Friday, September 20, 2024
More
    Home Blog Page 1095

    ભગવાન રામને લડાયક રેમ્બો સાથે સરખાવ્યા, હનુમાનજી ગુસ્સાનું પ્રતિક : છત્તીસગઢ CM બધેલનું BJP-RSS ને લઈને વિવાદાસ્પદ નિવેદન, કહ્યું; રાહુલ ગાંધી એકજ દમદાર નેતા

    છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે રવિવારે (8 મે 2022) ના રોજ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સવાલોમાં ઘેરવાની કોશિશમાં ભગવાન શ્રીરામ અને હનુમાનજી ઉપર આપત્તિજનક ટીપ્પણી કરી હતી,CM બધેલે BJP અને RSS પર નિશાન સાધવાની આડમાં ભગવાન રામને લડાયક રેમ્બો કહ્યા અને હનુમાનજીને ક્રોધના પ્રતિક ગણાવ્યાં. કોંગ્રેસ નેતા તેમજ પ્રદેશના મુખ્યમંત્રીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ભારત અત્યારે ‘ભડકાઉ અને આક્રમક રાષ્ટ્રવાદ’ ના સમયગાળાથી પસાર થઇ રહ્યો છે, જ્યાં કોઈ આપત્તિ કે અસહમતી માટે કોઈ સ્થાન નથી. ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે આ સમય વીતી જશે અને ફરી એકવાર કોંગ્રેસની સત્તા સ્થપાશે.

    શ્રીરામ અને હનુમાનજી ઉપર CM બધેલની ટીપ્પણી

    છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી બધેલે કહ્યું કે ” રામ અમારી સંસ્કૃતિમાં સમાયેલા છે, રામ સાકાર અને નિરાકાર બંને છે. અમે વિભિન્ન રૂપોમાં રામને સ્વીકાર્યા છે. અમે કબીરના રામ, તુલસીના રામ, અને શબરીના રામને જાણીએ છીએ, રામ દરેક ભારતીઓના હૃદય અને મનમાં રહે છે. આદિવાસી એમનું અલગ રૂપ જોવે છે, અને બુદ્ધિજીવી ભક્ત રામને બીજા રૂપમાં જોવે છે. વધુમાં બધેલે કહ્યું હતું કે ” મહાત્મા ગાંધી પણ રામને માનતા હતા, એમના અંતિમ શબ્દો -‘હે રામ’ હતા. તે રઘુપતી રાઘવ રાજા રામના પાઠ કરતા હતા, પણ આજે ભાજપ અને આરએસએસ જે રામને જોવે છે અને જે એજન્ડા તૈયાર કરેછે, એમણે રામને બદલી નાખ્યા છે. જે રામ મર્યાદા પુરષોત્તમ હતા, જે દરેક ભક્તોના હદયમાં પ્રેમના પ્રતિક તરીકે રહેતા હતા ભાજપ – આરએસએસે તેમને લડાયક રેમ્બો બનાવી દીધા છે. તેવીજ રીતે હનુમાન નમ્રતા ભક્તિ અને જ્ઞાનના પ્રતિક છે, પણ આજ એમના પોસ્ટર આક્રમક છે. જો તમે હનુમાનજીના જુના ચિત્રો જોશો તો તેમાં તમે જોઈ શકશો કે ભગવાન ખુબ સુંદર હતા, ભક્તિ અને ધ્યાન મુદ્રામાં હતા, પણ આજે તે ક્રોધિત અને આક્રમક છે. જે પ્રમાણે તેઓ સમાજની માનસિકતા પ્રસ્થાપિત કરી રહ્યા છે, તેમણે પહેલા રામને આક્રામક દેખાડ્યા અને હવે હનુમાનજી સાથે તેમ કરી રહ્યા છે, અમારા રામ કબીર અને તુલસીના છે, આદિવાસીઓ, ખેડૂતો અને શ્રમિકોના રામ છે, સૌમ્ય રામ જે સર્વવ્યાપી છે.”

    ભાજપનો રાષ્ટ્રવાદ ‘મુસોલીની’ માંથી આવ્યો, કોગ્રેસ ફરી સ્થાપિત કરશે સત્તા

    ભાજપ પર નીશાન સાધવા છત્તીસગઢ સીએમ બધેલે કહ્યું કે આ પાર્ટીનો રાષ્ટ્રવાદ આયાત કરેલો છે, બીએસ મુંજનું નામ લેતાકાહ્યું કે ” મુસોલિનીને કોણ મળતું હતું? તે બેસ મુંજ હતા.. ડ્રમ ટોપી બધું આયાત કરેલું છે. આમના રાષ્ટ્રવાદમાં અસહમતી અને અપ્ત્તિને કોઈ સ્થાન નથી, અમારો રાષ્ટ્રવાદ બિલકુલ અલગ હતો. અમે શરૂઆતથીજ પરંપરાઓ સાથે જોડાયેલા રહ્યા, જેનો વિકાસ શંકરાચાર્ય, કબીર, ગુરુ નાનક, રામકૃષ્ણ પરમહંસ દ્વારા થયો હતો.

    પાર્ટીની સત્તાવાપસીને લઈને સીએમ બધેલે કહ્યું કે ભારતીય સમાજ પ્રેમ, ભાઈચારો, અને સહિષ્ણુતા ઈચ્છે છે, અને આજ દેશની સંસ્કૃતિ રહી છે. અંતમાં માત્ર પ્રેમ અને ભાઈચારો જ જીતશે, કોંગ્રેસના નેતાઓ આશા કરેછે કે જે સમયગાળો દેશ ભોગવી રહ્યો છે તેનો જલ્દીથી અંત આવે, લોકો સમજી ચુક્યા છે કે હવે હદ થઇ ગઈ છે. અલગ અલગ રાજ્યોમાં હિંસા થઇ રહી છે, તેમને કહ્યું કે “હું નામ લેવા નથી માંગતો પણ શું આ હિંસાનું નેતૃત્વ કોઈ કરી રહ્યું છે. આ માથા વગરની રણનીતિ છે, જો એવી રણનીતિ તૈયાર હોય તો તે દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે.

    સીએમ બધેલ માટે રાહુલ ગાંધી નિર્ભય રાજનેતા

    પોતાના ઇન્ટરવ્યુંમાં સીએમ બધેલે રાહુલ ગાંધીને એક માત્ર નિર્ભય તેમજ દમદાર રાજનેતા ગણાવ્યા, અને કહ્યું કે તે ભાજપથી નથી ડરતા અને સીધો તેમના પર હુમલો કરે છે. બધેલ મુજબ રાહુલ ગાંધીજ એક માત્ર તએવા નેતા છે જે લોકોના કલ્યાણ નું વિચારે છે, ચાહે પછી તે મોંઘવારીનો વિષય હોય, બેરોજગારી હોય કે પછી જીએસટી કે નોટ બંધી હોય.

    ભૂપેશ બધેલના પિતા ઉપર પણ શ્રી રામ પર આપત્તિ જનક ટીપ્પણીનો આરોપ

    ધ્યાન આપવા જેવી બાબત છે કે માત્ર છત્તીસગઢ રાજ્યના સીએમ બધેલેજ ભાજપના ખભે બંદુક રાખીને હિંદુ દેવી દેવતાઓ ઉપર આપત્તિ જનક ટીપ્પણીઓ કે તેમની છબી પર સવાલ નથી ઉઠાવ્યા, પણ તેના પિતા નંદ કુમાર બુધેલ ઉપર પણ ભગવાન રામ વિષે કથિત રીતે અપમાનજનક ટીપ્પણીઓના આરોપ લાગ્યા હતા. વર્ષ 2021 માં તેમના વિરુદ્ધ એફઆઈઆર થઇ હતી, કારણકે તેમને બ્રાહ્મણો ને લઈને કહ્યું હતું કે તેઓ બ્રાહ્મણોને ગંગાથી વોલ્ગા મોકલશે, જેમ અંગ્રેજ આવીને ગયા તેમ બ્રાહ્મણો પણ સુધરી જાય નહીતર વોલ્ગા જવા તૈયાર રહે.

    શાહીનબાગમાં કાર્યવાહી વગર પાછા વળ્યા બુલડોઝર: મુસ્લિમ મહિલાઓ દ્વારા CAA-NRC આંદોલનની જેમ વિસ્તાર માથે લેવાયો

    આજે દિલ્હીના શાહીનબાગમાં અતિક્રમણ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. દિલ્હી પોલીસે આ અભિયાન માટે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને પોલીસ ફોર્સ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ શાહીનબાગમાં બુલડોઝર ચલાવવાની તમામ અટકળોનો અંત આવી ગયો હતો. આ વિસ્તારમાં અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. છતાય અમુક આંદોલનજીવીઓને કારણે કાફલાએ કાર્યવાહી વગર પાછું વળવું પડ્યું.

    કેટલાક આગેવાનોના સહકાર્યકરોનું અતિક્રમણ હટાવવા આવેલા બુલડોઝર સામે સ્થાનિક લોકો આવીને બેસી ગયા હતા. આજતકના અહેવાલ મુજબ આ નેતાઓ પોતાને કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનું જણાવી રહ્યા હતા. આ નેતાઓનું કહેવું છે કે ગરીબો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે, જે થવા દેવામાં આવશે નહીં. જ્યારે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સ્પષ્ટપણે કહે છે કે બુલડોઝરની કાર્યવાહી માત્ર ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણ પર છે.

    શાહીનબાગમાં અતિક્રમણ વિરોધી અભિયાન 11.30 વાગ્યે શરૂ થઈ ચૂક્યું હતું. વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. બુલડોઝર શાહીન બાગ પણ પહોંચી ગયા છે. આ વખતે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈપણ વકીલ માટે જહાંગીરપુરીની જેમ કોર્ટમાંથી સ્ટે લેવાનો કોઈ વિકલ્પ છોડ્યો નથી. સ્થાનિક મેયરે જે વિસ્તારોમાં બુલડોઝર ચલાવવાના છે તેની પણ મુલાકાત લીધી હતી.

    SDMC સેન્ટ્રલ ઝોનના અધ્યક્ષ રાજપાલે કહ્યું, “અમારા અધિકારીઓ અને સ્ટાફ સંપૂર્ણ રીતે તૈયાર છે. ટીમો બનાવવામાં આવી છે. જ્યાં પણ અતિક્રમણ હશે તેને દૂર કરવામાં આવશે. આ અભિયાન તુગલકાબાદ, સંગમ વિહાર, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની અને શાહીન બાગમાં ચાલશે.”

    સુપ્રીમ કોર્ટે CPIની અરજી ફગાવી હતી

    આ પહેલા કેટલાક મીડિયા અહેવાલોએ શાહીનબાગમાં અતિક્રમણ વિરોધી અભિયાન અંતર્ગત બુલડોઝર ચલાવવા અંગે શંકા વ્યક્ત કરી હતી. આ શંકા પાછળનું કારણ અપૂરતું પોલીસ બળ હોવાનું કહેવાયુ હતું. તે જ સમયે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)એ આ બુલડોઝર અભિયાન વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

    સુપ્રીમ કોર્ટમાં સીપીઆઈની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “ઓથોરિટી ઝૂંપડપટ્ટીઓને તોડી પાડવાની યોજના બનાવી રહી છે. 4ઠ્ઠી મેના રોજ જ સંગમ વિહારમાં ગરીબોના ઘરો પર બુલડોઝર દોડ્યું હતું. આ જ કામ સોમવારે શાહીનબાગમાં થવાનું છે. દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ દળના સહયોગથી ઓખલા શાહીનબાગમાં પણ આવું કરવા જઈ રહ્યું છે. તેમને આમ કરવાથી રોકવું જોઈએ.”

    સુપ્રીમ કોર્ટે દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે MCDની ડિમોલિશન ઝુંબેશ સામે કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અહેવાલો મુજબ, સર્વોચ્ચ અદાલતે CPMની અરજીને ફગાવી દીધી હતી, એમ કહીને કે અસરગ્રસ્ત પક્ષોમાંથી કોઈ પણ અરજીનો ભાગ નથી અને તે સંપૂર્ણ રીતે રાજકીય છે.

    ફરી ન્યાયતંત્ર સામે ભારે પડ્યું શાહીનબાગનું ભીડતંત્ર

    MCD (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન)ના બુલડોઝર ગેરકાયદે અતિક્રમણ હટાવવા શાહીન બાગ પહોંચ્યા, પરંતુ સ્થાનિક લોકો અને ખાસ કરીને મહિલાઓ બુલડોઝરની સામે બેસી ગયા. 2019 ના અંતમાં અને 2020 ની શરૂઆતમાં, શાહીનબાગ CAA-NRC વિરુદ્ધ રમખાણો માટે પ્રસિદ્ધિમાં આવ્યું, જ્યાં મુસ્લિમ મહિલાઓએ મહિનાઓ સુધી જામ કરીને લાખો લોકોને હેરાન કર્યા. મહિલાઓ બુલડોઝર પર ચડી ગઈ હતી અને તેની સામે રોડ પર સૂઈ ગઈ હતી. જેથી કાફલાએ કાર્યવાહી વગર પાછું ફરવું પડ્યું હતું.

    નોંધનીય છે કે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને આ મહિને શાહીનબાગમાંથી અતિક્રમણ હટાવવાનો નિર્ણય લીધો હતો. આ સંદર્ભે તેમણે અતિક્રમણ કરનારાઓને નોટિસ આપી હતી. આ સાથે સુરક્ષા માટે દિલ્હી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

    શારદા યુનિવર્સિટીએ પ્રોફેસર વકાસ ફારૂક કુટ્ટેને નાઝીવાદ અને ફાસીવાદ સાથે હિંદુત્વની તુલના કરવાના પ્રશ્ન માટે સસ્પેન્ડ કર્યા, કારણદર્શક નોટિસ અપાઈ

    શારદા યુનિવર્સિટી ખાતે પ્રોફેસર વકાસ ફારૂક કુટ્ટે દ્વારા હિંદુ ધર્મને નાઝીવાદ અને ફાસીવાદ સાથે સરખાવતો પ્રશ્ન ઘડવા બદલ યુનિવર્સીટીએ કારણદર્શક નોટિસ મોકલી છે. અગાઉ, એવું કહેવામાં આવ્યું હતું કે પ્રશ્ન પૂછનાર પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને કારણ બતાવો નોટિસની પણ સૂચના આપવામાં આવી છે.

    નોઈડાની શારદા યુનિવર્સિટી હિંદુ વિરોધી ટિપ્પણીને કારણે તપાસ હેઠળ આવી હતી. 2021-2022ની BA પોલિટિકલ સાયન્સ બેચ માટેના પ્રશ્નપત્રમાં હિંદુઓને ફાસીવાદીઓ સાથે સરખાવી દેવામાં આવ્યા હતા.

    બીજેપીના નેતા વિકાસ પ્રીતમ સિન્હાના જણાવ્યા અનુસાર, તે પ્રશ્નપત્ર કથિત રીતે એક મુસ્લિમ શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેમની પોસ્ટમાં, બીજેપી નેતાએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ધર્મેન્દ્ર પ્રધાન અને શલભ મણિ ત્રિપાઠીનો ઉલ્લેખ કર્યો હતો.

    આ પ્રશ્નપત્રનો પાંચમો પ્રશ્ન હતો, “ધર્મ પરિવર્તન પાછળના મુખ્ય કારણો શું છે?” તે જ સમયે, છઠ્ઠો નંબર હતો, “શું તમે નાઝીવાદ/ફાસીસ્ટ અને હિંદુ જમણેરી (હિંદુત્વ) વચ્ચે કોઈ સમાનતા જોશો?” પ્રશ્નપત્રમાં બંને પ્રશ્નોને વિગતવાર સમજાવવાનું કહેવામાં આવ્યું છે.

    આ વિષયની સૂચના બાદ, યુનિવર્સિટીએ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી.

    આ સમિતિ શનિવાર, 7 મે, 2022 ના રોજ વિદ્યાર્થીઓ સાથે મળી હતી. પ્રોફેસર વકાસ ફારૂક કુટ્ટે, જેમણે પ્રશ્નો નક્કી કર્યા હતા, તેમને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી. તેની પ્રાથમિક તપાસમાં, સમિતિએ પણ નક્કી કર્યું કે ઉપરોક્ત પ્રશ્ન અયોગ્ય હતો. તે પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આ પ્રશ્ન ઉત્તરપત્રની ચકાસણી અને માર્કિંગ દરમિયાન છોડી દેવામાં આવશે અને તેની ગ્રેડ પર કોઈ અસર થશે નહીં.

    શારદા યુનિવર્સિટીના રજિસ્ટ્રારે સોશિયલ મીડિયા પર એક સંદેશ પોસ્ટ કર્યો જેમાં તેમણે જણાવ્યું કે વાઈસ ચાન્સેલર (વીસી) એ પણ આ સૂચનોને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત યુનિવર્સિટીના પ્રશાસને પ્રશ્નપત્ર માટે વિદ્યાર્થીઓની માફી માંગી છે.

    નોંધનીય છે કે વકાસ ફારૂક કુટ્ટે પણ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં ભણ્યો હતો. તેણે JRF અને NET (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ)ની પરીક્ષા પાસ કરી હતી. તે રાષ્ટ્રવાદીઓ વિરુદ્ધ લેખો લખતા આવે છે. તેણે કાશ્મીર મુદ્દા પર લખતાં ભારતીય સેનાની ટીકા પણ કરી છે. અમુક રીતે, તેમણે કાશ્મીરમાં આતંકવાદ માટે ભારત સરકારને જવાબદાર ગણાવી હતી.

    જાવેદ ઈસ્માઈલ, સાહિલ અને વકાશ મોટી રકમ લઈને ઝાલોદમાં બનાવતા હતા બોગસ ચૂંટણીકાર્ડ, મામલતદારે દરોડો પાડી ભાંડો ફોડયો

    દાહોદના ઝાલોદમાં ઓનલાઈન ફોર્મ ભરી આપવાની દુકાન ધરાવતા ઇસમો મોટી રકમ વસુલી બોગસ ચૂંટણી કાર્ડ બનાવી આપતા હોવાનુ કૌભાંડ બહાર આવ્યું છે. ઝાલોદ મામલતદારે દરોડો પાડ્યા બાદ પોલીસે પ્રિન્ટર, કમ્પ્યુટર મશીન સહીતના સાધનો કબ્જે લઇ જાવેદ, સાહિલ અને વકાશ નામના ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા.

    ઝાલોદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ઝાલોદની મામલતદાર કચેરીની મતદારયાદી શાખામાં એક અરજદાર દ્વારા અગાઉ કઢાવેલા ચૂંટણી કાર્ડ પુરાવા તરીકે ચાલતું નથી તેવી ફરિયાદ સાથે ફરીથી ચૂંટણી કાર્ડ કઢવા માટે અરજી આપેલી હતી. જેમાં તેમના દ્વારા રજુ કરવામાં આવેલ ચૂંટણી કાર્ડની ચકાસણી કરતા ખોટું માલુમ પડ્યુ હતુ. તેથી તેમણે રજૂ કરેલ ચૂંટણી કાર્ડ કઈ જગ્યાએથી કઢાવેલ છે તેની પૂછપરછ કરતા તેઓ દ્વારા ગામડી ચોકડી, ઝાલોદ ખાતે જાવેદ ડિજિટલ સોલ્યુશન નામની દુકાન પરથી આ ચૂંટણી કાર્ડ કઢાવેલ હોવાનું જણાવ્યુ હતુ.

    મામલતદાર જૈનીશ પાંડવ દ્વારા જે દુકાનને બોગસ ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવે છે કે કેમ તેની ખરાઇ કરવા અરજદારને તેમજ મામલદાર કચેરીના રેવન્યુ તલાટી અંકુર પલાસને જાવેદ ડિજિટલ સોલ્યુશન નામની દુકાન પર મોકલવામાં આવેલા હતા. જ્યાં અરજદારે જાવેદ ઈસ્માઈલ ગાંડાને તાત્કાલિક ચૂંટણી કાર્ડ કાઢી આપવા માટે જણાવતા જાવેદ ઈસ્માઈલ ગાંડા દ્વારા ‘તમે પાસપોર્ટ સાઈઝનો ફોટો લઇ આવો હું તમને તાત્કાલિક ધોરણે ચૂંટણી કાર્ડ કાઢી આપીશ’ તેમ જણાવ્યુ હતુ. તે વાતચીતનું વિડીયો રેકોર્ડિંગ તલાટી અંકુરભાઇ પલાસ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

    આ દુકાન ખાતે નકલી ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવે છે તેની પાકી ખાત્રી કર્યા બાદ પ્રાંત અધિકારી આર.આર.ગેહલોત તથા મામલતદાર જૈનીશ પાંડવ અને સંયુક્ત ટીમ સાથે મળી જાવેદ ડિજિટલ સોલ્યુશન નામની દુકાનમાં જે ગામડી ચોકડી પાસે ઝાલોદમાં આવેલ છે, જેની સ્થળ તપાસ કરતા દુકાન માલિક જાવેદ ઈસ્માઈલ ગાન્ડા તથા સાહિલ સાજીત ગાંડા, વકાશ ઇરફાનભાઇ ગાંડા હાજર હતા. દુકાનની અંદર પ્રવેશતા ડાબી બાજુ ‘ફક્ત ત્રણ દિવસમાં ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવશે’ તેવું બેનર પણ લગાવેલું હતું. ટીમ દ્વારા તેમની પ્રાથમિક પૂછપરછ કરાતા તેઓ દ્વારા ભારતીય ચૂંટણી પંચના એનવીએસપી.ઇન પોર્ટલ દ્વારા ચૂંટણીકાર્ડ કાઢી આપવામાં આવે છે તેવું જણાવ્યુ હતુ. જેથી ટીમ દ્વારા તેમના લેપટોપની ચકાસણી કરતા ડુપલીકેટ ચૂંટણીકાર્ડની પીડીએફ ફાઈલો મળી આવેલ હતી.

    દરોડા પાડતી ટુકડી દ્વારા આ લેપટોપ કબજે લઈ ઝાલોદ પોલીસ મથક ખાતે આ વિષયમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને બાદમાં પોલીસે આ ત્રણેય ઈસમોને પકડી પાડીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. જાવેદ પાસેથી બે અને વકાસ તેમજ સાહિલ પાસેથી એક-એક મળી કુલ ચાર મોબાઇલ પણ કબજે લેવાયા હતાં.

    આ રીતે બનાવતા બોગસ ચૂંટણીકાર્ડ

    જાવેદ ડિજિટલ સોલ્યુશન દ્વારા ચુંટણી કાર્ડ બનાવવાની ઇચ્છા રાખનાર વ્યક્તિ પાસેથી માત્ર પાસપોર્ટ સાઇઝ ફોટો જ લેવામાં આવતો હતો. ચુંટણી કાર્ડ કઢાવવા માટે આવનાર વ્યક્તિનો EPIC નંબર તેમજ ફોટો જાવેદ ઈસ્માઈલ અન્ય વ્યક્તિના મોબાઇલ ઉપર વોટ્સએપના માધ્યમથી મોકલતો હતો. તેના આધારે અન્ય વ્યક્તિ નકલી ચુંટણી કાર્ડની પીડીએફ ફાઇલ બનાવીને તેને મોકલતો હતો. ત્યાર બાદ તેની પ્રિન્ટ કાઢીને લેમીનેશન કરીને માત્ર 50 રૂપિયા લઇને તેને આપી દેવામાં આવતી હતી. ચુંટણી કાર્ડ કઢાવવા આવનાર દરેક વ્યક્તિનો એક જ EPIC નંબર રાખવામાં આવતો હતો કે તેઓ EPIC નંબર બદલતા હતાં તે જાણવા મળ્યું નથી. આ કૌભાંડમાં અજાણી વ્યક્તિ સાથે જાવેદને વકાશ અને સાહિલ પણ મદદ કરતા હતાં.

    ઝાલોદ મામલતદારની ખૂબ સુંદર કામગીરી

    આ સમગ્ર ઘટનાક્રમમાં ઝાલોદના મામલતદાર જૈનીશ પાંડવ દ્વારા ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી. તેમણે ખૂબ જ સફાઈપૂર્વક પહેલા સ્ટિંગ ઓપરેશન કરીને પુરાવાઓ એકઠા કર્યા અને બાદમાં પૂરી તૈયારી સાથે સ્થળ પર દરોડો પાડીને આ બોગસ ચૂંટણી કાર્ડ રેકેટને આબાદ જડપી લીધું હતું અને દુકાનને સીલ મારી દીધું હતું.

    દરોડા બાદ દુકાન પર સીલ મારતા અધિકારીઓ (ફોટો : GSTV)

    ઝાલોદની મામલતદાર કચેરીની મતદાર યાદી શાખામાં આવેલા અરજદારે અગાઉ કઢાવેલું ચુંટણી કાર્ડ પુરાવા તરીકે ચાલતુ ન હોવાની ફરિયાદ સાથે નવુ કાર્ડ કઢાવવા માટે ગયો હતો. તેના દ્વારા રજૂ કરાયેલું ચુંટણી કાર્ડ મતદાર યાદીના ઇન્ચાર્જ ના. મામલતદાર સુરેશ નીનામાએ કાર્ડ ચેક કરતાં તેમને બનાવટી હોવાનું જણાયુ હતું. જેથી આની મામલતદાર ડો.જેનીસ પાંડવને જાણ કરાઇ હતી.

    ​​​​​​​પુછપરછમાં અરજદારે આ કાર્ડ ગામડી ચોકડીએ આવેલી દુકાનેથી કઢાવ્યુ હોવાનું જણાવ્યુ હતું. ત્યારે આનો ભંડાફોડ કરવા માટે સ્ટીંગ ઓપરેશનનું આયોજન કરી અરજદાર સાથે રેવન્યુ તલાટી અંકુર પલાસને દુકાને કાર્ડ કઢાવવા માટે મોકલ્યો હતો. ત્યાં તાત્કાલિક ચુંટણી કાર્ડ કાઢવાની વાત કરતાં જાવેદે તરત જ કાઢવાનું જણાવી અરજદારનો પાસપોર્ટ ફોટો મંગાવ્યો હતો. આનું અંકુર પલાસે વિડિયો રેકોર્ડિંગ કર્યુ હતું. ફોટો લઇને આવવાનું કહીને દુકાનેથી જતાં રહ્યા હતાં. નકલી કાર્ડ કાઢતાં હોવાનું સ્પષ્ટ થતાં મામલતદાર ડો.જેનીસ પાંડવ અને પ્રાંત અધિકારી આર.આર ગોહેલ સહિતની ટીમે સાંજે 6 વાગ્યે છાપો મારીને કૌભાંડનો ભંડાફોડ કર્યો હતો.

    ફેક્ટ ચેક: અમિત શાહ અને ઝારખંડના આઈએએસ અધિકારીની એ તસ્વીર શું ગત અઠવાડિયાની છે?

    પ્રવર્તમાન નિર્દેશાલય (ઇડી) દ્વારા આઈએએસ પૂજા સિંઘલના સીએના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ રકમ જપ્ત કર્યા બાદ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ફેક ન્યૂઝ ફેલાવનાર કાયમી હેન્ડલ્સ દ્વારા ફરીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પૂજાના જુના ફોટાને તાજેતરનો ગણાવવાની હોડ ચાલી નીકળી હતી. થોડા સમય બાદ એ હકીકત સ્પષ્ટ થઇ ગઈ હતી કે આ ફોટો લગભગ પાંચ વર્ષ જુનો છે.

