Monday, March 17, 2025
More
    હોમપેજક્રાઈમ‘ન મંદિરમાં પૂજા કરવા દે છે, ન વિસ્તારમાંથી આવવા-જવા દે છે’: પૂર્ણિયાના...

    ‘ન મંદિરમાં પૂજા કરવા દે છે, ન વિસ્તારમાંથી આવવા-જવા દે છે’: પૂર્ણિયાના બાયસીમાં મુસ્લિમ વસ્તીથી પરેશાન 150+ હિંદુ પરિવારોની વ્યથા; સરપંચ આલમે આરોપોને નકાર્યા

    સ્થાનિક લોકોએ કહ્યું કે તેમણે રસ્તા માટે જમીન માલિકને ₹1 લાખ પણ આપ્યા હતા જેથી સમસ્યાનો ઉકેલ આવી શકે. પરંતુ પાછળથી, મુસ્લિમ સમુદાયના દબાણ હેઠળ, તેણે પૈસા પરત આપી દીધા અને કોઈ ઉકેલ નીકળી શક્યો નહીં.

    - Advertisement -

    બિહારમાં પૂર્ણિયાના બાયસી બ્લોકના શાદીપુર ભૂથા ગામના શર્મા ટોલીમાં લગભગ 150 હિંદુ પરિવારો (Hindu Families) છેલ્લા ઘણા દિવસોથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે મુસ્લિમ પક્ષે (Muslim) તેમના ઘરનો રસ્તો બંધ કરી દીધો છે. ગામની ચારેય તરફ મુસ્લિમ વસાહત અને તેમની ખાનગી જમીનો હોવાના કારણે હિંદુ લોકોને પોતાના ઘરો સુધી જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે મુસ્લિમ સમુદાયના લોકો જાણી જોઇને તેમને પરેશાન કરે છે.

    પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે આ પરિવારોના દીકરા-દીકરીઓ લગ્ન પણ થઈ શકતા નથી. બીમાર લોકોને હોસ્પિટલમાં લઈ જવાનું પણ મુશ્કેલ બન્યું છે. ગામલોકોનું કહેવું છે કે પહેલાં તેઓ ખાનગી રસ્તેથી આવતા-જતા હતા, પરંતુ હવે 12 દશાંશ જમીનના નાના ટુકડાને કારણે 100 મીટરનો રસ્તો બંધ થઈ ગયો છે.

    ₹1 લાખ આપ્યા બાદ પણ ન આવ્યો સમસ્યાનો ઉકેલ

    સ્થાનિક લોકોએ કહ્યું કે તેમણે રસ્તા માટે જમીન માલિકને ₹1 લાખ પણ આપ્યા હતા જેથી સમસ્યાનો ઉકેલ આવી શકે. પરંતુ પાછળથી, મુસ્લિમ સમુદાયના દબાણ હેઠળ, તેણે પૈસા પરત આપી દીધા અને કોઈ ઉકેલ નીકળી શક્યો નહીં. હવે રસ્તાઓ ચારે બાજુથી બંધ હોવાથી, આ લોકો સંપૂર્ણપણે ઘેરાઈ ચૂક્યા છે.

    - Advertisement -

    ગ્રામજનોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ પક્ષ તેમને પૂજા કરતા અને લાઉડસ્પીકર વગાડતા અટકાવે છે. મુસ્લિમો દાવો કરે છે આના કારણે તેમની ધાર્મિક સ્વતંત્રતા પર રોક લાગી રહી છે. આ સમસ્યાથી કંટાળીને લોકોએ પહેલા SDM કોર્ટમાં અપીલ કરી. ત્યાં નિર્ણય તેમના પક્ષમાં આવ્યો, પરંતુ બાદમાં સિવિલ કોર્ટે તે નિર્ણયને ઉથલાવી દીધો અને મુસ્લિમ પક્ષ જીતી ગયો.

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા, સ્થાનિક સંતોષ કુમારે કહ્યું, “SDM મેડમ અને CO સાહેબ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં રસ્તાની જરૂરિયાત સ્વીકારવામાં આવી હતી. SDMએ પીડિત પરિવારોની તરફેણમાં ચુકાદો આપ્યો, પરંતુ સિવિલ કોર્ટે તે નિર્ણયને ઉલટાવી દીધો.”

    સંતોષ કુમારનું કહેવું છે કે “મુસ્લિમ પક્ષ આક્રમક વલણ અપનાવી રહ્યો છે. શરૂઆતમાં જમીન માલિકો સંમત થયા હતા અને એવું નક્કી થયું હતું કે તેમને જમીનના બદલામાં પૈસા આપવામાં આવશે. તેણે ₹1 લાખ પણ લીધા હતા, પરંતુ અન્ય મુસ્લિમોના દબાણને કારણે તેણે પૈસા પરત કરી દીધા અને ફરીથી રસ્તો ન આપવા પર અડગ છે.” સંતોષ કુમારનું કહેવું છે કે સ્થાનિક મુસ્લિમો દબંગાઈ બતાવી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં પણ તેમનો અવાજ સાંભળવામાં આવતો નથી. હવે આ પરિવારોએ જિલ્લા મેજિસ્ટ્રેટ કુંદન કુમાર પાસે મદદ માંગી છે.

    ઘણી વાર રજૂઆત છતાં નથી આવતું નિરાકરણ

    બૈસીના SDM કુમારી તૌસીએ જણાવ્યું હતું કે કાયદામાં સ્પષ્ટપણે લખેલું છે કે જો 100થી વધુ પરિવારો કોઈ જગ્યાએ રહે છે, તો કોઈ તેમનો રસ્તો રોકી શકતું નથી. અહીં દોઢસોથી વધુ પરિવારો છે, છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. તેમણે કહ્યું કે આ મામલે પોલીસ સ્ટેશન અને ઝોનલ ઓફિસરને ઘણી વખત પત્રો લખવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

    ઑપઇન્ડિયા પાસે એસડીએમના આદેશની નકલ પણ છે. જેમાં રસ્તો બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, મુસ્લિમ પક્ષ દ્વારા SDMના આદેશને સિવિલ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જ્યાં સિવિલ કોર્ટે SDMના આદેશને ફગાવી દીધો હતો.

    આ દરમિયાન, સ્થાનિક લોકોની સમસ્યાઓ સંબંધિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે હિંદુઓને મૂર્તિ વિસર્જન માટે જવાની મંજૂરી નથી. મુસ્લિમો ધાર્મિક વિધિઓમાં પણ અવરોધો ઉભા કરે છે. મહિલાએ આરોપ લગાવ્યો કે મુસ્લિમો કહે છે કે હિંદુ લોકો ‘જય શ્રી રામ’ના નારા લગાવે છે અને તેથી તેમને રસ્તો આપવામાં આવશે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં