Monday, May 5, 2025
More
    હોમપેજક્રાઈમ’નૈનીતાલમાં 12 વર્ષની બાળકી પર 65 વર્ષના ઉસ્માને કરેલ બળાત્કાર એ એક...

    ’નૈનીતાલમાં 12 વર્ષની બાળકી પર 65 વર્ષના ઉસ્માને કરેલ બળાત્કાર એ એક ‘સામાન્ય ઘટના!’: ન્યૂઝલોન્ડ્રીની ટિપ્પણી પર નેટીઝન્સ ધુઆપુવા, ભારે વિરોધ થતાં પોસ્ટ કરી માંગી માફી

    ન્યૂઝલોન્ડ્રીની આ અસંવેદનશીલ અને ખોટી રજૂઆતનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારે વિરોધ થયો. લોકોએ ન્યૂઝલોન્ડ્રીની પત્રકારત્વની નીચ સ્તરની ગણાવી અને આ ઘટનાને 'પ્રેમસંબંધ' ગણાવવાની નિંદા કરી.

    - Advertisement -

    નૈનીતાલમાં (Nainital) એક 12 વર્ષની હિંદુ (Rape on Hindu Minor Girl) બાળકી સાથે 65 વર્ષના મુસ્લિમ મુહમ્મદ ઉસ્માન દ્વારા કરવામાં આવેલા બળાત્કારની ઘટનાએ સમાજમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. બળાત્કાર જેવા ગંભીર અપરાધને મીડિયા પોર્ટલ ન્યૂઝલોન્ડ્રીએ (Newslaundry) ‘પ્રેમસંબંધ’ અને ‘નાની ઘટના’ તરીકે ખોટી રીતે રજૂ કરીને વિવાદને જન્મ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોના ઉગ્ર વિરોધ અને ટીકા બાદ ન્યૂઝલોન્ડ્રીની માફી આવી હતી, પરંતુ આ ઘટનાએ મીડિયાની નૈતિક જવાબદારી અને સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

    ન્યૂઝલોન્ડ્રીની શરમજનક રજૂઆત

    3 મે, 2025ના રોજ, ન્યૂઝલોન્ડ્રીએ તેના સાપ્તાહિક પોડકાસ્ટ ‘હફ્તા’ના 535મા એપિસોડમાં આ ગંભીર અપરાધની ચર્ચા કરી હતી. જોકે, તેની રજૂઆત એટલી નિંદનીય અને અસંવેદનશીલ હતી કે તે સમાજના દરેક વર્ગમાં આક્રોશનું કારણ બની ગઈ. ન્યૂઝલોન્ડ્રીના એડિટર-ઇન-ચીફ રમન કિરપાલે આ ઘટનાને ‘મુસ્લિમ છોકરા અને હિંદુ છોકરી વચ્ચેનો પ્રેમસંબંધ’ તરીકે વર્ણવ્યો અને તેને ‘નાની ઘટના’ ગણાવી દીધી. તેમણે દાવો કર્યો કે આ ઘટનાને લઈને હિંદુ સમુદાયે મુસ્લિમોની દુકાનો બંધ કરાવી અને તેમની સાથે મારપીટ કરી અને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો.

    રમન કિરપાલે પોડકાસ્ટમાં જણાવ્યું: “આ એક નાની ઘટના હતી, જેમાં એક મુસ્લિમ છોકરો અને હિંદુ છોકરીનો પ્રેમસંબંધ હતો. પરંતુ આ ઘટનાને લઈને નૈનીતાલમાં મુસ્લિમોની દુકાનો બંધ કરાવવામાં આવી અને તેમની સાથે હિંસા થઈ. આ બધું ખોટું છે અને આવી ઘટનાઓને મજહબ સાથે જોડવી ન જોઈએ.” આ નિવેદનમાં ન તો બાળકીની ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવ્યો, ન તો બળાત્કારની ગંભીરતાને સ્વીકારવામાં આવી. આવી રજૂઆતથી બાળકીના દુ:ખદ અનુભવને ગૌણ ગણવામાં આવ્યો અને આ ગંભીર અપરાધને હળવો બનાવી દેવાયો.

    - Advertisement -

    આ ઉપરાંત, ન્યૂઝલોન્ડ્રીના અન્ય પેનલિસ્ટોએ પણ આ ઘટનાને ‘મજહબી રંગ’ આપવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે આ ઘટનાનો ઉપયોગ હિંદુ સમુદાય દ્વારા મુસ્લિમો સામે હિંસા ભડકાવવા માટે કરવામાં આવ્યો છે. આવા નિવેદનોથી ન્યૂઝલોન્ડ્રીએ ન માત્ર પીડિતની વેદનાને ઓછી આંકી, પરંતુ આ ઘટનાને ધાર્મિક રાજનીતિનો મુદ્દો બનાવી દીધો.

