Friday, September 20, 2024
More
    Home Blog Page 1096

    રાહુલ ગાંધી હજુ નેપાલ પ્રવાસના નશામાં: તેલંગણાની જનસભાના વિષયથી જ અજાણ, પોતે હૈદરાબાદમાં હોવા છતાય હિન્દુ મૃતક નાગારાજુના પરિવારને મળવા માટે સમય નહિ

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નેપાળ પ્રવાસ પરથી ભારત પરત ફર્યા છે. નેપાલમાં ભારતવિરોધી માનસિકતાવાળી પત્રકારના લગ્ન માટે ગયેલ રાહુલ ગાંધીના કાઠમાંડુના નાઈટબારમાં એક વિદેશી મહિલા સાથે પાર્ટી કરતાં વિડીયો વાઇરલ થયા હતા. ભારત આવતાની સાથે જ તેઓ તેલંગાણાના બે દિવસના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમનો એક અન્ય વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કોંગ્રેસના નેતાઓને પૂછતા જોવા મળે છે કે શું કહેવું છે. આ વીડિયો તેલંગાણા કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠકનો છે.

    17 સેકન્ડની ક્લિપમાં, રાહુલ ગાંધી ખુરશી પર બેસીને કોંગ્રેસના બાકીના નેતાઓને પૂછતા જોઈ શકાય છે, “આજનો મુખ્ય વિષય શું છે… શું કહેવું છે?” નોંધનીય છે કે શુક્રવારે (6 મે 2022) તેલંગાણા પહોંચેલા રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દે વારંગલમાં જનસભાને સંબોધિત કરવાના હતા.

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે તેલંગાણાની બે દિવસની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓ વારંગલમાં ખેડૂતોના મુદ્દાઓ પર જાહેર સભાને સંબોધવાના હતા. જો કે, આ વાત પર કટાક્ષ કરતા ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ કહ્યું, “જ્યારે તમે ખાનગી વિદેશ પ્રવાસો અને નાઈટક્લબિંગ વચ્ચે રાજકારણ કરો છો ત્યારે આવું થાય છે.”

    દરમિયાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ રાહુલ ગાંધીના આ વીડિયો પર ટિપ્પણી કરી હતી. ઓવૈસીએ કહ્યું, “જ્યારે તમે નથી જાણતા કે તમે તેલંગાણાના લોકોને શું સંદેશ આપવા માંગો છો, તો તેઓ શા માટે તમારું સમર્થન કરશે.” ઓવૈસીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો કે “તમારું મન ખાલી છે. તમે TRS સામે કેવી રીતે લડશો? ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.”

    રાહુલ ગાંધી એટલા વ્યસ્ત કે હૈદરાબાદમાં હોવા છતાં હિન્દુ મૃતક નાગારાજુના પરિવારને મળવાનો સમય નથી

    કોંગ્રેસના નેતા ગીથા રેડ્ડીએ પુષ્ટિ કરી છે કે તેમના વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, જેઓ તેલંગાણાની બે દિવસની મુલાકાતે છે, તેઓ તેમના ‘વ્યસ્ત શિડ્યુલ’માંથી સમય કાઢીને હિન્દુ યુવક નાગારાજુના પરિવારને મળવા માટે સક્ષમ નહીં હોય. હૈદરાબાદમાં તેની મુસ્લિમ પત્ની સાથેના આંતર-ધર્મીય લગ્નને લઈને જાહેરમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

    મરેડપલ્લીના રહેવાસી 25 વર્ષીય બિલ્લાપુરમ નાગારાજુને બુધવારે રાત્રે સરોરનગર તલાટિની ઓફિસમાં તેની પત્નીના પરિવારના સભ્યોએ ચાકુ મારીને હત્યા કરી દીધી હતી.

    હૈદરાબાદ, તેલંગાણામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના મુખ્ય કાર્યાલય, ગાંધી ભવનની બહાર બોલતા, જ્યાં રાહુલ ગાંધી તેમના પક્ષના કાર્યકરોને મળવાના છે, ગીતા રેડ્ડીએ મીડિયાકર્મીઓને કથિત રીતે જણાવ્યું હતું કે મૃતકના પરિવારને મળવું “રાહુલ ગાંધીની સૂચિમાં નથી.”. તેમના વ્યસ્ત શેડ્યૂલ ઉપરાંત, કોંગ્રેસના નેતાએ રાહુલ ગાંધીની સુરક્ષાની ચિંતાઓને પણ એક કારણ તરીકે ટાંક્યું કે શા માટે તેમને નાગારાજુના પરિવારની મુલાકાત લેવામાં મુશ્કેલી પડશે.

    જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી નાગારાજુના શોકગ્રસ્ત પરિવારને મળવા માટે થોડો સમય કાઢશે, કોંગ્રેસના નેતા ગીતા રેડ્ડીએ અહેવાલ મુજબ ટાઈમ્સ નાઉને જણાવ્યું હતું કે, “તેમની દિલ્હીની ફ્લાઈટ પહેલેથી જ બુક થઈ ગઈ છે, શું તેઓ આ મુલાકાત માટે જશે કે પાછા જતાં રહેશે એ એવી વસ્તુ છે જેનો હું જવાબ આપી શકતી નથી.”

    અહિયાં એ નોંધનીય છે કે જ્યારે જ્યારે કોઈ અપ્રિય ઘટનામાં વિકટીમ મુસ્લિમ હોય છે ત્યારે રાહુલ ગાંધી અલગથી ખાસ સમય નીકળીને એમના પરિવારને મળવા જતાં હોય છે. ભલે એ મુજફ્ફરનગર હોય કે દાદરી હોય કે પનક્કડ હોય.

    બોટાદમાં કુખ્યાદ સિરો ડોને VHP બોટાદ તાલુકા અધ્યક્ષને આપી ધમકી, “…. નહિ તો તારી સાથે કિશન ભરવાડવાળી થશે.”

    બોટાદમાં એક ગંભીર મામલો સામે આવ્યો છે. માહિતી મુજબ સ્થાનિક અસામાજિક તત્વ, કે જેનું નામ સિરાજ ઉર્ફે સિરો ડોન ઉર્ફે ડોન હુસેન ખલ્યાણી બોટાદવાળો છે, તેણે બોટાદ તાલુકાનાં વિશ્વ હિન્દુ પરિષદના તાલુકા અધ્યક્ષ મહેન્દ્રભાઇ લાલજીભાઇ માળી ઉર્ફે મુન્નાભાઈ માળીનો રસ્તો રોકી પોતાની ગાડીમાં બેસાડીને ધમકાવ્યા હતા. મુન્નાભાઈને જાનથી મારવાની ધમકી આપતા સિરાજ ડોને કહ્યું હતું કે એની સાથે પણ કિશન ભરવાડવાળી થશે.

    આ બાબતે મુન્નાભાઈ માળી દ્વારા 7 તારીખે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બોટાદ પોલીસ દ્રારા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરાતા આરોપીને પકડી પડાયો હતો. આરોપી સિરો ડોન લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તથા અગાઉ પણ ઘણા ગુનાઓમાં તેના વિરુદ્ધ ફરિયાદો નોંધાયેલી છે.

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં ફરિયાદકર્તા મુન્નાભાઇએ જણાવ્યુ હતું કે, તેઓ 5 મેનાં રોજ બપો૨નાં ત્રણ વાગે પોતાના ઘરેથી દુકાન તરફ જતા હતા. તે દરમિયાન નગલપર દરવાજા પાસે મેડિકલ નજીક રોડ ઉપર સામેથી નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાં સિરાજ ઉર્ફે સિરો ડોન ઉર્ફે ડોન હુસેન ખલ્યાણી બોટાદવાળો આવીને તેમને કહેવા લાગ્યો હતો કે ‘ગામમાં તમારા દ્વારા માઈક બાંધેલા છે તે ઉતારી લેજો નહિતર કિશન ભરવાડવાળી થશે. તમને ગાડીમાં બેસાડી અપહરણ કરી જાઉં તો મારૂ કોણ શું ઉખાડી લેશે’ અને તેણે ઊંચા અવાજે વાત કરી તેમને (મહેન્દ્રભાઈને) જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    આગળ વાત કરતાં મુન્નાભાઇએ કહ્યું કે, આ ઘટના થયા બાદ તેમણે વિશ્વ હિન્દુ પરિષદના ભાવનગર વિભાગના અધ્યક્ષ રસિકભાઈ તળશીભાઈ કણજરિયાને ફોન કરીને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો. તેમની સલાહ લઈને 7 તારીખે મુન્નાભાઇએ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે આ સિરા ડોન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    ઑપઇન્ડિયા દ્વારા VHPના ભાવનગર વિભાગના અધ્યક્ષ રસિકભાઈ તળશીભાઈ કણજરિયાનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યુ કે, સમગ્ર ભારત અને ગુજરાતની જેમ બોટાદમાં પણ ઘણા મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા માઈક લગાવવામાં આવ્યા હતા. મુન્નાભાઈ છેલ્લા 20 વર્ષથી VHP સાથે જોડાયેલા હોઈ આ સિરા ડોને પહેલા એમની રેકી કરી હતી. પછી 5 તારીખે જ્યારે મુન્નાભાઈ 3 વાગ્યે પોતાના ઘરેથી પોતાની ફૂલોની દુકાન તરફ જતાં હતા ત્યારે તક જોઈને સિરાએ તેમને રોકીને ગાડીમાં બેસાડીને ધમકાવ્યા હતા અને કિશન ભરવાડની જેમ તેમની પણ હત્યા કરવાની ધમકી ઉચ્ચારી હતી.

    રસિકભાઈએ ઑપઇન્ડિયા સાથેની આ ખાસ વાતચીતમાં વધુમાં જણાવ્યુ હતું કે તેમની સ્પષ્ટ માંગ છે કે વિસ્તારમાં ધાર્મિક સદભાવનો માહોલ ખરાબ કરતાં સિરાજ જેવા અસમાજિક તત્વો વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ.

    મુસ્લિમ ગુંડાઓ દ્વારા કિશન ભરવાડની નિર્મમ હત્યા થઈ હતી.

    25 જાન્યુઆરીએ અમદાવાદ ગ્રામ્યમાં આવતાં ધંધૂકા તાલુકામાં 27 વર્ષીય યુવક કિશન ભરવાડની ‘ધાર્મિક સોશિયલ મીડિયા પોસ્ટ’ બાબતે અંગત અદાવત રાખી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હત્યા કરનાર શબ્બીર તથા ઇમ્તિયાઝ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની તપાસમાં મુસ્લિમ મૌલવીની સંડોવણી પણ સામે આવી હતી.

    CAA (નાગરિકતા સુધારા અધિનિયમ) અંતર્ગત પાકિસ્તાનથી આવેલ 17 હિન્દુ શરણાર્થીઓને અમદાવાદ કલેક્ટર દ્વારા નાગરિકતા પત્ર એનાયત કરાયા

    અમદાવાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા સુધારા અધિનિયમ અંતર્ગત નાગરિકતાપત્ર એનાયત કરવામાં આવ્યા. આ અવસરે લાભાર્થી સવામલે કલેક્ટર સામે આભરા વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ ભારતમાં આવીને શાંતિનો અનુભવ કરી રહ્યા છે.

    લાભાર્થી શરણાર્થીઓ (ફોટો : દિવ્ય ભાસ્કર)

    અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ લાભાર્થીઓ સાથે ભાવપૂર્ણ સંવાદ સાંધ્યો અને તેમણે લાભાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી સંબધિત પ્રશ્નો પૂછ્યા હતા તથા સાંત્વના આપી હતી. અહીં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી તીવ્રતા બદલ લાભાર્થીઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

    અગત્યની બાબત એ છે નાગરિકતા સુધારા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. આ અવસરે અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા અને અગ્રણી મેઘરાજભાઈ તેમજ રાજેશભાઈ મહેશ્વરી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    અત્રે નોંધનીય છે કે, નાગરિકતા એનાયત કરાતા પહેલા રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા (હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) ધર્મના લોકોને નાગરિકતા સુધારા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.

    CAA શું છે?

    નાગરિતા સુધારા અધિનિયમને વધાવતા શરણાર્થીઓ (ફોટો : The Economics Times)

    નાગરિકતા સુધારા અધિનિયમ, 11 ડિસેમ્બર 2019 ના રોજ ભારતની સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. તેણે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના અત્યાચાર પામેલી ધાર્મિક લઘુમતીઓ કે જેઓ ડિસેમ્બર 2014ના અંત પહેલા ભારતમાં આવ્યા હતા હિન્દુઓ, શીખો, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તીઓ, માટે ભારતીય નાગરિકત્વનો માર્ગ પ્રદાન કરીને નાગરિકતા અધિનિયમ, 1955 માં સુધારો કર્યો હતો. આ કાયદો મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના મુસ્લિમોને આવી યોગ્યતા આપતો નથી.

    આ પહેલા પણ અમદાવાદમા આ અધિનિયમ અંતર્ગત નાગરિકતા આપવામાં આવેલ

    આ પહેલી વાર નથી કે અમદાવાદ કલેક્ટર દ્વારા CAA અંતર્ગત શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી હોય. આ પહેલા 23 ડિસેમ્બર 2021ના રોજ અમદાવાદમાં 24 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા અપાઈ હતી અને 6 માર્ચ 2022ના રોજ બીજા 41 શરણાર્થીઓને પણ નાગરિકતા મળી હતી.

    2021ના નાગરિકતા પામેલ શરણાર્થીઓ (ફોટો : VTV)

    મોબાઇલની દુકાન માટે દહેજ ન મળતા મોહમ્મદ આદિલે પત્નીને આપ્યા ટ્રિપલ તલાક, ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ થતાં ધરપકડ

    પંચમહાલના ગોધરામાં ટ્રિપલ તલાક તેમ જ દહેજનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ પોતાના પતિ મોહમ્મદ આદિલ નિસાર તથા સાસરિયાઓ વિરુદ્ધ ગોધરા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ટૂંકા સમયમાં જ પતિ અને સાસરાની ધરપકડ કરવામાં આવી હતી.

    પોલીસ પકડમાં આવેલ આરોપી પતિ તથા સસરા (ફોટો : દિવ્ય ભાસ્કર)

    ગોધરાની રાણી મસ્જિદ પાસે મૌલાના આઝાદ રોડ ખાતે રહેતી મદીયા ઝફર એહમદ સુઝેલાના લગ્ન 2019માં ગોધરાના ગોન્દ્રાની સલામત સોસાયટીમાં રહેતા મોહમદઆદીલ નિશાર બડંગા સાથે સામાજિક રીતે થયા હતા. લગ્ન થયા પછી સાસુ ફરજાના નિશાર બડંગા, સસરા નિશાર હુસેન બડંગા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નના બે માસ સુધી મદીયા સાથે સાસરી પક્ષે સારુ રાખ્યું હતું. ત્યાર બાદ પતિ મોહમદઆદીલ દ્વારા નાની નાની બાબતે શંકા વહેમ રાખીને ગાળો બોલી મદીયા સાથે મારઝૂડ કરતો હતો.

    વારંવાર મદીયાને દહેજ માટે પતિ મોહમદઆદીલ, સાસુ ફરજાના તથા સસરા નિશાર મેણા ટોણા મારી હેરાન પરેશાન કરતા હતા. પોતાના માતા પિતા દહેજ આપવાની સ્થિતિમાં ન હોવાનું જણાવતા મદીયાને પતિ મોહમદઆદીલ દ્વારા મારઝૂડ કરી શારિરીક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મોહમદ આદીલને મોબાઇલની દુકાન કરવી હતી જેના માટે એ પત્નીને મારજૂડ કરીને પિયરમાંથી પૈસા લઈ આવવા દબાણ કરતો. મદીયાએ પૈસા નહીં આપતા મોહમદઆદીલે તા. 24 એપ્રિલના રોજ મદીયાના માતા, પિતા તથા બે મામાની સામે ત્રણ વાર તલાક તલાક તલાક બોલીને ટ્રિપલ તલાક આપ્યા હતા. આમ પંચમહાલ તેમજ ગોધરામાં ટ્રિપલ તલાક અંતર્ગત પહેલી ફરિયાદ નોંધાઈ હતી.

    જેને લઇને મદીયાએ ગોધરા મહિલા પોલીસ મથકે મુસ્લિમ મહિલા લગ્ન પર અધિકારોનું રક્ષણ અધિનિયમ તથા દહેજના ગુના હેઠળ ફરિયાદ નોંધવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદ બાદ એલસીબી પોલીસ ઈન્સ્પેકટર જે.એન.પરમારને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે ગોધરા મહિલા પો.સ્ટે. દહેજ તથા મુસ્લિમ મહિલા લગ્ન અધિકારોનું રક્ષણના ગુનાના આરોપી મોહમદઆદીલ નિશાર હુસેન બડંગા તથા નિશાર હુસેન બડંગા તેમના ઘરે ગોન્દ્વાની સલામત સોસાયટી હાજર છે. બાતમીના આધારે એલસીબી પોલીસ સબ ઈન્સ્પેકટર આઇ.એ.સીસોલીયા, મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમી વાળા ઘરે તપાસ કરતા બંન્ને મળી આવતા તેઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અટક કરી હતી.

    મોદી સરકારે 2019માં ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો

    કેન્દ્રની મોદી સરકારે 2019માં જ મુસ્લિમ સમાજની આ સામાજિક બદીથી મહિલાઓને રક્ષણ પૂરું પાડવા ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો હતો. કેન્દ્ર સરકારે લાગુ કરેલા ટ્રિપલ તલાક કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ તેની પત્નીને મૌખિક, લેખિત કે અન્ય કોઈ પણ માધ્યમથી ત્રણ વખત તલાક બોલીને છોડી દે તો તે ગુનો ગણાશે અને તેને પોલીસ વોરંટ વગર ધરપકડ પણ કરી શકે છે અને ત્રણ વર્ષ સુધીની સજા પણ થઇ શકે છે. આ મામલે પીડિત મહિલા સ્વયં કે તેના સબંધીઓ કેસ દાખલ કરી શકે છે.

    કેન્દ્ર સરકારે 2019માં ટ્રિપલ તલાક વિરુદ્ધ બિલ રજૂ કરી કાયદો ઘડ્યો હતો. (ફોટો : LIVELAW)

    કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા ઓગસ્ટ 2021 માં જારી કરવામાં આવેલ આંકડાઓ અનુસાર, કાયદો લાગુ થયા બાદ ટ્રિપલ તલાકના કેસમાં લગભગ 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

    હમણાં જ ગુજરાતમાં આ કાયદા અંતર્ગત પહેલી સજા સંભળાવવામાં આવી

    ગુજરાતમાં ટ્રિપલ તલાક કેસમાં પહેલી સજા ફટકારવામાં આવી છે. બનાસકાંઠાની પાલનપુર કોર્ટે ટ્રિપલ તલાક કેસમાં એક મુસ્લિમ અધિકારી સરફરાજખાન બિહારીને એક વર્ષની કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

    રાજસ્થાન : ઝાકિર હુસૈન-નાઝિમ શેખ મંદિરની છત પર માંસ રાંધતા પકડાયા, વિવાદ બાદ ધરપકડ

    રાજસ્થાનના ઉદયપુરમાં એક હિંદુ મંદિરની છત પર 2 મુસ્લિમ યુવકો દ્વારા માંસ રાંધવામાં આવ્યા બાદ આ મામલે વિવાદ થયો હતો. કૃત્ય કરનાર બંને આરોપીઓના નામ ઝાકિર હુસૈન અને નાઝિમ શેખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમની ઉપર આરોપ છે કે તેમણે માંસ ખાધા બાદ હાડકાંઓ મંદિરમાં જ ફેંકી દીધા હતા. આ મામલે પોલીસે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ ઘટના શુક્રવારની (6 મે 2022) છે. આ મામલે પોલીસે કેસ દાખલ કર્યા બાદ બંને આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી.

    ભાજપ નેતા લક્ષ્મીકાંત ભારદ્વાજે મંદિરનો વિડીયો શેર કર્યો છે. તેમણે મુખ્યમંત્રી અશોક ગેહલોતને આ મામલે કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે. વિડીયોમાં ‘જય શ્રીરામ’ લખેલા મંદિરના ગેટ આગળ પોલીસ જવાનો તહેનાત જોવા મળે છે. મંદિરની છત પર ગેસ સિલિન્ડર અને ચૂલા પર વાસણો રાખેલા જોવા મળે છે. વાસણને ખોલીને બતાવવામાં આવે ત્યારે તેમાં માંસ રાંધવામાં આવેલ હોય તેમ જણાઈ રહ્યું છે.

    ઇન્ડિયા ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આરોપીઓ લગભગ 15 દિવસથી મંદિરની છત પર રહેતા હતા. દરમ્યાન તેઓ નોનવેજ બનાવીને ખાઈ રહ્યા હતા. જેની જાણ સ્થાનિક લોકોએ કોર્પોરેટરને કરતા તેમણે લોકો સાથે પહોંચીને તમામ સામાન રસ્તા પર ફેંકી દેવડાવ્યો હતો. જે બાદ મંદિર પરિસર પાણીથી  ધોઈને સાફ કરવામાં આવ્યું હતું. આ મંદિર અલીપુર વિસ્તારમાં સામુદાયિક ભવન પાસે બનાવવામાં આવેલ છે તેમ જાણવા મળ્યું છે. ઘટનાની જાણકારી બાદ સ્થાનિક લોકો મંદિરની આગળ ભેગા થઈને વિરોધ કરી રહ્યા હતા.

    પકડાયેલા આરોપીઓ વિશે સ્થાનિક લોકોનું માનવું છે કે તેઓ બિહારથી રસ્તા બનાવવા માટે બોલાવવામાં આવેલા મજૂરો છે. તેમને પહેલાં પણ મંદિર પરિસરમાં જવા બાબતે ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તેઓ માન્યા ન હતા. નગરપાલિકા અને સ્માર્ટ સિટીના અધિકારીઓ પણ બંને આરોપીઓને ઓળખતા નથી. વધુમાં, પકડાયેલા આરોપીઓએ અગાસીએ માંસ બનાવવાનું કબૂલ કર્યું હતું.

    આ મામલે સ્થાનિક કોર્પોરેટર કુસુમ પવારે ઓપઇન્ડિયાને જણાવ્યું કે, તેમને જાણ થતા તાત્કાલિક માંસ બહાર ફેંકી દેવડાવ્યું હતું અને મંદિર પરિસરની સાફસફાઈ કરવામાં આવી હતી. તેમજ બંને આરોપીઓને તાત્કાલિક જગ્યા છોડી દેવા માટે સૂચના આપી હતી. જોકે, જ્યારે બીજા દિવસે જઈને જોયું તો ફરીથી મંદિર પરિસરમાં હાડકાં જોવા મળ્યાં હતાં. જે બાદ તેમણે ભૂપાલપુરા પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચીને બંને આરોપીઓને પકડી લીધા હતા.

    અન્ય એક રિપોર્ટ અનુસાર, ભૂપાલપુરા પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે કલમ 295 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે કોર્પોરેટરે ફરિયાદ આપી હતી. DSPએ આ કેસ મામલે કાર્યવાહીની પુષ્ટિ કરી હતી.

    વારાણસીના વિવાદિત માળખામાં થતા સર્વે વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યો મુસ્લિમ પક્ષ; ઔવેસીએ કહ્યું- ખૂનામરકીનો રસ્તો ખુલી રહ્યો છે

    ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત વિવાદિત માળખા ‘જ્ઞાનવાપી મસ્જિદ’માં શૃંગાર ગૌરીની વિડીયોગ્રાફીનો આજે બીજો દિવસ છે. બપોરે ત્રણ વાગ્યે કોર્ટ કમિશ્નર અજય કુમાર મિશ્રા પક્ષ અને પ્રતિપક્ષ સાથે જ્ઞાનવાપી પરિસર પહોંચ્યા હતા. જોકે, તે પહેલાં મુસ્લિમ પક્ષે કોર્ટમાં એક અરજી દાખલ કરીને કમિશ્નર પર નિષ્પક્ષ રીતે કામ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત કમિશ્નર બદલવાની પણ માંગ કરી હતી. તો બીજી તરફ આ મામલે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

    રિપોર્ટ અનુસાર, મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવનું કહેવું છે કે કોર્ટમાં મસ્જિદની અંદર વિડીયોગ્રાફી કરવાનો આદેશ આપવામાં આવ્યો નથી. વિડીયોગ્રાફી માત્ર બહારના ચબૂતરાની કરવામાં આવનાર છે. મુસ્લિમ પક્ષના વકીલોએ આરોપ લગાવ્યો હતો કે મસ્જિદની દીવાલોને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેથી કોર્ટ કમિશ્નર બદલી નાંખવામાં આવે.

    દરમ્યાન, સર્વેના એક દિવસ પહેલાં મુસ્લિમોએ નારાબાજી કરવાના કારણે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. તંત્રે 1000 પોલીસ અને પીએસીના જવાનોને એક કિલોમીટરના વિસ્તારમાં તહેનાત રાખવામાં આવ્યા હતા.

    વિવાદિત માળખા જ્ઞાનવાપી પરિસરમાં થતા સર્વે મામલે AIMIM પ્રમુખ ઔવેસી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય મુસ્લિમ વિરોધી હિંસાના રસ્તા ખોલી આપશે. તેમણે ટ્વીટમાં કહ્યું, ‘કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આ આદેશથી કોર્ટ 1980-1990 ના દાયકાની રથયાત્રા દરમિયાન થયેલ ખૂનામરકી અને મુસ્લિમ વિરોધી હિંસાનો રસ્તો ખોલી રહી છે.