    જેમની છાપ સોશિયલ મિડિયા પર કાયમ ફેક ન્યૂઝ ફેલાવવાની છે એવા ‘કહેવાતા ફિલ્મ નિર્દેશક’ અવિનાશ દાસે આ જુઠ્ઠાણું ફેલાવવાની શરૂઆત કરી હતી. તેમણે ઉપરોક્ત આઈએએસ અધિકારી અમિત શાહના કાનમાં કશું કહી રહ્યા હોવાનો ફોટો ટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું કે, “ઘેરથી કરોડોની કેશ જપ્ત થયાના થોડા જ દિવસ પહેલાની પૂજા સિંઘલની એક તસ્વીર.”  

    ટ્વીટનો સ્ક્રિનશોટ

    આ જ ફોટાને એક અન્ય ટ્વીટર યુઝર શાહિદે પણ પોસ્ટ કરી હતી જેમાં તેણે એવું ઠસાવવાનો પ્રયાસ કર્યો હતો કે ઝારખંડના મનરેગા ભ્રષ્ટાચારમાં આ બંને એકબીજાને સાથ આપી રહ્યા છે.

    ટ્વીટનો સ્ક્રિનશોટ

    એક અન્ય યુઝરે દાવો કર્યો હતો કે આ ફોટો આએએસ સિંઘલના સીએના ઘરમાંથી રૂ. 19.1 કરોડની રોકડ ઝડપ્યાના થોડા જ સમય અગાઉ ક્લિક કરવામાં આવ્યો છે.

    ટ્વીટનો સ્ક્રિનશોટ

    બીજી ટ્વીટર યુઝર સબા ખાને પણ કાંઇક આવો જ દાવો પોતાની ટ્વીટમાં કર્યો હતો.

    ટ્વીટનો સ્ક્રિનશોટ

    અમિત શાહ – પૂજા સિંઘલની આ તસ્વીર પાછળની હકીકત શું છે?

    ટ્વીટર પર પ્રખ્યાત યુઝર એવા લાલા (@FabulasGuy) એ નોંધ્યું હતું કે આ ફોટો સપ્ટેમ્બર 2017માં ક્લિક કરવામાં આવ્યો છે. તેણે પ્રભાત ખબરના આર્ટિકલનો સ્ક્રિનશોટ પર શેર કર્યો હતો જેમાં આ વાઈડ-એન્ગલ શોટ ક્લિક કરવામાં આવ્યો હતો.

    લાલાએ 5 વર્ષ જૂની તસ્વીરનો આધાર લઈને ફેક ન્યુઝ ફેલાવનારાઓને આડે હાથ લેતાં પૂછ્યું હતું કે “ઝારખંડ સ્ટેટ મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટરના પદે આઈએએસ પૂજા સિંઘલની નિયુક્તિ કોણે કરી હતી?”

    ઝારખંડના આઈએએસ પૂજા સિંઘલ વિરુદ્ધનો મામલો

    પૂજા સિંઘલ એ 2000ની બેચના ઝારખંડ કેડરના આઈએએસ ઓફિસર છે. 6 મે 2022ના દિવસે ઇડી દ્વારા રાંચીની 6 જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાંથી એક પુજાના બીજા પતિની સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ પણ હતી. પુજાના પ્રથમ પતિ 1999ની બેચના ઝારખંડ કેડરના આઈએએસ ઓફિસર છે.

    આ તપાસ ઇડી દ્વારા 2020માં મની લોન્ડરિંગના એક કેસમાં ઝારખંડના જુનિયર એન્જીનીયર રામ બિનોદ પ્રસાદ સિન્હાની પૂછપરછ બાદ હાથ ધરવામાં આવી હતી.

    કેન્દ્રીય તપાસ એજન્સીએ સિન્હા વિરુદ્ધ ઝારખંડ વિજીલન્સ બ્યુરો દ્વારા દાખલ 16 એફઆઈઆર અને ચાર્જશીટનું સંજ્ઞાન લેતા આદરી હતી જે મુજબ સિન્હા પર રૂ. 18.06 કરોડના સરકારી ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ હતો. રામ બિનોદ પ્રસાદ સિન્હા ખુંટીમાં તે સમયે જુનિયર એન્જીનીયર હતા જ્યારે પૂજા સિંઘલ અહીંના ડીસ્ટ્રીક્ટ કલેક્ટર હતા.

    એક રિપોર્ટ અનુસાર સિન્હાએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે પૂજા સિંઘલે બે એનજીઓ, વેલ્ફેર પોઈન્ટ અને પ્રેરણા નિકેતનને 6 કરોડના ફંડની મદદ કરી હતી અને પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરતા જંગલની 83 એકરની જમીનને ખનન માટે લીઝ પર આપી દીધી હતી. ચતરા, પલામુ, અને ખુંટી જીલ્લાના ડેપ્યુટી કમિશનર તરીકે તેમણે મનરેગા ફંડ્સમાં પણ ગેરરીતિઓ આચરી હતી.

    માર્વેલ લાવ્યું પહેલી મુસ્લિમ સુપરહીરો સીરિઝઃ આ સાથે ફરહાન અખ્તર હોલિવૂડમાં કરશે બિસ્મિલ્લાહ, કહ્યું- હું ખૂબ નસીબદાર છું

    બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર માર્વેલ સ્ટુડિયોની પહેલી મુસ્લિમ સુપરહીરો સિરીઝ ‘મિસ માર્વેલ’માં જોવા મળશે. આ ફિલ્મ કમલા ખાન ઉર્ફે મિસ માર્વેલની વાર્તાને રજૂ કરશે, જે જર્સી શહેરમાં ઉછરેલી મુસ્લિમ અમેરિકન કિશોરી છે. આ પાત્ર ઈમાન વેલાની ભજવશે. ફરહાન અખ્તર આ ફિલ્મમાં ક્યા રોલમાં હશે, તે હજુ નક્કી થયું નથી. પરંતુ તે આ ડિઝની પ્લસ સિરીઝથી હોલીવુડમાં પદાર્પણ કરશે. કેટલાક અહેવાલો જણાવે છે કે તે આ શ્રેણીમાં અતિથિ ભૂમિકામાં જોવા મળશે.

    ડિઝની+ સિરીઝ એ અભિનેતાનો પહેલો હોલીવુડ પ્રોજેક્ટ હશે. 48 વર્ષીય અભિનેતાએ પોતે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “હું ભાગ્યશાળી છું, બ્રહ્માંડ તમને વિકાસ કરવાની અને શીખવાની આવી તકો આપે છે અને મને આ કિસ્સામાં આ ભૂમિકા ભજવવામાં ખરેખર આનંદ આવ્યો.”

    ડેડલાઈન 6 મેના રિપોર્ટમાં પણ આ મુસ્લિમ સુપરહીરો સિરીઝ વિષે પુષ્ટિ કરવામાં આવી હતી. આ મુજબ, કમલા ખાન શોમાં ગેમર અને ફેન ફિક્શન રાઈટર છે, જે કેપ્ટન માર્વેલની ફેન છે. જ્યાં સુધી તેને તેના મનપસંદ પાત્રની જેમ સુપરપાવર ન મળ્યા ત્યાં સુધી તેને પોતાના ઘર અને શાળામાં પોતાને બહારની વ્યક્તિ હોય એવો અનુભવ થાય છે.

    નોંધનીય છે કે ગયા વર્ષની શરૂઆતમાં પણ એવી ચર્ચાઓ સામે આવી હતી કે અભિનેતા બેંગકોક માર્વેલ સ્ટુડિયોના એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. હવે તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે. આ શ્રેણી 8 જૂન 2022 ના રોજ OTT પ્લેટફોર્મ ડિઝની + હોટ સ્ટાર પર રિલીઝ થશે. અહીં તે અંગ્રેજી, તમિલ, તેલુગુ, હિન્દી અને મલયાલમ ભાષાઓમાં ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે આ પહેલા અખ્તરે ‘રોક ઓન!’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘ભાગ મિલ્ખા ભાગ’ અને ‘દિલ ધડકને દો’ જેવી હિટ ફિલ્મો આપી છે.

    ફરહાન અને વેલાની ઉપરાંત, મિસ માર્વેલ શ્રેણીમાં અરામિસ નાઈટ, ઝેનોબિયા શ્રોફ, મોહન કપૂર, સાગર શેખ, રિશ્યા શાહ, મેટ લિન્ટ્ઝ, અઝહર ઉસ્માન, યાસ્મીન ફ્લેચર, લેથ નક્લી, ટ્રવિના સ્પ્રિંગર અને નિમરા બુકા પણ જોવા મળશે. આ સિવાય અભિનેતા ફવાદ ખાને પણ અગાઉ પુષ્ટિ કરી છે કે તે પણ આ શ્રેણીમાં સામેલ છે. અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હા, હું પણ આ સિરીઝનો એક ભાગ છું. હું હવે તેનો ઇનકાર પણ કરી શકતો નથી, હું હવે જૂઠું બોલી શકતો નથી, તેમણે (માર્વેલે) પોતે જ આ સમાચાર આપ્યા છે.”

    નવનીત રાણાએ કર્યું CM ઉદ્ધવ ઠાકરે વિરૃદ્ધ ચુંટણી લડવાનું એલાન, કહ્યું : હનુમાન ચાલીસા અપરાધ તો 14 દિવસ શું 14 વર્ષ જેલમાં રહેવા તૈયાર

    સાંસદ નવનીત રાણા જેલથી છુટ્યા બાદ હોસ્પીટલમાં ભરતી હતાં, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. હવે હોસ્પીટલથી રાજા મળતાજ તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ મોરચો માંડી દીધો છે, રાણા દંપતીસોમવારે (9 મે 2022) દિલ્હી રવાના થશે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય જશે. નવનીત રાણાએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળીને આખા મામલે ફરિયાદ આપવાની પણ યોજના બનાવી છે, જેજે હોસ્પીટલમાં નવનીત રાણાનો સ્પોંડીલોસીસનો ઈલાજ ચાલી રહ્યો હતો.

    આ પહેલા એમને ભાયખલા જેલમાં રાખવામાં આવ્યા હતા, હોસ્પીટલથી નીકળ્યા બાદ તેમના સમર્થકોએ ‘જય શ્રીરામ’ના નારા સાથે રાણાનું સ્વાગત કર્યું હતું, તેમણે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સામે પડકાર ફેંકતા કહ્યું હતું કે અગામી ચુંટણી તે ગમે ત્યાથી લડે, એમના વિરુધ્ધમાં તેણી મોરચો માંડશે. આગામી બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂટણીમાં શિવસેના વિરુદ્ધ પ્રચાર કરવાનું પણ એલાન કર્યું છે. નવનીત રાણાએ સ્પષ્ટ કહ્યું કે જો હનુમાન ચાલીસાનો પાઠ કરવો અપરાધ હોય તો તેના માટે તેઓ 14 દિવસ તો શું 14 વર્ષ જેલમાં જવા તૈયાર છે.

    મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી તેમજ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવિસે પણ નવનીત રાણાની મુલાકાત લીધી હતી, 36 વર્ષીય નવનીત રાણાએ કહ્યું કે “હું ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ચુંટણી લડીશ, હિંમત હોય તો જીતીને બતાવે.” 12 દિવસ જેલ અને 3 દિવસ હોસ્પીટલમાં રહીને ઘરે પરત ફરેલા નવનીત રાણાએ જેલમાં અધિકારીઓ દ્વારા દુર્વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ પણ લગાડ્યો હતો. રાણાએ કહ્યું હતું કે “સંજય રાઉતે મને 20 ફૂટ જમીનમાં દાટી દેવાની વાત કરી હતી, BMC માં શિવસેનાએ જે ભ્રષ્ટાચાર કાર્ય છે તેમાં જનતા તેમને જમીનથી 20 ફૂટ નીચે ફેંકી દેશે.”

    રાણા દંપતીએ કહ્યું હતું કે શિવસેના પ્રવક્તા સંજય રાઉત અને મંત્રી અનીલ પરબ ટૂંક સમયમાંજ જેલભેગા થવાના છે, તો બીજીતરફ મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવનીત રાણા વિરુદ્ધ હાઇકોર્ટમાં યાચિકા દાખલ કરશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે, મહારાષ્ટ્ર સરકારનો દાવો છે કે રાણાએ મીડિયામાં નિવેદન આપીને ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. નવનીત રાણાએ એલાન કર્યું છે કે તેમની લડાઈ ચાલુ રહેશે, હાલ રાણા દંપતી જમીન પર બહાર છે,હવે સૌની નજર અદાલતની અગામી સુનાવણી પર છે.

    હિમાચલ પ્રદેશ વિધાનસભા ભવનના ગેટ પર ફરકાવવામાં આવ્યા ખાલિસ્તાની ઝંડા; CM જયરામ ઠાકુરે કહ્યું, આતંકીઓ જ્યાં પણ હશે ગોતી લઈશું

    દેશમાં ખાલિસ્તાની સમર્થકોની હિંમત દિવસે ને દિવસે વધી રહી છે. હિમાચલ પ્રદેશની શીતકાલીન રાજધાની ધર્મશાળાના વિધાનસભા પરિસરના ગેટ પર ખાલીસ્તાનીઓએ ઝંડા લગાવી દીધા હતા. રવિવાર (8 મે 2022)ની સવારે વિધાનસભાના મુખ્ય ગેટ પર ખાલિસ્તાની જંડા અને દીવાલો ઉપર ખાલિસ્તાન લખેલું જોઇને લોકો ચોંકી ઉઠ્યા હતાં. ઘટનાની સુચના મળતાજ પોલીસે ઝંડા ઉતારીને ખાલિસ્તાન લખેલા ઉપર કલરકામ કરાવી દીધું હતું.

    હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ ઘટના બાદ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે. “રાતના અંધારામાં આવવાની હિમત છે, તેઓ દિવસે આવીને બતાવે,આ ઘટનામાં સામેલ લોકોની ભાળ મેળવવા પોલીસ આખા વિસ્તારના CCTV ફુટેજ તપાસી રહી છે.”

    વધુમાં તેમને જણાવ્યું હતું કે “આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, આ પ્રકારની ઘટનાને અંજામ દેવા વાળા લોકો નિષ્ફળ થશે. આ મામલામાં FIR દાખલ થયા બાદ અમે તપાસના આદેશ આપ્યા છે,ધર્મશાળાના દોષીઓ જ્યાં પણ ત્યાંથી તેમને તરત પકડી લેવામાં આવશે. તે લોકોનો કાયરતાપૂર્ણ વ્યવહાર સમય વધુ નહીં ટકી શકે. આ ઘટનાને અંજામ દેવાવાળા ઉપર કઠોરમાં કઠોર પગલા લેવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાન સમર્થકોએ શીમલાના વિધાનસભા પરિસર પર ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની ધમકી આપી હતી, જોકે તેમાં તેઓ નિષ્ફળ થયા હતા. પરંતુ ધર્મશાળાના તપોવન સ્થિત વિધાનસભા પરિસરમાં તેમને ખાલિસ્તાની ફરકાવ્યો હતો.

    જણાવી દઈએ કે માર્ચ 2022 માં જયરામ ઠાકુર સરકારે ખાલિસ્તાની આતંકી ભિંડરાવાલેના પોસ્ટર લાગેલી ગાડીઓને રાજ્યમાં ઘુસવા પર રોક લગાવવાના આદેશો આપ્યા હતા, સીએમ જયરામ ઠાકુરે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે ‘નિશાન સાહિબ’ (શીખ ધ્વજ) નું પૂરું સન્માન કરીએ છીએ, પરંતુ ખાલિસ્તાની આતંકી ભિંડરાવાલેને સહન કરવામાં નહીં આવે.

    વાસ્તવમાં પંજાબથી આવવા વાળી ઘણી ગાડીઓ ઉપર ખાલિસ્તાની આતંકી ભિંડરાવાલેની તસ્વીરો વાળ બેનર લાગેલા હતા, જેના ઉપર જ્વાળામુખી અને મંડી જીલ્લાના લોકોએ આપત્તિ જતાવી હતી.એવા અનેક વિડીઓ પણ સામે આવ્યા હતા જેમાં સ્થાનીય લોકો આ ઝંડા હટાવવાની માંગ કરતા જોવા મળ્યા હતા, ત્યારબાદ સરકારે પગલા ભર્યા હતા.

    અમન બાલી નામના ટવીટર યુઝરે ભિંડરાવાલેનો ઝંડો પકડેલા એક શીખ વ્યક્તિનો વિડીયો શેર કર્યો હતો, જેમાં કેટલાક લીકો ભિંડરાવાલેની તસવીરનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. અમન બાલીએ અને ગુંડાગર્દી જાહેર કરતા ખાલિસ્તાની આતંકી ભિંડરાવાલેને ‘સંત જી’ કહીને સંબોધ્યો હતો.

    આ પહેલા પણ ઓગસ્ટ 2021 માં આતંકી ગુરપવંત સિંહ પન્નુંએ હિમાચલ પ્રદેશ ના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને ધમકી આપી હતી કે તે 15મી ઓગસ્ટે તિરંગો નહિ ફરકાવવા દે, ઓડિયો સંદેશમાં તે હિમાચલ પ્રદેશ પર કબજો કરવાની વાત પણ કરી રહ્યો હતો, કારણકે હિમાચલ પ્રદેશ પહેલા પંજાબ પ્રાંતમાં શામેલ હતું.

    રાહુલ ગાંધીએ અજાણતા સ્વીકાર્યું કે એલપીજી સિલિન્ડરની કિંમત મોદી સરકાર કરતાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં વધુ હતી

    રવિવારે (8 મે), કોંગ્રેસના વંશજ રાહુલ ગાંધીએ દેશમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) ની વધતી કિંમતો અને એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવા માટે મોદી સરકારને દોષી ઠેરવવાનો પ્રયાસ કરતી વખતે ઉડતું તીર લઇ લીધું હતું.

    એક ટ્વીટમાં, તેમણે દાવો કર્યો હતો કે 2014માં કોંગ્રેસના શાસન દરમિયાન એલપીજી સિલિન્ડરની કિંમત મોદી સરકારના 999 રૂપિયાની સરખામણીમાં ₹1,237 હતી. રાહુલ ગાંધીએ સમજાવ્યું કે ઉપભોક્તા ત્યારે પોતાના ખિસ્સામાંથી સીધા ₹410 ચૂકવતા હતા જ્યારે સરકાર સબસિડી પર પ્રતિ સિલિન્ડર કરદાતાઓના વધારાના ₹847 ખર્ચ કરતી હતી. એટલે કે હાલમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થવા છતાય કુલ કિમત 2014 કરતાં ઓછી છે.

    રાહુલ ગાંધીએ કરેલ ટ્વિટનો સ્ક્રિનશોટ

    “હાલના 1 સિલિન્ડરની કિમતમાં તે સમયે 2 સિલિન્ડર મળતા. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના કલ્યાણ માટે માત્ર કોંગ્રેસ જ શાસન કરે છે. તે અમારી આર્થિક નીતિનો મુખ્ય ભાગ છે, ”તેમણે ટ્વિટ કર્યું હતું.

    રસપ્રદ વાત એ છે કે, વર્ષ-દર-વર્ષે મોંઘવારી વધવા છતાં એલપીજી સિલિન્ડરની ચોખ્ખી કિંમત હવે 8 વર્ષની સરખામણીએ સસ્તી છે. મેક્રોટ્રેન્ડ્સના એક લેખ મુજબ, ભારતમાં ફુગાવાનો દર 6.65% (2014), 4.91% (2015), 4.95% (2016), 3.33% (2017), 3.95% (2018), 3.72% (2019) અને 6.62% (2020) હતો. 2014માં 1,237 રૂપિયાનું મૂલ્ય 2022માં 1,950ની આસપાસ હશે, આમ ફુગાવાએ રાહુલ ગાંધીની દલીલનો છેદ ઉડાડયો.

    ભારતમાં વર્ષ-દર-વર્ષનો ફુગાવો, મેક્રોટ્રેન્ડ્સ દ્વારા ગ્રાફ

    એલપીજી ઉત્પાદન, ક્રૂડ ઓઈલના ભાવ અને આયાત

    પોતાના બચાવમાં કોંગ્રેસ પાર્ટી દાવો કરી શકે છે કે તેમના કાર્યકાળ દરમિયાન ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ભાવ ઊંચા હતા. છેવટે, એલપીજી ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે અથવા કુદરતી ગેસ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન કાઢવામાં આવે છે.

    એલ્ગાસના એક લેખમાં જણાવવામાં આવ્યું છે કે, “એલપીજી બે સ્ત્રોતોમાંથી આવે છે, જેમાં કુદરતી ગેસની પ્રક્રિયા દરમિયાન લગભગ 60% કાચા કુદરતી ગેસમાંથી છીનવાઈ જાય છે અને લગભગ 40% એલપીજી ક્રૂડ ઓઈલ રિફાઈનરી પ્રક્રિયામાંથી આવે છે. એલપીજી એ સહ-ઉત્પાદન છે જે કુદરતી રીતે થાય છે. તે LPG ગેસ સિલિન્ડરો અને મોટા જહાજોમાં સંગ્રહિત અને વિતરિત કરવામાં આવે છે.”

