Friday, September 20, 2024
More
    Home Blog Page 1037

    હાથ બાંધીને બળાત્કાર, શરીર પર છરીના ઘા ઝીંક્યા: શાહબાઝે ‘રાહુલ ગુર્જર’ બનીને હિંદુ યુવતીને ફસાવી, પછી કહ્યું- ઇસ્લામ કબુલ કર, જન્નત મળશે

    લવ જેહાદનો (Love Jihad) એક ચોંકાવનારો કિસ્સો મધ્યપ્રદેશના હરદા જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં શાહબાઝ શરીફ નામના મુસ્લિમ યુવકે રાહુલ ગુર્જર તરીકે ઓળખ આપીને એક હિન્દુ યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. બાદમાં આરોપીએ પીડિતા પર હાથ બાંધીને બળાત્કાર કર્યો અને તેને બળજબરીથી ઇસ્લામ કબૂલ કરાવ્યો. આરોપીએ પીડિતાને કહ્યું કે જો તે ઈસ્લામ સ્વીકારશે તો તેને જન્નત મળશે.

    રિપોર્ટ અનુસાર પીડિત દુર્ગેશ નંદિની ચૌહાણ (24) હરદા (Hardaa) જિલ્લાના તિમર્ની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની વિદ્યા વિહાર કોલોનીનો રહેવાસી છે. અનુસૂચિત સમુદાયમાંથી આવતી નંદિની B.Sc.ની વિદ્યાર્થીની છે. પીડિતાનું કહેવું છે કે શાહબાઝ સેઠ (રાહુલ ગુર્જર) કટ્ટર ઈસ્લામવાદી છે. તેણે કહ્યું હતું કે ટૂંક સમયમાં હુમલાખોરો ભારતને કબજે કરી લેશે. પીડિતાની ફરિયાદ પર આરોપી વિરુદ્ધ બળાત્કાર અને મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    આ કેસમાં પીડિતાની ફરિયાદ પર પ્રથમ એફઆઈઆર (નં. 00/2022) 27 મે 2022ના રોજ હરદા જિલ્લાના તિમરની પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. બાદમાં બીજા દિવસે કેસ સિરાલી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને ત્યાં એક નવી FIR (નં. 164/2022) નોંધવામાં આવી.

    નંદિનીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગભગ દોઢ વર્ષ પહેલા તે હરદા ડિગ્રી કોલેજમાં આરોપીને મળી હતી. શરૂઆતમાં, તેણે નંદિનીને ફસાવવા માટે તેના અભ્યાસથી લઈને દરેક વસ્તુનું ખૂબ ધ્યાન રાખ્યું. જેના કારણે બંને નજીક આવ્યા હતા. સમય જતાં પ્રેમ થયો અને શારીરિક સંબંધો પણ બંધાયા. એક દિવસ, જ્યારે તે સરસૌદ સ્થિત એક નાની પથ્થરની ખાણની ઓફિસમાં હતી, ત્યારે તેણીને પ્રથમ વખત તેના પર શંકા ગઈ. બાદમાં રાહુલ તેને જણાવે છે કે તેનું અસલી નામ શાહબાઝ સેઠ છે અને તેણે આ બધું નંદિનીને ફસાવવા માટે કર્યું હતું.

    14 નવેમ્બર 2021ના રોજ નોકરીના બહાને તે નંદિનીને મલ્હારગંજના કન્નોદ (Malhargunj kannod) લઈ ગયો. ત્યાં બંને સાથે રહેવા લાગ્યા. આ દરમિયાન તેણે નંદિની પર ચાંપતી નજર રાખી. દરેક વસ્તુ, જેમ કે ફોન પર વાત કરતી વખતે, સ્પીકર ચાલુ કરવાનું કહેવું. તેણે તેના ફોન પર નંદિનીની અંગત પળો રેકોર્ડ કરી અને જ્યારે તેણીએ તેની સાથે સેક્સ કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેને વાયરલ કરવાની ધમકી આપી. એક દિવસ એક પ્રસંગમાં હાજરી આપવાના બહાને, તેણે તેણીને તેના માતાપિતાને મળવા દેવા માટે રાજી કરી લીધો. બાદમાં જ્યારે તે ઘરે પહોંચી અને પરિવારના સભ્યોને પોતાની તકલીફ જણાવી તો તેઓએ કેસ દાખલ કર્યો.

    ‘મારા જીવનની એક એક ક્ષણને કંટ્રોલ કરી’

    સ્વરાજ્ય સાથે વાત કરતી વખતે નંદિનીએ જણાવ્યું કે શાહબાઝ દ્વારા કન્નોદમાં લઈ જવામાં આવ્યા બાદ શરૂઆતમાં બધું ઠીક હતું, પરંતુ બાદમાં તેણે પોતાનો અસલી રંગ બતાવ્યો. તે તેને ઘરમાં બંધ કરી દેતો, તેનો ફોન લઈ લેતો. બાદમાં તેણે નંદિનીને માર મારવાનું શરૂ કર્યું. નર્સિંગમાં ડિપ્લોમા ધરાવતી નંદિની કહે છે, “તેણે મારા જીવનના દરેક ઈંચ પર નિયંત્રણ રાખ્યું હતું. હું મારા માતા-પિતાના કોલનો જવાબ પણ તેની પરવાનગી વગર આપી શકતી નહોતી.”

    પીડિતાએ આરોપીની નિર્દયતાનો પર્દાફાશ કર્યો અને કહ્યું કે તે સેક્સ કરતી વખતે તેના હાથ બાંધતો હતો અને તેના શરીરના વિવિધ ભાગોને છરી જેવી તીક્ષ્ણ વસ્તુઓથી કાપા મારતો હતો. નંદિનીએ કહ્યું, “તે એવું વર્તન કરતો હતો જાણે તે માલિક હોય અને મારે તેની દરેક વાતનું પાલન કરવું જોઈએ.”

    નંદિનીના કહેવા પ્રમાણે, આરોપીએ કહ્યું હતું કે જો તે ઈસ્લામ સ્વીકારશે તો તેને (શાહબાઝને) જન્નત મળશે. શાહબાઝે એમ પણ કહ્યું હતું કે તે નિકાહ કરશે. એક જે તેના ધર્મની હશે અને બીજી નંદિની. આ સિવાય તેણે નંદિનીને ધમકી આપી હતી કે સેનામાં અડધાથી વધુ મુસ્લિમો છે અને જો તેઓ તેમનું કામ કરવાનું બંધ કરશે તો આક્રમણકારો ભારત પર કબજો કરી લેશે. મુસ્લિમો સાથે લગ્ન કરનાર બોલીવુડ અભિનેત્રીઓના ઉદાહરણ આપતા તે કહેતો કે ઇસ્લામ એકમાત્ર આદર્શ ધર્મ છે. તેણે એમ પણ કહ્યું હતું કે લગ્ન પછી તેણે ‘હિજાબ’ પહેરવો પડશે.

    પીડિતાનો આરોપ છે કે શાહબાઝનો પરિવાર હવે તેના પર કેસ પાછો લેવા માટે દબાણ કરી રહ્યો છે. તે લોકોએ તેના ભાઈનું અપહરણ કરવાની પણ ધમકી આપી છે. જો કે, કેસમાં કલમ 376 (બળાત્કાર), 376(2)(n) (બળાત્કારીને સખત કેદ), 506 (ગુનાહિત ધાકધમકી) અને ધર્મ સ્વતંત્રતા નિવારણ અધિનિયમની કલમ 3(2) (VA) 2021ની કલમ 3 અને 5 સાથે એટ્રોસિટી એક્ટ, 2015 હેઠળ નોંધાયેલ છે.

    કોંગ્રેસે દ્રૌપદી મુર્મૂનું અપમાન કર્યું, રાષ્ટ્રપતિ ઉમેદવાર ઘોષિત થયા બાદ કોંગ્રેસે કહ્યું મુર્મૂ ‘ડમી રાષ્ટ્રપતિ’ છે

    કોંગ્રેસે દ્રૌપદી મુર્મૂનું અપમાન થાય તેવી ટીપ્પણી કરી છે,કોંગ્રેસની પુડુચેરી શાખાએ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ વિશે અપમાનજનક ટિપ્પણીઓ ટ્વીટ કરી હતી. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ તે અપમાનજનક ટ્વીટનો સ્ક્રીનશોટ રીટ્વીટ કર્યો છે કોંગ્રેસે દ્રૌપદી મુર્મૂનું અપમાન થાય તે ટ્વીટ પુડુચેરી હેન્ડલ દ્વારા ડીલીટ કરવામાં આવી છે.

    પુનાવાલા લખે છે કે “કોંગ્રેસ આદિવાસી સમાજ અને મહિલાઓનું અપમાન કરવા લાગી છે. કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્રૌપદી મુર્મૂજીને “ડમી” તરીકે ઉલ્લેખ કરે છે.” ટ્વીટમાં જોઈ શકાય છે કે દ્રૌપદી મુર્મૂને અભદ્ર રીતે “ડમી પ્રેસિડેન્ટ” તરીકે સંબોધવામાં આવ્યા હતા.

    અન્ય એક ટ્વીટ કરીને પુનાવાલા લખે છે કે “આદિવાસી સમુદાયના સ્વ-નિર્મિત નેતા દ્રૌપદી મુર્મૂજીનું અપમાન કરે છે – તેમને “ડમી” તરીકે ટ્વીટ કાઢી નાખવાની ફરજ પડી, ઉદિત રાજે રામનાથ કોવિંદજીનું પણ અપમાન કર્યું. SC/ST/OBC/મહિલાઓનું અપમાન કરવું તેમના માટે સામાન્ય બની ગયું છે. આ જ કોંગ્રેસે આંબેડકરજીને પણ હરાવ્યા હતા

    આ ઘટના બાદ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો, કોંગ્રેસની પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ વિષે અભદ્ર ટીપ્પણી બાદ એક યુઝર લખે છે કે “દ્રૌપદી મુર્મૂજી એક આપમહેનતુ આદિવાસી શાળાના શિક્ષક છે, જેમણે ગરીબી પર વિજય મેળવ્યો, તેમના પતિ અને બાળકો ગુમાવ્યા અને પુરસ્કાર વિજેતા ધારાસભ્ય રહી ચુક્યા છે, મંત્રી અને પછી રાજ્યપાલ પણ બન્યા,અને કોંગ્રેસ તેમનું અપમાન કરે છે? તેમના પર SC/ST એટ્રોસિટીનો કેસ થવો જોઈએ”

    અન્ય એક યુઝર કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર આકરો પ્રહાર કરતા લાખે છે કે “જુઓ કોણ “ડમી” વિશે વાત કરે છે, આપણે બધા #UPA1 #UPA2 ની સત્યતા જાણીએ છીએ, આજે પણ કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં ગાંધીની મંજૂરી વિના કંઈ ચાલતું નથી, ઓછામાં ઓછું કોંગ્રેસે અમને તેના વિશે પ્રચાર ન કરવો જોઈએ.”

    અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂનાં નામની જાહેરાત કરી હતી. ઓરિસ્સાનાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ઝારખંડનાં પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનાં નામની જાહેરાત બાદ હવે વિવિધ પાર્ટીઓ દ્વારા તેમને સમર્થન આપવામાં આવી રહ્યું છે. તેને જોતા દ્રૌપદી મુર્મૂની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે, તેવામાં કોંગ્રેસ દ્વારા દ્રૌપદી મુર્મૂના કરાયેલા આ અપમાનજનક ટ્વીટ બાદ લોકો કોંગ્રેસ પર રોષ ઠાલવી રહ્યા છે.

