએસટી સેલના ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચન જોઈ રહ્યા છે. ઑપઇન્ડિયાએ કેસમાં વધુ વિગતો લેવા માટે તેમનો સંપર્ક સાધ્યો હતો પરંતુ થઇ શક્યો નહોતો. વધુ માહિતી મળતાંની સાથે જ આ લેખને અપડેટ કરવામાં આવશે.

    UCC લાગુ કરવા તૈયાર ઉત્તરાખંડ, CM ધામીને સોંપાયો નિયમાવલીનો અંતિમ ડ્રાફ્ટ: વિધાનસભા પાસ કરી ચૂકી છે બિલ, 9 નવેમ્બરે સ્થાપના દિવસે લાગુ થવાની શક્યતા

    ઉત્તરાખંડમાં (Uttarakhand) યુનિફોર્મ સિવિલ કોડના (Uniform Civil Code) સુચારુ અમલને માટે રચાયેલી સમિતિએ શુક્રવારે CM પુષ્કર સિંઘ ધામીને (Pushkar Singh Dhami) તેનો ડ્રાફ્ટ સુપરત કર્યો છે. હવે UCC અમલીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 23 ઓક્ટોબરે કેબિનેટની બેઠકમાં UCC નિયમો રજૂ કરાય એવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ 9મી નવેમ્બરે ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસ પર સમગ્ર રાજ્યમાં UCC લાગુ થાય એવું માનવામાં આવી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે જો ઉત્તરાખંડમાં UCC લાગુ થાય તો સ્વતંત્રતા બાદ આ પ્રકારનો કાયદો ઘડનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બનશે. ઉત્તરાખંડના CM પુષ્કર સિંઘ ધામીએ આ મામલે જાણકારી આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “યુનિફોર્મ સિવિલ કોડ અંગે રચાયેલી સમિતિએ આજે સચિવાલયને નિયમોનો ડ્રાફ્ટ સોંપ્યો. ઉત્તરાખંડના દરેક રહેવાસી માટે આ ગર્વની ક્ષણ છે કે આપણું રાજ્ય સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે.”

    તેમણે આગળ લખ્યું હતું કે, “નિષ્ણાત સમિતિ દ્વારા તૈયાર કરાયેલ નિયમાવલીમાં લગ્ન અને છૂટાછેડાની નોંધણી, લિવ-ઇન રિલેશનશિપ, જન્મ-મૃત્યુની નોંધણી અને ઉત્તરાધિકાર સંબંધિત નિયમોને લગતી પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામાન્ય જનતાની સુવિધા માટે આ હેતુ માટે એક પોર્ટલ અને મોબાઈલ એપ પણ તૈયાર કરવામાં આવી છે.” તેમણે કહ્યું હતું કે, “UCC તમામ નાગરિકોને સમાન કાનૂની અધિકાર પ્રદાન કરશે. તેના અમલીકરણથી આપણી માતૃશક્તિ સામાજિક અને આર્થિક રીતે વધુ શક્તિશાળી બનશે.”

    આ સિવાય મીડિયા વાતચીતમાં ધામીએ કહ્યું હતું કે UCC કોઈને ટાર્ગેટ કરવા માટે લાવવામાં આવ્યું નથી. UCCના સકારાત્મક પાસા દર્શાવતા ધામીએ કહ્યું કે, “રાજ્યમાં દરેક માટે કાયદા અને ન્યાયમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે UCC લાવવામાં આવ્યું છે. UCC કાયદો રાજ્યના તમામ લોકોને લાભ કરશે, ખાસ કરીને તે મહિલાઓને સશક્ત કરશે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરશે.”

    ઉલ્લેખનીય છે કે, UCC બિલ 06 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ખરડો 07 ફેબ્રુઆરીએ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી રાજભવનમાંથી બિલ રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. 11 માર્ચે, રાષ્ટ્રપતિએ UCC બિલને મંજૂરી આપી દીધી હતી. ત્યારપછી UCC કાયદાના નિયમો ઘડવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ 8 ઓક્ટોબરના રોજ તેનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરી દીધો હતો, જે આજે ​​18 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારને હિન્દી અને અંગ્રેજી બંને સંસ્કરણોમાં સુપરત કર્યો હતો.

    અજમેર દરગાહના ખાદીમ સરવર ચિશ્તીએ રામગોપાલ મિશ્રાની હત્યાને ઠેરવી વ્યાજબી: કહ્યું- જે થવું જોઇએ-તે જ થયું, ફૂલ થોડાં વરસશે?

    ઉત્તર પ્રદેશના બહરાઈચમાં થયેલી હિંસામાં (Bahraich Violence) નિર્દોષ હિંદુ યુવક રામગોપાલ મિશ્રાની હત્યાને વાજબી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અજમેરમાં ખાદીમોની સંસ્થા ‘અંજુમન સૈયદ જાદગાન’ના સચિવ અને અજમેર દરગાહના ખાદીમ સરવર ચિશ્તીએ (Khadim Sarwar Chishti) રામગોપાલ મિશ્રાની હત્યાને (Ramgopal Mishra Murder) વાજબી ઠેરવતા કહ્યું કે, “જે થવું જોઈએ, તે જ થયું છે. જો મુસ્લિમોને ગાળો ભાંડવામાં આવશે તો કાઈ ફૂલ નહીં વરસે.”

    સરવર ચિશ્તીનું આ નિવેદન મોટાભાગની મીડિયાએ કવર કર્યું છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર તેમણે કહ્યું છે કે, “ઘર પર ચઢીને લીલો ઝંડો ઉતારીને ધર્મ વિશેષનો ઝંડો ફરકાવવામાં આવી રહ્યો છે. તો પછી ફૂલ થોડી વરસવાના છે? જે થવું જોઈએ, તે જ થયું છે.” સરવર ચિશ્તીના આ નિવેદનનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં તેઓ હત્યાની નિંદા કરવાની જગ્યાએ વાજબી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    આ વિડીયોમાં સરવર ચિશ્તી રામગોપાલ મિશ્રાની થયાની નિંદા કરવાની જગ્યાએ, કટ્ટરમાંથીઓ દ્વારા કરવામાં આવેલા કૃત્યની તરફેણમાં દલીલો કરતા સાંભળી શકાય છે. તેઓ કહી રહ્યા છે કે, “હવે તો આ કાયમનું થઇ ગયું છે. અમારા મઝહબી ઉલેમાઓની શાનમાં ગુસ્તાખી કરવામાં આવી રહી છે. આજ સુધી એક પણ નથી પકડાયો. અમારા જૂલુસ નીકળે ત્યારે અમે તો કોઈને ગાળો નથી આપતા. શાંતિથી જૂલુસ કાઢીએ છે. આ બધું જ માત્ર એક તરફથી થઇ રહ્યું છે.”

    પોતાના આ જ વિડીયોમાં સરવર ચિશ્તી તાજેતરમાં થયેલા બાબા સિદ્દીકી હત્યાકાંડનો ઉલ્લેખ કરીને કહે છે કે દેશના નામચીન મુસ્લિમોની હત્યા કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, ચિશ્તીએ સાંપ્રદાયિક સૌહાર્દ પર પ્રશ્નાર્થ લગાવવા અને સરકારને ઘેરવાના પ્રયાસરૂપે પંજાબી ગાયક કલાકાર સિદ્ધુ મુસેવાલાની હત્યા યાદ કરીને કહ્યું કે, ક્યારેક મુસ્લિમો, તો ક્યારેક શીખોને મારવામાં આવી રહ્યા છે. આમાં સરકારનો હાથ ન હોય તો આમ કેમ થઈ શકે?

    વિવાદિત નિવેદનો આપવા માટે કુખ્યાત છે સરવર ચિશ્તી

    નોંધવું જોઈએ કે આ કોઈ પહેલી વાર નથી કે સરવર ચિશ્તીએ વિવાદિત નિવેદન આપ્યું હોય. તેઓ આ પહેલા પણ અનેક વાર આ પ્રકારની હરકત કરીને મુસ્લિમોને ભડકાવી ચૂક્યા છે. એક વાર તેમણે કહ્યું હતું કે, “ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવી સિસ્ટમ ચલાવવામાં આવી રહી છે, જેના દ્વારા મુસ્લિમો અને ઇસ્લામ વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે. ક્યારેક લવ જેહાદ, લેન્ડ જેહાદ, યુપીએસસી જેહાદ તો ક્યારેક આપણા પયગમ્બર મોહમ્મદની શાનમાં ગુસ્તાખી થઇ રહી છે. મદ્રેસાઓ અને મસ્જિદો શહીદ થઈ રહી છે, જે ના-કાબિલ-એ-બર્દાશ્ત થઇ ગઈ છે.”

    આ પહેલા સરવર ચિશ્તીએ અજમેર-92 ફિલ્મ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. અહેવાલો અનુસાર, સરવરે કહ્યું હતું, “છોકરી ચીજ એવી હોય છે…. મોટા-મોટા ફસડાઈ પડે છે. માણસ પૈસાથી ભ્રષ્ટ ન થઈ શકે, મૂલ્યોથી ભ્રષ્ટ ન થઇ શકે. છોકરીઓ ચીજ જ એવી છે કે ભલભલા લપટી જાય છે. પેલા હતા ને, શું નામ હતું એમનું? જે વૃક્ષ નીચે બેઠા હતા, વિશ્વામિત્ર જેવા ફસડાઈ શકે. ઠીક છે, જેટલા બાબાઓ જેલમાં છે. આ એકમાત્ર એવા લોકો છે જે છોકરીના કેસમાં ફસાયેલા છે. આ એક એવો વિષય છે કે, ભલભલા ફસાઈ જાય છે.”

    આવી જ રીતે 2022માં એક વખત સરવર ચિશ્તીએ કહ્યું હતું કે જ્યારે મુસ્લિમ સમાજે નૂપુર શર્માની ધરપકડ સામે સરઘસ કાઢ્યું તો પછી હિંદુ સમાજે સરઘસ કેમ કાઢ્યું. તેનાથી લાગણીઓ દુભાઈ. આ ઉપરાંત સરવરે એમ પણ કહ્યું હતું કે, જો નબીની શાનમાં ગુસ્તાખી કરવામાં આવશે તો આખું ભારત હચમચી જશે. તેઓ એમ પણ માને છે કે ભારત સરકારે જે પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો છે તે એક એવું સંગઠન છે જે મુસ્લિમોનો અવાજ ઉઠાવે છે.

    ‘ફરિયાદીની દીકરીઓ પુખ્ત, આશ્રમમાં રહેવાનો નિર્ણય તેમનો પોતાનો’: સદગુરુના ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ ચાલતો કેસ સુપ્રીમે બંધ કર્યો

    છેલ્લા કેટલાક સમયથી પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ (Sadguru Jaggi Vasudeva) અને તેમનું ઈશા ફાઉન્ડેશન (Isha Yoga Centre) ચર્ચામાં છે. તેમના આશ્રમ પર આરોપ હતા કે તેમણે બે યુવતીઓને બળજબરીથી આશ્રમમાં રાખી છે. મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) આ મામલે પોલીસ કાર્યવાહીના પણ આદેશો આપ્યા હતા. ત્યારે હવે સદગુરુ અને તેમના ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મોટી રાહત મળી છે. વાસ્તવમાં સર્વોચ્ચ ન્યાયાલયે ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધનો કેસ બંધ કરવાનો નિર્યણ લીધો છે. ચીફ જસ્ટીસ ડીવાય ચન્દ્રચૂડ, જસ્ટીસ જેબી પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી.

    કોર્ટે નોંધ્યું હતું કે, મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશો બરાબર નહોતા. કોર્ટે તેમ પણ નોંધ્યું કે, યુવતીઓના પિતાની અરજી પણ વ્યાજબી નથી, કારણકે બંને યુવતીઓ પુખ્ત વયની છે અને તેઓ પોતાની મરજીથી આશ્રમમાં રહી રહી હતી. જોકે કોર્ટે તે પણ સ્પષ્ટ કરી દીધું હતું કે આ નિર્ણય માત્ર વર્તમાન કેસને લઈને જ છે. કોર્ટે પોતાના અંતિમ નિર્ણયમાં કહ્યું હતું કે બંને યુવતીઓ પુખ્ત વયની હોવાથી તેમને બળજબરીથી આશ્રમમાં રાખી હોવાનું ન કહી શકાય.

    નોંધવું જોઈએ કે ગત 30 સપ્ટેમ્બર, 2024ના રોજ મદ્રાસ હાઈકોર્ટે ઈશા ફાઉન્ડેશનને લઈને દાખલ કરવામાં આવેલા તમામ કેસનું વિવરણ માંગ્યું હતું. ત્યારબાદ 1 ઓકટોબરના રોજ લગભગ 150થી વધુ પોલીસકર્મીઓ ઈશા ફાઉન્ડેશન પહોંચી ગયા હતા. બીજી તરફ આ મામલે ઈશા ફાઉન્ડેશન દ્વારા આ કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે હવે ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે.

    કોર્ટમાં શું શું થયું?

    આ મામલો બંધ કરતી વખતે સુપ્રીમ કોર્ટે હેબિયસ કોર્પસ પિટિશનમાં ઈશા યોગ સેન્ટર સામેના અન્ય આક્ષેપો અંગે પોલીસ તપાસ માટે નિર્દેશો આપવા સામે મદ્રાસ હાઈકોર્ટે વાંધો ઉઠાવ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે આદેશમાં નોંધ્યું હતું કે, “તે બંને યુવતીઓ પુખ્ત વયની છે અને હેબિયસ કોર્પસનો હેતુ પૂર્ણ થયો હોવાથી હાઈકોર્ટ તરફથી વધુ કોઈ નિર્દેશોની જરૂર નહોતી.”

    સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ ચન્દ્રચૂડે મૌખિક ટિપ્પણીમાં કહ્યું હતું કે, “કોઈ પણ કાર્યવાહી કોઈ વ્યક્તિ કે સંસ્થાને વગોવવા માટે ન હોવી જોઈએ.” બીજી તરફ ઈશા ફાઉન્ડેશન તરફે હાજર વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, તમિલનાડુ પોલીસ દ્વારા જમા કરાવવામાં આવેલા રિપોર્ટ અનુસાર પણ બંને યુવતીઓ પોતાની જ મરજીથી ત્યાં રહે છે. બંને યુવતીઓએ કોર્ટને પણ એમ જ જણાવ્યું છે કે તેઓ ત્યાં પોતાની મરજીથી જ રહે છે.

    સુનાવણી દરમ્યાન બંને યુવતીના પિતાના વકીલ સાથે ચર્ચા કરતા CJIએ કહ્યું હતું કે, “જ્યારે તમારાં બાળકો પુખ્ત વયનાં થઈ જાય, ત્યારે તેમના જીવન પર નિયંત્રણ લાદવા તમે ફરિયાદ ન આપી શકો.” આના પર વકીલે દલીલ આપી હતી કે આ ફરિયાદ ત્યારે આપવામાં આવી જ્યારે તેમની પુત્રીએ એમ કહ્યું કે તે આમરણ ઉપવાસ કરી રહી છે. તેના જવાબમાં કોર્ટે કહ્યું કે, જો આવું હોય તો માતા-પિતાએ ફરિયાદ કરવાની જગ્યાએ પોતાના પુખ્ત વયના બાળકોને સમજાવીને તેમનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવો જોઈએ.

    આ મામલે ચીફ જસ્ટિસે તેમ પણ કહ્યું કે, “તકલીફ ગમે તેટલી કેમ ન હોય, તેઓ પુખ્ત વયની છે. અમે તેમને કોઈને મળવાથી કે ક્યાંય રહેવા માટે વિવશ ન કરી શકીએ.” બીજી તરફ ફરિયાદીના વકીલે ફરી એક વાર આશ્રમ અને આશ્રમમાં રહેતા લોકોની સ્થિતિની તપાસ કરવા મામલે દલીલો આપવાનો પ્રયત્ન કર્યો તો ચીફ જસ્ટીસે તેમની મનશા પર શંકા કરતા કહ્યું કે, “તમે તમારી દીકરીઓ માટે થઈને વકીલાત કરી રહ્યા છો કે કોઈ રાજનૈતિક પાર્ટી તરફથી હાજર થયા છો?”

    તામિલનાડુ પોલીસે પણ કહ્યું- બંધક બનાવવાના કોઈ પુરાવા નહીં

    નોંધવું જોઈએ કે તામિલનાડુ પોલીસે પણ સુપ્રીમ કોર્ટમાં એક રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં પોલીસનું કહેવું છે કે તેમને અધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા સ્થાપિત ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં યુવતીઓને કે અન્ય કોઈને ગેરકાયદેસર રીતે બંધક બનાવવામાં આવ્યા હોય તેવા કોઈ જ પુરાવા નથી મળ્યા.

    તે પણ નોંધવું જોઈએ કે આ સમગ્ર તપાસ કરવાના આદેશ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા. હાઈકોર્ટે યુવતીઓના પિતા દ્વારા દાખલ ફરિયાદના આધારે પોલીસને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની 38 વર્ષીય અને 42 વર્ષીય બે દીકરીઓને ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં તેમની ઈચ્છા વિરુદ્ધ રાખવામાં આવી છે.

    ‘ટુકડા કરીને ગાયબ કરી દેવાયો હોત રામગોપાલનો મૃતદેહ’: ગોળીબાર અને પથ્થરમારા વચ્ચે જેમણે હિંદુ યુવાનને બચાવવા પ્રયાસ કર્યા, તેમણે જણાવ્યો બહરાઈચના મુસ્લિમોનો પ્લાન

    ઉત્તર પ્રદેશના બહરાઈચ (Bahraich Violence) જિલ્લામાં રવિવાર (13 ઑક્ટોબર, 2024)ના રોજ પોલીસની હાજરીમાં મુસ્લિમ ટોળા દ્વારા રામગોપાલ મિશ્રાની હત્યા (Ramgopal Mishra Murder) કરી નાખવામાં આવી હતી. રામગોપાલ મિશ્રા મા દુર્ગાની વિસર્જન યાત્રામાં ગયા હતા. આરોપ છે કે અબ્દુલ હમીદના ઘરમાં રામગોપાલની હત્યા કર્યા બાદ મુસ્લિમ ટોળાએ તેમના શવને ઘરની અંદર ખેંચી લીધું હતું. વાયરલ થયેલા એક વિડીયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો પથ્થરો અને ગોળીબાર વચ્ચે રામગોપાલના મૃતદેહને છત પરથી નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઑપઇન્ડિયાએ રામગોપાલના મૃતદેહને બહાર લાવનાર વ્યક્તિ સાથે વાત કરી હતી.

    રામગોપાલના મૃતદેહને બહાર લાવનાર યુવકનું નામ કિશન મિશ્રા છે. કિશન રામગોપાલના પિતરાઈ ભાઈ છે. નાનપણથી જ બંને સાથે ભણીગણીને મોટા થયા છે. કિશનને મૃતદેહ બહાર કાઢવામાં રાજન મિશ્રાએ પણ મદદ કરી હતી. કિશન સાથે અમારી મુલાકાત ગુરુવારે (17 ઑક્ટોબર) તેમના ગામ રેહુઆમાં થઈ. તે સમયે સમગ્ર ગામમાં પોલીસનો કડક ચાંપતો બંદોબસ્ત હતો. કિશન પોતે જ જેમતેમ કરીને બહાર આવીને અમારી સાથે વાત કરી શક્યા. કિશનની ઈચ્છા મુજબ અમે અંધારામાં વાત કરી હતી.

    એક બાજુ મુસ્લિમો દ્વારા પથ્થરમારો, બીજી બાજુ પોલીસ દ્વારા લાઠીચાર્જ

    કિશન મિશ્રાએ અમને જણાવ્યું કે શરૂઆતમાં હોબાળો થયો અને તે જ સમયે પોલીસે વિસર્જન યાત્રા પર લાઠીચાર્જ શરૂ કર્યો. આ લાઠીચાર્જ બાદ એકજૂટ થઈને ચાલી રહેલો હિંદુ સમુદાય વિખેરાઈ ગયો અને મુસ્લિમ ટોળાંએ રામગોપાલ મિશ્રાને ઘરની અંદર ખેંચી લીધા. જ્યારે કિશન મિશ્રા તેમના પિતરાઈ ભાઈને છોડાવવા માટે પરત ફર્યા, ત્યારે તેમને બે બાજુથી પ્રતિકારનો સામનો કરવો પડ્યો. એક તરફ પથ્થર અને ગોળીઓ વરસાવતું મુસ્લિમોનું ટોળું અને બીજી તરફ લાઠીઓ વરસાવતું પોલીસ દળ.

    કિશનનો દાવો છે કે તેમણે વારંવાર પોલીસ પાસે રામગોપાલને બહાર કાઢવા માટે મદદ માંગી. તેમણે પોલીસને કહ્યું કે રામ ગોપાલને અંદર ખેંચી લેવામાં આવ્યા છે તેમને બહાર કાઢવા પોલીસે સહકાર કરવો જોઈએ. પરંતુ આ વિનંતીથી કોઈ ફરક પડ્યો નહીં. જ્યારે પોલીસ તરફથી કોઈ સહકાર ન મળ્યો ત્યારે કિશન મિશ્રાએ પોતે તેમના બે સાથીદારો સાથે મળીને રામગોપાલને મુસ્લિમ ટોળાથી બચાવવાનો નિર્ણય કર્યો. આ બે સહયોગીઓમાંથી એક કિશનના પરિવારના સભ્ય રાજન મિશ્રા હતા. કિશનનો દાવો છે કે જો પોલીસે હિંદુઓ પર જોર કરવાને બદલે તેમની મદદ કરી હોત તો કદાચ આજે રામગોપાલ જીવિત હોત.

    પાડોશી હિંદુનું ઘર ખોલાવીને અબ્દુલની છત પર પહોંચ્યા

    કિશન મિશ્રાએ અમને વધુમાં જણાવ્યું કે રામ ગોપાલની હત્યા અબ્દુલ હમીદના ઘરની અગાસી પર કરવામાં આવી હતી. અગાસી સુધી પહોંચવું સરળ ન હતું. રસ્તામાં લાઠીચાર્જથી બચવા લોકો ભાગી રહ્યા હતા. સામે પોલીસકર્મીઓ ઊભા હતા અને પાછળથી મુસ્લિમ ટોળું પથ્થરો અને ગોળીઓ વરસાવી રહ્યું હતું. આવી સ્થિતિમાં તેમણે રોડના બદલે ધાબા પરથી રામગોપાલ સુધી પહોંચવાનું નક્કી કર્યું. અબ્દુલ હમીદના ઘર પાસે એક હિંદુનું ઘર હતું. ઘણી આજીજી બાદ તે ઘર ખોલાવવામાં તેમને સફળતા મળી. પછી તેમની છત પરથી બીજી છત પર પસાર થતાં, કિશન અને રાજન અબ્દુલની છત પર પહોંચ્યા.

    કિશને જણાવ્યું કે આટલા ટૂંકા રસ્તા પર પણ તેમણે અને રાજને ઘણી વખત ગોળીઓ અને પથ્થરોથી બચવું પડ્યું. પરંતુ જ્યારે કિશન અબ્દુલ હમીદના ટેરેસ પર પહોંચ્યા ત્યારે રામગોપાલ ત્યાં બેભાન અવસ્થામાં પડ્યા હતા. તેમણે રાજન મિશ્રા સાથે મળીને રામગોપાલને હાથ-પગ પકડીને ઉપાડ્યા કે તરત જ મુસ્લિમ ટોળાએ તેમના પર હુમલો કરી દીધો. અબ્દુલ હમીદનો પુત્ર સરફરાઝ આ હુમલાનું નેતૃત્વ કરી રહ્યો હતો. તેણે દીવાલ પાછળ સંતાઈને રાજન અને કિશન સાથે રામગોપાલના બેભાન શરીર પર પણ ગોળીઓ ચલાવી હતી.

    ઈંટના ઘાથી પાડવામાં આવી સરફરાઝની બંદૂક

    કિશન મિશ્રાએ કહ્યું કે સરફરાઝ દ્વારા ચલાવવામાં આવેલી પહેલી ગોળી નિશાન પર ન વાગી નહીં તો કદાચ રામગોપાલની જેમ તેમનો મૃતદેહ પણ અબ્દુલ હમીદના ઘરમાંથી મળી આવ્યો હોત. પ્રથમ ગોળી ચલાવ્યા બાદ કિશન અને રાજને રામગોપાલના બેભાન શરીરને નીચે મૂક્યું અને છત પરથી એક ઈંટ લઈને સરફરાઝ તરફ ફેંકી દીધી. આ ઈંટ નિશાન પર વાગી અને સરફરાઝના હાથમાંથી બંદૂક સરકીને નીચે પડી ગઈ. જ્યાં સુધી સરફરાઝ તેની જાતને સંભાળીને ફરીથી ગોળીબાર કરવાની હાલતમાં આવ્યો ત્યાં સુધી કિશન અને રાજાન મળીને રામગોપાલને બહાર નીકાળી ચૂક્યા હતા.

    કિશન મિશ્રાના જણાવ્યા અનુસાર સરફરાઝની સાથે તેના પિતા અબ્દુલ હમીદ, ભાઈઓ તાલિબ અને ફહીમ પણ હિંસામાં સંપૂર્ણ રીતે સક્રિય હતા. જ્યારે સરફરાઝ ગોળીબાર કરી રહ્યો હતો ત્યારે આ બધા અન્ય મુસ્લિમો સાથે મળીને પથ્થરમારો કરી રહ્યા હતા. કિશનના કહેવા પ્રમાણે, ઘરની બહાર હિંદુ ભક્તો દ્વારા થઇ રહેલ ઘોંઘાટના કારણે મુસ્લિમ ટોળાનું ધ્યાન ભટકી રહ્યું હતું, નહીં તો તેમને અને રાજનને પણ રામગોપાલની જેમ અબ્દુલ હમીદ અને તેના સાથીઓએ મારી નાખ્યા હોત.

    લાશને ગાયબ કરવાનું ઘડાયું હતું ષડ્યંત્ર

    કિશન મિશ્રાનો દાવો છે કે અબ્દુલ હમીદ અને તેની ગેંગ દ્વારા રામ ગોપાલના મૃતદેહને ગાયબ કરવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે જો તે અને રાજન સાથે મળીને અબ્દુલ હમીદના ઘરેથી રામગોપાલના બેભાન શરીરને બહાર ન લાવ્યા હોત તો કદાચ આ કેસ હત્યા નહીં પરંતુ ગુમશુદા વ્યક્તિનો હોત. કિશનના કહેવા પ્રમાણે તો પોલીસે પણ એ જ કુતર્ક આપત કે રામ ગોપાલની હત્યા નથી થઈ પણ તે ક્યાંક ગુમ થઈ ગયો છે અને તમામ હત્યારાઓ કાયદાથી બચી જાત.

    કિશન મિશ્રા વધુમાં જણાવે છે કે માત્ર અબ્દુલ હમીદ જ નહીં પરંતુ મહારાજગંજમાં રહેતા મુસ્લિમ સમુદાયના તમામ ઘરોમાં માત્ર તીક્ષ્ણ હથિયારો જ નહીં પણ ગેરકાયદેસર બંદૂકોનો પણ ભંડાર છે. તેમને લાગે છે કે રામગોપાલના મૃતદેહના ટુકડા કરીને ક્યાંક ઠેકાણે પાડી દેવામાં આવ્યો હોત. આ પછી રામ ગોપાલ દુનિયા માટે એક રહસ્ય બની જાત અને એવું જાહેર થાત કે હિંસામાં તેનું નામ સામેલ હોવાને કારણે તે ક્યાંક ફરાર થઈ ગયો અને પાછો આવ્યો નહીં.

    બેભાન શરીરને લઈને દોડતા રહ્યા લોકો

    કિશનનો દાવો છે કે જ્યારે તે રામગોપાલના બેભાન શરીરને બહાર લાવ્યા ત્યારે તેમની લાખ આજીજી છતાં પોલીસે તેમને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ વાહન આપ્યું ન હતું. લાઠી ખાધેલ હિંદુ ભક્ત રામગોપાલને લઈને હોસ્પિટલ તરફના રસ્તા પર લાંબા અંતર સુધી દોડતો રહ્યો. ઑપઇન્ડિયા પાસે આ ઘટનાનો વિડીયો છે જેમાં એક પોલીસકર્મી પણ જોવા મળી રહ્યો છે. જેમ-તેમ કરીને તેઓ રામગોપાલને હોસ્પિટલ લઈ જવામાં સફળ રહ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા.

    કિશનનું માનવું છે કે જો પોલીસે તાત્કાલિક તેમનું વાહન સાથે મોકલ્યું હોત તો કદાચ રામગોપાલનો જીવ બચી શક્યો હોત. કિશને અમને એમ પણ કહ્યું કે તેમણે પોલીસકર્મીઓની આ કરતૂતો અંગેની ફરિયાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મોકલી છે. અમારી સાથે વાત કરતાં કિશન મિશ્રા ભાવુક થઈ ગયા. અંતે તેમણે કહ્યું કે હત્યારાઓએ માત્ર તેમનો પિતરાઈ ભાઈ જ નહીં પરંતું એક સાચો મિત્ર પણ આંચકી લીધો. કિશને એમ પણ કહ્યું કે જો રામગોપાલની સાથે તેમણે પણ જીવ ગુમાવ્યો હોત તો તેમને કોઈ અફસોસ ન થાત. રામગોપાલ અને કિશન મિશ્રા સાથે કેટરિંગમાં રસોઈયા તરીકે કામ કરતા હતા.

    શરદ પૂર્ણિમા ઉત્સવ પર RSS સ્વયંસેવકો વહેંચી રહ્યા હતા ખીર, નસીબ ટોળા સાથે આવ્યો ને હુલાવી દીધા છરા: જયપુરની ઘટના, 10થી વધુ ઘાયલ

    જયપુરમાં (Jaipur) શરદ પૂર્ણિમા ઉજવી રહેલા RSSના સ્વયંસેવક પર ચાકુથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. કાર્યકર્તાઓ શરદ પૂર્ણિમાના (Sharad Purnima) તહેવારને લઈને સત્સંગ અને ખીર વિતરણ કરી રહ્યા હતા. તેવામાં બાપ-દીકરા સહિત કેટલાક વ્યક્તિઓએ આવીને તેમની સાથે પહેલા મગજમારી કરી અને બાદમાં છરી વડે હુમલો કરી દીધો (Attack On RSS). ઘટનામાં 8થી 10 સ્વયંસેવકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ નસીબ અને તેના દીકરાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના ગુરુવાર (17 ઓકટોબર 2024) મોડી રાત્રે ઘટી હતી. શરદ પૂર્ણિમાને લઈને કરણી વિહાર વિસ્તારમાં સંઘના સ્વયંસેવકોએ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અહીં પવિત્ર તહેવારને લઈને ભજન કીર્તન કરવામાં આવી રહ્યા હતા. સાથે-સાથે ખીર વિતરણ કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો. આ દરમિયાન નસીબ તેના દીકરા સહિત કેટલાક લોકો સાથે છરી-ચાકા લઈને ધસી આવ્યો અને પહેલા સ્વયંસેવકો સાથે માથાકૂટ કરી. તેમણે પ્રસાદીના ખીરના પાત્રને પણ લાત મારીને ઢોળી નાખ્યું.

    જયારે તેમને સમજાવવાનો પ્રયત્ન કરવા આવ્યો. તો તેઓ વધુ ઉશ્કેરાઈ ગયા અને પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથીયારોથી હુમલો કરી દીધો. આ ઘટનામાં કેટલાક સ્વયંસેવકોને છાતી, પેટ અને શરીરના અન્ય કેટલાક ભાગોમાં ગંભીર ઈજા પહોંચી છે. આ માથાકૂટ થવા પાછળનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું. પરંતુ દૈનિક ભાસ્કરે આપેલા અહેવાલ મુજબ ઘટનામાં મુખ્ય સુત્રધાર એવા નસીબ અને તેના પુત્ર સહિત કેટલાક લોકોને ઝડપી લીધા છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.

    ઈજાગ્રસ્તો સારવાર હેઠળ, અક્રોષિત લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું

    બીજી તરફ આ સમગ્ર ઘટનામાં ઘાયલ લોકોને જયપુરના સવાઈ માન સિંહ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ રાજસ્થાન સરકારના કેબીનેટ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ધારાસભ્ય ગોપાલ શર્મા સહિત અન્ય અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા છતાં. તો આ મામલે જયપુર પશ્ચિમના DCP અમિત કુમારે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પોલીસે આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

    જેવી લોકોને ઘટનાની જાણ થઈ, કે તરત જ લોકોના ટોળા એકઠા થઇ ગયા. ઘટનાથી આક્રોશિત લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને સુત્રોચ્ચાર પણ કર્યા. નોંધવું જોઈએ કે ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવી શક્યું. ઘટનાને લઈને પોલીસ નસીબ સહિત કેટલાક લોકોની પૂછપરછ કરી રહી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    27 કરોડના ગેરકાયદે વ્યવહારો, અધધધ બેન્ક એકાઉન્ટ, 500 સીમકાર્ડ, વિદેશી કરન્સી…: ₹100 કરોડના સુરત હવાલા કૌભાંડમાં આરોપી કાસીફે કર્યાં મોટા ખુલાસા

    તાજેતરમાં સુરતમાં ₹100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ (Hawala Scam) બહાર આવ્યું હતું. જે મામલે SOGએ 3ને પકડી પાડી ₹27.38 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા હતા. પાકિસ્તાન (Pakistan), અફઘાનિસ્તાન (Afghanistan), બાંગ્લાદેશ (Bangladesh) અને ચાઇનાથી (China) હવાલા મારફત આવતા રૂપિયાને USDTમાં (Crypto Currency) કન્વર્ટ કરી આપતા મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીફ મકબુલ ડોક્ટર તથા માઝ અબ્દુલ રહીમ નાડાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારપછી પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. પિતા-પુત્રના 9 જેટલા બેંક એકાઉન્ટ ઉપરાંત વધુ 15 બેંક એકાઉન્ટની માહિતી મળી હતી.

    ઉલ્લેખનીય છે કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતમાં આવેલ સોની ફળિયા સિંધીવાડની સફિયા મંઝિલમાં દરોડો પાડી મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીફ મકબુલ ડોક્ટર તથા માઝ અબ્દુલ રહીમ નાડાને ઝડપી પાડીને હવાલા કૌભાંડ ઉઘાડું પાડ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને પિતા-પુત્રના એક મોબાઈલમાંથી 15થી વધુ બેન્ક એકાઉન્ટની ડિટેઇલ મળી આવી હતી. જેમાંથી નવ જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા હતા. જેના માધ્યમથી આરોપીઓ અલગ અલગ દેશમાં ટ્રાન્જેક્શન કરતા હતા. ₹100 કરોડથી પણ વધુના હવાલાના ટ્રાન્ઝેક્શનના આરોપી મકબુલ પાસે દુબઈના રેસિડેન્સ વિઝા પણ મળી આવ્યા હતા.

    નોંધનીય છે કે, આરોપીઓ પાસેથી એક લાખ રૂપિયાથી પણ વધુની દિરહામ, કંબોડીયન, થાઇ સહિતની વિદેશી કરન્સી મળી આવી હતી. આરોપીઓ દુબઈ, બેંગકોક, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, યુગાન્ડા, કંબોડિયા જેવા અલગ અલગ દેશોમાં પણ ગયા હોવાનું સામે આવ્યું હતું. તેમનું વિદેશના વિવિધ દેશોમાં જવા પાછળનું કારણ, ત્યાં કોને મળ્યા જેવી વિવિધ બાબતો અંગેની પૂછપરછ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે.

    રોકડા ₹17 લાખ સહિતનો મુદામાલ જપ્ત

    આ ઉપરાંત દરોડા દરમિયાન આ ત્રણ આરોપીઓ પાસેથી જુદા જુદા 10 જેટલા બેંક એકાઉન્ટની પાસબૂક, 32 ચેકબૂક, અલગ અલગ બેંકના 40 ડેબિટ કાર્ડ, 7 મોબાઈલ ફોન, પૈસા ગણવાના મશીન મળી આવ્યા હતા. આ ઉપરાંત ઘરમાં તપાસ કરી રોકડા 17 લાખ રૂપિયા પણ કબજે લેવાયા હતા. ઉપરાંત HDFC, SBI, એક્સિસ, ICICI, કેનેરા, કોટક, પંજાબ, IDFC, IDBI, AU સ્મોલ અને ફેડરલ સહિત 11 બેંકોના 45 ખાતા પૈકી 2 કરન્ટ અને 43 સેવિંગ ખાતાની માહિતી પણ મળી હતી, જેમાં કરોડોના વ્યવહાર થયા હતા.

    પોલીસે જપ્ત કરેલ મુદ્દા માલ (ફોટો: દિવ્યભાસ્કર)

    પોલીસે એરટેલ કંપનીના જે 497 સીમકાર્ડ પકડી પાડ્યા તે પૈકી 28 દ્વારા સાયબર ફ્રોડ થયા હતા, જેની ફરિયાદો આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં થઈ હતી.

    અમદાવાદનો મહેશ દેસાઈ પણ સામેલ..

    આ હવાલા કૌભાંડમાં અમદાવાદનો મહેશ મફતલાલ દેસાઈ પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું. મહેશ દેસાઈ જે દુબઈમાંથી સમગ્ર રેકેટ ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. દૂબઈમાં બેસીને દેસાઈ સુરતમાં પિતા-પુત્રને આંગડિયા પેઢીમાં કરોડોની રકમ હતો. પછી તે રકમથી પિતા-પુત્ર ઓનલાઇન USDT ક્રિપ્ટોકરન્સી ખરીદી કરી વોલેટ દ્વારા દુબઈમાં મહેશ દેસાઈને મોકલી આપતા હતા. આ ઉપરાંત ઝાંપા બજારનો મુર્તુઝા ફારૂક પણ આ રેકેટમાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.

    આરોપીઓ 8થી 9 લાખ રૂપિયામાં સીમકાર્ડ દુબઈમાં સપ્લાય કરતા હતા. અત્યાર સુધીમાં તેઓએ 3,000થી પણ વધુ સીમકાર્ડ દુબઈ સહિત અન્ય દેશોમાં મોકલ્યા હોવાની જાણકારી સામે આવી હતી. આરોપીએ દુબઈમાં બર્સા જગ્યાએ પર 3 BHK ફ્લેટ લીધા છે. દુબઈમાં એક કંપની પણ બનાવી છે જેનું નામ ડોક્ટર અબ્દુલ ટ્રેડિંગ જનરલ કંપની છે. આ તમામ બાબતો અંગેની તપાસ હાલ ચાલી રહી છે.

    હિંદુ યુવાન રામગોપાલની હત્યા પર મોઢામાં ભર્યા હતા મગ, આરોપી સરફરાઝ-તાલિબના એન્કાઉન્ટર પર લેવા લાગ્યા છાજીયા: બહરાઈચ કાંડ પર વિપક્ષના બે મોઢા

    ઉત્તર પ્રદેશના બહરાઈચમાં (Baharaich) દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન હિંસા બાદ રામગોપાલ મિશ્રા (Ram Gopal Mishra) નામના નિર્દોષ હિંદુ યુવાનની હત્યા કરી નાખનાર પાંચ આરોપીઓને UP પોલીસે (UP Police) પકડી લીધા છે. જેમાંથી 2ને એનકાઉન્ટર (Encounter) દરમિયાન ગોળી વાગી હતી. જેઓ હાલ સારવાર લઈ રહ્યા છે. ત્યારે હવે આ એન્કાઉન્ટરને લઈને વિપક્ષના પેટમાં તેલ રેડાયું છે. નિર્દોષ હિંદુ યુવકની હત્યા પર મૌન રહેલું વિપક્ષ પોલીસ સામે ગોળીઓ છોડનારના સરફરાઝ અને તાલિબના એનકાઉન્ટરથી નાખુશ છે.

    એવી એક પણ પાર્ટી નથી, કે જેમના નેતાઓ આ એન્કાઉન્ટર પર રો-કકળ ન કરી રહ્યા હોય. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, AIMIM આ તમામ પાર્ટીઓના નેતાઓ એનકાઉન્ટરથી નાખુશ છે અને ભાજપ સરકાર અને ઉત્તર પ્રદેશ પોલીસ પર સવાલો ઉભા કરી રહ્યા છે. મજાની વાત તો તે છે કે જયારે રામગોપાલ મિશ્રાની નિર્મમ હત્યા કરવામાં આવી, હત્યા બાદ જયારે રિપોર્ટ આવ્યા કે તેમની સાથે કેવી બર્બરતા થઇ હતી, તેના પણ આ તમામ નેતાઓ મૌન રહ્યા હતા. પરંતુ જેવા એનકાઉન્ટરના સમાચાર આવ્યા કે, તમામે કાળો કકળાટ કરી મૂક્યો.

    કોંગ્રેસ નેતાઓના પેટમાં મરોડ

    આ એન્કાઉન્ટરથી ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ વ્યથિત છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે આ એન્કાઉન્ટરને બનાવટી કહ્યું હતું. તેમણે આરોપ લગાવ્યા છે કે સરકાર પોતાની અસફળતા ઢાંકવા માટે આ પ્રકારે કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન તેમને પેટાચૂંટણીઓ વિષે પૂછતાં તેઓ કહેતા જણાયા કે તમામ ભેગા મળીને ભાજપને હરાવવા માટે કામ કરશે.

    આ એન્કાઉન્ટર મામલે હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહેતા કોંગ્રેસી પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, “ઉત્તર પ્રદેશમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ખુરશી ખતરામાં છે. જે પ્રદેશમાં ADGએ રમખાણો થયાના 48 કલાક બાદ બંદુક લઈને રસ્તા પર ઉતરવું પડે, ત્યાની કાનુન વ્યવસ્થા તમે સમજી શકો છો.” તેમણે ઉત્તર પ્રદેશ પોલીસ પર પણ સવાલો ઉભા કરતા કહ્યું કે, “ઉત્તર પ્રદેશની જે પોલીસ એક રૂટ વ્યવસ્થા નથી કરી શકતી તે એન્કાઉન્ટર કરવામાં સહુથી આગળ રહે છે.”

    રામગોપાલની હત્યા પર સમાજવાદી પાર્ટીએ એન્કાઉન્ટર પર છાજીયા લેવાનું શરૂ કર્યું

    માત્ર કોંગ્રેસ જ નહીં, તેમની INDI ગઠબંધનની (INDI Alliance) પાર્ટી સમાજવાદી પાર્ટીને પણ એન્કાઉન્ટરથી પેટમાં ચૂંક આવી છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) એન્કાઉન્ટર બાદ સરકાર પર આરોપ લગાવ્યો કે આવી ઘટનાઓ સતત બની રહી છે અને સરકારની નિષ્ફળતાના કારણે આ ઘટનાઓ બની રહી છે. તેમણે કહ્યું કે, સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે એન્કાઉન્ટર કરી રહી છે.

    અખિલેશ યાદવે વધુમાં જણાવ્યું હતું કે, “એન્કાઉન્ટરના કારણે કાયદો અને વ્યવસ્થામાં સુધારો થતો હોત તો ઉત્તર પ્રદેશ અનેક આંકડાઓમાં અન્ય રાજ્યો કરતાં વધુ સારું હોત. તે વહીવટી નિષ્ફળતા હતી કે જ્યારે આ કાર્યક્રમ ત્યાંની (બહરાઈચ) પોલીસની જાણમાં હતો, તો શા માટે તેઓ શાંતિપૂર્ણ રીતે તેનું સંચાલન ન કરી શક્યા? એન્કાઉન્ટર અને નફરતને પ્રોત્સાહન આપવું એ આ સરકારની કામ કરવાની નવી રીત છે. આ કયાની ન્યાયિક વ્યવસ્થા છે?”

    બહરાઇચ એન્કાઉન્ટર કેસમાં સમાજવાદી પાર્ટીના જ નેતા રવિદાસ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, “બહરાઇચમાં થયેલી હિંસા, આગચંપી અને લૂંટની ઘટના પાછળ પોલીસ, પ્રશાસન અને સરકારની સંપૂર્ણ નિષ્ફળતા હતી. બહરાઇચમાં ઘણા કલાકો સુધી આગચંપી થઈ હતી. પોલીસ ત્યાં પહોંચી ન હતી, પ્રશાસન પહોંચ્યું ન હતું અને ત્યાં તોફાન ફાટી નીકળ્યું હતું. આમાં પોલીસ-પ્રશાસન સંપૂર્ણપણે દોષિત છે. આ ઘટના માટે રાજ્ય સરકાર અને તેનો વહીવટ સંપૂર્ણપણે જવાબદાર હતો.”

    AIMIM ક્યાંથી પાછળ રહે?

    આટલી રાડારાડ થતી હોય અને AIMIM પાર્ટી મૌન રહે એવું બને? ઉપરથી હત્યારાઓનું એનકાઉન્ટર કર્યું તે ‘સમુદાય વિશેષ’ના ત્યારે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતા X પોસ્ટ મારફતે કહ્યું હતું કે, “બહરાઇચ હિંસાના આરોપીઓના પોલીસ ‘એન્કાઉન્ટર’ વિશેનું સત્ય જાણવું અઘરું નથી. યોગીની ‘ઠોક દેંગે’ નીતિ વિશે બધા જાણે છે.” ઓવૈસીએ વધુમાં લખ્યું હતું કે, જો પોલીસ પાસે આટલા પુરાવા હોત તો આરોપીઓને કાયદાકીય રીતે સજા થાય તેવા પ્રયાસો થયા હોત.

    AIMIMના નેતા વારિશ પઠાણે પણ બહરાઈચ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા હતા. નિર્દોષ હિંદુની હત્યા પર મૌન રહેલા આ નેતાને અચાનક જ્ઞાન સ્ફૂર્યું અને કહ્યું કે, “દેશ બંધારણથી ચાલશે. દેશ યોગીની ઠોક દેંગેની નીતિથી નહીં ચાલે. આજે યુપીમાં તેનો નજરો જોવા મળ્યો. બે આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરના નામે ગોળી મારી દીધી. આરોપી સરફરાઝની બહેને પહેલા જ આશંકા જતાવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.”

    AIMIMના નેતાની આ વાત સાંભળીને એમ પ્રશ્ન ચોક્કસથી થાય કે, જો કોઈ હત્યાનો આરોપી પકડાઈ જાય અને તેનું કોઈ સગું-વ્હાલું વિડીયો બનાવીને એમ કહી દે કે અમને આશંકા છે કે તેને ફાંસી આપી દેશે. ને વળી એ વ્યક્તિને જો ખરેખર ફાંસીની સજા થાય તો શું AIMIMના નેતા એમ કહેશે કે ન્યાય પ્રણાલી ખોટી છે અને ફાંસી આપવાની કાર્યવાહી ખોટી છે? માત્ર AIMIMના જ નેતા કેમ? ઉપર ટાંકેલા અને એ સિવાયના અઢળક વિપક્ષી નેતાઓ તે સમયે ક્યાં હતા? જયારે ખબર પડી કે ઇસ્લામી કટ્ટરપંથીઓએ નિર્દોષ હિંદુ યુવકની છાતીમાં 30/35 ગોળીઓ ધરબી દીધી છે.

    રેપના આરોપો બાદ પાકિસ્તાનના લાહોરમાં ફાટી નીકળી હિંસા: કેમ્પસોમાં તોડફોડ, લૂંટફાટ અને આગચંપી, એકનું મોત; CMએ બળાત્કારની ઘટનાને જ ગણાવી દીધી ‘બનાવટી’

    ગત અઠવાડિયે પાકિસ્તાનના (Pakistan) લાહોરની (Lahore) એક ખાનગી કોલેજમાં વિદ્યાર્થીની (Rape) પર કથિત રીતે બળાત્કાર થયો હોવાનો મામલો સામે આવ્યા બાદ ગુરુવારે (17 ઑક્ટોબર) તેના વિરોધ (Protest) દરમિયાન હિંસા ફાટી નીકળી. સોશિયલ મીડિયા બાદ વિદ્યાર્થીઓએ લાહોરની વિવિધ કોલેજોની બહાર પ્રદર્શનો કર્યાં હતાં. આ વિરોધ ધીમે-ધીમે સમગ્ર પાકિસ્તાનમાં ફેલાઈ રહ્યો છે. જેના પગલે રાવલપિંડીમાં (Rawalpindi) પણ પ્રદર્શનો થયાં હતાં. આ દરમિયાન પોલીસે સેંકડો પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું હતું.

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલોના પગલે વિરોધ શરૂ થયો હતો. પાકિસ્તાનના લાહોરની એક કૉલેજના સુરક્ષા ગાર્ડ પર વિદ્યાર્થીની પરના કથિત બળાત્કાર કેસમાં સંડોવણી હોવાનો આરોપ હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વિવિધ કોલેજો સામે દેખાવો કર્યા. છેલ્લા કેટલાક દિવસોમાં પ્રદર્શનકરીઓ અને સુરક્ષા બળની અથડામણ દરમિયાન ઓછામાં ઓછા 28 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. બળાત્કાર મામલે શરૂ થયેલ પ્રદર્શનો દરમિયાન હિંસા ફેલાઈ રહી છે.

    મુખ્યમંત્રીએ બળાત્કારને ‘બનાવટી’ ગણાવ્યો

    ઉલ્લેખનીય છે કે વધતા વિરોધ છતાં પંજાબનાં મુખ્યમંત્રી મરિયમ નવાઝે બળાત્કારના આરોપોને ‘બનાવટભર્યા સમાચાર’ ગણાવીને ફગાવી દીધા અને વિરોધ પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ને ઓનલાઈન ‘બનાવટી અહેવાલો’ ફેલાવવા માટે દોષી ઠેરવ્યું. પંજાબ ગ્રૂપ ઓફ કોલેજીસ (PGC)ના ડાયરેક્ટર આગા તાહિર અને અન્ય અધિકારીઓએ પણ આ ઘટનાને પાયાવિહોણી ગણાવી હતી.

    રાવલપિંડીના પોલીસ અધિક્ષક (એસએસપી) હાફિઝ કામરાન અસગરે ગુરુવારે પુષ્ટિ કરી હતી કે હિંસક પ્રદર્શન દરમિયાન અંદાજે 150 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, “પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.” તેમણે સોશિયલ મીડિયા પર એમ પણ જણાવ્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓની ધરપકડ કરવા માંગતા નહોતા પરતું પ્રદર્શનકારીઓએ કાયદો હાથમાં લેતા કાર્યવાહી કરવામાં આવી.

    કેમ્પસોમાં તોડફોડ, આગચંપી..

    ઉલ્લેખનીય છે કે, લાહોરમાં વિદ્યાર્થીઓ પંજાબ કોલેજના કેમ્પસ 11 ખાતે ભેગા થયા અને પાર્કિંગ વિસ્તારમાં આગ લગાવી, બારીઓ તોડી વ્યાપક નુકસાન કર્યું હતું. અહેવાલ અનુસાર કેટલાક પ્રદર્શનકારીઓએ લોખંડના સળિયા સાથે કેમ્પસમાં હુમલો કર્યો હતો.

    લાહોરના બુર્કી રોડ પર પણ વિરોધ પ્રદર્શનો થયા હતા, જ્યાં વિદ્યાર્થીઓએ ટ્રાફિકને અવરોધિત કર્યો હતો. પ્રદર્શનકરીઓને ભેગા કરવા માટે સોશિયલ મીડિયા પર અંધાધૂંધીના વીડિયો વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવ્યા હતા. ઇસ્લામી જમિયત તલાબા (IJT), રેડ વર્કર્સ ફ્રન્ટ અને પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ્સ કલેક્ટિવ સહિત વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ પણ પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું હતું.

    એક સુરક્ષા ગાર્ડનું મોત

    પ્રદર્શનકારીઓએ કુંજ ખાતેના કેમ્પસ અને પંજાબ કોલેજ તરફ કરાતા વિરોધમાં 50 વર્ષીય સુરક્ષા ગાર્ડ અઝહર હુસૈનનું મોત થયું હતું. તેમના પુત્રની ફરિયાદના પગલે પોલીસે લગભગ 185 વ્યક્તિઓ સામે હત્યાનો કેસ નોંધ્યો હતો, જેમાં 35 જાણીતા શંકાસ્પદ હતા. પોલીસથી બચવા બાઈક પર ભાગતી વખતે ડિવાઈડર સાથે અથડાવાથી 3 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

    લાલમુસા, ખારિયન અને જલાલપોર જટ્ટન સહિત ગુજરાત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો, જ્યાં વિરોધીઓએ PGC કેમ્પસને નુકસાન પહોંચાડ્યું હતું અને કીમતી વસ્તુઓની ચોરી કરી હતી. કોલેજ મેનેજમેન્ટે પોલીસ પર બેદરકારીનો આરોપ મૂકીને દાવો કર્યો કે પોલીસ હિંસા દરમિયાન કામગીરી બજાવવામાં નિષ્ફળ ગઈ.

    લાખોની વસ્તુઓની લૂંટ

    લાલમુસા સદ્દર પોલીસે PGC પ્રોપર્ટીમાં તોડફોડ કરવા અને અંદાજે ₹15 મિલિયનની કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરવા બદલ 250થી વધુ વ્યક્તિઓ સામે કેસ નોંધ્યા છે, જેમાં 45 શંકાસ્પદ લોકોનાં નામ છે. એ જ રીતે ખારિયન સદર પોલીસે 200 વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો હતો, જેમાં 46 ઓળખાયેલ શંકાસ્પદોનો સમાવેશ થાય છે.

    અહેવાલ અનુસાર મંડી, બહાઉદ્દીન અને જેલમમાં અન્ય PGC કેમ્પસમાં પણ તોડફોડ, મિલકતને આગ લગાડવા અને લાખોની કિંમતની વસ્તુઓની ચોરી સહિતની ઘટનાઓ સામે આવી હતી. એક ક્રેકડાઉનમાં, ગુજરાત (પાકિસ્તાનનું ગુજરાત) જિલ્લાની પોલીસે હિંસક વિરોધ સાથે જોડાયેલા ઓછામાં ઓછા 92 લોકોની ધરપકડ કરી હતી અને વધુ શકમંદોને પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી.

    એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે વિરોધ ‘રાજકીય રીતે પ્રેરિત’ હતો. તેમણે અશાંતિ ઉશ્કેરનારાઓની સંપૂર્ણ તપાસનું વચન આપ્યું હતું. ગુજરાતના ડેપ્યુટી કમિશનર સફદર વિર્કે જિલ્લાની તમામ જાહેર અને ખાનગી કોલેજોને 19 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો અને મેનેજમેન્ટને હોસ્ટેલ ખાલી કરવા સૂચના આપી હતી.

    મુસ્લિમ સગીરે બુઆની જ લૂંટી લીધી લાજ: ખંભાળિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી શરૂ, આરોપીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરાશે

    ખંભાળિયામાં (Khambhaliya) રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર (Muslim Minor) દ્વારા તેની બુઆ પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી હતી. સગીરે તેની પુખ્ત વયની બુઆ પર બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત તેની બુઆ અસ્થિર મગજની છે તેનું તથા સગીરનું મેડિકલ ચેકઅપ કરાવીને મુસ્લિમ આરોપીને જુવેનાઇલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે.

    ઘટના સામે આવતા પીડિતાના પરિવાર દ્વારા જ મુસ્લિમ સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના મુસ્લિમ આરોપીની અટકાયત કરી,આ બળાત્કાર કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે ભોગ બનનાર પીડિતાનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

    ઑપઇન્ડિયાએ આ અંગે પોલીસ જામખંભાળિયાના PI ભુપેન્દ્રસિંહ સાથે વાતચીત કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, “ખંભાળિયા ટાઉનની અંદર મુસ્લિમ પરિવારના જ ભત્રીજાએ તેની બુઆ પર બળાત્કાર આચાર્યો હતો. તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 (બળાત્કાર જેવા ગંભીર ગુના માટે સજાનું પ્રાવધાન) અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તથા મેડિકલ ચકાસણી બાદ આજે જ (17 ઓક્ટોબર) જુવાઈલ જસ્ટિસબોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.”

    મોઢું દાબીને દઈને કર્યું ખોટું કામ…

    તેમણે ઘટના અંગેની વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, “પીડિતાને ખૂબ ઓછુ ગુજરાતી આવડે છે. તેણે તેની અમ્મીને કચ્છી બોલીમાં કહ્યું કે ‘મૂંગો દઈને (મોઢું દબાવીને) મારી સાથે આ રીતેનું કામ કર્યું’. પીડિતાની અમ્મીએ પીડિતાના ભાઈને (મુસ્લિમ આરોપીના પિતાને) આ ઘટના જણાવી. આરોપીની અમ્મીના આરોપીના અબ્બા સાથે ચોથા નિકાહ છે, તથા આરોપીના અબ્બાના તેની અમ્મી સાથે બીજા નિકાહ છે.”

    PI સાથેની વાતચીતમાં જ ઑપઇન્ડિયાને જાણવા મળ્યું હતું કે, આરોપી તેના અબ્બાનો સાવકો પુત્ર છે, આરોપીની અમ્મી સગીરને આગાઉ જ્યાં નિકાહ કર્યા હતા ત્યાંથી સાથે લાવેલ છે. PIએ આગળ જણાવ્યું હતું કે, “આરોપીનો અબ્બા અહિયાં અમારી પાસે આવ્યો ત્યારે અમે પૂછ્યું કે ઘટના અંગે કોની સાથે વાત કરેલી છે, ત્યારે તેના અબ્બાએ કહ્યું કે તેની અમ્મી (આરોપીની દાદી) સાથે તેની બહેને વાત કરી હતી.”

    તેમણે આગળ કહ્યું કે, “અમે પીડિતાની અમ્મીને પોલીસ સ્ટેશન બોલાવી. તેની અમ્મીએ સગીરે બળાત્કાર કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. અમે પીડિતાની અમ્મીને ફરિયાદી બનાવી ફરિયાદ નોંધી હતી.” પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.