Wednesday, April 1, 2026
More
    Home Blog Page 279

    હિંદુ નામથી ID બનાવી ₹50 હજારમાં વેચતા હતાં શાહરુખ અને તેની ગેંગ: તેના આધારે જ સીમકાર્ડ ખરીદી ખોલાવતા હતા બેન્ક ખાતા: યુપીમાં ઝડપાયું આખું રેકેટ

    ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) ‘સાયબર ફ્રોડ’ (Cyber Fraud) સાથે જોડાયેલો એક નવો મામલો સામે આવ્યો છે, જેને ‘સીમ જેહાદ’ (Sim Jihad) કહેવામાં આવી રહ્યો છે. આમાં મુસ્લિમ સમાજના ગુનેગારો હિંદુઓના નામે બેંક ખાતા ખોલાવી સીમકાર્ડ એક્ટિવેટ કરી રહ્યા છે અને પછી નૂંહ અને મેવાતના સાયબર ઠગોને વેચી રહ્યા છે. આ સીમનો ઉપયોગ સાયબર ગુનાઓ માટે કરવામાં આવી રહ્યો છે, જેના કારણે છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ ‘સીમ જેહાદ’નો ખુલાસો શાહરુખ નામના એક ગુનેગારની ધરપકડ બાદ થયો હતો, જેમાં તેની પાસેથી હિંદુ આઈડીનો ઉપયોગ કરીને લેવામાં આવેલા સિમ, બેંક ખાતાની વિગતો અને એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.

    મીડિયા રિપોર્ટ અનુસાર, યુપી એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)એ આ નેટવર્કનો પર્દાફાશ કરતા શાહરૂખ ખાન નામના આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતીના આધારે, યુપી એસટીએફના આગ્રા યુનિટે બુધવારે (16 ઓક્ટોબર 2024) રાત્રે ખંડારી વિસ્તારના સેન્ટ્રલ હિન્દી ઇન્સ્ટિટ્યૂટ રોડથી એક કારને અટકાવી હતી, જેમાં બે લોકો સવાર હતા. એક વ્યક્તિ નાસી છૂટ્યો હતો, જ્યારે બીજાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલી વ્યક્તિની ઓળખ શાહરૂખ ખાન તરીકે થઈ હતી, જે અચનેરાનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી 10 એક્ટિવ સીમકાર્ડ અને 14 બેંક ખાતાઓના એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.

    શાહરૂખ ભંગારનું કામ કરે છે, પરંતુ સાયબર ક્રિમિનલ ગેંગના સંપર્કમાં આવ્યા બાદ તેણે બનાવટી સીમ અને બેંક એકાઉન્ટ આપવાનું કામ શરૂ કર્યું હતું. દિલ્હીમાં રહેતા તેના ભાઈ એમકે અને હરિયાણાના મેવાતમાં સંબંધીઓના કારણે તે આ ગેંગ સાથેના ગુનાઓમાં સામેલ થવા લાગ્યો હતો. શાહરૂખ પોતાના સહયોગી મથુરા નિવાસી તેજવીર સાથે મળીને આગ્રા અને મથુરાના ગ્રામીણ વિસ્તારના શ્રમજીવીઓને પૈસાની લાલચ આપીને સીમ અને બેંક ખાતા ખોલાવતો હતો. આ બેંક ખાતાઓ અને સીમનો ઉપયોગ સાયબર ગુનેગારો મારફતે યુપીઆઈ આઈડી અને વોટ્સએપ કોલ્સ દ્વારા લોકોને છેતરવા માટે કરવામાં આવ્યો હતો.

    શાહરૂખ અને તેના સાથીઓ ગ્રામીણ વિસ્તારના ઓછા ભણેલા અને મજૂર વર્ગના લોકોને લાલચ આપીને તેમના નામે સીમ અને બેંક ખાતા ખોલાવતા હતા. આ લોકો 2 થી 5 હજાર રૂપિયાની મામૂલી રકમ લેતા હતા અને પોતાના આઈડી પર સીમ અને એકાઉન્ટ ખોલવા માટે તૈયાર થઈ જતા હતા. શાહરૂખ અને તેના સાથીઓ આ ખાતાઓ અને સીમ સાયબર ઠગ્સને 50 હજાર રૂપિયામાં વેચતા હતા. આ સિમનો ઉપયોગ સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડી માટે કરવામાં આવતો હતો. ખાસ કરીને આ સીમકાર્ડનો ઉપયોગ યુપીઆઈ પેમેન્ટ ફ્રોડ અને નકલી વોટ્સએપ કોલ માટે કરવામાં આવતો હતો. સાયબર ગુનેગારો આ ખાતાઓમાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરતા હતા, જે પાછળથી એટીએમ અથવા ઓનલાઇન બેંકિંગ દ્વારા પાછા ખેંચી લેવામાં આવતા હતા.

    આ મામલે જ્યારે એસટીએફે વોટ્સએપ ચેટની તપાસ કરી, ત્યારે વધુ એક ચોંકાવનારી વાત સામે આવી હતી. સાયબર ગુનેગારો એક ધર્મ (હિંદુઓ)ના લોકોના આઈડી પર જ સિમ અને એકાઉન્ટ ખરીદી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. તેમનો ઉદ્દેશ એ હતો કે જો પોલીસ તપાસ કરે તો તેમના ધર્મના લોકો સામે કોઈ કાર્યવાહી ન થાય અને તમામ મુશ્કેલીઓ અન્ય ધર્મના લોકો (હિંદુઓ) પર આવે. શાહરૂખના મોબાઇલ ફોનથી મળેલા મેસેજથી જાણવા મળ્યું છે કે, સાયબર ગુનેગારોએ ખાસ કરીને અન્ય ધર્મના લોકોના નામે સીમ અને એકાઉન્ટ માંગ્યા હતા, જેથી તેઓ પોતાને પોલીસથી બચાવી શકે.

    એસટીએફ આગ્રા એકમના ઇન્સ્પેક્ટર યતેન્દ્ર શર્માએ આ મામલે જણાવ્યું હતું કે દિલ્હી અને મેવાતમાં સક્રિય સાયબર ગુનેગારોને આગ્રાથી સીમકાર્ડ પૂરા પાડવામાં આવી રહ્યા છે. પોલીસને માહિતી મળી હતી કે નકલી આઈડી પર સીમકાર્ડ ખરીદવામાં આવી રહ્યા છે અને છેતરપિંડી માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શાહરૂખ ખાન અને તેનો સાથી તેજવીર આ ષડયંત્રમાં સામેલ હતા અને તેમણે ઓછા ભણેલા લોકોને તેમના નામે સીમકાર્ડ અને બેંક ખાતા ખોલાવવાની લાલચ આપી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

    આ નેટવર્કના કારણે આગ્રામાં ઘણા લોકો સાઇબર ફ્રોડનો શિકાર બન્યા છે. સાયબર ઠગોએ ધમકી આપતાં એક શિક્ષકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક શિક્ષક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ કેસ સાયબર ગુનાઓની ગંભીરતા દર્શાવે છે, જેમાં નિર્દોષ લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. પોલીસ હવે શાહરૂખના ફરાર સાથી તેજવીરની શોધમાં છે, જે આ ગુનામાં સામેલ હતો અને સીમ સપ્લાય કરતો હતો. મથુરામાં પોલીસે તેજવીરના ઠેકાણાઓ પર પણ દરોડા પાડ્યા હતા, પરંતુ તે હજુ ફરાર છે.

    ભૂતકાળમાં આગ્રા અને તેની આસપાસના વિસ્તારોમાં સાયબરના અનેક ગુનાઓ નોંધાયા છે. દિલ્હીના જગદીશપુરા વિસ્તારમાંથી અગાઉ ત્રણ યુવકો સાયબર ક્રાઇમમાં ઝડપાયા હતા, જેઓ વિદેશમાં સીમ સપ્લાય કરતી ગેંગ સાથે સંકળાયેલા હતા. અચનેરા વિસ્તારમાં સાયબર ફ્રોડના ગુનામાં પણ ઘણા ગુનેગારો પકડાયા છે, જેમાંથી ઘણાના રાજસ્થાનના ભરતપુર અને અલવર જિલ્લામાં સંબંધીઓ છે. આ વિસ્તારોમાં ઘણી સાયબર ક્રાઇમ ગેંગ સક્રિય છે, જે યુવાનોને તેમની સાથે જોડે છે.

    ‘હું કલાઈનારનો પૌત્ર, માફી નહીં માંગું’: સનાતન ધર્મને ડેંગ્યુ-મેલેરિયા ગણાવી તેને ખતમ કરવાની વાત કરનાર ઉદયનિધિ સ્ટાલિન પોતાના નિવેદન પર અડગ

    તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલિને (Udhayanidhi Stalin) તેમના નિવેદન પર માફી માંગવાનો ઇનકાર કર્યો (Refusal to Apologize) છે, જેમાં તેમણે સનાતન ધર્મને ‘ખતમ’ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, તેમના નિવેદનનો હેતુ મહિલાઓ પ્રત્યે કથિત દમનકારી પ્રથાઓ પર પ્રશ્નો ઉઠાવવાનો હતો. DMK નેતાનું કહેવું છે કે, તેમના શબ્દોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સપ્ટેમ્બર 2023માં વિવાદ થયો હતો.

    ઉદયનિધિ સ્ટાલિને કહ્યું છે કે, “મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા હતા. મારી વિરુદ્ધ માત્ર તમિલનાડુમાં જ નહીં, પરંતુ ભારતભરની ઘણી અદાલતોમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ હું મારા નિવેદન પર અડગ છું. હું કલાઈનારનો પૌત્ર છું, માફી નહીં માંગું . તેમણે કહ્યું કે તેઓ તમામ કાયદાકીય બાબતોનો સામનો કરશે.

    સનાતન ધર્મના અપમાન બાદ દેશભરમાં નોંધાઈ હતી FIR

    ઉલ્લેખનીય છે કે, ઉદયનિધિ સ્ટાલિને સપ્ટેમ્બર 2023માં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત કોન્ફરન્સમાં સનાતનની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના વાયરસ સાથે કરી હતી અને તેને ખતમ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. તેમના આવા અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદનનો દેશભરમાં વિરોધ થયો હતો અને ઘણી જગ્યાએ તેમની વિરુદ્ધ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી હતી.

    ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્રમાં ઉધયનિધિ સ્ટાલિન વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમની સામે કાર્યવાહીથી બચવા માટે તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા અને તમામ FIRને એકસાથે જોડીને કેસની સુનાવણી કરવાની માંગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમની માંગ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો . ઉધયનિધિના કેસમાં મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે, તેમની ટિપ્પણી સમાજમાં વિભાજનકારી છે. આ પહેલાં કર્ણાટક હાઈકોર્ટે ઉધયનિધિના કેસની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.

    ગાંધીનગરમાં ‘લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ’માં સંમેલિત થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ: સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટના સભ્યો, ધારાસભ્યો અને સાંસદો પણ રહ્યા ઉપસ્થિત

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે (Amit Shah in Gujarat) ગુજરાતની મુલાકાતે છે. આજે (22 ઓકટોબર 2024) તેમનો જન્મદિવસ પણ છે. આ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત હતા. આણંદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપીને તેઓ ગાંધીનગર ખાતે ‘લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ’ (legislative drafting training) કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટના સભ્યો, ધારાસભ્યો અને સાંસદો સહિત ઉપસ્થિત રહ્યા હતા. અહીં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તંદૂરસ્ત કાયદાને પગલે ગુજરાતનો વિકાસ થયો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભામાં ‘લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ’ કાર્યક્રમ પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારોને કાયદો અને વિધાનસભા પ્રક્રિયાની માહિતી અને કુશળતા પ્રદાન કરવાના હેતુથી યોજવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમ દ્વારા વિધાનસભાના કાર્યક્ષમતા વધારવા માટેના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા. આ લીગલ ડ્રાફ્ટિંગ અંગેના સમગ્ર દિવસના તાલીમ સત્રની અધ્યક્ષતામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), કેબિનેટના સભ્યો, ધારાસભ્યો અને સાંસદો સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ કાયદાકીય મુસદ્દાની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ માટે વિશિષ્ટ તાલીમ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે, જેમાં નિષ્ણાતો આખો દિવસ માર્ગદર્શન પૂરું પાડવાના છે.

    મહત્વપૂર્ણ છે કે વિવિધ રાજ્ય વિભાગોના વર્ગ-1 અધિકારીઓ પણ આ વર્કશોપમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં ચાર મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે: ભાષાનો મુસદ્દો તૈયાર કરવો, કાયદાકીય મુસદ્દા માટે બંધારણીય જોગવાઈઓ, બિલો અને નિયમોના માળખાં અને બંધારણો અને વૈધાનિક અર્થઘટનના સામાન્ય નિયમો, જે કેસ સ્ટડીઝ દ્વારા પૂરક છે.

    લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ વિભાગનું મહત્વ સમજાવ્યું

    આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજર લોકોને સંબોધ્યા હતા. તેમણે ગુજરાતના કાયદો-વ્યવસ્થા અને તેના થકી ગુજરાતના વિકાસ કાર્યોને ઉપલક્ષમાં કહ્યું કે, “કાર્યકર્તાઓ, ધારાસભ્યો, સંસદસભ્યો, સંગઠનના કાર્યકર્તાઓ જનતા વચ્ચે જઈ તેમની તકલીફો અને જરૂરિયાતો જાણે છે અને તે તેમના માધ્યમથી સરકાર સુધી પહોંચે છે. તે સંવેદનાઓ સરકાર સુધી પહોંચ્યા બાદ તેનો પોલીટીકલ સ્વરૂપ એક કેબીનેટ નોટ અને તેને કાયદામાં ઢાળવાનું કામ લેજિસ્લેટિવ વિભાગનું છે. આગળની પ્રક્રિયા બહુ સરળ છે.”

    તેમણે કહ્યું કે, “સામાજિક એ રાજકીય કામ કરતા લોકો જનતાની વેદના અને તકલીફો અને જરૂરિયાતો પારખે અને તેને વાચા આપે તે પ્રક્રિયા સરળ છે. આખા રાજ્યમાં આતંકવાદ સમાપ્ત કરવાની ઈચ્છા રાખવી સરળ છે, પણ તેને સમાપ્ત કરવા જે કાયદો લાવવો હોય તો તે કામ લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગનું છે. જ્યાં સુધી લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ કાયદો લખવાની પ્રક્રિયા સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે સુવિકસિત ન હોય ત્યાં સુધી લોકતંત્ર સફળ ન થઈ શકે.” આ દરમિયાન તેમણે પોતાના ભૂતકાળના અનુભવોને પણ વાગોળ્યા હતા. તેમણે ગુજરાતમાં તેમના કાર્યકાળ દરમિયાન શીખેલી વાતો આજે કેવી રીતે તેમને કેન્દ્રમાં કામ લાગી રહી છે તે વિશે પણ જણાવ્યું હતું.

    આ આખા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કાયદા કેવીરીતે બની શકે, નિયમો કેવી રીતે ઘડાય આ તમામ પાછળ લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ વિભાગ કેટલું મહત્વનું કાર્ય કરે છે તે વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે આ દરમિયાન ભારતના બંધારણ સભાના સભ્યો અને તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરીઓ પણ યાદ અપાવી હતી.

    22 હિંદુ અને 6 ખ્રિસ્તી યુવતીઓ હતી શિકાર, જાળમાં ફસાવી કરાવતો હતો ધર્માંતરણ, ત્રણ ઈસમોની પણ સંડોવણી: કચ્છ લવ જેહાદ કેસના આરોપી જિયાદને લઈને અનેક ખુલાસા

    તાજેતરમાં જ કચ્છ જિલ્લાના માંડવી (Mandvi) તાલુકાના એક ગામમાં લવ જેહાદનો કેસ (Kutch Love Jihad Case) સામે આવ્યો હતો. દલિત યુવતીએ (Dalit Girl) પુણેના જિયાદ (Jiyad) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની પુણે (Pune) જઈને ધરપકડ પણ કરી લીધી હતી અને કોર્ટ દ્વારા તેના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી લીધા હતા. હવે કચ્છ લવ જેહાદના કેસમાં પોલીસે અનેક ઘટસ્ફોટ કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી જિયાદ સોશિયલ મીડિયાના મધ્યમથી 28 યુવતીઓના સંપર્કમાં હતો, જેમાંની 22 હિંદુ યુવતીઓ હતી અને 6 ખ્રિસ્તી યુવતીઓ હતી. આ ઘટનાને હવે મોટા ષડ્યંત્ર તરીકે જોવામાં આવી રહી છે.

    કચ્છ લવ જેહાદના આરોપી જિયાદને લઈને પોલીસે અનેક ઘટસ્ફોટ કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી જિયાદ સોશિયલ મીડિયાના દ્વારા 28 યુવતીઓના સંપર્કમાં હતો, જેમાંથી 22 હિંદુ યુવતીઓ હતી અને 6 ખ્રિસ્તી યુવતીઓ હતી. આ ઉપરાંત કહેવાય રહ્યું છે કે, તેણે યુવતીઓને ફસાવીને ધર્માંતરણ માટે દબાણ પણ ઊભું કર્યું હતું. આરોપીના રિમાન્ડ દરમિયાન આ ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે. આ ખુલાસા સામે આવતા હવે સમગ્ર પ્રકરણ વ્યવસ્થિત અને સુનિયોજિત ષડ્યંત્ર હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

    આ ઉપરાંત આ પ્રકરણમાં અન્ય ત્રણ આરોપીઓની સંડોવણી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. આ કેસની તપાસ કરનાર DySP એમજે ક્રિશ્ચયને જણાવ્યું છે કે, 28 યુવતીઓને ‘હાય’ લખીને મેસેજ કર્યા હતા, જેમાંથી 22 યુવતીઓ હિંદુ અને 6 યુવતીઓ ખ્રિસ્તી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, આરોપીના મોબાઈલમાંથી મળેલી વિગતો પણ ચોંકાવનારી છે. આ સમગ્ર ષડ્યંત્રમાં આરોપી સાથે અન્ય ત્રણ ઈસમો સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

    શું છે સમગ્ર ઘટના?

    પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, ત્રણ વર્ષ અગાઉ ફરિયાદી યુવતી પોતાના વતન કચ્છથી દૂર પરિવાર સાથે મુંબઈ રહેવા ગઈ હતી. દરમિયાન જિયાદે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ઉપર જીગર નામની ફેક આઈડી બનાવીને હિંદુ યુવતી સાથે પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ તેને ફોસલાવીને બે વખત બળાત્કાર પણ ગુજાર્યો. તે સમયે યુવતી સગીર હોવાનું પણ સામે આવ્યું છે.

    પછીથી પીડિત યુવતીએ લગ્ન કરવાનું કહેતાં જિયાદે ભાંડો ફોડ્યો હતો અને પોતે મુસ્લિમ હોવાનું જણાવ્યું હતું. પોતે છેતરાઈ હોવાનું જાણવા મળતાં જ યુવતીએ સંબંધ તોડી નાખ્યો હતો પરંતુ આરોપ છે કે ત્યારબાદ પણ આરોપી તેને હેરાન કરતો રહેતો હતો.

    આરોપીથી કંટાળીને યુવતી અને પરિવાર બે વર્ષથી વતનમાં રહેવા આવી ગયાં હતાં. થોડાક માસ અગાઉ યુવતીની પોતાના જ સમાજના એક યુવક સાથે સગાઈ પણ થઈ હતી. પરંતુ જિયાદે ઉશ્કેરાઈને યુવતી સાથેના અશ્લીલ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં સગાઈ તૂટી ગઈ હતી. અંતે કંટાળીને યુવતીએ આરોપી વિરુદ્ધ ભુજ સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ કરી હતી.

    જ્યારે જિયાદે તેનો બળાત્કાર કર્યો ત્યારે યુવતી સગીર હોવાના કારણે પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021ની કલમ 4 અને પોક્સો એક્ટની (POCSO Act) કલમ 4, 6 અને 10 હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ ઈપીકોની કલમ 376(2)(N), 506 તથા યુવતી અનુસૂચિત જાતિની હોવાથી એટ્રોસિટી એક્ટની કલમો પણ લગાડવામાં આવી છે. 

    હોસ્પિટલની નીચે બંકર, બંકરમાં આતંકીઓનો ₹4000 કરોડનો ખજાનો… ઇઝરાયલે લેબનાનની જનતા માટે જાહેર કર્યું સરનામું: આ પહેલા IDFએ ફૂંકી મારી હતી હિઝબુલ્લાહની બેંક

    ઇઝરાયલી સુરક્ષા દળોએ (IDF) હિઝબુલ્લાહની (Hezbollah) આતંકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડતી બેંક પર બોમ્બમારો કર્યો છે. ઇઝરાયલ (Israel) દ્વારા લેબનાનમાં આવેલી આ બેંકની અનેક શાખાઓ પર એક સાથે બોમ્બમારો (Bombing of Lebanon) કરવામાં આવ્યો છે. ઇઝરાયલે એ પણ ખુલાસો કર્યો છે કે હિઝબુલ્લાહે એક હોસ્પિટલની નીચે સોનું અને લાખો ડોલર સંતાડી રાખ્યા છે.

    ઇઝરાયલે સોમવારે (21 ઓક્ટોબર, 2024) બૈરુતનીમાં અલ કર્દ-અલ-હસન નામની નાણાકીય સંસ્થાની કેટલીક શાખાઓ પર બોમ્બમારો કર્યો હતો. આ એક ઈસ્લામિક બેન્કિંગ સંસ્થા છે, એટલે કે તે વ્યાજ પર કામ નથી કરતી. આ સંસ્થા પર હિઝબુલ્લાહ દ્વારા તેની નાણાકીય પ્રવૃત્તિઓ સંભાળવાનો આરોપ છે.

    આ સંસ્થા પર અમેરિકાએ વર્ષ 2007માં જ પ્રતિબંધ લગાવી દીધો હતો. હિઝબુલ્લાહ લેબનોનના લોકોને આ સંસ્થાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ બેંકનું સર્વર હેક થયા બાદ ખાતાધારકોના નામ ખુલ્યા હતા. તેમાં હિઝબુલ્લાહ લોકોના નામ પણ હતા.

    બૈરુતમાં બેંકની 15 શાખા

    હિઝબુલ્લાહના પૂર્વ ચીફ નસરુલ્લાહે હિઝબુલ્લાહના સમર્થકોને આ સંસ્થામાં પોતાના રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું. તે હિઝબુલ્લાહની શેલ કંપનીઓ ચલાવવામાં પણ મદદ કરતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇઝરાયલે હિઝબુલ્લાહની આર્થિક કમર તોડવા માટે બૈરુતમાં આ બેંકની શાખાઓને નિશાન બનાવી હતી. બૈરુતમાં આ સંસ્થાની લગભગ 15 શાખાઓ છે.

    બીજી તરફ ઇઝરાયલી સુરક્ષા દળોના (IDF) પ્રવક્તા ડેનિયલ હગારીએ પણ આ અંગે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે હિઝબુલ્લાહ લેબનાનના લોકોના પૈસા લઈને પોતાની આતંકી ગતિવિધિઓ ચલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ઇરાન અને લેબનાનના લોકો પાસેથી મળેલા પૈસા હિઝબુલ્લાહને આપવામાં આવી રહ્યા છે.

    ઇઝરાયેલે ખુલાસો કર્યો છે કે, ‘4,400 એકમો’ હિઝબુલ્લાહની નાણાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઇરાનથી પૈસા અને સોનું હિઝબુલ્લાહ પાસે આવે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે હિઝબુલ્લાહ લેબનાનમાંથી ડોલરની ચોરી કરે છે, જેના કારણે લેબનાનની અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે.

    નસરલ્લાહની ટનલમાં કરોડોનો ખજાનો

    ઇઝરાયલે આ દરમિયાન વધુ એક મોટો ખુલાસો કર્યો હતો. ડેનિયલ હગારીએ કહ્યું હતું કે, “આજે હું એ માહિતી સાર્વજનિક કરી રહ્યો છું આ હિઝબુલ્લાહના પૂર્વ ચીફ નસરલ્લાહનું બંકર છે. આ બંકર અલ સાલેહ હોસ્પિટલની નીચે જ આવેલું છે જ્યાં અમે બોમ્બ નથી ફેંક્યા. તેની નીચે એક મોટી ટનલ બનાવવામાં આવી છે અને તેમાં પ્રવેશ કરવા અને બહાર નીકળવાના માર્ગો પણ નજીકની ઇમારતોમાં છે.”

    તેમણે કહ્યું કે, “તે એક મોટું બંકર છે, તેમાં બેડરૂમ બનેલા છે અને લાંબી લડાઇ લડવા અને છુપાવવાની જગ્યા બનાવવામાં આવી છે. અહીં લાખો ડોલર રોકડમાં રાખવામાં આવે છે અને ઘણું સોનું પણ રાખવામાં આવ્યું છે. આ પૈસા અને સોનું હજી ત્યાં જ છે. અમે લેબનાન સરકાર અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને માંગ કરીએ છીએ કે આ નાણાંનો ઉપયોગ આતંક માટે ન થવો જોઈએ.” હગારીએ કહ્યું છે કે હિઝબુલ્લાહે અહીં 500 મિલિયન ડોલર (લગભગ ₹4200 કરોડ) છુપાવ્યા છે. તેમણે લેબનાનની જનતા માટે આ જગ્યાનો ખુલાસો કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

    નોંધવું જોઈએ કે, ઇઝરાયલ સતત લેબનાનની અંદર હિઝબુલ્લાહને નિશાન બનાવી રહ્યું છે. તેણે તાજેતરમાં જ આ આતંકવાદી સંગઠનના ચીફ નસરલ્લાહ અને તેના ઉત્તરાધિકારીને ફૂંકી માર્યા હતા. આટલું જ નહીં, ગાઝા પટ્ટી પર પણ ઇઝરાયલ આતંકવાદીઓને વીણી-વીણીને ખતમ કરી રહ્યું છે.

    પત્રકાર મહેશ લાંગા સંલગ્ન GST કૌભાંડ મામલે પોલીસની 6 ટીમ મેરીટાઇમ બોર્ડની ઓફિસમાં ત્રાટકી: બંદરોનો ડેટા લીક કરાયો હોવાની આશંકા, થઇ શકે છે મોટા ખુલાસા

    તાજેતરમાં જ ‘ધ હિન્દુ’ના પત્રકાર મહેશ લાંગા (The Hindu’s Journalist Mahesh Langa) સહિતના આરોપીઓની GST કૌભાંડ (GST Scam) મામલે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે આ જ GST કૌભાંડના કેસને લઈને ગુજરાત પોલીસે ગાંધીનગર (Gandhinagar) ખાતે મેરીટાઇમ બોર્ડની (Maritime Board) ઓફિસમાં તપાસ હાથ ધરી છે. આરોપ છે કે મેરીટાઇમ બોર્ડની કચેરીમાંથી કેટલાક બંદરોનો ડેટા લીક (Port data leak) કરવામાં આવ્યો હતો. હાલ પોલીસની 6 ટીમ અહીં તપાસ કરી રહી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર્યવાહી ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીનગર પોલીસની 6 ટીમોએ મેરીટાઇમ બોર્ડની ઓફિસમાં તપાસ હાથ ધરી છે. અહીં પોલીસ દ્વારા કોમ્પ્યુટર તેમજ દસ્તાવેજી ડેટા તપાસી રહી હોવાનું સામે આવ્યું છે. આ તમામ કાર્યવાહી લાંગા સહિતના લોકોના ફોનની તપાસ બાદ કરવામાં આવી રહી છે. ખુલાસો થયો છે કે મેરીટાઇમ બોર્ડની કચેરીમાં કાર્યરત કેટલાક અધિકારીઓ આરોપીઓના સંપર્કમાં હતા. તેમના દ્વારા ખાનગી બંદરોના મહત્વપૂર્ણ ડેટા લીક કરવામાં આવ્યા છે.

    આ કેસમાં જે મુજબ કાર્યવાહી ચાલી રહી છે, તે જોતા આગામી સમયમાં વધુ ધરપકડો કરવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પોલીસ દસ્તાવેજો અને કોમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ્સ સહિતની વસ્તુઓ એકઠી કરીને તેને જપ્ત કરી તેની તપાસ કરી શકે તેવી શક્યતાઓ છે. કાર્યવાહી દરમિયાન જરૂર પડ્યે કેટલાક અધિકારીઓની પૂછપરછ થઈ શકે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે.

    હામાં સુધી થયેલ કાર્યવાહી

    નોંધવું જોઈએ કે ‘પત્રકાર’ મહેશ લાંગા સહિતના આરોપીઓ પર 220થી વધુ બોગસ કંપની બનાવીને બોગસ બિલીંગ દ્વારા લગભગ ₹200 કરોડના GSTની ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે આ મહિનાની શરૂઆતમાં ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે ગુજરાતના વિવિધ સ્થળો પર દરોડા પાડી સમગ્ર કૌભાંડને ઉજાગર કરી લાંગા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.

    8 ઑક્ટોબરે ધરપકડ કરાયેલા 4 આરોપીઓના 10 દિવસ રિમાન્ડ મંજૂર થયા હતા, જેની સમયાવધિ પૂર્ણ થતાં આરોપીઓને જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. જેમાં ધ હિન્દુના પત્રકાર મહેશ લાંગા, એજાઝ ઉર્ફે માલદાર ઇકબાલ હબીબ માલદાર, અબ્દુલ કાદર ઉર્ફે બાપુ સમદ જૈનમીયા કાદરી અને જ્યોતિષ મગન ગોંડલીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 13 ઑક્ટોબરના રોજ ધરપકડ કરાયેલા અન્ય ચાર આરોપીઓના પણ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જેની સમયાવધિ પણ લાંગા સહિતના આરોપીઓ સાથે જ પૂર્ણ થઈ ચૂકી હતી. તેથી તમામ 8 આરોપીને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

    મહત્વનું છે કે આ મામલે ગત 17 ઑક્ટોબરે EDએ પણ તપાસ ચાલુ કરી હતી. અહેવાલો અનુસાર EDએ પણ અલગ-અલગ 23 જગ્યાએ દરોડા પાડીને બોગસ કંપનીઓ બનાવવા સહિતના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે EDએ આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

    ‘આ લાંબી કૂટનીતિક પ્રક્રિયાનું પરિણામ’- ચીન સાથે LAC કરાર અંગે બોલ્યા એસ. જયશંકર: કહ્યું- 2020થી થઇ રહેલ પ્રયાસોને મળી સફળતા

    સોમવાર, 21 ઓક્ટોબરે પૂર્વી લદ્દાખમાં (East Laddakh) વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે LAC પર પેટ્રોલિંગને (LAC Patrolling) લઈને ભારત અને ચીન વચ્ચે કરારની જાહેરાત થઇ હતી. આ જાહેરાત થયા પછી ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે (S. JaiShankar) કરારને લઈને કહ્યું હતું કે ચીન સાથે સૈનિકો પરત બોલાવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. તથા બંને દેશો 2020માં સંઘર્ષ પહેલા જે પરિસ્થિતિમાં હતા ત્યાં જ પાછા પહોંચી ગયા છે. હવેથી 2020 પહેલા જે રીતે પેટ્રોલિંગ કરવામાં આવતું હતું એ જ રીતે કરવામાં આવશે.

    અહેવાલો અનુસાર જુલાઈ મહિનામાં 4 જુલાઈ, 25 જુલાઈ અને 31 જુલાઈએ આ બેઠક યોજાઈ હતી. આ સિવાય 29 ઓગસ્ટે પણ બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં ભારત-ચીન સરહદી બાબતો પર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન (WMCC) માટે વર્કિંગ મિકેનિઝમની કુલ 31 વખત અને ભારત-ચીન કોર્પ્સ કમાન્ડર સ્તરની 21 વખત બેઠકો યોજાઈ હતી.

    ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં યોજાનારા BRICS સંમેલનમાં ભારતના PM નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે. આ મુલાકાત પહેલા જ આ નિર્ણય લેવાયો છે. પૂર્વીય લદ્દાખમાં લગભગ 4 વર્ષ કરતા વધુ સમયથી સૈન્ય અવરોધ ચાલી રહ્યો હતો. NDTV દ્વારા આયોજિત સમિટમાં LAC કરારને માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે માહિતી આપી હતી.

    દૃઢ કૂટનીતિનું પરિણામ

    તેમણે કહ્યું હતું કે, “અમે પેટ્રોલિંગ મામલે એક કરાર પર પહોંચ્યા છીએ અને આ સાથે અમે 2020ની સ્થિતિમાં જ પાછા પહોંચી ગયા છીએ. હવે એમ કહી શકીએ કે ચીન સાથે સૈન્ય પરત લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.” આ ઉપરાંત તેમણે આ કરાર અંગે કહ્યું હતું કે, આ કરાર એક સકારાત્મક પ્રગતિ છે તથા તે ખૂબ જ ધીરજ અને દૃઢ કૂટનીતિનું પરિણામ છે.

    2020થી ચાલી રહી હતી વાતચીત

    એસ. જયશંકરે કહ્યું LAC કરારને લઈને કહ્યું કે , “મડાગાંઠને સમાપ્ત કરવા માટે બંને પક્ષો સપ્ટેમ્બર 2020થી વાતચીત કરી રહ્યા હતા. એક તરફ દેખીતી જવાબી કાર્યવાહીની તૈયારી ચાલી રહી હતો તો બીજી તરફ વાટાઘાટો પણ કરવામાં આવી રહી હતી.” તેમણે કહ્યું હતું કે આ ખૂબ ધૈર્યપૂર્ણ પ્રક્રિયા હતી. આ સિવાય તેમણે આ પ્રક્રિયાને ધર્યા કરતા વધુ જટિલ ગણાવી હતી.

    જયશંકરે કહ્યું કે, “2020 પહેલા LAC પર શાંતિ અને સંવાદિતાનું વાતાવરણ હતું અને આશા છે કે આપણે તે સ્થિતિમાં પાછા આવી શકીશું.” તેમણે કહ્યું હતું કે, “આ અમારી સૌથી મોટી ચિંતા હતી કારણ કે અમે હંમેશા કહ્યું છે કે જો તમે શાંતિ અને સંવાદિતા નથી જાળવી શકતા તો તમે કેવી રીતે સંબંધો આગળ વધવાની અપેક્ષા રાખી શકો છો.” તેમણે કહ્યું હતું કે આ ખૂબ જટિલ પ્રક્રિયા હતી કેટલીક વખત તો લોકો લગભગ હાર માની ચૂક્યા હતા.

    આ મામલે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે બંને પક્ષો LAC પર પેટ્રોલિંગ ફરી શરૂ કરવા માટે સંમત થયા છે, જેના પગલે સૈનિકો પરત પહોંચી રહ્યા છે. ઉપરાંત 2020માં આ વિસ્તારોમાં ઉદ્ભવેલા મુદ્દાઓનું સમાધાન પણ થઇ શકશે એવું તેમણે જણાવ્યું હતું. આગળ તેમણે કહ્યું કે બંને પક્ષોના રાજદ્વારી અને લશ્કરી વાર્તાકારો સંપર્કમાં છે. સરકારી સૂત્રોએ આ મામલાનો ‘મોટા ઘટનાક્રમ’ તરીકે ઉલ્લેખ કર્યો હતો.

    અમદાવાદમાં ઊભી કરી નકલી કોર્ટ, સ્ટાફ-વકીલ પણ પોતાના, જાતે જજ બનીને ઝડપી લીધી 100 એકર સરકારી જમીન: મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચયનની ધરપકડ, જાણો સમગ્ર કૌભાંડ વિશે

    અમદાવાદમાં (Ahmedabad) નકલી કોર્ટ (Fake Court) બનાવીને કરોડોની સરકારી જમીન ઝડપી પાડનાર નકલી આર્બિટ્રેટર જજ (Fake Arbitrator Judge) મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચયનના (Maurice Samuel Christian) કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. કારંજ પોલીસે (Karanj Police) આરોપીની ધરપકડ કરી લીધી છે અને હાલ તે લોકઅપમાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને ઑપઇન્ડિયાએ કારંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ ઘટનાને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ આરોપી લોકઅપમાં છે અને પોલીસ તપાસ કરી રહી છે. આરોપીએ પોતાની જાતને આર્બિટ્રેટર જજ ગણાવીને નકલી કોર્ટ ઊભી કરી હતી અને તે માટે તેણે નકલી વકીલ અને સ્ટાફ (Fake lawyer and staff) પણ રાખ્યા હતા.

    આરોપ છે કે, તેણે નકલી કોર્ટ અને ખોટી ઓળખના આધારે 100 એકર સરકારી જમીન ઝડપી પાડી હતી. અમદાવાદ સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર હાર્દિક સાગર દેસાઈએ આરોપી સેમ્યુઅલ વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે IPCની કલમ 170, 419, 420, 465, 467, 471 અને 120B હેઠળ FIR નોંધી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ પણ ઉપલબ્ધ છે. ફરિયાદ અનુસાર, તેણે નકલી જજ બનીને અનેક ગુનાઓ આચર્યા હતા અને કરોડોની સરકારી જમીન ઝડપી પાડી હતી.

    સિવિલ કોર્ટમાં ફૂટ્યો ભાંડો

    પોલીસ ફરિયાદ અનુસાર, મોરીસ ક્રિશ્ચયન આર્બિટ્રેટર તરીકે કામ કરતો હતો. અમદાવાદના પાલડીમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરીને જીવનનિર્વાહ કરતાં બાબુજી છનાજી ઠાકોરને પાલડીમાં આવેલી જમીનને લઈને સરકાર સાથે ઘણા વર્ષોથી તતકરાર હતી, દરમિયાન બાબુજી મોરીસના સંપર્કમાં આવ્યા હતા. મોરીસે પોતે આ કેસમાં ઝંપલાવ્યું હતું અને ગેરકાયદેસર રીતે પોતે લવાદ તરીકે રહીને અરજદારને વકીલ પણ રોકી આપ્યો હતો. તેણે બાબુજી અને સરકાર વચ્ચેની તકરારમાં પોતાને મધ્યસ્થ જાહેર કરી દીધો હતો. જોકે, તેની પાસે આર્બિટ્રેશન કોન્ટ્રાક્ટ પણ નહોતો, એટલું જ નહીં, આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ 1996 હેઠળ તકરારના નિરાકરણની બાબતો પર નિર્ણય લેવાની કોઈ સત્તા ન હોવા છતાં તેણે પોતાને લવાદ જાહેર કર્યો હતો.

    પોલીસે આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, આરોપીએ કથિત રીતે અરજદાર અને અમદાવાદ કલેકટર વચ્ચેની આ તકરારમાં ગેરકાયદેસર રીતે એક એવોર્ડ (આદેશ) જારી કર્યો હતો અને 30 માર્ચ, 2019ના રોજ કોર્ટ સમક્ષ દાવા અને સ્ટેટમેન્ટ પણ રજૂ કર્યા હતા. તેણે કાયદા વિરુદ્ધ જઈને આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ તરીકે કામ કરીને પાલડી ખાતે આવેલી 200 કરોડની સરકારી જમીન બાબુજી પાસેથી ગેરકાયદેસર સંપાદિત કરાયેલ હોવાનું જણાવી ફરીથી બાબુજીના પક્ષમાં એવોર્ડ પાસ કર્યો હતો. આ ઓર્ડરની અમલવારી અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં કરાવવા જતાં આરોપીનો ભાંડો ફૂટી ગયો. આરોપીની કરતૂત કોર્ટમાં ઉઘાડી પડી જતાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટના જજ જે.એલ ચોવટીયાએ રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરાવવા માટે હુકમ કર્યો હતો.

    કરોડોની જમીન પછાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ અને આખો સ્ટાફ

    કોર્ટના હુકમ બાદ સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે ‘જજ’ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચયનની ધરપકડ કરી હતી. પોલીસે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, આ ઘટનાને લઈને હાલ પણ તપાસ ચાલી રહી છે, આરોપી હાલ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉપરાંત વધુ તપાસ માટે પોલીસ કાર્યવાહી કરી રહી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આરોપીએ 2 માર્ચ, 2019થી લઈને 21 ઑક્ટોબર 2024ના રોજ તેની ધરપકડ સુધી આ નાટક ચાલુ રાખ્યું હતું.

    અહીં ખાસ એ નોંધવા જેવું છે કે, આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચયને અમદાવાદમાં પોતાની જ કોર્ટ શરૂ કરી હતી. અદાલત પરિસરમાં તેણે કોર્ટ જેવો માહોલ ઊભો કર્યો હતો અને વ્યક્તિઓને આકર્ષવા માટે તેણે આખો સ્ટાફ પણ નકલી બનાવ્યો હતો. જેમાં વકીલો, બેલિફ, પટ્ટાવાળા અને ક્લાર્કનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે, આરોપીની મોડસ ઓપરેન્ડી એ હતી કે, તે પોતાની નકલી કોર્ટમાં અરજદારોના પક્ષમાં એવોર્ડ જારી કરતો હતો અને ત્યારબાદ પોતાના અરજદારોને ગેરકાયદેસર લાભ પહોંચાડવા માટે આવા ખોટા દાવાઓને કોર્ટમાં રજૂ કરતો હતો.

    અગાઉ પણ નોંધાય છે ગુના, લવાદ તરીકે એક તરફથી એવોર્ડ પાસ કરતો હતો

    ઉલ્લેખનીય છે કે, આરોપી અગાઉ પણ આ પ્રકારની છેતરપિંડી કરી ચૂક્યો છે. આરોપી વિરુદ્ધ વર્ષ 2015માં મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે આરોપી સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી પણ દાખલ કરી હતી. તેના અરજદાર બાબુજીએ આર્બિટ્રેટર કહેવાતા મોરીસ સામે 7/12ના ઉતારામાં સરકારનું નામ દૂર કરીને પોતાને કબજેદાર બનાવવા અરજી કરી હતી. જે અંતર્ગત મોરીસે અમદાવાદની પાલડી ખાતે આવેલ જમીન ઉપર બાબુજીને કબજેદાર ઠેરાવી સરકારને ગેરકાયદેસર કબજેદાર ગણાવી હતી.

    આરોપીએ બાબુજી અને તેના વડવાઓએ આ જમીન પર 50 વર્ષ સુધી કબજો ભોગવ્યો હોવાનો પણ દાવો કર્યો. તે ગેરકાયદેસર રીતે લવાદ બનીને આ કાર્યવાહી કરી રહ્યો હતો. જોકે, આ અંગે કોઈપણ ઓથોરીટી વગર તેણે એક તરફી એવોર્ડ પણ પાસ કરી નાખ્યો હતો. મોરીસે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ આર્બિટ્રેશન અને ગાંધીનગર કોર્ટના પત્રની નકલ અમદાવાદ સિવિલ કોર્ટમાં રજૂ કરી હતી. જોકે, મોરીસે જેના માટે એવોર્ડ પાસ કર્યો હતો તે બાબુજીના જમીન અંગેના દસ્તાવેજો, તેને અરજદારે લવાદ તરીકે નીમ્યો છે તેવો એંગ્રીમેન્ટ, સરકારી પક્ષે એટલે કે કલેકટરે લવાદ તરીકે તેને મંજૂર રાખીને સહી કરી હોય તેવા પુરાવા, આ તમામ તે સિવિલ કોર્ટમાં રજૂ કરી શક્યો નહોતો.

    સરકારી વકીલે કરી ધારદાર દલીલ

    આ કેસ મામલે સિટી સિવિલ કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, બાબુજીએ મોરીસને કાયદેસર રીતે લવાદ તરીકે રોક્યો હોય તેવો કોઈ પુરાવો નથી. વળી કોર્ટે પણ મોરીસને લવાદ તરીકે રોક્યો નથી. વકીલે કહ્યું કે, પોતાના હુકમનો અમલ કરાવવા માટે સિવિલ કોર્ટમાં પણ અરજદાર તરફે મોરીસે જ વકીલને રોક્યો છે. વકીલે વધુમાં દલીલ કરી હતી કે, મોરીસે ષડ્યંત્ર કરીને એક તરફે ચુકાદો આપી દીધો છે. સરકાર તરફથી મોરીસને લવાદ તરીકે રખાયો હોવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. કોઈ જ કરાર પર સહી પણ નથી. વધુમાં વકીલે કહ્યું કે, જો કરાર થયો જ નથી તો શાના આધારે ઓથોરીટીને મોરીસે નોટિસ આપી? જો ઓથોરીટીએ કોઈ જવાબ જ નથી આપ્યો તો ચુકાદો કઈ રીતે આપ્યો? લવાદ રોકવા અંગે તકરાર હોય તો હાઈકોર્ટ જવું પડે, તેવું પણ આ કેસમાં નથી.

    નોંધનીય છે કે, આવા 10 કેસોમાં મોરીસે ઓર્ડર આપ્યા છે. તેની તપાસ થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે. કોર્ટે અરજદાર બાબુજીને 50 હજારનો દંડ ફટકાર્યો છે અને આરોપી મોરીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે અમદાવાદ સિવિલ કોર્ટના રજિસ્ટ્રારને આદેશ આપવામાં આવ્યો છે. જે આદેશ અનુરૂપ ગુનો પણ દાખલ થયો છે અને આરોપીની ધરપકડ પણ થઈ ચૂકી છે.

    કુસ્તી મહાસંઘના પ્રમુખ બનવા માટે ઉભું કરવામાં આવ્યું હતું ખેલાડીઓનું આંદોલન: સાક્ષી મલિકનો બબીતા ફોગાટને લઈને મોટો દાવો

    કુસ્તીબાજ સાક્ષી મલિકે (Sakshi Malik) દાવો કર્યો છે કે બબીતા ફોગાટે (Babita Phogat) પહેલવાન આંદોલનનું (Wrestlers’ Protest) બીજ રોપ્યું હતું. તેમણે જ ખેલાડીઓને બૃજભૂષણ વિરુદ્ધ ઉશ્કેર્યા હોવાનું સાક્ષી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આમ કરવા પાછળનું કારણ કુસ્તી મહાસંઘના પ્રમુખની ખુરશી હોવાનો દાવો સાક્ષી કરી રહ્યા છે.

    સોમવારે (21 ઓકટોબર 2024) ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા સાક્ષી મલિકે તેવો પણ દાવો કર્યો હતો કે બબીતાએ બેઠકો બોલાવીને પહેલવાનોને એકઠા કર્યા હતા. આ બેઠકમાં છેડતીના મામલા સહિત કથિત કુકર્મો વિરુદ્ધ વિરોધ ઉભો કરવાનો માહોલ તૈયાર કરવામાં આવ્યો હતો. સાક્ષીએ જણાવ્યું હતું કે બબીતા ઇચ્છતી હતી કે બૃજભૂષણની જગ્યાએ (Brij Bhushan Singh) તેમને કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બનાવી દેવામાં આવે.

    બબીતાએ બોલાવી હતી બેઠક- સાક્ષી

    સાક્ષીએ ઇન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે, “આંદોલન શરૂ થયું તેના ત્રણ-ચાર દિવસ પહેલા એક બેઠક કરવામાં આવી હતી. તે સમયે બબીતાએ મને ફોન કરીને બોલાવી હતી. મેં તેમને પૂછ્યું કે શેના માટે છે, તો તેમણે કહ્યું કે તને મારા પર ભરોસો છે કે નહીં. હું તેમની સાથે 15-20 વર્ષથી છું. મેં બજરંગ પૂનિયાને ફોન કર્યો તો તેમણે પણ મને કહ્યું કે હું આવી રહ્યો છું, તું પણ આવી જા.”

    સાક્ષીએ દાવો કર્યો હતો કે, ત્યાં જઈને તેમને ખબર પડી હતી કે આંદોલન થવાનું છે. તેમણે એમ પણ કહ્યું કે આ આંદોલનની પરવાનગી બબીતા અને તીરથ રાણાએ લીધી હતી. કારણકે તેઓ ઈચ્છતા હતા કે બૃજભૂષણ સિંહને કુસ્તી મહાસંઘના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવે અને તેમની જગ્યાએ આ બંનેમાંથી કોઈ એકને બેસાડી દેવામાં આવે. સાક્ષીએ તેમ પણ કહ્યું કે તેઓ બધા ખુશ હતા કે અંતે કોઈએ તો આ મામલે અવાજ ઉઠાવ્યો.

    અંદોલન 1 જ દિવસનું હતું- સાક્ષી મલિક

    સાક્ષીએ કહ્યું કે, “મને લાગ્યું કે મારે જવું જોઈએ. અમને એમ જ હતું કે અમારું નામ છે અને અમે પહેલવાનો 11 વાગ્યે બેસીશું, એક વાગ્યા સુધીમાં અમને સાંભળી લેવામાં આવશે અને બાદમાં બધું ઠીક થઇ જશે. અમારું આંદોલન માત્ર એક જ દિવસનું હતું. અમને ત્યાં ખાવા-પીવાથી લઈને તમામ બાબતોની તકલીફો હતી. અમને એમ હતું કે જો અમને નહીં સાંભળવામાં આવે તો કોને સાંભળવામાં આવશે?”

    નોંધવું જોઈએ કે સાક્ષીએ આ તમામ બાબતો તેમની આત્મકથાના પુસ્તક વિમોચન સમયે આપેલા એક ઈન્ટરવ્યું દરમિયાન કહી છે. તેમનું કહેવું છે કે તેમણે આ તમામ બાબતો આ પુસ્તકમાં પણ ટાંકી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પહેલવાનોના આંદોલનથી બજરંગ અને બબીતાને છૂટ મળી તેમાં માત્ર તેમનો જ સ્વાર્થ છલકાઈ રહ્યો હતો. તેમણે કહ્યું છે કે તેમના આ પુસ્તક ‘વિટનેસ’માં તેમની સાથે બાળપણમાં થયેલી છેડછાડ વિશે પણ લખ્યું છે. તેમણે તેનો આરોપ તેમના ટ્યુશન શિક્ષક પર લગાવ્યો છે.

    6000 પાના, 100 સાક્ષીઓના નિવેદનો અને માત્ર 17 દિવસનો સમય: ભાયલી સામૂહિક બળાત્કાર કેસમાં વડોદરા પોલીસે કોર્ટમાં દાખલ કરી ચાર્જશીટ

    વડોદરામાં (Vadodra) બનેલા ભાયલી સામૂહિક બળાત્કાર (Bhayli Gang Rape) મામલે પોલીસે ચાર્જશીટ(Charge Sheet) દાખલ કરી દીધી હતી. નવરાત્રિના બીજા નોરતે બનેલી ઘટના મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને 17 જ દિવસમાં પોલીસે ચાર્જશીટ તૈયાર કરી દીધી હતી. ગુનેગારોને બને એટલી વહેલી તકે સજા મળે તે માટે પોલીસે 6,000 પાનાની ચાર્જશીટ POCSO કોર્ટમાં (POCSO Court) રજૂ કરી હતી. આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે પોલીસે આ અગાઉ આરોપીઓના પહેલા 2 દિવસ અને પછી 4 દિવસ એમાં કુલ 6 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરી શકાય એ માટે 17 જ દિવસમાં 6000 જેટલા પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી.

    અહેવાલો અનુસાર તૈયાર કરાયેલ ચાર્જશીટમાં લગભગ 100 જેટલા સાક્ષીઓના નિવેદનો, FSL રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં ઉલ્લેખિત પુરાવા આરોપીઓને સજા અપાવવા પુરતા છે. 21 ઓક્ટોબરે પોલીસે આ ચાર્જશીટ POCSO કોર્ટમાં દાખલ કરી હતી. આ કેસના આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા માટે સરકારે જાણીતા ધારાશાસ્ત્રી શૈલેષ પટેલ અને સુરતના સરકારી વકીલની નિમણૂક કરી હતી.

    શું હતી સમગ્ર ઘટના

    સમગ્ર ઘટના નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરની રાત્રે બની હતી. 11માં ધોરણમાં અભ્યાસ કરી 16 વર્ષની સગીરા ભાયલી-બીલ રોડ વિસ્તારમાં રાત્રે 11:30 વાગે સુમસાન રસ્તા પર તેના 16 વર્ષના મિત્ર સાથે બેઠી હતી. તેનાથી થોડે દૂર નશાની હાલતમાં 5 મુસ્લિમ યુવકો બેઠા હતા. તેમાંથી 2 ત્યાંથી નીકળી ગયા બાદ મુન્ના અબ્બાસ બંજારા,અલ્તાફ બંજારા અને શાહરુખ ઇસ્માઇલ બંજારા એમ ત્રણ મુસ્લિમ યુવકોએ બાળકી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

    ઘટના સામે આવ્યા બાદ તપાસ અને કાર્યવાહી માટે SITની રચના કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે પણ આરોપીઓની ધરપકડ કરી તેમના પહેલા 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તે પુરા થતા 10 ઓક્ટોબરે બીજા 4 દિવસના રિમાન્ડ મેળવી તજવીજ શરૂ કરી હતી. ત્યારે ભાયલી સામૂહિક બળાત્કાર મામલે ચાર્જશીટ તૈયાર થઇ જતા ચાર્જશીટ POCSO કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે આગામી કાર્યવાહી ચાલી રહી છે.