    સોશિયલ મીડિયા પર આક્રોશ

    ન્યૂઝલોન્ડ્રીની આ અસંવેદનશીલ અને ખોટી રજૂઆતનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારે વિરોધ થયો. લોકોએ ન્યૂઝલોન્ડ્રીની પત્રકારત્વની નીચ સ્તરની ગણાવી અને આ ઘટનાને ‘પ્રેમસંબંધ’ ગણાવવાની નિંદા કરી. એક યૂઝરે X પર લખ્યું: ” શું ન્યૂઝલોન્ડ્રી પાગલ થઈ ગયું છે? નૈનીતાલમાં એક છોકરાનું એક છોકરી સાથે “અફેર” હતું? શું તમે એવા કેસનો ઉલ્લેખ કરી રહ્યા છો જ્યાં બળાત્કારનો આરોપી 73 વર્ષનો છે અને પીડિતા 12 વર્ષની છે? શું તમે આને ‘અફેર’ કહી રહ્યા છો? જો એમ હોય, તો તમારે તાત્કાલિક માફી માંગવી જોઈએ!”

    અન્ય યૂઝરે લખ્યું: “ન્યૂઝલોન્ડ્રી અને તેના ડાબેરી ઇસ્લામિક જૂથ માટે, 73 વર્ષનો એક વૃદ્ધ માણસ 12 વર્ષની હિંદુ છોકરીઓ પર બળાત્કાર કરે છે તે ફક્ત એક વિકૃત પ્રેમ છે. છેતરપિંડી, કુતૂહલ અને કપટ આ લોકોના લક્ષણો છે. તેઓ એક યુવાન હિંદુ છોકરી પર બળાત્કારને સામાન્ય બનાવીને આ જઘન્ય કૃત્યને ઓછું આંકે છે, પછી મુસ્લિમોને પીડિત તરીકે દર્શાવવા માટે વિક્ટિમ કાર્ડ રમે છે.”

    તેણે આગળ લખ્યું, “પીડિત હોવાનો આ ઢોંગ ખૂબ જ શક્તિશાળી જાળ છે. હું તેમને પડકાર ફેંકું છું કે તેઓ ફક્ત તેમની કહેવાતી કરુણા સાબિત કરવા માટે તેમની પુત્રીઓને 73 વર્ષીય મુસ્લિમ પીડોફાઇલ પાસે મોકલે જે હિંદુ સાગર પર બળાત્કાર કરે છે.” ઘણા યૂઝર્સે ન્યૂઝલોન્ડ્રીના પોડકાસ્ટના સ્ક્રીનશોટ શેર કરીને તેમની ખોટી રજૂઆતને ઉજાગર કરી હતી. આ ઉગ્ર વિરોધે પગલે ન્યૂઝલોન્ડ્રીને તેની ભૂલ સ્વીકારીને માફી માંગવી પડી.

    ન્યૂઝલોન્ડ્રીની માફી

    સોશિયલ મીડિયા પર વધતા વિરોધને કારણે, ન્યૂઝલોન્ડ્રીએ 4 મે, 2025ના રોજ તેમનો પોડકાસ્ટ વિડીયો પ્રાઇવેટ કરી દીધો. રમન કિરપાલે X પર એક માફીનામું પોસ્ટ કર્યું, જેમાં તેમણે લખ્યું: ” નૈનીતાલમાં એક સગીરા પર થયેલા જાતીય હુમલાની ઘટનાનું વર્ણન કરતી વખતે અજાણતા થયેલી ભૂલ માટે હું દિલથી માફી માંગુ છું. મને મારા શબ્દો બદલ ખૂબ જ દુઃખ છે. એક સંપાદક અને પત્રકાર તરીકે, કોઈપણ નિવેદન આપતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવવાની મારી જવાબદારી હતી.”

    ન્યૂઝલોન્ડ્રીએ પણ એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું, જેમાં તેણે જણાવ્યું: “અમારા ‘હફ્તા’ પોડકાસ્ટના 535મા એપિસોડમાં, અમારા એડિટરે નૈનીતાલની ઘટનાને ‘નાની’ અને ‘પ્રેમસંબંધ’ તરીકે ખોટી રીતે વર્ણવી હતી. આ એક તથ્યાત્મક ભૂલ હતી, અને અમે તેના માટે નિષ્ઠાપૂર્વક માફી માંગીએ છીએ. અમે આ ઘટનાની ગંભીરતાને સમજીએ છીએ અને પીડિત અને તેના પરિવારની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નહોતો.”

    ઘટનાની વિગતો

    આ ઘટના 12 એપ્રિલ, 2025ના રોજ બની. હતી. 12 વર્ષની પીડિતા સ્થાનિક બજારમાં ખરીદી કરવા ગઈ હતી. આરોપી, મુહમ્મદ ઉસ્માન, જે નૈનીતાલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, તેણે બાળકીને ₹200 આપવાની લાલચ આપીને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં તેણે તેના ગેરેજમાં બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘૃણાસ્પદ કૃત્ય બાદ, ઉસ્માને બાળકીને ધમકી આપી કે જો તેણે આ ઘટના વિશે કોઈને જણાવ્યું તો તેના પરિવારને નુકસાન પહોંચાડવામાં આવશે.

    આ ઘટનાનો આઘાત અને ભય બાળકીના મન પર એટલો ઊંડો હતો કે તેણે ઘણા દિવસો સુધી આ વાત કોઈને ન કહી. આખરે, 30 એપ્રિલ, 2025ના રોજ તેણે હિંમત ભેગી કરીને પોતાના પરિવારને આ દુઘટના વિશે જણાવ્યું. પરિવારે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નૈનીતાલ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને ઉસ્માનને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો 65(1), 351(2), 351(6) અને POCSO એક્ટની કલમ 3, 4, 5L, 6 હેઠળ ધરપકડ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં