કાશ્મીરના પહલગામ વિસ્તારમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાની (Pahalgam Terror Attack) માહિતી સતત બહાર આવી રહી છે. હવે આ હુમલાનો એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક ઝીપલાઈન ઑપરેટર (Zipline operator) ‘અલ્લાહુ અકબર’ના (Allahu Akbar) નારા લગાવતો અને ગોળીબારના અવાજ વચ્ચે એક પ્રવાસીને ઝીપલાઈન પર ધકેલી દેતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિકોની સંડોવણીની શંકા વધુ તીવ્ર બની છે. ત્યારબાદ NIAએ પણ ઝીપલાઈન ઑપરેટરને કસ્ટડીમાં લીધો છે અને પૂછપરછ ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિડીયો સામે આવ્યા બાદ NIA દ્વારા ઝીપલાઈન ઑપરેટરને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યો છે. આ હુમલામાં તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલો હોવાની શંકા છે. આ વિડીયો અમદાવાદના ઋષિ ભટ્ટ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેઓ કાશ્મીરની મુલાકાતે ગયા હતા. વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયાના થોડા જ સમયમાં વાયરલ થઈ ગયો હતો. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ગોળીઓનો અવાજ સંભળાતાની સાથે જ ઝીપલાઈન ઑપરેટરે ત્રણ વખત ‘ અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા.
पहलगाम हमले का नया दर्दनाक वीडियो!
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) April 28, 2025
वीडियो में साफ तौर पर देखा जा सकता है,
सब लोगों को पता चला कि यह सच में आतंकवादी है फिर लोगों में भगदड़ मची
कितनी निर्ममता से इस्लामी आतंकी लोगों को दौड़ा दौड़ाकर गोली मार रहे हैं! pic.twitter.com/c046tqpFld
ઋષિ ભટ્ટના વિડીયોના આધારે NIA અધિકારીઓએ હવે ઝીપલાઈન ઑપરેટરને કસ્ટડીમાં લીધો છે. આ ઘટના સાથે સંબંધિત પાસાઓ પર તેની પૂછપરછ કરવામાં આવશે. એવી અટકળો છે કે, આ હુમલામાં સ્થાનિક લોકોની પણ સંડોવણી હોય શકે છે. NIA પણ તેની તપાસ કરી રહી છે.
શું હતું વિડીયોમાં?
વિડીયોમાં જોઈ શકાય છે કે, ગોળીઓનો અવાજ સંભળાતાની સાથે જ ઝીપલાઈન ઑપરેટર ત્રણ વખત ‘ અલ્લાહુ અકબર’ના નારા લગાવે છે અને ઋષિને ઝીપલાઈન પર આગળ મોકલે છે. નીચે અંધાધૂંધી છે, લોકો પોતાનો જીવ બચાવવા દોડી રહ્યા છે, ગોળીઓ વાગવાથી કેટલાકના મૃત્યુ થતાં હોવાનું પણ જોઈ શકાય છે. વિડીયોમાં ઋષિના હાવભાવ પણ થોડા સમય માટે મૂંઝવણભર્યા લાગે છે, પરંતુ તે ઘટનાને યોગ્ય રીતે સમજી શકતો નથી અને અંત સુધી વિડીયો રેકોર્ડ કરે છે.
અહેવાલો અનુસાર, ઋષિએ જણાવ્યું હતું કે, તેમના પહેલાં તેમની પત્ની અને બાળક સહિતના 9 લોકો ઝીપલાઈન પર ગયા હતા. તે સમયે ઑપરેટરે કંઈ બોલ્યો નહોતો. પરંતુ જ્યારે ઋષિ પહોંચ્યા, ત્યારે તેણે ત્રણ વખત ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા. ઋષિએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેણે આ બાબત પર ધ્યાન આપ્યું નહીં, પરંતુ ઘરે પહોંચ્યા બાદ તેને શંકા થતાં તેણે અલગ દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું હતું.
ઋષિએ વધુમાં જણાવ્યું છે કે, ઑપરેટરે તેમને આગળ વધવા માટે થોડો ધક્કો માર્યો. આગળ આવ્યા પછી જ્યારે ઋષિને ખબર પડી કે ગોળીઓ ચાલી રહી છે, ત્યારે તેઓ ડરી ગયા હતા. તેમણે જોયું હતું કે, ઘણા લોકો નીચે બેભાન પડી ગયા હતા. તેમણે તરત જ ઝીપલાઈનને અધવચ્ચે જ રોકી દીધી, હૂક ખોલ્યો અને લગભગ 20 ફૂટની ઊંચાઈથી કૂદી પડ્યા હતા. તેઓ નીચે આવ્યા અને પોતાનો જીવ બચાવવા માટે તેમની પત્ની અને બાળક સાથે ત્યાંથી ભાગી ગયા હતા.
નોંધનીય છે કે, પહલગામ હુમલા બાદ એજન્સીઓ સતત કાર્યવાહી કરી રહી છે. દેશવ્યાપી રોષ પણ જોવા મળી રહ્યો છે. તેવામાં એજન્સીએ આતંકીઓને મદદ પૂરી પાડવાના આરોપમાં ઘણા સ્થાનિક કાશ્મીરીનીઓની પણ ધરપકડ કરી છે અને 8 જેટલા નામો પણ જાહેર કર્યા છે. તે સિવાય અનેક આતંકવાદીઓના ઘરોને પણ ઉડાવી દેવામાં આવ્યા છે. હાલ પણ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને સ્થાનિકોના સંડોવાયેલા હોવાની શંકા પણ વધી રહી છે.