    “એલપીજી ગેસ એ એલપીજી ગેસ ઉત્પાદન પ્રક્રિયા (એલપીજી ઉત્પાદન પ્રક્રિયા) માંથી બનાવવામાં આવે છે જે કુદરતી ગેસ પ્રક્રિયા અને ક્રૂડ તેલના અપૂર્ણાંક નિસ્યંદન દરમિયાન થાય છે,” અહેવાલમાં ઉમેર્યું હતું. ભારત મોટાભાગનું ક્રૂડ ઓઈલ ગલ્ફ વિસ્તારમાંથી આયાત કરે છે.

    ભારતમાં ઓઇલનો નિકાસ કરનાર પ્રદેશો

    અહી એ ઉલ્લેખ કરવો આવશ્યક છે કે બ્રેન્ટ ક્રૂડ એ યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં તેલ બજારો માટે વપરાતું બેન્ચમાર્ક છે. ઉપલબ્ધ ડેટા મુજબ, 1 બેરલ ક્રૂડ ઓઈલની કિંમત 2014માં એ જ કિંમતની આસપાસ હતી એટલે કે $113 જે આજે છે.

    2014 અને 2022 ની વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ, ટ્રેડિંગ ઈકોનોમિક્સ દ્વારા આલેખ

    ક્રૂડ ઓઈલની કિંમતો સમાન હતી તે જોતાં, એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹200 કરતાં વધુની અસમાનતાને કઈ રીતે સમજાવી શકાય? જોકે રાહુલ ગાંધીએ એવું કહેવાનો પ્રયાસ કર્યો હતો કે મોદી સરકારની નીતિઓ મધ્યમ વર્ગને અસર કરી રહી છે, પરંતુ તેમણે સાબિત કર્યું કે એલપીજી સિલિન્ડર હવે પહેલા કરતા સસ્તા છે. સબસિડીમાં બચેલા પૈસા હવે સરકાર દ્વારા અન્ય કેટલાક પ્રોજેક્ટ માટે વાપરવામાં આવી રહ્યા છે.

    કોંગ્રેસને મોટો ફટકો; દીવ નગર પાલિકા કાઉન્સિલર સહિત 500થી વધુ લોકો BJPમાં જોડાયા

    દીવ નગર પાલિકામા કુલ 13 બેઠકો માંથી 10 બેઠકો કોંગ્રેસ ખાતે અને 3 બેઠકો BJP ખાતે હતી. છેલ્લા 10 વર્ષથી આ નગર પાલિકા પર કોંગ્રેસનું શાસન હતું. પરંતુ ગઈકાલે તેના 7 સભ્યો BJP માં જોડાતા હવે કોંગ્રેસ પાસે માત્ર 3 સભ્યોજ બાકી રહ્યા છે અને દિવ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

    દીવ નગરપાલિકામાં BJP એ મોટો ભડાકો કર્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈ હાલ રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આગામી જૂન મહિનામાં નગરપાલિકાની ચૂંટણી થનારી છે. કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતાઓ BJPમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં નગરપાલિકામાં અવિશ્વસ્નીય બાબતો સામે આવવાના એંધાણ છે. આજે 7 સદસ્યો ભાજપમાં જોડાતા હવે કોંગ્રેસ પાસે 3 સભ્યોજ બાકી રહ્યા છે. સામે પક્ષે ભાજપની બેઠકમાં વધારો થયો છે અને તેની બેઠક વધીને 10 થતા ભાજપ મજબૂત પક્ષ બન્યો છે. નોંધનીય છે કે હવે આગામી જૂન મહિનામા દીવ નગર પાલિકાની ચૂંટણી યોજવા જઇ રહી છે. આવા ખરે ટાણે જ ભાજપે ખેલ પડી દીધો છે. દિવ કોંગ્રેસ ને મોટો ફટકો વાગ્યો છે.

    મળતી માહિતી પ્રમાણે, વર્તમાન કાઉન્સિલર હરેશ પાચા છેલ્લી પાંચ ટર્મથી એટલે કે 25 વર્ષનાલાંબા સમય ગાળાથી કાઉન્સિલર છે, જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, તે જ રીતે દિનેશ સોલંકી પણ છેલ્લી બે ટર્મથી કાઉન્સિલર છે તે પણ ભાજપમાં જોડાયા હતા,સાથે રવિન્દ્ર સોલંકી, નિકિતા શાહ, ભાવના દૂધમલ, રંજન રાજુ તથા ભાગ્યવંતી ચૂનીલાલ વગેરે કાઉન્સિલરો ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે ઉષા મહિલા મંડળ, અને અન્ય 500 થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે. ભાજપે ઘોઘલા ફિશરમેન શેડ ખાતે કાર્યક્રમનું આયોજન કરી કોંગ્રેસના નેતાઓને કેસરી ખેસ પહેરાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખને લાંબા સમયથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમના પર આવક કરતાં વધુ સંપત્તિનો કેસ હોવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત તેમણે દીવની પ્રખ્યાત કોહિનૂર હોટલનો કેટલોક ભાગ સરકારી જમીન પર વધાર્યો હતો.હવે કોંગ્રેસના 7 સભ્યોના જૂથે પક્ષપલટો કરતા દીવમાં કોંગ્રેસ તૂટી છે અને ભારતીય જનતા પાર્ટી મજબૂત થઇ છે.

    ચૂંટણી પેલા ભાજપ તરફી પવન, પાર્ટીમાં જોડવા માટે પડાપડી

    ભાજપનો ખેસ પહેરતા કોટવાલ, તસવીર સાભાર : BJP ગુજરાત ઓફિશિયલ

    આ પહેલા ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અશ્વિન કોટવાલ પણ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ મીડિયાને સંબોધન કરતા કોટવાલે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ” હું ભલે કૉંગ્રેસમાંથી ત્રણ વખત ચૂંટાયો, પણ મારા દિલમાં નરેન્દ્ર મોદી વસેલા હતા. હું ભાજપમાં 2007માંજ જોડાવાનો હતો. મોદીએ મને બોલાવ્યો અને કહ્યું કે રાજકારણમાં સારા સ્વચ્છ અને સારી પ્રતિષ્ઠા ધરાવતા લોકોની મારા પક્ષમાં જરૂરિયાત છે. ત્યારથી હું વડાપ્રધાન મોદીનો ભક્ત બન્યો હતો.”

    આ સિવાય છેલ્લા 4 વર્ષમાં જયરાજસિંહ પરમાર જેવા કોંગ્રેસના દિગ્ગજ ગણાતા 16 જેટલાં ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે, અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સફેદ ટોપી ઉતારીને 3000 કાર્યકરતાઓએ ગાંધીનગરના કમલમ ખાતે કેસરી ટોપી ધારણ કરી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, આવનાર વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ કેટલા અને કેવા કેવા રંગો બદલે છે તે જોવું રહ્યું.