    વિવાદિત માળખાના સર્વેના એક દિવસ પહેલાં કાશી વિશ્વનાથ મંદિરમાં ગેટ નંબર 4માંથી સર્વે ટીમ અંદર જતી હતી તે દરમિયાન ત્યાં અલ્લાહુ અકબરના નારા લાગ્યા હતા. જ્યાં બીજી તરફ હિંદુ પક્ષે પણ હરહર મહાદેવના નારા લગાવ્યા હતા. નોંધવું જોઈએ કે આ વિવાદિત માળખાના એક ભાગની દેખરેખ કરનાર અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ સમિતિ સતત આ સર્વેનો વિરોધ કરી રહી છે. કોર્ટનો આદેશ આવ્યા બાદ સમિતિના સંયુક્ત સચિવે કહ્યું હતું કે કોઈને પણ માળખામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં અને તેઓ તે માટેના પરિણામો માટે તૈયાર છે.

    શું છે મામલો?

    18 ઓગસ્ટ 2021 ના દિવસે વારાણસીમાં પાંચ મહિલાઓએ શૃંગાર ગૌરી મંદિરમાં દરરોજ દર્શન કરવાની માંગ સહિત અન્ય માંગોને લઈને વારાણસીની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટે આ અરજી સ્વીકારતા સ્થળ પરની સ્થિતિ જાણવા માટે એક કમિશન રચવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં વિવાદિત સ્થળનું નિરીક્ષણ થઇ શક્યું ન હતું.

    વારાણસી સિવિલ જજ (સિનીયર ડિવીઝન ફાસ્ટટ્રેક) જસ્ટિસ રવિ કુમાર દિવાકરે 18 ઓગસ્ટ 2021ના પોતાના પહેલા આદેશને યથાવત રાખી 8 એપ્રિલ 2022 ના રોજ કોર્ટે કમિશ્નર અજય કુમાર મિશ્રાને નિયુક્ત કરી સર્વેક્ષણ અને વિડીયોગ્રાફીની કાર્યવાહી ફરી શરૂ કરવાની પરવાનગી આપી હતી. કોર્ટે સુનાવણી બાદ અરજી ફગાવીને પોતાના પહેલા આદેશને યથાવત રાખ્યો હતો અને 10 મે પહેલાં ઈદ બાદ સર્વેક્ષણ અને વિડીયોગ્રાફીની કાર્યવાહી કરીને આ મામલે રિપોર્ટ માંગીને સુનાવણીની તારીખ 10 મે 2022 મુકરર કરી છે.

    હિંદુસ્તાન ટાઈમ્સે ભાજપને ગુંડાઓની પાર્ટી ગણાવી, વિવાદ થતાં ટેકનિકલ ખામીનું બહાનું ધર્યું : તજિંદર બગ્ગાની ધરપકડ મામલે કરી હતી પોસ્ટ

    ગઈકાલે (7 મે 2022) પંજાબ પોલીસ દ્વારા ભાજપ નેતા તેજિંદર પાલ સિંઘ બગ્ગા અને તેમની ધરપકડનો મામલો દિવસભર ચર્ચામાં રહ્યો હતો. આમ આદમી પાર્ટી શાસિત પંજાબ રાજ્યની પોલીસ ભાજપ નેતાના ઘરમાં ઘૂસી ગઈ હતી અને તેમની ધરપકડ કરી હતી તેમજ તેમના વૃદ્ધ પિતા સાથે ઝપાઝપી પણ કરી હતી. તજિંદર પાલ સિંઘની ધરપકડ મામલે ત્રણ રાજ્યોની પોલીસ સામસામે આવી ગઈ હતી. જોકે, બગ્ગાની ધરપકડ મામલે એક સમાચાર પોસ્ટ કરતા હિંદુસ્તાન ટાઈમ્સ દ્વારા ભાજપને ગુંડાઓની પાર્ટી ગણાવી દેવામાં આવતા યુઝરોએ મીડિયા હાઉસની ખૂબ ટીકા કરી હતી.

    પંજાબ પોલીસે ભાજપ નેતા તજિંદર પાલ સિંઘ બગ્ગાની ધરપકડ બાદ દિલ્હીમાં પંજાબ પોલીસ વિરુદ્ધ અપહરણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ ભાજપ નેતાને લઇ જતી ગાડીને હરિયાણામાં રોકવામાં આવી હતી અને તજિંદર પાલ સિંઘને લઈને દિલ્હી પોલીસ પરત ફરી હતી. જોકે, આ સમગ્ર ઘટનાને લઈને મીડિયાએ કરેલા રિપોર્ટીંગને લઈને ચર્ચા શરૂ થઇ ગઈ છે. તેમાં પણ ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ દ્વારા તો એક કદમ આગળ વધીને ભાજપને ગુંડાઓની પાર્ટી ગણાવી દેવામાં હતી.

    તજિંદર પાલ સિંઘ બગ્ગા ધરપકડ કેસ મામલે રિપોર્ટીંગ કરતા હિંદુસ્તાન ટાઈમ્સ મીડિયા હાઉસના ટ્વીટર પર સમાચાર શેર કર્યા હતા. જેની સાથે લખવામાં આવ્યું હતું, ‘શુક્રવારે નાટકીય ઘટનાક્રમ વચ્ચે ‘ભાજપ-ગુંડાઓની પાર્ટી’ના નેતા તજિંદર પાલ સિંઘ બગ્ગાને પંજાબ પોલીસે ગિરફ્તાર કરી લીધા હતા, જે બાદ કેટલાક કલાકો બાદ તેમને દિલ્હી પરત લાવવામાં આવ્યા હતા.”

    હિંદુસ્તાન ટાઈમ્સે કરેલા આ વિવાદિત ટ્વીટને લઈને ઇન્ટરનેટ અને ખાસ કરીને ટ્વીટર યુઝરોમાં ચર્ચા શરૂ થઇ ગઈ હતી તો મીડિયા હાઉસે કેટલાક યુઝરોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. દરમ્યાન, JNU પ્રોફેસર અને ટ્વીટર પર જાણીતી હસ્તી ડૉ. આનંદ રંગનાથને હિંદુસ્તાન ટાઈમ્સના ટ્વીટને ક્વોટ કરતા કહ્યું હતું કે ભાજપ વિશે જો તેઓ આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય તો આમ આદમી પાર્ટીને લઈને તેઓ શું કહેશે?

    બીજી તરફ, હિંદુસ્તાન ટાઈમ્સે આ મામલે બચાવ કરતા ટેકનિકલ ખામીનું કારણ ધર્યું હતું. મીડિયા હાઉસે ટ્વીટ કરતા કહ્યું, ‘ટ્વીટડેકના ઓટોપોલ ફીચરથી ભાજપ માટે આવું હેશટેગ વપરાઈ ગયું અને તે બાબતે ધ્યાન જાય અને સુધારવામાં આવે તે પહેલાં ટ્વીટ પોસ્ટ થઇ ગયું હતું. આ ભૂલ માટે અમે દિલગીર છીએ.’ હિંદુસ્તાન ટાઈમ્સ આગળ જણાવે છે કે, ‘અમે અમારી સોશિયલ મીડિયા પ્રકાશન પ્રક્રિયાની સમીક્ષા કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે ખૂટતું કરી રહ્યા છીએ.’

    જોકે તેમ છતાં હિંદુસ્તાન ટાઈમ્સે આ દરમિયાન લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. એક વ્યક્તિએ લખ્યું કે ભૂતકાળમાં HTએ નીતિ આયોગના CEO અમિતાભ કાન્તના નિવેદનને લઈને પણ જુઠ્ઠાણું ફેલાવ્યું હતું, જે બાદ તેમણે સ્પષ્ટતા કરવી પડી હતી કે તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી. તેમના હવાલેથી ખોટા સમાચારો છપાયા હતા અને જેમાં લખવામાં આવ્યું હતું કે તેમણે ભારતમાં ‘જરૂરિયાત કરતા વધુ પડતા લોકતંત્ર’ની વાત કરી હતી, પરંતુ સ્પષ્ટતા થઇ હતી કે તેઓ મેન્યુફેક્ચરિંગ સેક્ટર અંગે વાત કરી રહ્યા હતા.

    વધુમાં, રાજકીય વિશ્લેષક ઋષિ બાગરીએ હિંદુસ્તાન ટાઈમ્સને પૂછ્યું હતું કે શું તેમનું ઓટોપોલ ફીચર માત્ર એક જ પાર્ટી વિરુદ્ધ કામ કરે છે? તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આટલી ચોકસાઈથી કોઈ વાક્યની વચ્ચે આ પ્રકારનું હેશટેગ વાપરવું એ તકનીકી ભૂલ ન હોય શકે.

    બીજી તરફ, સોશિયલ મીડિયામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણી મીડિયા સંસ્થાઓને આમ આદમી પાર્ટી તરફથી જાહેરાતો મળતી રહે છે, તેથી જ તેઓ તજિંદર બગ્ગાના કેસમાં ટિપ્પણી કરવાથી દૂર રહ્યા છે અને ઉપરથી ભાજપને જ દોષી ઠેરવી રહ્યા છે.

    ઝારખંડના CM સોરેનના નજીકના IAS અને તેમના અંગત લોકોને ત્યાં EDના દરોડા; 25 કરોડ રોકડા મળી આવ્યા સસરાની ધરપકડ

    IAS પૂજા તેના પતિ સાથે અને હેમંત સોરેન, તસ્વીર સાભાર Opindia Hindi

    ઝારખંડના મુખ્યમંત્રીના ખાસ તેમજ ખાણ ખનીજ તથા ભૂવિજ્ઞાન વિભાગના સચિવ અને ઝારખંડ રાજ્ય ખનીજ નિગમ લીમીટેડના પ્રબંધ નિદેશક IAS પૂજા સિંઘલ ઝા અને તેમના લગભગ 20 જેટલાં અંગત લોકોના ત્યાં ED એ દરોડા પાડયા હતા.

    આ દરોડામાં એજેન્સીને લગભગ 25 કરોડ મળ્યા હતાં, પૈસા ગણવા મશીન મંગાવવું પડ્યું હતું. સમાચાર એ પણ છે કે પુજાના ઘરેથી 25 કરોડ રોકડા ઝડપાયા છે. તો બીજી તરફ અન્ય મીડિયા રીપોર્ટ મુજબ પુજાના CA ના ત્યાંથી પણ 17 કરોડ રૂપિયા રોકડા જપ્ત થયા હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે, સાથેજ સોરેન ના અંગત ગણાતા કારોબારી અમિત અગ્રવાલના ત્યાં પણ દરોડા પડ્યા હોવાનું સામે આવ્યું છે.

    સસરા કામેશ્વર ઝાની ધરપકડ

    આ ઉપરાંત IAS અધિકારી પુજાના પતિ અભિષેક ઝા અને સસરા ના બિહાર સ્થિત મુજફ્ફરપુર અને મધુબનીના ઠેકાણાઓ પર પણ દરોડા પડ્યા હતા. મળતી માહિતી મુજબ ઝારખંડ કેડરની આ IAS અધિકારીના સસરા કામેશ્વર ઝાની મધુબની સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરાઈ છે, ઝા પહેલા દરભંગાના જનસંપર્ક વિભાગના અધિકારી રહી ચુક્યા છે, અને પૂજાનાં બીજા પતિ અભિષેકના પિતા છે.

    પતિ અભિષેક ઝા ના ઠેકાણાઓ પર પણ દરોડા

    પ્રવર્તન નીદેશાલય (ED)ની ટીમે એક સાથે ઝારખંડના રાંચી, ધનબાદ,ખુંટી,જયપુર,ફરીદાબાદ,ગુરુગ્રામ, કલકત્તા, મુજફ્ફરપુર, દરભંગા, મધુબની, અને દિલ્હી NCRમાં દરોડા પડ્યા છે. પૂજા સિંઘલે IAS પતિ રાહુલ પુરવાર સાથે છુટાછેડા બાદ કારોબારી અભિષેક ઝા સાથે લગ્ન કર્યા છે. ED એ અભિષેક ઝા ના રાંચી સ્થિત કાંકે રોડના ચાંદની ચોક્માવેલા પંચવટી રેસીડેન્સી, લાલપુરના હરિઓમ ટાવર સ્થિત નવી બિલ્ડીંગ અને બરીયાતુના પલ્સ હોસ્પીટલમાં પણ દરોડા પડયા હતા.

    ED એ મનરેગા ભ્રષ્ટાચારના સંબંધિત એક મામલામાં આ દરોડા પડયા હતા,ED એ ઝારખંડ હાઈકોર્ટને જણાવ્યું હતું કે ઝારખંડના ખુંટી જીલ્લામાં મનરેગામાં 18.06 કરોડનો ભ્રષ્ટાચાર થયો તે સમયે ત્યાંના ડેપ્યુટી કમિશ્નર પૂજા સિંઘલ હતા. આ જ મામલે ત્યાના જુનીયર એન્જીનીયર રામ વિનોદ પ્રસાદ સિન્હાની પહેલાજ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. તેણે ED ને જાણકારી આપી હતી કે ભ્રષ્ટાચારમાં કમીશનની રકમ ડેપ્યુટી કમિશ્નર કચેરી સુધી પહોંચતી હતી.

