Thursday, May 8, 2025
More
    હોમપેજદેશકર્ણાટકની કોંગ્રેસ સરકારે ફાઝિલના પરિવારને આપ્યા હતા ₹25 લાખ, એ જ પૈસાથી...

    કર્ણાટકની કોંગ્રેસ સરકારે ફાઝિલના પરિવારને આપ્યા હતા ₹25 લાખ, એ જ પૈસાથી હિંદુવાદી સુહાસ શેટ્ટીની હત્યા માટે અબ્દુલ ગેંગને અપાઈ હતી સોપારી: પોલીસ તપાસને ટાંકીને દાવો

    આદિલે અબ્દુલ સફવાન નામના ગુંડાનો સંપર્ક કર્યો હતો. અબ્દુલ સફવાન પણ કોઈ વાતને લઈને સુહાસ શેટ્ટી સામે બદલો લેવા માંગતો હતો. ત્યારબાદ આદિલે સુહાસ શેટ્ટીને મારવા માટે અબ્દુલ સફવાન સાથે ₹5 લાખમાં સોદો કર્યો હતો.

    - Advertisement -

    કર્ણાટકના (Karnataka) મેંગલુરુમાં (Mangaluru) હિંદુ કાર્યકર્તા સુહાસ શેટ્ટીની (Suhas Shetty Murder) હત્યા માટે ₹3 લાખ આપવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ રકમ આદિલે અબ્દુલ સફવાન ગેંગને આપી હોવાનું સામે આવ્યું છે. ખંડણીના આ પૈસા કર્ણાટકની કોંગ્રેસ સરકાર તરફથી મળેલા વળતરમાંથી ચૂકવવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં આ બધી બાબતો પ્રકાશમાં આવી હોવાના અહેવાલ છે. આદિલ સુહાસ શેટ્ટીની હત્યા કરીને તેના ભાઈના મોતનો બદલો લેવા માંગતો હતો.

    ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, કર્ણાટકની કોંગ્રેસ સરકારે 2023માં મોહમ્મદ ફાઝિલ નામના એક શખ્સના મૃત્યુ પછી ₹25 લાખનું વળતર આપ્યું હતું. સુહાસ શેટ્ટી પર તેમની હત્યાનો આરોપ હતો. ફાઝિલનો ભાઈ આદિલ સુહાસ શેટ્ટીની હત્યા કરીને બદલો લેવા માંગતો હતો.

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ માટે આદિલે અબ્દુલ સફવાન નામના ગુંડાનો સંપર્ક કર્યો હતો. અબ્દુલ સફવાન પણ કોઈ વાતને લઈને સુહાસ શેટ્ટી સામે બદલો લેવા માંગતો હતો. ત્યારબાદ આદિલે સુહાસ શેટ્ટીને મારવા માટે અબ્દુલ સફવાન સાથે ₹5 લાખમાં સોદો કર્યો હતો. આદિલે આ કામ માટે અબ્દુલ સફવાનને ₹3 લાખ પહેલાં જ આપી દીધા હતા.

    - Advertisement -

    સોપારીના પૈસા કોંગ્રેસ સરકારના ₹25 લાખના વળતરમાંથી આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વધુમાં એ પણ સામે આવ્યું છે કે, આ હત્યાનું કાવતરું એક મહિનાથી ઘડવામાં આવી રહ્યું હતું. આ માટે અબ્દુલ સફવાને તેની ગેંગમાં બીજા ઘણા છોકરાઓને પણ સામેલ કર્યા હતા.

    આ બદલો લેવા માટે કરવામાં આવેલી હત્યા હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું છે. પોલીસ કમિશનર અનુપમ અગ્રવાલે જણાવ્યું હતું કે, હત્યાનું કાવતરું 8 લોકોના ગ્રુપે ઘડ્યું હતું. પોલીસે હત્યા કેસમાં અબ્દુલ સફવાન, મોહમ્મદ મુઝમ્મિલ, મોહમ્મદ રિઝવાન, કલંધર શફી, આદિલ મહરૂફ, નિયાઝ, રંજીત અને નાગરાજની ધરપકડ કરી છે.

    પોલીસ કમિશનરે એ માહિતી પણ આપી છે કે, અબ્દુલ પર વર્ષ 2023માં હુમલો થયો હતો. ત્યારબાદથી જ તે બદલો લેવાની ફિરાકમાં હતો. ઉલ્લેખનીય છે કે 1 મે, 2025ના રોજ હિંદુ કાર્યકર્તા સુહાસ શેટ્ટીની હત્યા કરવામાં આવી હતી. મેંગલુરુના બાજપે વિસ્તારમાં તેમની હત્યા થઈ હતી. અબ્દુલ સફવાનની ટોળકીએ ઘેરી લઈને તલવારોના ઘા ઝીંકીને હિંદુ કાર્યકર્તાની હત્યા કરી હતી. આ સાથે જ ભાજપે સુહાસ શેટ્ટીના પરિવારને ₹25 લાખનું વળતર પણ આપ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં