Friday, September 20, 2024
More
    Home Blog Page 1044

    સીએમ અશોક ગેહલોતના ભાઈના ઘરે CBIના દરોડા: ખાતર કૌભાંડનો મામલો, ખેડૂતોના નામે ખાતર ખરીદી કંપનીઓને વેચી નાખવાનો આરોપ

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના જોધપુર સ્થિત નિવાસસ્થાને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ દરોડા પાડ્યા છે. આ મામલો ખાતર કૌભાંડ સાથે સંબંધિત છે. અગ્રસેન ગેહલોત પર 2007-09માં યુપીએ શાસન દરમિયાન સબસિડીવાળા ખાતરની નિકાસ કરવાનો આરોપ છે.

    અહેવાલો અનુસાર, CBIની ટીમ શુક્રવારે (17 જૂન, 2022) સવારે ગેહલોતના ભાઈ અગ્રસેનના પરિસરમાં પહોંચી, જ્યારે તેઓ ઘરે હતા. સીબીઆઈની ટીમમાં દિલ્હીના 5 અને જોધપુરના 5 અધિકારીઓનો સમાવેશ થાય છે. આ કેસની તપાસ EDમાં પણ ચાલી રહી છે. કસ્ટમ વિભાગે અગ્રસેનની કંપની પર લગભગ 5.46 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.

    શું છે આ ખાતર કૌભાંડ

    વર્ષ 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ખાતર કૌભાંડ અંતર્ગત અશોક ગેહલોતના ભાઈના ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન રાજસ્થાનમાં છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જોધપુર પણ સામેલ હતું. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં બે, ગુજરાતમાં ચાર અને દિલ્હીમાં એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.

    ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગ્રસેન ગેહલોતની કંપની અનુપમ કૃષિ તેની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં મ્યુરિએટ ઓફ પોટાશ (MOP) ખાતરની નિકાસમાં સામેલ હતી. ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) MOP આયાત કરે છે અને ખેડૂતોને સબસિડી પર વેચે છે.

    અગ્રસેન ગેહલોત IPLના અધિકૃત ડીલર હતા. તેમની કંપનીએ 2007 અને 2009 ની વચ્ચે સબસિડી દરે MOP ખરીદ્યું હતું, પરંતુ તેને ખેડૂતોને વેચવાને બદલે તેણે અન્ય કંપનીઓને વેચી દીધું હતું. તે કંપનીઓ ઔદ્યોગિક ક્ષારના નામે MOP મલેશિયા અને સિંગાપોર પહોંચાડતી હતી.

    આ કૌભાંડ બાદ ભાજપે OpIndiaના સમાચારને ટાંકીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે એક તરફ કોંગ્રેસ ખેડૂતોની વાત કરે છે તો બીજી તરફ તેના નેતાઓ ખેડૂતોની સબસિડી પચાવી પાડે છે. તેમણે તેને સબસિડીની ચોરી ગણાવી હતી. તેમણે આ કેસમાં મની લોન્ડરિંગની આશંકા પણ વ્યક્ત કરી હતી.

    ફક્ત વિરોધનું જ રાજકારણ થઇ રહ્યું છે કે રામમંદિર બની રહ્યું છે એનું પેટમાં દુઃખી રહ્યું છે?

    ગઈકાલે જ ફેસબુકમાં કોઈના સ્ટેટ્સ પર કોમેન્ટ વાંચી જેનું હાર્દ એવું હતું કે દેશના અને દેશવાસીઓના ભલાં માટે લેવામાં આવતાં નિર્ણયોનો વિરોધ અને એ પણ હિંસક વિરોધ તો ફક્ત ભારતમાં જ શક્ય છે. વાત તો સાચી જ છે કારણકે એવો બીજો કોઈ દેશ નથી દેખાતો જ્યાં દેશના ભલા માટે સરકાર દ્વારા લેવામાં આવતાં નિર્ણયોનો જ વિરોધ થતો હોય. જે રીતે કેન્દ્ર સરકારના યોગ્ય નિર્ણયોનો એક પછી એક હિંસક વિરોધ થઇ રહ્યો છે તે જોઇને એ સ્પષ્ટ દેખાય છે કે આપણા દેશમાં ફક્ત વિરોધનું જ રાજકારણ ચાલી રહ્યું છે.

    નરેન્દ્ર મોદી સરકારના કેટલાક ઐતિહાસિક નિર્ણયો તેમની પ્રથમ સરકારની મુદત પત્યા બાદ બીજી સરકારમાં લેવામાં આવ્યા છે. આ તમામ નિર્ણયોમાં સહુથી મોટો નિર્ણય હતો જમ્મુ અને કાશ્મીરમાંથી 370મી કલમ હટાવવાનો હતો. ત્યારબાદ ટ્રિપલ તલાક, CAA અને NRC, ચાર કૃષિ કાયદા જેવા સામાજીક, દેશની સુરક્ષાને લગતા તેમજ દેશના અર્થતંત્રને આગળ વધારે તેવા નિર્ણયો લેવામાં આવ્યા. કેટલાક રાજકીય વિશ્લેષકોના આશ્ચર્ય વચ્ચે 370મી કલમ હટાવવાનો નિર્ણય અને ટ્રિપલ તલાકને ગેરકાયદે ઠરાવતો કાયદો સંસદમાં વિરોધ પૂરતા જ મર્યાદિત રહ્યા.

    આશ્ચર્ય એ વાતનું હતું કે આટલી મોટી વાત થઇ જાય અને વિરોધ ફક્ત સંસદ પૂરતો જ મર્યાદિત રહે? વધી વધીને સામાન્ય ધરણા પ્રદર્શન સુધી જ વાત જાય? આથી આ આશ્ચર્ય સાથે ડર પણ હતો કે કદાચ આવનારો સમય આટલો બધો સરળ નહીં હોય અને એ ડર સાચો પણ પડ્યો, સહુથી પહેલીવાર જ્યારે CAA અને NRCને લગતો કાયદો સંસદમાં આવ્યો. CAA કાયદાની જોગવાઈ સ્પષ્ટ હતી કે ભારતના પડોશી દેશોમાં જે ઇસ્લામિક રાષ્ટ્રો છે ત્યાં ખાસકરીને, વસતી લઘુમતિ પર ત્રાસ ગુજારવામાં આવતો હોય છે. હવે આ પ્રકારના લોકોને જો ભારતનું નાગરિકત્વ લેવું હોય તો તેમને એ મળવું જોઈએ.

    પરંતુ જે લોકો કાશ્મીર અને ટ્રિપલ તલાક કાયદાનો ‘ગમ ખાઈને’ બેઠા હતા એ લોકોએ સહુ પ્રથમવાર વિરોધનું જ રાજકારણ કરવું એમ જાણેકે નક્કી કરી લીધું હોય એ રીતે ખોટી માહિતી ફેલાવી કે આ કાયદાઓ દેશના મુસલમાનોને દેશ છોડવા પર મજબુર કરી દેશે. સામાન્ય બુદ્ધિ ધરાવતો વ્યક્તિ પણ સમજી શકે છે કે આમ થવું શક્ય જ નથી, કે પછી આમ થાય જ નહીં. પરંતુ તેમ છતાં મહિનાઓ સુધી દિલ્હીના શાહીનબાગને ઘેરો ઘાલીને પ્રદર્શન થતા રહ્યા કે મુસલમાનોને દેશ છોડવા માટે આમ મજબુર ન કરાય.