    અહીને નોંધનીય છે કે ઝારખંડ ઉચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ સલાહકાર રાજીવ કુમારે પૂજા સિંઘલના વિરુદ્ધમાં આવક કરતા વધુની સંપત્તિને લઈને EDને ફરિયાદ પણ સોંપી હતી. ફેબ્રુઆરી 2022મા મોકલેલી પોતાની ફરિયાદમાં રાજીવે આરોપ લગાવ્યા હતા કે પૂજા પોતાની મન મરજીથી રેતી ખનનના કોન્ટ્રાકટ પોતાના પસંદના કોન્ટ્રાકટરને આપતી રહી છે.

    જયારે CM પાસે પૂજાની હાજરીમાં ફરિયાદીએ લાંચ લેવામાં જણાવ્યું પૂજાનું નામ

    પૂજા સિંઘલ પર અવારનવાર લાંચખોરીના આરોપો લગતા રહ્યા છે. એક વાર તો તેની સામેજ એક વ્યક્તિએ તેનું નામ લઇ લીધું હતું. સોરેન પહેલા રાજ્યમાં રઘુવર દાસના નેતૃત્વમાં ભાજપની સરકાર હતી, તે સમયે રઘુવર દાસ સુચના ભવનમાં જનસંવાદનું આયોજન કરીને સામાન્ય લોકોને મળી રહ્યા હતા, તે દરમ્યાન ધનબાદનો એક વ્યક્તિ તેમને મળવા આવ્યો હતો.

    ધનબાદથી આવેલા તે વ્યક્તિએ રઘુવર દાસને જણાવ્યું કે “ધનબાદ માર્કેટિંગ બોર્ડમાં તેની દુકાન છે, અને ત્યાનો અધિકારી તેની પાસે પૈસા માંગે છે. તે અધિકારી કહે છે કે રાંચીમાં કોઈ મેડમ છે પૂજા સિંઘલ, તેમની પાસે પણ પૈસા પહોંચાડવા પડે છે.” ફરિયાદી જયારે આ કહી રહ્યો હતો ત્યારે પૂજા સિંઘલ રઘુવર દસ સાથે ત્યાજ હાજર હતી. ફરિયાદીના મોઢે પોતાનું નામ સાંભળીને તે હેબતાઈ ગઈ હતી, અને શરમજનક પરિસ્થિતિમાં મૂકી ગઈ હતી, પૂજા તે સમયે કૃષિ સચિવ હતી.

    પૂજા સિંઘલપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

    પૂજા સિંઘલ પર ભ્રષ્ટાચારના અનેક આરોપો છે, તેના પર રાજ્યના ચતરા, ખુંટી, અને પલામુ જીલ્લામાં ડેપ્યુટી કમિશ્નર રહેવા દરમ્યાન નાણાકીય અનિયમિતતાના આરોપો લાગેલા છે. ખુન્ટીમાં મનરેગા યોજનામાં 18.06કરોડનો ભ્રષ્ટાચાર થયો ત્યારે પણ ત્યાં પૂજા ઉપાયુક્ત હતી. તો બીજી તરફ ચતરામાં પણ ઓગસ્ટ 2007 થી 2008 દરમ્યાન પૂજા સિંઘલની નિયુક્તિ બાદ ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ છે.

    પલામુમાં ઉપાયુક્ત રહેવા દરમ્યાન પૂજાએ લગભગ 83 એકર જમીન એક ખાનગી કંપનીને ખાનન કરવા ટ્રાન્સફર કરી દીધી હતી. પૂજા સિંઘલ ઉપર મુખ્યમંત્રી હેમંત સોરેન, તેના ભાઈ અને નજીકના લોકોને કોડીઓના ભાવમાં ખાણ ખનન માટે આપવાના આરોપ છે.

    ‘મોદીજીના અશ્વમેઘને રોકવાની કોઈની તાકાત નથી’ : સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ દરમિયાન સી આર પાટીલ ગર્જયા

    ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા તૈયારી શરૂ કરી છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતનો પ્રવાસ કરવાના છે, એવા સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે સુરત જિલ્લાની મુલાકાતે છે. કડોદરા આકડા મુખી હનુમાન મંદિર ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓએ ખાસ હાજરી આપી હતી.

    ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું મિશન 2022 વન ડે વન ડિસ્ટ્રિક્ટ હેઠળ આજે સુરત જિલ્લામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પેજ પ્રમુખોના સંમેલન સાથે ભાજપ અધ્યક્ષ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘મહાઠગ ગુજરાત આવે છે, ગુજરાતની જનતા તેનાથી ચેતીને રહેજો.’

    સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં આપ અને કોંગ્રેસ પર સી.આર. પાટીલે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર આકરા શબ્દોમાં વરસ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે, એક મહાઠગ ગુજરાત આવી રહ્યો છે. ગુજરાતની જનતા જાણે છે કે આ ઠગ કોણ છે?” પાટિલે જણાવ્યું હતું કે, “હવે જ્યારે એમનો ઉલ્લેખ કરો ત્યારે માત્ર ઠગ જ કહેજો. મહાઠગની એક પણ સીટ પર ડિપોઝિટ ન બચવી જોઈએ. મહાઠગની ડિપોઝીટ ન બચે એ આપણે જોવાનું છે.”

    પાટિલે ઉમેર્યું હતું કે, “દેડકાઓ ડ્રાઉ-ડ્રાઉ કરતા-કરતા આવી જાય છે, એમ કેટલીક પાર્ટીના દેડકાઓ આવી જાય છે. તેમ ગુજરાતમાં મહાઠગ આવી રહ્યા છે. ઠગ મફતની ઓફર કરે છે. પરંતુ મારે તેમણે જણાવવાનું છે કે, ગુજરાતને મફતનું કઈ સદતું નથી. ગુજરાતને મફતની લાલચ આપવાથી લાભ નહીં થાય.” પાટીલે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “એક પપ્પુ છે જેણે પાર્ટીનું ધનોતપનોત કાઢી નાખ્યું છે.” સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, “અહીં નેટવર્કના ઇસ્યુ છે ત્યાંથી પણ જજો. આટલા તાપમાં કાર્યકર્તાઓની સંખ્યા જોઈ કેટલાય ના છાતીના પાટિયા બેસી ગયા હશે. નરેન્દ્ર મોદીના યજ્ઞને રોકવાની કોઈની તાકાત નથી. ભાજપા પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાય છે.” પાટિલે જણાવ્યું કે, “બીજેપીનો એકેય કાર્યકર એક પણ રજા પર ન હતો. ચૂંટણી સામે રજા પાડે એ કાર્યકરોના લોહીમાં નથી.”

    કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. (ફોટો : ટ્વિટર સી આર પાટીલ)

    સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, બીજેપી દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેજકમીટીની સભા અને રેલીનું આયોજન કરાયું છે. જેમાં પાટિલ સહિત ભાજપના નેતાઓ તબીબ, વકિલ, સાધુ તમામ લોકો સાથે મુલાકાત કરશે. પેજ કમિટીના સભ્યો સાથે કાર્યકરોની વ્યથા લેખિત સ્વરૂપે આપી શકશે. દરેક જિલ્લામાં મહાનુભવોની પ્રતિમા પણ લગાવવામાં આવશે. 

    મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રણનીતિ નક્કી કરવા માટે ભાજપે કમર કસી છે. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ સી.આર. પાટીલે સુરતના કાર્યકરો અને સંગઠન સાથે મુલાકાત કરી હતી. બપોર બાદ બારડોલી ખાતે સંમેલનમાં પણ હાજરી આપી હતી. આ ઉપરાંત સી.આર.પાટીલ પ્રવાસ દરમિયાન પદાધિકારીઓ, ધારાસભ્યો, વકીલો અને શિક્ષકો સાથે મુલાકાત કરશે. ઉપરાંત RSSના સ્થાનિક સભ્યો સાથે બેઠક કરશે. જેમાં ચૂંટણીલક્ષી ચર્ચા થવાની સંભાવના છે. 

    રાજસ્થાન હાઈકોર્ટનો આદેશ હોવા છતાં રાજસ્થાન પોલીસ ન્યૂઝ 18ના એડિટર અમન ચોપરાના ઘરે પહોંચી; યુપી પોલીસ તેમને દૂર લઈ ગઈ

    ઓછામાં ઓછા દસ રાજસ્થાન પોલીસ અધિકારીઓ ઉત્તર પ્રદેશના નોઈડામાં પત્રકાર અમન ચોપરાના તેમના ટીવી ડિબેટ શોમાં અલવરમાં મંદિરો તોડવાના કવરેજ માટે તેમની ધરપકડ કરવા માટે તેમના ઘરની બહાર ભેગા થયા હતા. રાજસ્થાન હાઈકોર્ટે આ FIRમાં અમન ચોપરા સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવી જોઈએ એવો આદેશ પસાર કર્યાની ક્ષણો બાદ આ ઘટના બની છે.

    OpIndia ને માહિતી મળી છે કે રાજસ્થાન પોલીસ અધિકારીઓ નોઈડાની હાઉસિંગ સોસાયટીમાં પ્રવેશ્યા હતા જ્યાં ન્યૂઝ 18 ના પત્રકાર અમન ચોપરા રહે છે. તેમના ટીવી ડિબેટ શોમાં અલવરમાં મંદિરો તોડી પાડવા મુદ્દે કવરેજ કરવા માટે તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસમાં તેમની ધરપકડ કરવા તેઓ તેમના એપાર્ટમેન્ટમાં દાખલ થયા હોવાનું કહેવાય છે.

    રાજસ્થાન પોલીસ ઉપરાંત, ઉત્તર પ્રદેશ પોલીસ પણ આ પત્રકારના નિવાસસ્થાન નજીક પહોંચી છે, કદાચ અમન ચોપરાને રાજસ્થાનના બુંદી પોલીસ સ્ટેશન અને ડુંગરપુરના બિછીવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બહુવિધ એફઆઈઆર સામે રક્ષણ પૂરું પાડવા માટે.

    અમન ચોપરા વિરુદ્ધ કોર્ટ વોરંટ જારી કરવામાં આવ્યું (ફોટો : OpIndia)

    ડુંગરપુરની મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જારી કરાયેલા વોરંટના આધારે આ કેસમાં અમન ચોપરાની ધરપકડ કરવા રાજસ્થાન પોલીસ તેના ઘરે પહોંચી હતી. વોરંટમાં કહેવામાં આવ્યું છે કે પત્રકાર વિરુદ્ધ IPC કલમ 153A, 295A, 124A અને IT એક્ટની અન્ય જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    ન્યૂઝ 18 હિન્દીના સંપાદક ન્યૂઝ 18 સામે 24 એપ્રિલના રોજ કોમી વિખવાદને પ્રોત્સાહન આપવા અને રમખાણો ભડકાવવાના કાવતરાના આરોપમાં ઘણા કેસ નોંધવામાં આવ્યા હતા, ચોપરા વિરુદ્ધ રાજદ્રોહની ગંભીર કલમો પણ ઉમેરવામાં આવી છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજસ્થાન પોલીસે અમન ચોપરાના એપાર્ટમેન્ટના દરવાજા પર ધરપકડનું વોરંટ ચોંટાડ્યું હતું અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસ પત્રકારની ધરપકડ કર્યા વિના તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

    હાઈકોર્ટે એફઆઈઆર પર રોક લગાવી દીધી હતી અને પોલીસને અમન ચોપરા સામે કોઈ જબરદસ્તીભર્યા પગલાં લેવા પર રોક લગાવી હોવા છતાં રાજસ્થાન પોલીસ દ્વારા કરાયેલ આ કામને ડરાવવાની જૂની યુક્તિ તરીકે જોવામાં આવે છે.

    આ પહેલા 1 મેના રોજ રાજસ્થાન પોલીસની એક ટીમ નોઈડામાં ચોપરાની ઓફિસમાં આવી હતી, જો કે તેઓ પત્રકારને મળી શક્યા ન હતા.

    અલવરમાં મંદિરોના ધ્વંસ પરના તેમના શો દરમિયાન, અમન ચોપરાએ તાજેતરમાં જહાંગીરપુરીમાં યોજાયેલી અતિક્રમણ વિરોધી ઝુંબેશને ઉજાગર કરી હતી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શું અલવરમાં કરાયેલી કાર્યવાહી જહાંગીરપુરીમાં ડ્રાઇવ-ઇનનો બદલો છે. આ શો પછી, સોશિયલ મીડિયા પર એક સંકલિત હેશટેગ ચલાવવામાં આવ્યો હતો જેમાં અધિકારીઓને ચોપરાને બે ઘટનાને લિંક કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવા વિનંતી કરવામાં આવી હતી, જેના કારણે અધિકારીઓએ તેમની સામે કેસ નોંધવા માટે પ્રેરિત કર્યા હતા.

    કોંગ્રેસ પક્ષના સમર્થકો અને કોંગ્રેસ સાથે જોડાયેલા કેટલાક પત્રકારોની માંગને પગલે, અશોક ગેહલોતની આગેવાની હેઠળની સરકારે પત્રકાર અમન ચોપરાની ધરપકડ કરવા માટે પોલીસ દળની મોટી ટુકડી મોકલી હોવાનું જણાય છે.