    મોદીના અબ્બાસ વિશે જાણ્યું, હવે જાણો હવે યોગીના અંગત હિસાબનીશ યાસીન અંસારી વિશે

    થોડા દિવસ પુર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ તેમની માતાના ૧૦૦માં જન્મદિવસ નિમિતે એક બ્લોગ લખ્યો હતો. જેમા તેમણે તેમના પિતાના મુસ્લિમ મિત્રના દેહાંત બાદ તેમનો દિકરો અબ્બાસ નરેન્દ્ર મોદીના ઘરે રહ્યા હતા. આ વાત લખતાની સાથે જ મોદી સમર્થકો અને મોદી વિરોધીઓ બંન્ને આશ્ચર્યમાં મુકાયા હતા. કારણ કે દેશનો એક ચોક્કસ વર્ગ મોદીને મુસ્લિમ વિરોધી ચિતરવામાં કોઈ કચાશ રાખી નહોતી. તેના કારણે એક સામન્ય જન માનસમાં પણ મોદી મુસ્લિમ વિરોધી છે તેવી ધારણાઓ ફરે છે.

    મિડીયા રિપોર્ટે અબ્બાસ નામના વ્યક્તિની તપાસ કરતા તેઓ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહે છે અને નિવૃત અધિકારી છે. તેમણે પણ નરેન્દ્ર મોદી દ્વારા કહેલી વાતને સમર્થન આપ્યું હતું.

    નરેન્દ્ર મોદી કરતા પણ કટ્ટર હિંદુવાદી છબી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આમ જન માનસમાં છે. યોગીને પણ કટ્ટર મુસ્લિમ વિરોધી ચિતરી દેવામાં આવ્યા છે. પરંતુ જેમ નરેન્દ્ર મોદીએ અબ્બાસની વાત કરી તે જ રીતે યોગી આદિત્યનાથ સાથે પણ મુસ્લિમ વ્યક્તિ જોડાયેલ છે જેના વિશે જાણીને તમારી ઘણી બધી ધારણાઓ તુટશે.

    યોગી આદિત્યનાથના મઠમાં છેલ્લા ૩૫ વર્ષથી મઠનો તમામ હિસાબ રાખનાર એક મુસ્લિમ પરિવાર છે જેમાના એક ‘યાસિન અંસારી’ છે. તમને પણ નવાઈ લાગી જ હશે પરંતુ આ જ સત્ય છે. કેટલાય વર્ષોથી યાસિન અંસારી ગોરખનાથ મંદિરનો તમામ હિસાબ સાથે છે. મંદિરના અંદર કોઈ પણ નવીનીકરણ થાય છે તે પણ યાસિન અંસારીના નેજા હેઠળ જ થાય છે તેઓેએ મિડીયા સાથેની એક વાતચીતમાં જણાવ્યું છે “મારા પહેલા મારા કાકા નિસાર અહેમદ જેઓ મારા પહેલા વ્યવસ્થાપક હતા, ઈ.સ. ૧૯૮૪માં મંદિર નિર્માણ થયું તેના સુપરવાઇઝર પણ તેઓ જ હતા. જેમણે ગોરખનાથ મઠની મોટા ભાગના મંદિરો અને મકાનો તેમણે જ ડિઝાઈન કર્યા હતા.”

    તમને હજુ પણ જાણીને નવાઈ લાગે તેવી વાત ઉમેરું છુ યોગી આદિત્યનાથનો ગૌપ્રેમ જગ જાહેર છે. તેઓની ગૌશાળામાં ૪૦૦થી વધુ ગૌ માતા છે હવે તેની સંભાળ રાખનાર પણ એક મુસ્લિમ છે જેનું નામ છે ‘માન મોહમંદ” છે. 

    આ સિવાય પણ મઠ પરિસરની મોટા ભાગની દુકાનોમાં મુસ્લિમો રોજગાર મેળવે છે તેઓ હંમેશા કહેતા હોય છે કે છોટે મહારાજ (યોગી આદિત્ય નાથ) અમને હંમેશા માનથી જ બોલાવે છે.

    આ બંન્ને બાબતો પરથી સાબિત થાય છે કે નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની છબી મુસ્લિમો વિરોધી બનાવી દેવાઈ છે પરંતુ તેઓ છે નહી, ભારત દેશમાં એક ચોક્કસ વર્ગ છે જે હિદૂત્વ વિરોધી છે જે પણ વ્યક્તિ હિદૂત્વની વાત કરે છે તે વ્યક્તિને આ લોકો મુસ્લિમ વિરોધી સાબિત કરી દય છે. ભારતીય રાજનિતીમાં મુસ્લિમ વોટ બેંક પર હંમેશા રાજકીય પક્ષોની નજર રહી જ છે માટે સેકુલર દળોએ મુસ્લિમ વોટ મેળવવા માટે મોદી અને યોગીની છબી બગાડવાનો કારશો ઘડ્યો.

    મુસ્લિમ સમાજ પણ આવા બૌદ્ધિક લોકોની વાતમાં આવીને આ બે વ્યક્તિનો કટ્ટર વિરોધ કરી તમામ હદો પાર કરી પરંતુ કોઈ દિવસ આત્મખોજ કર્યો નહી. આજે આ બન્ને વ્યક્તિ સત્તાના મુખ્ય કેન્દ્ર છે મુસ્લિમ સમાજને સત્તા કેન્દ્રોથી દુર રાખવા માટે સેકુલર લોકો અને તેમના જ સમાજના કેટલાક કટ્ટર માનસિકતાના લોકો જવાબદાર છે.

    રામભક્તો માટે ‘રામાયણ યાત્રા’ ટ્રેનઃ ૮,૦૦૦ કીમીની આધ્યાત્મિક યાત્રા ભગવાન રામ સાથે સંલગ્ન તમામ યાત્રા સ્થળોને આવરી લેશે

    દેશની પ્રથમ ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન ‘શ્રી રામાયણ યાત્રા’ ને મંગળવારે (21 જૂન 2022) સાંજે દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ ટૂરિસ્ટ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. અહેવાલો અનુસાર, ‘ભારત ગૌરવ ટ્રેન’ નામથી ચાલતી આ ટ્રેન દિલ્હીથી નેપાળના જનકપુર જશે. ત્યાંથી, તે ફરીથી ભારત થઈને કાશી આવશે અને દક્ષિણ ભારતનો પ્રવાસ કરશે. પ્રવાસ દરમિયાન યાત્રીઓના રહેવા અને ભોજનની તમામ વ્યવસ્થા મફત રહેશે.

    ભારતીય રેલ્વેએ દેશભરમાં ભગવાન રામ સાથે સંકળાયેલા તીર્થસ્થાનોની મુસાફરી કરવા માટે ‘શ્રી રામાયણ યાત્રા’ ટૂર પેકેજ શરૂ કર્યું છે. આ યાત્રા કુલ 18 દિવસની છે. તેનું બુકિંગ IRCTC સાઈટ પર જઈને કરવાનું રહેશે. આ પ્રવાસ માટે પેકેજ કિંમત 62,370 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવી છે. સુરક્ષા માટે ટ્રેનમાં ગાર્ડ પણ રાખવામાં આવ્યા છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓને ભગવાન રામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવશે. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોની વેશભૂષા, ખાણી-પીણી, પ્રવાસન સ્થળો, સંસ્કૃતિ અને તહેવારોને આ ટ્રેનમાં દર્શાવવામાં આવશે. આ યાત્રા રામભકતો માટે એક અવિસ્મર્ણીય બની રહેશે.

    ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ ‘ભારત ગૌરવ શ્રી રામાયણ યાત્રા ટ્રેન’ શરૂ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

    ભારત ગૌરવ નામની આ ટ્રેન અયોધ્યા, બક્સર, સીતામઢી, કાશી, પ્રયાગ, શૃંગેશ્વર, ચિત્રકૂટ નાસિક, હમ્પી, રામેશ્વરમ, કાંચીપુરમ અને ભદ્રાચલમ સહિત ભગવાન રામ સાથે સંબંધિત અનેક સ્થળોએ પ્રવાસીઓને લઈ જશે. આ પેકેજમાં ભારત ગૌરવ ટ્રેન નેપાળના જનકપુર પણ જશે. ભગવાન રામના દર્શન માટે આ યાત્રા 8000 કિમીની છે, જે 21 જૂને દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ કરાઈ છે. આમાં થર્ડ એસીમાં 600 મુસાફરો મુસાફરી કરી શકશે.

    સત્તા ડૂબી રહી હોવાના સમયે ઉદ્ધવ ઠાકરેએ ભાવુક થઈને આખરી દાવ ખેલી જોયો, કહ્યું- હું રાજીનામું આપવા તૈયાર, પણ સામે આવીને કહો

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે ફેસબુક લાઈવના માધ્યમથી મહારાષ્ટ્રની જનતા સમક્ષ આવ્યા હતા. તેમણે મહારાષ્ટ્રમાં ચાલતા હાલના ઘટનાક્રમ અંગે વાત કરી હતી અને કહ્યું કે જો કોઈ બળવાખોર ધારાસભ્ય સામે આવીને કહેશે તો તેઓ રાજીનામું આપવા પણ તૈયાર છે. આ ઉપરાંત, તેમણે ભાવુક વાતો કરીને એક આખરી દાવ ખેલી જોયો હતો. 

    તેમણે કહ્યું કે, જો મારી પાર્ટીના નેતાઓને લાગતું હોય કે હું પદ માટે યોગ્ય નથી તેઓ આવીને મારી સામે કહે. હું રાજીનામું આપવા તૈયાર છું અને પત્ર પણ તૈયાર રાખ્યો છે. મારા માટે સીએમ પદ છોડવું સહેલું છે, હું કોઈપણ પડકાર માટે તૈયાર છું. મારી સામેના તમામ આરોપોના જવાબ આપવા તૈયાર છું. 

    ઉદ્ધવ ઠાકરે શિવસેના અને હિંદુત્વ મુદ્દે પણ વાત કરતા કહે છે કે, શિવસેના અને હિંદુત્વ એક જ છે અને શિવસેના હિંદુત્વ છોડી જ ન શકે કારણ કે હિંદુત્વ એ શિવસેનાનો શ્વાસ છે. આ ઉપરાંત તેમની બીમારી અંગે પણ વાતો કરી હતી. 

    બીજી તરફ, પોતાની સાથે 30 થી વધુ ધારાસભ્યોને લઈને ઉપડી ગયેલા શિવસેના નેતા એકનાથ શિંદે ગઈકાલે મોડી રાત્રે ધારાસભ્યોને લઈને સુરતથી આસામના ગુવાહાટી પહોંચ્યા હતા. જેઓ આજે સાંજે સાત વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી જાણકારી મળી રહી છે.

    કેબિનેટ બેઠક બાદ શિવસેનાએ તમામ ધારાસભ્યોને વ્હિપ જારી કરીને સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકમાં હાજર રહેવા માટે જણાવ્યું  હતું. સાથે જણાવવામાં આવ્યું હતું કે જો તેઓ નહીં આવે તો એવું માનવામાં આવશે કે તેઓ પાર્ટી છોડવા માંગે છે. શિવસેના તરફથી ચીફ વ્હીપ સુનિલ પ્રભુએ આ આદેશ જારી કર્યો હતો. 

    જોકે, બીજી તરફ બળવાખોર નેતા એકનાથ શિંદેએ શિવસેના દ્વારા જારી કરવામાં આવેલ વ્હીપને ગેરલાયક ઠેરવીને પોતાના સમર્થક ધારાસભ્ય ભરત ઘોઘાવાલેને ચીફ વ્હીપ નીમ્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “શિવસેના ધારાસભ્ય ભરત ઘોઘાવાલેને પાર્ટીના ચીફ વ્હીપ નીમવામાં આવે છે. તેથી આજની ધારાસભ્યોની બેઠક મામલે સુનિલ પ્રભુ દ્વારા કરવામાં આવેલ આદેશ ગેરલાયક ઠરે છે.”

    મીડિયા સાથેની વાતચીતમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે, તેમની પાસે શિવસેના અને અપક્ષ ધારાસભ્યો મળીને કુલ 46 ધારાસભ્યોનું સમર્થન છે. સમય જતાં આ આંકડો વધી શકે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “હજુ સુધી ભાજપ તરફથી અમને કોઈ પ્રસ્તાવ આપવામાં આવ્યો નથી, કે અમે તેમની સાથે કોઈ વાતચીત કરી રહ્યા નથી.”

    એકનાથ શિંદેએ કહ્યું કે, “જ્યાં સુધી વર્તમાન રાજકીય પરિસ્થિતિનો સવાલ છે, અમે બાળાસાહેબના શિવસૈનિકો છીએ અને રહીશું. હાલની સ્થિતિએ શિવસેના કે મુખ્યમંત્રી સાથે અમારી કોઈ પણ વાતચીત ચાલી રહી નથી. આગળ શું કરવું તે પણ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.”

    એકનાથ શિંદેના સમર્થક ધારાસભ્યોએ મહારાષ્ટ્રના રાજ્યપાલ અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને લખીને કહ્યું છે કે એકનાથ શિંદેને 2019 માં ધારાસભ્ય દળના નેતા નીમવામાં આવ્યા હતા, જેઓ હજુ પણ યથાવત રહેશે. આ પ્રસ્તાવ ઉપર 34 ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે.

    પત્રમાં શિવસેના ધારાસભ્યોએ કહ્યું કે, “પાર્ટીના સ્થાપક બાળાસાહેબની સંકલ્પના હતી કે હિંદુત્વના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યા વગર મહારાષ્ટ્રના લોકોને સ્વચ્છ છબી ધરાવતી અને પ્રમાણિક સરકાર આપવામાં આવે. જે વિરોધી વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું તે જ દિવસે તૂટી ગઈ હતી. તેમજ તેમણે એનસીપી અને કોંગ્રેસની કાર્યપધ્ધતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને અનિલ દેશમુખ, નવાબ મલિક વગેરે નેતાઓના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે તેનાથી પાર્ટી અને સરકારની છબીને ખૂબ નુકસાન પહોંચ્યું છે. 

    રવિવારે વિધાન પરિષદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પાંચેય ઉમેદવારોની જીત બાદ રવિવારે એકનાથ શિંદે પોતાની સાથે ધારાસભ્યોને લઈને સુરત પહોંચતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું હતું. જે બાદ ગઈકાલે ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી લઇ જવામાં આવ્યા હતા. જે બાદ એકનાથ શિંદે સમર્થક ધારાસભ્યોનો આંકડો સતત વધી રહ્યો છે, બીજી તરફ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે શિવસેના સંકટમાં મૂકાયાં છે.

    અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 280 થી વધારે લોકોનાં મોત; પાકિસ્તાન અને મલેશિયામાં પણ ભૂકંપના આંચકા

    અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાથી આવેલા ભૂકંપથી ભારે નુકસાનના સમાચાર છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ઓછામાં ઓછા 280 લોકોના મોતના સમાચાર છે. ભૂકંપની તીવ્રતા જોતા મોતના આંકડા વધી પણ શકે છે.

    યુ.એસ. જીઓલોજિકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે રાજધાની કાબુલની દક્ષિણે ખોસ્ટ શહેરની નજીક તેનું કેન્દ્રબિંદુ બુધવારે પૂર્વ અફઘાનિસ્તાનમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

    સ્થાનિક બખ્તર સમાચાર એજન્સી અનુસાર, પક્તિકા પ્રાંતના બરમાલા, ઝિરુક, નાકા અને ગાયન જિલ્લામાં ઓછામાં ઓછા 280 લોકો માર્યા ગયા અને સેંકડો લોકો ઘાયલ થયા. બચાવ ટુકડીઓને હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે.

    ઇમરજન્સી એજન્સીઓને મદદની અપીલ

    સરકારના પ્રવક્તા બિલાલ કરીમીએ ટ્વિટ કર્યું કે દુર્ભાગ્યથી કાલે રાત્રે (સ્થાનીય સમય પ્રમાણે) પક્તિકા પ્રાંતના ચાર જિલ્લામાં ભીષણ ભૂકંપ આવ્યો છે. જેમાં અમારા સેંકડો દેશવાસી માર્યા ગયા છે અને ઇજાગ્રસ્ત થયા છે. ઘણા ઘરો તબાહ થઇ ગયા છે. અમે બધી ઇમરજન્સી એજન્સીઓને અપીલ કરીએ છીએ કે આગળની તબાહીને રોકવા માટે આ વિસ્તારમાં ટીમો મોકલે.