    વિરોધનું જ રાજકારણ જેને રમવું હતું તેના માટે બીજી તક આવી કૃષિ કાયદાઓ લાગુ કરવા સમયે. ફરીથી એમ કહી શકાય કે આ કૃષિ કાયદાઓ દ્વારા સરકાર ખેડૂતો અને બજાર વચ્ચેથી વચેટીયાઓને દૂર રાખવા માંગતી હતી જેથી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના તેના લક્ષ્યાંકમાં તેને મદદ મળે. પરંતુ ના, ઉલટું વિરોધના રાજકારણીઓએ આ કૃષિ કાયદાઓ કાળા છે એવું ખેડૂતોના મનમાં ઠસાવી દીધું અને એક વર્ષ સુધી દેશની રાજધાની દિલ્હીને બાનમાં લીધી. આ વિરોધ દરમ્યાન દેશવિરોધી તાકાતોએ લાલ કિલ્લા પર પણ હુમલો બોલાવ્યો અને બેથી ત્રણ દિવસ દિલ્હીને સળગાવ્યું.

    છેવટે દેશવિરોધી તાકાતો વધુ  મજબુત ન થાય તેનું ધ્યાન રાખીને નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિના પવિત્ર દિવસે આ તમામ કાયદાઓ પરત લેવાની ઘોષણા કરી હતી. અહીં મહત્ત્વની હકીકત એ પણ હતી કે કહેવાતા ખેડૂત આંદોલનમાં મોટી સંખ્યા ફક્ત પંજાબના ખેડૂતોની જ હતી, જેનો મતલબ એ થાય કે દેશના અન્ય રાજ્યોના ખેડૂતોએ ફક્ત એક કે બે રાજ્યના ખેડૂતોને પડેલા વાંધાનું મૂલ્ય ચુકવવું પડ્યું.

    હવે વારો છે અગ્નિપથ યોજનાનો. વિરોધનું જ રાજકારણ રમનારાઓએ કેન્દ્ર સરકારની આ યોજનાની જાહેરાતના ફક્ત બાર કલાકમાં જ બિહારમાં તોફાનો કરાવી દીધા, જાણેકે આ આખી યોજના તેમને સમજાઈ ગઈ છે. સામાન્ય વ્યક્તિની ભાષામાં કહીએ તો અગ્નિપથ યોજનામાંથી જે કોઈ પણ જવાન અગ્નિવીર બનશે તેણે ફક્ત ચાર વર્ષ સેનાની તાલીમ લેવાની છે અને જેટલા જવાનોએ આ તાલીમ લીધી છે તેમાંથી કેટલાક ટકાને સેનામાં સીધી ભરતી મળશે.

    જે જવાનોને સેનામાં સેવા કરવાની તક નહીં મળે તેમને આ ચાર વર્ષ દરમ્યાન પગાર અને અન્ય ભથ્થાં ઉપરાંત વીમાનો લાભ મળશે અને એક સર્ટીફીકેટ પણ મળશે જે તેને સેનાની તાલીમ બાદ તેના રોજગારી મેળવવાના આગળના પ્રયાસ વખતે ખૂબ કામમાં લાગશે. બીજું કશું નહીં તો આ તાલીમથી તેનો લાભ લેનાર જવાનને એકાગ્રતા તેમજ સ્વયંશિસ્તના ગુણ મળશે અને મળનારા સર્ટીફીકેટનું મૂલ્ય અન્ય કોઇપણ સર્ટીફીકેટથી અત્યંત વધારે હશે જે તેને મોટા વેતન ધરાવતો રોજગાર પૂરો પાડશે.

    પણ ના, વિરોધ એટલે વિરોધ. સરકારની અગ્નિપથ યોજનાની જાહેરાત થયાના બાર કલાકમાં જ ચિત્ર એવું ઉપસાવવામાં આવ્યું કે હવે કોઈને સેનામાં નોકરી મળશે જ નહીં. તો બીજું એક ચિત્ર એવું પણ સામે આવ્યું કે હવે સેના પેન્શન નહીં આપે. ફરીથી કોઇપણ સામાન્ય બુદ્ધિ ધરાવતો વ્યક્તિ આ પ્રકારની દલીલ સાથે સહમત તો ન જ થાય પરંતુ તેને હસી જરૂર કાઢશે.

    પરંતુ, છેલ્લા બે દિવસમાં જે બન્યું છે એ જોઇને જો આવનારા દિવસોમાં પણ આવું બનશે એની કલ્પના જરાય હસવા જેવી નહીં હોય. અગ્નિપથ યોજના દેશના દરેક યુવાન માટે ફરજીયાત નથી અને તેની સમયમર્યાદા પહેલેથી જ નક્કી છે અને સરકારે ક્યાંય એવું નથી કહ્યું કે આ યોજનાથી હવે સેનામાં ભરતી જ નહીં થાય, તેમ છતાં વિરોધનું જ રાજકારણ કરનારાઓએ બિહારથી દેશ સળગાવવાનું શરુ કરી દીધું છે.

    આવું કાયમ કેમ થાય છે? શું સરકાર દેશવાસીઓને લાભ થાય તેવી યોજનાઓ સામાન્ય જનતાને સમજાવવામાં નિષ્ફળ જાય છે? કદાચ ના. કારણકે આવું એક વખત બની શકે પરંતુ વારંવાર નહીં. તો તકલીફ ક્યાં છે? તકલીફ કદાચ રામમંદિરનો મુદ્દો જે ત્રણ સદીઓથી વિવિધ કોર્ટ્સમાં લટકી રહ્યો હતો એનું નિરાકરણ આવી ગયું અને હવે રામ જન્મભૂમિ ખાતે એક ભવ્ય રામમંદિર બની રહ્યું છે એની છે.

    દેશનો હિંદુ જો જાગી રહ્યો છે, જો એ ખુશ છે અને જો તેના કારણે તે અમને મત નથી આપી રહ્યો તો અમે પણ તેને શાંતિનો શ્વાસ નહીં લેવા દઈએ, આ પ્રકારની ઈચ્છા અથવાતો યોજના જે રીતે ફક્ત વિરોધનું જ રાજકારણ સામે આવી રહ્યું છે અને પણ વારંવાર તેનાથી સ્પષ્ટ થઇ રહી છે. જે લોકો લોકશાહીની દુહાઈઓ આપે છે એ જ લોકો પથ્થરબાજી કરાવે છે, દુકાનો સળગાવે છે, ટ્રેનો અને બસોમાં આગળ લગાડે છે આ વક્રતા પચતી નથી.

    દેશમાં હિંદુ બહુમતિ છે અને આપણે અત્યારસુધી જે પણ લાભકર્તા યોજનાઓની વાત કરી તેનો મહત્તમ લાભ બહુમતિ સંખ્યા હોવાને કારણે હિંદુઓને જ થવાનો છે, જે સ્વાભાવિક છે, અને જો એવું થાય તો તુષ્ટિકરણના અમુક પક્ષોના રાજકારણને ભારે નુકશાન જાય આથી તોફાનો કરાવીને હિંસાચાર ફેલાવીને હિંદુને ડરાવી રાખવો, ઘરમાં જ બેસાડી રાખવો જેથી તેની આડઅસર સ્વરૂપે તેના ધંધા-રોજગાર ખોરવાઈ જાય અને છેવટે તે “આનાં કરતાં જુના લોકો ક્યાં ખોટા હતાં?” એમ વિચારીને એ જ લોકોને સત્તામાં પરત લાવે જે લોકો આજે ફક્તને ફક્ત વિરોધનું જ રાજકારણ કરવામાં મસ્ત છે.

    2002 પછી ઘણા સમય સુધી ગુજરાતમાં શાંતિ રહી ત્યારે રાજકારણીઓની ચર્ચામાં એક દલીલ ચાલી હતી કે “તોફાનો કરાવનારા જ સત્તામાં આવી ગયા એટલે ક્યાંથી તોફાનો થાય?” આજે એ દલીલને જરા ઉલટી કરીને કહેવાનું મન થાય છે કે “તોફાનો કરાવનારા સત્તાથી દુર થઇ ગયા એટલેજ તોફાનો થઇ રહ્યા છે.”

    ઓસ્ટ્રેલિયાની યુનિવર્સીટીના હિંદુ વિદ્યાર્થીઓને મુસ્લિમ સોસાયટીની ધમકી: ‘કાશ્મીર ફાઇલ્સ’નું સ્ક્રીનિંગ અટકાવી દો નહીં તો એક્શન લઈશું

    ઓસ્ટ્રેલિયા સ્થિત UNSW યુનિવર્સિટીમાં હિંદુ હોવાના કારણે ભારતીય વિદ્યાર્થીઓને હેરાન કરવાની ઘટના સામે આવી છે. છેલ્લા બે અઠવાડિયાથી હેરાનગતિનો સામનો કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પાસે કાઉન્સેલિંગની માંગ કરી છે. હિંદુ વિદ્યાર્થીઓને મુસ્લિમ સોસાયટી દ્વારા ફિલ્મના સ્ક્રીનિંગ મામલે ધમકી આપવામાં આવી હતી.

    UNSW હિંદુ સોસાયટીના સભ્યોએ કાશ્મીરી હિંદુઓના અત્યાચાર અને હિજરત પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના સ્ક્રીનિંગ આયોજિત કર્યું હતું. જેની વિરુદ્ધ UNSW મુસ્લિમ સ્ટુડન્ટ્સ એસોસિએશન (UNSWMSA)ના વિદ્યાર્થીઓએ તેમને ધમકી આપી હતી. ત્યારબાદથી તેઓ સતત હિંદુ વિદ્યાર્થીઓને પરેશાન કરી રહ્યા છે. 

    નામ ન આપવાની શરતે એક કાશ્મીરી હિંદુ વિદ્યાર્થીએ ઓસ્ટ્રેલિયા ટુડેને જણાવ્યું કે 1990માં જ્યારે કાશ્મીરમાં હિંદુઓની કત્લેઆમ અને હિજરત કરવામાં આવી ત્યારે તેના દાદા-દાદી અને માતા-પિતાને કેવું લાગ્યું હશે. વિદ્યાર્થીનું કહેવું છે કે તે ઘટના સાંભળ્યા પછી આજે પણ તે રાત્રે ડરથી જાગી જાય છે. વિદ્યાર્થીએ જણાવ્યું કે 1990 માં તેની માતાના બે સબંધીઓની હત્યા કરી નાંખવામાં આવી હતી. તે ત્યાંની દુઃખદ વાતો સાંભળીને મોટો થયો છે. 

    યુએનએસડબલ્યુ હિંદુ સોસાયટીએ 9 જૂને કાશ્મીરમાં હિંદુઓના નરસંહાર પાછળના સત્યની ચર્ચા કરવા માટે યુનિવર્સિટીના કેમ્પસમાં કોલંબો થિયેટરમાં ફિલ્મનું સ્ક્રીનિંગ યોજવા માટે મતદાન હાથ ધર્યું હતું. સોસાયટીએ જે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શૅર કર્યું હતું.

    જે બાદ મુસ્લિમ સોસાયટીએ તેનો વિરોધ કર્યો હતો. હિંદુ સમાજે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો હતો અને 7 જૂને બંને સોસાયટીઓએ આ સંદર્ભે ‘ઝૂમ’ પર મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં મુસ્લિમ સોસાયટીએ ઓસ્ટ્રેલિયા સ્થિત યુનિવર્સીટીમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરવા બદલ હિંદુઓ વિદ્યાર્થીઓને ધમકી આપી હતી.  

    મીટિંગ દરમિયાન, UNSWMSAના પ્રવક્તા ઉસ્માન મહમૂદે હિન્દુ વિદ્યાર્થીઓને ડરાવવા માટે ધાર્મિક નેતાઓ, પત્રકારો અને રાજકારણીઓનું નામ લીધું હતું. આ દરમિયાન હિંદુઓને ફિલ્મનું સ્ક્રીનિંગ રોકવા માટે ધમકી પણ આપવામાં આવી હતી.

    મહમૂદે ધમકી આપતા કહ્યું, “જો તમે (હિંદુઓ) આ ફિલ્મનું સ્ક્રીનિંગ રોકી દો તો બહુ સારું રહેશે મુસ્લિમ સોસાયટી અને દુનિયાના મુસ્લિમ સમાજ તરફથી અમે તેને આવકારીએ છીએ. પરંતુ જો ન માન્ય તો તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે અને આ પગલાં બહુ સારા નહીં હોય.”

    મહમૂદે ડરાવવા માટે ઓસ્ટ્રેલિયાના ગ્રીન્સ પાર્ટીના સીનેટર મહરીન ફારૂકી, પત્રકાર મુસ્તફા રચવાની, ઓસ્ટ્રેલિયાના ગ્રાન્ડ મુફ્તી અબુ મોહમ્મદ, એબીસી ન્યૂઝના મૌસિકી આચાર્ય, ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય ઇમામ પરિષદના શેખ વીસું, યુનાઇટેડ મુસ્લિમ એસોશિએશનના શેખ ઉંમર અલ-ગઝનું નામ આપ્યું હતું. તેણે કહ્યું કે આ તમામ તેની મદદ કરશે. 

    મીટિંગ દરમિયાન હિંદુફોબિક ટિપ્પણી કરતા મહેમૂદે પૂછ્યું કે કાશ્મીરમાં કેટલા હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવ્યો અને કેટલા હિંદુઓ માર્યા ગયા હતા? તેણે વારંવાર આ સવાલ કર્યો હતો. બીજી તરફ, આ ઘટનાને લઈને યુનિવર્સીટીએ કહ્યું છે કે તેમના કેમ્પસમાં ધાર્મિક ઉત્પીડન સ્વીકાર્ય નથી.

    ‘હિંસા પાછળ RJDના ગુંડા’: બિહારમાં ફરી ટ્રેન સળગાવી, ડેપ્યુટી CM-BJP પ્રદેશ પ્રમુખના ઘર પર હુમલો, અગ્નિપથને લઈને ઘણા રાજ્યોમાં હંગામો ચાલુ છે

    સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારની નવી યોજના અગ્નિપથ વિરુદ્ધ હિંસક પ્રદર્શન શુક્રવારે (17 જૂન 2022) પણ ઘણા રાજ્યોમાં ચાલુ છે. આ રાજ્યોમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, હિમાચલ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી-એનસીઆરનો સમાવેશ થાય છે.

    બિહારમાં સૌથી વધુ હિંસા જોવા મળી રહી છે. શુક્રવારે સવારે બિહિયા સ્ટેશન પર ભારે પથ્થરમારો થયો હતો. તોફાનીઓએ સ્ટોર રૂમમાં આગ લગાવી દીધી હતી. લખીસરાય ખાતે વિક્રમશિલા એક્સપ્રેસ અને સમસ્તીપુર ખાતે લોહિત એક્સપ્રેસના કોચ સળગાવી દેવામાં આવ્યા છે. બિહારના નાયબ મુખ્યપ્રધાન રેણુ દેવીના બેતિયા સ્થિત આવાસ પર હુમલો થયો હતો. બેતિયામાં બીજેપીના બિહાર પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે.

    કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે બિહારમાં અગ્નિપથ વિરુદ્ધ હિંસક પ્રદર્શન અને હિંસા પાછળ આરજેડીનો હાથ છે. તેમણે કહ્યું છે કે આમાં આરજેડીના ગુંડા પણ સક્રિય છે. આ આંદોલનમાં સામેલ બિન-વિદ્યાર્થીઓની ઓળખ કરવી જરૂરી છે. યુવાનોનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે.

    બિહાર સંપર્ક ક્રાંતિ પણ આગને હવાલે

    સમસ્તીપુરમાં દિલ્હીથી દરભંગા જઈ રહેલી બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં તોડફોડ કરવામાં આવી હતી અને પાંચ બોગીને આગ ચાંપી દેવામાં આવી હતી. ટ્રેન સમસ્તીપુર સ્ટેશને પહોંચતા પહેલા આઉટર સિગ્નલ પર ઉભી રહી ગઈ હતી. દરમિયાન, પ્રદર્શનકારીઓનું એક જૂથ પહોંચી ગયું અને ટ્રેનના ડબ્બાઓમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું અને છેલ્લે આગ લગાવી દીધી હતી.

    ઔરંગાબાદમાં નેશનલ હાઇવે જામ

    ઔરંગાબાદમાં પણ દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. નેશનલ હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જામના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. દેખાવકારોએ ટાયર સળગાવીને વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. પંડિત દીનદયાલ ઉપાધ્યાય-ગયા રેલ સેક્શન પર જાખીમ રેલ્વે સ્ટેશન પાસે પણ જામ લગાવી દેવામાં આવ્યો હતો. ટ્રેક પર બેઠેલા યુવકોએ ટ્રેનની કામગીરી અટકાવી દીધી હતી.

    બિહિયા સ્ટેશનના ટિકિટ કાઉન્ટરમાં આગચંપી

    દેખાવકારોએ બિહિયા સ્ટેશનના ટિકિટ કાઉન્ટરને આગ લગાવી દીધી હતી. આ દરમિયાન કેટલાક પત્રકારોના મોબાઈલ ફોન તોડવામાં આવ્યા હતા. એક પત્રકારને પણ માર મારવામાં આવ્યો હતો. શુક્રવારે સવારથી જ આરા-બક્સર રેલ્વે લાઇન પર ભોજપુરના બિહિયા સ્ટેશન પર હંગામો શરૂ થઈ ગયો હતો. દેખાવકારોએ રેલવે, સિવિલ પોલીસ અને આરપીએફ પર પથ્થરમારો કર્યો હતો. સ્ટોર રૂમમાં આગ લગાવી દીધી હતી.

    મોહીઉદ્દીનનગર સ્ટેશન પર લોહિત એક્સપ્રેસમાં આગચંપી

    શુક્રવારે સવારે લગભગ 7 વાગ્યે, આંદોલનકારીઓએ બરૌની હાજીપુર રેલ્વે સેક્શનના મોહિઉદ્દીનનગર સ્ટેશન પર લોહિત એક્સપ્રેસની ચાર બોગીને આગ ચાંપી દીધી હતી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ પહોંચી તો તેમના વાહનની પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. લખીસરાય સ્ટેશન પર વિક્રમશિલા એક્સપ્રેસની 4-5 બોગીને સળગાવી દેવામાં આવી હતી. પોલીસનો ફોન પણ છીનવી લેવાયો હતો.

    ભરતી ટૂંક સમયમાં શરૂ થશે: રાજનાથ સિંહ

    દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે “અગ્નવીર યોજના યુવાનોને મોટી તક આપશે. છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે યુવાનોને ભરતીની તક મળી નથી. એટલા માટે પીએમ મોદીની સૂચના પર સરકારે વય મર્યાદામાં બે વર્ષની છૂટ આપી છે. ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તમામ યુવાનોને આ માટેની તૈયારી કરવા અને ભરપૂર લાભ લેવા અપીલ છે.”

    ભીમ સેનાના સતપાલ તંવરની દિલ્હી પોલીસે કરી ધરપકડઃ નૂપુર શર્માની જીભ કાપવા માટે 1 કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું, તેમની પાસે મુજરો કરાવવા માંગતો હતો

    ગઈ કાલે ભીમ સેના ચીફ નવાબ સતપાલ તંવરની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. સ્પેશિયલ સેલે તેને ગુરુવારે (16 જૂન 2022) તેના ગુરુગ્રામના નિવાસસ્થાનથી પકડી પાડ્યો હતો. તેણે નૂપુર શર્માની જીભ કાપવા બદલ 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ સાથે તેણે ભાજપના પૂર્વ પ્રવક્તા વિશે પણ અપશબ્દો બોલ્યા હતા.

    મીડિયા અહેવાલો અનુસાર, તેના પર IPC કલમ 506 (ગુનાહિત ધમકી), 509 (મહિલાનું અપમાન) અને 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સ્પેશિયલ સેલના સાયબર યુનિટના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “અમે તેના વીડિયોની નોંધ લીધી છે જેમાં તેણે જીવલેણ ધમકીઓ આપી છે અને નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.”

