Sunday, May 4, 2025
More
    હોમપેજગુજરાત‘ચંડોળામાં થંભી નથી કાર્યવાહી, સરવે બાદ તબક્કાવાર થશે ડિમોલિશન’: ઑપઇન્ડિયાએ ફેક્ટચેકમાં જે...

    ‘ચંડોળામાં થંભી નથી કાર્યવાહી, સરવે બાદ તબક્કાવાર થશે ડિમોલિશન’: ઑપઇન્ડિયાએ ફેક્ટચેકમાં જે જણાવ્યું, તેની ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મારી મહોર, સ્પષ્ટ કરી યોજના

    ગુજરાતમાં વહેતી થયેલી અટકળોને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, ચંડોળામાં કોઈ કાર્યવાહી અટકાવવામાં આવી નથી. સરવે પૂર્ણ થયો છે અને હવે બીજા તબક્કામાં ડિમોલિશન કરવામાં આવશે.

    - Advertisement -

    અમદાવાદના ‘મિનિ બાંગ્લાદેશ’ બની ગયેલા ચંડોળામાં (Chandola) ગેરકાયદે ઘૂસણખોરોના બાંધકામોને ધ્વસ્ત કરવાનું અભિયાન (Demolition Drive) રોકવામાં આવતા મીડિયામાં ભારે ચર્ચા થવા લાગી હતી. અટકળો વહેતી થઈ હતી કે, સરકારે કામ અટકાવી દીધું છે અને ઉપરથી દબાણ આવ્યું છે. જોકે, વાસ્તવમાં ડિમોલિશનનું આ કામ યોજનાબદ્ધ રીતે ચાલી રહ્યું છે. ગુજરાતમાં વહેતી થયેલી અટકળોને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) કહ્યું છે કે, ચંડોળામાં કોઈ કાર્યવાહી અટકાવવામાં આવી નથી. સરવે પૂર્ણ થયો છે અને હવે બીજા તબક્કામાં ડિમોલિશન કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે શનિવારે (3 મે) જ ઑપઇન્ડિયાએ એક રિપોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કાર્યવાહી અટકાવવામાં કે થોભાવી દેવામાં આવી નથી અને હવે તબક્કાવાર કામગીરી શરૂ કરવામાં આવશે. તેમાં આંકડાઓ સાથે વિગતવાર અત્યાર સુધી કેટલી કાર્યવાહી થઈ અને ભવિષ્યમાં કેવી કાર્યવાહી થશે તે બાબતની જાણકારી આપવામાં આવી હતી. આ તમામ બાબતો ઉપર હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપીને મહોર મારી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે કામગીરી થંભી ગઈ નથી પરંતુ તબક્કાવાર થશે.

    મીડિયા સાથે વાત કરતી વખતે હર્ષ સંઘવીએ કહ્યું છે કે, કાર્યવાહી અટકાવી નથી, પરંતુ યોજના અનુસાર રોકવામાં આવી છે. તેમણે એવું પણ કહ્યું છે કે, હવે બીજા તબક્કાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા તબક્કાની કાર્યવાહી પણ થશે. વધુમાં તેમણે કહ્યું છે કે, ગેરકાયદે ગુજરાતમાં ઘૂસેલા કોઈપણ બાંગ્લાદેશીને છોડવામાં આવશે નહીં. જેટલા પણ પકડાયા છે તે તમામને ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    ‘ગેરકાયદે વસાહતો સંપૂર્ણપણે ધ્વસ્ત કરાશે, મોટા ભેજાબાજોની પણ થશે ધરપકડ’

    ચંડોળા વિશે વાત કરતા તેમણે કહ્યું કે, અલ-કાયદાના ચાર આતંકવાદીઓ પકડાયા તે વિસ્તાર સરકારે ધ્વસ્ત કરી દીધો છે અને હજુ પણ બાકી રહેલા ભાગને ધ્વસ્ત કરવાનું કામ શરૂ કરવાનું છે. તેમાં કોઈપણ પ્રકારની રોક લગાવવામાં નહીં આવે. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, હજુ ઘણા મોટા ભેજાબાજોની ધરપકડ કરવાની છે. ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ પકડવા માટેનું સરકારનું અભિયાન સતત ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું કે, મોટાભાગના બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળથી આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાંથી તેઓ નકલી ડોક્યુમેન્ટ બનાવીને આવે છે.

    સાથે તેમણે એ પણ પુષ્ટિ કરી છે કે, ગુજરાત પોલીસની ટીમ પશ્ચિમ બંગાળ પોલીસ સાથે સંકલનમાં છે અને એક ટીમ પશ્ચિમ બંગાળ પણ મોકલવામાં આવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “પહેલા તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે. હવે બીજા અને ત્રીજા તબક્કાની શરૂ કરવામાં આવશે. અમે પહેલાંથી કોઈપણ પ્રકારનું આયોજન ડિક્લેર કરવાના નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે, જે પ્રકારનું આયોજન છે તે મુજબ કામગીરી સતત ચાલતી રહેશે. આ જગ્યાને ડેવલપ કરવાની પ્રતિબદ્ધતા તમે આવનારા સમયમાં જોઈ શકશો.”

    તેમણે કહ્યું કે, “ઘણા રાજકીય પક્ષો કહે છે કે, મોટા ઉપાડે કામગીરી શરૂ કરી દીધી હતી અને હવે બંધ કરી દીધી. તેમને એટલું કહેવાનું કે, મોટા ઉપાડે નહીં પણ પ્લાનિંગથી કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તમામ કામગીરી પૂર્ણ પણ કરવામાં આવશે. મોટા ઉપાડે હોત તો હાઇકોર્ટે તેના પર સ્ટે મૂકી દીધો હોત. પરંતુ બધી બાબતોને જોઈને આયોજનબદ્ધ રીતે આ કાર્યવાહી કરવામાં આવી છે.”

    ‘હાવડા એક્સપ્રેસમાંથી પડકવામાં આવ્યા છે ઘૂસણખોરો’

    હર્ષ સંઘવીએ પશ્ચિમ બંગાળ સરકારને લઈને પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર નિયમો નક્કી કરે એ બાદ રાજ્ય સરકારે કાર્યવાહી કરવાની હોય છે. બધા જ ઘૂસણખોરો પશ્ચિમ બંગાળ થઈને આવે છે અને ત્યાં જ ડોક્યુમેન્ટ્સ પણ બનાવી નાખે છે. તેમણે કહ્યું કે, “અમે બંગાળથી આવતી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી સતત બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડ્યા છે. જે લોકો બંગાળની ટ્રેનમાં પરત ભાગી રહ્યા હતા તેમને પણ પકડી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો મળ્યા છે અને તેમણે કબૂલ્યું પણ છે કે તેઓ બાંગ્લાદેશી નાગરિક છે.”

    આ ઉપરાંત હર્ષ સંઘવીએ એવું પણ કહ્યું છે કે, ગુજરાતની તમામ ઇન્ડસ્ટ્રીને પણ નોટિસ મોકલી દેવામાં આવી છે. જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, કોઈપણ વ્યક્તિને કંપનીના વર્કર તરીકે પ્રવેશ આપ્યા પહેલાં તેના ડોક્યુમેન્ટની તપાસ કરાવો અને પોલીસને પણ મોકલો. તેમ છતાં જો કોઈ ઘૂસણખોર પકડાય છે અને તેના કોઈ ઇન્ડસ્ટ્રી સાથેના સંબંધ નીકળે છે તો તેના પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે. જે ઘૂસણખોરો પકડાયા છે, તેમનું બેકગ્રાઉન્ડ ચેક કરીને ઇન્ડસ્ટ્રીઓની તપાસ કરવામાં આવશે. આ સાથે જ જવાબદાર પોલીસતંત્ર પર પણ કડક કાર્યવાહી થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં