Wednesday, May 14, 2025
More
    હોમપેજરાજકારણ'(દલિત પર બળાત્કાર) એ કોઈ એટલી મોટી વાત નથી કે અખિલેશ યાદવે...

    ‘(દલિત પર બળાત્કાર) એ કોઈ એટલી મોટી વાત નથી કે અખિલેશ યાદવે આવવું પડે’- સપા સાંસદ રામજી લાલ સુમન: અવારનવાર મુસ્લિમ આરોપીઓ માટે છાજિયા લેતા દેખાતી હોય છે તેમની પાર્ટી

    સપા સાંસદ રામજી લાલ સુમનનું આ નિવેદન દલિતો પ્રત્યે ઘૃણા અને ઉદાસીનતાનું પ્રતીક છે. આ નિવેદન રામજી લાલ સુમનના દલિત વિરોધી વલણને પણ સ્પષ્ટ કરે છે, જે તેમના માટે એક ગંભીર આરોપ છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના આગ્રા (Agra) શહેરમાં એક સગીર દલિત બાળકી (Rape With Dalit Minor Girl) સાથે બળાત્કારની ઘટનાએ સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે. એક તરફ ઠેર ઠેર આ ઘટનાની ટીકા થઈ રહી છે ત્યાં બીજી તરફ આ ઘટનાને લઈને સપા (Samajwadi Party) સાંસદ રામજી લાલ સુમનનું (Ramji Lal Suman) એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, જેના કારણે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. આ નિવેદન ન માત્ર દલિત સમુદાય માટે અપમાનજનક છે, પરંતુ બળાત્કાર જેવા જઘન્ય કૃત્યો સામેનો મોટો પડકાર છે.

    આગ્રાના ખેરાગઢ વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે રામજી લાલ સુમને એક નિવેદન આપતા કહ્યું હતું, “આ (દલિતનો બળાત્કાર) એટલો મોટો ઇસ્યુ નથી કે અખિલેશ યાદવે આવવું પડે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રામજી લાલ સુમન આ ઘૃણાસ્પદ ઘટનાને નજીવી ગણી રહ્યા છે. આ નિવેદનની ચારે તરફ ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ નિવેદન વાયરલ થયું છે અને ઘણા લોકોએ રામજી લાલ સુમનને સંવેદનહીન ગણાવીને તેમની નિંદા કરી છે.

    રામજી લાલ સુમનનું આ નિવેદન દલિતો પ્રત્યે ઘૃણા અને ઉદાસીનતાનું પ્રતીક છે. આ નિવેદન રામજી લાલ સુમનના દલિત વિરોધી વલણને પણ સ્પષ્ટ કરે છે, જે તેમના માટે એક ગંભીર આરોપ છે. રામજી લાલ સુમન પોતે દલિત સમુદાયમાંથી આવે છે અને સમાજવાદી પાર્ટીમાં દલિત મતદારોને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ આવું નિવેદન આપીને તેમણે પોતાના જ સમુદાયનું અપમાન કર્યું છે, જે દલિત સમુદાય માટે નિરાશાજનક છે.

    - Advertisement -

    આ નિવેદનથી દલિત સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે, અને ઘણા દલિત કાર્યકરોએ તેમની ટીકા કરીને કહ્યું છે કે આવા નેતાઓ દલિતોના હિતોનું રક્ષણ કરવાને બદલે તેમનું અપમાન કરે છે. રામજી લાલ સુમનનું આ નિવેદન દર્શાવે છે કે તેમની પાસે દલિતો પ્રત્યે કોઈ સંવેદનશીલતા નથી અને તેઓ દલિતોની પીડાને ગંભીરતાથી લેવાને બદલે તેને નજીવી ગણે છે, જે તેમના દલિત વિરોધી વલણને દર્શાવે છે.

    અહીં પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે  જો આ ઘટનામાં પીડિત દલિત બાળકીની જગ્યાએ મુસ્લિમ હોત, તો સમાજવાદી પાર્ટીના નેતાઓ દોડીને પહોંચી જાત અને આ મુદ્દાને રાજકીય રીતે ઉછાળત. સમાજવાદી પાર્ટી ઘણીવાર મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે આવા મુદ્દાઓને ઉછાળતી હોય છે અને આવી ઘટનાઓમાં તેમની સક્રિયતા સ્પષ્ટ દેખાતી હોય છે.

    આ ઘટનામાં પીડિત દલિત હોવાથી, રામજી લાલ સુમને તેને કોઈ મોટો ઇસ્યુ નથી ગણ્યો, પરંતુ જો પીડિત મુસ્લિમ હોત, તો સમાજવાદી પાર્ટીના નેતાઓ છાજિયા લેવા પહોંચી જાત. આ દર્શાવે છે કે સમાજવાદી પાર્ટી માટે દલિતોની સમસ્યાઓ કરતાં મુસ્લિમ મતદારોની રાજકીય લાભની ચિંતા વધુ છે. જો આ ઘટનામાં પીડિત મુસ્લિમ હોત, તો સમાજવાદી પાર્ટીના નેતાઓ ન માત્ર આ મુદ્દાને ઉછાળત, પરંતુ તેનો રાજકીય ફાયદો ઉઠાવવા માટે મોટા પાયે વિરોધ પ્રદર્શનો અને રેલીઓનું આયોજન પણ કરત. પરંતુ દલિત પીડિત હોવાથી, આ ઘટનાને નજીવી ગણાવવામાં આવે છે.

    આ પહેલાં પણ સપા નેતાઓએ આપ્યા છે આવા નિવેદનો

    એવું નથી કે સપા નેતાએ આવું નિવેદન આ પ્રથમવાર આપ્યું હોય. આ પહેલાં પણ સમાજવાદી પાર્ટીના નેતાઓ બળાત્કારના મામલાઓમાં સંવેદનહીન નિવેદનો આપી ચૂક્યા છે, જે તેમની માનસિકતાને દર્શાવે છે. 2014માં, સમાજવાદી પાર્ટીના સ્થાપક અને તત્કાલીન નેતા મુલાયમ સિંઘ યાદવે એક બળાત્કારના કેસ અંગે એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું, “બચ્ચે હૈ, છોટી મોટી ગલતી હો જાતી હૈ.”

    આ નિવેદનની ભારે ટીકા થઈ હતી, કારણ કે તે બળાત્કાર જેવા ગંભીર ગુનાને હળવો ગણાવતું હતું અને આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરતું હતું. આ નિવેદન બાદ મુલાયમ સિંઘ યાદવની ચારે તરફ નિંદા થઈ હતી, અને ઘણા લોકોએ તેમને મહિલા વિરોધી ગણાવ્યા હતા. હવે રામજી લાલ સુમનનું નિવેદન પણ આવી જ સંવેદનહીનતા દર્શાવે છે, જે દર્શાવે છે કે સમાજવાદી પાર્ટીની માનસિકતામાં છેલ્લા દસ વર્ષમાં કોઈ ફેરફાર થયો નથી.

    આ સિવાય સમાજવાદી પાર્ટીના પણ કેટલાય નેતાઓ બળાત્કાર અને સામૂહિક બળાત્કારના મામલામાં જેલભેગા થઈ ચૂક્યા છે. આ પહેલાં સપા નેતા નવાબ સિંઘે એક સગીરાને નોકરીની લાલચ આપીને તેને બોલાવીને તેના કપડાં ઉતરાવ્યા હતા. આ સિવાય બેકરી ચલાવતા મોઈદ ખાને પણ એક કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો મામલો સામે આવી ચૂક્યો છે.  

    શું હતી સમગ્ર ઘટના

    આ ઘટના આગ્રાના ખેરાગઢ વિસ્તારમાં બની હતી, જેમાં એક 12 વર્ષની સગીર દલિત કિશોરી બળાત્કારનો ભોગ બની હતી. આરોપીનું નામ રાજેશ કુમાર (નામ બદલેલું) હોવાનું જણાવાયું છે, જે પીડિતનો પાડોશી હતો અને 30 વર્ષની ઉંમરનો છે. આરોપીએ યુવતીને તેના ઘરેથી બહાર બોલાવીને અપહરણ કર્યું હતું અને એક નિર્જન સ્થળે લઈ જઈને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

    ઘટનાની જાણ થતા પરિવારે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 (બળાત્કાર), કલમ 363 (અપહરણ), અને POCSO એક્ટ (Protection of Children from Sexual Offences) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વધુમાં, જાતિગત ભેદભાવના આધારે SC/ST (Prevention of Atrocities) Act હેઠળ પણ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

    પોલીસે જણાવ્યું કે આરોપીને ઘટનાના 24 કલાકની અંદર ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે આ કેસમાં ઝડપી ન્યાયની ખાતરી આપી છે અને આ કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં લઈ જવાય તેવી શક્યતા છે, જેથી પીડિત અને તેના પરિવારને ઝડપથી ન્યાય મળી શકે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં