Tuesday, March 31, 2026
More
    Home Blog Page 277

    ઇસ્લામિક રાષ્ટ્ર તુર્કીએ ઈરાક અને સિરિયા પર ફટકાર્યા તાબડતોબ રોકેટ, 30થી વધુ ઠેકાણાઓ ફૂંકીને લીધો આતંકવાદી હુમલાનો બદલો: એવિએશન કંપની પર ત્રાટક્યા હતા આતંકી

    ઇઝરાયેલ ઈરાન યુદ્ધ વચ્ચે તુર્કી (Türkiye) પર ભીષણ આતંકવાદી હુમલો (Terror Attack) કરવામાં આવ્યો હતો. આ હુમલો રાજધાની અંકારા સ્થિત ડિફેન્સ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીની મુખ્ય ઓફીસ પર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 5થી વધુ લોકોના મોત નીપજ્ય હોવાનું સામે આવ્યું હતું. આ હુમલા સમય તુર્કીના રાષ્ટ્રપતિ રશિયાના કઝાનમાં બ્રિકસ શિખર (BRICKS Summit) સંમેલનમાં ભાગ લઈ રહ્યા હતા. ત્યારે હવે તુર્કીએ ઈરાક અને સીરિયા પર ભીષણ એર-સ્ટ્રાઈક (Air Strikes on Iraq and Syria) કરીને આતંકવાદી હુમલાનો બદલો લોધો છે.

    તુર્કીની વાયુસેનાએ બુધવારે (23 ઓકટોબર 2024) ઈરાક અને સીરિયામાં કુર્દિશ આતંકવાદીઓને ઠેકાણાઓ પર એક પછી એક સ્ટ્રાઈક કરી. તુર્કીશ રક્ષામંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક અત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ એર સ્ટ્રાઈકમાં આતંકવાદીઓના 32થી વધુ ઠેકાણાઓ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. આ હુમલામાં કેટલાક આતંકવાદીઓના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. મંત્રાલય દ્વારા જાહેર માહિતી અનુસાર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમને પણ ઠાર મારવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રેસિપ તૈયપ એર્દોગને આ હુમલાખે વખોડી કાઢ્યો હતો અને તેને “ઘૃણિત આતંકવાદી હુમલો” કહીને તેની નિંદા કરી હતી.

    નોંધવું જોઈએ કે તુર્કીની જે ડિફેન્સ એવિએશન કંપની પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તેનું નામ TUSAS છે. તે વાયુસેના માટે સુરક્ષા ઉપકરણો બનાવવાનું કાર્ય કરે છે. તેના પર એક મહિલા સહિત ત્રણ આતંકવાદીઓએ હુમલો કરતા 5થી વધુ લોકોના મોત નીપજ્ય હતા અને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આટલું જ નહીં, આ દરમિયાન હોસ્ટેજ સ્થિતી પણ સર્જાઈ હતી. આ સમગ્ર હુમલાની જવાબદારી કટ્ટર ઇસ્લામી આતંકવાદી સમૂહ PKKએ (Kurdish militant) લીધી હતી.

    રાષ્ટ્રપતિ રશિયામાં બ્રિકસ સંમેલનમાં લઈ રહ્યા હતા ભાગ

    નોંધવું જોઈએ કે જયારે તુર્કી પર આ ભીષણ હુમલો થયો, ત્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રશિયા ખાતે યોજાયેલા બ્રિકસ શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમણે સંમેલન દરમિયાન જ આ મામલે પ્રતિક્રિયા આપતા ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું આ જધન્ય આતંકવાદી હુમલાની નિંદા કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અમારા મૃતકોને સદગતી આપે અને તેમના પર કૃપા કરે.” બીજી તરફ રક્ષા મંત્રી યાસર ગુલરે પણ આમાંમ્લે આકરી પ્રતિક્રિયા આપતા આતંકવાદી સમૂહ PKKને ‘ખલનાયક’ કહ્યું હતું.

    તેમણે કહ્યું હતું કે, “જેમ કે તેઓ હંમેશા કરે છે, તેમણે એક ઘૃણિત અને અપમાનજનક ભીષણ હુમલાના માધ્યમથી અમારા દેશની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે તેમના આ કૃત્યની સજા આપીશું.” બીજી તરફ તુર્કીના ઉપરાષ્ટ્રપતિ સેવડેટ યિલમાઝે પણ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે જે પાંચ લોકોના મોત થયા હતા તેમાંથી ચાર TI કર્મચારી હતા અને પાંચમો ટેક્સી ડ્રાઈવર હતો. ત્યારે હવે તુર્કીએ ઈરાક અને સીરિયા પર ભીષણ એર-સ્ટ્રાઈક આ કરીને આતંકવાદી હુમલાનો બદલો લોધો છે.

    જેને આતંકીઓ ગણાવતા હતા પયગંબર મોહમ્મદનો વંશજ, તે થયો ઇઝરાયેલી હુમલામાં ઠાર: 20 દિવસ બાદ હિઝબુલ્લાહે કરી નસરલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનના મોતની પુષ્ટિ

    ઇઝરાયેલી સેનાની (Israeli Army) એરસ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહનો નવો ચીફ (Hezbollah Chief) હાશેમ સફીદ્દીન (Hashem Safieddine) ઠાર થયો છે. આ બાબતની પુષ્ટિ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવી છે. નસરલ્લાહના (Nasrallah) મોત બાદ આતંકી સંગઠન હિઝબુલ્લાહની કમાન હાશેમ સફીદ્દીનને સોંપવામાં આવી હતી. થોડા દિવસો પહેલાં ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે, આતંકી સંગઠનનો નવો ચીફ પણ ઠાર મરાયો છે. પરંતુ, લેબાનાન અને હિઝબુલ્લાહ તે વાતને નકારી રહ્યા હતા, જ્યારે હવે ખુદ હિઝબુલ્લાહે પુષ્ટિ કરી છે કે, તેનો નવો ચીફ ઇઝરાયેલી હુમલામાં માર્યો ગયો છે.

    માહિતી અનુસાર, હિઝબુલ્લાહે એક નિવેદનમાં કહ્યું છે કે, હિઝબુલ્લાહનો નવો ચીફ સફીદ્દીન ઇઝરાયેલી એરસ્ટ્રાઈકમાં (Israeli Airstrike) માર્યો ગયો છે. CNNના રિપોર્ટ અનુસાર, આતંકી સંગઠન હિઝબુલ્લાહે હજુ સુધી તેના મોતની તારીખ જાહેર નથી કરી, પરંતુ આતંકી સંગઠને પુષ્ટિ જરૂર કરી છે કે, તેનો નવો ચીફ પણ ઇઝરાયેલી હુમલામાં માર્યો ગયો છે. અહીં નોંધવા જેવું છે કે, ઇઝરાયેલી સેનાએ આ પહેલાં આતંકી હાશેમ સફીદ્દીનના મોતનો દાવો કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, લગભગ 20 દિવસ પહેલાં ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે, હિઝબુલ્લાહનો નવો ચીફ ઇઝરાયેલી એરસ્ટ્રાઈકમાં ઠાર થયો છે. ધ ટાઈમ્સ ઑફ ઇઝરાયેલ અનુસાર, IDFએ હુમલા દરમિયાન હિઝબુલ્લાહના ગુપ્ત મુખ્યાલયના કમાન્ડર હુસૈન અલી હાજીમાની સાથે સફીદ્દીનને પણ ફૂંકી પણ માર્યો હતો. સફીદ્દીનને વર્ષ 2017માં અમેરિકા દ્વારા આતંકી ઘોષિત કરવામાં આવ્યો હતો.

