Wednesday, April 1, 2026
More
    Home Blog Page 278

    મુસ્લિમ સગીરે ભગવાન રામ અને માતા સીતા પર કરી અભદ્ર ટિપ્પણી, રસ્તા પર ઉતરી આવ્યા આક્રોશિત હિંદુઓ: ગાંધીનગરનું સાદરા ગામ સજ્જડ બંધ, હિંદુ સંગઠને ઑપઇન્ડિયાને કહ્યું- 6 મહિનાથી વધી રહ્યો છે ઉત્પાત

    ગાંધીનગરના (Gandhinagar) સાદરા (Sadra) ગામના રહેવાસી એક મુસ્લિમ સગીરે (Muslim Minor) સોશિયલ મીડિયા પર ભગવાન રામ અને માતા સીતાને લઈને અભદ્ર ટિપ્પણી (Derogatory Comments on Hindu Deities) કરતાં વિવાદ ઊભો થયો છે. હજારો સ્થાનિક હિંદુઓ ઘટનાને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપી મુસ્લિમ સગીરની અટકાયત કરી લીધી છે. હાલ સાદરા ગામ સજ્જડ બંધ હોવાનું સામે આવ્યું છે. ગામમાં બહુમતી વસ્તી હિંદુઓની હોવાથી આખું ગામ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત સગીર વિરુદ્ધ કાર્યવાહીને લઈને પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

    સમગ્ર ઘટનાને લઈને બજરંગ દળના પદાધિકારી ગણપતસિંહે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, ઘટના મંગળવારે (22 ઑક્ટોબર) બનવા પામી હતી. સાદરા ગામના એક 16 વર્ષીય મુસ્લિમ સગીરે (નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કમેન્ટ કરીને ભગવાન રામ અને માતા સીતા વિશે ખૂબ જ અભદ્ર અને અશ્લીલ ટિપ્પણી કરી હતી. આ ઘટના બાદ આખા ગામમાં તેના સ્ક્રીનશોટ્સ ફેલાઈ ગયા હતા.

    મુસ્લિમ સગીરે કરેલી અભદ્ર ટિપ્પણી

    વાયુવેગે સમાચાર પ્રચરી ગયા બાદ ગામના હિંદુ સમાજના લોકો એકઠા થયા હતા અને હિંદુ સંગઠનો પણ પહોંચી ગયાં હતાં. ગણપતસિંહે વધુમાં જણાવ્યું કે, એકઠા થયેલા લોકો ખૂબ આક્રોશમાં હતા, જેના કારણે બજરંગ દળ અને અન્ય હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ લોકોને સમજાવીને કાયદાકીય કાર્યવાહી કરવા અપીલ કરી હતી. ત્યારબાદ હિંદુ સમાજના 200થી 300 લોકોએ ચિલોડા પોલીસ સ્ટેશન પહોંચીને તમામ પુરાવા રજૂ કર્યા હતા અને કાર્યવાહીની અપીલ કરી હતી.

    લોકોનો આક્રોશ જોતાં PI પરમારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી સગીરની અટકાયત કરી લીધી હતી. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી હતી. આ ઉપરાંત ઘટનાના વિરોધ માટે આસપાસના હિંદુઓ પણ સાદરામાં એકઠા થવા લાગ્યા હતા. હિંદુ સંગઠનોએ શાંતિમય અને કાયદાકીય રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે અપીલ પણ કરી હતી.

    સાદરા ગામ સજ્જડ બંધ, હિંદુઓ રેલી યોજી પહોંચ્યા પોલીસ સ્ટેશન

    ઘટનાની જાણ થતાં જ બજરંગ દળ કાર્યકરો સાદરા પહોંચ્યા હતા અને ત્યાંથી સ્થાનિક હિંદુઓ સાથે મળીને ચિલોડા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ સમક્ષ તમામ પુરાવા અને સ્ક્રીનશૉટ રજૂ કર્યા હતા.

    પોલીસ સ્ટેશન પહોંચેલા હિંદુઓને પોલીસ અધિકારીએ કડક અને ઉદહારણરૂપ કાર્યવાહીની બાહેંધરી આપી હતી. આ ઉપરાંત ગામમાં પણ આ ઘટનાના પડઘા પડવાના શરૂ થઈ ગયા હતા. ગામના બહુમતી હિંદુ સમાજે બજરંગ દળના આહ્વાન પર 23 ઑક્ટોબરના રોજ એક દિવસ માટે તમામ કામ-ધંધા અને વેપાર બંધ રાખીને બંધ પાળ્યો હતો. હાલ પણ સાદરા ગામ સજ્જડ બંધ હોવાનું સામે આવ્યું છે.

    આ ઉપરાંત હિંદુઓ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ગામમાં રેલી પણ યોજી હતી. આસપાસના વિસ્તારના હિંદુઓ પણ આક્રોશમાં હતા અને આ રેલીઓમાં જોડાયા હતા. ‘જય શ્રીરામ’, ‘જય શિવાજી, જય ભવાની’ના નારા સાથે સાદરામાં હિંદુઓની આક્રોશ રેલી નીકળી હતી. આ ઉપરાંત હિંદુ સમાજના વેપારીઓએ પણ સહયોગ આપીને દુકાન-ધંધા બંધ કરીને બજરંગ દળને સમર્થન જાહેર કર્યું હતું.

    મુસ્લિમ સગીરના માતા-પિતાએ હિંદુ સંગઠનને કરી માફીની વિનંતી

    હિંદુ સંગઠનના પદાધિકારીએ જણાવ્યું છે કે, ઘટના બાદ હિંદુઓ એક થઈ ગયા હતા અને ગામ પણ સજ્જડ બંધ થઈ ગયું હતું. આ બધી કાર્યવાહીને જોતાં આરોપી મુસ્લિમ સગીરના માતા-પિતાએ ગામના સરપંચ અને હિંદુ સંગઠનોને કાર્યવાહી ન કરવા વિનંતી કરી હતી. આરોપીના માતા-પિતાએ કહ્યું હતું કે, તેમનો દીકરો નાનો છે અને ‘ભૂલથી’ આવું કર્યું છે. આ ઉપરાંત તેમણે હિંદુ સંગઠનને સગીરની કારકિર્દી અને ભવિષ્યને બચાવવા માટે વારંવાર અપીલ પણ કરી હતી.

    હિંદુ સંગઠન અનુસાર, ગામના સરપંચ અને બજરંગ દળે સાથે મળીને આ મામલે નિર્ણય લીધો હતો કે હાલ પૂરતી કાર્યવાહી અટકાવીને મુસ્લિમ સમુદાયના લોકો પાસેથી બાહેંધરી લેવી જોઈએ કે, ફરી આવી ભૂલ નહીં થાય. ત્યારબાદ પોલીસે પણ મધ્યસ્થ બનીને હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે શાંતિસમિતિની બેઠકનું આયોજન કર્યું છે. હિંદુ સંગઠને સ્પષ્ટપણે કહ્યું છે કે, જો મુસ્લિમ સમુદાય શાંતિમય રીતે બાહેંધરી આપશે કે, હવે પછી આવું નહીં થાય તો હિંદુ સમાજ પાછું પગલું ભરવા તૈયાર છે.

    હિંદુ સંગઠને વધુમાં કહ્યું છે કે, હાલ સાદરા ગામમાં મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થઈ રહ્યા છે અને બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનો પણ ત્યાં હાજર છે. પોલીસની સાથે રહીને બંને સમુદાય વચ્ચે શાંતિસમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ ઉપરાંત સંગઠને કહ્યું કે, બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    6 મહિનાથી ગામમાં ઉત્પાત વધ્યો હોવાનો હિંદુ સંગઠનનો દાવો

    આ પહેલાં આવી કોઈ સાંપ્રદાયિક ઘટના નોંધાઈ છે કે કેમ, તેનો જવાબ આપતા હિંદુ સંગઠને કહ્યું હતું કે, આ પહેલાં આવી કોઈ ઘટના સાદરા ગામમાં નોંધાઈ નથી. જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે, સાદરા ગામની વસ્તી 8000 જેવી છે, જેમાંથી માત્ર 250 ઘર જ મુસ્લિમ સમુદાયના છે, તેથી આવી ઘટના પહેલાં ક્યારેય નોંધાઈ નહોતી. પરંતુ, સંગઠને એવો પણ દાવો કર્યો છે કે, ગામમાં છેલ્લા 6 મહિનાથી ઉત્પાત વધ્યો છે. તેમણે કહ્યું કે, શાળાની નજીકમાં જ એક મસ્જિદ આવેલી છે. તે મસ્જિદમાં મોટાં સ્પીકર લગાવીને 6 વખત મોટા અવાજે અજાન વગાડવામાં આવી રહી છે.

    હિંદુ સંગઠને કહ્યું કે, આ પહેલાં ક્યારેય આટલી વખત અને આટલા મોટેથી અજાન વગાડવામાં આવી નહોતી, પરંતુ છેલ્લા 6 મહિનાથી આવી બધી અનેક ઘટનાઓમાં વધારો થયો છે, જે દર્શાવે છે કે, ઉત્પાત પણ વધ્યો છે. વધુમાં સંગઠને જણાવ્યું છે કે, હાલ તો ગામ સજ્જડ બંધ છે, સાંજ સુધીમાં શાંતિસમિતિનો નિર્ણય આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    બક્સરમાંથી TMC નેતા કરી રહ્યા હતા હાથીદાંતની તસ્કરી, રંગે હાથ ઝડપાયા: લાખોની કિંમત, 40 કિલોનું વજન; પોલીસે કરી 5 આરોપીઓની ધરપકડ

    બિહારના બક્સરમાંથી (Buxar) વન વિભાગે પશ્ચિમ બંગાળની સત્તારૂઢ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતાની ધરપકડ કરી હતી. વન વિભાગે TMC નેતા અશોક કુમાર ઓઝાના (Ashok Kumar Ojha) ઘરે દરોડા પાડ્યા હતા. દરમિયાન પોલીસને લાખો રૂપિયાના હાથીદાંત (Elephant Teeth) મળી આવ્યા હતા. TMC નેતા હાથીદાંત વેચવાની તૈયારીમાં જ હતા તે દરમિયાન પોલીસ અને વન વિભાગના દરોડા પડતાં તેમનો ગુનો પકડાઈ ગયો હતો. પોલીસે અશોક ઓઝા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી.

    દિલ્હીથી ગુપ્તચર વિભાગની ટીમને મળેલી માહિતીના આધારે, બક્સર પોલીસે બક્સર અને ભોજપુરના વન વિભાગના કર્મચારીઓ સાથે મળીને સંયુક્ત કાર્યવાહી કરીને TMC નેતા અશોક કુમાર ઓઝાના ઘરે દરોડા પાડયા હતા. TMC નેતા બિહારના બક્સરના બ્રહ્મપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકુલી ગામના રહેવાસી છે.

    દરોડા દરમિયાન દરોડા બક્સર પોલીસે બક્સર અને ભોજપુરના વન વિભાગના કર્મચારીઓની ટીમને લાખોની કિંમતના 2 હાથી દાંત મળી આવ્યા હતા. દરોડા દરમિયાન મળેલ હાથી દાંતનું વજન આશરે 40 કિલો હોવાનું સામે આવ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે જે હાથીના દાંત મળી આવ્યા છે તેનું મોત કોરોના સમયગાળા દરમિયાન થયું હતું. ઉલ્લેખનીય છે કે આ મામલે પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુવેંદુ અધિકારીએ પણ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી.

    પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે દેવકુલી ગામમાં કોરોનાના સમયગાળા દરમિયાન એક હાથીનું મોત થયું હતું. ત્યારબાદ તેના બંને દાંત ગેરકાયદેસર રીતે વેચવાની યોજના બનાવવામાં આવી હતી. દેવકુલી ગામના રહેવાસી અને TMC નેતા અશોક કુમાર ઓઝા બંને હાથીદાંત વેચવાની તૈયારી કરી રહ્યા હતા. તેમની પાસે ચાર તસ્કરો આ હાથીદાંત ખરીદવા આવ્યા હતા. આ દરમિયાન જ પોલીસે તેમની અશોક ઓઝાના ઘરે દરોડા પાડી આરોપીઓની ધરપકડ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે હાથીદાંત જપ્ત કર્યા બાદ પોલીસે TMC નેતા અશોક ઓઝા સહિતના 5 આરોપીઓની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીઓને બક્સર સિવિલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અશોક ઓઝા પાસે હાથીદાંત ખરીદવા આવેલ આરોપીઓની ઓળખ બેગુસરાયના ગણપત સાહ (61 વર્ષ), પિપરા જગદીશપુરના મનોજ કુમાર પાંડે, કરકટ રોહતાસના પારસ નાથ રામ નિવાસી અને તિરાસી બિગાહ રોહતાસના ધનંજય પ્રસાદ સિઘ તરીકે કરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે પોલીસે ખુલાસો કર્યો હતો કે કોવિડ દરમિયાન હાથીના મૃત્યુ પછી, તેના દાંતને ગેરકાયદેસર રીતે વેચવાની યોજના ઘડવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે હાથીના દાંતની દાણચોરી એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગંભીર ગુનો છે. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દાણચોરીના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય સભ્યોને શોધી કાઢવા માટે વધુ તપાસ કરી રહી છે.

    સુરતના રીઝવાને જગદીશ બનીને રાખી દુકાન, ભાડાકરાર અને GST નંબર પણ હિંદુ નામના: હિંદુ વેપારીએ 72 લાખની છેતરપિંડીની ફરિયાદ કરતા થયો ખુલાસો, થઈ ધરપકડ

    સુરતથી (Surat) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખટોદરા અને સારોલી ખાતે એક મુસ્લિમ વ્યક્તિએ હિંદુ ઓળખ ધારણ કરીને (Muslim man assumes Hindu identity) હિંદુ નામે દસ્તાવેજો બનાવી, હિંદુ નામે દુકાન ખોલીને લાખોની છેતરપીંડી કરવામાં આવી છે. આરોપીનું નામ રીઝવાની સૈયદ આબીદ હુસેન છે અને તે તેની ગેંગ સાથે મળીને ખટોદરા, સારોલી અને ગોડાદરા ખાતે હિંદુ નામે 4 દુકાનો ચલાવતો હતો. ઘટનામાં સહુથી ગંભીર બાબત તે છે કે રીઝવાની સૈયદ આબીદ હુસેને હિંદુ નામથી દુકાનનું નામ તો ઠીક, પરંતુ GST નંબર, ભાડા કરાર તેમજ અન્ય સરકારી દસ્તાવેજો પણ બનાવી લીધા હતા. રીઝવાને જગદીશ કુમાવત નામ ધારણ કરીને સુરતના અનેક વેપારીઓનું લાખોનું ફૂલેકું ફેરવી નાખતા ઉધના પોલીસ સ્ટેશનમાં (Udhana Police Station) ફરિયાદ નોંધાઈ છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલીના 30 વર્ષીય પ્રજ્ઞેશ વાઘાણી નામના એક વેપારી તેમના જ પિતરાઈ ભાઈ સાથે ભાગીદારીમાં ગ્રે કાપડનો ધંધો ધરાવે છે. તેમની કામરેજ વરેલી નજીક ધીરજ એસ્ટેટમાં મિત ક્રિએશન નામનું કારખાનું છે. થોડા સમય પહેલા ધંધાના કામથી તેમને અન્ય એક મિત્ર વેપારીના ત્યાં જવાનું થતા ત્યાં તેમની મુલાકાત હસમુખ ચેવલી નામના અન્ય એક વેપારી સાથે થઇ હતી. આ હસમુખ મારફતે તેઓ ખટોદરા સબજેલની પાછળ કડીવાલા હાઉસમાં મહાવીર ટ્રેડીંગ નામની દુકાન ચલાવતા જગદીશ કુમાવતના સંપર્કમાં આવ્યા હતા. જગદીશે વેપારીઓ પાસેથી ગ્રે કાપડ ખરીદવાની તૈયારી દર્શાવતા તેમની વચ્ચે વ્યાપારિક સંબંધો શરૂ થયો હતો.

    શરૂઆતમાં વ્યવહાર એકદમ બરાબર રાખ્યો

    શરૂઆતમાં જગદીશ કાપડ ખરીદીની તેની સમયસર ચુકવણી કરી દેતો હતો. તેવામાં તેણે એક વાર 10 લાખ રૂપિયાનું ગ્રે કાપડ ખરીદીને તેનું પણ સમયસર પેમેન્ટ કરી દીધું હતું. તેના આ પ્રકારના વ્યવહારથી વેપારીઓમાં ભરોસો બંધાઈ ગયો હતો. આ દરમિયાન તેણે એક સાથે 72 લાખથી વધુની કિંમતનું કાપડ ખરીદ્યું. પહેલા નિયમિત પેમેન્ટ આવી ગયું હોવાથી વેપારીએ ભરોસો કરીને તેને કાપડ આપી દીધું હતું. ક્રેડીટની સમય મર્યાદા પૂર્ણ થવા આવતા વેપારીએ ઉઘરાણી શરૂ કરી હતી, દર વખતે એક જ વારમાં રૂપિયા આપી દેતો જગદીશ આ વખતે બહાના બતાવવા લાગ્યો હતો. વેપારીને શંકા જતા તેઓ જગદીશ કુમાવતના જણાવ્યા અનુસાર મહાવીર ટ્રેડીંગની દુકાને ગયા હતા. ત્યાં તેમનો ભેટો મહેશભાઈ ભલાણી નામના વ્યક્તિ સાથે થયો હતો.

    મોટું ફૂલેકું ફેરવી જાનથી મારી નાખવાની ધમકી

    આ મહેશભાઈ ભલાણી નામના ઇસમેં વેપારીને કહ્યું હતું કે તેણે મહાવીર ટ્રેડર્સની તમામ બ્રાંચ ખરીદી લીધી છે માટે હવે તેમને બાકી નીકળતી ઉઘરાણી તેમની પાસેથી કરવાની રહેશે. આ સાંભળી પ્રજ્ઞેશ વાઘાણી પરત આવી ગયા હતા. થોડા સમય રાહ જોયા બાદ પણ રૂપિયા પરત ન આવતા તેઓ ફરી ઉઘરાણી માટે પહોંચ્યા હતા. દરમિયાન જગદીશ અને મહેશે બંનેએ વેપારીને ધાક-ધમકી આપીને પૈસા નહીં મળે તેમ કહ્યું હતું. વેપારીએ પોલીસની મદદ લેવાનું કહેતા આરોપીઓએ કહ્યું હતું કે, “અમે દરેક પોલીસ સ્ટેશનમાં હપ્તા આપીએ છીએ, તારો જીવ વ્હાલો હોય તો રૂપિયા ભૂલી જા નહિતર જાનથી હાથ ધોવાનો વારો આવશે.”

    પોલીસે આખી ગેંગ વિરુદ્ધ ગુનો નોંધ્યો

    ધમકીથી ડરીને વેપારીએ થોડા સમય સુધી ઉઘરાણી રોકી રાખી, પરંતુ ધંધામાં મોટી ખોટ જવાના ડરથી તેમણે ફરી ઉઘરાણી શરૂ કરી હતી. જોકે વારંવાર કહેવા છતાં આરોપીઓ તેમને રૂપિયા આપી રહ્યા નહોતા. તેવામાં પીડિત વેપારીને જાણ થઈ કે જે વ્યક્તિને તેઓ જગદીશ કુમાવત સમજી રહ્યા છે, તે વાસ્તવમાં રીઝવાની સૈયદ આબીદ હુસેન નામનો મુસ્લિમ વ્યક્તિ છે. તે મુસ્લિમ હોવા છતાં હિંદુ નામ ધારણ કરીને તે જ નામથી આધાર પુરાવા ઉભા કરી GSTથી લઇ તમામ દસ્તાવેજો તૈયાર કરી હિંદુ નામ રાખી વેપલો ચલાવતો હોવાનો ખુલાસો થયો હતો. પોતાની સાથે થયેલી છેતરપીંડી વિશે જાણ થતા જ વેપારી તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. વેપારીએ પોલીસને આખી ઘટનાની જાણ કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. હાલ પોલીસે રીઝવાની સૈયદ આબીદ હુસેન ઉર્ફે જગદીશ કુમાવત, મોહંમદ નામનો અન્ય એક વ્યક્તિ તેમ જ વચેટિયા દલાલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    આ મામલે ચાલેલી પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, સુરતના માર્કેટમાં આ પ્રકારની ગુનાખોરીઓ વધી છે, કે જેમાં મુસ્લિમ વ્યક્તિઓ હિંદુ વેપારીઓના GST નંબર, ભાડા કરાર તેમજ અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરી આ પ્રકારના કાંડ કરવામાં આવતા હોય. વર્તમાન કિસ્સામાં આરોપીઓએ સુરતના અનેક વેપારીઓને આ રીતે ચૂનો ચોપડી લાખોનું ફૂલેકું ફેરવ્યુ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ જે મુજબ તપાસ ચાલી રહી છે, તે મુજબ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં આ કેસમાં હજુ મોટા ખુલાસા થઈ શકે તેમ છે. બીજી તરફ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી, તે વિશે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર તેમ થઇ શક્યું નહોતું.

    રાષ્ટ્રનાયક સરદાર પટેલની 150મી જન્મજયંતિની થશે ભવ્ય ઉજવણી: 2 વર્ષ સુધી વિવિધ કાર્યક્રમો યોજવાની કેન્દ્ર સરકારની જાહેરાત

    ભારતીય અખંડિતતાના જનક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ (Sardar Vallabhbhai Patel 150th Birth Anniversary) નિમિત્તે કેન્દ્ર સરકારે (Central Government) મહત્વની જાહેરાત કરી હતી. સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બે વર્ષના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા આ અંગે જાણકારી આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

    31 ઓક્ટોબર 2024ના રોજ દેશ રાષ્ટ્રનાયક સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે આ ઉજવણી અને દિવસને વિશેષ બનાવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર સરકાર આ નિમિત્તે જે વિશેષ કાર્યક્રમ કરવાની છે એ અંગે માહિતી આપી હતી. સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા અમિત શાહે માહિતી આપી હતી કે સરદાર પટેલની જન્મજયંતિ આગામી 2 વર્ષ સુધી ઉજવવામાં આવશે.

    ગૃહમંત્રી શાહે પોસ્ટ કરતા લખ્યું કે, “વિશ્વની સૌથી મજબૂત લોકશાહીમાંની એકની (ભારત) સ્થાપના પાછળના સ્વપ્નદ્રષ્ટા તરીકે સરદાર પટેલજીનો સ્થાયી વારસો અને કાશ્મીરથી લક્ષદ્વીપ સુધી ભારતને એક કરવામાં તેમની મુખ્ય ભૂમિકા અવિશ્વસનીય છે.”

    તેમણે આગળ લખ્યું કે, “તેમના સ્મારક યોગદાનને માન આપવા માટે, PM નરેન્દ્ર મોદીશ્રીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર, 2024 થી 2026 સુધી બે વર્ષ લાંબી દેશવ્યાપી ઉજવણી સાથે તેમની 150મી જન્મજયંતિની ઉજવણી કરશે. આ ઉજવણી તેમણે દર્શાવેલી અસાધારણ સિદ્ધિઓ અને એકતાની ભાવનાનું પ્રમાણ બનશે.”

    ઉલ્લેખનીય છે કે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. તેઓ સવારે 7.30 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ આપશે અને જાહેર સંબોધન કરશે.

    નોંધનીય છે કે નરેન્દ્ર PM મોદીની સરકારે હંમેશાથી સરદાર પટેલના અવિશ્વસનીય યોગદાનને યાદ રાખવા વિવિધ કાર્યક્રમો કર્યા છે. વર્ષ 2014માં PM નરેન્દ્ર મોદી જયારે પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા એ બાદ કેન્દ્ર સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને સન્માનિત કરવા તેમની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ (National Unity Day) તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. એ પછી છેલ્લા 9 વર્ષોથી સરદાર પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

    ઉપરાંત ભારતમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે સરદાર પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નિર્માણ કરવામાં આવ્યું. વર્ષ 2018માં સરદાર પટેલની 143ની જન્મજયંતિ નિમિત્તે PM મોદીએ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન કર્યું હતું. મહત્વની બાબત છે કે વર્ષ 2010માં જયારે PM નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે તેમણે આ સ્મારકની રજૂઆત કરી હતી.

    ‘શેખ હસીના હજુ પણ છે વડાંપ્રધાન…’: રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનની ટિપ્પણી પર બાંગ્લાદેશમાં ફરી હોબાળો, રાજીનામાંની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા લાખો લોકો

    પાડોશી દેશ બાંગ્લાદેશમાં (Bangladesh) હવે ફરી એક વખત હિંસક પ્રદર્શન (Violent Protests) શરૂ થઈ ગયા છે. હજારો બાંગ્લાદેશીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનના (Mohammed Shahabuddin) રાજીનામાંની (Resignation) માંગણી કરી રહ્યા છે. લોકોએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું હોવાનું પણ સામે આવ્યું છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ આપેલા એક નિવેદનને લઈને હોબાળો થયો હોવાનું જાણવા મળ્યું છે. રાષ્ટ્રપતિએ પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને (Sheikh Hasina) લઈને એક નિવેદન આપ્યું હતું. જે બાદ હવે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

    મંગળવારે (22 ઑક્ટોબર) એક મુખ્ય ‘વિદ્યાર્થી સંગઠને’ ઢાકામાં પ્રદર્શન કર્યું હતું અને રાષ્ટ્રોપતિના રાજીનામાંની માંગણી કરી હતી. આ ઉપરાંત તેમની માંગણી એવી પણ છે કે, બાંગ્લાદેશના બંધારણને પણ બદલવામાં આવે. રાજધાની ઢાકાના રાષ્ટ્રપતિ નિવાસ બંગભવન સામે રાત્રે ભારે હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. લોકોએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લઈને રાજીનામાંની માંગણી કરી છે. આ ઉપરાંત ઇસ્લામી નારા પણ લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

    પોલીસે કર્યો લાઠીચાર્જ

    જે મુખ્ય ‘વિદ્યાર્થી સંગઠને’ કેટલાક મહિના પહેલાં બાંગ્લાદેશની શેખ હસીના સરકાર વિરુદ્ધ પ્રદર્શન અને હિંસાનું નેતૃત્વ કર્યું હતું, તે જ સંગઠન હવે રાષ્ટ્રપતિના રાજીનામાંની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યું છે. આ સંગઠનના પ્રદર્શનકારીઓએ ઢાકાના શહીદ મિનાર પાસે એક રેલી પણ કાઢી હતી. માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર પહોંચ્યા બાદ પ્રદર્શન ઉગ્ર બની ગયું હતું અને લોકોએ ઇસ્લામી નારા લગાવી રાષ્ટ્રપતિના રાજીનામાંની માંગણી શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત પ્રદર્શનકારીઓએ પોલીસ બેરીકેટ હટાવીને અંદર ઘૂસવાના પ્રયાસો પણ કર્યા હતા.

    વિવાદ વધુ વકરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા. ઘટના દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ કાર્યવાહી છતાં લોકોએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરવાના પ્રયાસો કર્યા હતા. હાલ પણ રાષ્ટ્રપતિ વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

    નોંધવા જેવું છે કે, બાંગ્લાદેશમાં ફરી હિંસક પ્રદર્શન થવા પાછળ રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનનું એક નિવેદન હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસો પહેલાં તેમણે એક ઇન્ટરવ્યુમાં શેખ હસીનાને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમની પાસે તે વાતના કોઈ દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ નથી કે ઓગસ્ટમાં થયેલા પ્રદર્શન વચ્ચે દેશ છોડીને ભાગતા પહેલાં શેખ હસીનાએ વડાંપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના આ એક નિવેદન પર બાંગ્લાદેશીઓ ભડકી ઉઠ્યા છે અને હવે રાજીનામાંની માંગણી કરી રહ્યા છે.

    ‘ધ હિન્દુ’ના મહેશ લાંગાનું નવું કારસ્તાન: ‘પત્રકાર’ હોવાનો ફાયદો ઉઠાવી સરકારી દસ્તાવેજો મેળવીને લ્હાણી કરતો હોવાના આરોપ, મેરીટાઇમ બોર્ડની ઑફિસે તપાસ બાદ વધુ એક FIR

    GST કૌભાંડમાં અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’ના ગુજરાત સ્થિત ‘પત્રકાર’ મહેશ લાંગાની (Mahesh Langa) ધરપકડ બાદ મંગળવારે (22 ઑક્ટોબર) ગુજરાત પોલીસે ગાંધીનગર સ્થિત મેરીટાઇમ બોર્ડની (Gujarat Maritime Board) ઑફિસ ખાતે દરોડા પાડ્યા હતા. હવે આ કાર્યવાહી બાદ મોટા ઘટસ્ફોટ થયા છે અને મહેશ વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂતીથી કસાયો છે. તેની વિરુદ્ધ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    પોલીસે FIR ‘સંવેદનશીલ’ કેટેગરીમાં મૂકી છે તેથી સંપર્ક કરવામાં આવ્યા છતાં વધુ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી, પરંતુ મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર, તપાસમાં ખુલ્યું છે કે મહેશ લાંગા પોતે પત્રકાર હોવાનો ફાયદો ઉઠાવીને સરકારી દસ્તાવેજો મેળવી લેતો અને બાદમાં તેને અન્યોને પાસ કરતો હતો. હવે આ દસ્તાવેજો તેણે કોને મોકલ્યા છે અને તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે હજુ તપાસનો વિષય છે. ઉપરાંત, આ માટે તેણે નાણાકીય લાભો મેળવ્યા છે કે કેમ તે બાબતે પણ વિગતવાર અને તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવશે.

    વધુ વિગતો જોઈએ તો, મંગળવારે ગાંધીનગર પોલીસની પાંચથી વધારે ટીમ મેરીટાઇમ બોર્ડની ઑફિસે પહોંચી હતી અને સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. અહીંથી અમુક દસ્તાવેજો મળી આવ્યા, જેનાથી જાણવા મળ્યું કે લાંગાએ અમુક અધિકારીઓ સાથે મળીને ખાનગી બંદર સંબંધિત મહત્વનો ડેટા લીક કરી દીધો હતો. જેના કારણે હવે અમુક અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે તેવું અહેવાલો જણાવી રહ્યા છે. અધિકારીઓ અને લાંગા વચ્ચે થયેલી અમુક ચેટ પણ પોલીસે રિકવર કરી હોવાનું કહેવાય છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે મહેશ લાંગાની ધરપકડ બાદ અમુક અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મહેશે સરકાર સંબંધિત અમુક દસ્તાવેજો અધિકારીઓ પાસેથી મેળવીને તેને વિપક્ષી પાર્ટીઓ અને ઉદ્યોગ જગતના અમુક માણસો સુધી પાસ કર્યા હતા. મહત્વની વાત એ છે કે આ દસ્તાવેજો સંબંધિત કોઈ અહેવાલો ‘ધ હિન્દુ’માં પ્રકાશિત થયા નથી. આ લીડના આધારે પછીથી પોલીસે મેરીટાઇમ બોર્ડની ઑફિસ ખાતે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.

    જાગરણે અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે, પત્રકાર તરીકે લાંગાએ ગુજરાતનાં બંદરો, તેની નીતિઓ સંદર્ભના દસ્તાવેજો તેમજ અન્ય મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ મેળવીને અથવા તો ચોરી કરી તેનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે. તેણે તેનો ઉપયોગ રાજકીય કે પછી ધંધાકીય હરીફાઈ માટે કર્યાની પણ આશંકા છે. આ મામલે હાલ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ થઈ રહી છે. બીજી તરફ આ નવાં કારસ્તાન ખૂલ્યા બાદ મહેશ લાંગા વિરુદ્ધ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં વધુ એક FIR નોંધવામાં આવી છે.

    સેક્ટર 7 પોલીસ મથકના PI ભરતસિંહ ગોહિલે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં FIR દાખલ કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી. જોકે, મામલાની તપાસ ઉચ્ચ અધિકારીઓ પાસે હોઈ આ તબક્કે વધુ માહિતી સ્થાનિક પોલીસ પાસે પણ નથી. જાણવા મળ્યા અનુસાર, ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 303(2), 306, 316(5), 61(2) અને લાંચ રૂશ્વત અટકાયત એક્ટની કલમ 7(એ), 8(1), 12,13(1) અને 12(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે તો આરોપી તરીકે તેના એકલાનું જ નામ છે, પણ ભવિષ્યમાં તપાસ દરમિયાન વધુ ખુલાસા થઈ શકે.

    ‘હિંદુઓ અહીંથી ભાગો નહીં તો ધરબી દઈશું ગોળીઓ’: મસ્જિદમાંથી હિંદુઓને કાપી નાખવાના જે એલાનને પોલીસે ગણાવ્યું ‘ભ્રામક’, એક પ્રત્યક્ષદર્શી દિવ્યાંગે કર્યું એ જ દાવાનું પુનરાવર્તન

    13 ઓક્ટોબર, 2024ના રોજ બહરાઈચ ખાતે મહારાજગંજમાં દુર્ગા વિસર્જન યાત્રા (Attack on Durga Visarjan Yatra) પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસા દરમિયાન રામગોપાલ મિશ્રાની હત્યા (Ramgopal Mishra Murder) કરવામાં આવી હતી. 70 વર્ષીય વિનોદ મિશ્રા અને દિવ્યાંગ સત્યવાન મિશ્રા પણ બહરાઈચ હુમલામાં (Bahraich Violence) ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોમાં સામેલ હતા.

    આ હુમલાના પ્રત્યક્ષદર્શી રહેલા વિનોદ મિશ્રાએ દાવો કર્યો હતો કે મુસ્લિમ ટોળાને મસ્જિદમાંથી ઉશ્કેરવામાં આવ્યું હતું. ત્યારપછી મુસ્લિમ ટોળાએ હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો. બહરાઈચ પોલીસે સોશિયલ મીડિયા પર તેમના દાવાને ‘ભ્રામક’ ગણાવ્યો હતો. હવે આવો જ દાવો દિવ્યાંગ સત્યવાન દ્વારા કરવામાં આવ્યો છે.

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા, તેમણે કહ્યું કે તે દિવસે મસ્જિદમાંથી એક જાહેરાત કરવામાં આવી હતી કે “જે હિંદુ જ્યાં પણ મળે, એને કાપી નાખો.” તેણે કહ્યું કે આ જાહેરાત બાદ મુસ્લિમોના ટોળાએ અબ્દુલ હમીદના ઘરની સામે હાજર હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કટ્ટરપંથી ભીડમાંના લોકો કહી રહ્યા હતા, “હિંદુઓ અહીંથી ભાગો નહીં તો ગોળીઓ ધરબી દઈશું.”

    દિવ્યાંગ સત્યવાન પર પણ તૂટી પડ્યું હતું મુસ્લિમ ટોળું

    સત્યવાન મિશ્રા જન્મથી જ 80%થી વધુ શારીરિક રીતે દિવ્યાંગ છે. ઑપઇન્ડિયા સત્યવાન મિશ્રાના ઘરે પહોંચ્યું અને તેમની સાથે વાતચીત કરી હતી. બાળપણથી જ સત્યવાન બંને પગ અને એક હાથથી દિવ્યાંગ છે. તે વ્હીલ ચેર દ્વારા ચાલે છે. તેઓ વ્હીલ ચેરને દૂર સુધી ધકેલવામાં પણ સક્ષમ નથી કારણ કે તેને ખસેડવા માટે માત્ર તેમનો એક જ હાથ કામ કરતો હોય છે. બહરાઈચ હિંસાના દિવસે સત્યવાન મિશ્રા માતા દુર્ગાની વિસર્જન યાત્રામાં એ જ પ્રતિમા પાસેની ટ્રોલીમાં બેઠા હતા, જેના પર હુમલાખોરોએ પથ્થરમારો કર્યો હતો.. તે એક હાથે ભક્તોને પ્રસાદ વહેંચીને તિલક લગાવી રહ્યા હતા.

    હાલ પણ ભયથી ધ્રુજી રહ્યા છે સત્યવાન

    જ્યારે ઑપઇન્ડિયાની ટીમ લગભગ 50 વર્ષીય સત્યવાનના ગામમાં પહોંચી ત્યારે તેઓ તેમના ઘરની બહાર એક ખાટલા પર સુતા જોવા મળ્યો હતો. જીવનભર અપરિણીત રહેલા સત્યવાન મિશ્રાના ચહેરા પર ઊંડા ઘા હતા. તેમનું શરીર ધ્રૂજી રહ્યું હતું. તેમની આંખોમાં ભય સ્પષ્ટ જોઈ શકાતો હતો. તીક્ષ્ણ હથિયાર વડે હોઠની નીચેના ભાગમાં ઘાયલ થયેલ સત્યવાન સ્પષ્ટ બોલવામાં પણ અસમર્થ હતા. આ ઘટનાને યાદ કરતી વખતે તેઓ રોઈ પડ્યા. તેમણે અમને તેમની પીઠ બતાવી જે કાળી પડી ગઈ હતી.

    પોતાની જાતને સાંભળ્યા બાદ થોડા સમય પછી સત્યવાને અમને જણાવ્યું કે તે છેલ્લા 25 વર્ષથી માતા દુર્ગાની વિસર્જન યાત્રામાં શ્રદ્ધાળુઓને પ્રસાદ વહેંચીને તિલક લગાવે છે. તેમનો દાવો છે કે ઘટનાના દિવસે તેમની ટ્રોલી સાથે ચાલી રહેલા ડીજેને અબ્દુલ હમીદના ઘરે અટકાવી દેવામાં આવ્યું હતું. અબ્દુલનો દીકરો સરફરાઝ બધાને ગાળો બોલીને ડીજે બંધ કરવા મંડ્યો હતો. જ્યારે ભક્તોએ ના પાડી ત્યારે સરફરાઝે ડીજેનો વાયર ખેંચી લીધો. હિંદુઓએ આ બાબતનો વિરોધ કરતા જ અબ્દુલના ઘર પરથી પથ્થરમારો શરૂ થઇ ગયો હતો.

    અબ્દુલે પુત્રની ભૂલ માની લીધી હોત તો વિવાદ ન થાત

    સત્યવાન મિશ્રા વધુમાં જણાવે છે કે પથ્થરમારાને કારણે મા દુર્ગાની મૂર્તિનો હાથ તૂટી ગયો હતો. આ પછી હિંદુ સમુદાયના લોકો ત્યાં ધરણા પર બેસીને સરફરાઝ સામે કાર્યવાહીની માંગ કરવા લાગ્યા. આ અંધાધૂંધીમાં અબ્દુલ હમીદ પણ બહાર આવ્યો હતો. ભક્તોમાંના વડીલો એવી માંગ કરી રહ્યા હતા કે અબ્દુલ હમીદે પોતાના પુત્રની ભૂલ સ્વીકારીને તેને ઠપકો આપવો જોઈએ. જોકે અબ્દુલ હમીદ આ માટે તૈયાર ન થયો. ઉલટું તે તેના પુત્રના કૃત્યોને વાજબી ઠેરવતો રહ્યો.

    સત્યવાને અમને આગળ જણાવ્યું કે જ્યારે અબ્દુલે પ્રતિમા પરના હુમલાને યોગ્ય ઠેરવ્યો, ત્યારે મા દુર્ગાના ભક્તોએ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા અને પોલીસને સરફરાઝની ધરપકડ કરવાની માંગ કરવા લાગ્યા. આ અંગે પોલીસનું વલણ પણ સારું ન હતું પોલીસ સરફરાઝની ધરપકડ કરવા કે માફી મંગાવવા પણ તૈયાર નહોતી. આ મામલે વિસર્જન યાત્રામાં સામેલ કેટલાક ભક્તો ગુસ્સે થઈ ગયા હતા, જેમાં રામગોપાલ મિશ્રા પણ સામેલ હતા. તેઓ અબ્દુલ હમીદની છત પર પહોંચ્યા અને લીલો ઝંડો હટાવીને ભગવો ધ્વજ લહેરાવી દીધો.

    પોલીસે માત્ર હિંદુઓને જ માર્યા

    બહરાઈચ હિંસામાં ગંભીર રીતે ઘાયલ થયેલ દિવ્યાંગ સત્યવાને અમને જણાવ્યું કે બંને પક્ષો વચ્ચેના સંઘર્ષ બાદ પોલીસે માત્ર હિંદુઓ પર જ જોર અજમાવ્યું. પોલીસે મા દુર્ગાના ભક્તો પર લાઠીચાર્જ શરૂ કર્યો અને તેમનો પીછો કરીને તેમને દૂર સુધી લઇ ગઈ. પોલીસના લાઠીચાર્જને કારણે વિખેરાયેલા હિંદુઓને હિંસક ટોળાએ નિર્દયતાથી માર માર્યો હતો. સત્યવાન એવો પણ આરોપ લગાવે છે કે બહરાઈચ પોલીસનો સંપૂર્ણ લાઠીચાર્જ માત્ર હિંદુઓ પર જ થયો હતો અને ખાખીવાળાઓએ હુમલો કરી રહેલા મુસ્લિમ ટોળાને સંપૂર્ણપણે અવગણ્યું હતું.

    સત્યવાનના જણાવ્યા મુજબ, તેમને ખૂબ લોહી નીકળવા લાગ્યું અને તેઓ ધીમે ધીમે બેભાન થઈ ગયા. તેમના પર હુમલો કરનારાઓમાં કલ્લુનો પુત્ર લલ્લુ અને મુન્ના કબાડી વગેરેનો સમાવેશ થાય છે. સત્યવાને હુમલાખોરોના હાથમાં તલવાર, છરી અને પિસ્તોલ વગેરે હોવાનો પણ દાવો કર્યો હતો. સત્યવાનને હજી સુધી ખબર નથી કે તેમને ઘટના સ્થળેથી કોણ અને ક્યારે ઉપાડીને હોસ્પિટલ લઇ ગયું. હોસ્પિટલમાં તેમની હાલત અત્યંત ગંભીર હતી. આખરે, લખનૌ રીફર કર્યા પછી ત્યાંના ટ્રોમા સેન્ટરમાં કોઈક રીતે સત્યવાનનો જીવ બચી ગયો. સત્યવાને અંતે કહ્યું, “અમે હિંદુ છીએ. અમને એટલા માટે માર્યા કારણ કે અમે હિંદુ હતા.”

    ઑપઇન્ડિયા પાસે એ વિડીયો પણ છે જેમાં સત્યવાન મિશ્રાને સરકારી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે સત્યવાનનો ચહેરો લોહીથી ખરડાયેલો છે. તેમના હોઠ નીચે એક મોટું કપાયેલું નિશાન દેખાઈ રહ્યું છે. સત્યવાને ઉત્તર પ્રદેશ સરકાર પ્રત્યે આશા વ્યક્ત કરી છે કે તે માત્ર હુમલાખોર ઈસ્લામિક કટ્ટરપંથીઓ વિરુદ્ધ જ નહીં પરંતુ દોષિત પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરશે.

    જમ્મુ-કાશ્મીરમાં નવા આતંકવાદી સંગઠનનો ખુલાસો, 10થી વધુ ઠેકાણાઓ પર દરોડા: લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર છે મુખ્ય હેન્ડલર, 7ની ધરપકડ

    બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) ગાંદરબલ ખાતે ચાલી રહેલા ટનલ નિર્માણ કાર્ય પર આતંકવાદી હુમલો (Terrorist Attack) થયો હતો. આ હુમલામાં એક તબીબ સહિત 7 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદથી કાશ્મીરમાં સુરક્ષા દળો સપાટો બોલાવી રહ્યા છે. સતત સર્ચ ઓપરેશનો ચલાવીને આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં નવા આતંકવાદી સંગઠનનો ખુલાસો થયો છે. કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગ (CIK) અને પોલીસે શ્રીનગર, ગાંદરબલ, બાંદીપોરા, કુલગામ તેમજ અનંતનાગ ખાતે એક સાથે દરોડા પાડીને 7થી 8 આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ નવા આતંકવાદી સંગઠનનું નામ તહરીક-એ-લબ્બેક યા મુસ્લિમ (TLM) છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં નવા આતંકવાદી સંગઠનનો ખુલાસો થયો થયા બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સાવચેત બની છે. તહરીક-એ-લબ્બેક યા મુસ્લિમ વિશે સામે આવેલી પ્રાથમિક માહિતી અનુસાર તે લશ્કર-એ-તૈયબાનું જ એક અલગ ગ્રુપ છે. TLM ખાસ કરીને આતંકવાદીઓની ભરતી કરવા માટે થઈને બનાવવામાં આવ્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. તેનો હેન્ડલર લશ્કર એ તૈયબાનો કમાન્ડર બાબા હમાસ છે, જે પાકિસ્તાનમાં રહે છે. અત્યાર સુધી કૂલ 10 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. મોડ્યુલ સાથે સંકળાયેલા 7થી 8 આતંકવાદીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. દરોડામાં 14 મોબાઈલ અને એક લેપટોપ તેમજ અન્ય કેટલીક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

    આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, “CIKને મળેલી બાતમી અને પુરાવાઓના આધારે તે સામે આવ્યું છે કે લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર બાબા હમાસ કાશ્મીરમાં લશ્કરની જ એક નવી શાખા ઓપરેટ કરી રહ્યો છે. તે TLMને એક પ્રકારે ભરતી મોડ્યુલ બનાવવા માંગતો હતો. આ નવા આતંકવાદી સંગઠનનું કામ પાકિસ્તાની એજન્સીઓના સક્રિય સમર્થનથી કાશ્મીર ઘાટીમાં તેમના સંગઠનોના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ, સમર્થકો, મદદગારો તેમજ તેમના પ્રત્યે સહાનુભુતિ રાખવાવાળા લોકોને સક્રિય રાખી આતંકી ગતિવિધિઓને પાર પાડવાનું છે.”

    નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અ નવું આતંકવાદી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં ગ્રાઉન્ડ ઝીરો પર એક્ટીવ થઈ રહ્યું હતું. તેણે તાજેતરમાં જ કેટલીક ઘટનાઓને અંજામ આપ્યું, જેમાં પુલવામાંના સીર વિસ્તારમાં પંચાયત કચેરીમાં અને ડોડા ખાતે લાગેલી એક આગચંપીની ઘટનાઓ ઘટી હતી. આ સંગઠન દક્ષિણી અને મધ્ય કશ્મીરના કેટલાક સ્થાનો પર દેશ વિરોધી પોસ્ટર લગાવવા તેમજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા જેવી ગતિવિધિઓ પણ કરવામાં આવી રહી હતી. તેનો મુખ્ય હેતુ વધુમાં વધુ કાશ્મીરી મુસ્લિમોને આતંકવાદી સંગઠનો સાથે જોડવાનો છે.”

    ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવનાર ફૈઝાને કર્યો ભારત માતાનો જયઘોષ, જામીનની શરત અનુસાર 21 વખત ત્રિરંગાને આપી સલામી: કહ્યું- ભૂલ કબૂલું છું, હવે આવું નહીં કરું

    ‘પાકિસ્તાન ઝિંદાબાદ અને હિંદુસ્તાન મુર્દાબાદ’ એવા રાષ્ટ્રવિરોધી નારા લગાવનાર ફૈઝલ નિસાર ઉર્ફ ફૈઝાનનો મંગળવારે (22 ઓક્ટોબરે) રાષ્ટ્રધ્વજને સલામી આપતો અને ભારત માતાનો જયકારો લાગવાતો વિડીયો સામે આવ્યો હતો. ફૈઝાન જામીનની શરત અનુસાર જબલપુરના પોલીસ સ્ટેશન પહોંચ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

    તાજેતરમાં જ મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફૈઝાનને ₹50 હજારના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. તથા શરત મૂકી હતી કે જ્યાં સુધી કેસ ચાલે છે ત્યાં સુધી તેણે મહિનામાં 2 વાર પોલીસ સ્ટેશને હાજર થવું પડશે. દર મહિનાના પહેલા અને ચોથા મંગળવારે પોલીસ સ્ટેશને જઈને ત્યાં લગાવેલ રાષ્ટ્રધ્વજને 21 વખતે સલામી આપવાની રહેશે અને સલામી આપતી વખતે ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા પડશે.

    ત્યારે આ શરતનું પાલન કરવા માટે આ મહિનાના ચોથા મંગળવાર, 22 ઓક્ટોબરે ફૈઝાન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મીડિયા સાથે વાત કરતા ફૈઝાને કહ્યું, “ભારત માતા કી જય. હું મારી ભૂલ કબૂલ કરું છું. હું હાઈકોર્ટના આદેશનું પાલન કરીશ. હું ફરીથી આવી ભૂલ નહીં કરું.”

    પોલીસ સ્ટેશનના પ્રભારી મનીષ રાજ ભદૌરિયાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, “નિર્ધારિત શરતો અનુસાર, આ પહેલો મંગળવાર હતો, જયારે ફૈઝાન પોલીસ સ્ટેશન આવ્યો હતો. શરત મુજબ, ફૈઝાને 21 વખત રાષ્ટ્રધ્વજને સલામી આપી અને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા. શરતો મુજબ તેણે દર મહિનાના પહેલા અને છેલ્લા મંગળવારે સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે અહીં આવવું પડશે.”

    રાષ્ટ્રવિરોધી નારા લગાવવા મામલે થઇ હતી ધરપકડ

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતો વિડીયો વાયરલ થયા બાદ ફૈઝાનની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેણે આ કેસમાં તેણે ખોટી રીતે ફસાવ્યો હોવાનો દાવો કરીને જામીન માટે અપીલ કરી હતી. પરંતુ સુનાવણી દરમિયાન તેનું જૂઠ પકડાઈ ગયું હતું. આ પછી મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ દિનેશ કુમાર પાલીવાલે તેને શરતી જામીન આપતાં કહ્યું હતું કે શરતનો ઉદ્દેશ તેના મનમાં એ દેશ પ્રત્યે સન્માન જગાડવાનો છે જ્યાં તે જન્મ્યો છે અને રહી રહ્યો છે.

    નોંધનીય છે કે આ મામલામાં ભોપાલના મિસરૌદ પોલીસ સ્ટેશનમાં 17 મે 2024ના રોજ FIR નોંધવામાં આવી હતી. તપાસ બાદ ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં વિડીયો ક્લિપનો પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી સ્પષ્ટ રીતે રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરતો દેખાઈ રહ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તેના પર અગાઉથી જ 14 કેસ નોંધાયેલ છે.

    પંજાબી પરાળનો ધુમાડો લાગે મીઠો, પણ ભાજપશાસિત રાજ્યોની બસોથી વાંધો!: દિલ્હીના પર્યાવરણ મંત્રીએ રાજસ્થાન, UP, હરિયાણાની ડીઝલ બસો પર પ્રતિબંધની કરી માંગ

    દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલ પ્રદુષણ (Air Pollution) અંગે દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે (Environment Minister Gopal Rai) ચિંતા વ્યક્ત કરી હતી. તથા ત્રણ રાજ્યોના પરિવહન મંત્રીઓને પત્ર લખીને આ રાજ્યોમાંથી રાષ્ટ્રીય રાજધાનીમાં ડીઝલ બસોના (Diesel Buses) પ્રવેશ પર પ્રતિબંધ (Ban) મૂકવાની વિનંતી કરી હતી. દિલ્હીમાં વધી રહેલ પ્રદૂષણના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સનું સ્તર પણ વધી રહ્યું છે. જોકે દિલ્હીમાં વધી રહેલ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ પંજાબમાં બળવામાં આવતી પરાળ (Stubble Burning) છે.

    દિલ્હીના પ્રદૂષણને લઈને દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણાના પરિવહન મંત્રીઓ પ્રેમચંદ બૈરવા, દયાશંકર સિંઘ અને અનિલ વીજને પત્ર લખ્યા હતા. જેમાં વિનંતી કરી હતી કે આ રાજ્યોમાંથી આવતી ડીઝલ બસોના પ્રવેશ પર રાજધાની દિલ્હીમાં પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી.

    તેમણે પત્રમાં લખ્યું હતું કે, “હું શિયાળાની શરૂઆતની સાથે દિલ્હીમાં વધી રહેલ વાયુ પ્રદૂષણના સ્તર અંગે મારી ચિંતા વ્યક્ત કરવા આ પત્ર લખી રહ્યો છું.” તેમણે લખ્યું હતું કે દિલ્હીમાં વધી રહેલ વાયુ પ્રદુષણનું મુખ્ય ઘટક રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાંથી પ્રવેશથી ડીઝલ બસો છે. તેમણે આ બસોમાંથી નીકળતા ધુમાડાને પ્રદુષણનું મુખ્ય કારણ ગણાવ્યો હતો.

    આગળ તેમણે લખ્યું કે, “હવાની ગુણવત્તા પર ડીઝલ ઉત્સર્જનની અસર વ્યાપક પ્રમાણમાં થઇ છે અને મોટી સંખ્યામાં આવતી આવી બસોનો ધસારો દિલ્હીમાં હવાની ગુણવત્તાના બગાડમાં નોંધપાત્ર ફાળો આપે છે, જે રહેવાસીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે.”

    આગળ ગોપાલ રાયે લખ્યું કે, “ડીઝલ બસો શ્વસન રોગો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જવાબદાર હાનિકારક પ્રદૂષકોનું નોંધપાત્ર માત્રામાં ઉત્સર્જન કરે છે. દિલ્હી પહેલાથી જ નબળી હવાની ગુણવત્તા સાથે ઝઝૂમી રહ્યું છે અને આંતરરાજ્ય ટ્રાફિકનો આ વધારાનો બોજ પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યો છે.” તેમણે ત્રણેય રાજ્યોના પરિવહન મંત્રીઓને વિનંતી કરી હતી કે આ રાજ્યોમાંથી દિલ્હીમાં પ્રવેશતી ડીઝલ બસો પર પ્રતિબંધ મામલે ચોક્કસ કડક નિયમો બનાવવા માટે વિચારણા કરવામાં આવે.

    તેમણે પ્રદુષણ મામલે સામૂહિક પગલા લેવાનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, “સક્રિય પગલાં લઈને, આપણે વાયુ પ્રદૂષણ ઘટાડવા અને રાજધાની માટે સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણની ખાતરી કરવા માટે સામૂહિક રીતે કામ કરી શકીએ છીએ. હું આશા રાખું છું કે પર્યાવરણ અને જાહેર આરોગ્યની સુધારણા માટે આ વિનંતીને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પણ દિલ્હીના પ્રદૂષણ માટે ઉત્તર પ્રદેશ સરકારને જવાબદાર ઠેરવી ચુક્યા છે.

    દિલ્હી વાયુ પ્રદુષણનું મુખ્ય કારણ પંજાબમાં સળગાવતી પરાળ

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિલ્હીની AAP સરકારે દિવાળી નજીક આવતા ફટાકડા પર મુકેલ પ્રતિબંધને લંબાવ્યો હતો. પરંતુ દિવાળી પહેલાં જ દિલ્હીનું વાયુ પ્રદુષણ વધી રહ્યું છે. જેનું મુખ્ય કારણ AAP સરકારના જ રાજ્ય પંજાબમાં સળગાવવામાં આવતી પરાળનો ધુમાડો છે. લણણી પહેલાં જ પંજાબમાં પરાળ સળગાવવાના મામલા સામે આવી રહ્યા છે.

    પંજાબના તરનતારન, અમૃતસર, પટિયાલા અને સંગરુરમાંથી પરાળ બાળવાની સૌથી વધુ ઘટનાઓ નોંધાઈ રહી છે. પંજાબમાં પણ AAPની સરકાર છે પણ તેને રોકી શકી નથી. 2023માં પણ, દેશમાં પરાળ સળગાવવાના સૌથી વધુ કેસ પંજાબમાંથી નોંધાયા હતા. વર્ષ 2023માં દેશનું સૌથી વધુ પરાળથી થતું પ્રદૂષણ 93% સાથે પંજાબમાં નોંધાયું હતું.