    પાકિસ્તાનમાં પણ ભૂકંપ અનુભવાયો

    પાકિસ્તાનમાં પણ 6.1ની તીવ્રતાના ભૂકંપના સમાચાર છે. જોકે ત્યાં હાલ કોઇ જાનમાલના નુકસાનના સમાચાર નથી. જિયો ન્યૂઝના મતે બુધવારે સવારે પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના કેટલાક ભાગમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ, મુલતાન, ભાકર, ફલિયા, પેશાવર, મલકંદ, સ્વાત, બુનેર સહિત ઘણા સ્થળો પર ભૂકંપના આંચકા અનુભવાયા છે.

    મલેશિયામાં પણ ભૂકંપનો આંચકો

    નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના મતે મલેશિયાના કેટલાક ભાગમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિન્દુ રાજધાની ક્વાલાલંપુરથી 561 કિલોમીટર પશ્ચિમ તરફ હતું

    NDAનાં રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત લગભગ નિશ્ચિત: એક પછી એક સમર્થન આપી રહ્યા છે ક્ષેત્રીય પક્ષો

    ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂનાં નામની જાહેરાત કરી હતી. ઓરિસ્સાનાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ઝારખંડનાં પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનાં નામની જાહેરાત બાદ હવે વિવિધ પાર્ટીઓ દ્વારા તેમને સમર્થન આપવામાં આવી રહ્યું છે. તેને જોતા દ્રૌપદી મુર્મૂની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

    NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂનાં નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ ગઈકાલે રાત્રે જ ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયકે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. 

    નવીન પટનાટકે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “દેશના સર્વોચ્ચ પદ માટે NDA ના ઉમેદવાર તરીકે ઘોષિત થવા બદલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને શુભેચ્છાઓ. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતી ચર્ચા મારી સાથે કરી હતી ત્યારે ખૂબ આનંદ થયો હતો. ઓરિસ્સાના લોકો માટે આ ગર્વની બાબત છે. તેમણે એમ પણ કહ્યું કે, “મને વિશ્વાસ છે કે શ્રીમતી દ્રૌપદી મુર્મૂ દેશમાં મહિલા સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડશે.”

    બીજી તરફ, આંધ્રપ્રદેશ સ્થિત વાયએસઆર કોંગ્રેસ તરફથી પણ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. વાયએસઆર કોંગ્રેસના સાંસદ વિજયસાંઈ રેડ્ડીએ ટ્વિટ કરીને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા બદલ દ્રૌપદી મુર્મૂને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું જ કહ્યું છે કે આપ દેશના મહાન રાષ્ટ્રપતિ બનશો. અમારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે.” 

    આ ટ્વિટ બાદ અનુમાન છે કે આંધ્રપ્રદેશના શાસક પક્ષ વાયએસઆર કોંગ્રેસનું પણ NDAને સમર્થન મળશે. બીજી તરફ, ઓરિસ્સાના નવીન પટનાયક પણ સમર્થન આપી ચૂક્યા છે. જેથી NDAનો હાથ ઉપર રહ્યો છે અને દ્રૌપદી મુર્મૂની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

    આ ઉપરાંત, બિહારની શાસક પાર્ટી જનતા દળ યુનાઇટેડ પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં આવી છે. નીતીશ કુમારની પાર્ટીએ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનું એલાન કર્યું છે. જેડીયુ અધ્યક્ષ રાજીવ રંજન સિંહે એલાન કરતા કહ્યું કે, ‘ગરીબ પરિવારમાં જન્મેલાં આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર બન્યાં છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સૈદ્ધાંતિક રીતે મહિલા સશક્તિકરણ અને સમાજના શોષિત વર્ગો માટે સમર્પિત છે. જનતા દળ (યુ) દ્રૌપદી મુર્મુની ઉમેદવારીનું સ્વાગત અને સમર્થન કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકિત થવા બદલ તેમને અભિનંદન.’

    આ તરફ, વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનેલા યશવંત સિન્હાના પુત્ર અને ભાજપ સંસદ જયંત સિન્હાએ એક વિડીયો જારી કરીને આ મુદ્દાને પારિવારિક મામલો ન બનાવવા માટે વિનંતી કરી છે. 

    જયંત સિન્હાએ એક વિડીયો જારી કરીને કહ્યું કે, “વિપક્ષ દ્વારા મારા આદરણીય પિતાજી યશવંત સિન્હાજીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મારી વિનંતી છે કે આ મુદ્દાને પારિવારિક મુદ્દો બનાવવામાં ન આવે. હું ભાજપનો કાર્યકર્તા અને સાંસદ છું અને મારા બંધારણીય કર્તવ્યનું પાલન કરીશ.”

    ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી 2018 માં રાજીનામું આપ્યા બાદ 2021 માં યશવંત સિન્હા મમતા બેનર્જીની ટીએમસીમાં જોડાયા હતા જ્યાં તેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જે બાદ ગઈકાલે તેમના નામનો પ્રસ્તાવ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, જે બાદ તેમણે ટીએમસીમાંથી રાજીનામું આપ્યું હતું.

    જે રીતે દ્રૌપદી મુર્મૂને દેશમાંથી સમર્થન મળી રહ્યું છે અને NDA પાસે મતોની સંખ્યા વધી રહી છે તેને જોતાં દ્રૌપદી મુર્મૂની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો જીત થશે તો તેઓ દેશનાં પ્રથમ જનજાતિ અને બીજાં મહિલા રાષ્ટ્રપતિ બનશે.

    અલાપુરના મૌલવીએ પ્રયાગરાજના કિન્નરનું બળજબરીથી કર્યું ધર્માંતરણ,

    અલાપુરના મૌલવીએ પ્રયાગરાજના કિન્નરનું બળજબરીથી કર્યું ધર્માંતરણ, તમે ધર્મ પરિવર્તનના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે, પરંતુ કદાચ આ પહેલીવાર છે જ્યારે કોઈ કિન્નરે ધર્માંતરણનો આરોપ લગાવ્યો હોય. મામલો સંગમ શહેર પ્રયાગરાજનો છે, જ્યાં એક કિન્નરે બીજા કિન્નર પર ધર્મ પરિવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. જેના વિરોધમાં જ્યોર્જટાઉન પોલીસ સ્ટેશન પહોંચેલા અન્ય કિન્નરોએ હોબાળો મચાવ્યો હતો. આ સાથે આરોપી કિન્નર સામે કેસ નોંધવા માટે પણ અરજી આપવામાં આવી હતી. હાલ પોલીસ અલાપુરના મૌલવીએ પ્રયાગરાજના કિન્નરનું ધર્માંતરન મામલે તપાસ કરી રહી છે.

    સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, અલ્લાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની રહેવાસી એક ગરીબ મહિલાનો આરોપ છે કે તેનું એક સંતાન કિન્નર છે. શાહગંજના એક કિન્નરે તેને પોતાનો શિષ્ય બનાવ્યો હતો. આરોપ છે કે કિન્નરોના કહેવા પર પત્થર ગલીમાં રહેતા મૌલાના દ્વારા પોતાના કિન્નર સંતાનનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. તેમજ તેને વાંધાજનક વસ્તુઓ પણ ખવડાવી હતી. તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જ્યારે તેણી તેના ઘરે જવા માંગતી હતી, ત્યારે તેણીની સામે ચોરીનો આરોપ લગાવીને કેસ નોંધવામાં આવ્યો હતો. આ સાથે પીડત પંકજ કિન્નરને માર પણ મારવામાં આવ્યો હતો. હાલ પોલીસનું કહેવું છે કે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

    પોલીસ પાસે કાર્યવાહીની માંગ

    કિન્નર કલ્યાણ બોર્ડ વૈષ્ણવી નંદ ગિરીએ કહ્યું કે આ મામલે તહરિર આપવામાં આવ્યું છે. મામલો ગંભીર છે. અમે માંગ કરીએ છીએ કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે કોઈનું બળજબરીથી ધર્માંતરણ કરવું ખોટું છે. સરકાર અને વહીવટીતંત્ર પાસે માંગ છે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવે, કારણ કે ન્યાય વ્યવસ્થા બધા માટે સમાન છે.

    ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે જ્યાં મુસ્લિમ કિન્નરો દ્વારા હિંદુ કિન્નરોનું બળપૂર્વક ધર્માંતરણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. માર્ચ 2022માં, IBN24એ અહેવાલ આપ્યો હતો કે મુસ્લિમ વ્યંઢળો કથિત રીતે હિંદુ કિન્નરોને સમુદાયમાં રહેવા માટે ઇસ્લામ સ્વીકારવા દબાણ કરી રહ્યા હતા.

    ઇસ્લામમાં બળજબરીથી ધર્માંતરણના કિસ્સાઓ સમગ્ર દેશમાં પ્રચલિત છે, જેમાં પીડિતોને ડરાવવામાં આવે છે, જીવથી મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે અથવા તેમની આસ્થાનો ત્યાગ કરવા અને ઇસ્લામ સ્વીકારવા માટે બ્લેકમેલ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ, બળજબરીથી ઇસ્લામમાં ધર્માંતરણના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે, યુપી ATSએ ગયા વર્ષે એક મોટા ધાર્મિક ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

    મહારાષ્ટ્ર કરતાં કોંગ્રેસને યુવરાજની ચિંતા વધુ; ગુજરાત કોંગ્રેસના તમામ MLAને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

    મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ (Maharashtra Political Crisis) આવી છે. વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનાના 40 જેટલા ધારાસભ્યો સુરતની એક હોટલમાં ગુપ્તવાસમાં આવ્યા બાદ ગુવાહાટી રવાના થઇ ગયા, ત્યારે એ.આઈ.સી.સી. એ કોંગ્રેસ ના તમામ ધારાસભ્યો અને સાંસદોને દિલ્હી બોલાવ્યા છે. આજે મોડી સાંજ સુધીમાં દિલ્હી પહોંચવા માટે પાર્ટીએ ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોને આદેશ આપ્યા છે. ગુજરાતના તમામ કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને પાર્ટી તરફથી સૂચના અપાઈ છે કે આજ સાંજ સુધીમાં તેઓ દિલ્હી આવી પહોંચે. મહારાષ્ટ્ર સરકારમાં રાજકીય ખળભળાટ વચે કોંગ્રેસના આ આદેશથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં કુતુહલ સર્જાયું છે.

    મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીની ED દ્વારા થઈ રહેલ પૂછપરછના વિરોધમાં પ્રથમ દિવસથી જ પ્રિયંકા ગાંધીની (Priyanka Gandhi) આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં દેખાવ-ધરણાં યોજી રહ્યા છે. મંગળવારે પણ રાહુલની પૂછપરછ કરવામાં આવી હતી. કોંગ્રેસે હવે ભાજપ સરકાર સામે દિલ્હીમાં જ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે શક્તિ પ્રદર્શન યોજીને દબાણ વધારવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના મોટાભાગના ધારાસભ્યો મંગળવારે સાંજે દિલ્હી જવા રવાના થયા છે.

    મહારાષ્ટ્ર સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે છે ત્યાકે ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને હાઈકમાંડનું દિલ્હીનું તેડું આવ્યું છે,ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને બુધવારે સવાર સુધીમાં પહોંચી જવા સૂચના આપી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટ પરથી ધારાસભ્યો દિલ્હી જવા રવાના પણ થઇ ગયા હતા. ઉત્તર ગુજરાતના ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ અને સૌરાષ્ટ્રના ધારાસભ્યો રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઇ ગયા છે.

    એક રીપોર્ટ પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર સી. જે ચાવડા, ગુલાબસિંહ રાજપૂત, બળદેવ ઠાકોર દિલ્હી જવા રવાના થઇ ગયા છે. ત્યાંજ સી.જે ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર રાહુલ ગાંધીને (Rahul Gandhi) ED ના નામે પરેશાન કરી રહી છે. રાહુલ ગાંધીના સમર્થન અને અગ્નિપથના વિરોધમાં કોંગ્રેસના સત્યાગ્રહમાં ધારાસભ્યો અને સાંસદો જોડાશે.

    અહેવાલો મુજબ મહારાષ્ટ્રના ઘટનાક્રમ પર સી.જે ચાવડાએ સૂચક નિવેદન આપતા કહ્યું કે, ગુજરાતના 2 નેતાઓના પગલે આ ઘટનાઓ થઈ રહી છે. ભૂતકાળમાં પણ અનેક રાજ્યોમાં જોડતોડનો સિલસિલો જોવા મળ્યો હતો.

    મહારાષ્ટ્રમાં થઇ રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના (Shiv Sena) મોટા નેતા એકનાથ શિંદે પણ સામેલ છે. સુરતની જે હોટલમાં શિવસેનાના ધારાસભ્યો રોકાયા હતા ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચેથી તમામ ધારાસભ્યો ગુવાહાટી પહોંચી ચુક્યા છે. ત્યાં પણ સુરત માફક કોઈને જવાની મંજૂરી નથી.

    દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો કેસ, આસામના મુખ્યમંત્રીનાં પત્ની વિરુદ્ધ લગાવ્યા હતા આરોપો

    આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાનાં પત્ની રિંકી ભુઇયાં સરમાએ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગુવાહાટીની કોર્ટમાં કેસ દાખલ કરતા તેમણે 100 કરોડ રૂપિયા વળતરની માંગ કરી છે. મનિષ સિસોદિયાએ આ મહિને એક પ્રેસ કોન્ફરન્સ કરીને હિમંત બિસ્વા સરમા અને તેમની પત્ની ઉપર આરોપ લગાવ્યા હતા. 

    રિંકી સરમાના વકીલે આ બાબતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે બુધવાર સુધીમાં કેસ લિસ્ટ થાય તેવી તેમને આશા છે. દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ગત 4 જૂનના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને લગાવેલા પીપીઈ કિટમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના આરોપો મામલે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    મનિષ સિસોદિયાએ દિલ્હીમાં 4 જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આસામ સરકારે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનાં પત્નીની ફાર્મ અને પુત્રના બિઝનેસ પાર્ટનરને માર્કેટ કિંમતથી વધુ કિંમતે પીપીઈ કીટ સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. જોકે, આ આરોપોને આસામ સીએમ તેમજ તેમનાં પત્ની નકારી ચૂક્યા હતા અને હિમંત બિસ્વ સરમાએ એમ પણ કહ્યું કે, તેઓ મનિષ સિસોદિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરશે. 

    મનિષ સિસોદિયાએ વામપંથી પ્રોપેગેન્ડા મીડિયા પોર્ટલ ‘ધ વાયર’ના એક રિપોર્ટના આધારે હિમંત બિસ્વા સરમા અને તેમના પત્ની વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા. આ રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સીએમ સરમાની પત્ની રિંકી ભુઈયાં સરમાની માલિકીની એક ફર્મને પીપીઈ કિટ અને કોવિડ-19 સબંધિત અન્ય સામાનના સપ્લાય માટે જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યા વગર આદેશ આપવામાં આવ્યો હતો. 

    આ આરોપોનો જવાબ આપતા હિમંત બિસ્વા સરમાએ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, “જ્યારે દેશ 100થી વધુ વર્ષોની સૌથી ખરાબ મહામારીમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આસામ પાસે પીપીઈ કિટની ઘટ હતી. આવા સમયે મારી પત્નીએ આગળ આવવાનું સાહસ કર્યું અને લોકોના જીવ બચાવવા માટે સરકારને લગભગ 1500 કિટ મફત દાન કરી હતી. તેમણે એક પણ રૂપિયો લીધો ન હતો.”

    રિપોર્ટ બાદ રિંકી સરમાએ આરોપોનું ખંડન કરતા કહ્યું હતું કે, તેમણે પીપીઈ કિટની આપૂર્તિ માટે એક પણ રૂપિયો લીધો નથી અને CSR હેઠળ નેશનલ હેલ્થ મિશનને પીપીઈ કિટ દાનમાં આપવામાં આવી હતી અને તે માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો ન હતો. 

    જોકે, તેમ છતાં મનિષ સિસોદિયાએ માફી માંગી ન હતી કે નિવેદન પરત ખેંચ્યું ન હતું. જે બાદ આખરે હવે આસામ સીએમનાં પત્નીએ મનિષ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. 

    ઉલ્લેખનીય છે કે મનિષ સિસોદિયા આમ આદમી પાર્ટીના એકમાત્ર વરિષ્ઠ નેતા નથી જેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના પાયાવિહોણા આરોપોને પગલે કેસ દાખલ થયો હોય. આ પહેલાં આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે ભાજપ નેતાઓ અરૂણ જેટલી અને નીતિન ગડકરી વિરુદ્ધ ખોટા આરોપો લગાવ્યા હતા. જે બાદ માનહાનિના કેસ દાખલ થતા કેજરીવાલે માફી માંગવી પડી હતી.