    સાથે પણ નોંધવા જેવું છે કે, આતંકી હાશેમ સફીદ્દીન પોતાને પયગંબર મોહમ્મદનો વંશજ ગણાવી રહ્યો હતો. તે હિઝબુલ્લાહના જેહાદ કાઉન્સિલનો સભ્ય પણ રહી ચૂક્યો છે. સફીદ્દીનની ગણતરી હિઝબુલ્લાહના ટોપ 3 કદાવર આતંકીઓમાં થતી હતી, તે ઘણા સમયથી ઇઝરાયેલી હુમલાથી બચવા માટે આમતેમ ભાગી રહ્યો હતો અને નવી સુરક્ષિત જગ્યાઓ પણ શોધી રહ્યો હતો. પરંતુ આખરે ઇઝરાયેલી સેનાએ તેને ઠાર મારી દીધો છે.

    2017માં હાશેમ સફીદ્દીને ઇઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ છેડ્યા બાદ અમેરિકાએ તેને આતંકી ઘોષિત કરી દીધો હતો. 2017માં તેણે પોતાના આતંકી સંગઠનના કમાન્ડરોને કહ્યું હતું કે, ‘દુશ્મનોને રડવા માટે મજબૂર કરી દો.’ જોકે, હવે ઇઝરાયેલી સેનાએ તેને ઠાર મારીને તેના સંગઠનને રડવા માટે મજબૂર કરી દીધું છે. જોકે, શરૂઆતમાં હિઝબુલ્લાહે ઇઝરાયેલી સેનાનો દાવો સ્વીકારવાથી ઇનકાર કરી દીધો હતો, પરંતુ હવે તેના મોતની પુષ્ટિ આતંકી સંગઠને પોતે જ કરી છે.

    ‘આતંકવાદ અને ટેરર ફન્ડિંગ વિરુદ્ધ એક થાય તમામ દેશો’: BRICS સમિટમાં PM મોદી, કહ્યું- આ વિભાજનકારી નહીં પણ જનહિતકારી સમૂહ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલ BRICS શિખર સંમેલન (BRICS Summit) માટે રશિયાની 2 દિવસીય યાત્રા (Russia Visit) પર છે. આ દરમિયાન તેમણે વિશ્વશાંતિનો સંદેશ આપ્યો હતો તથા કહ્યું હતું કે ભારત યુદ્ધના નહીં પરંતુ વાટાઘાટો (Dialogues) અને કૂટનીતિના (Diplomacy) પક્ષમાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રશિયા-યુક્રેન વચ્ચેની સમસ્યાનું નિવારણ પણ શાંતિપૂર્ણ રીતે વાટાઘાટો દ્વારા લાવી શકાય તેમ છે. નોંધવું જોઈએ કે આ અગાઉ પણ PM મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધનું સમાધાન વાટાઘાટોથી લાવવાની હિમાયત કરી હતી.

    BRICS સમિટમાં પોતાના સંબોધનમાં PM મોદીએ યુદ્ધ, આર્થિક અનિશ્ચિતતા, જળવાયુ પરિવર્તન અને આતંકવાદ જેવા પડકારો પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે BRICS વિશ્વને સાચા રસ્તે લઈ જવા માટે સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. સંબોધન દરમિયાન તેમણે પાછલા એક વર્ષ દરમિયાન BRICSની સફળ અધ્યક્ષતા કરવા માટે રાષ્ટ્રપતિ વ્લામિદિર પુતિનને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ સંમેલનમાં ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ પણ ઉપસ્થિત રહ્યા, જેમની સાથે પછીથી PM મોદીએ દ્વિપક્ષીય બેઠક પણ કરી.

    ‘વિશ્વ અનેક પડકારોથી ઘેરાયેલું’

    PM મોદી સંબોધન કરતાં કહ્યું કે, “આપણી મુલાકાત આવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ યુદ્ધો, સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતા, આબોહવા પરિવર્તન, આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલું છે. વિશ્વમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમમાં ભાગ પાડવાની વાતો ચાલી રહી છે.” તેમણે આગળ કહ્યું કે, મોંઘવારી નિવારણ, ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, જળ સુરક્ષા એ તમામ દેશો માટે પ્રાથમિકતાના વિષયો છે અને ટેક્નોલોજીના યુગમાં સાયબર સિક્યુરિટી, ડીપ ફેક, ફેક ન્યૂઝ જેવા નવા પડકારો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં BRICS પર ઘણી અપેક્ષાઓ છે.”

    PM મોદીએ આગળ કહ્યું કે, “હું માનું છું કે વૈવિધ્યસભર અને સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે BRICS તમામ મુદ્દાઓ પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. આ સંદર્ભમાં આપણો અભિગમ માણસ કેન્દ્રિત (People Centric Approach) રહેવો જોઈએ. આપણે વિશ્વને આ સંદેશ આપવો જોઈએ કે BRICS એ વિભાજન કરનાર નથી પરંતુ જનહિતકારી જૂથ છે.”

    ‘યુદ્ધ નહીં વાટાઘાટો અને કૂટનીતિના સમર્થનમાં’

    કૂટનીતિ અંગે વાત કરતાં PM મોદીએ કહ્યું કે, “અમે યુદ્ધનું સમર્થન કરતા નથી, પરંતુ વાટાઘાટો અને કૂટનીતિનું સમર્થન કરીએ છીએ. જેમ આપણે સાથે મળીને કોવિડ જેવા પડકારોને પહોંચી વળવામાં સફળ થયા, તેવી જ રીતે ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે ચોક્કસપણે નવી તકો ઊભી કરવામાં આપણે સક્ષમ છીએ.”

    ‘આતંકવાદ મામલે બેવડાં ધોરણોને સ્થાન નથી’

    આતંકવાદ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, “આતંકવાદ અને ટેરર ​​ફંડિંગનો સામનો કરવા માટે આપણે બધાએ સર્વસંમતિથી એકજૂટ થવું પડશે અને મજબૂત સહયોગ કરવો પડશે. આવા ગંભીર વિષય પર બેવડાં ધોરણોને કોઈ અવકાશ નથી. આપણા દેશના યુવાનોમાં કટ્ટરપંથને રોકવા માટે આપણે સક્રિય પગલાં લેવાં જોઈએ. યુએનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનના લંબિત મુદ્દાઓ પર આપણે સાથે મળીને કામ કરવું પડશે.” PM મોદીએ સાયબર સુરક્ષા, સલામત અને સુરક્ષિત AI માટે વૈશ્વિક નિયમો બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    ‘BRICSમાં નવા દેશોનું સ્વાગત’

    આ દરમિયાન PM મોદીએ કહ્યું કે ભારત BRICSમાં નવા દેશોનું સ્વાગત કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, આ સંબંધમાં તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવા જોઈએ અને BRICSના સ્થાપક સભ્યોના વિચારોનું સન્માન કરવું જોઈએ. તેમણે આગળ કહ્યું કે, જોહાનિસબર્ગ સમિટ દરમિયાન અપનાવવામાં આવેલા માર્ગદર્શક સિદ્ધાંતો, માનકો, માપદંડો અને પ્રક્રિયાઓને તમામ સભ્યો અને ભાગીદાર દેશોએ અનુસરવા જોઈએ.

    આ સમયગાળા દરમિયાન, વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને અન્ય વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની પણ હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે આપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, બહુપક્ષીય વિકાસ બેંકો અને વિશ્વ વેપાર સંગઠન જેવી વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા પર આગળ વધવું જોઈએ. અંતે વડાપ્રધાને કહ્યું કે, જેમ-જેમ બ્રિક્સ આગળ વધારવાના આપણા પ્રયાસોને આગળ ધપાવતા રહીએ તેમ આપણે એ પણ સુનિશ્ચિત કરતા જવું પડશે કે સંગઠનની છબી વૈશ્વિક સંગઠનોનું સ્થાન લેવા માંગતા સંગઠન તરીકેની ન સર્જાય.

    બહરાઈચમાં જેમણે પકડી હતી માતા દુર્ગાની મૂર્તિ, તેમણે પણ કર્યો મસ્જિદમાંથી હુમલાના એલાનનો દાવો: કહ્યું- પથ્થરમારામાં મુસ્લિમ મહિલાઓ પણ હતી સામેલ, હિંદુઓને મારવા પર ઇનામની થઇ હતી જાહેરાત

    ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં (Bahraich Violence) 13 ઓક્ટોબર 2024ના રોજ મા દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન મુસ્લિમ ટોળાએ ભક્તો (Attack By Islamist) પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રામગોપાલ મિશ્રાની હત્યા (Ramgopal Mishra Murder) કરવામાં આવી હતી, તથા અન્ય ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ઘાયલોમાં પદ્માકર દીક્ષિત પણ સામેલ છે. બહરાઈચ પોલીસના દાવાથી વિપરીત, પદ્માકર દીક્ષિતે પણ પોતાને પીડિત અને પ્રત્યક્ષદર્શી ગણાવ્યા અને કહ્યું કે વિસર્જન યાત્રા પર હુમલાની જાહેરાત મસ્જિદમાંથી કરવામાં આવી હતી.

    પદ્માકર દીક્ષિત મૂર્તિ વિસર્જન યાત્રામાં માતા દુર્ગાની મૂર્તિ લઈને ચાલી રહ્યા હતા. બહરાઈચ હુમલામાં ઘાયલ થતાં તેમને સારવાર બાદ ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. પીડિત પદ્માકર દીક્ષિત મૂળ મહારાજગંજ પાસે સ્થિત સિપાહિયા પ્યૂલી ગામના રહેવાસી છે. તેઓ થોડી ખેતીવાડી કરીને તથા દૂધ વગેરે વેચીને તેમના પરિવારનું ભરણપોષણ કરે છે.

    જે દિવસે આ ઘટના બની તે દિવસે તે 9 દિવસના નવરાત્રિ ઉપવાસ પર હતા અને અન્ય હિંદુઓ સાથે સંપૂર્ણ ભક્તિભાવ સાથે વિસર્જન યાત્રામાં જઈ રહ્યા હતા. પદ્માકર દીક્ષિત ટ્રેક્ટર ટ્રોલીમાં મા દુર્ગાની મૂર્તિ પકડીને જઈ રહ્યા હતા. રસ્તામાં અન્ય ભક્તોની જેમ તેઓ પણ ‘જય માતા દી’ના નારા લગાવી રહ્યા હતા. આ જ દરમિયાન પથ્થરમારો થયો હતો.

    પથ્થરમારામાં મૂર્તિ તોડી, પછી મસ્જિદમાંથી થાય એલાન

    પદ્માકર દીક્ષિતે ઑપઇન્ડિયાને જણાવ્યું કે તેઓ મૂર્તિ સાથે આગળ વધી રહ્યા હતા ત્યારે એક પથ્થર આવ્યો અને તેમને વાગ્યો. જેના કારણે મા દુર્ગાની મૂર્તિનો હાથ તૂટી ગયો હતો. કોઈ પરિસ્થિતિને સમજી શકે તે પહેલા બીજો પથ્થર આવ્યો. જેના કારણે પ્રતિમાના ગળાને નુકસાન થયું હતું. આ પછી પ્રતિમા અને ભક્તો પર જાણે પથ્થરોનો વરસાદ થવા લાગ્યો.

    પથ્થરમારાની વચ્ચે હિંદુઓ પોતાને બચાવવા માટે અહીં-તહીં ભાગવા લાગ્યા. મુસ્લિમોની ભીડને સામેથી આવતી જોઈને પદ્માકર દીક્ષિત પણ જીવ બચાવવા દોડવા લાગ્યા. તેમણે કહ્યું કે નાસભાગ દરમિયાન તેમણે મસ્જિદોમાંથી થઇ રહેલ એલાન સાંભળ્યા. જેમાં કહેવામાં આવી રહ્યું હતું, “અલ્લાહ હુ અકબર. જે દેખાય એને કાપી નાખો” પદ્માકરના કહેવા પ્રમાણે, મુસ્લિમ ટોળાએ કહ્યું કે તમે જેટલા હિંદુને મારશો તેટલું વધુ ઈનામ મળશે.

    મુસ્લિમ ટોળાનું હિંસક સ્વરૂપ જોઈને ત્યાં ભાગદોડનો માહોલ સર્જાયો હતો. ભક્તોમાં નાના બાળકો પણ હતા. તેથી લોકો તેમની સલામતી વિશે વધુ ચિંતિત બન્યા હતા. બહરાઈચ હિંસા મામલે પદ્માકર દાવો કરે છે કે મુસ્લિમ ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘણા સગીર બાળકો પણ ઘાયલ થયા છે, પરંતુ તેમના પરિવારો ડરના કારણે તેમના નામ જાહેર કરવા માંગતા નથી.

    મુસ્લિમ મહિલાઓએ પણ કર્યો હતો પથ્થરમારો

    પદ્માકર દીક્ષિતે અમને વધુમાં જણાવ્યું કે પોતાનો જીવ બચાવવા દોડતી વખતે તેમણે જોયું કે હુમલાખોર ભીડમાં કેટલીક મુસ્લિમ મહિલાઓ પણ સામેલ હતી. તે છત પરથી ભક્તો પર પથ્થરો વરસાવી રહી હતી. આ સિવાય હથિયારો સાથે રસ્તા પર ઉતરી ગયેલા કટ્ટરપંથીઓની ભીડમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા સામેલ હતા. તેમની પાસે લાકડીઓ અને ધારદાર હથિયારો પણ હતા. પદ્માકર દાવો કરે છે કે હિંદુ પક્ષના ઘણા વડીલો શાંતિ માટે અપીલ કરી રહ્યા હતા, પરંતુ મુસ્લિમ પક્ષમાંથી કોઈ શાંતિની અપીલ કરતા જોવા મળ્યું નહીં.

    ક્યાંથી આવી આટલી બધી કાચની બોટલો?

    પદ્માકરને એ વાતનું પણ આશ્ચર્ય છે કે હુમલાખોરો પાસે એટલી બધી કાચની બોટલો ક્યાંથી આવી. તેમણે કહ્યું કે મહારાજગંજ બજારમાં ઠંડા પીણા વગેરેનો કોઈ દુકાનદાર નથી. આવી સ્થિતિમાં, આટલી બધી બોટલો પહેલેથી કેવી રીતે સંગ્રહિત કરવામાં આવી? પદ્માકરના કહેવા પ્રમાણે, અચાનક આટલા પત્થરો અને હથિયારોમાંથી બહાર આવવું એ સંકેત છે કે અબ્દુલ હમીદ અને તેના સાથીઓએ હુમલાની તૈયારીઓ અગાઉથી જ કરી લીધી હતી.

    પદ્માકરનો દાવો છે કે જ્યારે બહરાઈચ પોલીસે હિંદુઓને મદદ કરવાને બદલે દોડાવી દોડાવીને મારવાનું શરૂ કરી દીધું. જેના કારણે પદ્માકર સહિત અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલામાં કોઈનો હાથ ભાંગી ગયો હતો તો કોઈનું મોં ફાટી ગયું હતું. આખરે પદ્માકરે પોતાનો જીવ બચાવ્યો અને ખેતરોમાં થઈને ઘર તરફ ભાગ્યા પરંતુ ઘાયલ થવાના કારણે તે રસ્તામાં બેભાન થઈને પડી ગયા.

    પદ્માકરના કહેવા પ્રમાણે, તેમના મિત્રોએ તેના પર પાણીના છાંટા નાખ્યા અને તેમને ઉપાડીને ઘરે લઈ ગયા. તેમના પગમાં ઈજા થઈ હતી. ઘરે પહોંચતા જ તેમનો પરિવાર તેમને સારવાર માટે મહાસીની હોસ્પિટલમાં લઈ ગયો હતો. પગમાં હજુ પણ ઈજાઓ જોઈ શકાય છે, જેની સારવાર ચાલી રહી છે. પદ્માકર દીક્ષિતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

    પોતાના બચાવમાં ખોટા આક્ષેપ કરી રહેલ મુસ્લિમ પક્ષ

    જ્યારે અમે પદ્માકર દીક્ષિતને મુસ્લિમ પક્ષ દ્વારા લગાવવામાં આવી રહેલા આરોપો વિશે પૂછ્યું તો તેમણે તે આરોપોને સત્ય નહીં પરંતુ ષડયંત્ર ગણાવ્યું. તેમણે કહ્યું કે મુસ્લિમ પક્ષ આક્ષેપો કરી રહ્યું છે જેથી પોતાને બચાવી શકાય અને દોષ હિંદુઓ પર થોપી શકાય. હિંદુઓને પીડિત ગણાવતા પદ્માકરે કહ્યું કે હિંદુઓ અને મૂર્તિઓ પર હુમલો કરનાર મુસ્લિમ પક્ષ હતો. તેમણે સરફરાઝ અને તાલિબના એન્કાઉન્ટર પર પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

    પદ્માકર દીક્ષિતે કહ્યું કે બંને આરોપીઓને પગને બદલે છાતીમાં ગોળી મારવી જોઈતી હતી. અત્યાર સુધીની પોલીસ કાર્યવાહીને અપૂરતી ગણાવતા પદમાકરે કહ્યું કે આનાથી હુમલાખોરોનું મનોબળ વધુ વધ્યું છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે આ વખતે તેઓએ એકની હત્યા કરી હતી, પરંતુ આગલી વખતે તેઓ ચારની હત્યા કરી શકે છે. પદ્માકરને ડર છે કે રામગોપાલ મિશ્રાના હત્યારાઓ ટૂંક સમયમાં છૂટી શકે છે.

    વડોદરાની સુશિક્ષિત મહિલા કઈ રીતે બની સાયબર ફ્રોડના ડિજિટલ અરેસ્ટનો ભોગ: જાણો શું હોય છે મોડસ ઓપરેન્ડી, આવા સ્કેમથી બચવા શું કરી શકાય?

    છેલ્લા કેટલા સમયથી સોશિયલ મીડિયામાં એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો વડોદરાની (Vadodara) એક ખાનગી શાળાની શિક્ષિકાનો છે. વડોદરાની આ મહિલા શિક્ષક સાયબર ફ્રોડના ડિજિટલ અરેસ્ટનો (Cyber Fraud) ભોગ બની છે. ઠગ કંપનીએ મહિલાને વિડીયો કોલ પર પ્રતાડિત કરીને તેની પાસેથી રૂપિયા પડાવી લીધા છે. ઠગ ટોળકીએ મુંબઈ ક્રાઈમ બ્રાંચ, IPS અધિકારી અને CBIના નામે મહિલાને 4 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) રાખી હતી. આ મામલે સાયબર ક્રાઈમમાં (Cybercrime) ફરિયાદ નોંધવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકે કામ કરતા 39 વર્ષીય મહિલાએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદ બાદ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેમને ગત 24 ઑગસ્ટ 2024ના રોજ એક કોલ આવ્યો હતો અને તેમાં તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમના નામનું એક કુરિયર મુંબઈથી થાઈલેન્ડ ગયું છે, જેમાં ડ્રગ્સ, ગેરકાયદેસર પાસપોર્ટ અને અન્ય કેટલીક વાંધાજનક વસ્તુ છે. આ ફોનમાં પીડિતાને તાત્કાલિક મુંબઈ જઈને પોતાને સરેન્ડર કરી દેવાનું કહેવામાં આવ્યું હતું.

    આધારકાર્ડની માહિતી આપી અને મહિલા શિક્ષક ગભરાયા

    મહિલાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેમને ભરોસો ન આવ્યો, પરંતુ સામે છેડેથી ઠગ ટોળકીએ તેમને તેમના આધારકાર્ડની માહિતી આપી. આ સાંભળી તેઓ ડરી ગયા અને તેમની વાતોમાં આવી ગયા. તેમણે કહ્યું કે, “હું ડરી ગઈ અને મુંબઈ આવવા સક્ષમ ન હોવાનું કહ્યું. એટલે તેમણે મારો ફોન સાયબર ક્રાઈમ મુંબઈમાં ડાયવર્ટ કરવાનું કહ્યું. તેમણે કોલ ટ્રાન્સફર કર્યો અને એક વ્યક્તિ સાથે મારી વાત કરાવી. તે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. તેણે મને સતત 4 કલાક સુધી સ્ક્રીન સામે બેસાડી રાખી હતી. મારાં બાળકો શાળાએ હતાં અને મારા પતિ પણ ગાંધીનગર ગયા હતા.”

    પતિને ગોળી મારી દેવાની ધમકી આપી

    મહિલાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેમના બાળકો જ્યારે શાળાએથી ઘરે આવી ગયા અને દરવાજો ખખડાવી રહ્યા હતા, તે સમયે પણ આરોપીઓએ તેમને કેમેરાથી દૂર થવાની નાં પાડી હતી. તેમણે કહ્યું કે, “મારા બાળકો ઘરે આવીને દરવાજો ખખડાવતાં હતાં. હું જોવા માટે ગઈ તો તે લોકોએ મને કહ્યું હતું કે તમે ડિસ્કનેક્ટ થતાં નહી. તેમ છતાં મેં 3 વખત વિડીયો કોલ ડિસ્કનેક્ટ કર્યો હતો. ત્રણ વાર ફોન કાપવા છતાં, ચોથી વાર તેમનો કોલ આવ્યો અને તેમણે મારી સાથે એટલો ખરાબ વ્યવહાર કર્યો કે, હું સમસમી ગઈ. તેમણે મને ધમકી પણ આપી કે, કોલ ડિસ્કનેક્ટ કરશો તો અત્યારે જ પોલીસ તમારે ત્યાં આવશે અને તમારા પતિને ગોળી મારી દેશે.” મહત્વનું છે કે આરોપીઓએ મહિલાને પોલીસ પાસે જવાની પણ નાં પાડી હતી.

    સાયબર ઠગ મહિલાને સતત પ્રતાડિત કરી રહ્યા હતા. તેઓ જાણે સાચા અધિકારીઓ હોય તેમ સતત ઇન્ટ્રોગેશન કરતા હતા અને તેમને ‘ઊભા થાઓ, બેસી જાઓ અને રડશો નહીં. અમે તમને હાઉસ અરેસ્ટ કરીએ છીએ. તમારે ઘરમાં જ રહેવાનું છે, તમારે કોઈને કોલ કરવાનો નથી અને કોઈનો ફોન રિસીવ પણ કરવાનો નથી.’ જેવા નિર્દેશ આપી રહ્યા હતા. પીડિતાને તેઓ સતત ટોર્ચર અને હેરેસમેન્ટ કરી રહ્યા હતા. પીડિતાએ જણાવ્યું હતું કે, તેમની તેમના મગજ પર એવી પકડ બની ગઈ હતી કે તેમને કશું જ નહોતું સમજાઈ રહ્યું. એ લોકો જેવું કહેતા હતા, તેમ તેઓ કરતા જઈ રહ્યા હતા. હદ તો ત્યારે થઈ જયારે આરોપીઓના કહેવા પર પીડિતાએ પોતાની જાતને રૂમમાં લોક કરી દીધી.

    વેરીફીકેશનના નામે 1 લાખ પડાવ્યા

    નોંધવું જોઈએ કે, મહિલાને ચાર-સાડા ચાર કલાક સુધી પ્રતાડિત કર્યા બાદ આરોપીઓએ તેમને કહ્યું હતું કે, તેઓ નિર્દોષ છે તે સાબિત કરવા માટે તેમનું બેન્ક એકાઉન્ટ વેરીફાઈ કરવું પડશે. આ માટે તેમણે રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જોકે, પીડિતાએ તેમને જણાવ્યું હતું કે, તેમની પાસે તેમની માતાએ આપેલા પૈસા સિવાય બીજું કશું જ નથી. આ દરમિયાન પીડિતાએ પોતાની મેડિકલ કન્ડિશનની માહિતી પણ આ ઠગ ટોળકીને આપી હતી, પરંતુ તે છતાં તેમને કશો જ ફેર નહોતો પડ્યો. આરોપીઓએ અલગ-અલગ UPIના માધ્યમથી મહિલા પાસેથી 1 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.

    નોંધવું જોઈએ કે, આરોપીઓએ મહિલાને જણાવ્યું હતું કે, તેમનું માત્ર વેરિફિકેશન થઈ રહ્યું છે અને તેમણે આપેલી રકમ તેમને ત્રણ કલાકમાં રિફંડ મળી જશે. સ્વાભાવિક છે કે, આ આખી ઘટના ષડ્યંત્રના ભાગરૂપે હતી, તેથી પૈસા પરત તો મળવાથી રહ્યા. અંતે પૈસા પાછા ન મળ્યા ત્યારે મહિલાને પોતે છેતરાયા હોવાનું સમજાયું હતું અને તરત જ તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. પીડિતા ને આશા છે કે તેમના પૈસા તેમને પરત મળી જશે અને આરોપીઓની ધરપકડ કરીને તેમને સજા પણ આપવામાં આવશે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. દેશમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે.

    આવા સમયે શું સાવધાની રાખવી? કેવી રીતે બચવું?

    અહીં આખી ઘટના જાણ્યા બાદ એક વિચાર અને પ્રશ્ન મગજમાં ચોક્કસ આવે કે, આ મહિલા શિક્ષિકાની જગ્યાએ આપણે હોઈએ તો? તેવા સમયમાં શું કરી શકાય? તો તેનો સીધો અને સરળ જવાબ તે છે, સૌથી પહેલાં તે સમજી લેવું જરૂરી છે કે કોઈ પણ સરકારી સુરક્ષા એજન્સી કે પોલીસ વિભાગના કોઈ આયામ ક્યારેય પણ કોઈ વ્યક્તિ વિરુદ્ધ આ રીતે ઓનલાઈન કાર્યવાહી નથી કરતાં. બીજું કે, જયારે તમારા વિરુદ્ધ કોઈ પણ કેસ કે ગુનો દાખલ થાય ત્યારે તેના લીગલ પેપર્સ સાથે તમને રૂબરૂ નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહેવાંઆ આવશે અથવા તો જે-તે પોલીસ કે સરકારી વિભાગના કર્મચારીઓ રૂબરૂ બોલાવી જાણ કરશે.

    રહી વાત તમારા ઓળખપત્રોની સાચી માહિતી અંગેન તો આજના આધુનિક જમાનામાં આ પ્રકારે કોઈની માહિતી કાઢી લેવી તે ચણા-મમરા ફાકવા જેટલું સરળ બની ગયું છે. પોલીસના સાયબર ક્રાઈમ વિભાગ તેમજ સરકાર દ્વારા અવારનવાર આ મામલે જાહેરાતો બહાર પાડીને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે છે કે ઈન્ટરનેટની ભ્રામક અને અવિશ્વાસુ બાબતોથી દૂર રહેવું. જયારે પણ તમે ઈન્ટરનેટનો વપરાશ કરો છો, ત્યારે આ પ્રકારના સાયબર ઠગ તમારી જાણ બહાર તમારી અઢળક માહિતી મેળવી લેતા હોય છે. સમજી લો કે સાવચેત રહેવા છતાં જો તમે આવા કોઈ ગુનાનો ભોગ બનો છો, તો ગભરાયા વગર તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અથવા તો તેના હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ માંગો. તમે 1930 પર પણ ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છે. અથવા તો આ લિંક પર ક્લિક કરી સાયબર ક્રાઈમની ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકો છો.

    લાખો ખેડૂતો માટે આગળ આવી ગુજરાત સરકાર, ₹1400 કરોડનું રાહત પેકેજ જાહેર કરતા CM ભૂપેન્દ્ર પટેલ

    આ વર્ષે ગુજરાતમાં (Gujarat) આવશ્યકતા કરતા વધુ વરસાદ પડવાના કારણે ઘણા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. ઑગસ્ટ મહિનામાં પડેલા વરસાદે ભારે (Heavy Rain Fall) હાલાકી સર્જી હતી. જેમાં મગફળી, કપાસ ઉપરાંત શાકભાજીનો પાક પણ નિષ્ફળ ગયો હતો. આ સમસ્યાને લઈને રાજ્યભરમાંથી ખેડૂતો માટે રાહત પેકેજ ( Relief Package) જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી હતી. ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupedra Patel) સરકારે ખેડૂતો માટે ₹1400 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કર્યું છે.

    ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષનો 100% કરતા વધારે વરસાદ પડ્યો હતો. ઑગસ્ટ મહિનામાં જન્માષ્ટમી સમયના અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતે ભારે હાલાકીનો સામનો કર્યો હતો. આ દરમિયાન સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું હતું. અતિભારે વરસાદના પગલે ઘણો બધો પાક નિષ્ફળ ગયો હતો. ત્યારે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર ખેડૂતોની વ્હારે આવી છે. સરકારે ઑગસ્ટ મહિનામાં જેમના પાકને નુકસાન થયું છે તે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.

    23 ઑક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતો માટે ₹1419.62 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતોને ચૂકવવામાં આવનાર રકમમાં SDRF ઉપરાંત રાજય સરકારના રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કર્યો હતો. પેકેજના ₹1419.62 કરોડ પૈકી ₹1097.31 કરોડ SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે ₹322.33 કરોડની રકમ ચૂકવવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, ઑગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનને લઈને સરકારે ખેડૂતો માટે જાહેર કરેલ પેકેજનો લાભ રાજ્યના સાત લાખથી વધુ ખેડૂતોને મળશે. આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટાઉદેપુર એમ 20 જિલ્લાના 136 તાલુકાના 6812 ગામોનો સમાવેશ થયેલ છે.

    સાથે એ પણ નોંધવા જેવું છે કે, રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજમાં વિવિધ પ્રકારના પાકો માટે અલગ-અલગ સહાયના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. બિનપિયત પાક ધરાવતા ખેડૂતોને ₹11,000 પ્રતિ હેક્ટરના ધોરણે સહાય આપવામાં આવશે. જ્યારે પિયત પાક ધરાવતા ખેડૂતોને ₹22,000 પ્રતિ હેક્ટર આપવામાં આવશે. તે ઉપરાંત બાગાયતી પાક ધરાવતા ખેડૂતોને ₹22,500 પ્રતિ હેક્ટરની જોગવાઈ કરવામાં આવી છે અને ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ₹3,500 પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે.

    ‘આ માત્ર કાયદાનો ભંગ નહીં પણ બંધારણના મૂળભૂત અધિકારનું પણ ઉલ્લંઘન’: પરાળ બાળવા મામલે સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકારની કાઢી ઝાટકણી

    23 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે (Supreme Court) હરિયાણા (Haryana) અને પંજાબ (Punjab) સરકારની ઝાટકણી કાઢી હતી. આ બંને રાજ્યોમાં પરાળ બાળવાના (Stubble Burning) સૌથી વધુ મામલા સામે આવતા હોય છે. દિલ્હીના વાયુ પ્રદૂષણનું (Delhi Air Pollution) મુખ્ય કારણ પણ પરાળ સળગાવવાથી નીકળતો ધુમાડો જ છે. ત્યારે આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંને રાજ્યોએ પરાળ સળગાવનારાઓ સામે કોઈ શિક્ષાત્મક પગલાં લીધાં નથી. તથા જો આ સરકારો ખરેખર કાયદાનો અમલ કરવામાં રસ ધરાવતી હોય તો  એકાદ કાર્યવાહી તો કરી હોત.

    ઉલ્લેખનીય છે કે, કોર્ટે પંજાબના મુખ્ય સચિવને વકીલોને ખોટા નિવેદનો આપવાનો નિર્દેશ આપવા બદલ ઠપકો પણ આપ્યો હતો. ગયા અઠવાડિયે, સર્વોચ્ચ અદાલતે હરિયાણા અને પંજાબ સરકારોને દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હવાની ગુણવત્તાને બગાડનાર પરાળ બાળનારા ખેડૂતો સામે પગલાં ન લેવા બદલ ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે હરિયાણા અને પંજાબના મુખ્ય સચિવોને 23 ઓક્ટોબરે હાજર થવા અને ખુલાસો કરવા માટે સમન્સ પાઠવ્યા હતા.

    સરકારને કાયદાના અમલમાં રસ નથી…

    આ મામલે 23 ઓક્ટોબરે જસ્ટિસ અભય ઓકા અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું, “જો આ સરકારો કાયદાના અમલમાં રસ ધરાવતી હોત તો ઓછામાં ઓછી એક કાર્યવાહી થઈ હોત.”

    કોર્ટે પંજાબના મુખ્ય સચિવને કહ્યું હતું કે “લગભગ 1,080 ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ નોંધવામાં આવ્યા હતા, પરંતુ માત્ર 473 લોકો પાસેથી નજીવો દંડ વસૂલવામાં આવ્યો હતો. તમે 600 કે તેથી વધુ લોકોને છોડી રહ્યાં છો. અમે તમને સ્પષ્ટપણે જણાવીએ કે તમે ઉલ્લંઘન કરનારાઓને સંકેત આપી રહ્યા છો કે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. સતત છેલ્લા ત્રણ વર્ષથી આવું થઈ રહ્યું છે.”

    દર મિનિટે બદલાય છે આંકડા…

    ઉલ્લેખનીય છે કે હરિયાણાના ચીફ સેક્રેટરીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 400 પરાળ સળગાવવાની ઘટનાઓ બની જેમાંથી રાજ્યમાં 32 FIR નોંધવામાં આવી છે. આના પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “પરાળ સળગાવનારાઓના આંકડા વિશે જૂઠ બોલવામાં આવી રહ્યું છે. દર મિનિટે આંકડા બદલાતા રહે છે.”

    કોર્ટે હરિયાણા સરકારને કહ્યું, “હરિયાણા પસંદગી પૂર્વકના લોકો પાસેથી દંડ વસૂલી રહ્યું છે અને કેટલાક વિરુદ્ધ જ FIR નોંધવામાં આવી રહી છે. અમે માત્ર કેટલાક પર FIR નોંધવા બદલ અને કેટલાક પર નજીવી રકમનો દંડ લાદવા અંગે ચિંતિત છીએ.”

    ઉત્તર ભારતમાં પરાળ સળગાવવાની સમસ્યાનો સામનો કરવા માટે કડક નિયમો ન બનાવવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પણ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, ”કેન્દ્ર સરકારે કોઈ મિકેનિઝમ બનાવ્યું નથી અને પર્યાવરણ સુરક્ષા કાયદો શક્તિવિહીન બની ગયો છે.” સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને 10 દિવસમાં પરાળ સળગાવનારા વિરુદ્ધ  શિક્ષાત્મક કાર્યવાહી કરવા નવા નિયમો સૂચિત કરવા જણાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “કેન્દ્ર અને પંજાબ અને હરિયાણા રાજ્યોને યાદ અપાવવાનો સમય આવી ગયો છે કે પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં જીવવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે.” સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરાળ સળગાવવાથી થતું પ્રદુષણ કલમ 21 હેઠળના મૂળભૂત અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. વાયુ પ્રદૂષણના મામલાને દિવાળી સુધી મુલતવી રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે દિલ્હીમાં પરિવહનથી થતા પ્રદૂષણ, શહેરમાં ભારે ટ્રકોના પ્રવેશ અને કચરાને ખુલ્લામાં સળગાવવા જેવા વિવિધ મુદ્દાઓ પર વિચાર કરશે.

    જામિયા યુનિવર્સિટીમાં દીપોત્સવ મનાવી રહેલા વિધાર્થીઓ પર ઇસ્લામી કટ્ટરપંથીઓનો હુમલો: લગાવ્યા ‘અલ્લાહુ અકબર’ અને ‘પેલેસ્ટાઇન ઝિંદાબાદ’ના નારા, યુવતીઓને કહ્યું- પહેરો હિજાબ

    દિલ્હીની (Delhi) જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં (Jamia Millia Islamia University) દીપોત્સવ (Deepotsav) મનાવી રહેલા હિંદુ વિદ્યાર્થીઓ (Hindu Students) પર ઇસ્લામી કટ્ટરપંથીઓએ હુમલો (Attacked by Islamists) કરી દીધો હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે ટોળાંએ હિંદુ વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કર્યું અને મારપીટ પણ કરી હતી. ઉપરાંત પરિસરમાં બનાવવામાં આવેલી રંગોળી અને દીવાઓના સુશોભનને પણ લાત મારીને વેરવિખેર કરી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. ‘અલ્લાહુ અકબર’ અને ‘નારા-એ-તકબીર’ જેવા નારા સાથે ટોળાંએ હુમલો કર્યો હોવાનો આરોપ છે. હુમલાના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થઈ ગયા હતા, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

    જામિયા મિલિયા યુનિવર્સિટીમાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ હુમલો કર્યાની આ ઘટના મંગળવારે (22 ઑક્ટોબર) બનવા પામી હતી. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ જામિયાના ગેટ નંબર-7 પર ગુલિસ્તાન-એ-ગાલિબ (Gulistan-E-Ghalib) પાસે દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય કલા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત રંગોળી સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.

    સાંજે 7:00-7:30 વાગ્યાની આસપાસ ઇસ્લામી કટ્ટરપંથીઓએ કાર્યક્રમ પર હુમલો કરી દીધો હતો. અહીં તેમણે પગથી દીવા તોડી નાખ્યા અને રંગોળીઓ પણ વેરવિખેર કરી નાખી હતી. તેમણે અહીં હાજર વિદ્યાર્થિનીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ટોળાંએ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરતાં અલ્લાહુ-અકબરના નારા લગાવવાનું પણ શરૂ કર્યું હતું. આ ઉપરાંત ‘પેલેસ્ટાઇન ઝિંદાબાદ’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

    ‘મેવાત સ્ટુડન્ટ યુનિયનના કટ્ટરપંથીઓએ કર્યો હુમલો’

    કાર્યક્રમમાં ભાગ લેનાર જામિયાના BA માસ મીડિયા કોર્સના વિદ્યાર્થી પ્રિયાંશુ કુમારે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “દર વર્ષની જેમ આ વખતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવતીઓએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન જામિયાના મેવાત સ્ટુડન્ટ યુનિયનના કેટલાક કટ્ટરપંથીઓ આવ્યા અને ભારે હોબાળો કરવા લાગ્યા હતા.”

    પ્રિયાંશુએ ઑપઇન્ડિયાને વધુમાં જણાવ્યું કે, “મેવાત સ્ટુડન્ટ યુનિયનના ઇસ્લામી કટ્ટરપંથીઓએ અહીં ઝપાઝપી શરૂ કરી હતી. તેમણે યુવતીઓને હિજાબ પહેરવાને લઈને ધમકી પણ આપી હતી. આ પછી તેઓ ‘અલ્લાહુ અકબર’ અને ‘નારા-એ-તકબીર’ના નારા લગાવવા લાગ્યા હતા. હિંદુ વિદ્યાર્થીઓને જેમતેમ કરીને અહીંથી બહાર કાઢવામાં આવ્યા હતા.”

    પ્રિયાંશુએ એ પણ જણાવ્યું કે, મેવાત સ્ટુડન્ટ યુનિયનના કટ્ટરપંથીઓએ અહીં જબરદસ્તી દરેકના આઈકાર્ડ તપાસવાનો પ્રયાસ કર્યો હયો, ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે પણ તેમણે અવરોધો ઉભા કર્યા હતા. પ્રિયાંશુએ જણાવ્યું કે, આ મુસ્લિમ કટ્ટરપંથીઓ મોટી સંખ્યામાં હુમલો કરવાની યોજના સાથે જ આવ્યા હતા.

    જામિયામાં હોબાળાની માહિતી મળ્યા બાદ સ્થળ પર ભારે પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી હતી. હોબાળો કરનારની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ દરમિયાન ABVPએ જામિયા પ્રશાસન અને દિલ્હી પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે માંગ કરી છે કે, આ તોફાનીઓની ઓળખ કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવે અને સજા આપવામાં આવે.

    મુસ્લિમ સગીરે ભગવાન રામ અને માતા સીતા પર કરી અભદ્ર ટિપ્પણી, રસ્તા પર ઉતરી આવ્યા આક્રોશિત હિંદુઓ: ગાંધીનગરનું સાદરા ગામ સજ્જડ બંધ, હિંદુ સંગઠને ઑપઇન્ડિયાને કહ્યું- 6 મહિનાથી વધી રહ્યો છે ઉત્પાત

    ગાંધીનગરના (Gandhinagar) સાદરા (Sadra) ગામના રહેવાસી એક મુસ્લિમ સગીરે (Muslim Minor) સોશિયલ મીડિયા પર ભગવાન રામ અને માતા સીતાને લઈને અભદ્ર ટિપ્પણી (Derogatory Comments on Hindu Deities) કરતાં વિવાદ ઊભો થયો છે. હજારો સ્થાનિક હિંદુઓ ઘટનાને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપી મુસ્લિમ સગીરની અટકાયત કરી લીધી છે. હાલ સાદરા ગામ સજ્જડ બંધ હોવાનું સામે આવ્યું છે. ગામમાં બહુમતી વસ્તી હિંદુઓની હોવાથી આખું ગામ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત સગીર વિરુદ્ધ કાર્યવાહીને લઈને પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

    સમગ્ર ઘટનાને લઈને બજરંગ દળના પદાધિકારી ગણપતસિંહે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, ઘટના મંગળવારે (22 ઑક્ટોબર) બનવા પામી હતી. સાદરા ગામના એક 16 વર્ષીય મુસ્લિમ સગીરે (નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કમેન્ટ કરીને ભગવાન રામ અને માતા સીતા વિશે ખૂબ જ અભદ્ર અને અશ્લીલ ટિપ્પણી કરી હતી. આ ઘટના બાદ આખા ગામમાં તેના સ્ક્રીનશોટ્સ ફેલાઈ ગયા હતા.

    મુસ્લિમ સગીરે કરેલી અભદ્ર ટિપ્પણી

    વાયુવેગે સમાચાર પ્રચરી ગયા બાદ ગામના હિંદુ સમાજના લોકો એકઠા થયા હતા અને હિંદુ સંગઠનો પણ પહોંચી ગયાં હતાં. ગણપતસિંહે વધુમાં જણાવ્યું કે, એકઠા થયેલા લોકો ખૂબ આક્રોશમાં હતા, જેના કારણે બજરંગ દળ અને અન્ય હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ લોકોને સમજાવીને કાયદાકીય કાર્યવાહી કરવા અપીલ કરી હતી. ત્યારબાદ હિંદુ સમાજના 200થી 300 લોકોએ ચિલોડા પોલીસ સ્ટેશન પહોંચીને તમામ પુરાવા રજૂ કર્યા હતા અને કાર્યવાહીની અપીલ કરી હતી.

    લોકોનો આક્રોશ જોતાં PI પરમારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી સગીરની અટકાયત કરી લીધી હતી. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી હતી. આ ઉપરાંત ઘટનાના વિરોધ માટે આસપાસના હિંદુઓ પણ સાદરામાં એકઠા થવા લાગ્યા હતા. હિંદુ સંગઠનોએ શાંતિમય અને કાયદાકીય રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે અપીલ પણ કરી હતી.

    સાદરા ગામ સજ્જડ બંધ, હિંદુઓ રેલી યોજી પહોંચ્યા પોલીસ સ્ટેશન

    ઘટનાની જાણ થતાં જ બજરંગ દળ કાર્યકરો સાદરા પહોંચ્યા હતા અને ત્યાંથી સ્થાનિક હિંદુઓ સાથે મળીને ચિલોડા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ સમક્ષ તમામ પુરાવા અને સ્ક્રીનશૉટ રજૂ કર્યા હતા.

    પોલીસ સ્ટેશન પહોંચેલા હિંદુઓને પોલીસ અધિકારીએ કડક અને ઉદહારણરૂપ કાર્યવાહીની બાહેંધરી આપી હતી. આ ઉપરાંત ગામમાં પણ આ ઘટનાના પડઘા પડવાના શરૂ થઈ ગયા હતા. ગામના બહુમતી હિંદુ સમાજે બજરંગ દળના આહ્વાન પર 23 ઑક્ટોબરના રોજ એક દિવસ માટે તમામ કામ-ધંધા અને વેપાર બંધ રાખીને બંધ પાળ્યો હતો. હાલ પણ સાદરા ગામ સજ્જડ બંધ હોવાનું સામે આવ્યું છે.

    આ ઉપરાંત હિંદુઓ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ગામમાં રેલી પણ યોજી હતી. આસપાસના વિસ્તારના હિંદુઓ પણ આક્રોશમાં હતા અને આ રેલીઓમાં જોડાયા હતા. ‘જય શ્રીરામ’, ‘જય શિવાજી, જય ભવાની’ના નારા સાથે સાદરામાં હિંદુઓની આક્રોશ રેલી નીકળી હતી. આ ઉપરાંત હિંદુ સમાજના વેપારીઓએ પણ સહયોગ આપીને દુકાન-ધંધા બંધ કરીને બજરંગ દળને સમર્થન જાહેર કર્યું હતું.

    મુસ્લિમ સગીરના માતા-પિતાએ હિંદુ સંગઠનને કરી માફીની વિનંતી

    હિંદુ સંગઠનના પદાધિકારીએ જણાવ્યું છે કે, ઘટના બાદ હિંદુઓ એક થઈ ગયા હતા અને ગામ પણ સજ્જડ બંધ થઈ ગયું હતું. આ બધી કાર્યવાહીને જોતાં આરોપી મુસ્લિમ સગીરના માતા-પિતાએ ગામના સરપંચ અને હિંદુ સંગઠનોને કાર્યવાહી ન કરવા વિનંતી કરી હતી. આરોપીના માતા-પિતાએ કહ્યું હતું કે, તેમનો દીકરો નાનો છે અને ‘ભૂલથી’ આવું કર્યું છે. આ ઉપરાંત તેમણે હિંદુ સંગઠનને સગીરની કારકિર્દી અને ભવિષ્યને બચાવવા માટે વારંવાર અપીલ પણ કરી હતી.

    હિંદુ સંગઠન અનુસાર, ગામના સરપંચ અને બજરંગ દળે સાથે મળીને આ મામલે નિર્ણય લીધો હતો કે હાલ પૂરતી કાર્યવાહી અટકાવીને મુસ્લિમ સમુદાયના લોકો પાસેથી બાહેંધરી લેવી જોઈએ કે, ફરી આવી ભૂલ નહીં થાય. ત્યારબાદ પોલીસે પણ મધ્યસ્થ બનીને હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે શાંતિસમિતિની બેઠકનું આયોજન કર્યું છે. હિંદુ સંગઠને સ્પષ્ટપણે કહ્યું છે કે, જો મુસ્લિમ સમુદાય શાંતિમય રીતે બાહેંધરી આપશે કે, હવે પછી આવું નહીં થાય તો હિંદુ સમાજ પાછું પગલું ભરવા તૈયાર છે.

    હિંદુ સંગઠને વધુમાં કહ્યું છે કે, હાલ સાદરા ગામમાં મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થઈ રહ્યા છે અને બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનો પણ ત્યાં હાજર છે. પોલીસની સાથે રહીને બંને સમુદાય વચ્ચે શાંતિસમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ ઉપરાંત સંગઠને કહ્યું કે, બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    6 મહિનાથી ગામમાં ઉત્પાત વધ્યો હોવાનો હિંદુ સંગઠનનો દાવો

    આ પહેલાં આવી કોઈ સાંપ્રદાયિક ઘટના નોંધાઈ છે કે કેમ, તેનો જવાબ આપતા હિંદુ સંગઠને કહ્યું હતું કે, આ પહેલાં આવી કોઈ ઘટના સાદરા ગામમાં નોંધાઈ નથી. જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે, સાદરા ગામની વસ્તી 8000 જેવી છે, જેમાંથી માત્ર 250 ઘર જ મુસ્લિમ સમુદાયના છે, તેથી આવી ઘટના પહેલાં ક્યારેય નોંધાઈ નહોતી. પરંતુ, સંગઠને એવો પણ દાવો કર્યો છે કે, ગામમાં છેલ્લા 6 મહિનાથી ઉત્પાત વધ્યો છે. તેમણે કહ્યું કે, શાળાની નજીકમાં જ એક મસ્જિદ આવેલી છે. તે મસ્જિદમાં મોટાં સ્પીકર લગાવીને 6 વખત મોટા અવાજે અજાન વગાડવામાં આવી રહી છે.

    હિંદુ સંગઠને કહ્યું કે, આ પહેલાં ક્યારેય આટલી વખત અને આટલા મોટેથી અજાન વગાડવામાં આવી નહોતી, પરંતુ છેલ્લા 6 મહિનાથી આવી બધી અનેક ઘટનાઓમાં વધારો થયો છે, જે દર્શાવે છે કે, ઉત્પાત પણ વધ્યો છે. વધુમાં સંગઠને જણાવ્યું છે કે, હાલ તો ગામ સજ્જડ બંધ છે, સાંજ સુધીમાં શાંતિસમિતિનો નિર્ણય આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    બક્સરમાંથી TMC નેતા કરી રહ્યા હતા હાથીદાંતની તસ્કરી, રંગે હાથ ઝડપાયા: લાખોની કિંમત, 40 કિલોનું વજન; પોલીસે કરી 5 આરોપીઓની ધરપકડ

    બિહારના બક્સરમાંથી (Buxar) વન વિભાગે પશ્ચિમ બંગાળની સત્તારૂઢ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતાની ધરપકડ કરી હતી. વન વિભાગે TMC નેતા અશોક કુમાર ઓઝાના (Ashok Kumar Ojha) ઘરે દરોડા પાડ્યા હતા. દરમિયાન પોલીસને લાખો રૂપિયાના હાથીદાંત (Elephant Teeth) મળી આવ્યા હતા. TMC નેતા હાથીદાંત વેચવાની તૈયારીમાં જ હતા તે દરમિયાન પોલીસ અને વન વિભાગના દરોડા પડતાં તેમનો ગુનો પકડાઈ ગયો હતો. પોલીસે અશોક ઓઝા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી.

    દિલ્હીથી ગુપ્તચર વિભાગની ટીમને મળેલી માહિતીના આધારે, બક્સર પોલીસે બક્સર અને ભોજપુરના વન વિભાગના કર્મચારીઓ સાથે મળીને સંયુક્ત કાર્યવાહી કરીને TMC નેતા અશોક કુમાર ઓઝાના ઘરે દરોડા પાડયા હતા. TMC નેતા બિહારના બક્સરના બ્રહ્મપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકુલી ગામના રહેવાસી છે.

    દરોડા દરમિયાન દરોડા બક્સર પોલીસે બક્સર અને ભોજપુરના વન વિભાગના કર્મચારીઓની ટીમને લાખોની કિંમતના 2 હાથી દાંત મળી આવ્યા હતા. દરોડા દરમિયાન મળેલ હાથી દાંતનું વજન આશરે 40 કિલો હોવાનું સામે આવ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે જે હાથીના દાંત મળી આવ્યા છે તેનું મોત કોરોના સમયગાળા દરમિયાન થયું હતું. ઉલ્લેખનીય છે કે આ મામલે પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુવેંદુ અધિકારીએ પણ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી.

    પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે દેવકુલી ગામમાં કોરોનાના સમયગાળા દરમિયાન એક હાથીનું મોત થયું હતું. ત્યારબાદ તેના બંને દાંત ગેરકાયદેસર રીતે વેચવાની યોજના બનાવવામાં આવી હતી. દેવકુલી ગામના રહેવાસી અને TMC નેતા અશોક કુમાર ઓઝા બંને હાથીદાંત વેચવાની તૈયારી કરી રહ્યા હતા. તેમની પાસે ચાર તસ્કરો આ હાથીદાંત ખરીદવા આવ્યા હતા. આ દરમિયાન જ પોલીસે તેમની અશોક ઓઝાના ઘરે દરોડા પાડી આરોપીઓની ધરપકડ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે હાથીદાંત જપ્ત કર્યા બાદ પોલીસે TMC નેતા અશોક ઓઝા સહિતના 5 આરોપીઓની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીઓને બક્સર સિવિલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અશોક ઓઝા પાસે હાથીદાંત ખરીદવા આવેલ આરોપીઓની ઓળખ બેગુસરાયના ગણપત સાહ (61 વર્ષ), પિપરા જગદીશપુરના મનોજ કુમાર પાંડે, કરકટ રોહતાસના પારસ નાથ રામ નિવાસી અને તિરાસી બિગાહ રોહતાસના ધનંજય પ્રસાદ સિઘ તરીકે કરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે પોલીસે ખુલાસો કર્યો હતો કે કોવિડ દરમિયાન હાથીના મૃત્યુ પછી, તેના દાંતને ગેરકાયદેસર રીતે વેચવાની યોજના ઘડવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે હાથીના દાંતની દાણચોરી એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગંભીર ગુનો છે. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દાણચોરીના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય સભ્યોને શોધી કાઢવા માટે વધુ તપાસ કરી રહી છે.