    ગુરુગ્રામમાં પણ નવાબ સતપાલ તંવર વિરુદ્ધ કેસ નોંધાયા બાદ દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી છે. આ મામલામાં ભાજપના ગુરુગ્રામના પ્રમુખ સર્વપ્રિયા ત્યાગીએ ફરિયાદ નોંધાવી હતી. ગુરુગ્રામ પોલીસે તેની વિરુદ્ધ વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, ઉશ્કેરણી, ઇરાદાપૂર્વક અપમાન અને ફોજદારી ધમકીની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

    અન્ય એક અહેવાલ મુજબ કાનપુર જિલ્લામાં પણ નવાબ સતપાલ તંવર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં આગામી સુનાવણી 24 જૂનના રોજ નક્કી કરવામાં આવી છે. આ કેસમાં વાદી એડવોકેટ હર્ષ કુમાર છે. આ ફરિયાદના આધારે કાનપુર કોતવાલીમાં સતપાલ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે. હર્ષે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે સતપાલે નૂપુર શર્મા સાથે અત્યંત અપમાનજનક શબ્દો બોલ્યા એટલું જ નહીં, તેણે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ પણ ખોટા નિવેદનો આપ્યા છે.

    ઉલ્લેખનીય છે કે સતપાલ તંવરે નુપુર શર્માની જીભ કાપનાર વ્યક્તિને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. ભાજપના પૂર્વ નેતા પર ઈશનિંદાનો આરોપ લગાવતા, તેણે નૂપુર શર્માને બધાની સામે ‘મુજરો’ કરાવવાનું વાંધાજનક અને મહિલા વિરોધી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભાજપની નુપુર શર્માએ નબીની નિંદા કરી છે. નુપુર શર્માએ દેશમાં રહેતા કરોડો મુસ્લિમોને દુઃખ પહોંચાડ્યું છે. તેણે સમગ્ર વિશ્વમાં દેશ અને પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે. તે માફી મેળવવાને લાયક નથી, તે ફાંસીને લાયક છે.”

    તેણે કહ્યું હતું કે, “હું મારી જાત પર વિશ્વાસ કરું છું. જો આ દેશની સરકાર, ઉત્તર પ્રદેશની સરકાર, યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદીમાં નૂપુર શર્મા સામે પગલાં લેવાની ક્ષમતા નથી તો મને સોંપો. હું તેને બધાની સામે મુજરો કરાવીશ. હું મારી સામે મુજરો કરાવીશ અને મારી મરજી મુજબ તેને સજા આપીશ.”

    VIDEO: પોતાને સેનામાં નોકરી કરવાના ઈચ્છુક ગણાવતા યુવાનોએ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને તોડફોડ કરી

    કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના વિરુદ્ધ બિહાર સહિતના રાજ્યોમાં પ્રદર્શનો શરૂ થઇ ગયાં છે. દરમ્યાન, સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થયા છે જેમાં પ્રદર્શનકારીઓ ટ્રેન સળગાવતા અને જાહેર સંપત્તિને નુકસાન કરતા દેખાય છે. બીજી તરફ, અન્ય એક વિડીયોમાં વિરોધ કરનારાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપશબ્દો વાપરતા પણ સંભળાય છે.

    મંગળવારે (16 જૂન 2022) ઓર્ગેનાઈઝર વીકલી દ્વારા શૅર કરવામાં આવેલ એક વિડીયોમાં જોવા મળે છે કે ‘સુરક્ષાબળોમાં જોડાઈને દેશ-સેવા કરવા માંગતા’ અને અગ્નિપથ યોજના વિરુદ્ધ રસ્તા પર ઉતરેલા કેટલાક યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપશબ્દો વાપરી રહ્યા છે અને વાંધાજનક નારા બોલાવતા પણ નજરે પડે છે. જોકે, આ વિડીયો ક્યાંનો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ વિડીયોમાં રસ્તા પર પ્રદર્શન કરતા લોકો અને ટાયર સળગતાં જોવા મળે છે. પ્રદર્શનકારીઓ રસ્તા પર ધરણાં પર બેઠા હતા અને યોજના રદ કરવા માટેની માંગ કરીને પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દો અને નારા ઉચ્ચાર્યા હતા.

    આજે (17 જૂન 2022) સતત ત્રીજા દિવસે પણ સરકારની યોજનાનો વિરોધ ચાલુ જ છે. આ પહેલાં ઑપઇન્ડિયાએ વિસ્તૃત રિપોર્ટમાં સમજાવ્યું હતું કે અગ્નિપથ યોજનામાં જોડાવું દેશના કોઈ યુવાન માટે ફરજીયાત નથી કે ભારતીય સેનામાં થતી નિયમિત ભરતીને પણ આ યોજનાથી કોઈ અસર પહોંચશે નહીં. જોકે, સમજ્યા વગર અને રાજકીય શક્તિઓથી દોરવાયેલા પ્રદર્શનકારીઓએ રેલવે અને રોડ ટ્રાફિકમાં અવરોધ ઉભો કર્યો હતો તો ક્યાંક ટ્રેનમાં આગ લગાડી દેવામાં આવી હતી. બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ખાનગી અને પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 

    રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સેનામાં જોડાવા માંગતા કથિત ઉમેદવારોએ શુક્રવારે બિહારમાં એક ખાલી ટ્રેનને આગ લગાડી દીધી હતી અને અન્ય કેટલીક ટ્રેનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. બલિયા-વારાણસી મેમુ અને બલિયા-શાહગંજ ટ્રેનમાં તોડફોડ કરતા એક ટોળાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

    અન્ય એક વિડીયોમાં બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં આગજની કરતું ટોળું નજરે પડે છે. આ ઘટના બિહારના સમસ્તિપુર વિસ્તારની છે.

    આ ઉપરાંત, બિહારના લખમિનીયા રેલવે સ્ટેશન ખાતે પણ પ્રદર્શનકારીઓએ રેલવે ટ્રેક બ્લૉક કરીને ટ્રેનમાં તોડફોડ કરી હતી.

    શુક્રવારે પ્રદર્શનકારીઓએ બિહારના ઉપ મુખ્યમંત્રી રેણુ દેવીના ઘરે પણ હુમલો કર્યો હતો. રેણુ દેવીના પુત્રે કહ્યું કે, “અમારા ઘરે હુમલો થયો છે અને ઘણું નુકસાન થયું છે. રેણુ દેવી હાલ પટનામાં છે.”

    ગઈકાલે પ્રદર્શનકારીઓએ રેલવે ટ્રેક રોકીને પટના-ગયા અને પટના-બક્સર ટ્રેનો અટકાવી દીધી હતી. દરમ્યાન, તેઓ પોલીસ પર પથ્થરમારો કરતા પણ જોવા મળ્યા હતા. અન્ય એક વિડીયોમાં શહેરમાં જાહેર રસ્તા પર ટાયરો સળગાવવામાં આવતા જોવા મળ્યા હતા. 

    આ જ પ્રકારના વિરોધ પ્રદર્શન ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં પણ શરૂ થઇ ગયા છે. જ્યાં યોજનાના વિરોધમાં પ્રદર્શનકારી યુવાનો રેલવે ટ્રેક બ્લૉક કરી રહ્યા છે, રસ્તા પટ સળગતા ટાયરો ફેંકી રહ્યા છે.

    વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફની પ્રતિક્રિયા

    વિરોધ પ્રદર્શન વચ્ચે ગઈકાલે પૂર્વ સેના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે સિંહે (નિવૃત્ત) પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, યુવાનો દ્વારા જે વર્તન કરવામાં આવી રહ્યું છે તે સેનાને અનુરૂપ નથી.

    ઇન્ડિયા ટૂડેના એડિટર રાહુલ કંવલને આપેલા ઇન્ટરવ્યૂમાં જનરલ વી.કે સિંહે કહ્યું કે, મને નથી લાગતું કે આ પ્રકારના વર્તન કરનારા સેના માટે યોગ્ય હોય. જો આ બાબતો મારા હાથમાં હોત તો આમાંના કોઈને પણ લીધા ન હોત. બિહારમાં ચાલતા પ્રદર્શન મુદ્દે તેમણે કહ્યું કે, કોઈ પણ જેને આર્મી માટે સદભાવના હોય અને આર્મીમાં જોડાવા માંગતું હોય તેઓ આવો વિરોધ કરે નહીં.

    હિંસક પ્રદર્શન પાછળ સંભવતઃ રાજકીય શક્તિઓનો હાથ હોવાનો ઈશારો કરી તેમણે કહ્યું કે, યોજનાને લઈને ગેરમાર્ગે દોરવાનું કામ થઇ રહ્યું છે અને હજુ તો યોજના અમલમાં પણ મૂકાઈ નથી તે પહેલાં જ વિરોધ કરવાનું કોઈ કારણ પણ નથી.

    મહારાષ્ટ્ર: યુવકે નૂપુર શર્માના સમર્થનમાં મૂકી હતી પોસ્ટ, વસીમ, નિસાર, અલ્તાફ સહિતના ટોળાએ ઘરમાં ઘૂસીને મારપીટ કરી

    મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર સ્ટેટસ પોસ્ટ કરવા બદલ યુવક પર હુમલો કરી તેને માર મારવાનો મામલો સામે આવ્યો છે. 26 વર્ષીય યુવકને માર મારનાર આરોપીઓ તેના મુસ્લિમ મિત્રો છે. 

    ઘટના મહારાષ્ટ્રના સોલાપુરની છે. પીડિત યુવક નરેન્દ્ર શ્રીરામના કહેવા પ્રમાણે, તેણે નૂપુર શર્માના સમર્થનમાં સ્ટેટ્સ મૂક્યું હતું, જેના કારણે તેના મિત્રોએ જ મારપીટ કરી હતી. નરેન્દ્રએ વસીમ પઠાણ, નિસાર સૈયદ, અલ્તાફ શેખ, નોહિદ અને અન્ય પાંચથી છ લોકો પર હુમલો કરવાનો આરોપ મૂક્યો છે.

    સોલાપુરના MIDC પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે હુમલાના આરોપમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું કે ફરિયાદી નરેન્દ્ર શ્રીરામે 11 જૂનના રોજ નૂપુર શર્માના સમર્થનમાં એક વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું, જેના કારણે તેના કેટલાક મિત્રો ગુસ્સે થઈ ગયા અને તેની સાથે ગાળાગાળી કરી હતી. મિત્રોએ વિરોધ કરતા નરેન્દ્રએ માફી માંગી હતી અને વડીલોએ પણ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. 

    પરંતુ તે પછી પણ તેના મિત્રોએ અન્ય લોકોને ઉશ્કેર્યા અને 13 જૂનના રોજ ચાર મુખ્ય આરોપીઓ સાથે અન્ય લોકો તેની શોધમાં ઘરે આવ્યા હતા અને તેની મારપીટ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે પોલીસે નિસાર સૈયદ, નૌહિદ, વસીમ પઠાણ, અલ્તાફ શેખ અને અન્ય અજાણ્યા લોકો સામે કેસ નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

    થોડા દિવસો પહેલાં નર્મદા જિલ્લાના સાગબારા ગામમાં રહેતા પ્રેમ વસાવા નામના એક હિન્દુ યુવાને 6 જૂનના દિવસે ફેસબુક પર નૂપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ #ISupportNupurSharma સાથે મૂકી હતી. જે બાદ 12 જૂનના દિવસે ઇસ્લામવાદીઓ દ્વારા એમના ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેમને ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જ્યાર બાદ મોડી રાતે તેમણે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    પીડિત યુવકે ઑપઇન્ડિયા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની સાથે મારામારી કરતી વખતે મુસ્લિમો એમ પણ કહી રહ્યા હતા કે ‘શું પેલી તારી બહેન લાગે છે કે તું એનો સપોર્ટ કરે છે?’ ‘તને પણ એની જેમ જ કાપી દઇશું અમે.’ આ રીતે કટ્ટરવાદી મુસ્લિમોના ટોળાએ તેમને જાનથી મારવાની ધમકી પણ આપી હતી.

    નોંધનીય છે કે અગાઉ, ABVP કાર્યકર્તા કાર્તિની મંગળવારે (14 જૂન 2022) તમિલનાડુની કોઈમ્બતુર પોલીસે નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે કાર્તિએ ગયા મહિને ટીવી ન્યૂઝ ડિબેટ દરમિયાન ઈસ્લામના પયગંબર મોહમ્મદ વિશે નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલી ‘વાંધાજનક ટિપ્પણી’નો વીડિયો શૅર કર્યો હતો. વિડીયો શૅર કરતા તેણે લખ્યું હતું કે, “હું વારંવર કહીશ. નૂપુર શર્માએ એ જ કહ્યું છે, જે લખ્યું છે. તેમણે ખોટું શું કહ્યું છે?”

    ગુજરાત કોંગ્રેસના નેતા માટે રાજ્યના આદિવાસી ભાઈઓ દારૂડિયા છે! – ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખે નવસારીમાં કર્યો બફાટ

    10 ગત જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા. અહીં તેમણે નવસારીના ચીખલીના ખુડવેલ ખાતે પાંચ લાખ લોકોની સભા સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાનના એક વાક્યને લઈને હવે એક અઠવાડિયા પછી નવો વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસે વડાપ્રધાનના નિવેદનને દારૂ સાથે સરખાવ્યું છે. 

    ગુજરાત મહિલા કોંગ્રેસના નવાં પ્રમુખ બનેલાં જેનીબેન ઠુંમર પ્રમુખ પદ સંભાળ્યા બાદ નવસારીની મુલાકાતે આવ્યાં હતાં. અહીં તેઓ ભાજપ સરકાર વિરુદ્ધ બોલ્યાં હતાં તો વડાપ્રધાને ખુડવેલની સભામાં કહેલા એક વાક્યને દારૂ સાથે સરખાવી દીધું હતું અને દારૂબંધી પણ વચ્ચે લઇ આવ્યાં હતાં.

    મહિલા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, વડાપ્રધાને સભામાં કહ્યું હતું કે, “આદિવાસી બહેનો દિવસે કમાય છે અને રાત્રે ભાઈઓ મોજમાં હોય છે. મોજમાં હોય તેનો અર્થ શું? વડાપ્રધાન બોલતા હોય તેનું ખાસ મહત્વ હોય છે. તેમનો કહેવાનો સીધો અર્થ એવો થાય કે અહીંના ભાઈઓ દારૂ બહુ પીવે છે.” તેમણે ઉમેર્યું કે દારૂ મળતો હોય તો દારૂબંધીની વાત ક્યાં જાય છે? 

    ઉલ્લેખનીય છે કે ખુડવેલ ખાતે સભા દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હળવા સ્વરે આદિવાસી ભાઈ-બહેનો અંગે વાત કરતા કહ્યું હતું કે, “આદિવાસી ભાઈ-બહેનો ખૂબ મહેનત કરે છે. અને સાંજે તો ભાઈઓ થોડા મોજમાં પણ હોય છે.” જોકે, વડાપ્રધાને અન્ય કોઈ ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ કોંગ્રેસે તેનું દારૂના અર્થમાં અર્થઘટન કરી નાંખ્યું હતું અને વડાપ્રધાનના વાક્યને લઈને નવો વિવાદ સર્જ્યો હતો.

    આ મામલે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે કોંગ્રેસ મહિલા કોંગ્રેસના પ્રમુખના નિવેદનને બાલિશ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, “મોજમાં રહેવાનો અર્થ આનંદમાં રહેવાનો થાય છે. કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. વડાપ્રધાન લોકોની સુખાકારી માટે સતત કામ કરી રહ્યા છે અને તેના પરિણામ સ્વરૂપ વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળી શક્યો છે. કોંગ્રેસ માત્ર રાજકરણ રમી રહી છે.”

    નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ પણ કોંગ્રેસ પર ચૂંટણી સમયે લોકોને ગુમરાહ જોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સાથે કહ્યું કે, પીએમ મોદીએ રાજ્ય અને દેશભરમાં છેવાડાના માણસ સુધી યોજનાઓ પહોંચાડીને લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે.

    ભૂતકાળમાં પણ કોંગ્રેસ દારૂબંધી હટાવવાની તરફેણમાં નિવેદનો આપી ચૂકી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ગત ડિસેમ્બરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, “સમય સાથે બદલાવ આવે તો દારૂબંધીમાં પણ બદલાવ આવી શકે છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો પ્રતિબંધ હટાવી શકાય છે.”

    મોહમ્મદ બેગડાએ માતાના મંદીરનું શિખર અને ધજાદંડ તોડયા હતા: આજે 500 વર્ષ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ધ્વજારોહણ કરશે

    પોતાના ત્રણ દિવાસીય ઉયરત પ્રવાસમાં કાલે દેશના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી ગુજરાતનાં પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢના નવનિર્મિત મંદિર પરિસરની મુલાકાત લેવાના છે. ઈસ્લામિક આક્રાંતા દ્વારા મંદિરનુ શિખર ધ્વસ્ત કરાયાં બાદ આજે સદીઓ બાદ શક્તિપીઠ પાવાગઢ મંદિરના શિખર પર ધજા લહેરાવવા જઈ રહી છે અને આ પહેલી ધજા ચડાવશે વડાપ્રધાન મોદી.

    વડાપ્રધાન મોદીના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ પૂરતી તૈયારીઓ કરી છે. 16 તારીખથી લઈને 18 તારીખે બપોરના 3 વાગ્યા સુધી પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેવાનુ છે. 18 તારીખે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માં મહાકાળીના આ દિવ્ય શક્તિપીઠ પાવાગઢ મંદિરના દર્શન કરીને, મંદિર શિખર પર પહેલી ધજા ચડાવીને આ નવનિર્મિત મંદિર પરિસર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકશે.

    આ પહેલા પાવાગઢ પર્વત અને પાવાગઢ મંદિર પરિસર પર પીએમની મુલાકાતને લઈને ચાલી રહે વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી 15 તારીખે પાવાગઢ ખાતે હાજર રહ્યા હતા અને માતાજીનાં આશીર્વાદ પણ લીધા હતા. તેમણે નિરીક્ષણ બાદ સ્થાનિક અધિકારીઓએ અને આગેવાનોને જરૂરી સૂચનો પણ કર્યા હતા.

    ઈસ્લામિક આક્રાંતાને કારણે 5 સદીઓ માં કાળી રહ્યા ધજા વગર

    ચાંપાનેર શહેરની વચ્ચે આવેલ પાવાગઢ ડુંગરની ટોચ પર માં મહાકાલીનું વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ હજારો વર્ષોથી આવેલું છે જે પાવાગઢ મંદિર તરીકે ઓળખાય છે. 15મી સદીમાં ઈસ્લામિક આક્રાંતા અને હુમલાખોર મોહમ્મદ બેગડાએ હુમલો કરીને માં કાલીના આ આ મંદિરને ધ્વસ્ત કરી દીધું હતું અને શિખરનો સંપૂર્ણ નાશ કરી દીધો હતો.

    માતાજીનાં મંદિર પર બંધાયેલ મુસ્લિમ દરગાહ જેના કારણે માતાએ રહેવું પડ્યું 500 વર્ષ ધજા વગર (ફોટો: દેશગુજરાત)

    હુમલામાં મંદિરનું શિખર તોડી પાડ્યાં બાદ ઇસ્લામીઓએ હિંદુઓનું અપમાન કરવા મંદિરના જ ગર્ભગૃહ પર શિખરની જ જગ્યાએ એક મુસ્લિમ દરગાહ બનાવી દીધી હતી. જેનું નામ આપ્યું હતું, સદનશાહ પીરની દરગાહ. એ હુમલા બાદ 500 વર્ષ સુધી માતાજીનાં મંદિર પર ધજા નહોતી ચડાવવામાં આવી.

    હિન્દુ માન્યતાઓ મુજબ જે મંદિરનુ શિખર ખંડિત હોય તે શિખર પર ધજા ચડાવવી અશુભ મનાય છે. આથી ઇસ્લામીઓએ પાવાગઢ મંદિરનુ શિખર ધ્વસ્ત કરીને ત્યાં દરગાહ બાંધી દીધી હોવાથી હિન્દુઓના આરાધ્ય માં કાલી 500 વર્ષથી વધુ સમય પોતાના જ મંદિરમાં એક મુસ્લિમની દરગાહ નીચે દબાયેલા અને ધજા વગરના રહ્યા હતા.

    નવા મંદિર પરિસરની ખાસ વાતો

    500 વર્ષથી વધુના આ અપમાન બાદ હવે પાવાગઢ મંદિરને નવો ઓપ મળ્યો છે. 5 વર્ષપહેલા શરૂ થયેલ જીર્ણોદ્ધારના કામ બાદ અંતે શિખર પરનું મંદિર પરિસર અને મંદિરનુ ગર્ભગૃહ બનીને તૈયાર થયું છે.

    નવનિર્મિત પાવાગઢ મંદિર પરિસર (ફોટો : ટ્વિટર drhemangjoshi)

    નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવ્યા છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજાદંડની સ્થાપના કરવામાં આવી છે જેની ઉપર PM મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવનાર છે.

    મંદિર સુધીના પગથીયાનું નવનિર્માણ (ફોટો: દેશગુજરાત)

    પાવાગઢ મંદિરની ઉપર બનાવવામાં આવેલ ખુલ્લા કોરિડોરમાં એકસાથે 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.

    આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહ પર જે દરગાહ હતી તેનો વિવાદ કોર્ટ સુધી પહોચ્યો હતો પરંતુ અંતમાં બંને પક્ષોએ સાથે મળીને શાંતિપૂર્વક વિવાદનો અંત લાવ્યો હતો. જે બાદ એ દરગાહને ખસડીને એક ખૂણામાં કરી દેવામાં આવી હતી.

    મંદિર ગર્ભગૃહ, મંદિર શિખર અને મંદિર પરિસરના જીર્ણોદ્ધારનો અંદાજિત ખર્ચ લગભગ 12 કરોડ રૂપિયા થવા પામ્યો છે જે પૂરેપૂરો મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

    પાવાગઢ સંકુલમાં થયેલા થતાં ચાલી રહેલા જુદા જુદા વિકાસ કામો (ફોટો: દેશગુજરાત)

    પાવાગઢ મંદિર સંકૂલમાં મંદિર પરિસર સિવાયના પૂરા સંકુલના વિકાસ માટે પણ જુદાજુદા વિકાસકાર્યો ચાલી રહ્યા છે જેનો અંદાજિત ખર્ચ 125 કરોડ જેટલો થવા પામશે. જેમાંથી 70% ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા તથા 30% ખર્ચ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

    મંદિર સંકુલના વિકાસના ઘણા કામો પૂર્ણ થઈ ચૂક્યા છે અને ઘણા નજીકના ભવિષ્યમાં પૂરા થશે. જેનું લિસ્ટ આ મુજબ છે.

    • પાવાગઢ મંદિર પરિસરમાં યજ્ઞશાળા
    • મંદિરની નીચે દુધિયા તળાવ પાસે ભોજન શાળા અને યાત્રી નિવાસ
    • છાસીયા તળાવ પાસેથી મંદિર સુધી પહોંચવા માટે બે 210 ફૂટની લિફ્ટ
    • દુધિયા અને છાસીયા તળાવને જોડતા માર્ગને પ્રદક્ષિણા પથ તરીકે વિકસાવાસે
    • બંને તળાવોનું કરશે નવીનીકારણ
    • તળેટીમાં માંચી પાસે અતિથી ગૃહ અને મલ્ટી લેવલ પાર્કિંગ

    તો આમ હવે ગુજરાતનાં પ્રખ્યાત યાત્રાધામ અને માં મહાકાળીના શક્તિપીઠ પાવાગઢ મંદિરને 500 વર્ષના લાંબા ગાળા બાદ પોતાનું માન સન્માન પાછું મળશે. 18 તારીખે મંદિર શિખર પર PM મોદીના હસ્તે પહેલી ધજા લાગ્યા બાદ જ્યારે આ નવનિર્મિત મંદિર પરિસરને ભાવિ ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે બાદમાં આખું પરિસર ‘જય માં મહાકાળી’ ના જયકારાઓથી ગુંજી ઉઠશે.

    અંધભક્તિ?: મોતીલાલ પુત્ર માટે પિતાના અપમાન કરતાં ગાંધી પરિવારનું સન્માન વધુ મહત્ત્વનું, પિતા પણ ખોટા ન હતા અને કોંગ્રેસ પણ ખોટી નથી એવું હાસ્યાસ્પદ નિવેદન આપ્યું

    આજીવન ગાંધી પરિવારના વફાદાર રહેલા કોંગ્રેસના દિવંગત નેતા મોતીલાલ વોરા પર યંગ ઇન્ડિયા લિમિટેડ અને નેશનલ હેરાલ્ડ અખબારની પેરન્ટ કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના તમામ નાણાકીય વ્યવહારો કર્યાના આરોપ લાગ્યા બાદ તેમના પુત્રે આ મામલે પ્રતિક્રિયા આપી છે. 

    મોતીલાલ વોરાના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય અરુણ વોરાએ કહ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી તેમના પિતા પર આવા આરોપો ન લગાવી શકે.

    રિપોર્ટ અનુસાર, અરુણ વોરાએ કહ્યું છે કે, “આ પાયાવિહોણા આરોપો છે. કોંગ્રેસનું નેતૃત્વ ખોટું ન હોઈ શકે અને ન તો વોરાજી. રાહુલજી મારા પિતા પર આવા આરોપો ન લગાવી શકે.”

    અરુણ વોરાએ કહ્યું કે કોંગ્રેસ નેતૃત્વ ક્યારેય ખોટું ન હોય શકે અને રાહુલ ગાંધીએ પાર્ટીના ભૂતપૂર્વ ખજાનચી મોતીલાલ વોરાને આ સોદા માટે જવાબદાર ઠેરવ્યા હોવાના મીડિયા અહેવાલોને તેમણે પાયાવિહોણા ગણાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે EDની પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે AJLના ટ્રાન્ઝેક્શનના અધિકૃત હસ્તાક્ષરકર્તા મોતીલાલ વોરા હતા.

    નેશનલ હેરાલ્ડ કેસ મામલે રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ નેતાઓ પવન બંસલ અને મલ્લિકાર્જુન ખડગેએ પણ ઇડીને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સોદા માટેનો નિર્ણય કોઈ એક વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો ન હતો અને તેના તમામ નાણાકીય વ્યવહારો માટે મોતીલાલ વોરા જવાબદાર હતા. જે મામલે મોતીલાલ વોરાના પુત્ર અરૂણ વોરાએ કહ્યું કે, “હું પવન બંસલ અને મલ્લિકાર્જુન ખડગેના નિવેદનો વિશે નથી જાણતો પરંતુ સત્યની હંમેશા જીત થાય છે. સોનિયાજી, રાહુલજી અને વોરાજીનો વિજય થશે.”

    ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) બુધવારે (15 જૂન 2022) નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસ મામલે સતત ત્રીજા દિવસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી.

    તદુપરાંત, ED અધિકારીઓએ રાહુલ ગાંધીને શુક્રવારે (17 જૂન 2022) પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે, રાહુલ ગાંધીએ ED પાસે ત્રણ દિવસનો આરામ માંગીને સોમવારે હાજર થવા જણાવ્યું હતું. જે મામલે ઇડીએ રાહુલ ગાંધીની વિનંતી સ્વીકાર્ય રાખી છે. હવે સોમવારે (20 જૂન 2022) તેમની પૂછપરછ ફરી હાથ ધરવામાં આવશે.

    આ કેસમાં EDની ટીમ મોતીલાલ વોરા, મલ્લિકાર્જુન ખડગે, પવન બંસલ વગેરેની પૂછપરછ કરી ચૂકી છે. આ વર્ષે એપ્રિલમાં કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન EDને અનેક ઈનપુટ મળ્યા હતા. તેના આધારે તપાસનો રેલો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સુધી પહોંચ્યો છે.

    નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગનો આ કેસ વર્ષ 2010માં ગાંધી પરિવારની માલિકીની કંપની યંગ ઈન્ડિયન લિમિટેડનો છે. આ કંપની 5 લાખ રૂપિયાની મૂડીથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે તેની પાસે લગભગ 800 કરોડ રૂપિયાની સંપત્તિ છે.