ભારતે 7મેની વહેલી સવારે પહલગામ હુમલાનો પ્રતિશોધ ‘ઑપરેશન સિંદૂર’ (Operation Sindoor) દ્વારા લઈ લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો હતો. સેનાએ મિસાઈલ હુમલામાં 9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં સેંકડો આતંકીઓ જમીનદોસ્ત થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
નોંધનીય છે કે પીડિત મહિલાઓની વ્યથાને યાદ રાખવા આ ઑપરેશનને ‘ઑપરેશન સિંદૂર’ એવું નામ આપવામાં આવ્યું છે. આ નામ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પોતે આપ્યું છે. 26 નાગરિકો માર્યા ગયા પછી, ઘણા પીડિતોની પત્નીઓના ચિત્રોએ સમગ્ર રાષ્ટ્રને આઘાત આપ્યો. તેથી બદલો લેવા માટે ‘ઓપરેશન સિંદૂર’ નામ સૌથી યોગ્ય માનવામાં આવ્યું.
प्रधानमंत्री मोदी ने नाम दिया था "ऑपेरशन सिंदूर"
— Panchjanya (@epanchjanya) May 7, 2025
प्रधानमंत्री मोदी के इस सुझाव को सेना ने माना था।
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર PM મોદી આતંકવાદી હુમલાના માનવીય નુકસાન અંગે સ્પષ્ટ હતા. તેથી જ આ ઓપરેશનનું નામ જે પરિણીત મહિલાઓએ પોતાના પતિ (જેમના માટે હિંદુ મહિલાઓ સિંદૂર લગાવતી હોય છે) ગુમાવ્યા તેમના માટેના દેશના શોક, સ્મૃતિ અને સંકલ્પનું ઇરાદાપૂર્વકનું આહ્વાન હતું.
અહેવાલ મુજબ ગત અઠવાડિયે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તાજેતરના આતંકવાદી હુમલાઓમાં ઇરાદાપૂર્વક ભારતીય પુરુષોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે અધિકારીઓને એમ પણ કહ્યું હતું કે આતંકવાદી હુમલાનો જવાબ એવું દર્શાવતો હોવો જોઈએ કે ભારત આતંકીઓને સજા વગર છોડશે નહીં.